અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બદરુદ્દીન શેખનું ગઈ કાલે કોરોના સંક્રમણને લીધે મોત થયું હતું. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી શહેરની SVPમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ 68 વર્ષના હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. તેમણે લખ્યું કે, ‘મારી પાસે શબ્દો નથી… બદરુદ્દીન ગુજરાત કોંગ્રેસના એક આધારસ્તંભ સમાન ગણાતા હતા. ગરીબ જનતા માટે તેઓ સતત કામ કરી રહ્યા હતા અને ત્યાં જ તેમને કોરોના સંક્રમણ થયું હતું.’
બદરુદ્દીન શેખ અમદાવાદના બહેરામપુરા વિસ્તારના કોંગ્રેસના કોર્પોરેટર હતા. તેઓ ગુજરાત કોંગ્રેસમાં મહત્ત્વનાં પદો રહી ચૂક્યા હતા. ગઈ 15 એપ્રિલે કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડતાં એમને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એ પહેલાં તેમને કેટલાક દિવસો સુધી ક્વોરન્ટાઇન પણ કરવામાં આવ્યા હતા.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી 27,000 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને 800 લોકોનાં મોત થયાં છે. કોરોના સંકટ અને લોકડાઉનની વચ્ચે વડા પ્રધાન રાજ્યોના મુખ્ય પ્રધાનોથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વર્તમાન પરિસ્થિતિની ચોથી વાર ચર્ચા-વિચારણા કરશે. વડા પ્રધાન મોદીની સાથે મુખ્ય પ્રધાનો સાથેના વિડિયો કોન્ફરન્સિંગમાં કમસે કમ નવ રાજ્યોના મુખ્ય પ્રધાનો ભાગ લે એવી સંભાવના છે. આ ઉપરાંત આ બેઠકમાં અનેક કેન્દ્રીય પ્રધાનો પણ ઉપસ્થિત રહે એવી શક્યતા છે.
સવારે 10 કલાકે બેઠક
વડા પ્રધાન મોદી સાથે મુખ્ય પ્રધાનોની વિડિયો કોન્ફરન્સિંગ 10 કલાકે શરૂ થશે, જેમાં લોકડાઉનને વધારવાની સમીક્ષા કરવામાં આવશે અને એને કેવી રીતે લાગુ કરવું –એને માટે ચર્ચા-વિચારણા કરવામાં આવે એવી શક્યતા છે. આ બેઠકમાં આર્થિક પેકેજ, પ્રવાસી મજૂરોને વતન પરત મોકલવા અને ઉદ્યોગ જગતના લોકોને રાહત આપવા માટે પણ ચર્ચા કરવામાં આવશે. આ બેઠકમાં મુખ્ય પ્રધાનો દ્વારા 20 એપ્રિલે કેટલાક વિસ્તારોમાં લોકડાઉન દરમ્યાન આપવામાં આવેલી આંશિક છૂટ, ટેસ્ટ કિટની સ્થિતિ. ડોક્ટરોની સુરક્ષા સંબંધમાં વિચારવિમર્શ કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત કેન્દ્ર પાસે તેઓ નાણાકીય પેકેજની માગ પણ કરશએ. આશરે મોટા ભાગનાં મોટાં રાજ્યોએ આ પહેલાંની બેઠકોમાં પોતાના વિચાર મૂક્યા હતા.
નવ રાજ્યો સામેલ થશે
આ વિડિયો કોન્ફરન્સિંગ બેઠકમાં ઓરિસ્સા, બિહાર, ગુજરાત, હરિયાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના મુખ્ય પ્રધાનો ઉપરાંત પૂર્વોત્તરથી મેઘાલય અને મિઝોરમના મુખ્ય પ્રધાનો હિસ્સો લેશે. કેન્દ્ર બધાં રાજ્યોને તેમની રજૂઆત કરવા માટે તક આપશે, એમ સૂત્રોએ કહ્યું હતું. આ પહેલાંની ત્રીજી બેઠકમાં આશરે 13 રાજ્યોના મુખ્ય પ્રધાનોએ લોકડાઉન વધારવા માટે કહ્યું હતું.
