Home Blog Page 4721

India’s Commando Trainers – Dr. Deepak Rao and Dr. Seema Rao

Meet India’s commando couple – Dr. Deepak Rao and Dr. Seema Rao who have trained over 15,000 soliders/policemen in counter-terrorism techniques.

Honorary Major Dr DEEPAK RAO is Indian Pioneer of modern close quarter battle training his wife Dr SEEMA RAO is India’s only and first woman commando trainer. The couple have trained over 15,000 soliders/policemen in counter-terrorism techniques.

ઈ-કોમર્સ કંપનીઓ માટે આયાતી પ્રોડક્ટના દેશનું નામ દર્શાવવું ફરજિયાત

નવી દિલ્હીઃ એમેઝોન, ફ્લિપકાર્ટ અને સ્નેપડીલ જેવી ઈ-કોમર્સ કંપનીઓને જણાવી દેવામાં આવ્યું છે કે હવેથી તેમણે એમના પ્લેટફોર્મ પરથી વેચાતા આયાતી ઉત્પાદનોના મૂળ દેશનું નામ દર્શાવવું પડશે. એટલે કે હવે એ જણાવવું પડશે કે જે તે ઉત્પાદન કયા દેશનું છે. કેન્દ્ર સરકારે બુધવારે દિલ્હી હાઇકોર્ટને આ માહિતી આપી હતી.

કેન્દ્ર દ્વારા મુખ્ય જસ્ટિસ ડી. એન. પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની ખંડપીઠની સમક્ષ નોંધવામાં આવેલા સોગંદનામા (એફિડેવિટ)માં કહેવામાં આવ્યું છે કે લીગલ મેટ્રોલોજી એક્ટ અને નિયમો હેઠળ ઈ-કોમર્સ સાઇટોએ એ ખાતરી આપવી પડશે કે ઈ-કોમર્સની લેવડદેવડ માટે ઉપયોગમાં લેવાનારા ડિજિટલ અને ઇલેક્ટ્રોનિક્સ નેટવર્ક પર કોઈ પણ પ્રોડક્ટ પર એના મૂળ ઉત્પાદક દેશનું નામ દર્શાવવામાં આવ્યું હશે.

કેન્દ્ર સરકારના વકીલ અજય દિગપોલ દ્વારા સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે આ નિયમોનું પાલન કરાવવાની જવાબદારી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની છે.

દિગપોલે કહ્યું હતું કે જ્યાં પણ આ નિયમોનું ઉલ્લંઘન થયેલું માલૂમ પડશે, સંબંધિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લીગલ મેટ્રોલોટી વિભાગના અધિકારી દ્વારા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ સોગંદનામામાં કહેવામાં આવ્યું હતું કે આના પર જરૂરી નિર્દેશ બધી ઈ-કોમર્સ કંપનીઓ, બધાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના લીગલ મેટ્રોલોજી કન્ટ્રોલર્સને મોકલવામાં આવી છે.

કેન્દ્ર દ્વારા આ સોગંદનામું એક જનહિત અરજી પર નોંધાવવામાં આવ્યું હતું. એડવોકેટ અમિત શુક્લા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં કેન્દ્રને એ નિર્દેશ આપવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો કે ઈ-કોમર્સ મંચો પર વેચાતી પ્રોડક્ટ્સ પર (ઉત્પાદનો) એના ઉત્પાદક દેશોનું નામ દર્શાવવામાં આવવું જોઈએ.

