Home Blog Page 4980

રાશિ ભવિષ્ય 21/02/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


 

આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું,


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે,


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

મહાશિવરાત્રી 2020: જાણો શુભ મુહૂર્ત, પૂજા વિધિ અને મહત્વ

હાશિવરાત્રી 2020: હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંથી એક એટલે મહાશિવરાત્રી. શિવભક્તો આખુ વર્ષ ભોલે ભંડારીની વિશેષ આરાધના કરવા માટે આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. એક એવી માન્યતા છે કે, મહાશિવરાત્રીના દિવસે જે પણ ભક્ત સાચા મનથી શિવલિંગને અભિષેક કે જળ ચઢાવે છે તેમને મહાદેવની વિશેષ કૃષા મળે છે. એવુ પણ કહેવાય છે કે, શિવ એટલા ભોળા છે કે જો અજાણતા પણ શિવલિંગની પૂજા કરે તો તેમને પણ શિવ કૃષા પ્રાપ્ત થઈ જાય છે. આ જ કારણે ભગવાન શિવ શંકરને ભોળાનાથ કહેવામાં આવે છે. વર્ષમાં આવતી 12 શિવરાત્રીઓમાંથી ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં આવતી મહાશિવરાત્રીને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

હિન્દુ પંચાગ અનુસાર ફાગણ મહિનાના કૃષ્ણપક્ષમાં ચૌદસના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર અનુસાર દર વર્ષે મહાશિવરાત્રી ફેબ્રુઆરીકે માર્ચ મહિનામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી આજે એટલે કે 21 ફેબ્રુઆરીએ છે.

મહાશિવરાત્રીની તારીખ અને શુભ મુહૂર્ત

  • મહાશિવરાત્રીની તારીખ: 21 ફેબ્રુઆરી 2020-02-20
  • ચૌદસની તિથિ પ્રારંભ: 21 ફેબ્રુઆરી 2020 સાંજે 5 વાગ્યાને 20 મિનિટથી શરુ થશે, જે 22 ફેબ્રુઆરીએ સાંજે 7 વાગીને 2 મિનિટે પૂર્ણ થશે.
  • રાત્રી પ્રહર પૂજાનો સમય: 21 ફેબ્રુઆરી 2020ના રોજ સાંજે 6:41 વાગ્યાથી રાતના 12:52 સુધી

 

પૂજન સામગ્રી

મહાશિવરાત્રીના વ્રતની ઉજવણી માટે સામગ્રીમાં શમીનાં પાન, સુગંધિત ફૂલો, બિલીપત્ર, ધતુરો, શણ, પ્લમ, , જવ, તુલસીના પાન, ગાયનું દૂધ, શેરડીનો રસ, દહીં, શુદ્ધ દેશી ઘી, મધ, ગંગાજળ, પવિત્ર જળ, કપૂર, ધૂપ, દીપ, રૂ, ચંદન, પંચ ફળ, પંચ મેવા, પંચામૃત, સુંગધિત અતર ભગવાન શિવ અને માતા પાર્વતીની શણગારની સામગ્રી, દક્ષિણા, પૂજાના વાસણો વગેરે.

મહાશિવરાત્રીની પૂજન વિધિ

  • મહાશિવરાત્રીના દિવસે સવારે ઉઠીને સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને વ્રતનો સંકલ્પ લેવો.
  • ત્યારપથી શિવ મંદિરે અથવા તો ધરે મંદિરમાં જ શિવલિંગ પર જળ ચઢાવવું.
  • શિવલિંગ પર જળ ચઢાવવા માટે સૌથી પહેલા તાંબાના એક લોટામાં ગંગાજળ લેવું. તેમાં ચોખા અને સફેદ ચંદન ભેળવીને ‘ ઓમ નમ: શિવાય મંત્રનો ઉચ્ચાર કરતા કરતા શિવલિંગ પર જળ ચઢાવવું.
  • જળ ચઢાવ્યા પછી ઉપર જણાવેલી સામગ્રી એક એક કરીને શિવલિંગ પર ચઢાવવી.
  • શમીના પાન ચઢાવતી વખતે નીચે મુજબનો મંત્ર બોલવો

  अमंगलानां च शमनीं शमनीं दुष्कृतस्य च।

  दु:स्वप्रनाशिनीं धन्यां प्रपद्येहं शमीं शुभाम्।।

  • શમીના પાન ચઢાવ્યા પછી શિવજીને કપૂરથી આરતી ઉતારી પ્રસાદ વહેચવો.
  • શિવરાત્રીના દિવસે રાત્રી જાગરણ ફળદાયક માનાવામાં આવે છે.

