Home Blog Page 4978

જમ્મૂ-કાશ્મીરઃ લશ્કરના કમાન્ડર સહિત 2 આતંકી ઠાર

અનંતનાગઃ જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. અનંતનાગ જિલ્લામાં મોડી રાત સુધી પોલીસ, આર્મી અને સીઆરપીએફે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં લશ્કર-એ-તૈયબાના બે આતંકીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. કાશ્મીર પોલીસને અનંતનાગ જિલ્લાના સંગમ સ્થિત બિજબેહારા વિસ્તારમાં લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર ફુરકાન છુપાયેલો હોવાની સૂચના મળી હતી. બાદમાં પોલીસ, સીઆરપીએફ અને સેનાએ સંયુક્ત ઓપરેશનની રણનીતિ બનાવી છે. સુરક્ષા દળોએ મોડી રાત સુધી ચાલેલા ઓપરેશનમાં ફુરકાનને મોતને ઘાટ ઉતાર્યો છે. ફુરકાન સાથે લશ્કરના અન્ય એક આતંકીને પણ ઠાર કરાયો છે. જે જગ્યાએ આતંકીઓ છુપાયેલા હતા, ત્યાંથી મોટી માત્રામાં હથિયાર જપ્ત કરવામાં આવ્યા છે. કાશ્મીરના આઈજીપીએ જણાવ્યું કે, ગુપ્તચર જાણકારીના આધાર પર આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ગત મંગળવારના રોજ સુરક્ષા દળોએ આતંક વિરુદ્ધ શરુ કરવામાં આવેલા ઓપરેશનમાં ત્રણ આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હતા. જમ્મૂ-કાશ્મીરના પુલવામાં સ્થિત ત્રાલ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં સુરક્ષા દળોએ ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

સુરક્ષાદળોને આતંકીઓ પાસેથી એકે-47, એક પિસ્તોલ મળી આવ્યાં છે. આ અગાઉ જમ્મુ અને કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં બુધવારે 19 ફેબ્રુઆરીના રોજ થયેલી અથડામણમાં સુરક્ષાદળોએ 3 આતંકીઓને ઠાર કર્યા હતાં. પુલવામાના અવંતીપોરા વિસ્તારમાં મંગળવારે રાતે થયેલી અથડામણમાં જે આતંકીઓ માર્યા ગયા તેમાં કુખ્યાત આતંકી કમાન્ડર પણ સામેલ છે.

આતંકવાદીઓની ઓળખ જહાંગીર રફીક વાની, રાજા ઉમર મકબુલ ભટ અને ઉજૈર અહેમદ ભટ તરીકે થઈ હતી. પોલીસના એસઓજીની એક ટીમને આતંકીવાદીઓ અંગે ખાસ જાણકારી મળી હતી અને ત્યારબાદ અવંતીપોરામાં ઓપરેશન શરૂ કરાયું હતું.

વુહાનથી ભારતીયોના પાછા લાવવા ચીનનો અસહકાર કેમ?

નવી દિલ્હીઃ ચીનના વુહાન શહેરમાંથી ફેલાયેલા કોરોના વાયરસના કારણે આખી દુનિયામાં ડર ફેલાયો છે. પ્રાપ્ત વિગતો અનુસાર ચીનમાં અત્યાર સુધીમાં કુલ 2200 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. વિશ્વના ઘણા દેશો પોતાના નાગરિકોને ત્યાંથી બહાર લાવી ચૂક્યા છે. આ મહિનાની શરુઆતમાં ભારત દ્વારા પર બે વિશેષ વિમાનોથી આશરે 600 જેટલા ભારતીય નાગરિકોને એરલિફ્ટ કરીને ભારત લાવવામાં આવ્યા હતા. ત્યારે ફરીથી એકવાર ભારતે રાહત સામગ્રીને લઈને એક વિશેષ વિમાન ત્યાં મોકલવા માટે તૈયારી કરી લીધી છે. આ વિમાન ત્યાં રહી ગયેલા ભારતીયોને અહીંયા લાવશે. ત્યારે ચીન પર આરોપ લાગી રહ્યો છે કે, તેણે જાણી-જોઈને અત્યારસુધી ત્યાં વિમાનને ઉતરવાની મંજૂરી આપી નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીને રાહત સામગ્રીને લઈને જનારા વિમાનને મંજૂરી આપી નથી. આ વિમાન રાહત સામગ્રી ત્યાં મુકીને વુહાનથી ભારતીયોને પાછા લાવશે. ભારતીય વાયુસેનાનું આ વિશેષ વિમાન વુહાન મોકલવામાં મોડુ થઈ રહ્યું છે તે મામલે અધિકારીક સૂત્રોએ જણાવ્યું કે, પાડોશી દેશ જાણી-જોઈને મંજૂરી આપવામાં મોડુ કરી રહ્યો છે. બીજીતરફ ચીને આ રિપોર્ટ્સનું ખંડન કર્યું. ચીન કહી રહ્યું છે કે કોઈ મોડુ કરવામાં આવી રહ્યું નથી.

