Home Blog Page 4679

ખુશી કોને કહેવાય?: ભાગ-2

(બી. કે. શિવાની)

ભાગ-2: આપણે કોઈ છોડ કે વૃક્ષના મૂળમાં એટલે કે તેના બીજને પાણી ન રેડીયે અને તેના પાંદડા ઉપર પાણી છાંટીએ કે ફૂલ-ફળ ઉપર પાણી છાંટીએ તો, તે પાણી મૂળ સુધી પહોંચતા પહોંચતા તો સુકાઈ જાય છે. છોડ કે વૃક્ષના મૂળ સુધી તો પાણી પહોચતું જ નથી. તેમ આજની ચકાચોંધની દુનિયામાં પણ આપણે માત્ર ને માત્ર બાહ્ર્ય આડંબરો, દેખાવ પુરતું જ આપણે આપણી જાતને ઉપર-ઉપરથી સામાન્યભાવ અને ખુબ સાધારણતાથી જ જોઈએ છીએ. આપણે કયારેય પોતાને અંતરમનથી કે અંદરથી સમજવાનો પ્રયત્ન કર્યો જ નથી. આજના સમયમાં આત્માના આંતરિક સદગુણોને વધારવાનો પ્રયત્ન કરવો ખુબ જરૂરી છે.

આપણે કુટુંબ, પરિવારમાં અને મિત્રોને એવું કહેતા હોઈએ છીએ કે, મારે તો રોજ કેટલું બધું કામકાજ હોય છે, જેમ કે ઘરમાં બાળકોનું ધ્યાન રાખવું. ઓફીસમાં કે વેપાર ધંધામાં ધ્યાન આપવું. પાડોશી અને સમાજના પ્રસંગો જોવા. ઘરનું કામકાજ હોય. સાથે-સાથે મિત્રો, વડીલો ખુશ રાખવા કે બીજાઓને ખુશ કરવા. આ બધું કરવા તમને ખૂબ પ્રયત્ન અને મહેનત લાગે છે. તેનું મુખ્ય એ કારણ છે કે તમારું મન બહુ જ નબળું અને અશક્ત છે. સામાન્ય રીતે આપણે દિવસમાં 10 કલાક જેટલું કામ કરીએ છીએ. પણ જો આપણે થોડા બીમાર થઈ ગયા હોઈએ અને પણ બિમારીમાં 10 કલાક કામ કરીએ, તો સાજા હોઈએ ત્યારે અને બીમાર હોઈએ ત્યારે જે કામ કરીએ છીએ તે બન્ને દિવસોના કામમાં ફેર પડશે કે નહિ પડે? ચોક્કસ ફેર પડશે.

એક તો બીમારીના સમયે આપણી કાર્યક્ષમતા ઓછી થઈ જશે અને બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આપણે તે દિવસે કામની સંપૂર્ણ મજા નહિ લઈ શકીએ. જેમ બાકી સામાન્ય દિવસોમાં કામની એક અનોખી મજા આવતી હોય છે. પણ આપણે એમ વિચારીએ છીએ કે, આજે તબિયત બરાબર સારી લાગતી નથી તો લાવ થોડો આરામ કરી, કોઈ ડોક્ટરને બતાવું. તો બીજા દિવસે હું પૂરી કાર્યક્ષમતાથી કાર્ય કરી શકીશ? તો કોઈને જવાબ મળશે – હા કે ના…

જેમ આપણે આપણા શરીરનું ધ્યાન રાખીએ છીએ તેમ આપણે આપણી આત્માના સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપીએ, તો જીવનમાં નિશ્ચિંત બનીને કાર્ય કરી શકીશું. જીવનમાં આપણને માનસિક આનંદ નથી મળતો ત્યારે જીવન અર્થ વગરનું બની જાય છે. આવા સંજોગોમાં આપણે મનથી ખુશ રહેવા કેટલાક અન્ય ઉપાયો પણ કરવા પડે છે.

જયારે કોઈ સાધન સારી રીતે ચાલતું હોય, ત્યારે તે આપણને સારું પરિણામ આપે છે. પણ જો વચ્ચે-વચ્ચે મશીનમાં તેલ ન પૂરીએ, સાફ-સફાઈ ન કરીએ, તો એક દિવસ એવો આવશે કે મશીન અચાનક ખરાબ થઈ જશે અને બંધ થઈ જશે. પછી આપણે કહીશું કે મશીન બરોબર ચાલતું નથી. પણ જો નિયમિત રીતે મશીનમાં તેલ પૂરવામાં આવે અને વચ્ચે-વચ્ચે તેને ચેક કરવામાં આવે, તેની સાર-સંભાળ બરોબર રાખવામાં આવે તો તે લાંબા સમય સુધી સારી રીતે કામ આપતું રહેશે. તે પ્રમાણે જીવનમાં પણ સંતુલન અતિ આવશ્યક છે. વચ્ચે-વચ્ચે આપણે આપણા પોતાના મનની સાફ-સફાઈ, તેમજ એનર્જી વધારવા આધ્યાત્મિક વાંચન, મનન, ચિંતન, યોગનો અભ્યાસ કરવો જરૂરી છે.

