Home Blog Page 4875

હવે રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારના નામની ચર્ચા શરૂ થઇ છે

નવી દિલ્હીઃ શિવસેનાના નેતા સંજય રાઉતે એક નિવેદનમાં જણાવ્યું છે કે એનસીપી પ્રમુખ શરદ પવારના નામ પર 2022 ની રાષ્ટ્રપતિ ચૂંટણી માટે તમામ રાજનૈતિક દળો દ્વારા વિચાર કરવામાં આવવો જોઈએ. રાઉતે દાવો કર્યો કે 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. પવારે તાજેતરમાં મહારાષ્ટ્રમાં પોતાની પાર્ટી સાથે ગઠબંધનમાં સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને શિવસેનાને એક સાથે લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. મીડિયા સાથે વાત કરતા રાઉતે કહ્યું કે, શરદ પવાર દેશના એક વરિષ્ઠ નેતા છે. મને લાગે છે કે રાષ્ટ્રપતિ પદ માટે તમામ રાજનૈતિક દળોને તેમના નામ પર વિચાર કરવો જોઈએ. રાષ્ટ્રપતિ પદ માટે વર્ષ 2022 માં ચૂંટણી યોજાશે.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ચાર વખત રાજ્યના મુખ્યમંત્રી તરીકે કામ કરી ચૂકેલા પર અન્ય રાજનૈતિક દળોના મત મામલે રાઉતે કહ્યું કે, તેમણે પવારના નામનો માત્ર પ્રસ્તાવ રાખ્યો છે. રાજ્યસભા સદસ્ય રાઉતે કહ્યું કે, મને લાગે છે કે અન્ય રાજનૈતિક દળ રાષ્ટ્રપતિ પદ માટે કોઈ અન્ય ઉમેદવારને પણ પ્રસ્તાવિત કરી શકે છે. 2022 સુધી રાષ્ટ્રપતિ પદના ઉમેદવારનો નિર્ણય કરવા માટે અમારી પાસે પર્યાપ્ત સંખ્યા હશે. ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ વાળી મહારાષ્ટ્ર વિકાસ અઘાડી સરકારમાં પવારની પાર્ટીને ગૃહ અને નાણા સહિતના મંત્રાલયે મળ્યા છે.

જેએનયૂ મામલે પવારે ટ્વીટ કરીને કહ્યું કે, જેએનયૂના વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલો હુમલો પહેલાથી જ સમજી વિચારીને કરવામાં આવ્યો. તેમણે કહ્યું કે લોકતાંત્રિક મૂલ્યોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ કારગર સાબિત નથી થાય. પવારની ટિપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે તેમની પાર્ટીના મંત્રી જિતેન્દ્ર અવહાદ ગેટ વે ઓફ ઈન્ડિયા પર હિંસા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓનો સાથ આપવા માટે પહોંચ્યા.

પવારે કહ્યું કે, આ હુમલો પ્લાનિંગ સાથે કરવામાં આવ્યો છે. હું હિંસા અને તોડ-ફોડની આ અલોકતાંત્રિક છે અને આ ઘટનાની હું કડક શબ્દોમાં નિંદા કરું છું. લોકતાંત્રિક મૂલ્યો અને વિચારોને દબાવવા માટે હિંસાનો ઉપયોગ સાચો સાબિત નહી થાય.

સ્માર્ટફોન વેચતા દુકાનદારોની ય હવે હડતાલ!: ઓનલાઇન વેચાણ સામે વિરોધ

નવી દિલ્હી: સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીઝમાં ઓનલાઈન શોપિંગનો ક્રેઝ દિવસેને દિવસે વધી રહ્યો છે, કારણ કે, અહીં મળતી ઓફર્સ અને ઓછી કિંમતો ગ્રાહકોને પોતાના તરફ આકર્ષિત કરી રહી છે. જેની વિપરીત અસર સ્માર્ટફોનની ઓફલાઈન માર્કેટ પર પડી છે, ઓફલાઈન માર્કેટ તરફ ગ્રાહકોનું આકર્ષણ ઘટયું છે. એજ કારણે ઓફલાઈન રિટેલર્સનું અસ્તિત્વ ખોવાવા લાગ્યું છે અને હવે તે આજ અસ્તિત્વને બચાવવા લડી રહ્યા છે. મોબાઈલ પ્રોડક્ટ ઓનલાઈન એક્સક્લૂસિવ ન રહે એ માટે 8 જાન્યુઆરીએ ઓલ ઈન્ડિયા મોબાઈલ રિટેલર્સ એસોસિએશન (AIMRA) એ પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે.