શરદ પવારે લખ્યો પત્ર
કોરોના વાઇરસના સંક્રમણ કાળમાં રાજ્યવાર સ્થિતિઓની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં સૌથી વધુ કોરોનાના કેસ છે. રાજ્યમાં 7,500ની વધુ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. રાજ્યની સત્તામાં ભાગીદાર NCPના વડા શરદ પવારે એ વાતે ઇશારો કર્યો હતો કે લોકડાઉનને કારણે રાજ્યને રૂ. 1.40 લાખ કરોડનું આર્થિક નુકસાન થવાની શક્યતા છે. વડા પ્રધાનની બેઠકના એક દિવસ પહેલાં જ શરદ પવારે વડા પ્રધાનને આ વિશે પત્ર લખી નાખ્યો છે.
નોકરી, ધંધામા ઉતર-ચઢાવ દરમિયાન તમને કયાંકને ક્યાંક મનમાને મનમા અશાંતિ અને ઉદ્વેગ જોવા મળે, તમારા કામકાજમા ઉત્સાહ ઓછો જોવા મળે તેમજ કામની બાબતમા નાનીનાની બાબતમા ઉશ્કેરાઈ જવાય, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી વધુ થઈ શકે છે પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ નિયંત્રણમા રહી શકે છે. તમારા કામકાજમા અન્યનો સાથસહકાર ઓછો જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉદાસીન બનો.
અસફળતા અને ઉશ્કેરાટવાળુ વાતાવરણ જોવા મળે, ઘરકે કુટુંબમા ભાઈબહેન સાથે કોઈ કામકાજમા સાથ સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈની ખટપટ પણ જોવા મળી શકે છે, પરિશ્રમ મુજબ ફળ ના મળવાના કારણે થોડી અશાંતિ જેવું લાગ્યા કરે, કોઈની સ્વાસ્થ્ય સંબંધિત ચિંતા કે આકસ્મિકખર્ચ પણ થઈ શકે છે, નોકરીમા કામનુ વધુ ભારણ કે અણગમતુ કામ કરવાથી માનસિક અશાંતિમા વધારો થાય.
પરિસ્થિતિમા ધીમેધીમે સુધારો થતો જોવા મળે માટે ધીરજ રાખવી સારી, ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યા ખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટીસમસ્યા થાય તેવુ જણાતુ નથી, તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાયક મુસાફરી થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો. કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવું સારુ. બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીન ઓળખાણ થઇ શકે છે તેમાં લાભ ની વાત આપ-લે થઇ શકે છે. ઘણા વખત થી કોઈ વાત મન માં રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
પરિસ્થિતિમા પરિવર્તન જોવા મળશે અને આનંદ, ઉત્સાહ, વચ્ચે તમારો સમય પસાર થાય, લગ્નમાટે ક્યાય વાર્તાલાપકે મિલનમુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકે છો પણ તેમા થોડુ સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા અપેક્ષા મુજબ કામ થોડુ ઓછુ થાય, જુનાઅટકેલા કામકાજ પુરા કરવાની કોશિશ કરો તો તેમા પણ થોડી ચળવળ થતી જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે સમયનો સદુપયોગ કરવો વધુ યોગ્ય કહી શક્ય, આરોગ્યબાબતમા બેદરકાર ના બનાય તેનુ ધ્યાન રાખવુ.
આ સપ્તાહ દરમિયાન તમે કોઈપણ કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવી પણ બાબત રહેલી છે. અણધાર્યા નાણાકીયખર્ચ થાય તેવુ પણ બની શકે છે, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારી નોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાત કે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરી પૂર્વકવર્તવું યોગ્ય છે.
