નવી દિલ્હી: લોકડાઉનને પગલે આશરે 2 મહીના સુધી દેશમાં ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ રહ્યા બાદ આજથી ફરી રાબેતામુજબ થઇ છે. દેશમાં કોરોના વાઈરસના સંક્રમણને લઇને માર્ચ મહિનાના અંતથી લૉકડાઉન લાગૂ કર્યું છે. ત્યારબાદ કેટલાય લોકો એવા છે જેને પોતાના પરિવારથી દૂર રહેવાનો વારો આવ્યો હતો.
હાલ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. આવી જ એક ફ્લાઈટ દિલ્હીથી બેંગ્લુરુ પહોંચી. જેમાં વિહાન નામનો 5 વર્ષનો એક છોકરો પણ બેસીને આવ્યો. 5 વર્ષનો વિહાન દિલ્હીથી એકલો બેંગ્લુરુ આવ્યો. એરપોર્ટ પર લેવા માટે તેની માતા પહોંચી હતી. ફ્લાઈટના સ્ટાફે સુરક્ષિત રીતે તેને તેની માતા પાસે પહોંચાડ્યો.
વિહાન દિલ્હીમાં પોતાના દાદા-દાદીના ઘરે આવ્યો હતો અને લોકડાઉનના કારણે 2 મહિના સુધી દિલ્હીમાં જ ફસાઇ ગયો હતો. ત્યારે વિશેષ શ્રેણીની યાત્રા કરી અને વિહાન દિલ્હીથી બેંગ્લુરુ એકલો જ આવ્યો. એરપોર્ટ પર પહોંચતા જ ફ્લાઈટ અટેન્ડન્ટે બાળકને તેની માતાને સોંપ્યો. દીકરાને જોતા જ માતા ભાવુક થઈ ગઈ. પરંતુ પૂરતી સાવચેતી રાખતાં તેને તેને ગળે લગાવી શકી નહીં.
મહત્વનું છે કે, સવારે 9 વાગ્યા સુધી બે ફ્લાઇટ્સ બેંગ્લુરુ એરપોર્ટ પર આવી હતી જ્યારે 17 ફ્લાઇટ્સ અહીંથી રવાના થઈ હતી. તો આ સાથે જ 9 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે.
નવી દિલ્હીઃ દેશમાં દરરોજ કોરોનાની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ હાલત છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ છે. જ્યારે 60,491 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોનાં મોત થયાં છે. કોરોનાને લીધે અત્યાર સુધી દેશમાં 4167 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 41.60 ટકા થયો છે.
લોકડાઉનની છૂટનાં પરિણામો સામે આવી રહ્યાં છે
લોકડાઉનની શરતોમાં છૂટછાટનાં પરિણામો સામો આવવાં લાગ્યાં છે. પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. ગ્રીન ઝોનમાં પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચેન્નઈથી પરત ફરેલા ત્રણ લોકોને નાગાલેન્ડમાં સંક્રમિત થયા હતા.
વિશ્વમાં કોરોના વાઇરસના 54 લાખથી વધુ કેસ
વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 54 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાઇરસે અત્યાર સુધીમાં 3.45 લાખ લોકોનાં મોત થયાં છે. વિશ્વભરમાં કોરોનાના 29,14,122 લોકોના સક્રિય કેસ છે. અમેરિકામાં કોરોના વાઇરસથી 98,000થી વધુ લોકોનાં મોત થયાં છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
નવી દિલ્હીઃદેશમાં કોરોના સંકટ કાળની વચ્ચે ગઈ કાલથી સ્થાનિક હવાઈ સેવાને મંજૂરી આપવામાં આવી હતી. જોકે રાજ્યોના નિયમોને કારણે કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો. સિવિલ એવિયેશન મંત્રાલયે સ્થાનિક ચાર્ટર્ડ ફ્લાઇટ્સને પણ મંજૂરી આપી દીધી છે. મંત્રાલયનું કહેવું છે કે ફિક્સ્ડ વિંગ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને માઇક્રો લાઇટ એરક્રાફ્ટની બધી નોન શિડ્યુલ્ડ અને ખાનગી ઓપરેટર કામગીરી શરૂ કરી શકે છે. આ સંબંધમાં મંત્રાલયે દિશા-નિર્દેશ જારી કર્યા છે.
