Home Blog Page 4821

પોતાની મરજીથી કામ પર ન આવનારનો પગાર કાપી શકાયઃ હાઈકોર્ટ

મુંબઈઃ મુંબઈ હાઈકોર્ટની ઔરંગાબાદ બેન્ચે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું છે કે એમ્પલોયર્સ કાયદા અંતર્ગત એવા કર્મચારીઓનો પગાર કાપી શકાય છે જેઓ એમની મરજીથી કામ પર આવતા નથી જે વિસ્તારોમાં કોરોના વાઈરસના સંદર્ભમાં લાગુ કરાયેલા લોકડાઉનમાં પ્રતિબંધોમાં છૂટ આપવામાં આવી છે.

ન્યાયમૂર્તિ રવીન્દ્ર ધુગેએ પાંચ મેન્યૂફેક્ચરિંગ એકમો દ્વારા નોંધાવવામાં આવેલી એક પીટિશન પરની સુનાવણી વખતે ઉપર મુજબ ચુકાદો આપ્યો હતો.

અરજદારોએ કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા ગઈ 29 માર્ચે ઈસ્યૂ કરવામાં આવેલા એક વટહૂકમને પડકાર્યો છે. એ વટહૂકમમાં જણાવવામાં આવ્યું હતું કે માલિકો લોકડાઉનની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના એવા કર્મચારીઓને પગાર આપે જેમાં પ્રવાસી (માઈગ્રન્ટ), કોન્ટ્રેક્ટ બેઝિસ મજૂરો, પૂર્ણ માસિક વેતન મળવનારાઓ.

કંપનીઓના વકીલે દલીલ કરી હતી કે લોકડાઉનને કારણે ઉત્પાદન પ્રવૃત્તિઓ બંધ છે અને ઘણા કામદારો કામ પર આવવા માટે ઈચ્છુક નહોતા. એવામાં, કંપનીઓ એમના કામદારોને પગાર ન આપવાની છૂટ માગતી હતી. ફેક્ટરીમાલિકોનું કહેવું છે કે ન્યૂનતમ મજૂર કાયદા અંતર્ગત 50 ટકા વેતન ચૂકવવા તેઓ તૈયાર હતા.

કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર વતી ઉપસ્થિત થયેલા વકીલોએ કહ્યું કે

કોર્ટે એ વાતની નોંધ લીધી હતી કે મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયમોમાં રાહત આપી છે.

કોર્ટે તમામ ફેક્ટરી માલિકોને આદેશ આપ્યો કે જે કામદારો કામ પર આવે એમને તેઓ પૂરો પગાર ચૂકવે અને જે લોકો એમની મરજીથી કામ પર હાજર થયા નથી એમનો પગાર કાપી શકો છો.

ફેક્ટરીમાલિકોએ એવો દાવો કર્યો હતો કે કારખાનાઓમાં કામ બંધ કરવું પડ્યું હોવાથી તેઓ કામદારોને પગાર ચૂકવી શકે એમ નથી. તે છતાં એમણે કામદારોને લઘુત્તમ 50 ટકા પગાર આપવાની તૈયારી બતાવી હતી.

ફેક્ટરીમાલિકોએ જજને જાણકારી આપી હતી કે સુપ્રીમ કોર્ટમાં આ મામલે કેસ ચાલે છે.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જજે કહ્યું કે હું ઈચ્છીશ કે માલિકો એમના એવા કામદારોને મહિનાનો પૂરો પગાર આપે, જેમણે કામ પર હાજર થવાની આવશ્યક્તા નથી, ભલે એમના પગારમાંથી કન્વેયન્સ અને ફૂડ અલાવન્સ કાપી લો.

કોર્ટે એવી નોંધ લીધી હતી કે રાજ્ય સરકારે અમુક ઔદ્યોગિક વિસ્તારોમાં લોકડાઉનના નિયંત્રણોમાં રાહત આપી છે તેથી કામદારોએ શિફ્ટના શેડ્યૂલ પ્રમાણે કામ પર હાજર થાય એવી આશા રાખી શકાય. જો કે એ શરતે કે માલિક દ્વારા એમને કોરોનાવાઈરસ રોગ સામે પર્યાપ્ત રક્ષણ આપવામાં આવે.