AIMRA એ તેમના ફેસબુક એકાઉન્ટ મારફતે દેશભરના મોબાઈલ રિટેલર્સને આગામી 8 જાન્યુઆરીએ દિલ્હીના રામલીલા મેદામાં એક્ઠા થવા કહ્યું છે. એસોસિએશનનું કહેવું છે કે, ઓનલાઈન અને ઓફલાઈન પ્લેટફોર્મ પર કોઈપણ સ્માર્ટફોન એક સરખી કિંમત અને ઓફર સાથે મળવો જોઈએ.

મહત્વનું છે કે, મોબાઈલ ખરીદદારી માટે ઓનલાઈ પ્લેટફોર્મની વધતી જતી લોકપ્રિયકા અને માંગને કારણે ઓફલાઈ રિટેલર્સને બિઝનેસમાં મોટું નુકસાન ભોગવવું પડી રહ્યું છે. જેને ધ્યાનમાં રાખતા 8 જાન્યુઆરીએ દેશભરના મોબાઈલ સ્ટોર્સને બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે જેથી AIMRA તેમની માંગો સરકાર સામે રાખી શકે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી લગભગ ત્રીસ હજાર મોબાઈલ રિટેલર્સ રામલીલા મેદાન ખાતે એક્ઠા થાય તેવી શક્યતા છે.

મહત્વનું છે કે, આજે મોટાભાગના સ્માર્ટફોન ઓનલાઈન સ્ટોર્સ પર એક્સક્લૂસિવ ઉપલબ્ધ હોય છે અને તેની ખરાબ અસર ઓફલાઈન રિટેલર્સ પર પડે છે. આ ઉપરાંત ઓનલાઈન પ્લેટફોર્મ પર ગ્રાહકો સ્માર્ટફોનને ડિસ્કાઉન્ટ અને અનેક આકર્ષક ઓફર્સ સાથે ખરીદી શકે છે. ખાસ કરીને ડેબિટ કે ક્રેડિટ કાર્ડ પર ઈએમઆઈની ઓફર્સ. આ સ્થિતિમાં ગ્રાહકો ઓફલાઈનને બદલે ઓનલાઈન પ્લેટફોર્મ પરથી મોબાઈલની ખરીદી કરવી વધુ પસંદ કરે છે. આ કારણે ઓફલાઈન રિટેલર્સને નુકસાન થઈ રહ્યું છે. હવે ઓફલાઈન મોબાલઈ સ્ટોર્સ રિટેલર્સની માંગ છે કે, ભારતમાં લોન્ચ થતો કોઈપણ સ્માર્ટફોન ઓનલાઈનની સાથે ઓફલાઈન સ્ટોર્સ પણ ઉપલબ્ધ હોય અને સાથે બંને પ્લેટફોર્મ પર ગ્રાહકોને એક સરખી કિંમત અને ઓફર્સની સુવિધા મળે.

નેશનલ હેરાલ્ડ કેસ મામલે વધુ સુનાવણી 17 માર્ચે

નવી દિલ્હીઃ  નેશનલ હેરાલ્ડ સાથે જોડાયેલા ઈન્કમ ટેક્સ મામલે સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે 17 માર્ચની તારીખ આપી છે. મામલામાં રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને ઓસ્કર ફર્નાન્ડીસે અરજી દાખલ કરી છે. કોર્ટ દ્વારા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના કર આકલનને ચાલુ રાખવા માટે આવકવેરા વિભાગને મંજૂરી આપી દેવામાં આવી છે. કોર્ટે કહ્યું હતું કે આવતા આદેશ સુધી આવકવેરા વિભાગ કાર્યવાહી નહી કરી શકે.