વર્તમાન સમયે મેડીટેશન શબ્દ ખુબ જાણીતો છે. એક રીતે તો ધ્યાન કરવું એ ખૂબ અઘરી ક્રિયા લાગે છે. આખા દિવસમાં તમે ઓફિસનું, ઘરનું, પરિવારનું, પોતાની ચીજ-વસ્તુઓ ત્યાં સુધી કે પોતાના પ્રિય વાહનનું પણ ધ્યાન રાખો છો. આપ તે પણ ખાસ યાદ રાખો છો કે અમુક સમયે ગાડીને સર્વિસિંગ માટે મોકલવાની છે. સર્વિસ વગર નહિ ચાલી શકે, તે આપ જાણો છો. માટે આપણે ગાડીને સમયાંતરે સર્વિસિંગ માટે મોકલીએ  છીએ.

આમ આપણે આ બધી ભોતિક ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખીએ છીએ. તો પછી આપણે આપણા મનનું ધ્યાન શા માટે રાખતા નથી?  મોટે ભાગે બધાંને એ ખ્યાલ નથી કે મનનું ધ્યાન કેવી રીતે રાખવું? તે કોઈની પાસે શીખવા જવાની જરૂર નથી કે પુસ્તક વાંચવાની જરૂર નથી. માત્ર આપણે તેની અગત્યતા સમજી સ્વયંથી જ શરૂઆત કરવાની છે.

જ્યારે પણ આપણે કોઈને પૂછીએ કે આખા દિવસમાં તમે તમારું કેટલું અને કેવું ધ્યાન રાખો છો? તો જવાબ મળશે અમે અમારા શરીરનું ધ્યાન તો રાખીએ જ છીએ. તેને સાફ-સ્વચ્છ રાખીએ છીએ. કસરત પ્રાણાયામ, ભોજનમાં ચરી (પરહેજ) પાળીએ, બધી બાબતોનું ધ્યાન રાખીએ છીએ. જ્યારે જ્યારે તેમના પોતાના વિશે પૂછીએ ત્યારે મોટાભાગે શરીરનું ધ્યાન (બાહ્ર્ય બાબતોનું) ધ્યાન રાખવાની જ વાતો કરવામાં આવે છે. પ્રશ્ન પૂછીએ કે મનનું ધ્યાન કોણ રાખશે? તો જવાબ મળશે કે મારા મનનું ધ્યાન ઉપરવાળા ભગવાન રાખશે. અર્થાત મનનું ધ્યાન રાખવાની જવાબદારી ભગવાનની છે, તેમ સૌ સમજે છે. આપણે સત્સંગમાં, મંદિરમાં કે ધાર્મિક સ્થળો પર કેમ જઈએ છીએ? કે થોડો સમય ત્યાં જવાથી પુણ્ય જમા થશે. આપણને સારા સંસ્કારો મળશે, સારા વિચારો મળશે, સારી નવી-નવી જ્ઞાનની વાતો જાણવા મળશે અને સારા કામ થશે. શું આપણે વિચારોમાં પરિવર્તન કરવા, સારા સંસ્કારોના ઘડતર કરવાના લક્ષ્ય સાથે સત્સંગમાં જઈએ છીએ?

આપણે સત્સંગમાં એટલા માટે જઈએ છીએ કે, એક-બે કલાક બેસવાથી સારી-સારી વાતો સાંભળવા મળે છે. તે સમયે સારી વાતો સાંભળીને કહીએ છીએ કે બહુ સરસ. હવે આવતા અઠવાડિયે ફરી મળીશું. પણ જયારે એક અઠવાડિયા પછી પણ આપણા જીવનની દિનચર્યા પહેલાની જેમ જ દુઃખ, અશાંતિ, તણાવના વાતાવરણ વાળી જ જોવા મળે છે. વળી ફરી આપણે અઠવાડિયા પછી સત્સંગમાં જઈએ છીએ. ત્યારે પણ આપણા મનનું ધ્યાન રાખવાનું લક્ષ્ય તો હોતું જ નથી. વાસ્તવમાં જીવનમાં પરિવર્તન લાવવા માટે અન્ય ચીજ-વસ્તુઓનું ધ્યાન રાખવાની સાથે આપણે આપણા મનનું ધ્યાન રાખવાની બાબતને પ્રાથમિકતા આપવી જોઈએ. જીવનમાં બધી વાતોનું ખ્યાલ રાખનારૂ તો મન જ છે ન કે શરીર. જો મન ખુશ હોય પણ શરીર થોડું બીમાર હોય તો પણ આપણે રોજિંદી પ્રવૃત્તિ ચાલુ રાખી શકીશું. પણ મન જ દુઃખી અને અશાંત હોય તો ચોમેર સુખ સંપતિના સાધનોમાંથી મનની શાંતિ મળશે નહિ.

