Home Blog Page 4717

શામળ પટેલ જીસીએમએમએફના નવા અધ્યક્ષ

ગુજરાત: ગુજરાત કો-આપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (અમૂલ ફેડરેશન)ના ચેરમેનપદે શામળભાઈ બી. પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જ્યારે વાઇસ ચેરમેનપદે વલમજીભાઈ હુંબલની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે.

શામળભાઈ બી. પટેલ

અમૂલ ફેડરેશનના ચેરમેનની ચુંટણી આણંદ ડેપ્યુટી કલેકટરની હાજરીમાં થઇ હતી અને તેમાં અમૂલ ફેડરેશનના ૧૮ સભ્ય દૂધ સંઘોના તમામ ચેરમેનો હાજર રહ્યા હતા. અમૂલ ફેડરેશન એ વર્ષ ૧૯૭૩થી ચેરમેનપદની વરણી બિનહરિફ રીતે થતી આવે છે તે પ્રણાલિકાને પુન: જાળવી રાખી છે.

વાલમજીભાઈ હુંબલ

મહત્વનું છે કે, અમૂલ ફેડરેશન ભારતની રૂા.૩૮,૫૪૨ કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતી ખાદ્ય ઉત્પાદનોની માર્કેટીંગ વ્યવસ્થા સંભાળતી ટોચની સંસ્થા છે કે જેના ધ્વારા “અમૂલ”  બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની વિવિધ બનાવટોની વિશાળ શ્રેણીનું માર્કેટીંગ તેમજ વિતરણ કરવામાં આવે છે. અમૂલ ફેડરેશન તેના સભ્ય સંઘો દ્વારા રાજ્યના ૧૮,૫૬૨ થી વધુ ગામડાંઓમાંથી ૩૬ લાખ દૂધ ઉત્પાદકો પાસેથી સરેરાશ ૨૪૦ લાખ લિટર દૂધ પ્રતિદિન એકત્રિત કરે છે.

શામળભાઈ પટેલ, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. સાબરડેરીના ચેરમેન છે અને ડેરી સહકારી માળખા સાથે પાછલાં ૩૦ વર્ષથી કાર્યરત છે. સાબરકાંઠા દૂધ સહકારી સંઘ રૂા.૫૭૦૦ કરોડથી વધુ વાર્ષિક ટર્નઓવર તેમજ ૩.૮૦ લાખ દૂધ ઉત્પાદક સભ્યો સાથે રાજ્યના મોટા દૂધ ઉત્પાદક સંઘમાનો એક એકમ છે. ગુજરાતમાં સહકારી ડેરી માળખું પાછલા ૭૦થી વધુ વર્ષથી સફળ છે.

 

અને જ્યારે સિવિલ હોસ્પિટલના હ્રદય પર જ ઘા થયો…

અમદાવાદ: ૨૬ જુલાઈ’ ૨૦૦૮ સિવીલ હોસ્પિટલમાં પણ બોંબ બ્લાસ્ટ થયો હતો. એ ગોઝારો દિવસને  સૌ ભૂલવા માંગે છે, પરંતુ ભૂલી શકાય તેમ નથી. બેશક આપત્તિને ભૂલીને કે બાજુમાં રાખીને ઝડપથી બેઠા થવાનો ‘ગુજરાત’નો સ્વભાવ છે. ગુજરાતના આ ‘સ્વભાવ’નો ‘પ્રભાવ’ સિવિલ હોસ્પિટલમાં પણ દેખાય છે. ગુજરાત કે દેશની જ નહીં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી સિવીલ હોસ્પિટલમાં સરેરાશ રોજના હજારો દર્દીઓ આવે છે.

વર્ષ ૨૦૦૮થી ૨૦૨૦ સુધીના આ ૧૨ વર્ષમાં સિવીલ હોસ્પિટલમાં કુલ ૯૫,૬૦,૮૨૫ દર્દીઓએ સારવાર લીધી છે. જેમાં OPD દર્દી તરીકે ૮૩,૭૩,૫૪૬ તથા IND તરીકે ૧૧,૮૭,૨૭૯ દર્દીઓનો સમાવેશ થાય છે.

