Home Blog Page 4959

રાશિ ભવિષ્ય 02/03/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બની શકે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

ઈન્ડોનેશિયામાં કોરોનાના પ્રથમ કેસની પુષ્ટીઃ મોતનો આંકડો 3000 ને પાર

નવી દિલ્હીઃ ઈન્ડોનેશિયામાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી તરાવન અગસ પુતરંતોએ આની જાણકારી આપતા કહ્યું કે, એક 64 વર્ષીય મહિલા અને તેની 31 વર્ષની દીકરીનો કેસ પોઝિટિવ આવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના વાયરસથી અમેરિકા બીજા એક વ્યક્તિનું મોત થયું છે. અત્યારસુધી અહીંયા 77 જેટલા કેસ સામે આવ્યા છે. આ પહેલા અમેરિકાએ ગઈકાલે પ્રથમ મૃત્યુની જાણકારી આપી હતી. દુનિયાભરમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 3000 થી વધારે થઈ ગઈ છે.

ચીને 42 વધારે લોકોના મોત થયા હોવાની વાતની પુષ્ટી કરી છે. આ તમામ મોત વાયરસના મુખ્ય કેન્દ્ર ગણાતા હુબેઈ પ્રાંતમાં થયા છે. આની જાણકારી દેશના સ્વાસ્થ્ય આયોગે આપી છે. ચીનમાં અત્યારસુધી આ વાયરસના કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 2912 પર પહોંચી ગઈ છે. થાઈલેન્ડે એક નવા કોરોના વાયરસના દર્દીની માહિતી આપી છે. આ સાથે જ દેશમાં કોરોના વાયરસના મામલાઓની કુલ સંખ્યા 43 થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર નવો કેસ 22 વર્ષીય થાઈ મહિલાનો છે કે જે એક અન્ય થાઈ દર્દી સાથે કામ કરતી હતી. અત્યારસુધીમાં 31 દર્દીઓ સાજા થઈને પાછા જઈ ચૂક્યા છે અને 11 લોકોની હજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. થાઈલેન્ડે વાયરસથી થયેલા પ્રથમ મૃત્યુની જાણકારી આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચીનમાં કોરોના વાયરસના નવા કેસોની સંખ્યા ધીમે-ધીમે ઘટી રહી છે અને હુબેઈની બહાર માત્ર છ નવા લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ 202 નવા મામલાઓની પુષ્ટી કરી છે. આ જાન્યુઆરીના અંતમાં એક દિવસમાં ચેપ લાગ્યાનો સૌથી ઓછો આંકડો છે.

ચીનમાં દર્દીઓની સંખ્યા 80,026 પર પહોંચી ગઈ છે. આયોગ અનુસાર ચેપ દૂર થયા બાદ 2,912 જેટલા લોકોના જીવ ગયા છે. 32,652 રોગીષ્ઠોની હજી સારવાર ચાલી રહી છે અને 44,462 રોગીષ્ઠો સાજા થયા બાદ તેમને રજા આપી દેવામાં આવી છે. આયોગે કહ્યું કે, 715 જેટલા લોકો હજી પણ વાયરસની સામે ઝઝુમી રહ્યા હોવાની શક્યતાઓ છે.

370 હટાવવા વિરુદ્ધની અરજીઓને મોટી બેન્ચ પાસે નહીં મોકલાય

નવી દિલ્હીઃજમ્મુ-કાશ્મીરમાં 370 હટાવવા માટેની બંધારણીય માન્યતા માટે આપવામાં આવેલી અરજીને સુનાવણી માટે મોટી બેન્ચને નહીં મોકલવામાં આવે. પાંચ જજોની પીઠે આ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બંધરણીય બેન્ચે આ ફેંસલો કર્યો હતો.

અરજીકર્તાઓએ પાંચ જજોની બંધારણીય બેન્ચના બે અલગ-અલગ અને વિરોધાભાસી ચુકાદાઓનો હવાલો આપીને આ મામલે મોટી બેન્ચને સુનાવણી માટે મોકલવાની માગ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં પાંચ જજોની બંધારણીય બેન્ચને નિર્ણય લેવાનો હતો કે જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી આર્ટિકલ 370ને દૂર કરવાની બંધરણીય કાયદેસરતાને પડકારનારી અરજીને ક્મસે કેમ સાત જજોની સંવિધાન બેન્ચને મોકલવી કે નહીં. અરજીકર્તાઓમાં નેશનલ કોન્ફરન્સના નેતા મોહમ્મદ અકબર લોન અને હસનૈન મસૂદી, ભૂતપૂર્વ IAS અધિકારી અને જમ્મુ-કાશ્મીના રાજનેતા શાહ ફૈસલ એક્ટિવિસ્ટ શેહલા રાશિદ, કાશ્મીરી વકીલ શાકિર શબ્બીર, વકીલ એમ એલ શર્મા, જેકે પીપલ્સ કોન્ફરન્સ, સીપીઆઇ (એમ)ના નેતા મોહમ્મદ યુસુફ તારિગામી સહિત અન્ય અરજીકર્તા સામેલ છે.