આમાં આવકવેરા વિભાગે વર્ષ 2011-12 ની ટેક્સ તપાસ માટે ત્રણેયને નોટિસ ફટકારી હતી. જેના વિરુદ્ધ ત્રણેય નેતાઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. હકીકતમાં આવકવેરા વિભાગ દ્વારા આ કોંગ્રેસ નેતાઓને જાળમાં ફસાવવાનો આરોપ લગાવ્યો હતો કે તેમણે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડને ટેકઓવર કર્યું છે. આ મામલે સોનિયા અને રાહુલ અત્યારે જામિન પર છે.

વર્ષ 1938 માં કોંગ્રેસ પાર્ટી ફંડથી એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની બનાવવામાં આવી હતી. આ કંપની દ્વારા ત્રણ સમાચાર પત્રો- નેશનલ હેરાલ્ડ, નવજીવન અને કોમી આવાજ સંચાલિત કરવામાં આવતા હતા. આ તમામ સમાચારપત્રો 2008 માં બંધ થઈ ગયા. વર્ષ 2011 માં આના 90 કરોડ રુપિયાના ઋણની જવાબદારી લઈ લીધી. પાર્ટી દ્વારા આના માટે લોન પણ આપવામાં આવી. ત્યારબાદ યંગ ઈન્ડિયન કંપની બનાવવામાં આવી. બાદમાં આને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ કંપની બનાવી દેવામાં આવી. આમાં 5 લાખ રુપિયાનું રોકાણ થયું. આમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી 38-38 ટકા ભાગીદાર થયા અને કોંગ્રેસે 90 કરોડ રુપિયાની લોન પણ માફ કરી દીધી.

રાશિ ભવિષ્ય 07/01/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસે થોડી સાવચેતી રાખવી અગત્યની છે અને તમારા ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવુ હિતાવહ છે, યુવાવર્ગ માટે તેમની લાગણી કોઈ સમજાતુ નથી તેવી મનમા ફરીયાદ રહે, વેપારના કામકાજમા જોખમ ટાળવુ, વડીલવર્ગ આજે કોઈને વણમાગી સલાહ ના આપે તે વધુ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તમારો સારો છે અને ઉત્સાહ પણ જોવા મળે, તમારા નવીનકામનુ આયોજન થાય, તેમજ જુનામતભેદ ભૂલવાની તક મળે, લગ્નમાટેની વાતચીતમાકે મિલનમુલાકાત દરમિયાન તમારી પ્રતિભા સારી દેખાઈ આવે અને તમને તેની ખુશીનો અનુભવ પણ થાય, વેપારના કામમા લાભ થઈ શકે છે.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ અને મિત્રો સાથે સારીરીતે સમય પસાર થાય, ક્યાંક નાણાકીય ખર્ચ થઈ છે તેમજ પ્રવાસનુ આયોજન પણ થઇ શકે, માર્કેટિંગક્ષેત્રમા સારાપરિણામની આશા જોવા મળે, યુવાવર્ગને પોતાના મનનીવાત ક્યાંક કહેવામા તક ઝડપવામા થોડી તકલીફ પડી શકે તેવુ બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તેમજ કોઇપણ પ્રકારના વિવાદથી દુર રહેવુ, વાહન ધીમે ચલાવવુ જરૂરી છે, યુવાવર્ગને પોતાના મનમા રહેલી લાગણી કોઈ દુભાવી રહ્યુ હોય તેવુ મનમા ફરિયાદ રહ્યા કરે, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવું, વાણીસયમ રાખવો ઇચ્છનીય કહી શકાય,


આજનો દિવસ સામાન્ય છે અને તેમા પણ કામમા વ્યસ્ત વધુ રહેવાય, થોડી મનમા ક્યાંક અશાંતિ રહે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે, યુવાવર્ગમા ધીરજનો અભાવ જોવા મળી શકે છે તેમજ પ્રિયજન સાથે વાદવિવાદ ના થાય તેનુ ધ્યાન રાખવુ, મુસાફરી થોડી કંટાળાજનક અને ખર્ચાળ બની શકે છે.


આજનો દિવસ સારો છે અને તેમા ખાસ કરીને જુનાકામની ગુંચ ઉકેલી શકાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે અને તેમા તેમને સારીખુશીનો અનુભવ થાય, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, ક્યાંક નવીનઓળખાણથી તમને આનંદની લાગણી અનુભવો.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો સલાહ ભર્યો છે, પાડવા-વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવુ, વેપારના કામકાજમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે મતભેદકે મનદુઃખ ના થાય તેની કાળજી રાખવી જરૂરી છે.