કોર્ટે કહ્યું કે, આમ છતાં જે કામદારો એમની મરજીથી કામ પર ગેરહાજર રહે છે એમનો પગાર કાપવાની માલિકોને છૂટ છે, જો કે એ માટે માલિકોએ કાયદાનુસાર પગલાં લેવાના રહેશે.

કોર્ટે આ કેસમાં ટ્રેડ યુનિયનો અને કામદારોના પ્રતિનિધિઓને હસ્તક્ષેપ પીટિશન નોંધાવવાની પણ છૂટ આપી છે અને કેસમાં વધુ સુનાવણી 18 મેએ યોજવાનું નક્કી કર્યું છે.

દક્ષિણ કોરિયા, સ્વીડનની કમાલઃ લોકડાઉન વગર કોરોના પર કાબૂ મેળવ્યો

સોલઃ દક્ષિણ કોરિયાની પશ્ચિમી સરહદ ચીનને અડીને હોવા છતાં આ દેશ કોરોના વાઈરસના ચેપથી મોટે ભાગે સુરક્ષિત રહી શક્યો છે. ખાસ કરીને અહીં આ વાઇરસને લીધે મૃત્યુદર ઓછો છે. આવો જ એક અન્ય દેશ સ્વીડન છે, જે વગર લોકડાઉને પડોશી દેશોની તુલનાએ ઘણો આગળ દેખાઈ રહ્યો છે. ચીનનો પડોશી દેશ હોવા છતાં દક્ષિણ કોરિયામાં ઇન્ફેક્શનના આંકડા અત્યાર સુધી 10,000 સીમિત છે. અહીં 250 જણના મોત થયાં છે.

બીજી બાજુ, સ્વીડન પણ અન્ય દેશોની તુલનાએ સારી કામગીરી કરી છે. અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા 21,520એ પહોંચી છે અને 2653 લોકોનાં મોત થયાં છે. આ દેશોએ કોરોના પર જીત મેળવી છે અને અહીં અન્ય દેશોની તુલનાએ સખ્તાઈભર્યું અને સંપૂર્ણ લોકડાઉન પણ લાગુ નથી કરાયું.

દક્ષિણ કોરિયાની કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટ 

સૌથી પહેલા દક્ષિણ કોરિયાની વાત કરીએ તો ફેબ્રુઆરીના અંતમાં એક દિવસમાં અહીં 900થી વધુ કેસ સામે આવ્યા હતા, પણ તે પછીના બે મહિનામાં એમાં ઝડપથી ઘટાડો થયો હતો. ગત્ સપ્તાહમાં અહીં કોરોના સંક્રમિતોની સંખ્યા સિંગલ ડિજિટ રહી ગઈ હતી. આ દરમ્યાન નેશનલ એસેમ્બલી માટે ચૂંટણી પણ યોજાઈ ગઈ. આ એક એવું પગલું હતું જે વિશે વિશ્વના મોટા ભાગના દેશો વિચારી પણ ના શકે, કેમ કે એવા દેશોની સંપૂર્ણ તાકાત લોકડાઉનનું પાલન કરાવવામાં અને કોરોના સંક્રમિતોની સારસંભાળમાં જ લગાડવામાં આવી હતી.

આટલી છૂટ પછી પણ દેશ સુરક્ષિત કેવી રીતે?

આ દેશમાં બાર, કેફે, દુકાનો અને બધી હોટલો ખૂલી છે. ટૂંક સમયમાં ચર્ચને ચાલુ રાખવા પર પણ લાગેલો પ્રતિબંધ પણ દૂર થવાનો છે. આ મહિનાથી દક્ષિણ કોરિયાની ફૂટબોલ અને બેઝબોલ ટીમો પણ રમવાનું શરૂ કરશે. આટલી છૂટ પછી પણ દેશ સુરક્ષિત કેવી રીતે? આનું કારણ એ છે કે દેશની સ્પષ્ટ નીતિ – જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, તપાસ અને સારવાર પર ભાર આપવામાં આવ્યો છે.