આજે આપણે બધી વાતોમાં એકબીજા ઉપર આધારિત થઈ ગયા છીએ. દિવસ દરમિયાન આપણે પોતાના શરીરના સુખનું ધ્યાન રાખીએ છીએ. શરીર માટે ગાડી, શરીર માટે મકાન, બધું શરીર માટે જ કરી રહ્યાં છીએ. સાથે-સાથે આપણે એ ભૂલી જઈએ છીએ મારે મારા મનનું ધ્યાન રાખવાનું છે. જો આપણે આપણા પોતાના મનનું ધ્યાન રાખી શકતા નથી તો બીજાના મનનું ધ્યાન કેવી રીતે રાખી શકીશું? પરિવારનું ધ્યાન રાખવું એ આપણી જવાબદારી છે. પરિવારમાં પણ આપણે ફક્ત તેમના શરીરનું જ ધ્યાન રાખી શકીએ છીએ. કોઈના મનનું ધ્યાન ન રાખી શકીએ. સારી સ્કૂલ, સારું શિક્ષણ, સારા કપડાં અર્થાત તમામ બાબતો સારી-સારી જ જોઈએ. બાળકોના ભાવનાત્મક સ્વાસ્થ્યનો ખ્યાલ તો કોઈ રાખી રહ્યું નથી. જયારે ધ્યાન રાખવાની વાત આવે છે તો પહેલા સ્વયંનો ખ્યાલ (ધ્યાન) રાખ્યા વગર બીજાનો ખ્યાલ (ધ્યાન) નહીં રાખી શકીએ.

આજે મારી પાસે બે રોટલી છે જે ખાધા વગર હું તમને ખવડાવી શકું છું. હું મારા માટે નવા કપડા નહીં લઉં. પરંતુ મારા બાળકો માટે નવા કપડાં લઈ શકું છું. પરંતુ હું પોતે ખુશ રહ્યા વગર બીજાને ખુશી નથી આપી શકતી. ખુશી એક એવી ચીજ છે કે જે પોતે અનુભવ કર્યા વગર બીજાને આપી નથી શકાતી. તે માટે સૌ પહેલાં તો પોતાનું ધ્યાન રાખવું પડશે, ત્યાર બાદ જ અન્ય લોકોનું ધ્યાન રાખી શકીશું. જો તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો તો તમારા બાળકો પણ મજબૂત રહેશે. તે માટે તમારે વધારે મહેનત નહીં કરવી પડે. પરંતુ જો તમે અશાંત હશો, તો તમારો સ્વભાવ ચીડિયો થશે, વારંવાર ગુસ્સો કરતા રહેશો તો પરિણામે તમારી નૈતિક શક્તિ ઓછી થતી જશે.

આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આપણે સર્વ બાબતો માટે ધ્યાન રાખી શકીએ છીએ પરંતુ જો મનનું ધ્યાન નથી રાખી શકતા તો બીજા કોઈનું પણ ધ્યાન નહીં રાખી શકાય. વાસ્તવમાં જોઈએ તો આપણે અન્ય વ્યક્તિઓનું ધ્યાન રાખવા જતાં, આપણે આપણા મનનું ધ્યાન જ નથી રાખી શક્યા. તો હવે આપણે બીજાની ભાવનાઓનું, બીજાની અપેક્ષાઓનું પણ ધ્યાન કેવી રીતે રાખી શકીએ? માટે ચાલો શરૂઆત કરીએ આજથી આપણે આપણા પોતાનાથી.

ખુશી કોને કહેવાય ભાગ-1 વાંચવા માટે અહીં ક્લિક કરો…https://chitralekha.com/religion/brahmakumari/what-is-called-happiness/

૨૮ ઓગસ્ટ ૨૦૨૦

૨૮ ઓગસ્ટ ૨૦૨૦

પંચાંગ 28/08/2020

ગિફ્ટ સિટી સ્થિત IFSCની સંકલ્પના પર કુઠરાઘાત કરવાનો કારસો?