આજનો દિવસ યાદગાર બની શકે છે તેમા પણ તમારી જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી બેવડાઈ જાય, કામની કદર થાય, યુવાવર્ગને પસંદ પડે તેવી વાત સાંભળવા મળી શકે છે, વેપારીવર્ગને કામકાજમા લાભ થઈ શકે છે, યુવાવર્ગને મનમા રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય તેવા સંજોગો ઉભા થાય.


આજના દિવસે શાંતિ અને સાવચેતી રાખવી, વાહન ધીમે ચલાવવુ સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવુ, યુવાવર્ગ આજે કોઈની ખોટીદોરવાણીથી દોરવાઇ ના જવાય તેનુ ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ, વડીલવર્ગે આજે કોઈને વણમાગી સલાહ ન આપવી,


આજનો દિવસ સારો છે અને તમને પણ ઉત્સાહ સારો રહે, કયાંક મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકે મનનુ કામ થઇ શકે જેમા તમે ખુબ આનદની લાગણી અનુભવો, લગ્નમાટે ક્યાય વાતચીત કરવી પણ યોગ્ય બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવો યોગ્ય છે, વેપારમા લાભની તક છે


આજનો દિવસ સામાન્ય છે તમે કામમા વધુ વ્યસ્ત રહો, કોઈ જુનાકામમા જલ્દીથી ઉકેલ ન આવે તેને લીધે તમે કામ ટાળવાની નીતિ અપનાવો, યુવાવર્ગ માટે પોતાના વર્તનમા શાંતિ જાળવવી જેથી તમારાથી કોઈની લાગણી ના દુભાય, વેપારમા પોતાના અનુભવ મુજબ નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ સારુ રહે.


આજનો દિવસ સામાન્ય છે તમે તમારા સહકર્મચારી સાથે કામની બાબતમા થોડા દ્વિધામા રહો તમારે થોડો  કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, યુવાવર્ગ માટે આજે મજાકવૃત્તિથી દુર રહેવુ જેથી બિનજરૂરી ગેરસમજ ટાળી શકાય  માર્કેટિંગમા સમયનો વ્યય વધુ થાય, વેપારના કામકાજમા ધીરજ રાખવી.

જેએનયૂમાં વિદ્યાર્થીઓ પરના હુમલાનો મુંબઈમાં વિરોધ થયો; તાપસી, શબાના જોડાઈ

મુંબઈ – નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ગઈ કાલે બુકાનીધારી લોકોના એક ટોળાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કરેલા હિચકાલા હુમલાના વિરોધમાં આજે મુંબઈમાં વિરોધ-દેખાવો કરવામાં આવ્યા હતા.

ગેટવે ઓફ ઈન્ડિયા સ્મારક ખાતે આયોજિત દેખાવોમાં અભિનેત્રીઓ તાપસી પન્નૂ, શબાના આઝમી, અપર્ણા સેન, નિર્માતા અનુરાગ કશ્યપ જેવી બોલીવૂડ હસ્તીઓ સામેલ થઈ હતી અને હુમલાને વખોડી કાઢ્યો હતો.

અન્ય અભિનેત્રી સ્વરા ભાસ્કર, અભિનેતા મોહમ્મદ ઝીશાન અય્યૂબ, નિર્માતા હંસલ મહેતાએ પણ હુમલાને વખોડી કાઢ્યો છે અને આ કેસમાં હસ્તક્ષેપ કરવાની દિલ્હી પોલીસને વિનંતી કરી છે.

જેએનયૂમાંના હુમલામાં 18 જેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો ઘાયલ થયા હતા અને એમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાં વિદ્યાર્થી સંઘના અધ્યક્ષા આઈશી ઘોષનો પણ સમાવેશ થાય છે.

(ડાબેથી જમણે) સ્વરા ભાસ્કર, સોનમ કપૂર-આહુજા, તાપસી પન્નૂ, રિચા ચઢ્ઢા

સ્વરાનાં માતા ઈરા ભાસ્કર જેએનયૂમાં પ્રોફેસર તરીકે સેવા બજાવે છે. સ્વરાએ ટ્વિટર પર લોકોને અપીલ કરી છે કે હિંસા પર કાબૂ મેળવવા માટે સરકાર તથા દિલ્હીની પોલીસ પર દબાણ લાવવા માટે કેમ્પસ પર જવું જોઈએ.