આ દિશા-નિર્દેશ મુજબ જો કોઈ વ્યક્તિગતરૂપે ચાર્ટર્ડ હેલિકોપ્ટર માટે ટિકિટ બુક કરે છે તો સેનિટાઇઝેશનથી સંકળાયેલા બધા નિયમોનું પાલન કરતાં હેલિપેડ અથવા હેલિપોર્ટ પર મિનિમમ કોન્ટેક્ટની સાતે બોર્ડિંગ પાસ જારી કરવામાં આવશે. પ્રવાસીએ રવાના થવાના 45 મિનિટ પહેલાં એરપોર્ટ, હેલિપેડ અથવા હેલિપોર્ટ પર પહોંચી જવું પડશે. સિનિયર સિટિઝન, ગર્ભવતી મહિલાઓ અને બીમાર લોકોને હવાઈ સેવાથી બચવાની સલાહ આપવામાં આવી છે.
જોકે એર એમ્બ્યુલન્સને મામલે એવી કોઈ જોગવાઈ નથી કરવામાં આવી. DGCA દ્વારા શિડ્યુલ્ડ ઘરેલિ પ્રવાસી ફ્લાઇટ્સ માટે ભાડા પર લગાવેલી મર્યાદા ચાર્ટર્ડ ફ્લાઇટ માટે માન્ય નહીં હોય. એનું ભાડું ઓપરેટર અને પ્રવાસીની વચ્ચે આપસી સહમતીથી નક્કી થશે. સેનિટાઇઝેશન, માસ્ક અને આરોગ્ય સેતુ એપથી સંકળાયેલી અન્ય શરતો લગભગ સરખી રહેશે, જેવી શિડ્યુલ્ડ ઘરેલુ પ્રવાસી ફ્લાઇટ્સ માટે છે.
રાજ્યોના વલણને કારણે અડધાથી વધુ ફ્લાઇટ્સ રદ
ગઈ કાલથી આંતરરાજ્ય હવાઈ સેવા શરૂ થઈ હતી. જોકે રાજ્યોના અક્કડ વલણને કારણે અડધાથી વધુ ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. રાજ્યોના પ્રવાસીઓ માટેના અલગ-અલગ ક્વોરોન્ટાઇનાના નિયમોને લીધે અસમંજસભરી સ્થિતિ જોવા મળી હતી.
આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવા માટેની તક મળી શકે છે ,યાત્રા -પ્રવાસ દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે નવીજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.
આજે થોડી ધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પોરવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામના કરવા.
આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથ સહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે, ધાર્મિકભાવના સારી રહી શકે.
આજે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચનને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું.
આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને સત્કર્મ કરવાની ભાવના જાગે તેવું બની શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છો, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિકબાબતમાં સારું યોગદાન આપવાની ખુશી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, રાબેતામુજબ દિવસ પસાર થાય, કોઈજગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈબહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બને છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ મળી શકે છે.
આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સંભાળવીના ગમે અને તમે થોડીશાંતિની અપેક્ષા રાખો, વધુપડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, ભક્તિમાં મન પરોવવું સારું.
આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય, તમારી લાગણી અને વિચારો લોકો સારીરીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ સારો પ્રતિભાવ આજે અથવા ભવિષ્યમાં પણ મળે.
આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારીવાત સંભાળવા મળે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય, ધાર્મિકસ્થળની મુલાકાતથી શાંતિ અનુભવાય.
આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામપરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોય તો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે અને તેમાં યોગ્ય સહકાર પણ મળે.
આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટોનિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમેને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના અને લોકડાઉનને ધ્યાનમાં રાખતા સરકારે મોટી રાહત આપી છે. કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ સંબંધિત દસ્તાવેજોની અંતિમ તારીખ 31 જુલાઈ સુધી વધારી દીધી છે. મંત્રાલયની તરફથી કરવામાં આવેલ સત્તાવાર જાહેરાત અનુસાર, આ વર્ષે 1 ફેબ્રુઆરીથી જે વાહનોના દસ્તાવેજોનું નવીનીકરણ બાકી છે, તેમની માન્યતા 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી છે. એટલે કે, આ સમયગાળા દરમિયાન નવીનીકરણ કરાવવા પર કોઈ પણ પેનલ્ટી કે લેટ ફી લેવામાં આવશે નહીં.
અગાઉ 30 માર્ચ 2020 મોટર વ્હીકલ એક્ટ, 1988 અને સેન્ટ્રલ મોટર વ્હીકલ રુલ્સ, 1989 અંતર્ગત જરૂરી ડોક્યુમેન્ટની ડેડલાઈનને 30 જૂન સુધી વધારી દેવામાં આવી હતી.
આ સુવિધા તે વાહન ચાલકો માટે હશે, જેમણે 1 ફેબ્રુઆરીના રોજ અથવા તે પછી ડોક્યુમેન્ટના નવીનીકરણ માટેની ફી ચૂકવી છે, પરંતુ કોરોનાવાઈરસના કારણે દસ્તાવેજોનું નવીનીકરણ થઈ શક્યું નથી. મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, જે ડોક્યુમેન્ટનો સમયગાળો પૂરો થઈ ગયો હતો પરંતુ લોકડાઉનના કારણે રિન્યુઅલ નથી થઈ શક્યા તેને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કોલકાતાઃ કોવિડ-19ના સંક્રમણને લીધે દેશભરમાં જાહેર થયેલા લોકડાઉનને કારણે ચાના બગીચામાં ઉત્પાદન કાર્ય ખોરંભે ચઢી ગયું હતું. ઉદ્યોગના અનુસાર લોકડાઉનને કારણે દેશમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો થવાને કારણે એના પડતર ખર્ચમાં રૂ. 60થી રૂ. 70નો વધારો થયો છે. આમ એક બાજુ પડતર ખર્ચમાં વધારો થયો છે અને બીજી બાજુ ચાના વેચાણમાં ધરખમ ઘટાડો થયો છે.
વાર્ષિક ઉત્પાદન 1300 મિલિયન કિલોગ્રામ
ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટી ટ્રેડર્સ એસોસિયેશન (FAITTA)ના ચેરમેન વીરેન શાહે કહ્યું છે કે દેશમાં ચાનું વાર્ષિક ઉત્પાદન આશરે 1300 મિલિયન કિલોગ્રામ (130 કરોડ કિલોગ્રામ) છે. લોકડાઉનને પગલે ચા બગીચામાં ઓછા મજૂરો કાર્યરત રહ્યા હતા, જેનાથી માર્ચ, એપ્રિલ અને મેમાં ઉત્પાદનમાં ભારે ઘટાડો થયો હતો. આને લીધે 2020 વર્ષમાં ચાના ઉત્પાદનમાં 80 મિલિયન (800 કિલો)નો ઘટાડો થવાનો અંદાજ છે. જેથી ઉદ્યોગને આશરે રૂ. 2000 કરોડનું નુકસાન થશે. ફેડરેશને દેશમાં ચાનું ઉત્પાદન, પુરવઠો અને ચાની માગમાં લોકડાઉનની પ્રતિકૂળ અસરોનું વિસ્તૃત મૂલ્યાંકન કર્યું છે.
દેશમાં ચાનું વાર્ષિક વેચાણ 108 કરોડ કિલોગ્રામ
દેશમાં એક વર્ષમાં ચાનું વેચાણ આશરે 108 કરોડ કિલોગ્રામ છે, એટલે કે ચાનું માસિક વેચાણ 900 લાખ કિલોગ્રામ છે. ચાના સ્ટોલ, રેસ્ટોરાં, કેફે, હોટલ અને ઉદ્યોગોમાં ચાનું વેચાણ આશરે 40 ટકા છે, એટલે કે 360 લાખ કિલોગ્રામ ચા પીવાય છે. લોકડાઉનને કારણે ચાના વેચાણમાં 700 લાખ કિલોગ્રામથી વધુનો ઘટાડો નોંધાયો છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉન દરમ્યાન ઘરેલુ વેચાણ વધ્યું હશે, પરંતુ બહારના વેચાણમાં ઘટાડાની ભરપાઈ માટે આ પર્યાપ્ત નથી.