મુંબઈની સોસાયટીએ ડોર-ટૂ-ડોર કોરોના ચેકઅપની ના પાડી દીધી…

મુંબઈના ઉત્તર તરફના ઉપનગરોમાં પ્રશાસને આરોગ્ય સાવચેતીના અનેક પગલાં લીધાં હોવા છતાં કોરોના વાઈરસના કેસોની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ખૂબ વધી ગઈ છે. રોગચાળાનો ફેલાવો રોકવા માટે મહાનગરપાલિકા (BMC)ના આરોગ્ય વિભાગે ખાનગી લેબોરેટરીઓની મદદ લેવાનું શરૂ કર્યું છે, પરંતુ અમુક હાઉસિંગ સોસાયટીઓ એમના સભ્યોનું ડોર-ટૂ-ડોર કોરોના ચેકઅપ માટે સ્વાસ્થ્યકર્મીઓને સોસાયટીની અંદર પ્રવેશવા દેવા રાજી નથી. આ ફોટોગેલરી મલાડ (વેસ્ટ)ની એક હાઉસિંગ સોસાયટીની છે જેના સભ્યોએ 21 જુલાઈ, મંગળવારે BMCના કર્મચારીઓને અંદર પ્રવેશવા ન દેતાં કર્મચારીઓ પાછા જતા રહ્યા હતા. (તસવીરોઃ દીપક ધુરી)

IT, BPO કંપનીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ 31 ડિસેમ્બર સુધી લાગુ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે એણે IT અને  બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (BPO) કંપનીઓ સહિત અન્ય સર્વિસ પ્રોવાઇડરો (OSP)ના કર્મચારીઓ માટે ‘વર્ક ફ્રોમ હોમ’ માટેની સમયમર્યાદાને આ વર્ષની 31 ડિસેમ્બર સુધી લંબાવી દીધી છે. વર્ક ફ્રોમ હોમનો સમયગાળો 31 જુલાઈએ પૂરો થતો હતો. સરકારે આને માટેનાં નિયમો જાહેર કર્યા હતા.  ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT)એ ગઈ કાલે રાત્રે ટ્વીટમાં જણાવ્યું હતું કે કોવિડ-19ને લીધે વધી રહેલા ટેન્શનને ધ્યાનમાં રાખતાં વર્ક ફ્રોમ હોમની સુવિધાને 31 ડિસેમ્બર સુધી લંબાવી દેવામાં આવી છે.

હાલમાં 85 ટકા લોકો ઘરેથી કામ કરી રહ્યા છે

હાલમાં IT કર્મચારીઓમાંથી આશરે 85 ટકા લોકો પોતપોતાના ઘેરથી કામ કરી રહ્યા છે અને એવા કર્મચારીઓ જ ઓફિસમાં જઈ રહ્યા છે, જેમનું કામ ઘરેથી નથી થઈ શકતું.

માર્ચ મહિનામાં ડોટે સર્વિસ પ્રોવાઇડર્સ (OSP) માટે 30 એપ્રિલ સુધી વર્ક ફ્રોમ હોમ માટે નિયમોમાં રાહત આપી હતી. જેથી કોરોના વાઇરસ રોગચાળાની દરમ્યાન વર્ક ફ્રોમ હોમ (WFH) સુવિધા શરૂ કરવામાં આવી હતી, જેને બાદમાં 31 જુલાઈ સુધી લંબાવવામાં આવી હતી.

કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 11,92, 915 થઈ ગઈ છે. અને અત્યાર સુધીમાં 28,732 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,53,049 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,11,133એ પહોંચી છે.

 82 ટકા કર્મચારીઓ મિસ કરી રહ્યા છે ઓફિસ

કોરોના રોગચાળાને કારણો પાછલા ત્રણ મહિનાથી ઘરેથી કામ કરી રહેલા લોકો હવે ઓફિસ જવા ઇચ્છે છે. આ લોકોનું કહેવું છે કે તેઓ ઓફિસને મિસ કરી રહ્યા છે, એવું એક સર્વે કહે છે. સર્વે મુજબ 82 ટકા કર્મચારીઓએ કહ્યું હતું કે તેઓ ઓફિસથી કામ કરવાનું મિસ કરી રહ્યા છે.

શિખર ધવને IMG રિલાયન્સ સાથે માર્કેટિંગ કરાર કર્યો

મુંબઈઃ ભારતીય ક્રિકેટર શિખર ધવને IMG રિલાયન્સ કંપની સાથે જાગતિક માર્કેટિંગ અને મેનેજમેન્ટ માટેનો એક્સક્લુઝિવ કરાર કર્યો છે.