મુંબઈઃ વર્ષોથી દેશનાં રુપી-બેઝ્ડ પ્રોડક્ટ્સનો વેપાર સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ) અને હોગકોંગ સ્થિત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ સેન્ટર (આઈએફસી)માં સતત ઘસડાઈ જતો જોઈને દેશમાં ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતેના ગિફ્ટ સિટી ખાતે આઈએફએસસીની સ્થાપના કરવામાં આવી છે. પરંતુ આ આઈએફએસસીમાં પ્રવાહિતા વધારવાને નામે એવી એક પહેલ કરવામાં આવી રહી છે, જે દેશમાં આઈએફએસસીની સ્થાપનાના મૂળ ઉદ્દેશ પર જ કુઠરાઘાત  કરે છે.

વાત એમ છે કે ગિફ્ટ આઈએફએસસી ખાતે પ્રવાહિતા વધારવા એસજીએક્સ અને એનએસઈ ઈન્ટરનેશનલના જોડાણની દરખાસ્ત કરવામાં આવી છે, એસજીએક્સ એનએસઈ ઈન્ટરનેશનલમાં ઓર્ડર દાખલ કરવા દેશે અને બધી વિદેશી નાણાકીય ઈન્ટરમીડિયેટરી અને સહભાગીઓ એનએસઈમાં દેખાયા વિના સિંગાપોરથી ઓપરેટ કરી શકશે. આ જોડાણની નાણાકીય ગોઠવણો, કાર્યપદ્ધતિ અને અમલ વગેરે વિગતો જાહેર કરાઈ નથી અને તેને સત્તાવાળાઓની મંજૂરી મળવાની બાકી છે.

મની લોન્ડરિંગ એક્ટમાં સુધારો કરવો પડે

એમ કહેવાય છે કે આ પ્રોજેક્ટ સાકાર કરવો હોય તો પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટમાં સુધારો કરવો પડે તેમ છે. મોટા ભાગના લોકો એસજીએક્સમાંથી ઓપરેટ એટલા માટે કરે છે કે તેમાં એક્સચેન્જને અંતિમ લાભાર્થીની જાણ થતી નથી અને ઘણા કિસ્સામાં તો ઈન્ટકમિડિયેટસને પણ અંતિ લાભાર્થી કોણ છે એની ઓળખ પ્રાપ્ત થતી નથી. જો આમ હોય તો ઉક્ત જોડાણ આપણી આર્થિક અને રાષ્ટ્રીય સલામતી સામેનું મોટું જોખમ બની રહે.

વળી જો ટ્રેડિંગ મેમ્બર, ક્લિયરિંગ મેમ્બર એસજીએક્સના ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સને ગિફ્ટ આઈએફએસસીનો સંપર્ક સિંગાપોરથી જ સરળતાથી મળી જવાનો હોય તો તેઓ પછી ગિફ્ટ આઈએફએસસી ખાતે શું કામ આવશે ? સ્પષ્ટ છે કે તેઓ કદી નહીં આવે એમ નિષ્ણાતો કહી રહ્યા છે.

એસજીએક્સ મારફત થયેલા વેપારમાંથી એસજીએક્સ તેનો ખર્ચ વસૂલી લેશે અને એસજીએક્સ મેમ્બર્સ અને અન્યો વચ્ચેના સોદાઓનું સેટલમેન્ટ એનએસઈ ઈન્ટરનેશનલ ક્લિયરિંગમાં થશે. આમ એસજીએક્સ તના સહભાગીઓ, ઓર્ડરનો પ્રવાહ, સોદાઓનું સેટલમેન્ટ, માર્જિન્સ જાળવી રાખી પોતાની ફીની આવક ચાલુ રાખ શકશે, જ્યારે ગિફ્ટ આઈએફએસસી ખાતે બજારનો વિકાસ થશે જ નહી.

આઈએફએસસીની પ્રતિષ્ઠાને ધક્કો

આ ઓર્ડરની દરખાસ્તમાં બધો મદાર ઓર્ડરના પ્રવાહ અને સિંગોપોરથી આવનારા વેપાર પર રાખવામાં આવ્યો છે એનો આર્થ એ થાય છે કે ગિફ્ટ આઈએફએસસીનું કોઈ ભાવિ નથી અને તે આપમેળે ટ્રેડિંગ વોલ્યુમ પ્રાપ્ત કરી શકે એમ નથી. આમ કરવાથી ગિફ્ટ આઈએફએસસીની પ્રતિષ્ઠાને ધક્કો લાગશે. આવા જોડાણથી તો એવું ફલિત થશે કે આપણે બહારનાં વેપાર મથકો પર સતત નિર્ભર છીએ અને તે પણ માત્ર વોલ્યુમ્સ માટે જ નહીં પરંતુ ભારતના ઈન્ડાઈસીસ અને એક્સચેન્જ રેટના મૂલ્ય માટે પણ.