વળી આ પહેલાં ‘સાર્સ’ અને ‘મર્સ’ વાઈરસોથી પ્રભાવિત થઈ ચૂકેલા દક્ષિણ કોરિયાએ એમાંથી ઘણું શીખી લીધું છે. વર્ષ 2015માં ‘મર્સ’ને કારણે અહીં 38 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેને લીધે સરકાર પર ઘણા આરોપ પણ લાગ્યા હતા. આ બીમારીમાંથી શીખ લઈ ચૂકેલી સરકારે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને તપાસ પર વધુ ભાર મૂક્યો છે. કોરોના વાઇરસ ટાસ્ક ફોર્સ બનાવી, જેનો મંત્ર હતો- ટેસ્ટ, ટ્રેસ અને કન્ટેઇન. દેશમાં કોરોનાની તપાસ માટે 600 સેન્ટર બનાવાયા, જેમાં એક દિવસમાં 20,000 સુધી તપાસ થવા માંડી.

કોરિયન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન સતત બતાવી રહ્યું છે કે તમારી આસપાસ કોઈ સંદિગ્ધ છે. આનાથી લોકો સતર્ક રહ્યા અને અહીં સુધી કે કોઈ સંક્રમિતના સંપર્કમાં આવી ચૂકેલા લોકો પોતે આગળ આવીને ટેસ્ટિંગ કરવા સેન્ટર પહોંચવા માંડ્યા. દેશના લોકોની જાગરુકતાએ પણ કોરોનાથી જીત મેળવવાનું એક કારણ છે. આ સાથે દક્ષિણ કોરિયાની હેલ્થકેર સિસ્ટમ પણ ઘણી સારી છે.

ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ભાર

હવે સ્વીડન વાત કરીએ તો આ દેશે અન્ય યુરોપિયન દેશોના લોકડાઉનને નથી અપનાવ્યું. તેમ છતાં અહીં કોરોના સંક્રમણ અને મોતનો આંકડો ઓછો છે. 28 માર્ચે 2000 સ્વિડિશ સંશોધકોએ એક પિટિશન પર હસ્તાક્ષર કર્યા હતા. આ સંશોધકોએ WHOની ભલામણો પર કામ કરવાનું જલદી શરૂ કર્યું હતું. આ દેશે ટેસ્ટિંગ અને સારવાર પર વધુ ભાર મૂક્યો હતો.

સ્વીડનની હેલ્થકેર સિસ્ટમ વગર લોકડાઉને પણ કોરોના દર્દીઓની દેખરેખ કરી શકે છે. અહીં સિનિયર સિટિઝનોની સંભાળ લેવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો હતો.

સ્વીડનમાં લોકડાઉન નહીં, સતત ટેસ્ટિંગ

સ્વીડને કોરોના પર જીત હાંસલ કરી લીધી છે, એ કહે છે કે અમે લોકડાઉન નથી કર્યું, પણ બધા વેપાર પહેલાંની જેમ ચાલી રહ્યા છે, એવું નથી, અમે સતત ટેસ્ટિંગ કરી રહ્યા છે. હાલ સ્વીડનમાં રેસ્ટોરાં-બાર, સલૂન અને કેટલીક સ્કૂલો પણ ચાલુ છે. જોકે 50થી વધુ લોકોના એકત્ર થવા પર મનાઈ છે.

ઈરફાન ખાન, રિશી કપૂરને અમૂલની હૃદયસ્પર્શી શ્રદ્ધાંજલિ

મુંબઈઃ ભારતે 24 કલાકના સમયની અંદર બે દિગ્ગજ ફિલ્મ અભિનેતા – ઈરફાન ખાન અને રિશી કપૂરને ગુમાવી દીધા. આ બંને અભિનેતાના નિધને માત્ર દેશભરમાં જ નહીં, વિદેશમાં વસતા આ બંને અભિનેતાના પ્રશંસકોને પણ આંચકો આપ્યો છે. દુનિયાભરમાંથી શોકસંદેશાઓનો ઠલવાઈ રહ્યા છે. બંને અભિનેતાનું મુંબઈમાં અવસાન થયું છે.