અભિનેત્રીઓ સોનમ કપૂર-આહુજા, રેણુકા શહાણે, રિચા ચઢ્ઢા, દિગ્દર્શકો અનુરાગ બસુ, વિશાલ ભારદ્વાજ, અનુભવ સિન્હાએ ટ્વીટ કરીને હુમલાને વખોડી કાઢ્યો હતો.

દિગ્દર્શક અનુરાગ કશ્યપે જેએનયૂમાં હિંસા અને તોડફોડ કરાયાના અનેક કથિત વિડિયોને રીટ્વીટ કર્યા છે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસઃ ભાડું રૂ. 2,384 અને રૂ. 1,289

મુંબઈ – ભારતીય રેલવેએ બીજી તેજસ એક્સપ્રેસ ટ્રેનને મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડાવવાનું નક્કી કર્યું છે. આ ટ્રેન આવતી 17 જાન્યુઆરીથી વ્યાપારી ધોરણે સફર શરૂ કરશે.

આ ટ્રેનસેવાનું સંચાલન ભારતીય રેલવેની પેટાકંપની ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા કરવામાં આવે છે.

તેજસ શ્રેણીમાં મુંબઈ-અમદાવાદ તેજસ ટ્રેન બીજી છે, જે સપ્તાહમાં 6 દિવસ દોડશે.

પહેલી તેજસ એક્સપ્રેસ લખનઉ અને નવી દિલ્હી વચ્ચે શરૂ કરવામાં આવી છે.

IRCTCએ આ ટ્રેન માટે ‘ડાયનેમિક ભાડા’ યોજના ઘડી કાઢી છે. મતલબ કે ખાલી સમયગાળા, ધસારાના સમયગાળા અને તહેવારોની મોસમ માટે જુદા જુદા ભાડા રાખવામાં આવશે.

IRCTC એ એ પણ નક્કી કર્યું છે કે આ ટ્રેન જો મોડી પડશે તો એ પ્રવાસીઓને પૈસા ચૂકવશે. મતલબ કે જો ટ્રેન એક કલાક મોડી પડશે તો પ્રવાસીઓને રૂ. 100નું વળતર આપવામાં આવશે. બે કલાક મોડી પડશે તો રૂ. 250ની રકમની ચૂકવણી કરવામાં આવશે.

તેજસ એક્સપ્રેસ માટે તત્કાલ ટિકિટની સુવિધા નહીં હોય.

ટ્રેન મોડી પડે તો પૈસાનું રીફંડ લેવા માટે પ્રવાસીઓએ ઓનલાઈન પરની લિન્કમાં વીમા કંપની સાથેનું એક ક્લેમ ફોર્મ ભરવાનું રહેશે. પ્રવાસીઓ એ ઉપરાંત ટોલ ફ્રી નંબર ઉપર પણ ક્લેમ નોંધાવી શકશે. એ માટે પ્રવાસીએ તેની સફરની વિગતો, પીએનઆર નંબર, બેન્ક એકાઉન્ટ વિગતો તથા ટ્રેન કેટલા કલાક મોડી પડી એ વિગત આપવાની રહેશે. વીમા કંપની વળતરની રકમ સીધા પ્રવાસીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેશે.

મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ માટે બુકિંગ શરૂ થઈ ગયું છે.

82902 નંબરની આ ટ્રેન સવારે 6.40 વાગ્યે અમદાવાદથી ઉપડી બપોરે 1.10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. વળતી સફરમાં, 82901 નંબરની ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે 3.40 વાગ્યે ઉપડી રાતે 9.55 વાગ્યે અમદાવાદ પહોંચશે.

રસ્તામાં આ ટ્રેન નડિયાદ, વડોદરા, ભરૂચ, સુરત, વાપી, બોરીવલી સ્ટેશનોએ ઊભી રહેશે.

ટ્રેન ગુરુવાર સિવાય સપ્તાહના બાકીના બધા દિવસોએ દોડાવવામાં આવશે.

