નવી દિલ્હીઃ ‘મહાભારત’માં કર્ણનું પાત્ર ભજવીને લોકપ્રિય બનેલા અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. 68 વર્ષના આ અભિનેતાએ આજે સવારે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના મોતનું કારણ હજી સુધી સામે આવ્યું નથી, પરંતુ તેમના નિધનથી ચાહકોમાં ઊંડો શોક છવાઈ ગયો છે.
‘મહાભારત’માં અર્જુનનું પાત્ર ભજવનારા અભિનેતા ફિરોઝ ખાને તેમના નિધનની પુષ્ટિ કરી છે અને ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. ફિરોઝ, પંકજ ધીરના નજીકના મિત્ર હતા. તેમણે કહ્યું કે હા, આ સાચું છે કે હવે તેઓ આ દુનિયામાં નથી રહ્યા. વ્યક્તિગત રીતે મેં એક ખૂબ સારા મિત્રને ગુમાવ્યો છે. તેઓ બહુ પ્રેમાળ વ્યક્તિ હતા. હું હજી પણ આઘાતમાં છું, મને ખબર નથી શું બોલવું જોઈએ. તેઓ ખરેખર બહુ સારા માણસ હતા અને હાલ હું વધુ કંઈ કહી શકતો નથી.
અહેવાલો મુજબ પંકજ ધીર કેન્સર સામે લડી રહ્યા હતા. તેઓ એક વખત કેન્સરથી સાજા થઈ ગયા હતા, પરંતુ થોડા મહિના પહેલાં કેન્સર ફરીથી ફેલાયું હતું અને તેમને ICUમાં દાખલ કરાવવા પડ્યા હતા. ત્યાર બાદ તેમની મોટી સર્જરી પણ થઈ હતી.
STORY | ‘Mahabharat’, ‘Chandrakanta’ star Pankaj Dheer dies at 68
Television star Pankaj Dheer, known for playing Karna in B R Chopra’s “Mahabharat” and king Shiv Dutt in fantasy drama “Chandrakanta”, has died at the age of 68 following a battle with cancer.
પંકજ ધીરના નિધન બાદ CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશન) તરફથી એક સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. પંકજ ધીરના પુત્ર નિકેતન ધીર પણ અભિનેતા છે. તેમને બોલીવુડ ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસમાં થંગબલીના રોલથી ઘણી લોકપ્રિયતા મળી હતી. નિકેતનની પત્ની કૃતિકા સેનગર પણ અભિનેત્રી છે — તેમણે ઝાંસી કી રાની શોમાં રાની લક્ષ્મીબાઈનું પાત્ર ભજવ્યું હતું.
તાજેતરમાં, મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પ્રીતિ ઝિન્ટા અને બોબી દેઓલ ઘણા વર્ષો પછી ફરી મળ્યા. પુનઃમિલન પછી પ્રીતિએ બોબી અને તેની પત્ની તાન્યા સાથેનો એક ફોટો શેર કર્યો.
બોલીવુડની ચુલબુલી ગર્લ પ્રીતિ ઝિન્ટા ઘણીવાર તેના જૂના મિત્રો સાથે વિતાવેલા ખુશ ક્ષણોને યાદ કરતી હોય છે. આ વખતે મનીષ મલ્હોત્રાની ભવ્ય દિવાળી પાર્ટીમાં તે તેના ભૂતપૂર્વ સહ-અભિનેતા, બોબી દેઓલ અને તેની પત્ની, તાન્યા દેઓલને મળી. આ પુનઃમિલન ફક્ત તેના માટે ભાવનાત્મક જ નહીં, પરંતુ તેના ચાહકો માટે પણ યાદગાર હતું.
દિવાળી પાર્ટી મીટ
મુંબઈમાં મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. કરીના કપૂર, માધુરી દીક્ષિત, કાજોલ અને સુહાના ખાન જેવા સ્ટાર્સે તેમની હાજરીથી પાર્ટીમાં ગ્લેમર ઉમેર્યું હતું. પરંતુ પ્રીતિ ઝિન્ટા, બોબી દેઓલ અને તાન્યા દેઓલ જ્યારે મીડિયા માટે સાથે પોઝ આપ્યા ત્યારે તે સીન જોવા જેવો હતો.