ચાની કિંમતોમાં વધારો થશે
ફેડરેશને કહ્યું હતું કે વર્તમાન સ્થિતિને કારણે ચાની કિંમતો પાછલા વર્ષની તુલનાએ વધે એવી શક્યતા છે, પણ ફાર્મ ગેટ કિંમત (ઉત્પાદનની પડતર કિંમત)માં પ્રતિ કિલો રૂ. 60-70નો સરેરાશ વધારો વાસ્તવિક માગ અને પુરવઠાને પ્રતિબિંબિત નથી કરતો.
પડતર ખર્ચ વધ્યો અને વેચાણ ઘટ્યું
ફેડરેશને કહ્યું હતું કે ચાના ઉત્પાદનનો પડતર ખર્ચ વધ્યો છે, પણ દેશમાં લોકડાઉનને પગલે ચાના વેચાણમાં ઘટાડો થયો છે. ચાના બગીચામાં મજૂરોની ખેંચ સર્જાતાં ચાની પડતર કિંમતમાં વધારો થયો છે., જેથી ચાના પેકર્સ અને રિટેલ વિક્રેતાઓ માટે મોટી મુશ્કેલી સર્જાઈ છે. શાહે કહ્યું છે કે દેશમાં ચા રાષ્ટ્રીય પીણું છે, પણ લોકોની આર્થિક મુસીબતોમાં વધારો થયા ચાના પડતર ખર્ચમાં થયેલો વધારો ભરપાઈ કરવો મુશ્કેલ છે, કેમ કે જો કિંમતો વધશે તો માગમાં ઘટાડો થવાની શક્યતા છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું છે કે જો ભારત તેમના દેશની સામે કોઈ દુઃસાહસ કરશે તો પાકિસ્તાન એનો જડબાતોડ જવાબ આપશે. આ પહેલાં પણ સંયુક્ત રાષ્ટ્રમાં જમ્મુ-કાશ્મીરનો મુદ્દો પૂરી તાકાતથી ઉઠાવી ચૂક્યું છે. હાલમાં તેમણે નવા રચાયેલા રાજ્યમાં ડોમિસાઇલ નિયમોને લઈને ભારતની સાથે દુષ્પ્રચાર કર્યો હતો. ગુપ્ત સૂત્રોના ઇનપુટ્સના જણાવ્યા મુજબ પાકિસ્તાન કોરોના સંક્રમણના દોરમાં પણ ભારતની સામે ષડયંત્રો રચવાથી ઊંચું નથી આવતું.
કુરેશીએ ગઈ કાલે કહ્યું હતું કે પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે, પણ એની સંયમની નીતિને નબળાઈના રૂપેના લેવાવી જોઈએ. સરકારી રેડિયો પાકિસ્તાને કુરેશીને ક્વોટ કરતાં કહ્યું હતું કે જો ભારત પાકિસ્તાનની સાને કોઈ પણ દુઃસાહસ કરશે તો એનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. કુરેશીએ કહ્યું હતું કે કાશ્મીરમાં કથિત માનવાધિકારોના ઉલ્લંઘન પ્રતિ ધ્યાન ખેંચવા માટે તેમણે સંયુક્ત રાષ્ટ્રકના મહાસચિવ ઇસ્લામિક સહયોગ સંગઠનથી સંપર્ક કર્યો હતો. પ્રધાને કહ્યું હતું કે તેમણે બે વૈશ્વિક સંગઠનોના પ્રમુખોને ભારત પોતાની આંતરિક પરિસ્થિતિઓથી ગેરમાર્ગે દોરવા માટે પાકિસ્તાનની સામે છદ્મ અભિયાન ચલાવી શકે છે.