સિવીલ હોસ્પિટલમાં આજે પણ ફરજ બજાવતા એ ઘટનાના સાક્ષી મુકેશભાઈ પટણી કહે છે કે, ‘ બોંબ ધડાકાને પગલે હોસ્પિટલનો તમામ સ્ટાફ જે તે સ્થિતિમાં જ્યાં હતો ત્યાંથી માત્ર ૧૫ મિનિટમાં જ ફરજ પર દોડી આવ્યો હતો. એક એક બેડ પર ૧૦-૧૫ ડોકટરો સેવા માટે પ્રયત્નશીલ હતા. દર્દીઓ પ્રત્યેની સિવીલ હોસ્પિટલની આ સેવા આજે પણ એટલી જ ત્વરાથી-સંવેદનાથી ચાલુ છે. તેમાં ક્યારેય ઓટ નથી આવી.’

આ વિસ્તારના એક સમાજસેવક દિનેશભાઈ દૂધાત કહે છે કે, આખા અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. હું સિવીલ હોસ્પિટલમાં બ્લડ ડોનેટ કરવા આવ્યો હતો. હું ધનવંતરી હોસ્પિટલની એમ્બ્યુલન્સ લઈ દર્દીઓને સિવીલ હોસ્પિટલ લાવ્યો હતો. સિવીલ ટ્રોમા સેન્ટર પહોંચી અને દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી ઉતારી રહ્યા હતા ત્યાં જ બોમ્બ ધડાકાનો અવાજ આવ્યો. અસંખ્ય લોકો ઘાયલ થયા હતા કોઈના અંગો જુદા પડી ગયા હતા, તો કોઈના પરિવાર. એ દ્રશ્યો ઓછામાં ઓછા એક વર્ષ સુધી તો મારા મન-મગજમાંથી ખસતા જ નહતા. આજે પણ એ દ્રશ્યો યાદ આવતા કંપારી છુટી જાય છે. પણ કદાચ સિવીલ હોસ્પિટલમાં દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાએ જ અમારા ઘા પર રૂઝ લાવી દીધી છે. મને પણ એ વખતે ઈજા થઈ હતી પણ દર્દીઓની સેવામાં મારી ઈજા પ્રત્યે મારુ ધ્યાન જ નહતુ ગયુ.

હોસ્પિટલના ખાસ ફરજ પરના અધિકારી ડો. પ્રભાકર કહે છે કે,  ટ્રોમા સેન્ટર એટલે સિવીલનું હાર્ટ ( હ્રદય) છે તેના પર જે પાશવી ઘા થયો હતો એ અમે ના ભુલી શકીએ. જો કે હ્રદયના એક ખુણે એ ઘટનાના તાંણાવાણાને દબાવીને સિવીલ હોસ્પિટલે દર્દીઓ પ્રત્યેની સેવા સુશ્રુષાને વધુ ત્વરિત અને સંવેદનશીલ બનાવી છે. એ માનવસર્જિત આપત્તિ હતી… અને અત્યારે કોરોના સ્વરૂપે કૂદરતી આપત્તિ આવી છે તો પણ હોસ્પિટલના એક-એક તબીબ- નર્સ-પેરા મિડીકલ સ્ટાફ જાણે પોતાના સ્વજન હોય તેવા ભાવથી દર્દીઓની સેવા કરી રહ્યા છે…અમારી સેવા-સુશ્રુષા કે સંવેદનામાં ક્યારેય ઓટ નથી આવી.