ધવને જણાવ્યું છે કે IMG રિલાયન્સ કંપની ભારતમાં જે લાવે છે એ અદ્દભુત અને અનોખું હોય છે. અનેક પ્લેટફોર્મ્સ પર કુશળતા ધરાવતી આ કંપની સાથે ભાગીદારી કરવામાં હું અત્યંત રોમાંચનો અનુભવ કરું છું. હું મારા ક્રિકેટ ખેલ ઉપર તો ધ્યાન આપવાનું ચાલુ જ રાખીશ અને દેશને ખ્યાતિ અપાવતો રહીશ, સાથોસાથ મને લાગે છે કે IMG રિલાયન્સમાં મારી જે નવી ટીમ છે એ મારી ટેલેન્ટને વધારવામાં મને મદદ કરશે.

2016માં ટેલેન્ટ મેનેજમેન્ટ વિભાગ શરૂ કર્યો છે ત્યારથી IMG રિલાયન્સનું બળ વધી ગયું છે. એણે રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, શ્રેયસ ઐયર જેવા ખેલાડીઓને કરારબદ્ધ કર્યા છે.

ધવન વર્તમાન ભારતીય ટીમના ટેલેન્ટેડ અને પ્રભાવશાળી ખેલાડીઓમાંનો એક છે. મર્યાદિત ઓવરોવાળી ક્રિકેટમાં એ ઢગલાબંધ રન કરી ચૂક્યો છે. એ અત્યાર સુધીમાં 45ની સરેરાશ સાથે લગભગ 6,000 રન બનાવી ચૂક્યો છે.

34 વર્ષીય ધવન અત્યાર સુધીમાં 34 ટેસ્ટ મેચ, 136 વન-ડે ઈન્ટરનેશનલ્સ મેચો રમી ચૂક્યો છે અને બંને ફોર્મેટ મળીને 8,000થી વધારે રન બનાવ્યા છે.

IMG રિલાયન્સના ટેલેન્ટ એન્ડ સ્પોન્સરશિપ વિભાગના વડા નિખિલ બર્ડિયાએ જણાવ્યું છે કે, શિખરમાં ખૂબ ટેલેન્ટ અને વ્યક્તિત્ત્વ ધરાવે છે. ક્રિકેટ સાથે એનો આ અનોખો સંયોગ અમને એક બ્રાન્ડનું ઘડતર કરવામાં મદદરૂપ થશે. ભારતે અત્યાર સુધી હાંસલ કરેલા ઉત્તમ ક્રિકેટરો પૈકી શિખર સાથે કરાર કરવા બદલ અમે ખૂબ જ આનંદ અનુભવીએ છીએ.

દુર્લભ અવકાશી નજારો: 6800 વર્ષમાં એક વખત પસાર થતો નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની નજીક આવ્યો

કોવિડ ૧૯ની વૈશ્વિક મહામારી વચ્ચે એક દુલર્ભ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીક આવ્યો છે,  જે ૬૮૦૦ વર્ષમાં એક વખત જ પસાર થતો હોય હાલમાં દુર્લભ અવકાશી નજારો સર્જાયો હોય લોકો રસપૂર્વક આકાશના અવલોકનો કરી રહ્યા છે. ત્યારે નિયોઇઝ ધૂમકેતુ સહિતના ધૂમકેતુ માટેના એસ્ટ્રોફિઝીક્સ અને રહસ્યો તથા કુદરતના અદ્દભૂત સર્જન વિશે બ્રહ્માંડ વિજ્ઞાની ડો.પંકજ જોશી દ્વારા પ્રકાશ પાડવામાં આવ્યો છે.