ઉલ્લેખનીય છે કે, 17 ફેબ્રુઆરીના રોજ ભારત સરકારે જાહેરાત કરી હતી કે ભારતીય વાયુસેના સૌથી મોટા વિમાન “C-17 ગ્લોબમાસ્ટર” ને દવાઓ સાથે વુહાન મોકલશે. રાહત સામગ્રીને ત્યાં મૂક્યા બાદ વિમાન ત્યાં ફસાયેલા કેટલાક ભારતીયોને પાછા ભારત લાવશે. વુહાનમાં અત્યારે પણ ઘણા ભારતીયો ફસાયેલા છે. તેમનો પરિવાર તેમને ત્યાંથી અહીંયા પાછા લાવવા માટે સતત ભારત સરકારને અપીલ કરી રહ્યો છે.

ભારતવિરોધી સૂત્રોચ્ચાર કરનાર યુવતીએ FB પર શું લખ્યું હતું?

નવી દિલ્હીઃ બેંગલુરુમાં સિટિઝન્સ એમેડમેન્ટ એક્ટ (CAA)ની વિરુદ્ધ થઈ રહેલા વિરોધ પ્રદર્શનમાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’નો સૂત્રોચ્ચાર કર્યા બાદ તેની સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. તે આગળ કંઈ કહે એ પહેલાં તેને રોકવામાં આવી હતી અને પોલીસે તેને મંચ પરથી નીચે ઉતારી દીધી હતી. હૈદરાબાદના સંસદસભ્ય અને AIMIMના પ્રમુખ અસદ્દુદ્દીન ઓવેસી એ વખતે મંચ પર હાજર હતા.ઓવેસીએ પણ તેને અટકાવવાના પ્રયત્નો કર્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે અમે કોઈ પણ હાલતમાં દુશ્મન દેશનું સમર્થન નથી કરતા.  

અમૂલ્યા નામની આ યુવતીએ ‘સંવિધાન બચાવો’ના બેનર હેઠળ આયોજિત એક જનસભામાં ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના સૂત્રોચ્ચાર કર્યા હતા. જેવું આ યુવતીએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ બોલવાનું શરૂ કર્યું કે તરત જ અસદુદ્દીન અને અન્ય બે લોકોએ તેને રોકવા માટે આગળ વધ્યા અને તેની પાસેથી માઇક્રોફોન લઈ લેવાના પ્રયત્નો કર્યા. ઓવેસીએ અમૂલ્યાને કહ્યું કે તમે આ શું બોલી રહ્યા છો?  તે યુવતીએ કહ્યું કે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ અને પાકિસ્તાનની વચ્ચે ફરક છે. એ પછી કેટલાક લોકોએ તેને વચ્ચે જ અટકાવી હતી.

જોકે અમૂલ્યાએ પાછલા સપ્તાહે ફેસબુક પોસ્ટમાં પાકિસ્તાન સહિત બધા પડોશી દેશોની પ્રશંસા કરી હતી. તેણે લખ્યું હતું કે ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’, ‘પાકિસ્તાન ઝિંદાબાદ’, ‘બંગલાદેશ ઝિંદાબાદ’, ‘શ્રીલંકા ઝિંદાબાદ’, ‘અફઘાનિસ્તાન ઝિંદાબાદ’, ‘ચીન ઝિંદાબાદ’, ‘ભૂતાન ઝિંદાબાદ’. તે મહિલાએ કન્નડ ભાષામાં ફેસબુક પર લખ્યું હતું કે પોતાના દેશને પ્રેમ કરો અને બીડા દેશોનું સન્માન કરો.

 

એમનું એવું તો કેવું વાસ્તુ છે કે તેમના બધાજ પાપ માફ થઇ જાય છે?