ભારતમાં પારદર્શી, પ્રગાઢ અને પ્રવાહી બજાર સર્જવાના બધા પ્રયત્નો કરવાના હોય અને સિંગાપોર, હોંગકોંગ, દુબઈ વગેરે સાથે સ્પર્ધા કરવાની હોય એને બદલે આપણી બજારો અને વોલ્યુમ્સ સિંગાપોરને તાસક પર ધરી દેવામાં ક્યું શાણપણ છે, એવો સવાલ બજારના એક્સપર્ટ્સ પૂછી રહ્યા છે.

અનેક સવાલ

એનએસઈ ઈન્ટરનેશનલના એસજીએક્સ સાથેના સૂચિત જોડાણ સામે નિષ્ણાતો અનેક સવાલ કરી રહ્યા છે. આ જોડાણથી શું પર્યાપ્ત પ્રવાહિતા દેશના આઈએફએસસી કાતે આવશે ? અન્ય સંભવિત ગ્રાહકો આવવાનું માંડી વાળશે અને મોટાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓની ગેરહાજરીમાં શું ગિફ્ટ આઈએફએસસીનું આકર્ષણ ખતમ નહીં થઈ જાય ? શું એનાથી ફાઈનાન્સિયલ સેક્ટરનો સ્કીલ્ડ મેનપાવર સ્વદેશ ભણી વળશે ? આ સાહસની સફળતાના માપદંડ ક્યા રહેશે અને તેને સફળ થવા દેવા કેટલો સમય આપવામાં આવશે ? જો ગિફ્ટ આઈએફએસસીની પ્રતિષ્ઠાને નિયમભંગ, પ્રવાહિતાના અભાવ અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુશનલ ઈન્વેસ્ટર્સની અનુપસ્થિતિથી જો હાનિ પહોંચશે તો તેની જવાબદારી કોની ? અને જો એમ થાય તો ગિફ્ટ આઈએફસીની પ્રતિષ્ઠાને કઈ રીતે બચાવી શકાશે એવા સવાલો નિષ્ણાતો પૂછી રહ્યા છે.

સરકારે  સ્પષ્ટતા કરવી જોઈશે

આ કિસ્સામાં સરકારે એની પણ સ્પષ્ટતા કરવી જોઈશે કે એસજીએક્સ-એનએસઈના જોડાણને વિશિષ્ટ કેસ ગણીને એક વારની મંજૂરી આપી રહી છે કે પછી સર્વસામાન્ય મંજૂરી આપી રહી છે કે જેથી દેશનાં અન્ય એક્સચેન્જીસનાં આઈએફએસસી પણ કોરિયા, તાઈવાન, દુબઈ, મોરિશિયસ વગેરે સ્થિત આંતરરાષ્ટ્રીય મથકો સાથે જોડાણ કરી શકે.  જાપાન અને ચીન જેવા દેશો સિંગાપોરમાંથી પ્રવાહિતા તેમની સ્થાનિક બજારમાં લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે ભારતમાં એનાથી ઉલટું સિંગાપોરને હવાલે બજાર કરવાના અને વેપાર ગુમાવવાના પગલાને કોઈ રીતે વાજબી ઠેરવી શકાય એમ નથી એમ નિષ્ણાતો કહી રહ્યા છે.

સુશાંત કેસઃ ડ્રગ્સ મામલે 20 જણની પૂછપરછ કરાશે

મુંબઈઃ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તિ સામે કેસ નોંધ્યા બાદ આ એજન્સી હવે આવનારા દિવસોમાં 20 જણની પૂછપરછ કરવાની છે.

NCB એજન્સીએ કેફી પદાર્થોની સપ્લાય કરતા હોવાની શંકાવાળા 20 જણના નામોની યાદી તૈયાર કરી છે. આમાં ગૌરવ આર્ય, સુવેદ લોહિયા, ક્વાન એન્ટરટેનમેન્ટના પાર્ટનર જયા સહા, બિગ-બોસ શોના ભૂતપૂર્વ સ્પર્ધક એજાઝ ખાન, ફારુખ બટાટા, બકુલ ચંદાની વગેરેનો સમાવેશ થાય છે.

NCBએ રિયા ચક્રવર્તિ, એનાં ભાઈ શૌવિક, સુશાંતના સહ-મેનેજર શ્રુતિ મોદી અને ગૌરવ આર્ય સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઈકોટ્રોપિક સબ્સ્ટન્સીસ એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

ગૌરવ આર્ય અને અક્ષિત શેટ્ટી ફરાર હોવાનું કહેવાય છે. કહેવાય છે કે ગઈ 16 ઓગસ્ટે ગોવામાં એક રેવ પાર્ટી પર છાપો મારવામાં આવ્યો હતો જેમાં આર્યએ ડ્રગ્સ સપ્લાય કરી હોવાનું કહેવાય છે.