સિવીલના હાલના સુપ્રિન્ટેન્ડન્ટ ડો.જે.પી.મોદી કહે છે કે, એક ડોક્ટર માટે દર્દી કોણ છે? એ મહત્વનું નથી હોતુ દર્દીને શું દર્દ છે એ જ એના માટે મહત્વનું હોય છે. અને દર્દીનું દર્દ ઓછુ કરવા જે કરવું પડે એ જ એની પવિત્ર ફરજ હોય છે. જો કે આજથી ૧૨ વર્ષ પહેલા બનેલી ઘટના કંઈ નાનીસુની તો નહતી જ એ ઘટના સમયે મેં પણ મારો પ્રિય વિદ્યાર્થિ ડૉ. પ્રેરક અને તેની ગર્ભવતી પત્ની ગુમાવ્યા છે. એનો વસવસો કાયમ રહેશે જ…સામાન્ય રીતે આવી ઘટનાઓ બહાર બનતી રહેતી હોય છે પણ હોસ્પિટલ પર આતંકી હુમલો કદાચ સૌ પ્રથમ વખત થયો હતો. ઘાયલોની સેવા કરનારાઓને જ ઘાયલ કરવાની એ પેરવી હતી…કદાચ અમારામાં પણ એ વખતે ધૃણા આવી હશે… પણ અમારી સંવેદના એ ધૃણા પર હાવી થઈને હજી અકબંધ ટકી રહી છે… કોરોનાના દર્દીઓ પ્રત્યેની એ સંવેદના જ અમને જીવંત રાખી રાખી રહી છે.

 

કોરાનાના કેસોની સંખ્યા 13 લાખને પારઃ વિશ્વમાં કોરોના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,916 નવા કેસ સામે આવ્યા છે અને 757 લોકોનાં મોત થયાં છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 13 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 13,36,861 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 31,358 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 8,49,431 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,56,071એ પહોંચી છે. રિકવરી રેટ 63.53 ટકાએ પહોંચ્યો છે.

વિશ્વમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યા રેકોર્ડ વધારો

વિશ્વમાં કોરોના વાઇરસના સંક્રમણનો નવો રેકોર્ડ વધારો થયો છે. વિશ્વમાં પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમિતોના 2.88 લાખ નવા કેસ સામે આવ્યા છે. વિશ્વમાં કોરોનાની સંખ્યા 1,59,કરોડે પહોંચી છે અને 6.41 લાખથી વધુ લોકોના મોત થયાં છે.

અમેરિકામાં 77,000 નવા કેસ

અમેરિકામાં હજી પણ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત શહેરોની યાદીમાં ટોચ પર છે. અમેરિકામાં અત્યાર સુધી 42.48 લાખથી વધુ લોકો સંક્રમણના શિકાર થયા છે. અહીં અત્યાર સુધીમાં 1.48 લાખ લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં પાછલા 24 કલાકમાં 77,000 નવા કેસ આવ્યા છે અને 1129 લોકોનાં મોત થયાં છે. ભારત સૌથી વધુ કેસોની સંખ્યાને મામલે ત્રીજા નંબરે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા નંબરે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

I&B મંત્રાલયે સિનેમા હોલ્સને ઓગસ્ટમાં પુનઃ ખોલવાની ભલામણ કરી

નવી દિલ્હીઃ માહિતી અને પ્રસારણ મંત્રાલયે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે દેશમાં સિનેમા હોલોને ઓગસ્ટમાં ખોલવાની મંજૂરી આપવામાં આવે. I&B સચિવ અમિત ખરેએ ગઈ કાલે CII મિડિયા સમિતિની સાથે ક્લોઝ ડોર ઇન્ડસ્ટ્રીને સાથે વાતચીતમાં આ સંકેત આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગૃહ મંત્રાલયમાં અજય ભલ્લા અંતિમ બેઠક યોજશે. ખરેએ કહ્યું હતું કે સિનેમા હોલોને પહેલી ઓગસ્ટ અથવા 31 ઓગસ્ટની આસપાસ દેશભરમાં ખોલવાની મંજૂરી આપવામાં આવે એવી શક્યતા છે.