સાહેબ. પંદરેક વર્ષથી તમને ફોલો કરું છુ. તમારી રેમેડીથી ફાયદા પણ ઘણા છે. અમે સાવ સામાન્ય હતા અને બધીજ રીતે ઉપર આવ્યા. અમે બંને બહેનો સારું ભણી.મારા લગ્ન સારી જગ્યાએ થયા. મારા પતિ પણ મારું ખુબજ ધ્યાન રાખે છે. એમને પણ તમારા માટે ખૂબ જ માન છે. અમારા બંનેના મનમાં થોડા સવાલો છે. આપ ખરાબ ન લગાવશો. મારા માટે તમે ગુરુ સમાન છો. એ સિવાય આં પ્રશ્નો પૂછવાનો અન્ય કોઈ આશય નથી.

૧) કેટલાક મોટા ધનાઢ્ય માણસો લોકોનું શોષણ કરીને આગળ આવે છે. તેમની આસપાસ લોકો સામેથી શોશાવા જાય છે. તો એમને કર્મના કોઈ સિધ્ધાંતો કેમ નડતા નથી. એમનું એવું તો કેવું વાસ્તુ છે કે તેમના બધાજ પાપ માફ થઇ જાય છે?

૨)હમણાંબે વેવાઈ વેવાણજતા રહ્યા હતા. તો એના માટે કયા વાસ્તુ નિયમો લાગુ પડે?

તમને યોગ્ય ન લાગે તો જવાબ ન આપશો. પણ અમને બંનેને વિશ્વાસ છે કે આપની પાસે આના જવાબો હશે જ. મારો વિશ્વાસ જળવાઈ રહેશે તેવી શ્રદ્ધા છે.

બહેનશ્રી. તમારા વિશ્વાસ અને વાસ્તુ શાસ્ત્રમાં તમારી શ્રદ્ધાને હું બિરદાવું છુ. કોઈ પણ શાસ્ત્ર એ વિજ્ઞાન જ છે. તેના મૂળ સ્વરૂપને સમજવું જરૂરી છે. તમને થયેલા દરેક ફાયદા વિશે અહી આપણે વાત નથી કરતા પણ તમને એના માટે શુભકામના. માણસ જયારે સારા વિચારો સાથે સારી ઉર્જામાં રહે છે ત્યારે તેને ચોક્કસ લાભ થાય જ છે. હવે વાત કરીએ તમારા સવાલોની.

૧) તમે જે લોકોની વાત કરી છે. તે લોકોના સંચિત કર્મો સારા હોય. જયારે માણસના પૂર્વજન્મના કર્મો સાથ આપતા હોય ત્યારે તેનો જન્મ સારા પરિવારમાં થાય. જો પૂર્વજોના કર્મો સારા હોય તો તેમની પેઢી સુખી થાય. સારા પરિવારમાં જન્મ લેવો અથવા પૂર્વજોના કર્મોના લીધે સારું જીવન જીવવું એ એક ભાગ છે. અન્ય ભાગ છે પોતાની ઉર્જા, પોતાના રહેણાકની ઉર્જા અને પોતાના કર્મોની ઉર્જા.

સંચિત કર્મો સારા હોવાથી સારા ઘરે જન્મ થયો છે. માતાના કર્મો સારા છે તેથી ધનાઢ્ય પણ છે. આટલું મોટું ઘર છે. નોકર ચાકર છે. એ તો બધા જુએ છે. તમને દુખ પડે તો તમે કોઈના માથે ખભો મુકીને કોઈ પણ જગ્યાએ રડી શકો છો? તમે એમને કે એમના પરિવારમાં કોઈને પણ આવી રીતે દુખી થતા જોયા છે? જેનો પણ જન્મ થયો છે, તેમને દુખ સુખ બંનેનો અનુભવ કરવો જ પડે છે. આ લોકોએ માત્ર ખુશ જ દેખાવું પડે છે. કોઈ પણ લાગણીને તેઓ મુક્ત રીતે પ્રદર્શિત નથી કરી શકતા.શું આ પણ એક સજા નથી?એમની પોતાની અંગત લાગણીઓનું કોઈ મહત્વ જ નહિ? ક્યારેક કારણવિના સતત હસતા રહેવાનો પ્રયત્ન કરી જોજો. સમજાઈ જશે. એલોકો પર કેટલાય કેસ ચાલતા હશે. એક બીજા માટેની સમજણ પણ ક્યારેક બદલાઈ હશે. પણ એમનું જીવન એમના કાબુમાં થોડું જ છે. કોઈ પણ અભિવ્યક્તિ માટે કેટલું વિચારવું પડે? તમે જાહેરમાં લડી શકો એ નહિ. એલોકો જે ઘરમાં રહે છે તેમાં પ્રવેશ કરતા પહેલા જ સમસ્યાઓ આવી હતી. એમનાઘરમાં ઉત્તરનો અક્ષ નકરાત્મક છે તેથી મહત્વકાંક્ષાઓ વધે અને નારીને અસંતોષ થાય. બાળકોની ચિંતા વધે. એ ઘર બન્યા બાદ ઘરમાં વિભાજન થયું. નવી પેઢીની ચિંતા હોય પણ એ આપણને વખત આવ્યે જ ખબર પડે. તમે ચોક્કસ વધારે સુખી છો. સુખી રહો તેવી શુભેચ્છા.