પાછલા કેટલાક દિવસોમાં ભારત દ્વારા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર દાવો માંડવાથી પાકિસ્તાન બગવાઈ ગયું છે. પાકિસ્તાન એટલે સુધી ગભરાયેલું છે કે એણે ઓર્ગેનાઇઝેશન કો-ઓપરેશન (CIC)ની મીટિંગમાં તેણે બારત પર ઇસ્લામોફોબિયાનો આરોપ લગાવતાં કાર્યવાહી કરવાની માગ પણ કરી દીધી હતી. કુરેશીએ કહ્યું હતું કે તેમણે સંયુક્ત રાષ્ટ્ર ઓર્ગેનાઇઝેશન કોઓપરેશનના મહા સચિવોનું ધ્યાન કાશ્મીરમાં માનવાધિકારોના ઉલ્લંઘન તરફ ખેંચ્યું હતું. તેમણે બંને અધ્યક્ષોને જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન સામે ખોટું અભિયાન ચલાવી રહ્યું છે. જેથી તેની આંતરિક સ્થિતિથી વિશ્વનું ધ્યાન બીજે દોરવાય.
ગાંધીનગર: ઘરેલુ વિમાની સેવા, ટ્રેન કે બસ દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા જે પ્રવાસીઓમાં કોરોનાના કોઈ જ લક્ષણો નહીં હોય તેવા લોકો સીધા જ પોતાના ઘરે જઈ શકશે. જોકે, આ મુસાફરોએ 14 દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવાનું રહેશે. એ દરમિયાન જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. અથવા તો રાજ્ય કે રાષ્ટ્રીય હેલ્પલાઇન 104 કે 1075 પર સંપર્ક કરવાનો રહેશે.
રાજ્યના આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ આ અંગે જણાવ્યું હતું કે, કોઈ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને તરત જ વધુ તપાસણી હાથ ધરવામાં આવશે.
જે પેસેન્જર્સને સામાન્ય અથવા તો ગંભીર સિમ્પ્ટમ્સ દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. જે પેસેન્જરોને હળવા સિમ્પ્ટમ્સ જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ આપવામાં આવશે. સરકારી કે ખાનગી ક્વૉરેન્ટાઈન પછી ICMR ના પ્રોટોકોલ મુજબ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આઈસોલેશનના સમયગાળા દરમિયાન આવા પેસેન્જરો જો પોઝિટિવ જણાશે તો તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે.
મુસાફરી દરમિયાન દરેક પેસેન્જરે માસ્ક પહેરવાનો રહેશે અને આરોગ્યના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશન કે બસ ટર્મિનસ પર સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે. એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલને નિયમિત રીતે સેનિટાઇઝ કરવાના રહેશે. તથા જરૂરી સાબુ તથા સેનિટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. તમામ પેસેન્જરો માટે વિમાની મથક, રેલ્વે સ્ટેશન કે બસડેપોની બહાર નીકળતા સમયે થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવાની રહેશે. દરેક પેસેન્જરે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ફરજિયાત પણે ડાઉનલોડ કરવાની રહેશે.
નવી દિલ્હીઃ વૈશ્વિક કોરોના વાઇરસ રોગચાળાના સંક્રમણે અટકાવવા માટે કેન્દ્ર સરકારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓને વર્ક ફ્રોમની સુવિધા આપી છે. આમાં ઘણા એવા કર્મચારીઓ છે, જે આઉટસોર્સ પોલિસી હેઠળ વિવિધ કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં કામ કરે છે. કોરોના સંક્રમણથી બચવા માટે તેઓ પણ અન્ય કર્મચારીઓની જેમ પોતાના ઘરેથી કામ કરતા રહેશે.
વર્ક ફ્રોમ હોમમાં પગાર મળશે કે નહીં?
જોકે શરૂમાં એ સ્પષ્ટ નહોતું કે તેમને લોકડાઉન સમયગાળા દરમિયાન વર્ક ફ્રોમનો પગાર મળશે કે નહીં? આવામાં કર્મચારીઓ ચિંતિત હતા કે તેમને પગાર નહીં મળે. હવે નાણાં મંત્રાલયના એક્સપેન્ડિચર વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આઉટસોર્સ કર્મચારીઓને લોકડાઉન સમયગાળામાં ઓન ડ્યૂટી માનવામાં આવશે. સ્થાયી કર્મચારીઓની જેમ તેમને પણ પગાર મળશે.