પ્રીતિએ સોશિયલ મીડિયા પર તેમની મુલાકાતનો ફોટો શેર કર્યો અને એક ભાવનાત્મક નોંધ લખી. તેણીએ લખ્યું કે બોબી સાથેની તેની મિત્રતા વર્ષો જૂની છે, અને બોબી દ્વારા તેનો તાન્યા સાથે પરિચય થયો હતો. તેણીએ ખુલાસો કર્યો કે જ્યારે બોબી અને તાન્યા પહેલી વાર મળ્યા ત્યારે તે દિવાળી પાર્ટીમાં હાજર હતી.
હનીમૂનની એક મજેદાર વાર્તા
પ્રીતિએ તેની પોસ્ટમાં એક રસપ્રદ વાત પણ શેર કરી. પ્રીતિએ સમજાવ્યું કે “સોલ્જર” ના શૂટિંગ દરમિયાન બોબી અને તાન્યા તેમના હનીમૂન પર હતા અને તે સમયે તે “થર્ડ વ્હીલ” હતી. તેણીએ મજાકમાં લખ્યું કે બોબી અને તાન્યાએ તે સમય દરમિયાન તેણીને અપાર પ્રેમ અને સ્નેહ આપ્યો. તે ક્ષણો હજુ પણ તેની યાદોમાં તાજી છે. તેણીએ લખ્યું, “કેટલાક સંબંધો સમય સાથે ગાઢ બને છે. સમય પસાર થઈ ગયો છે, પરંતુ તેમના માટે મારો પ્રેમ અને આદર વધુ મજબૂત બન્યો છે. બોબી અને તાન્યા એકબીજા માટે બનેલા છે.”
કામના મોરચે, પ્રીતિ ઝિન્ટા ટૂંક સમયમાં મોટા પડદા પર વાપસી કરશે. તે આમિર ખાન પ્રોડક્શનની ફિલ્મ ‘લાહોર 1947’માં સની દેઓલ સાથે જોવા મળશે. દરમિયાન, બોબી દેઓલને તાજેતરમાં આર્યન ખાનના દિગ્દર્શન હેઠળની સીરિઝ ‘ધ બેડીઝ ઓફ બોલિવૂડ’માં તેની તીવ્ર ભૂમિકા માટે પ્રશંસા મળી હતી.
ઇસ્લામાબાદઃ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદ પર તણાવ આજે પણ યથાવત્ છે. કંધાર પ્રાંતના સ્પિન બોલ્ડક જિલ્લામાં પાકિસ્તાની સેના દ્વારા કરવામાં આવેલી ગોળીબારમાં ઓછામાં ઓછા 20 અફઘાન નાગરિકોનાં મોત થયા અને 80થી વધુ લોકો ઘાયલ થયા છે.
આ આતંકી હુમલો ત્યારે થયો જ્યારે પાકિસ્તાની સેના કંધાર પ્રાંતના આ વિસ્તારમાં હુમલો કરી રહી હતી. અફઘાન અધિકારીઓના જણાવ્યા મુજબ પાકિસ્તાને સવારે ચાર વાગ્યે સરહદ પર ગોળીબારી શરૂ કરી હતી, જેના જવાબમાં અફઘાન દળોએ પણ આકરો પ્રતિકાર આપ્યો હતો. આ અથડામણમાં બંને તરફથી જાનહાનિ થઈ છે.
40થી વધુ લોકોનાં મોત
અફઘાનિસ્તાનના જિલ્લા માહિતી અધિકારી અલી મહમ્મદ હકમલના જણાવ્યા મુજબ પાકિસ્તાની ગોળીબારીમાં 20થી વધુ લોકોનાં મોત થયાં છે અને 80થી વધુ ઘાયલ થયા છે. જોકે પાકિસ્તાની દળોના મૃતકોની સંખ્યા હજી સ્પષ્ટ નથી. અફઘાન સેનાએ કહ્યું છે કે પાકિસ્તાને સરહદનું ઉલ્લંઘન કર્યું છે અને આતંકીઓને આશરો આપ્યો છે.