એજાઝ ખાનની નવી મુંબઈ પોલીસે 2018ના ઓક્ટોબરમાં ડ્રગ્સના વેપાર બદલ ધરપકડ કરી હતી જ્યારે મુંબઈના ખારમાં સર્વોદય વિડિયો લાઈબ્રેરીના માલિક ચંદાનીને મુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ સેલે કોકેન અને એલસીડી રાખવા બદલ 2018ના ડિસેંબરમાં ધરપકડ કરી હતી.

કેફી દ્રવ્યોના દાણચોરો સાથે રિયાની કથિત સાંઠગાંઠના સમાચારો બહાર આવ્યા બાદ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટની વિનંતી પરથી NCB એજન્સીને તપાસમાં જોડવામાં આવી છે.

34 વર્ષીય સુશાંત ગઈ 14 જૂને મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)માં એના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. સુશાંતના પરિવારે 25 જુલાઈએ પટના પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં એમણે રિયાને મુખ્ય શકમંદ તરીકે ગણાવી છે.

GSTની કાઉન્સિલની બેઠકઃ કેન્દ્રએ વળતર માટે રાજ્યોને બે વિકલ્પ આપ્યા

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કોવિડ-19ને એક્ટ ઓફ ગોડ ગણાવ્યો હતો. ગુડ્સ એન્ડ સર્વિસિસ ટેક્સ (GST) કાઉન્સિલની 41મી બેઠક પછી નાણાપ્રધાને કહ્યું હતું કે એની અસર GSTની વસૂલાત પર પડી છે. એનાથી નાણાકીય વર્ષ 2021માં GST વસૂલાતમાં 2.35 લાખ કરોડની ઘટ રહે એવી શક્યતા છે. આ બેઠકમાં કોઈ મોટો નિર્ણય લેવામાં નથી આવ્યો. નાણાપ્રધાને કહ્યું હતું કે ટૂ વ્હીલર્સ પર કરકપાતને લઈને સમયમર્યાદા નક્કી નથી કરવામાં આવી. કાઉન્સિલની આગામી બેઠકમાં એના પર વિચાર કરવામાં આવે એવી શક્યતા છે. GST કાઉન્સિલની આગામી બેઠક સપ્ટેમ્બરમાં થશે.

નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 41મી બેઠક વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજવામાં આવી હતી. આ બેઠકમાં બધાં રાજ્યોના પ્રતિનિધિ સામેલ થયા હતા.

તેમણે જણાવ્યું હતું કે કેન્દ્ર GST વળતર તરીકે રાજ્યોને નાણાકીય વર્ષ 2019-20માં 1.65 લાખ કરોડ રૂપિયાથી વધુ જારી કરી ચૂક્યું છે. એમાં માર્ચ માટે 13,806 કરોડ રૂપિયાનું વળતર પણ સામેલ છે. પાછલા નાણાકીય વર્ષમાં સેસથી આવેલી રકમ 95,444 કરોડ રૂપિયા રહી હતી.

રાજ્યોએ એક સપ્તાહનો સમય માગ્યો

આ બેઠકમાં રાજ્યોને અપાતા કોમ્પેનસેશન પર વિચારવિમર્શ થયો હતો. તેમણે કહ્યું હતું કે રાજ્યોને કોમ્પેનસેશનના બે વિકલ્પ રજૂ કરવામાં આવ્યા હતા. આ બંને વિકલ્પો પર વિચાર માટે રાજ્યોએ એક સપ્તાહનો સમય માગ્યો છે. કોમ્પેનસેશનની આ વ્યવસ્થા માત્ર નાણાકીય વર્ષ 2021 માટે રહેશે. નાણાં સચિવે નાણાકીય વર્ષ 2021માં 65,000 કરોડ રૂપિયાના કોમ્પેનસેશનની વસૂલાતની આશા દર્શાવી.

આ બે વિકલ્પ છેઃ – પહેલો વિકલ્પ કેન્દ્ર ઉધાર લઈને ચુકવણી કરે. બીજો વિકલ્પ રાજ્ય ખુદ RBI પાસેથી ઉધાર લે.

નાણાકીય વર્ષ 2021માં 2.35 લાખ કરોડના GSTની ઘટ

નાણાં સચિવે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2021માં 2.35 લાખ કરોડની GSTની ઘટ રહે એવી શક્યતા છે. GST ના લાગુ  થવાથી આશરે 97,000 કરોડ રૂપિયાના કોમ્પેનસેશનની ઘટ આવી રહી છે.  આ શોર્ટફોલ કોરોના રોગચાળાને કારણે થશે. નાણાં સચિવે જણાવ્યું હતું કે કોરોના રોગચાળાને કારણે GST વસૂલાત ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. તેમના જણાવ્યા મુજબ એટર્ની જનરલે સલાહ આપી છે કે GST વસૂલાતનો શોર્ટફોલ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયાથી ના કરી શકાય.