ધૂમકેતુ ક્યાંથી આવે છે, તેને પૂંછડી જેવો ભાગ કેમ હોય છે, કુદરતનું અદ્દભૂત સર્જન અને ધૂમકેતુ સાથે સંકળાયેલી માન્યતાઓ વિશે વાત કરતાં ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ અને બ્રહ્માંડ વિજ્ઞાની ડો.પંકજ જોશીએ જણાવ્યું કે, ધૂમકેતુ એ ૭૦થી ૧૦૦ કિમી જેટલો બરફ, ધૂળ અને પથ્થરોનો બનેલો ગોળો છે, જે સૂર્યમાળાની અંદર સૂર્યની નજીક પ્રવેશ કરે છે ત્યારે જેમ જેમ સૂર્યની નજીક જાય તેમ સોલાર રેડિયેશનને કારણે બરફ અને ગેસમાંથી જુદા જુદા ગેસીસ કન્વર્ટ થાય છે એમાંથી પૂંછડી જેવું રચાય છે. ધૂમકેતુનું ૭૦થી ૮૦ કિમી સુધીનું ન્યુક્લીયર્સ હોય છે પરંતુ જે પૂંછડી છે તે હજારો અને ઘણીવાર લાખો કિમી સુધી વધેલી હોય છે.

આમ સૂર્યના વિકિરણોથી પૂંછડી રચાય છે. ધૂમકેતુની ભ્રમણકક્ષામાં પણ ધૂમકેતુ દૂરથી એકદમ નજીક આવે છે અને એકદમ દૂર ચાલ્યો જાય છે. ઘણા ધૂમકેતુને પાછા આવતાં હજારો વર્ષ નીકળી જાય છે. નિયોઇઝ ધૂમકેતુને પાછા આવતાં ૬૮૦૦ વર્ષ લાગે છે. જ્યારે હેલી ધૂમકેતુ ૭૫ વર્ષે સૂર્યમંડળની મુલાકાત લે છે. ધૂમકેતુનું વિજ્ઞાન ખૂબ જ રસપ્રદ અને સમજવા જેવું છે. નાસા દ્વારા વર્ષ ૨૦૦૫માં ધૂમકેતુ પર મોટો આધાત કરીને રોબોટીક્સ અભ્યાસ કરવામાં આવ્યો હતો. હાલમાં નિયોઇઝ ધૂમકેતુ પૃથ્વીની ખૂબ નજીક છે, ત્યારે અદ્દભૂત અવકાશી નજારો જોવાનો લ્હાવો મેળવવા સાથે વૈજ્ઞાનિક અભ્યાસ માટેની તક પણ સાંપડે છે.

ડો.પંકજ જોશી

પૃથ્વી પર મહત્તમ પાણીના હિસ્સો ધૂમકેતુને કારણે હોવાની માન્યતા

ડો.પંકજ જોશીએ જણાવ્યું કે, ધૂમકેતુ મોટાભાગે બરફના બનેલા હોય છે. પૃથ્વીનો ઉદ્દભવ થયો ત્યારે ઘણા ધૂમકેતુ પૃથ્વીની નજીક આવી ગયેલા અને પૃથ્વી સાથે અથડાયેલા એના કારણે પૃથ્વી પર મોટા પ્રમાણમાં પાણીનો હિસ્સો હોવાની માન્યતા છે. સાથે સાથે, પૃથ્વી પર જીવનનો ઉદ્દભવ થયો એની પાછળ પણ ધૂમકેતુ હોવાની પણ માન્યતા છે. ધૂમકેતુમાં રહેલા ઓર્ગેનિક મોલેક્યુલસ ને કારણે જીવનની ઉત્પતિ થઇ હોવાનું માનવામાં આવે છે.  બ્રહ્માંડમાં અનેકવિધ રહસ્યો છુપાયેલા છે જેનો અભ્યાસ કરવાની જિજ્ઞાસા હોય છે. જેથી ધૂમકેતુ પૃથ્વીની નજીક આવે ત્યારે વૈજ્ઞાનિક અભ્યાસ કરવાની તક મળી રહે છે.

રેલવેના ‘ખાનગી પ્લેયર ટ્રેન પ્રોજેક્ટ’ને મળ્યો જોરદાર પ્રતિસાદ

નવી દિલ્હી: ભારતીય રેલવે દ્વારા ખાનગી પેસેન્જર ટ્રેનોના સંચાલનને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં 16 કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં બૉમ્બાર્ડિયર, સ્પેનની સીએએફ, જીએમઆર, RITES Limited, અને જાહેર ક્ષેત્રની BHELનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક અને ખાનગી ભાગીદારીને આધારે ખાનગી પેસેન્જર ટ્રેનો શરુ કરવામાં આવનાર છે.