તેમને એક અફઘાન સૈનિકનો ઓડિયો રેકોર્ડિંગ મળ્યો છે જેમાં તે પાકિસ્તાની સૈનિકોને સંબોધિત કરીને કહે છે: હુમલો તમારી તરફથી શરૂ થયો હતો. તમે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.સૈનિકે આગળ કહ્યું હતું કે અફઘાન સેનાના વરિષ્ઠ અધિકારીઓના આદેશ મળ્યા સુધી માર્યા ગયેલા પાકિસ્તાની સૈનિકોને પાછા આપશે નહીં. અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની તરફથી યુદ્ધવિરામના વિનંતી બાદ લડાઈ અટકી હતી.
લોકો અન્ય વિસ્તારોમાં શરણાર્થી બન્યા
આ અથડામણને કારણે સ્પિન બોલ્ડકના વેશ બજાર વિસ્તારમાં મોટી સંખ્યામાં રહેવાસીઓ સુરક્ષિત વિસ્તારો તરફ ભાગ્યા હતા. પાકિસ્તાની સેનાએ દક્ષિણ-પૂર્વ પક્તિકા પ્રાંતના બરમલ જિલ્લાના માર્ગી બજાર વિસ્તારમાં હવાઈ હુમલો કર્યો હોવાનું કહેવાય છે, જેનાથી અફઘાનિસ્તાનના હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયું. કાબુલમાં વિસ્ફોટનો અવાજ પણ સંભળાયો હતો.
🚨🔥👉🔻
The Afghan forces have targeted locations in Pakistan from where threats to Afghanistan originate.
Afghan forces will target all Daesh group centers in Pakistan. pic.twitter.com/DpRasPpjLS
આ હુમલા બાદ, અફઘાનિસ્તાનની ઇસ્લામિક અમીરાત (IEA)ના દળોએ કંધાર, હેલમંદ, જાબુલ, નંગરહાર, પક્તિયા, પક્તિકા અને ખોસ્ટ પ્રાંતોમાં ડ્યૂરન્ડ રેખા પાસેની પાકિસ્તાની સરહદી ચોકીઓ પર હુમલો કર્યો હતો.
આ પહેલાં IEAના મુખ્ય પ્રવક્તા ઝબિહુલ્લાહ મુજાહિદે જણાવ્યું હતું કે અફઘાન દળોએ જવાબી કાર્યવાહી દરમિયાન લગભગ 20 પાકિસ્તાની સરહદી ચોકીઓ કબજે કરી છે, જેમાં 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને લગભગ 30 ઘાયલ થયા હતા.
પટનાઃ જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે એલાન કર્યું છે કે તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય પાર્ટીના હિતમાં લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે ના, હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ નક્કી કર્યું છે કે મારી પાસે જે પહેલેથી જ જવાબદારીઓ છે, જો હું એ જ પુરજોશથી કરું તો એ પૂરતું છે. જો હું ચૂંટણી લડવા જઈશ તો બે-ચાર દિવસનું નુકસાન થશે. હું જે હાલનું કામ કરી રહ્યો છું એ જ કરતો રહીશ.
તેમણે એ પણ કહ્યું હતું કે 150થી ઓછી બેઠકો તેમના માટે હાર સમાન છે. તેમણે કહ્યું હતું કે 150થી ઓછી બેઠકો — પછી ભલે 120 હોય કે 130 — એ મારા માટે હાર ગણાશે. જો અમે સારું પ્રદર્શન કરીશું તો અમને બિહારને બદલીને દેશના ટોચનાં 10 પ્રગતિશીલ રાજ્યોમાં સામેલ કરવાની જનમંજૂરી મળશે. જો પ્રદર્શન ખરાબ રહેશે તો એનો અર્થ એ થશે કે લોકોએ અમારા પર વિશ્વાસ નથી વ્યક્ત કર્યો અને અમારે સમાજ અને માર્ગ પરનું રાજકારણ ચાલુ રાખવું પડશે.