ભારતમાં સહકારી દૂધ ઉત્પાદન ઉદ્યોગની અગ્રગણ્ય કંપની અમૂલ સાંપ્રત ઘટનાઓ પર આધારિત તેની રસપ્રદ જાહેરખબરો માટે જાણીતી છે.

અમૂલે આ વખતે તેની અત્યાર સુધીની સૌથી વધુ હૃદયસ્પર્શી એડ-ટોપિકલ આ વખતે રિલીઝ કરી છે જેમાં તેણે ઈરફાન અને રિશીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

આ છે એ બંને જાહેરખબરના ટ્વીટ…

53 વર્ષીય ઈરફાન ખાને ગયા બુધવારે સવારે (29 એપ્રિલ, 2020)ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા. આંતરડામાં ઈન્ફેક્શન લાગવાથી એમને અંધેરી (વેસ્ટ)ની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એમને દુર્લભ એવું ન્યુરોએન્ડોક્રાઈન ટ્યૂમર કેન્સર થયું હતું.

હજી બધા ઈરફાન ખાનને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં હતાં ત્યાં બીજા જ દિવસની સવારે રિશી કપૂરના નિધનના આઘાતજનક સમાચાર આવ્યા હતા. રિશીને બ્લડ કેન્સર થયું હતું.

એમણે 30 એપ્રિલના ગુરુવારે સવારે 8.45 વાગ્યે દક્ષિણ મુંબઈના ચર્ની રોડસ્થિત સર હરકીસનદાસ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં આખરી શ્વાસ લીધો હતો.

ઈરફાન અને રિશી, બંનેને બે વર્ષથી કેન્સરની બીમારી હતી. ઈરફાને લંડનમાં જઈને અને રિશીએ ન્યૂયોર્કમાં જઈને સારવાર કરાવી હતી.

બંને અભિનેતાએ D-Day ફિલ્મમાં સાથે કામ પણ કર્યું હતું.

ઈરફાનના પરિવારમાં એમના પત્ની અને બે પુત્ર છે, જ્યારે રિશીના પરિવારમાં એમના અભિનેત્રી પત્ની નીતૂ કપૂર, પુત્ર રણબીર અને પુત્રી રિધીમા કપૂર-સાહની છે.

મોતની અટકળો વચ્ચે પહેલી વાર જાહેરમાં આવ્યા કિમ જોંગ ઉન

સોલઃ ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના આરોગ્યને લઈને છેલ્લા એક મહિનાથી અટકળોનો દોર જારી હતો. તેમના વિશેના સારામાઠા અહેવાલોની વચ્ચે શુક્રવારે કિમ જોંગ પહેલી વાર જાહેરમાં એક ફર્ટિલાઇઝર ફેક્ટરીનું ઉદઘાટન કરતા સામે આવ્યા હતા. ન્યૂઝ એજન્સી KCNAના અહેવાલ મુજબ કિમ શુક્રવારે પાટનગર પ્યોંગયાંગની નજીક સુનચોનમાં એક જાહેર કાર્યક્રમમાં આવ્યા હતા.

કિમ જોંગે ફેક્ટરીની મુલાકાત લીધી

કોરિયાની કેન્દ્રીય એજન્સીના જણાવ્યા મુજબ કિમ હવે જ્યારે આ કાર્યક્રમમાં સામેલ થયા ત્યારે બધા લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેમણે ફેક્ટરીની મુલાકાત લીધી હતી અને ઉત્પાદન પ્રક્રિયા વિશે માહિતી મેળવી હતી. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કિમે કહ્યું હતું કે જો તેમના દાદા અને પિતાએ આ સમાચાર સાંભળ્યા હોત કે આધુનિક ફોસ્ફેટિક ફર્ટિલાઇઝર ફેક્ટરી બનીને તૈયાર થઈ ગઈ તો તેઓ બહુ ખુશ થયા હોત.