શિવરાત્રીનું પૂજન નિશીથ કાળમાં કરવું સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાત્રીના આઠમાં મુહૂર્તને નિશીથ કાળ કહેવામાં આવે છે. જો કે, ભક્તો રાત્રીના ચારેય પ્રહરોમાંથી કોઈપણ એક પ્રહારમાં સાચી શ્રદ્ધાભાવથી શિવ પૂજા કરી શકે છે. મહાશિવરાત્રીના દિવસે શિવ પુરાણનો પાઠ અને મહામૃત્યુંજય મંત્ર કે શિવના પંચાક્ષર મંત્ર ‘ઓમ નમ: શિવાય’ નો જાપ કરવો જોઈએ.

 

પંચાંગ તા. 21/02/2020

ખટમીઠી ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’…

એક સ-રસ મજાની ખટમીઠી ગુજરાતી ફિલ્મ

ગોળકેરી…

એકમેક સાથેના અંતરંગ સંંબંધની હળવાશથી કહી દેતી ગંભીર વાત…

આ રહી એની એક ઝલક…

રજૂઆત ૨૮ ફેબ્રુઆરી.

આ ફિલ્મના એક્સક્લુઝિવ ‘મેગેઝિન પાર્ટનર’ ‘ચિત્રલેખા’.

જુઓ ‘ગોળકેરી’ ફિલ્મનું ટ્રેલર..

સેન્સેક્સ 150 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટી 12,000ની ઉપર

અમદાવાદઃ વૈશ્વિક માર્કેટોના મિશ્ર સંકેતો અને વીકલી એક્સપાયરીના દિવસે સ્થાનિક બજારમાં સુસ્ત વાતાવરણ રહ્યું હતું. સેન્સેક્સ 153 પોઇન્ટ તૂટીને 41,170ના સ્તરે બંધ રહ્યો હતો, જ્યારે નિફ્ટી 45 પોઇન્ટ ઘટીને 12,080.85ના મથાળે બંધ રહ્યો હતો. જોકે નિફ્ટી ઇન્ડેક્સ 12,000ની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યો હતો. બજારમાં ટ્રેડિંગ સેશન દરમ્યાન આઇટી, ઓઇલ-ગેસ, એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી જોવા મળી હતી. જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તેજી થઈ હતી.

નિફ્ટી 50 ઇન્ડેક્સના છ ઇન્ડેક્સમાં તેજી રહી હતી, જ્યારે પાંચ ઇન્ડેક્સ ઘટ્યા હતા. ઓટો અને ફાર્મા શેરોમાં વેચવાલીનું દબાણ હતું. હેવી વેઇટ શેરો રિલાયન્સ અને ટીસીએસમાં નફારૂપી વેચવાલીથી એક ટકાથી વધુ તૂટ્યા હતા. જ્યારે તાતા સ્ટીલ અને એસબીઆઇમાં બે ટકાથી વધુની તેજી થઈ હતી.

વૈશ્વિક માર્કેટમાં ડાઉ જોન્સ 115 પોઇન્ટ વધ્યો હતો અનમે એસ એન્ડ પી 500 અને નેસ્ડેક નવા શિખરે બંદ રહ્યા હતા. એશિયન માર્કેટમાં મિશ્ર કામકાજ જોવા મળ્યાં હતાં. ક્રૂડમાં રોશનેફ્ટની પર અમેરિકાએ પ્રતિબંધ મૂકતાં સપ્લાય ઘટવાની આશંકા હતા. વળી ચીનમાં કોરોના વાઇરસના નવા કેસમાં ઘટાડો થતાં ક્રૂડની માગમાં વધારો થવાની શક્યતા છે. જેથી ક્રૂડમાં ત્રણ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 59 ડોલર હતો.