પાછલા વર્ષે ઓગસ્ટમાં ગૃપ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા આર્ટિકલ 370ને દૂર કરવાનું એલાન કર્યું હતું. એની સાથે રાજ્યને બે ભાગમાં વહેંચતાં લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના નામે બે કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યા હતા.

 

કોલકાતાઃ અમિત શાહની સભામાં સૂત્રોચ્ચારો કરનારાની ધરપકડ

કોલકાતાઃ ગૃહપ્રધાન અમિત શાહે નાગરિકતા સંશોધન કાયદો (CAA)ની લોકોની ગેરસમજ દૂર કરવા માટે કોલકાતામાં અનેક સભાઓ યોજી હતી. શાહે નિગમ ચૂંટણી માટે ભાજપના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરતાં કેમ્પેન સોંગ પણ રિલીઝ કર્યું હતું. તેમણે શહેરમાં વિવિધ કાર્યક્રમો હાજરી આપી હતી. તેમની આ સભામાં ભાજપના કેટલાક કાર્યક્રતાઓએ નારા લગાવ્યા કે દેશ ગદ્દારો કો, ગોલી મારો… જેથી પોલીસે કાર્યવાહી તરતાં ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમિત શાહે CAAનું સમર્થન કર્યું હતું અને મુખ્ય પ્રધાન મમતા બેનરજી પર આ કાયદો રોકવા માટે રમખાણો ભડકાવવા અને ટ્રેનોને સળગાવવાનો આરોપ મૂક્યો હતો. આ નિવેદનના વિડિયો ફુટેજમાં લોકોને ભાજપના ઝંડા ફેલાવતા અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા. આ સાથે આ વિડિયો વાઇરલ થતાં ભાજપના કાર્યકર્તાઓની સામે ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં ભડકાઉ સૂત્રોચ્ચારની ફરિયાદ દાખલ કરવામાં આવી, જે પછી પોલીસે ત્રણ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી.

ભાજપના ત્રણ નેતાઓનાં ભડકાઉ નિવેદનો

દિલ્હી વિધાનસભાની ચૂંટણી દરમ્યાન અનુરાગ ઠાકુરના મંચથી આ ભડકાઉ સૂત્રોચ્ચારનો ભારે વિવાદ થયો હતો. તેમણે કહ્યું હતું કે દેશના ગદ્દારોને ગોળી મારો.અનુરાગ જ નહીં ભાજપના પ્રવેશ વર્મા અને કપિલ મિશ્રાએ ભારે વિવાદિત નિવેદનો કર્યાં હતાં.

 

નેતાઓના ભડકાઉ ભાષણનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

નવી દિલ્હીઃ ભડકાઉ ભાષણ આપનારા ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર અને પરવેશ વર્મા વિરુદ્ધનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. દિલ્હી હિંસાના પીડિતોએ ભડકાઉ ભાષણ આપવાના આરોપી ભાજપા નેતાઓ વિરુદ્ધ ગત સપ્તાહે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં ભડકાઉ ભાષણ આપવાના મામલે આરોપી ત્રણેય નેતાઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટ અરજી પર બુધવારના રોજ સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું કે, અમે આવા મામલાઓને રોકી ન શકીએ. કોર્ટ સુનાવણી બાદ સ્થિતિને પહોંચી શકે છે. અમે શાંતિની અપીલ અને અપેક્ષા રાખીએ છીએ.

અરજીકર્તા દ્વારા ચીફ જસ્ટિસને જણાવવામાં આવ્યું કે, હર્ષ મંદર અને પાંચ પીડિતો દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં દિલ્હી હાઈકોર્ટના મામલાને 13 એપ્રીલ સુધી ટાળવાનો પડકાર આવપવામાં આવ્યો છે. આમાં કહેવામાં આવ્યું છે કે, આ મામલે જલ્દી સુનાવણીની જરુર છે. રોજ લોકો મોતને ભેટી રહ્યા છે. સત્તાધારી પાર્ટીના લોકોએ હિંસા ભડકાવનારા નિવેદનો આપ્યા છે.