૨) આપણા સમાજમાં ઘણા લોકો પ્રેમ કરે છે અને ઘણા લોકો ભાગી જાય છે. પ્રેમ પર કોઈનો અધિકાર તો છે જ નહિ. આવુજ કૈક ફરી એક વાર થયું.માત્ર આ વખતે એમના બાળકો એક બીજા સાથે પરણવાના હતા. પશ્ચિમના દેશમાં આવું થયું હોત તો સ્વીકારાઈ પણ ગયું હોત. અહી નારી ભારતીય હતી. એને અન્તેતો પોતાનો પરિવાર યાદ આવ્યો. તેની ચિંતા થઇ. આજ બતાવે છે કે ભૂતકાળ કરતા વર્તમાન એના મન પર વધારે પ્રબળ હતો. બંને ઘરમાં અગ્નિના અક્ષથી બનતો ત્રિકોણ નકારાત્મક હોય અથવા ઉત્તરનો અક્ષ યોગ્ય ન હોય ત્યારે આવું થવાની સંભાવના વધી જાય છે.

આ કેસમાં મને કઈ ખાસ અજુગતું એટલા માટે નથી લાગ્યું કે બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ છે. આમાં સંજોગો કામ કરતા હતા. એમના બાળકોએ પોતાનું જીવન આવી એક ભૂલના કારણે શા માટે બગાડવું જોઈએ? રહી વાત સમાજની. મને એક માણસ શોધી આપો જેણે જીવનમાં ભૂલ ન કરી હોય. કોઈની અંગત વાતમાં આટલું શું રાજી થવાનું? હા, એમના કોઈ કાર્યથી દેશ કે સમાજને નુકશાન થયું હોય તો તેનો વિરોધ કરવો જ જોઈએ. તમે તમને ગમતું કરો છોને? બસ તો સુખી રહો.

 

દિલ્હીઃ મેલેનિયા વિઝીટમાં કેજરીવાલ-સિસોદીયાની બાદબાકી

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી શાળામાં જશે જો કે તે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા ત્યાં ઉપસ્થિત રહેશે નહી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને કાર્યક્રમમાંથી બહાર કરાવ્યા છે. પહેલા કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને મેલેનિયા ટ્રમ્પની સાથે સ્કૂલ વિઝીટમાં જોડાવાનું હતું. 25 ફેબ્રુઆરીના રોજ મેલેનિયા ટ્રમ્પ દક્ષિણી દિલ્હીની સરકારી શાળામાં હેપીનેસ ક્લાસ જોવા માટે જશે. હવે આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી જોડાશે નહી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સરકારની એક શાળામાં હેપીનેસ ક્લાસ જોવા માટે આવી રહ્યા છે. મેલેનિયા ટ્રમ્પના આ પ્રવાસ પહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક સરકારી શાળામાં હેપીને ક્લાસની તપાસ કરી હતી અને બાદમાં મીડિયા સાથે વાત કરી હતી.

મનીષ સિસોદિયાએ કહ્યું કે, હેપીનેસ ક્લાસના વખાણ થાય છે તો મને પણ ખૂશી થાય છે. આ દોઢ વર્ષ પહેલા શરુ થયો હતો. આનાથી બાળકોમાં પોતોના પેરેન્ટ્સ પ્રત્યે પ્રેમ પેદા થઈ રહ્યો છે, સમાજ પ્રત્યે સારી ફિલિંગ્સ સર્જાઈ રહી છે, ભણતર પર ફોકસ વધી રહ્યું છે અને બાળકોના અલગ વ્યક્તિત્વનું નિર્માણ થઈ રહ્યું છે.