અમદાવાદથી મુંબઈ આવનારી ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ચેર કારનું ભાડું રૂ. 2,384 છે. એનું બેઝ ફેર છે રૂ. 1,875, જ્યારે જીએસટી 94 રૂપિયા, કેટરિંગ ચાર્જ 415 રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. 1,289 હશે, જેમાં બેઝ ફેર 870 છે જ્યારે જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.

મુંબઈથી અમદાવાદ જનારી ટ્રેનમાં એક્ઝિક્યૂટિવ ભાડું રૂ. 2,374 છે, જેમાં બેઝ ફેર રૂ. 1,875 છે જ્યારે જીએસટીના 94 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 405 રૂપિયા સામેલ છે. એસી ચેર કારનું ભાડું રૂ. 1,289 છે જેમાં બેઝ ફેર રૂ. 870 છે  જ્યારે જીએસટી 44 રૂપિયા અને કેટરિંગ ચાર્જ 375 રૂપિયા છે.

આ ટ્રેનનું બેઝ ફેર શતાબ્દી એક્સપ્રેસ જેટલું જ હશે, પરંતુ તેજસનું ભાડું વધારવાનો અધિકાર IRCTCને રહેશે, કારણ કે આ રેલવેની ખાનગી ટ્રેન છે.

તેજસ એક્સપ્રેસ પ્રતિ કલાક 160 કિલોમીટરની ઝડપે દોડશે.

આ ટ્રેનમાં દરેક સીટના પાછળના ભાગમાં એક એલસીડી લગાડવામાં આવ્યું છે.

ટ્રેનમાં વાઈ-ફાઈ સુવિધા મળશે તેમજ કેટરિંગનું મેનૂ નામાંકિત શેફ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હશે.

પ્રવાસીઓને મફતમાં રૂ. 25 લાખના રેલ યાત્રા વીમાનું કવચ મળશે.

દરેક ડબ્બામાં બ્રેલ ડિસ્પ્લે, ડિજિટલ ડેસ્ટિનેશન બોર્ડ અને ઈલેક્ટ્રોનિક રિઝર્વેશન ચાર્ટ પણ હશે.

પાકિસ્તાનના લોકો ય હવે કહે છે કે સેના આતંકીઓની મદદ લેવાનું બંધ કરે

વોશિગ્ટન: અમેરિકામાં રહેતા પાકિસ્તાની નાગરિકોના એક સમૂહે પાકિસ્તાની સેના અને આતંકવાદી સંગઠનોના કનેક્શનની પુરજોશમાં ટીકા કરી છે. આ લોકોએ કહ્યું કે, પાકિસ્તાની સેના દ્વારા આતંકવાદી સંગઠનો પાસેથી કોઈ પણ પ્રકારની મદદ લેવી કે કરવી નિંદનીય છે. આ સાથે આ લોકોએ માંગ કરી છે કે, પાકિસ્તાની સેનાને આ આતંકી સંગઠનોના ઘરેલૂ અને વિદેશી મોરચા પર ઉપયોગને સમાપ્ત કરી દેવો જોઈએ. આ સમૂહે પાકિસ્તામાં થઈ રહેલા લોકતાંત્રિક સ્વતંત્રતાના હનન પર પણ ચિંતા વ્યક્ત કરી છે. નારાજ સભ્યોએ અહીં આતંકવાદ અને માનવાધિકાર વિરુદ્ધ દક્ષિણ એશિયન કોન્ફરન્સ (SAATH) ની ચોથી આવૃત્તિમાં હાજરી આપી હતી અને ઉપરોક્ત વાતો તેમના સંબોધન કહી હતી.

એટલું જ નહીં આ સમૂહે પાકિસ્તાના બલૂચિસ્તાન પ્રાંતમાં સેન્ય ઉત્પીડનને તત્કાલ સમાપ્ત કરવા વિનંતી કરી. તેમણે કહ્યું કે, સુરક્ષા એજન્સિઓએ ગૂમ થયેલ હજારો વ્યક્તિઓના લેખાજોખાં રાખવા જોઈએ. પાકિસ્તાન સરકારે આના માટે એક આયોગની પણ રચના કરવી જોઈએ. સમૂહે બંધારણીય શાસન અને કાયદાના શાસન માટે પાકિસ્તાનના નાગરિકો અને રાજકીય પક્ષોને હાકલ કરી છે. સાથ પરિષદમાં ભાગ લેનારા યુ.એસ. સ્થિત કોલમિસ્ટ મોહમ્મદ ટકી, ભૂતપૂર્વ સેનેટર અફરાસીબ ખટ્ટક, ભૂતપૂર્વ રાજદૂત કામરાન શફી, ડેઇલી ટાઇમ્સના ભૂતપૂર્વ સંપાદક રેહમાન, પત્રકારો તાહા સિદ્દીકી, ગુલ બુખારી અને મરાવી સિરમેડ હતા. અગાઉ SAATH પરિષદ 2016 અને 2017 માં લંડનમાં અને 2018માં વોશિંગ્ટન ડીસીમાં યોજાઇ હતી.