તમારામા રહેલી ધીરજની થોડી પરીક્ષા થઈ શકે છે, તેમા તમારી થોડી મહેનત અને યોગ્ય ગણતરીની પણ એટલીજ જરૂરિયાત અનુભવો, મિત્રોકે સગાસ્નેહી સાથે મિલનમુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે થોડોક માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો. જુનાકોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે. સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુ જ કામ કરવુ સારુ, લગ્નબાબતની વાતચીત કે મિલનમુલાકાતમા વ્યવહારુ અભિગમ અપનાવો ઇચ્છનીય છે.
આ સપ્તાહ દમિયાન તમને કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથસહકાર પણ સારો મળી શકે છે જેમા તમને તમારા કામના અધિરાપણાનુ ભાન કરાવે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમા કે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વાક્જ કામ કરવુ જોઈએ.
તમારામા કોઈ કારણસર ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારી વાતની આપ લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈ જગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નની વાત કોઈ જગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવકે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે. તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરી લાભ મેળવી શકો છો.
નાનીનાની વાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન તમારામા જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિક નાણાકીયકે કોઈ બાબતે ખુશી થવાય તેવો લાભ પણ થઈ શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તે લોકો એ થોડી તકેદારી રાખવી જરૂરી છે. સગાસ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગીના જ નાના કામ કરવા યોગ્ય છે.
જાહેરપ્રસંગમા તમારી પ્રતિભા સારી ઉપસી આવે, તમારા કામકાજમા અન્યનો સારો સાથસહકાર મળી શકે છે, તમારા ધારેલા કામમા તમે ગણતરી અને મહેનત કરોતો સારુ ફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો વાર્તાલાપ અને મિલનમુલાકાતમા તમને સારો પ્રતિભાવ અને ઉત્સાહ જોવા મળી શકે છે ફક્ત એટલું ધ્યાન રાખવુ કે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રાપ્રવાસ પણ તમને ઉત્સાહપૂર્વકનો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને કઈ સારુ કરવાની લાગણી જન્મી શકે છે, આયોજનપૂર્વક કામ કરોતો લાભ પણ થઈ શકે છે.
વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે, કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.
અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.
આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે, વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.
આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા સમયનો દુર્વ્યય વધુ થાય.
આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.
આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.
આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.
આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.
આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.
આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.
આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.
લખનઉઃ કોરના વાઈરસનો શિકાર બન્યા બાદ સારવારથી સાજી થઈને અહીંની સંજય ગાંધી પોસ્ટગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીમાંથી ડિસ્ચાર્જ થયેલી બોલીવૂડ ગાયિકા કનિકા કપૂરે કહ્યું છે કે એણે લખનઉમાં કોઈ પાર્ટી આપી નહોતી અને પોતાની વિશે ઘણી ખોટી માહિતી ફેલાવવામાં આવી છે.
કનિકાએ તેની કોરોના વાઈરસ બીમારીના નિદાન વિશે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી મૂકી છે. એણે લખ્યું છે કે એનાં એક મિત્રએ યોજેલા લંચ અને ડિનરમાં એણે જ્યારે હાજરી આપી હતી ત્યારે પોતાની તબિયત સારી હતી.
કનિકાએ લખ્યું છેઃ ‘હું બ્રિટનથી 10 માર્ચે મુંબઈ પાછી ફરી હતી. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મારું સ્ક્રીનિંગ કરાયું હતું. એ વખતે મારે સ્વયંને ક્વોરન્ટાઈન કરવું જોઈએ એવી સરકાર તરફથી કોઈ મેડિકલ એડવાઈઝરી જારી કરવામાં આવી નહોતી. (બ્રિટનમાં ટ્રાવેલ વિશેની એડવાઈઝરી 18 માર્ચે રિલીઝ કરાઈ હતી). મારી તબિયત જરાય બગડેલી નહોતી એટલે હું ક્વોરન્ટાઈન થઈ નહોતી.’