GST દર વધારવા પર ચર્ચા નહીં

નાણાં સચિવે જણાવ્યું હતું કે કાઉન્સિલની બેઠકમાં GSTના દરોમાં વધારાને લઈને કોઈ ચર્ચા નથી કરવામાં આવી. તેમણે ચાલુ નાણાકીય વર્ષમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના કોમ્પેનસેશન વસૂલાતની આશા વ્યક્ત કરવામાં આવી. તેમણે જણાવ્યું હતું કે રાજ્યોના GST કોમ્પેનસેશન માટે એપ્રિલથી જુલાઈના સમયગાળામાં 1.5 લાખ કરોડ રૂપિયા બાકી લેણાં છે.

ટૂ વ્હીલર્સ વાહનો પર 28 ટકા GST

ઓટોમોબાઇલ ક્ષેત્ર લાંબા સમયથી ટૂ વ્હીલર્સ વાહનો પર લાગતા GSTમાં કાપની માગ કરી રહ્યું છે. હાલમાં ટૂ વ્હીલર્સ પર 28 ટકા GST લાગે છે. ઓટોમોબાઇલ ક્ષેત્રથી જોડાયેલા લોકો એને ઘટાડીને 18 ટકા કરવાની માગ કરી રહ્યું છે.

GST ઘટાડવાના સૂચનનું સમર્થન

GST ઘટાડવાના સૂચન પર નાણાપ્રધાને કહ્યું હતું કે એ વાસ્તવમાં એક સારું સૂચન છે. એને GST કાઉન્સિલની બેઠકમાં ચર્ચવામાં આવશે, કેમ કે ટૂ વ્હીલર ના તો લક્ઝરી આઇટમ છે ના કો નુકસાન કરતી આઇટમ છે.

 

 

 

મોહર્રમનું જુલૂસ કાઢવાની મંજૂરી આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરતાં મોહર્રમનું સરઘસ કાઢવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે જો અમે એની મંજૂરી આપીએ તો દેશમાં અરાજકતા ફેલાશે અને પછી એક સમુદાય વિશેષ તો કોરોના ફેલાવવાને નામે નિશાન બનાવવામાં આવશે. જે સુપ્રીમ કોર્ટ નહીં ઇચ્છે. કોર્ટે કહ્યું હતું કે એ એવો કોઈ આદેશ નહીં આપે, જેનાથી લોકોના આરોગ્યને કોઈ પણ પ્રકારનું જોખમ ઊભું થાય.

 જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવાની મંજૂરી કેમ?

કોર્ટની આ ટિપ્પણી પર અરજીકર્તાએ સવાલ કરતાં કહ્યું હતું કે જ્યારે જગન્નાથ પુરીમાં રથયાત્રા કાઢવા માટે સુપ્રીમ કોર્ટ પાસે મંજૂરી માગવામાં આવી હતી, ત્યારે કોર્ટે એ મંજૂરી આપી હતી તો પછી મોહરમ જુલૂસને મંજૂરી કેમ નથી આપવામાં આવી. આના પર કોર્ટે કહ્યું હતું કે જગન્નાથ યાત્રા મામલામાં એક જ જગ્યાની વાત હતી. અમે સંભવિત જોખમની સમીક્ષા કરીને અને સાવધાનીની સાથે એને કાઢવાની મંજૂરી આપી હતી, પણ દેશમાં મોહરમનું જુલૂસ કાઢવા માટે કોઈ જનરલ આદેશ ના આપી શકાય.

કોર્ટ બધાની જિંદગી જોખમમાં ના મૂકી શકે

કોર્ટ બધાની જિંદગી જોખમમાં મૂકવાનું ના વિચારી શકીએ. જો કોઈ સ્થાન વિશેષની વાત હોત તો ત્યાં સંભવિત જોખમ વિશે સમીક્ષા કરી શકાત. કોર્ટની આ ટિપ્પણી પછી અરજીકર્તા દ્વારા માત્ર લખનૌમાં જુલૂસની મંજૂરી માગવામાં આવી હતી. ત્યાં હવાલો આપવામાં આવ્યો હતો કે શિયા સમુદાયના ઘણા લોકો ત્યાં રહે છે. ત્યાર બાદ કોર્ટે એના માટે અરજીકર્તાને અલાહાબાદ હાઇકોર્ટ જવાનો આદેશ આપ્યો હતો. આ અરજી શિયા ધર્મગુરુ કલ્બે જવ્વાદે દાખલ કરી હતી.