Husain Haqqani, Pakistan’s former Ambassador to the United States

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આ પ્રકારના આરોપ આંતરાષ્ટ્રીય સ્તર લગાવવામાં આવી ચૂક્યા છે. ગયા વર્ષે એક અમેરિકન રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે લશ્કર એ તૌયબા અને જૈશ એ મોહમ્મદ સહિત એ તમામ આતંકી સંગઠનો વિરુદ્ધ જરૂરી કાર્યવાહી ન કરી. આ સંગઠનો પાકિસ્તાનની ધરતી પરથી સંચાલિત થઈ રહ્યા છે. પાકિસ્તાનમાં આ આતંકીઓની ટ્રેનિંગ ચાલી રહી છે. પાકિસ્તાની હુકુમત આ આતંકી સંગઠનોનું પોષણ કરી રહી છે. એ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, પાકિસ્તાનમાં સક્રિય આ આતંકી સંગઠનો સતત સેના અને નાગરિકોને ટાર્ગેટ કરી રહ્યા છે. ભારતને સતત આ સંગઠનોથી ખતરો રહેલો છે. અમેરિકાએ ભારતની ચિંતાને યોગ્ય ગણાવી હતી. રિપોર્ટમાં અંતે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, આ આતંકી સંગઠનોને આર્થિક મદદ પાકિસ્તાને ચાલુ રાખી છે.

JNU હિંસાકાંડમાં ચર્ચાનો વિષય બની છે આ છોકરી

નવી દિલ્હી: જેએનયુમાં રવિવારે થયેલી હિંસાના વિડિયો અને તસવીરો વાયરલ થઈ રહી છે. હુમલાખોરોની આ તસવીરોમાં સૌથી વધુ વાયરલ થઈ રહેલી એક તસવીર કે જેમાં એક ચેક્સ શર્ટ પહેલી છોકરી બે છોકરા સાથે જોવા મળી રહી છે. આ છોકરીની સાથે ઉભેલા છોકરાઓના હાથમાં લાકડી અને લોખંડના સળિયા દેખાઈ રહ્યા છે. અહીં પોલીસની સાથે લોકોના મનમાં પણ એક જ સવાલ છે કે, આખરે એ ચેક્સ શર્ટ વાળી છોકરી છે કોણ? જેનો જવાબ સોશિયલ મીડિયા પર શોધવામાં આવી રહ્યો છે.

હકીકતમાં હિંસા પછી લેફ્ટ સમર્થિત વિદ્યાર્થી સંગઠન અને ભાજપનું સમર્થન ધરાવતી સ્ટુડન્ટ વિંગ એબીવીપી એક બીજને આ ઘટના માટે જવાબદાર ગણાવી રહ્યા છે. શું તે ચેક્સવાળો શર્ટ પહેરેલી છોકરી આ બેમાંથી જ કોઈ એક વિદ્યાર્થી સંગઠનની સભ્ય છે? જોકે, કોઈપણ પક્ષના દાવાની હજુ સુધી પુષ્ટી નથી થઈ શકી. પોલીસે એફઆઈઆર નોંધીને તપાસ શરુ કરી દીધી છે અને તેમનું કહેવું છે કે, વિડિયો ફૂટેજને આધારે હુમલાખોરોની શોધખોળ ચાલી રહી છે.