 

સોનાના કિંમતો સાત વર્ષની ઊંચાઈએ : દસ ગ્રામના રૂ. 41,798

અમદાવાદઃ દેશમાં સોનાની કિંમતોમાં નવી ઊંચાઈએ પહોંચી હતી. સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં વધારો થયો હતો. સોનાની વૈશ્વિક માગમાં સતત વધારો થતાં કિંમતોમાં વધારો થયો હતો. એમસીએક્સ પર એપ્રિલ સોનાનો વાયદો 0.5 ટકા વધીને 10 ગ્રામદીઠ 41,798એ પહોંચ્યો હતો. સોનાની વૈશ્વિક કિંમતોમાં વધારો થતાં સ્થાનિક બજારમાં સોનાના ભાવ હાજરમાં સાત વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા.

બીજી બાજુ ચાંદીની કિંમતોમાં પણ વધારો થયો હતો. એમસીએક્સ પર ચાંદીનો માર્ચ વાયદો 0.54 ટકા વધીને કિલોગ્રામદીઠ રૂ. 47,825એ પહોંચ્યો હતો.ચીનમાં કોરોના વાઇરસથી વધુ 349 જણનાં મોતના અહેવાલ આવ્યા હતા, જેથી કોરોના વાઇરસની વૈશ્વિક ગ્રોથ પર પ્રતિકૂળ અસર પડવાની ધાસ્તીએ રોકાણકારોએ સાવધાની રૂપે સોનાની ખરીદદારી કરી હતી. આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતો છ ટકા વધી છે. વૈશ્વિક માર્કેટ કોરોના વાઇરસની વ્યાપક નકારાત્મક અસર પડવાની દહેશત રાખી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાની હાજરમાં કિંમત ઔંસદીઠ 1,610.43 ડોલર હતી. કેટલાક વિશ્લેષકો આગામી સપ્તાહોમાં સોનાની કિંમતો ઔંસદીઠ 1,650 ડોલર થવાની આગાહી કરતા હતા.

 

 

 

જ્યારે ‘ખુમાર’ના આ શો એ મુંબઈના પ્રેક્ષકોના મંત્રમુગ્ધ કર્યા

મુંબઈઃ ગયા અઠવાડિયે એટલે કે, 14 ફેબ્રુઆરી,2020 ના રોજ વેલેનેટાઇન્સ ડેની ઉજવણી અંગર્ગત જાણીતા કલાકાર બિપિન આર. પંડિતનો ‘ખુમાર’નો મ્યુઝિકલ કાર્યક્રમ બાંદરાના સેન્ટ એન્ડ્રુઝના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો. પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલો આ કાર્યક્રમ રોમેન્ટિક ગીતો માટેનો વેલેન્ટાઇન સ્પેશિયલ શો હતો. શોમાં અદાજે 800 કરતાં પણ વધુ પ્રેક્ષકો હાજર હતા.

બિપિનભાઇ કહે છે કે વેલેનટાઇન ડેએ શો યોજવો એમના માટે એક મોટો પડકાર હતો. એક તો વેલેન્ટાઇન ડે સપ્તાહના કામકાજના દિવસે હતો. વળી, આ ‘ખુમાર’ મ્યુઝિકલ કાર્યક્રમ મુંબઈના બાંદરાના સૌથી વધુ ગીચ વિસ્તારોમાંના એક વિસ્તારમાં યોજવામાં આવ્યો હતો.

ત્રીજું, આ કાર્યક્રમ સૌથી વ્યસ્ત સમય સાંજે 6.30 કલાકે હતો. એમાંય, આ સ્પેશિયલ દિવસે- ખાસ કરીને યુવા વર્ગ પોતાનું આગોતરું આયોજન પણ કરીને પોતપોતાની ખાનગી પાર્ટીઓમાં જવાનું વધુ પસંદ કરતા હોય છે.

 

જોકે આ બધા વચ્ચે પડકારો પણ આ શો સુપરહિટ બની ગયો હતો અને બધા જ કલાકારોએ તેમની ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું.