અરજીકર્તા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે, કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અન્ય તમામ વિરુદ્ધ તાત્કાલિક એફઆઈઆર નોંધવામાં આવે જે હેટ સ્પીચ, તોફાનોમાં લિપ્ત હતા. તોફાનોની તપાસ કરવા માટે દિલ્હીની બહારના અધિકારીઓની એસઆઈટી ટીમનું ગઠન કરવામાં આવે. કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા માટે સેનાને તેનાત કરવામાં આવે. પોલીસની ભૂમિકાની તપાસ કરવા માટે રિટાયર જસ્ટિસની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવે.

આ સિવાય, અરજીમાં પીડિતોને અસાધારણ વળતર આપવા, પોલીસ અને અર્ધસૈનિક દળો દ્વારા પકડવામાં આવા વ્યક્તિઓનું આખું લિસ્ટ સાર્વજનિક કરવા, તોફાન પ્રભાવિત ક્ષેત્રોના તમામ સીસીટીવી ફૂટેજને સંરક્ષિત કરવા, પોસ્ટમોર્ટમ રિપોર્ટ પીડિતોના પરિવારોને તુરંત આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે.

નિર્ભયા કેસઃ કોર્ટે ક્યુરેટિવ પિટિશન ફગાવી, પણ ફાંસી ક્યારે?

નવી દિલ્હી: નિર્ભયા ગેંગરેપ અને હત્યા કેસના ચોથા દોષિત પવનની ક્યુરેટિવ પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. પવને પોતાની અરજીમાં કહ્યું હતું કે તે ઘટના સમયે સગીર હતો. આ મામલે તેની રિવ્યુ અરજી અગાઉ ફગાવી દેવાઈ હતી. 5 જજોની પેનલે સર્વસંમતિથી પવનની અરજી ફગાવી દીધી છે. જો કે હજી તેની પાસે રાષ્ટ્રપતિ પાસે દયા અરજી કરવાનો વિકલ્પ બચ્યો છે.

બંધ બારણે થયેલી સુનાવણી જસ્ટિસ એન વી રમન્ના, જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ રોહિંગ્ટન ફલી નરીમન, જસ્ટિસ આર ભાનુમતિ અને જસ્ટિસ અશોક ભૂષણ સવારે 10:25 વાગે અરજી પર સુનાવણી શરૂ કરી. મહત્વનું છે કે ક્યુરેટિવ પિટિશનની સુનાવણી બંધ બારણે થાય છે. આ મામલે અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવેલી છે. એવું માનવામાં આવતું હતું કે આ અરજી પણ કોર્ટ ફગાવી દેશે.

પવનની ક્યુરેટિવ અરજી ફગાવવામાં આવ્યાં બાદ હજુ પણ તેની પાસે દયા અરજી દાખલ કરવાનો વિકલ્પ છે. આ અગાઉ અન્ય ત્રણ દોષિતોની ક્યુરેટિવ અને દયા અરજી ફગાવવામાં આવી છે.

મહત્વનું છે કે, પટિયાલા હાઉસ કોર્ટ ચારેય દોષિતોનું ત્રણવાર ડેથ વોરન્ટ જાહેર કરી ચૂકી છે. પરંતુ તેમના દ્વારા કાયદાકીય વિકલ્પનો ઉપયોગ કરાયો હોવાથી ફાંસી 2 વખત ટળી છે. હવે ફાંસીની નવી તારીખ 3 માર્ચ છે.

પ્યારની વાત – ૨ માર્ચ, ૨૦૨૦

જમ્મુમાં ‘સિટી ચૌક’નું નામ બદલીને ‘ભારત માતા ચૌક’ કરાયું

જમ્મુ : કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના જમ્મુ પ્રદેશના જમ્મુ શહેરના ધંધા-રોજગાર માટે જાણીતા વિસ્તાર ‘સિટી ચૌક’નું નામ બદલીને ‘ભારત માતા’ ચૌક કરવામાં આવ્યું છે.

ભારતીય જનતા પાર્ટી શાસિત જમ્મુ મ્યુનિસિપલ કોર્પોરેશને આ માટેના એક પ્રસ્તાવને ગઈ કાલે પાસ કરી દીધો હતો.

ઐતિહાસિક સિટી ચૌકનું નામ બદલીને ભારત માતા ચૌક કરાયું છે એના મિશ્ર પ્રત્યાઘાતો આવ્યા છે. મોટા ભાગના લોકોએ આ નામકરણને આવકાર્યું છે, પણ અમુક લોકો વિરોધ કરી રહ્યા છે.