જો પોલીસ હિંસાના ફોટો અને વિડિયો મારફતે હુમલાખોરો સુધી પહોંચવા સફળ રહી તો એ છોકરી પણ જલ્દી જ પકડાઈ શકે છે. આ છોકરીએ આ ચેક્સવાળા શર્ટની સાથે ઘેરા વાદળી રંગનું જીન્સ અને સફેદ સ્પોર્ટ્સ સુઝ પહેર્યાં છે. ચહેરા પર ગ્રીન કપડુ લપેટ્યું છે. જો કે, આ છોકરીની આંખો અને માથું સ્પષ્ટ દેખાય છે. આ સ્થિતિમાં પોલીસ માટે આ યુવતી સુધી પહોંચવું મુશ્કેલ નહીં બને.

તો આ તરફ આઈસાની દિલ્હી પ્રેસિડેન્ટ કંવલપ્રીત કૌરે ટ્વીટ કરીને ફોટોમાં આ યુવતીને ઓળખતી હોવાનો દાવો કર્યો છે. કંવલપ્રીતે એક નામ પણ તેમની પોસ્ટમાં લખ્યું છે. તેમણે જે યુવતીનું નામ લખ્યું છે, એવુ કહેવામાં આવી રહ્યું છે કે, તેણીએ તેમનું એકાઉન્ટ પણ ડિએક્ટિવેટ કરી દીધું છે. જોકે, કંવલપ્રીતના દાવાની પુષ્ટી થઈ શકી નથી. મહત્નું છે કે, ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ આયુક્ત અમૂલ્ય પટનાયક સાથે વાતચીત કરીને હિંસા પર તાત્કાલિક રિપોર્ટ માંગ્યો છે. તો માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવે જેએનયુના રજિસ્ટ્રાર પ્રોક્ટર અને રેક્ટરને તેમના કાર્યાલય ખાતે બોલાવીને સમગ્ર ઘટનાક્રમ અંગે રિપોર્ટ માગ્યો છે.

પશ્ચિમ એશિયાની તંગદિલીએ ભારતીય શેરબજારમાં પાડયો કડાકોઃ ક્રૂડના ભાવ આસમાને

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં સર્જાયેલા સંકટના કારણે આજે હાહાકાર મચી ગયો. BSE Sensex અને NIFTY જોરદાર પછડાયા. સપ્તાહના પ્રથમ સત્રમાં જ સેન્સેક્સ 787.98 અંક જ્યારે નિફ્ટી 233.60 અંક સુધી નીચે આવી ગયા. શેર બજારમાં આવેલા આ ભારે ઘટાડાના કારણે રોકાણકારોના એક જ દિવસમાં 3.36 લાખ રુપિયા ડૂબી ગયા. અમેરિકી ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર કાસીમ સુલેમી માર્યા ગયા બાદ બંન્ને દેશો વચ્ચે આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યો છે. ઈરાને આનો બદલો લેવાની વાત કહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આવી સ્થિતિમાં ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવાની ચેતવણી આપી છે.

આ તમામ ઘટનાક્રમ વચ્ચે સોમવારના રોજ બ્રેંટ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલના સ્તરે પહોંચી ગયો. આ સીવાય અન્ય કારણોથી પણ શેર બજારમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. શેર બજારમાં ઘટાડાના કારણે લોકોએ સેફ હેવન માનવામાં આવતા સોનામાં રોકાણ કર્યું. ત્યારે આના કારણે ગોલ્ડની કીંમત અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર પર પહોંચી ગઈ છે. વિષ્લેષણો અનુસાર ક્રૂડ ઓઈલની કીંમતોમાં આવેલી તેજીથી ભારતીય બજાર વધારે રિએક્ટ કરી રહ્યું છે.

સોનુ 720 રુપિયાની તેજી સાથે પોતાના અત્યાર સુધીના સૌથી ઉચ્ચતમ સ્તર 41,730 રુપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે. બ્રેંટ ક્રુડ ઓઈલનું ફ્યૂચર સોમવારના રોજ આશરે 2 ટકા વધીને 69.81 ડોલર પ્રતિ બેરલના સ્તર પર પહોંચી ગઈ છે. દિવસના વ્યાપારમાં ભારતીય મુદ્રા 24 પૈસા તૂટીને 72.04 રુપિયા પ્રતિ ડોલરના સ્તર પર પહોંચી ગઈ છે. શાંઘાઈ, હોંગકોંગ, ટોક્યો અને સિઓલમાં પણ શેરબજારમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો. યૂરોપીય બજારમાં પણ શરુઆતી સત્રમાં લાલ નિશાના પર રહ્યા.