વાહ ભાઈ વાહ! ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૦

‘નચિકેત એવોર્ડ્સ’ની જાહેરાતઃ પૂજ્ય મોરારિબાપુના હસ્તે વિજેતાઓને એવોર્ડ એનાયત કરાશે

રાજકોટઃ ગુજરાતી પત્રકારત્વ ક્ષેત્રે પ્રદાન કરનારા વરિષ્ઠ અને યુવા પત્રકારો માટે ‘નચિકેત એવોર્ડ્સ’ની જાહેરાત કરવામાં આવી છે.

ગુણવંત શાહ, કુંદન વ્યાસ, હીરેન મહેતા, વિકાસ ઉપાધ્યાય

વરિષ્ઠ પત્રકારની કેટેગરીમાં ‘જન્મભૂમિ’ પત્રોના વરિષ્ઠ તંત્રી કુંદનભાઈ વ્યાસ અને જાણીતા વિચારક-કટારલેખક ગુણવંત શાહની પસંદગી કરવામાં આવી છે.

એ જ રીતે યુવા પત્રકારની કેટેગરીમાં ‘ચિત્રલેખા’ સાપ્તાહિકના આસિસ્ટન્ટ એડિટર હીરેન મહેતા અને ‘ટીવી-9’ ગુજરાતી ચેનલના અમદાવાદ ખાતેના સિનિયર એડિટર વિકાસ ઉપાધ્યાયની પસંદગી કરવામાં આવી છે.

તા 8 માર્ચ, 2020ના રોજ રાજકોટ ખાતે યોજાનારા એવોર્ડ વિતરણ સમારોહમાં એવોર્ડવિજેતાઓને પૂ. મોરારિબાપુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવશે.

પૂ. મોરારિબાપુના આશીર્વાદ અને જાણીતા શતાયુ રાજકીય સમીક્ષક- લેખક-વક્તા અને ‘પદ્મશ્રી’ નગીનદાસ સંઘવીની પ્રેરણાથી આ એવોર્ડનો પ્રારંભ થયો છે.

નગીનદાસ સંઘવીનું એમના શતાયુ પ્રવેશ નિમિત્તે રાજકોટમાં જાહેર સન્માન થયેલું ત્યારે એમને સન્માનની જે ધન-રાશિ અર્પણ કરવામાં આવી હતી એ તેમણે સવિનય પરત કરી  હતી અને એ રાશિમાંથી ‘નચિકેત એવોર્ડ’ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અમુક રાશી વૃક્ષારોપણ પાછળ ખર્ચવામાં આવી છે.

‘નચિકેત એવોર્ડ’નું નામાભિધાન પણ નગીનદાસભાઈએ જ કર્યું છે.

આ પારિતોષિકમાં વરિષ્ઠ પત્રકારને રૂ. 51,000ની રાશી અને સન્માનપત્ર, તથા યુવા પત્રકારને રૂ. 25,000ની રાશી તથા સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.

એવોર્ડ માટે પસંદગી સમિતિમાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઇ પટેલ, જાણીતા લેખક-વક્તા ભાગ્યેશભાઇ જહા, ‘ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણી અને ‘નવગુજરાત સમય’ના તંત્રી અજય ઉમટે સેવા આપી હતી.

સ્ટાર્ટઅપથી લઈને દેશની નંબર વન આઈટી કંપની સુધીની સફર

ણી ઓછી એવી કંપનીઓ હશે, જ્યાં કર્મચારીઓ તેમના કામ અને મેનેજમેન્ટને લઈને ખુશ હોય. આમાંથી એક છે દેશની નંબર વન આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ એટલે કે, ટીસીએસ. ટીસીએસને Fortune Best Big Companies to Work ની યાદીમાં 2020માં કામ કરવાની દ્રષ્ટીએ સારી કંપનીઓમાં સ્થાન પામી છે.