VIDEO | EXCLUSIVE: “No, I won’t contest. Party has decided… I will continue to do the work I have been doing in the party. I will continue with the organisational work for the larger interest of the party,” Jan Suraaj (@PrashantKishor) founder Prashant Kishor said responding to… pic.twitter.com/aYpbz9mpth
જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો એક નવો કાયદો બનાવાશે, જેના અંતર્ગત 100 સૌથી ભ્રષ્ટ નેતાઓ સામે કેસ ચાલશે અને તેમને સજા મળશે. આ બધા જ નેતાઓ અને અધિકારીઓ માટે ચેતવણી છે જે પ્રાર્થના કરી રહ્યા છે કે જન સુરાજ સત્તામાં ન આવે, કારણ કે તેમને ખબર છે કે જો જન સુરાજ સરકાર બનશે તો તેમના ખરાબ દિવસો શરૂ થઈ જશે.
બિહારમાં સત્તારૂઢ NDAની ચોક્કસ હારની આગાહી કરતાં તેમણે કહ્યું હતું કે નીતીશકુમારની આગેવાનીવાળી JDUને 25 બેઠકો જીતવા માટે પણ સંઘર્ષ કરવો પડશે.
બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં છ અને 11 નવેમ્બરે યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરે થશે.
એફબીઆઈનાસોગંદનામા મુજબ આ વર્ષના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં, ટેલિસનેપેન્ટાગોનના નેટ એસેસમેન્ટ ઓફિસમાં સંવેદનશીલ માહિતી સુવિધામાં પ્રવેશતા જોવામાં આવ્યો હતો. ટેલિસ લશ્કરી વિમાન ક્ષમતાઓ સહિત વર્ગીકૃત દસ્તાવેજો, કેમેરામાં લેતા અને છાપતા કેદ થયો હતો.
ભારત બાબતોના અમેરિકી નિષ્ણાત અને અમેરિકી સરકારના ટોચના સલાહકાર એશ્લેટેલિસની વર્ગીકૃત દસ્તાવેજો રાખવા અને ચીન માટે કથિત રીતે જાસૂસી કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. 64 વર્ષીય એશ્લેટેલિસનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ હવે તેઓ અમેરિકી નાગરિકતા ધરાવે છે. ટેલિસ 2000 થી અમેરિકી વિદેશ વિભાગના સલાહકાર છે. ટેલિસ ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જડબલ્યુ. બુશનાકાર્યકાળ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પણ સેવા આપી ચૂક્યા છે.
ભારત સાથે તેમનો શું સંબંધ છે?
એશ્લેટેલિસનો જન્મ મુંબઈમાં થયો હતો અને તેમણે સેન્ટ ઝેવિયર્સકોલેજમાંથી રાજકીય વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી અને બોમ્બે યુનિવર્સિટીમાંથી માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેમણે શિકાગો યુનિવર્સિટીમાંથીડોક્ટરેટની પદવી મેળવી હતી. જ્યોર્જડબલ્યુ. બુશના વહીવટ દરમિયાન, ટેલિસરાષ્ટ્રપતિના વિશેષ સહાયક અને રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં દક્ષિણપશ્ચિમ એશિયા માટેના વરિષ્ઠ નિર્દેશક તરીકે સેવા આપી હતી. તેમણે ભારતમાં યુએસરાજદૂતના વરિષ્ઠ સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. હાલમાં, ટેલિસકાર્નેગીએન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલપીસમાંટાટા ચેર અને સિનિયર ફેલો ધરાવે છે. તેમને આંતરરાષ્ટ્રીય સુરક્ષા, સંરક્ષણ અને એશિયનબાબતોના નિષ્ણાત માનવામાં આવે છે.