આ નિર્ણયને આવકારનાર લોકોએ જમ્મુ મહાનગરપાલિકાને વિનંતી કરી છે કે તમે નામો બદલવાને બદલે શહેરના વિકાસ અને સ્વચ્છતા પર ધ્યાન વધારે કેન્દ્રિત કરો.

ભાજપનાં સિનિયર નેતા જમ્મુના નાયબ મેયર પુર્ણિમા શર્માએ નામકરણનો પ્રસ્તાવ ચાર મહિના પહેલાં રજૂ કર્યો હતો. એમણે કહ્યું હતું કે સિટી ચૌકનું નામ બદલીને ‘ભારત માતા ચૌક’ કરવાની સ્થાનિક લોકોની જ માગણી છે.

આ ચૌક ભૂતકાળમાં અનેક મોટા નિર્ણયોનો સાક્ષી રહ્યો છે અને ઘણા વિરોધ-દેખાવો પણ થયા છે. દર વર્ષે દેશના પ્રજાસત્તાક દિન તથા સ્વાતંત્ર્ય દિને આ ચોક ખાતે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.

એવી જ રીતે, જમ્મુના ‘સર્ક્યૂલર રોડ ચૌક’નું નામ પણ બદલી નાખવામાં આવ્યું છે. આને ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીની સ્મૃતિમાં ‘અટલજી ચૌક’ નામ આપવામાં આવ્યું છે.

પંચાંગ તા. 02/03/2020

જાડેજાની સુપરમેન છલાંગઃ 3 ફૂટ ઉછળીને વેગ્નરનો કેચ પકડ્યો

ક્રાઈસ્ટચર્ચ : ન્યૂઝીલેન્ડ સામે અહીં હેગલે ઓવલ મેદાન રમાતી બીજી અને શ્રેણીની આખરી ટેસ્ટ મેચમાં ભારતના બેટ્સમેનો ફરી નિષ્ફળ ગયા છે. પહેલા દાવમાં 242 રન કર્યા બાદ બીજા દાવમાં બીજા દિવસની રમતને અંતે ભારતીયો 6 વિકેટના ભોગે માત્ર 90 રન જ કરી શક્યા હતા.

એ પહેલાં ભારતના બોલરો ન્યૂઝીલેન્ડને પહેલા દાવમાં 235 રનમાં ઓલઆઉટ કરવામાં સફળ રહ્યા હતા. ભારતને માત્ર 7 રનની નજીવી સરસાઈ મળી છે.

બીજા દિવસની રમત દરમિયાન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ 3-ફૂટ ઊંચે ઉછળીને પકડેલો એક-હાથનો કેચ ચર્ચાનો વિષય બની ગયો છે.

લંચ સમયે ન્યૂઝીલેન્ડનો સ્કોર પાંચ વિકેટે 145 રન હતો.બે ફાસ્ટ બોલર – કાઈલ જેમીસન (49) અને નીલ વેગ્નર (21) ક્રીઝ પર હતા. બંને વચ્ચે 9મી વિકેટ માટે 51 રનની ભાગીદારી થઈ હતી. આ જોડીને જાડેજાએ ઉત્કૃષ્ટ કેચ પકડીને તોડી હતી. જાડેજાએ ડીપ સ્ક્વેર લેગ સ્થાને હવામાં ઉછળીને ડાબા હાથે કેચ પકડ્યો હતો અને વેગ્નરની વિકેટ પડી હતી.

જાડેજાના આ કેચની ટીવી કોમેન્ટેટર્સ તથા નેટ યુઝર્સે મુક્તકંઠે પ્રશંસા કરી છે.

જાડેજાએ બાદમાં કહ્યું હતું કે, નીલ વેગ્નર સ્ક્વેર લેગ બાજુએ ફટકા મારીને ઘણા રન કરતો હતો, પણ એનો કેચ મારી તરફ આવશે એટલી બધી ઝડપે આવશે એવું મેં ધાર્યું નહોતું. બોલ હવામાં હતો અને ખૂબ સ્પીડમાં હતો. મેં માત્ર મારો હાથ લંબાવ્યો હતો. મેં કેચ પકડી લીધો તે પછી પણ મને માનવામાં આવતું નહોતું.

ન્યૂઝીલેન્ડના પહેલા દાવનો વહેલો અંત લાવવામાં બે ફાસ્ટ બોલરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. મોહમ્મદ શમીએ 4 અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ લીધી હતી.