કિમ જોંગ ઉનની મોતની અટકળો

કિમ જોંગ ઉન 15 એપ્રિલે તેમના દાદાના જન્મદિવસના સમારોહમાં સામેલ નહોતા થયા, એ પછી તેમના સ્વાસ્થ્યને લઈને જાતજાતના તર્ક-વિતર્કના અહેવાલો સામે આવી રહ્યા હતા. કેટલાક અહેવાલોમાં તો તેમના મોતની આશંકા પણ દર્શાવવામાં આવી હતી.

આ પહેલાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનના ટોચના સુરક્ષા સલાહકાર મૂન ચુંગ-ઇને કિમના સ્વાસ્થ્યની લઈને આવી રહેલી અફવાઓ વચ્ચે દાવો કર્યો હતો કે કિમ જોંગ ઉન જીવિત થે અને સ્વસ્થ છે. એ અધિકારીએ કહ્યું હતું કે 13 એપ્રિલથી કિમ વોનસાનમાં રહી રહ્યા છે.

કિમ જોંગના મોતની અફવા

એક ઓનલાઇન ન્યૂઝપેપરે ડેલી એનકેના ન્યૂઝમાં કહેવામાં આવ્યું હતું કે કિમ 12 એપ્રિલે કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ (હ્દય સંબંધી ઓપરેશન) પ્રક્રિયામાંથી પસાર થયા છે. આ અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે વધુપડતું સ્મોકિંગ, ઓબેસિટી અને કામના ભારણને કારણે તેમની આ સારવાર કરવામાં આવી છે.

‘ચિત્રલેખા’ને વિશેષ મુલાકાતમાં CM વિજય રૂપાણીએ કહ્યું, ‘લોકડાઉન ઉઠાવવાનું તબક્કાવાર વિચારાશે’

વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો પદભાર સંભાળ્યો તે પછી એમના શાસનકાળમાં કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવામાંથી રાજ્યને બચાવવાનો સૌથી મોટો પડકાર આવી પડ્યો છે.

આ મહાબીમારીને રોકવામાં સરકાર કઈ કામગીરીઓ હાથ ધરી રહી છે અને એણે કયા નિર્ણયો લીધા એ વિશે રૂપાણીએ ‘ચિત્રલેખા’ સાથેની વિશેષ વિડિયો મુલાકાતમાં જણાવ્યું છે. જુઓ…

‘ચિત્રલેખા’ના તાજા ઈ-આવૃત્તિ અંકમાં પ્રકાશિત રૂપાણીની મુલાકાત વિગતવાર વાંચવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…

http://chitralekha.com/vijayrupani.pdf

Exclusive chat with Gujarat Chief Minister Vijaybhai Rupani

Stay connected with chitralekha.com during lockdown.
Exclusive chat with Gujarat Chief Minister Vijaybhai Rupani.

ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 37,000ને પાર; 1,218નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 1,218 લોકોનાં મોત થયાં છે, જ્યારે આ વાઇરસના ચેપનો શિકાર બનેલા લોકોની સંખ્યા 37,336ની થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,293 નવા કેસ સામે આવ્યા છે અને 71 લોકોનાં મોત થયાં છે. છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસો સામે આવ્યા છે. થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાં થી અત્યાર સુધી 9951 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 26.64 ટકા છે. કોરોના સંક્રમણ વધુ ના ફેલાય એ માટે દેશભરમાં લોકડાઉનને 17 મે સુધી વધારવામાં આવ્યું છે.

દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધી 61નાં મોત

રાજધાની દિલ્હીમાં આ વાઇરસના સંક્રમણના મામલા વધીને 3738 થઈ ગયા છે. પાછલા 24 કલાકમાં અહીં 223 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે બે દર્દીઓનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં 73 દર્દીઓ સ્વસ્થ થયા છે.  એની સાથે અહીં કુલ 1167 લોકો આ વાઇરસમાંથી સ્વસ્થ થયા છે. દિલ્હીમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 61 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33 લાખને પાર

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 33,43,856 થઈ ગઈ છે. આ વાઇરસથી અત્યાર સુધીમાં 2,38,645 લોકોનાં મોત થયાં છે. થોડી રાહતની વાત એ છે કે આ બીમારીમાંથી 10,53,271 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે.