સિનેમા હોલમાં પહેલી હરોળમાં વૈકકલ્પિક બેઠકો અને એ પછીની હરોળને ખાલી રાખવાની ફોર્મ્યુલા રાખીને આગળ વધી શકાય છે, એમ સૂત્રએ કહ્યું હતું. ખરેએ કહ્યું હતું કે તેમના મંત્રાલયની ભલામણ છે કે બે મીટરના સામાજિક અંતર વિચાર કરે છે, પણ એને બદલે બે ગજની દૂરી પણ રાખી શકાય. જોકે ગૃહ મંત્રાલયને હજી ભલામણ પર પાછો વિચાર કરવે પડશે.

આ ફોર્મ્યુલા ગળે નથી ઊતરતી

જોકે આ વાતચીતમાં સિનેમામાલિકોએ કહ્યું હતું કે આ ફોર્મ્યુલા ગળે નથી ઊતરતી અને માત્ર 25 ટકા ઓડિટોરિયમની ક્ષમતાવાળા હોલમાં ફિલ્મો દર્શાવવી એ સિનેમા હોલને બંધ રાખવા કરતાં પણ વધુ ખરાબ સ્થિતિ છે.

આ બેઠકમાં ઉપસ્થિત લોકોએ મિડિયાના CEO એન. પી. સિંહ, સોની, સેમ બલસારા (મેડિસન), મેઘા ટાટા-(ડિસ્કવરી), ગૌરવ ગાંધી (એમેઝોન પ્રાઇમ) મનીષ માહેશ્વરી (ટ્વિટર), એસ જયશંકર (બેનેટ કોલમેન એન્ડ કંપની લિ.) અને કે. માધવન, સ્ટાર એન્ડ ડિઝની અને CII મિડિયા સમિતિના ચેરમેન ઉપસ્થિત હતા.

OTT પ્લેટફોર્મ્સની હાજરી

હવે OTT પ્લેટફોર્મ્સની હાજરી અને એમેઝોન પ્રાઇમ પર દર્શાવાતી ફિલ્મો સિનેમા હોલને પાછળ ના ધકેલી દે, કેમ કે લોકડાઉનની અનિશ્ચિતતા દરમ્યાન OTT પર રજૂ થયેલી અમિતાભ બચ્ચન અભિનિત ‘ગુલાબો સિતાબો’ની કેટલાક બોલિવુડ પ્રોડ્યુસર્સે પણ નોંધ લીધી છે.

 

 

 

વાહ ભાઈ વાહ! ૨૫ જુલાઈ, ૨૦૨૦

વાહ ભાઈ વાહ! ૨૫ જુલાઈ, ૨૦૨૦

રાશિ ભવિષ્ય 25/07/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે  કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 25/07/2020

બીજા રાજ્યોના શ્રદ્ધાળુઓ પણ કરી શકશે ચાર ધામની યાત્રા

દેહરાદૂનઃ ઉત્તરાખંડ સરકારે શુક્રવારે અન્ય રાજ્યોના શ્રદ્ધાળુઓને ચાર ધામ- યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ અને બદરીનાથની યાત્રા કરવાની મંજૂરી આપી દીધી છે. ચાર ધામ દેવસ્થાનમ બોર્ડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રવિનાથ રમણે આ ઘોષણા કરી હતી.

આ પહેલાં કોવિડ-19 રોગચાળાને કારણે આ વર્ષે માત્ર ઉત્તરાખંડના રહેવાસીઓને જ ચાર ધામની યાત્રા માટે મંજૂરી આપવામાં આવી હતી. આ રોગચાળાને લીધે આ યાત્રાનો પ્રારંભ કરતાં તેમણે પણ ઈ-પાસ મેળવવાનું અને કેટલીક માર્ગદર્શિકાનું પાલન કરવાનું આવશ્યક હતું. જ્યારે અન્ય રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે પૂજા-પાઠ-આરતી અને ભોગ માટે ઓનલાઇન બુકિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી.

શરતી મંજૂરી

હવે રાજ્ય સરકારે અન્ય રાજ્યોના તીર્થયાત્રીઓને ચાર ધામ યાત્રા કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે એક શરત મૂકવામાં આવી છે. ભક્તોનો RT-PCR (રિવર્સ ટ્રાન્સક્રિપ્શન પોલિમરેઝ ચેઇન રિએક્શન) ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવવો જોઈએ. આ ટેસ્ટ ભક્તોએ ઉત્તરાખંડમાં પ્રવેશ કરે એના 72 કલાક પહેલાં કરાવી હોવી જોઈએ.