ટેલિસે 2000ના દાયકામાં ભારત અને યુનાઇટેડસ્ટેટ્સ વચ્ચેના સીમાચિહ્નરૂપ નાગરિક પરમાણુ કરારની વાટાઘાટોમાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, તાજેતરના વર્ષોમાં તેમને ચીન તરફ ઝુકાવ અને ભારત-અમેરિકા સંબંધોનો વિરોધ કરતા જોવામાં આવ્યા છે. ટેલિસે રશિયા અને ઈરાન સાથેના ભારતના સંબંધો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા અને ભારતની ક્ષમતાઓ પર શંકા વ્યક્ત કરી હતી.
ટેલિસ સામે ગંભીર આરોપો
ભારતીય મૂળનાએશ્લે જે. ટેલિસ, જે યુએસસ્ટેટડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ વરિષ્ઠ સલાહકાર છે, તેમના પર ગુપ્ત દસ્તાવેજોરાખવાનો અને ચીની અધિકારીઓ સાથે સંપર્ક કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ફોક્સન્યૂઝેયુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટનાદસ્તાવેજોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે 11 ઓક્ટોબરના રોજ વર્જિનિયાનાવિયેનામાંટેલિસના ઘર, કાર અને તેમના નજીકના લોકોનારહેઠાણો પર દરોડા દરમિયાન અસંખ્ય ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા હતા. યુએસતપાસકર્તાઓએફેડરલકોર્ટના આદેશ પર દરોડા પાડ્યા હતા.
ટેલિસના ઘરે ફાઇલો અને કચરાપેટીમાં 1,000 થી વધુ અત્યંત સંવેદનશીલ સરકારી દસ્તાવેજો મળી આવ્યા હતા. ટેલિસ વિરુદ્ધ દાખલ કરાયેલFBI એફિડેવિટમાં તેમને સ્ટેટડિપાર્ટમેન્ટના પગાર વગરના સલાહકાર અને પેન્ટાગોનમાંકોન્ટ્રાક્ટર તરીકે દર્શાવવામાં આવ્યા છે. FBI એફિડેવિટ મુજબ, આ વર્ષના સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં, ટેલિસપેન્ટાગોનના નેટ એસેસમેન્ટ ઓફિસમાં સેન્સિટિવઇન્ફર્મેશનફેસિલિટીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. ટેલિસને કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો અને ગુપ્ત દસ્તાવેજો છાપવામાં આવ્યા હતા, જેમાં લશ્કરી વિમાન ક્ષમતાઓ પરના દસ્તાવેજોનો પણ સમાવેશ થાય છે. ટેલિસ તેની બેગમાં આ ગુપ્ત દસ્તાવેજો પણ લઈ જતા જોવા મળ્યો હતો.
એફિડેવિટમાં જણાવાયું છે કે 25 સપ્ટેમ્બર, 2025 ના રોજ ટેલિસેસ્ટેટડિપાર્ટમેન્ટનીક્લાસનેટસિસ્ટમઍક્સેસ કરી હતી, જેનો ઉપયોગ ગુપ્ત સંદેશાવ્યવહાર માટે થાય છે. તપાસમાં જાણવા મળ્યું કે તેણે યુએસ એરફોર્સ સંબંધિત 1,288 પાનાનીફાઈલો ખોલી અને તેને ફરીથી સેવ કરી તેમના નામ બદલ્યા અને ફાઇલનાપાનાઓ પ્રિન્ટ કર્યા. પછી, 10 ઓક્ટોબરના રોજ ટેલિસ ફરીથી પેન્ટાગોનસુવિધામાં પ્રવેશતા જોવા મળ્યા અને તે દસ્તાવેજો વાંચતા પણ દેખાયા.