દેશમાં કોરોના વાઇરસના કેસોની રાજ્યવાર સ્થિતિ આ મુજબ રહી હતી.

વાહ ભાઈ વાહ! ૨ મે, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨ મે, ૨૦૨૦

સુવિચાર – ૨ મે, ૨૦૨૦

સુવિચાર – ૨ મે, ૨૦૨૦

કૃષિ બજારનું ખાનગીકરણ; દેશમાં પહેલી જ વાર, મધ્ય પ્રદેશમાં

ભોપાલઃ મધ્ય પ્રદેશના ખેડૂતો હવે પોતાની કૃષિ ઊપજ વધુ સ્પર્ધાત્મક ભાવે વેચી શકે છે અને એ પણ મંડી (બજાર)માં ગયા વિના. રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી છે કે નિકાસકારો, વેપારીઓ, ફૂડ પ્રોસેસર વગેરે ખાનગી મંડી શરૂ કરી શકે છે અને ખેડૂતની જમીન અથવા ઘરની મુલાકાત લઈને કૃષિ પેદાશોની ખરીદી કરી શકે છે. મંડીના નિયમોમાં સુધારો કરવાનો ઉદ્દેશ એ છે કે ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વધુ સારા ભાવે વેચવાની સ્વતંત્રતા આપવામાં આવે અને પોતાની પસંદગી પ્રમાણે ખેડૂત કૃષિ પેદાશોની લે-વેચ કરી શકે. મુખ્ય પ્રધાને આ પગલાને ક્રાંતિકારી ગણાવતાં ખેડૂતો માટે  લાભકારક અને પ્રગતિશીલ ગણાવ્યું હતું. વળી ખાનગી મંડીઓ સામાન્ય મંડીની જેમ કાર્યરત રહી શકશે.

દેશમાં આવો નિર્ણય લેનાર મધ્ય પ્રદેશ પહેલું જ રાજ્ય બન્યું છે.

રાજ્ય સરકારનો વટહુકમ

રાજ્ય સરકારે મધ્ય પ્રદેશ કૃષિ ઊપજ (એમેન્ડમેન્ટ) એક્ટ, 2020 નામનો વટહુકમ બહાર પાડ્યો છે, જે દ્વારા ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ, નિકાસકારો અને જથ્થાબંધ વેપારીઓ ખેડૂતો પાસેથી મંડીમાં ઊપજ લાવ્યા વિના ખેતરમાંથી કે ખેડૂતના ઘરઆંગણેથી સીધી વેચાણ માટે ખરીદી શકશે.

મંડી ફી પણ માત્ર એક જ જગ્યાએ લેવાશે

મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે જણાવ્યું હતું કે એક જ લાઇસન્સ હશે જેના પર ખાનગી મંડીમાં રાજ્યભરમાંથી કૃષિ પેદાશો ખરીદી શકાશે છે અને મંડી ફી પણ માત્ર એક જ જગ્યાએ લેવામાં આવશે. આ ઉપરાંત રાજ્યએ એક ઇ-ટ્રેડિંગ સુવિધા શરૂ કરવાનું પણ નક્કી કર્યું છે, જેનાથી રાજ્યોના ખેડૂતોને દેશભરમાં અન્ય કોઈ પણ વેપારી સંસ્થા સાથે વેપાર કરી શકશે.

છેલ્લાં કેટલાંક સપ્તાહમાં દેશનાં અન્ય કેટલાંક રાજ્યોએ પણ એમને ત્યાંના ખેડૂતો માટે મંડીમાં ગયા વગર તેમની કૃષિ પેદાશોનું સીધું વેચાણ કરી શકે એ માટેના પગલાં લીધાં છે.