કાર્યક્રમમાં રમેશ નારાયણ, રાજ નાયક, શશિ સિંહા, કૌશિક રોય, કલ્પના રાવ, પાર્થ સિંહા, બોબી પવાર, અજય કાકર, રાણા બરુઆ, સત્યબ્રાતા, દેબ્રતા મુખરજી, અજય ચંદવાની, મિત્રજિત ભટ્ટાચાર્ય, મેઘા તાતા, પુનિથા ઓરમુઘમ, પ્રદીપ દ્વિવેદી, ધીરજ સિંહા, સંજીવ કોટનાલા, નવલ આહુજા જેવા ઉદ્યોગ જગતના માંધાતાઓ હાજર હતા.

બિપિનભાઈએ ઉમેર્યું હતું કે મુંબઈના મ્યુઝિકલ કાર્યક્રમની સફળતા એ જ છે કે એક સ્પોન્સર આગામી વર્ષે આ શો કોલ્હાપુરમાં યોજવા માટે સંમત થયા છે.

 

‘ખુમાર’ શબ્દ સાચા અર્થમાં કલાકારો માટે નેશનલ બ્રાન્ડ બની ચૂકી છે. ખાસ કરીને ઇન્દોર, ભોપાલ, પુણે, અમદાવાદ અને મુંબઈના કલાકારો માટે.

આ કાર્યક્રમમાં બિપીન પંડિતે ચિત્રલેખા માટે ખાસ એક ગુજરાતી ગીત ગાઈને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતાં.

બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ટર્નઓવરનો નવો વિક્રમ સર્જાયો

મુંબઈ તા.20 ફેબ્રુઆરી, 2020ઃ બીએસઈના ઈક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં આજે સૌથી અધિક ટર્નઓવરનો રૂ.5251 કરોડનો રેકોર્ડ સર્જાયો હતો. ઈન્ટરઓપરેબિલિટીના અમલ બાદ ઈક્વિટી ડેરિવેટિવ્ઝનું ટર્નઓવર સતત વધી રહ્યું છે. આ ઉપરાંત બીએસઈએ લિક્વિડિટી એન્હેન્સમેન્ટ સ્કીમ પણ લોન્ચ કરેલી છે.

“આ નાની પરંતુ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો અમને આનંદ છે. મેમ્બર્સની સક્રિય સામેલગીરી અને સતત મળી રહેલા ટેકાને પગલે ટર્નઓવર સતત વધી રહ્યું છે. હું આશા રાખું છું કે મેમ્બર્સ બીએસઈને આવો ટેકો પૂરો પાડવાનું અને ઉચ્ચ ટેકનોલોજીનો વપરાશ ચાલુ રાખશે,” એમ બીએસઈના ચીફ બિઝનેસ ઓફિસરે કહ્યું હતું.

SBI કાર્ડનો IPO બીજી માર્ચે ખૂલશે : રૂ. 750-755ની પ્રાઇસ બેન્ડ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ક્રેડિટ કાર્ડની સબસિડિયરી કંપની એસબીઆઇ કાર્ડસ એન્ડ પેમેન્ટ સર્વિસિસનો IPO બીજી માર્ચે ખૂલશે. આ IPO રૂ. 9,000 કરોડનો છે. SBI કાર્ડ્સ ક્રેડિટ કાર્ડ જારી કરવાને મામલે દેશમાં બીજા ક્રમે આવે છે. કંપની 18 ટકાનો બજારહિસ્સો ધરાવે છે. જોકે પહેલા ક્રમે એચડીએફસી છે, જે 35 ટકા બજાર હિસ્સો ધરાવે છે.એસબીઆઇ કાર્ડસ આશરે રૂ. 500 કરોડના નવા શેર ઇસ્યુ કરવાની યોજના બનાવી રહી છે અને કંપનીએ વેચાણ માટે 13.05 કરોડથી વધુના શેરો ઓફર કરશે. SBI કાર્ડસની IPOની બિડિંગ પ્રોસેસ પાંચ માર્ચે બંધ થશે. એસબીઆઇ કાર્ડસના IPOની ઇસ્યુ પ્રાઇસ શેરદીઠ રૂ. 750-755ની વચ્ચે હશે. કંપનીના કર્મચારીઓને શેરદીઠ રૂ. 15નું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ શેરનો માર્કેટ લોટ 19 શેરોનો હશે- એટલે કે IPOની ન્યૂનતમ 19 શેરો માટે બિડિંગ કરવું પડશે. કંપની તેના શેરોનું લિસ્ટિંગ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)  અને બોમ્બે સટોક એક્સચેન્જ (BSE)  પર થશે. કંપનીના એક શેરની મૂળ કિંમત રૂ. 10 રાખવામાં આવી છે.