‘ત્યાંથી હું બીજા દિવસે એટલે કે 11 માર્ચે મારા પરિવારને મળવા લખનઉ ગઈ હતી. સ્થાનિક ફ્લાઈટ્સ માટે કોઈ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું નહોતું. 10 માર્ચ અને 15 માર્ચે હું એક મિત્રના લંચ અને ડિનરમાં ગઈ હતી. મેં પાર્ટી યોજી નહોતી અને એ વખતે મારી તબિયત એકદમ સારી હતી.’
કનિકાએ લખ્યું છે કે, ‘મને કોરોનાનાં લક્ષણ 17 માર્ચે જણાવાનું શરૂ થયું હતું અને એટલે 19 માર્ચે મેં ટેસ્ટ કરાવ્યું હતું. 17 અને 18 માર્ચે મને કોરોનાનાં લક્ષણ હોવાનું માલૂમ પડ્યું હતું એટલે મેં મારું તબીબી પરીક્ષણ કરવાની વિનંતી કરી હતી. 19 માર્ચે મારો ટેસ્ટ લેવાયો હતો અને 20 માર્ચે મને જાણ કરવામાં આવી હતી કે હું કોરોના પોઝિટીવ છું. મેં હોસ્પિટલમાં જવાનું પસંદ કર્યું હતું. 3 ટેસ્ટ નેગેટિવ આવ્યા બાદ મને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી અને ત્યારથી હું 21 દિવસથી મારા ઘેર જ છું.’
કનિકાએ એમ પણ લખ્યું છે કે, હું બ્રિટનમાં, મુંબઈમાં અને લખનઉમાં જે કોઈ વ્યક્તિના સંપર્કમાં આવી હતી એમાંના કોઈને પણ કોરોના ચેપ લાગુ પડ્યો નથી. વાસ્તવમાં, એ બધાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
ઉત્તરાખંડમાં ઉત્તરકાશી વિસ્તાર સ્થિત પવિત્ર ચાર-ધામ યાત્રાસ્થળોના બે યાત્રાધામો – ગંગોત્રી અને યમુનોત્રીના મંદિરોના દ્વાર 26 એપ્રિલ, રવિવારના રોજ અખા ત્રીજ (અક્ષય તૃતિયા)ના શુભ દિવસે બપોરે 12.35 વાગ્યે હિન્દુ મંત્રોચ્ચાર અને પૂજા-અર્ચના સાથે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. જો કે કોરોના વાઈરસ રોગચાળાને કારણે લોકડાઉન ઘોષિત હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો અંતર્ગત માત્ર 21 જણ જ હાજર રહ્યા હતા. એમાં મુખ્ય પુરોહિત, મંદિર સમિતિના હોદ્દેદારો તથા અમુક આગેવાન લોકોનો સમાવેશ થાય છે. હવે આવનારા દિવસોમાં અન્ય બે યાત્રાધામ – બદ્રીનાથ અને કેદારનાથ ધામના દ્વાર પણ ખુલ્લા મૂકવામાં આવશે.
રવિવારે સવારે યમુનામૈયાની ડોલી ખરસાલીથી યમુનોત્રી ધામ રવાના કરવામાં આવી હતી.
મુખબા ગામમાંથી ગંગામૈયાની મૂર્તિને ડોલી યાત્રા મારફત ગંગોત્રી ધામ લાવવામાં આવી હતી.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા રોજેરોજ વધી રહી છે. જો કે આ બીમારીથી સાજા થનાર લોકોની સંખ્યા પણ વધી રહી હોવાથી રાહત પણ છે.
મુંબઈમાં 31 પત્રકારોએ કોરોના વાઈરસને માત આપી છે. એમના તબીબી પરીક્ષણનો બીજો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે અને એમને હોસ્પિટલમાંથી ઘેર જવાની પરવાનગી આપી છે.
મુંબઈ મહાનગરપાલિકા તરફથી આ માહિતી આપવામાં આવી છે.