ચીન માટે જાસૂસી કરવાનો આરોપ
એફબીઆઈનું કહેવું છે કે ટેલિસ છેલ્લા કેટલાક વર્ષોમાં વર્જિનિયાના એક રેસ્ટોરન્ટમાં ચીની સરકારી અધિકારીઓ સાથે ઘણી વખત મળ્યા હતા. ટેલિસ પર એક મુલાકાત દરમિયાન ચીની અધિકારીઓને એક પરબિડીયું આપવાનો આરોપ છે. ચીની અધિકારીઓએ બે વાર ટેલિસને ભેટ પણ આપી હતી. તેથી, ટેલિસ પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવી રહ્યો છે. ન્યાય વિભાગે કહ્યું કે જો ટેલિસ ગેરકાયદેસર રીતે વર્ગીકૃત અને અત્યંત સંવેદનશીલ દસ્તાવેજો રાખવા બદલ દોષિત ઠરે છે, તો તેને 10 વર્ષ સુધીની જેલ અને $25,000 નો દંડ થઈ શકે છે.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દિલ્હી-NCRવાસીઓને દિવાળીની ભેટ આપી છે. દિલ્હી-NCRમાં ફટાકડા પ્રતિબંધ મામલે CJI બી.આર. ગવઈ અને ન્યાયમૂર્તિ વિનોદ ચંદ્રનની ખંડપીઠે અહીં “ગ્રીન ફટાકડા” ફોડવાની મંજૂરી આપી છે. અગાઉની સુનાવણીમાં કોર્ટે ફટાકડા પ્રતિબંધમાં છૂટ આપવાની સંકેતો આપ્યા હતા. કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી-NCRમાં ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો ન તો વ્યાવહારિક છે અને ન તો આદર્શ સ્થિતિ છે.
સુપ્રીમ કોર્ટે છેલ્લી સુનાવણીમાં ગ્રીન ફટાકડાના ઉત્પાદન અને વેચાણને મંજૂરી આપવાની અરજીઓ પરનો નિર્ણય અનામત રાખ્યો હતો. તે સમયે કોર્ટે અધિકારીઓને પૂછ્યું હતું કે ફટાકડા પ્રતિબંધ બાદ હવામાં ગુણવત્તા સૂચકાંક (AQI) પર કોઈ અસર થઈ હતી કે નહીં.
ચીફ જસ્ટિસ ગવઈએ શું કહ્યું
સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ ગવઈએ કહ્યું હતું કે ફટાકડાઓની દાણચોરી થતી હોવાથી એ ગ્રીન ફટાકડા કરતાં પણ વધારે નુકસાનકારક સાબિત થાય છે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે સંતુલિત અભિગમ અપનાવવાની જરૂર છે.ચીફ જસ્ટિસે જણાવ્યું કે અમે સોલિસિટર જનરલ અને એમિકસ ક્યુરીનાં સૂચનો પર વિચાર કર્યો છે. કોર્ટે નોંધ્યું છે કે ઉદ્યોગ ક્ષેત્રની પણ ચિંતા યોગ્ય છે, પરંપરાગત ફટાકડાઓની દાણચોરી થતી હોવાથી તે વધુ હાનિકારક બને છે.
અમારે સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. હરિયાણાના 22 જિલ્લાઓમાંથી 14 જિલ્લા NCRમાં આવે છે. જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, ત્યારે (કોરોના સમયને છોડીને) હવાની ગુણવત્તામાં ખાસ ફેરફાર થયો નહોતો. ગ્રીન ફટાકડા આવ્યા બાદ છેલ્લાં છ વર્ષોમાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જેમાં NEREનું પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે.
પટનાઃ બિહાર ચૂંટણીને લઈને NDAમાં સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થયા બાદ પણ બધું સમુંસૂતરું નથી. રાષ્ટ્રીય લોક મોરચાના ઉપેન્દ્ર કુશવાહાએ મહુઆ વિધાનસભા બેઠકને લઈને અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ઉપ મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરી અને કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે કુશવાહાના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. કુશવાહા અમિત શાહને મળવા દિલ્હી રવાના થયા છે.