રૂ. 500 કરોડના નવા ઇક્વિટી શેર ઇસ્યુ થશે

SBI કાર્ડસના IPO ઇસ્યુ દ્વારા 130.526,798 ઇક્વિટી શેરો ઓફર કરવામાં આવશે. જેમાં SBI દ્વારા 37,293,371 શેરો અને કાર્લિલ (Carlyle)  ગ્રુપ દ્વારા 93,233,427 શેરો સામેલ છે. આ સાથે કંપની રૂ. 500 કરોડની નવા ઇક્વિટી શેર જારી કરશે.કંપનીના કુલ 13,71,49,315 કરોડ શેરોનું વેચાણ

SBI  કાર્ડના IPO થકી કુલ 13,71,49,315 કરોડના શેરોનું વેચાણ કરવામાં આવશે. આમાં એન્કર રોકાણકારો માટે 3,66,69,590 શેરો, QIB (સંસ્થાગત રોકાણકારો) માટે 2,44,46,393 શેરો, NII  માટે 1,88,34,795 શેરો, RII માટે 4,27,81,188 શેરો, SBI શેરહોલ્ડર્સ માટે 1,30,052,680  શેરો અને કર્મચારીઓ માટે 18,64,669 શેરો રાખવામાં આવ્યા છે.

SBIનો SBI કાર્ડસમાં 76 ટકા હિસ્સો

SBI કાર્ડસમાં  SBIનો હિસ્સો 76 ટકા હિસ્સો છે અને બાકીનો હિસ્સો કાર્લિલ (Carlyle)  ગ્રુપની પાસે છે. SBI કાર્ડને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા અને જીઈ કેપિટલે ઓક્ટોબર, 1998માં લોન્ચ કર્યાં હતાં. SBI  અને કાર્લિલ (Carlyle)  ગ્રુપે ડિસેમ્બર, 2017માં જીઈ કેપિટલના શેરો ખરીદી લીધા હતા. કંપનીના 90 લાખથી વધુ ગ્રાહકો છે અને દેશના 130થી વધુ શહેરોમાં કંપની પોતાની સેવા પૂરી પાડે છે.

 

 

 

સુરતમાં બાળકી પર દુષ્કર્મ કરનારના ડેથ વોરન્ટ પર સુપ્રીમની રોક

નવી દિલ્હીઃ વર્ષ 2018 માં સૂરતમાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનારા અને તેની હત્યા મામલે દોષિતના ડેથ વોરન્ટ પર સુપ્રીમ કોર્ટે ગુરુવાર સુધી રોક લગાવી દિધી છે.

સેશન્સ કોર્ટએ અનિલને ફાંસીની સજા આપ્યા બાદ હાઈકોર્ટે પણ સજા યોગ્ય ઠેરવી હતી. ત્યારબાદ સેશન્સ કોર્ટે 29 ફેબ્રુઆરીએ ફાંસી આપવાનું ડેથ વોરન્ટ જાહેર કર્યુ હતુ. જોકે, સુપ્રીમ કોર્ટમાં અનિલ યાદવે અપીલ કરતા હાલ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી છે. આ ઘટનામાં લીંબાયતમાં રહેતા અનિલ યાદવે પોતાના ઘર નજીક જ રહેતી સાડા ત્રણ વર્ષિય બાળકીને ઘરમાં લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. બાદમાં તેની હત્યા કરી હતી.

હવસનો ખૂની ખેલ ખેલ્યા બાદ અનિલ માસુમ બાળકીની લાશને કોથળામાં ભરીને પોતાના રૂમને બહારથી તાળું મારી દીધું હતું અને પોતે વતન નંદુરબાર ભાગી ગયો હતો. આ કેસમાં પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં આરોપી બિહારથી પકડાયો હતો.