આ તમામ પત્રકારોને 14 દિવસ સુધી હોમ-ક્વોરન્ટાઈનમાં રહેવાની ડોક્ટરોએ સલાહ આપી છે.
દરમિયાન, શહેરના કાંદિવલી ઉપનગરના પશ્ચિમ ભાગમાં આવેલા લાલજી પાડા ઝૂંપડપટ્ટી વિસ્તારને કોરોના વાઈરસ માટે રેડ ઝોન ઘોષિત કરવામાં આવ્યો છે. મધ્ય મુંબઈના ધારાવી ઝૂંપડપટ્ટી વિસ્તાર બાદ આ લાલજી પાડા ઝૂંપડપટ્ટીમાં કોરોના વાઈરસના પોઝિટીવ કેસો મળી આવ્યા છે. હવે આ વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે અને પોલીસો તેની પર કડક નજર રાખી રહ્યા છે. સમગ્ર મોહલ્લા પર ડ્રોન કેમેરા વડે આકાશમાંથી નજર રાખવામાં આવી રહી છે.
સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમો ભંગ કરનાર લોકો સામે પોલીસ કડક પગલાં ભરી રહી છે. લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે તમારો વિસ્તાર કોરોના રેડ ઝોન ઘોષિત કરી દેવામાં આવ્યો છે એટલે કોઈ પણ વ્યક્તિ ઘરમાંથી બહાર ન નીકળે. આ મોહલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનાં 19 પોઝિટીવ કેસો નોંધાયા છે.
મુંબઈઃ 1983માં પહેલી વાર ક્રિકેટ વર્લ્ડ કપ જીતવામાં ભારતીય ટીમની દોરવણી કરનાર કપિલ દેવે એમનો લુક સદંતર બદલીને એમના પ્રશંસકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. કપિલે એમના માથાના વાળ સાવ ઉતરાવી દીધા છે અને ટકલુ થઈ ગયા છે. એની સાથે, એમણે દાઢી વધારી છે.
કપિલને એમનો લુક બદલવાની પ્રેરણા કેવી રીતે મળી એવો સવાલ ઘણા પ્રશંસકોને સતાવતો હતો. આખરે કપિલે પોતે જ એનો ખુલાસો કર્યો છે.
એમણે કહ્યું છે કે આ લુક અપનાવવા માટે એમણે બે ક્રિકેટરોના લુકમાંથી પ્રેરણા મેળવી છે, જે બંનેને એ પોતાના હિરો માને છે. એક – સર વિવિયન રિચર્ડ્સ અને બીજો – મહેન્દ્ર સિંહ ધોની. ધોનીના નેતૃત્ત્વમાં ભારતે 2011માં બીજી વાર વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી.
કપિલ દેવે એક વિડિયોમાં જણાવ્યું છે જેને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમે તેના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કર્યો છે.
એ વિડિયોમાં કપિલ જણાવે છે કે, ‘મેં સર વિવિયન રિચર્ડ્સને તમારા ઈન્સ્ટાગ્રામ પર જોયા હતા. એ મારા હિરો રહ્યા છે, તો મને થયું કે શા માટે એમના જેવો લુક હું ન અપનાવું? હું મારા હિરોને અનુસરણ કરીશ. મેં ધોનીને પણ જોયો હતો અને એ પણ મારો હિરો છે. 2011ની વર્લ્ડ કપ સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કર્યા બાદ એણે માથાના વાળ કપાવીને ટકલું કરાવ્યું હતું. એટલે મેં વિચાર્યું કે હવે મને પણ એવું કરવાની તક મળી છે અને મેં એમ કર્યું.’
કપિલના આ નિવેદન બાદ વિવિયન રિચર્ડ્સે પ્રતિસાદમાં જણાવ્યું: ‘હાહાહા…મારા મિત્ર, તેં બરાબર પ્રેરણા લીધી.’