રેલવેની આ યોજનાથી ભારતીય રેલવે પરિવહન ક્ષેત્રે નવી ટેકનીકના આગમનની સાથે ભારતીય રેલવેની આવકમાં વૃદ્ધિ થશે અને રોજગારની નવી તકો સર્જાશે. આ પ્લાન હેઠળ વધારાની 151 ખાનગી ટ્રેનો દોડાવાશે.

બેઠકમાં કંપનીઓ તરફથી રજૂ કરાયેલા પ્રશ્નો અંગે રેલવે મંત્રાલય 31 જુલાઈ 2020 સુધીમાં લેખિતમાં જવાબ આપશે. આગામી બેઠક 12 ઓગસ્ટ 2020ના રોજ મળશે. રેલવે મંત્રાલયે 109 જેટલા રૂટ પર પેસેન્જર ટ્રેન દોડાવવા 151 આધુનિક ટ્રેનોના સંચાલન માટે યોગ્યતાના આધારે 12 ખાનગી કંપનીઓ પાસેથી અરજીઓ મંગાવી છે. આ પરિયોજનના માધ્યમથી ખાનગી સેક્ટરમાંથી અંદાજે 30,000 હજાર કરોડ રૂપિયાનું રોકાણ આવે તેવી સંભાવના છે.

પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે ખાનગી કંપનીઓની પસંદગી બે તબક્કાની સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા હાથ ધરવામાં આવશે. જેમાં વિનંતી માટેની લાયકાત (આરએફક્યુ) અને વિનંતી માટેની દરખાસ્ત (આરએફપી) સામેલ છે.

આ બેઠકમાં નૂર ભાડા અંગે પણ સવાલ કરવામાં આવ્યા હતા, જેના જવાબમાં રેલવે મંત્રાલયે કહ્યું કે, નૂર ભાડાને અગાઉથી નિર્ધારિત કરવામાં આવશે અને સંપૂર્ણ છૂટછાટની મુદત માટે અનુક્રમિત કરવામાં આવશે, જેથી નૂર ખર્ચમાં ચોક્કસતાની ખાતરી આવશે. રેલવે મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રોજેક્ટ અંતર્ગત સંચાલિત ટ્રેનો ખાનગી સંસ્થાઓ દ્વારા લીઝ પર ખરીદી અથવા લઈ શકાશે. રેલવે મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ટ્રેનોના સંચાલનના સંબંધમાં પક્ષોને સમાન જોખમની જવાબદારી પણ આપવામાં આવશે.

કોરાનાના નવા 37,724 કેસઃ 648નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંકટમાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 37,724 નવા કેસ સામે આવ્યા છે અને 648 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 12 લાખની નજીક પહોંચી છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 11,92,915 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 28,732 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 7,53,049 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,11,133એ પહોંચી છે. રિકવરી રેટ 63.12 ટકાએ પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોના સંક્મિતોની સંખ્યા 1.5 કરોડનો પાર

કોરોના વાઇરસને આવે હજી સાત મહિના પણ નથી થયા, પણ એનાથી સંક્રમિતોના દર્દીઓની સંખ્યા 1.5 કરોડને પાર થઈ ગઈ છે.  અત્યાર સુધી કોરોનાની કોઈ અસરકારક સારવાર અથવા દવા નથી મળી.

કોરોના પર આ દેશોએ કાબૂ મેળવ્યો

વિશ્વના 10 દેશો એવા છે, જ્યાં પહેલાં કોરોના વાઇરસ બેકાબૂ હતો, પણ હવે એ દેશોમાં કોરોના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આ 10 દેશોમાં ચીન, ઇટાલી, જર્મની, ફ્રાન્સ, યુકે, સ્પેન, ન્યુ ઝીલેન્ડ, સ્વિટઝર્લેન્ડ, સાઉથ કોરિયા અને તાઇવાનનો સમાવેશ થાય છે. આ દેશોમાં વધુમાં વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યાં હતાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવાનું જરૂરી કરવામાં આવ્યું હતું.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