RLMપ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે સમ્રાટ ચૌધરી અને નિત્યાનંદ રાય મને હાથ જોડીને ચાલ્યા ગયા હતા, હું નારાજ છું કે ખુશ છું એ પ્રશ્ન નથી. હું એટલું જ કહું છું કે NDAમાં બધું ઠીક નથી.ભાજપના નેતાઓ સાથેની બેઠક બાદ ઉપેન્દ્ર કુશવાહાએ પાર્ટીની ઈમરજન્સી બેઠક બોલાવી હતી, પરંતુ પછી તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાતને કારણે બેઠક સ્થગિત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે હું દિલ્હી જઈ રહ્યો છું. NDAમાં જે નિર્ણયો લેવામાં આવ્યા છે તેના પર ચર્ચા કરવાની જરૂર છે. હું એ મુદ્દા પર વાત કરવા દિલ્હી જઈ રહ્યો છું. મને આશા છે કે બધું ઠીક થઈ જશે. કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે જેમ ઉપેન્દ્રજીએ કહ્યું છે, બધું ઠીક છે અને જલદી જ બધું ઠીક થઈ જશે.
VIDEO | Bihar Elections 2025: Deputy CM Samrat Choudhary and Union Minister Nityanand Rai met RLM chief Upendra Kushwaha (@UpendraKushRLM) at his Patna residence late last night. After the meeting Kushwaha said, “This time, nothing is well in NDA.”#BiharElections2025… pic.twitter.com/NtBGwVzn3J
NDAએએ આવનારી વિધાનસભા ચૂંટણી માટે બેઠકોના વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરી છે. તે મુજબ ભાજપ અને JDU 101-101 બેઠકો પર લડશે, ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) 29 બેઠકો પર, જ્યારે હિન્દુસ્તાની અવામ મોરચા અને રાષ્ટ્રીય લોક મોરચા છ-છ બેઠકો પર ચૂંટણી લડશે.
સીટ શેરિંગ બાદ કુશવાહાએ સમર્થકો પાસે માફી માગી
સીટ શેરિંગ બાદ ઉપેન્દ્ર કુશવાહાએ પોતાના સમર્થકોને માફી માગતા એક પોસ્ટ કરી હતી. તેમણે X પર લખ્યું હતું કે પ્રિય મિત્રો-સાથીઓ, આપ સૌ પાસેથી ક્ષમા માગું છું. તમારા મન મુજબ બેઠકોની સંખ્યા ન થઈ શકી.
દિવાળીમાં બાળકોનું વેકેશન, ઉપરાંત એકાદશીનું વ્રત પણ ખરું! ત્યારે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી શકાય! જેનું નામ લેતાં જ બાળકો તો ખુશ થઈ જ જશે! અને હા, આ ફરાળી ફ્રાઈસ બનાવવા સહેલા પણ છે!
રીતઃ સાબુદાણાને 2-3 પાણીએથી ધોઈને એક છીછરા વાસણમાં ડૂબતા પલાળો. (2 કપ સાબુદાણામાં 1 કપ જેટલું પાણી ઉમેરવું.) આ સાબુદાણા 4 કલાક માટે પલાળો.
ત્યારબાદ એક વાસણમાં પલળેલા સાબુદાણા લઈ, તેમાં બાફેલા બટેટાને છૂંદીને ઉમેરો. સાથે સ્વાદ મુજબ સિંધવ મીઠું, અધકચરી વાટેલી આદુ-મરચાંની પેસ્ટ, શીંગનો ભૂકો, જીરુ, કાળા મરી પાઉડર, લીંબુનો રસ, ખાંડ તેમજ સમારેલી કોથમીર મેળવીને આ મિશ્રણને હાથેથી મિક્સ કરી લો. ત્યારબાદ મિશ્રણમાંથી ગોળા લઈ તેને બંને હાથમાં રોલ વાળીને લાંબી સ્ટીક બનાવી લો.
બધી સ્ટીક તૈયાર થાય એટલે તેલ ગરમ કરીને તેમાં ફરાળી ફ્રાઈસ કઢાઈમાં આવે તે કરતાં થોડી ઓછી ઉમેરીને ગેસની મધ્યમ આંચે સોનેરી રંગની તળી લો. (સાબુદાણાને લીધે આ ફ્રાઈસ થોડી ફુલશે તેથી કઢાઈમાં આવે તે કરતાં થોડી ઓછી ઉમેરીને તળવી)