ઉલ્લેખનીય છે કે, 1983ની વર્લ્ડ કપ સ્પર્ધાની ફાઈનલ મેચમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં કેપ્ટન કપિલ દેવે પાછળની બાજુએ દોડીને ઉત્કૃષ્ટ રીતે રિચર્ડ્સનો કેચ પકડ્યો હતો જે વેસ્ટ ઈન્ડિઝના પરાજય અને ભારતના ઐતિહાસિક વિજયમાં મુખ્ય ભૂમિકા ભજવી ગયો હતો.
હાલ કોરોના વાઈરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન લાગુ છે. આમ જનતાની સાથે સેલિબ્રિટી ક્રિકેટરો પણ પોતપોતાના ઘરમાં કેદ છે અને પરિવારજનો સાથે સમય વિતાવે છે. લોકડાઉનને કારણે દેશભરમાં હેર કટિંગ સલૂન અને પાર્લર બંધ છે. એવામાં માથાના વાળ વધવાની સમસ્યા ઘણા પુરુષોને સતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં પણ કપિલ દેવે પોતાનો લુક બદલ્યો છે. એમણે રિચર્ડ્સની જેમ આંખો પર કાળા ચશ્મા અને કાળા રંગના બ્લેઝર સાથે તસવીરો પણ પડાવી હતી.
When Sir Viv Richards and Thalaivar Kapil Dev talk about each other, you just watch in awe like the good ol' days! #WhistlePodu 😍 https://t.co/WkXsLc8evT
અમદાવાદઃ મૂડીરોકાણના વિશ્વમાં વર્તમાન સમયમાં દરેક પ્રતિકૂળ બાબત પાછળનું મુખ્ય કારણ કોવિડ-19 છે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ ઉદ્યોગમાં એસેટ અન્ડર મેનેજમેન્ટ (AUM)માં થયેલા મોટા ઘટાડા પાછળનું કારણ કંઈ રોગચાળો નથી. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI- એમ્ફી)ના જણાવ્યા અનુસાર માર્ચ, 2020ના અંતમાં ઉદ્યોગની ચોખ્ખી AUM રૂ. 22.26 લાખ કરોડના સ્તરે હતી. જેમાં એના એક મહિના કરતાં પહેલાં નોંધાયેલી ઉદ્યોગની AUM રૂ. 27.23 લાખ કરોડ કરતાં 4.96 લાખ કરોડ અથવા 18.24 ટકા ઘટી હતી અને એક વર્ષ અગાઉની માર્ચ, 2019માં નોંધાયેલી 23.79 લાખ કરોડની તુલનાએ 1.53 લાખ કરોડ ઘટી હતી. જોકે આ માર્ચમાં ઘટાડો ખાસ કરીને ઉદ્યોગમાં રોકાણકારોએ રોકાણ પાછું ખેંચ્યું હતું એને લીધે હતો. ગયા વર્ષે માર્ચમાં ફંડ હાઉસિસમાં 63,181 કરોડનો ઇનફ્લો જોવા મળ્યો હતો.
એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ એન.એસ. વેંકટેશના માનવા પ્રમાણે અભૂતપૂર્વ સ્થિતિને લીધે રોકાણકારોએ પણ પ્રતિકૂળ પ્રતિસાદ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રોકાણકારોએ તેમનું વર્તમાન મૂડીરોકાણ ઈક્વિટી ફંડોમાં જાળવી રાખવાને બદલે રિટેલ રોકાણકારોએ તેમનું રોકાણ જાળવી રાખ્યું હતું અને વધુ AUM અને ફોલિયોઝ ઉમેર્યા છે.