તે ઉપરાંત જે ભક્તોએ ઉત્તરાખંડમાં પહોંચી ગયા બાદ પોતાનો ક્વોરન્ટાઇન સમયગાળો પૂરો કરી લીધો હશે, તેઓ પણ પવિત્ર યાત્રામાં ભાગ લઈ શકશે.

રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત

ચાર ધામ દેવસ્થાનમ બોર્ડની વેબસાઇટ પર દરેક ભક્તે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. તેઓ રજિસ્ટ્રેશન પ્રક્રિયાના રૂપમાં પોતાનું ID અને એની સાથે કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ પણ અપલોડ કરવાનો રહેશે.

દરેક તીર્થયાત્રી પોતાના મોબાઇલ ફોનમાં પોર્ટલથી ઈ-પરમિટ ડાઉનલોડ કરી શકે છે, પણ એની ખરાઈ માટે ફોટો, ID, સરનામાના પુરાવા અને કોવિડ-19નો નેગેટિવ રિપોર્ટ પણ સાથે રાખવાનો રહેશે.

ઉત્તરાખંડ સરકારે 29 જૂને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ની જાહેરાત કરી હતી, જેમાં ચાર ધામની યાત્રા માટે પ્રતિ દિન ભક્તોની સંખ્યા સીમિત રાખવામાં આવી છે. એમાં કેદારનાથ માટે 800 ભક્તો, બદરીનાથ માટે 1200, ગંગોત્રી માટે 600 અને યમુનોત્રી માટે 400ની સંખ્યા નક્કી કરવામાં આવી છે. SOP અનુસાર દરેક ભક્તની પાસે ઓળખપત્ર અને એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી છે.

ફરી ધોધમાર વરસાદે મુંબઈને ભીંજવ્યું…

મુંબઈમાં 24 જુલાઈ, શુક્રવારે સવારે ફરી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એને કારણે રાહદારીઓને છત્રીનું રક્ષણ મેળવવાની ફરજ પડી હતી. થોડાક કલાકો સુધી માર્ગો પર ટ્રાફિક ઘટી ગયો હતો. ત્રણેક કલાક ભારે વરસાદ પડવાની ભારતીય હવામાન વિભાગે અગાઉથી જ આગાહી કરી હતી. (તસવીરોઃ દીપક ધુરી)

બેસ્ટ એગ્રોલાઈફ દેશમાં અદ્વિતીય જંતુનાશક લોન્ચ કરશે

મુંબઈઃ બીએસઈમાં લિસ્ટેડ કંપની બેસ્ટ એગ્રોલાઈફ લિ.એ જાહેર કર્યું છે કે તે દેશમાં સુપર સિસ્ટેમેટિક જંતુનાશક ડિરોન લોન્ચ કરશે જે ખેતી પરના મોટા ભાગનાં જંતુઓનો નાશ કરે છે. કંપનીને આ જંતુનાશકનું ઉત્પાદન કરવાનું લાઈસન્સ મળી ગયું છે. આ પ્રોડક્ટની સમકક્ષ પ્રોડક્ટ હાલમાં આયાત કરાય છે, તેનો વિકલ્પ આ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટના વપરાશથી પાકને લાંબો સમય સુધી રક્ષણ મળી રહે છે અને એથી સ્પ્રેની સંખ્યામાં ઘટાડો થાય છે.

કંપનીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું કે કંપની સતત ઉત્પાદકતા વધારવા માટેના એગ્રોકેમિકલ્સ અને બાયોલોજિકલ ટૂલ્સ પૂરાં પાડવાના મિશનને વરેલી છે. ચાલુ વર્ષે કંપનીની આવકમાં આ પ્રોડક્ટને પગલે 100 કરોડ રૂપિયાનો વધારો થશે.