સર્વે અનુસાર કંપનીના 80 ટકા લોકોએ વર્ક અને લાઈફમાં બેલેન્સ હોવાની વાત કહી છે. આ ઉપરાંત 72 ટકા લોકોએ કંપનીને કામ કરવા માટે એકદમ સારી જગ્યા ગણાવી છે. 2018માં કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડને પાછળ રાખીને માર્કેટ કેપિટલાઈઝેશન મામલે નંબર વન પોઝિશન મેળવી હતી. જોકે અત્યારે કંપની આ મામલે બીજા નંબર પર છે. આવો જાણીએ ટાટા ગ્રુપની આ શાનદાર કંપનીની કેવી રીતે થઈ શરુઆત અને કેવી રહી અત્યાર સુધીની સફર…

-ટીસીએસનો પાયો 1968 માં નખાયો હતો. ટાટા ગ્રુપે સ્ટાર્ટઅપ તરીકે આ કંપનીની શરુઆત કરી અને શાનદાર ટેક્નોક્રેટ એફસી કોહલીને જનરલ મેનેજર તરીકે જવાબદારી સોંપી હતી, જે અગાઉ ટાટા ઇલેક્ટ્રિકમાં જનરલ મેનેજર તરીકે કાર્યરત હતા.

ત્યારપછી 1970ના દાયકો આવ્યો કે જ્યારે કંપનીને સરકાર તરફથી સોફ્ટવેર ડિઝાઇનનું કામ મળ્યું. આમાં શેર રજિસ્ટ્રી વર્ક, પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટિંગ જેવા કામો શામેલ છે. 1971માં, કંપનીને દેશની બહાર પ્રથમ વખત વર્ક ઓર્ડર મળ્યો. મિડલ ઇસ્ટર્ન પાવર જનરેશન એન્ડ ડિસ્ટ્રિબ્યુશન કંપની દ્વારા ટીસીએસને તેના સ્ટોર્સ અને કમ્પ્યુટરરાઇઝ્ડ ઇન્વેન્ટરી કંટ્રોલ સિસ્ટમનું સંચાલન કરવાની જવાબદારી સોંપવામાં આવી.

બસ આ જ હતો ટર્નિંગ પોઈન્ટ ત્યાર પછી કંપનીએ કદી પાછળ ફરીને ન જોયું. ટીસીએસ સતત ગ્રોથ કરવા લાગી અને 1974માં, કંપનીને યુકેની બે બિલ્ડિંગ સોસાયટીઓ માટે નાણાકીય હિસાબના કામનો કોન્ટ્રાક્ટ મળ્યો. આ કામમાં દિગ્ગજ ચાર્ટર એસ.મહાલિંગમની મહત્વની ભૂમિકા હતી. કંપની દ્વારા 6 લોકોને આ કામની જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાંથી 4 લોકો બ્રિટન ગયા હતા અને બાકીના 2 લોકો મુંબઇથી કામ કરતા હતા. તેમણે 38 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું અને સીએફઓ તરીકે પણ રહ્યા.

– 1976નું વર્ષ કંપની માટે એક સીમાચિહ્નરૂપ હતો, જ્યારે તેણે નિકાસ દ્વારા  1 મિલિયન ડોલરની આવક મેળવી હતી. ત્યારબાદ 1979માં કંપનીએ દેશની બહારની ન્યુ યોર્કમાં પ્રથમ ઓફિસ ખોલી. – ટીસીએસએ ભારતમાં તકનીકી ક્રાંતિને આગળ કેવી રીતે આગળ ધપાવી તેનું ઉદાહરણ એ પણ છે કે 1992માં નેશનલ સ્ટોક એક્સચેંજની શરૂઆત થઈ ત્યારે ટીસીએસએ તેનું ટ્રેડિંગ પ્લેટફોર્મ તૈયાર કરવાનું કામ કર્યું.

2001માં  ટીસીએસને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 13,000 શાખાઓ અને 7 અન્ય સહયોગી બેંકોનું કોર બેંકિંગ સોલ્યુશનનો કોન્ટ્રાક્ટ મળ્યો. એ ભારતનો સૌથી મોટો બેંકિંગ સોફ્ટવેર પ્રોજેક્ટ હતો. ત્યારબાદ કંપનીએ 2002માં ચીન સુધી તેની કામગીરીનો વિસ્તાર કર્યો. 2004માં, જ્યારે ટીસીએસએ બીએસઈ અને એનએસઇ પર પોતાનો આઈપીઓ લોન્ચ કર્યો, ત્યારે તેણે શેર બજારમાં ધૂમ મચાવી દીધી હતી. 850 રૂપિયા પ્રતિ શેર સાથે એસ સમયે ટીસીએસનો સૌથી ઉંચો શેર હતો.