રોકાણકારોની સંખ્યામાં વધારો
ફેબ્રુઆરીમાં કુલ 88.83 કરોડ થોડાક વધુ રોકાણકારોના ફોલિયોવૂ સંખ્યા 1.02 ટકા વધીને 89.74 કરોડ થઈ હતી. આની સાથે માર્ચમાં ઈક્વિટી સંબંધિત યોજનાઓમાં 62.69 કરોડ ફોલિયો થયા હતા, જે ફેબ્રુઆરીના 61.98 કરોડ ફોલિયો હતા. આમ 1.14 ટકાનો વધારો થયો હતો. આમાં મહત્ત્વની બાબત એ હતી કે મન્થ્લી ફોલિયો ગ્રોથમાં ધીમો વધારો હતો, જ્યારે એની સરખામણીએ ઈક્વિટી સંબંધિત યોજનામાં ફંડ ફેબ્રુઆરીના 24,784.59 કરોડથી વધીને 30,101.19 કરોડ થયું હતું. આમ ફંડમાં વધારો 5,316.6 કરોડ અથવા 21.45 ટકાનો હતો.
ડેટ ફંડસમાં આનાથી વિપરીત સ્થિતિ
જોકે ડેટ ફંડ્સમાં આનાથી વિરુદ્ધની સ્થિતિ જોવા મળી હતી. ફેબ્રુઆરીમાં ડેટ સંબંધિત યોજનાઓમાં રૂ. 12.22 લાખ કરોડની ચોખ્ખી AUM હતી, એ માર્ચમાં 1.93 લાખ કરોડ અથવા 15.8 ટકા ઘટીને રૂ. 10.29 લાખ કરોડ થઈ હતી. આમાં પણ લિક્વિડ ફંડ્સમાં મહત્તમ ધોવાણ થયું હતું, જેમાં ડેટ યોજનાઓની ચોખ્ખી AUM 4.43 લાખ કરોડથી ઘટીને માર્ચમાં 3.34 લાખ કરોડ થઈ હતી. જેમાં 1.08 લાખ કરોડ અથવા 24.46 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડેટ ફંડ બાજુ જોઈએ તો AUMમાં ત્રિમાસિક ગાળાને લીધે ઘટાડો થાય છે એ સ્વાભાવિક છે, જેથી બેન્કો પણ કેપિટલ એડિક્વસીનાં ધારાધોરણો (મૂડી પર્યાપ્તતા) જાળવી રાખે છે (માર્ચ એન્ડિંગને લીધે) અને કોર્પોરેટ્સ એડવાન્સ ટેક્સના ભારણને લીધે જવાબદારીને પહોંચી વળવા માટે પણ આવું થતું હોય છે, પણ આ ફંડ એપ્રિલમાં પાછું ફરે છે,એમ એમ્ફીના વેંકટેશે કહ્યું હતું.
SIPમાં વધારો થયો
રોકાણકારો માર્ચ મહિનામાં નાણાંનું ચર્નિંગ વધુ કરે છે ત્યારે શેરબજારોમાં મોટી ઊથલપાથલ જોવા મળી હતી.સિસ્ટેમિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (SIP)માં વધારો થયાનું જોવા મળ્યું હતું. ફેબ્રુઆરીમાં SIP 8,513 કરોડથી 128 કરોડ અથવા 1.51 ટકા વધીને માર્ચમાં 8,641 કરોડ થઈ હતી.
વાર્ષિક ધોરણે 7.2 ટકા વધારો થયો
વાર્ષિક ધોરણે જોઈએ તો માર્ચ, 2019માં 8,055 કરોડનો વધારો થયો હતો અને આ વર્ષે ગ્રોથ 586 કરોડ અથવા 7.2 ટકાનો વધારો થયો હતો અને નાણાકીય 2020માં ઇક્વિટી SIP થકી રોકાણપ્રવાહ નાણાં વર્ષ 2019ના 92,693 કરોડની તુલનાએ 7.97 ટકા અથવા રૂ. 7,391 કરોડ વધીને 1,00,084 કરોડ થયો હતો.
રસપ્રદ વાત એ છે કે માર્ચ, 2020માં મ્યુચ્યુઅલ ફંડનું ચોખ્ખું ઈક્વિટી મૂડીરોકાણં 30,130.74 કરોડ રહ્યું હતું, જ્યારે માર્ચ, 2019માં એમાં 7,306.15 કરોડનો આઉટફ્લો જોવા મળ્યો હતો.