અરબસાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડું નબળું પડતા ગુજરાત પરથી ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગ દ્વારા 12 ઓક્ટોબર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યમાં કેટલીક જગ્યાએ છુટાછવાયા વરસાદની આગાહી છે.હવામાન વિભાગ અનુસાર આગામી 3-4 દિવસમાં ચોમાસાની વિદાય પ્રક્રિયા વધુ આગળ વધશે. દરિયામાં ઊંચા મોજા અને ભારે પવન ફૂંકાવાની શક્યતાના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી હતી.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે સવારે છ કલાકે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 120 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેના કારણે આસોમાં અષાઢી માહોલ જામ્યો હતો. આણંદમાં સૌથી વધુ 1.65 ઇંચ, વલસાડમાં 1.54 ઇંચ, કવાંટમાં 1.34 ઇંચ, વાંકાનેરમાં 1.30 ઇંચ, હાલોલમાં 1.26 ઇંચ, ગણદેવીમાં 1.06 ઇંચ, સુરત શહેરમાં 1.06 ઇંચ વરસાદ વરસ્યો હતો.

113 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ
રાજ્યમાં સાત તાલુકામાં એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. જ્યારે 113 તાલુકામાં એક ઇંચથી ઓછો વરસાદ નોંધાયો હતો. નડીયાદમાં 0.94 ઇંચ, સંખેડામાં 0.83 ઇંચ, વાપીમાં 0.83 ઇંચ, વાપીમાં 0.79 ઇંચ, નવસારીમાં 0.79 ઇંચ, થરાદમાં 0.79 ઇંચ, કઠલાલમાં 0.79 ઇંચ વરસાદ પડ્યો હતો.



મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ – મુખ્ય સચિવ તથા વરિષ્ઠ સચિવો અને અધિકારીઓએ વિધાનસભા પોડિયમમાં યોજાયેલા સામૂહિક પ્રતિજ્ઞા પઠનમાં જોડાઈને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લીધી હતી. વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કરીને તેને સાકાર કરવામાં પોતાનું સંપૂર્ણ યોગદાન આપવા માટે મન-કર્મ-વચનથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત રહેવાની સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા સૌએ કરી હતી.
વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ભારત વિકાસ પ્રતિજ્ઞા ઓનલાઈન લઈ શકાય તે હેતુથી https://pledge.mygov.in/bharat-vikas/ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ રાજ્યના નાગરિકો લઈ શકશે અને પ્રતિજ્ઞા લીધાનું સર્ટિફિકેટ મેળવી શકશે.

આ પ્રસંગે NSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર આશિષ કુમાર ચૌહાણ, તાતા મેમોરિયલ હોસ્પિટલના ડિરેક્ટર ડો. સુદીપ ગુપ્તા, ડૉ. પંકજ ચતુર્વેદી (ડિરેક્ટર, ACTREC) અને ડૉ. નવીન ખત્રી (ડેપ્યુટી ડિરેક્ટર અને બોન મોરો ટ્રીમેન્ટ સ્પેશિયાલિસ્ટ- BMT, ACTREC) હાજર રહ્યા હતા. ૨,૪૦,૦૦૦ ચોરસ ફૂટના બિલ્ટ-અપ એરિયા અને ૬૦-બેડવાળા બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ (BMT) સેન્ટર સાથે, આ સુવિધા ભારતનું સૌથી મોટું અને દક્ષિણ એશિયાના સૌથી મોટા BMT સેન્ટરોમાંનું એક હશે. તે નિઃશુલ્લક કે રાહતના દરે વાર્ષિક ૧.૩ લાખથી વધુ OPD દર્દીઓને સેવા આપવા અને દર વર્ષે ૬૦૦થી વધુ જીવનરક્ષક BMT પ્રક્રિયાઓ હાથ ધરશે.
આ હોસ્પિટલ કેન્સરના દર્દીઓને સહાય કરવા માટે જનરલ અને સુપર-સ્પેશિયાલિટી સેવાઓ પ્રદાન કરશે અને ACTREC કેમ્પસ માટે એક વ્યાપક OPD તરીકે કાર્ય કરશે. આ પ્રોજેક્ટ ૩૮૦ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે. જેનું બાંધકામ લાર્સન એન્ડ ટુબ્રો (L&T) દ્વારા કરવામાં આવશે. કામગીરી જુલાઈ ૨૦૨૭ સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે.
NSE ફાઉન્ડેશન અને તાતા મેમોરિયલ હોસ્પિટલ વચ્ચેનો આ સહયોગ સમગ્ર ભારતમાં સસ્તી, ઉચ્ચ-ગુણવત્તાવાળી કેન્સર સંભાળના અભાવને દૂર કરવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું બની રહેશે.

ખેડૂત સંસ્થાઓએ કેન્દ્ર સરકારની નીતિઓને આ સંકટ માટે જવાબદાર ઠેરવી છે. અખિલ ભારતીય ખેડૂત સભાના અધ્યક્ષ અશોક ધવલે કહ્યું હતું કે આત્મહત્યાઓની આ શ્રેણી કેન્દ્ર સરકારની નીતિગત નિષ્ફળતાને દર્શાવે છે. તેમણે ખાસ કરીને કપાસનો બેલ્ટ — વિદર્ભ અને મરાઠવાડામાં વધતી આત્મહત્યાઓને ઉલ્લેખિત કરી, જ્યાં ખેડૂતો કપાસ અને સોયાબીનની ખેતી કરે છે.