23 માર્ચે જે ગાઇડલાઇન જારી કરવામાં આવી હતી- એના હેઠળ કેન્દ્ર સરકારનાં મંત્રાલયો, વિભાગો, સંગઠનો, સ્વાયત્ત શાખાઓને વર્ક ફ્રોમ હોમ માટે સત્તાવાર કરવામાં આવ્યાં હતાં. આવા વિભાગોમાં ઘણાબધા એવા કર્મચારીઓમાં પણ હતા, જે આઉટસોર્સ પોલિસી અંતર્ગત કામ કરી રહ્યા હતા. હાલના સમયમાં પણ એવા કર્મચારીઓ કોરોનાથી બચવા માટે પોતાના ઘરે રહે છે.
હંગામી કર્મચારીઓને હૈયાધારણ
આવા કર્મચારીઓને ઓફિસ પાસેથી જે કામ મળે છે. એને તેઓ ઘરેથી જ પતાવી દે છે. જોકે આ પહેલાં આવો કોઈ સ્પષ્ટ આદેશ નહોતો કે લોકડાઉનમાં આ કર્મચારીઓને પગાર કે ભથ્થાં મળશે કે નહીં. 22 મેએ નાણા મંત્રાલયના ખર્ચ વિભાગે એક આદેશ જારી કરીને આવા બધા હંગામી કર્મચારીઓને હૈયાધારણ આપી હતી કે તેમને લોકડાઉન સમયગાળામાં ઓન ડ્યૂટી માનવામાં આવશે. તેમના માટે જે પણ પગાર-ભથ્થાં નક્કી કરવામાં આવ્યાં છે, એ તેમને મળશે.
નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે સરહદ પર તણાવભરી સ્થિતિ છે. છેલ્લા એક સપ્તાહમાં ચીની સૈનિકો દ્વારા ભારતીય સૈનિકો પર હુમલો કરવાના અહેવાલ આવી રહ્યા છે. જેનું ભારતીય સેનાએ ખંડન કર્યું છે. સેના તરફથી કહેવામાં આવ્યું છે કે, ચીન તરફથી ભારતીય જવાનોની અટકાયત કરવામાં આવી નથી.
ભારત-ચીન વચ્ચે હાલ ચાલી રહેલો વિવાદ લડાખના બે વિસ્તારો ગલવાન ઘાટી અને બીજું ફિંગર 4માં છે. અહીં 9-10 મે થી સ્થિતિ તણાવભરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર 1000થી 1200 જવાનો બંને તરફ તૈનાત છે. તણાવને લઈને બંને દેશોના બ્રિગેડ કમાન્ડર એકબીજાના સંપર્કમાં છે. તો રાજકીય સ્તર પર પણ મામલાનો ઉકેલ લાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. બંને દેશોને માન્ય હોય તેવું સમાધાન શોધવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે, 2013થી સરહદ પર આ પ્રકારના વિવાદો ચાલી રહ્યો છે.
સૂત્રો મુજબ સેટેલાઇટ ઇમેજ અને ગુપ્ત વિભાગની જાણકારીથી સામે આવ્યું છે કે, ચીને ગલવા નદીની પાસે ભારતીય પેટ્રોલિંગ વિસ્તાર નજીક સૈનિકોને લાવવા લઈ જવા તેમજ સામાનની સપ્લાઇ માટે ઘણા રસ્તાનું નિર્માણ કર્યું છે.
મહત્વનું છે કે, લગભગ 6 વખત આ પ્રકારના મોટા વિવાદો થયા છે. જેમાં દેપસાંગ, ચુમાર, પેગોંગ, ડોકલામ અને નાકુલાનો સમાવેશ થાય છે. દર વખતે વિવાદ સ્થાનિક મુદ્દાઓને લઈને થાય છે પણ તેની પાછળનું સાચુ કારણ એ છે કે, ચીન ઈચ્છે છે કે, અહીં કોઈ ગતિવિધિ ન થાય જેમ કે ભારત રસ્તાઓ ન બનાવે, માળખાગત ઢાંચાને મજબૂત ન બનાવે.