કોરોનાને બહાને ભારતની જમીન હડપવાના પ્રયાસોઃ ચીનની સામે અમેરિકામાં પ્રસ્તાવ પસાર

વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતની સામે ચીનની આક્રમકતાની તીખી આલોચના કરતાં ખુલ્લેઆમ પ્રસ્તાવ પસાર કરીને આરોપ લગાવ્યો છે કે કોરોના સંક્રમણની આડમાં પીપલ્સ લિબરેશન આર્મી (PLA)નો ઉદ્દેશ ભારતની જમીન પર કબજો કરવાનો હતો. અમેરિકી સંસદના નીચલા ગૃહ પ્રતિનિધિ સભાએ લદ્દાખ તણાવને લઈને ભારતના સમર્થનમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. ગૃહે આ પ્રસ્તાવને સર્વ સંમતિથી મંજૂરી આપી હતી, બલકે ગૃહનું માનવું છે કે ચીન એ વિસ્તારમાં ગેરકાયદે કબજો કરવાની ફિરાકમાં હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે હિંસક અથડામણ પછી અમેરિકાએ ખુલ્લેઆમ ભારતનું સમર્થન કરવાનું શરૂ કર્યું છે.   

NDAAમાં સુધારો પસાર

અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્ઝમાં નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (NDAA)માં સુધારો પસાર કરવામાં આવ્યો હતો. આમાં ગલવાન ખીણમાં ભારતની સામે ચીનની આક્રમકતા અને દક્ષિણ ચીન સાગર જેવા વિવાદગ્રસ્ત ક્ષેત્રોમાં તથા આસપાસમાં ચીનની વધતી આક્રમકતા પર નિશાન સાધવામાં આવ્યું હતું. હાઉસ ઓફ રિપ્રેન્ઝેન્ટેટિવ્ઝમાં ચીનના વિસ્તારવાદી વલણ પર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આમાં કહેવામાં આવ્યું હતું કે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC), દક્ષિણ ચીન સાગર, સેનકાકુ દ્વીપ જેવાં વિવાદગ્રસ્ત ક્ષેત્રોમાં ચીનનો વિસ્તાર અને આક્રમકતા ઘેરી ચિંતાનો વિષય છે.

ભારતીય મૂળના સેનેટર દ્વારા પ્રસ્તાવ

ભારતીય મૂળના એમી બેરા અને એક અન્ય સંસદસભ્ય સ્ટીવ શૈબેટ નેશનલ ડિફેન્સ ઓથોરાઇઝેશન એક્ટ (NDAA)માં સુધારાનો પ્રસ્તાવ લઈને આવ્યા હતા. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ચીને ગલવાન ખીણમાં આક્રમકતા બતાવી છે અને એણે કોરોના પરથી ધ્યાન હટાવવા ભારતીય ક્ષેત્રો પર કબજો કરવાના પ્રયાસો કર્યા હતા. આ પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે ચીન લદ્દાખની જેમ 13 લાખ સ્ક્વેર માઇલ ચીનસાગરના સંપૂર્ણ વિસ્તારને ગેરકાયદે રીતે કબજો જમાવવા માગે છે. જ્યારે આ વિસ્તારો પર બ્રુનેઇ, મલેશિયા, ફિલિપિન્સ, તાઇવાન અને વિયેતનામ પણ દાવો કરે છે. સંસદમાં સંસદસભ્ય સ્ટીવ સૈબેટે નિવેદન કર્યું હતું કે ભારત એશિયા પ્રશાંતમાં અમેરિકાનો એક મહત્ત્વનો ભાગીદાર છે. તેમણે કહ્યું હતું કે હું ભારતને ટેકો આપું છું. આ સાથે એ ક્ષેત્રીય સહયોગીઓની સાથે ઊભો છું, જે ચીનની આક્રમકતાનો સામનો કરી રહ્યા છે.

 

 

 

 

સુવિચાર – ૨૨ જુલાઈ, ૨૦૨૦

સુવિચાર – ૨૨ જુલાઈ, ૨૦૨૦