બેસ્ટ એગ્રોલાઈફ દેશમાં અદ્વિતીય જંતુનાશક લોન્ચ કરશે

મુંબઈઃ બીએસઈમાં લિસ્ટેડ કંપની બેસ્ટ એગ્રોલાઈફ લિ.એ જાહેર કર્યું છે કે તે દેશમાં સુપર સિસ્ટેમેટિક જંતુનાશક ડિરોન લોન્ચ કરશે જે ખેતી પરના મોટા ભાગનાં જંતુઓનો નાશ કરે છે. કંપનીને આ જંતુનાશકનું ઉત્પાદન કરવાનું લાઈસન્સ મળી ગયું છે. આ પ્રોડક્ટની સમકક્ષ પ્રોડક્ટ હાલમાં આયાત કરાય છે, તેનો વિકલ્પ આ પ્રોડક્ટ છે. આ પ્રોડક્ટના વપરાશથી પાકને લાંબો સમય સુધી રક્ષણ મળી રહે છે અને એથી સ્પ્રેની સંખ્યામાં ઘટાડો થાય છે.

કંપનીના ડિરેક્ટર વિમલ કુમારે કહ્યું કે કંપની સતત ઉત્પાદકતા વધારવા માટેના એગ્રોકેમિકલ્સ અને બાયોલોજિકલ ટૂલ્સ પૂરાં પાડવાના મિશનને વરેલી છે. ચાલુ વર્ષે કંપનીની આવકમાં આ પ્રોડક્ટને પગલે 100 કરોડ રૂપિયાનો વધારો થશે.