– 2012માં  કંપનીએ 10 અબજ ડોલરની આવકને પાર કરી લીધી. આ ટીસીએસની અત્યાર સુધીની સફરમાં એક સીમાચિહ્નરૂપ ઘટના હતી. 2018માં કંપનીએ તેના 50 વર્ષ પૂર્ણ કર્યા છે. કંપની હાલમાં 46 દેશોમાં 149 સ્થળોએ કાર્યરત છે.

મહાશિવરાત્રિ નિમિત્તે સદ્દગુરુના પુસ્તકનું ઉપરાષ્ટ્રપતિ દ્વારા વિમોચન…

જાણીતા આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સંસ્થાપક સદ્દગુરુના અંગ્રેજી પુસ્તક 'ડેથઃ એન ઈનસાઈડ સ્ટોરી'નું 21 ફેબ્રુઆરીના શુક્રવારે મહાશિવરાત્રિના તહેવાર નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમનુું આયોજન કોઈમ્બતુરમાં ઈશા સ્થિત સદ્દગુરુના ઈશા યોગ સેન્ટર ખાતે કરવામાં આવ્યું હતું. સેન્ટર ખાતે મહાશિવરાત્રિની ઉજવણીની 26મી વર્ષગાંઠ નિમિત્તે આ પુસ્તક વિમોચન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યાં હતાં.




આ કાર્યક્રમનું ભારતની 10 ભાષાઓમાં 100થી વધારે ટીવી તથા વેબ ચેનલો ઉપર પણ જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.


સદ્દગુરુએ ઉપરાષ્ટ્રપતિ નાયડુને ઈશા યોગ કેન્દ્ર બતાવ્યું હતું અને એમને માટે ધ્યાનલિંગ યોગ મંદિરમાં પંચ-તત્ત્વોને શુદ્ધ કરવાની પ્રક્રિયા પંચભૂત આરાધના પણ કરી હતી.














































નમસ્તે ટ્રમ્પઃ છ પરમાણુ રિએક્ટર્સની સ્થાપના માટે કરારની શક્યતા

નવી દિલ્હીઃ અમેરિકાની એનર્જી કંપની વેસ્ટિંગહાઉસ  દેશનની સરકારી કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સાથે છ ન્યુક્લિયર રિએક્ટર્સ બનાવવા માટે એક નવા કરાર પર હસ્તાક્ષર કરે એવી વકી છે. સત્તાવાર સૂત્રો અનુસાર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આવતા સપ્તાહે થનારા ભારત પ્રવાસ દરમ્યાન આ કરાર પર દસકત થવાની સંભાવના છે. કરાર આંધ્ર પ્રદેશના કોવ્વાડામાં રિએક્ટર્સના નિર્માણ માટે સ્થાનિક કન્સ્ટ્રક્ટરની પસંદગી, સમયમર્યાદા અને ભારતની ન્યુક્લિયર લાયાબિલિટી લો અંગેની ચિંતાઓ પર વાટાઘાટ થાય એવી શક્યતા છે. અમેરિકા વર્ષ 2008ની સિવિલ ન્યુક્લિયર એનર્જી સંધિ હેઠળ વીજખાધ ધરાવતા ભારત સાથે વિચારવિમર્શ કરે એવી સંભાવના છે. પાછલા વર્ષે બંને સરકારોએ જાહેરાત કરી હતી કે એ છ રિએક્ટર્સની સ્થાપના માટે પ્રતિબદ્ધ છે.

પાછલા સપ્તાહે ભારતમાં ન્યુક્લિયરની નિકાસને પ્રોત્સાહન આપવા માટે સરકારી અધિકારીઓ સાથે  વાતચીત કરવા યુએસ એનર્જી અને કોમર્સ ડિપાર્ટમેન્ટ્સ, વેસ્ટિંગહાઉસ, ધ યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમના પ્રતિનિધિઓ ભારત આવ્યા હતા.અમે વેસ્ટિંગહાઉસ અને NPCILને MoU હસ્તાક્ષર કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ, એમ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એનર્જીમાં ન્યુક્લિયર એનર્જી ઓફિસના આસ્ટિસ્ટન્ટ સેક્રેટરી ડો. રીતા બરાનવાલે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે આ MoU  માટે ઘણા આશાવાદી છીએ.