રિલાયન્સ જિયોનો દબદબોઃ વોડાફોન-આઇડિયાના ગ્રાહકો મોટી સંખ્યામાં તૂટ્યા

નવી દિલ્હીઃ એશિયાના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીની ટેલિકોમ્યુનિકેશન્સ કંપની રિલાયન્સ જિયોનો દબદબો દેશમાં યથાવત્ રહ્યો છે. કંપનીએ મે, 2020માં 36.50 લાખથી વધુ નવા ગ્રાહકોને જોડતાં કુલ ઉપભોક્તાઓનો આંકડો 39 કરોડને પાર કરવાની સાથે નંબર એકની સ્થિતિને વધુ મજબૂત કરી છે.  

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના તાજા આંકડા મુજબ રિલાયન્સ જિયોએ મે,2020માં 36,57,794 ગ્રાહકો ઉમેર્યા હતા અને એના કુલ ઉપભોક્તાઓનો આધાર 39,27,49,930એ પહોંચ્યો હતો. જિયો 34.33 ટકા બજારહિસ્સા સાથી પોતાના પ્રતિસ્પર્ધીઓથી ઘણી આગળ નીકળી ગઈ હતી.

એરટેલ-વોડાફોને મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવ્યા

ટેલિકોમ ક્ષેત્રની અન્ય બે મોટી કંપનીઓ ભારતી એરટેલ અને વોડા-આઇડિયાએ પાછલા કેટલાક મહિનાઓમાં –ખાસ કરીને મેમાં બહુ મોટી સંખ્યામાં ગ્રાહકો ગુમાવ્યા હતા. ભારતી એરટેલની મોબાઈલ સેવાએ મેમાં 47,42,840  ગ્રાહકો ગુમાવ્યા અને એના કુલ ઉપભોકતા 31, 78,259 થયા હતા અને બજાર હિસ્સો ઘટીને 27,78 ટકા રહી ગયો હતો.

વોડા-આઇડિયાના મેમાં 47,26,357 ગ્રાહકો તૂટ્યા અને એના ઉપભોક્તાનો આધાર ઘટીને 30,99,25,291 તથા બજારહિસ્સો ઘટીને 27.09 થયો. રિલાયન્સ જિયો સિવાય સરકારી ટેલિકોમ કંપની BSNLએ પણ 2,01,537 ગ્રાહકો ઉમેર્યા. કંપનીનો બજાર હિસ્સો 10.50 ટકા અને ઉપભોક્તા આધાર 11,99,61,592 પર પહોંચ્યો હતો.

એપ્રિલમાં એકમાત્ર કંપની જિયોના ગ્રાહકોમાં વધારો

ટ્રાઇના આંકડા મુજબ મેમાં 56,11,338 ગ્રાહકો ઓછા થયા. કુલ ઉપભોક્તાનો આધાર 114,95,20,000થી ઘટીને 114,39,10,000 થયો હતો. એપ્રિલમાં જિયો એકમાત્ર કંપની હતી, જેના ગ્રાહકોમાં વધારો થયો. એપ્રિલમાં જિયોના ઉપભોક્તા 15,75,333 વધ્યા હતા.

વોડાફોન-આઇડિયાએ એપ્રિલમાં જોરદાર ઝટકો

બીજા નંબરે ભારતી એરટેલે એપ્રિલમાં સૌથી વધુ 52,69,882 ગ્રાહકો ગુમાવ્યા હતા. ત્રીજા નંબરે વોડાફોન-આઇડિયાએ એપ્રિલમાં જોરદાર ઝટકો લાગ્યો હતો. એના 45,16, 866 ગ્રાહકો તૂટ્યા હતા. BSNLએ પણ એપ્રિલમાં 20,53,000 ગ્રાહકો ગુમાવ્યા હતા.

અભિનેતા-દિગ્દર્શક મહેશ માંજરેકરને ખંડણી માટે ધમકી આપનાર શખ્સને પોલીસે પકડ્યો

મુંબઈઃ હિન્દી તથા મરાઠી ફિલ્મોના અભિનેતા અને દિગ્દર્શક મહેશ માંજરેકરને ખંડણી માટે ફોન પર મેસેજ મોકલનાર અને ફોન કોલ કરનાર એક અજાણ્યા શખ્સને મુંબઈ પોલીસે રત્નાગિરીમાંથી પકડી લીધો છે.

માંજેરકરે મુંબઈના દાદર ઉપનગરના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે રૂ. 35 કરોડની ખંડણી આપવાની માગણી કરતો એમને પહેલા એક મેસેજ આવ્યો હતો અને પછી એ જ શખ્સનો ફોન કોલ આવ્યો હતો. ફોન કરનારે પોતે ગેંગસ્ટર અબુ સાલેમની ટોળકીનો સભ્ય છે એવો દાવો કરીને ખંડણી માગી હતી.

માંજરેકરે બે દિવસ પહેલાં આ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તરત જ એ ફરિયાદ એન્ટી-એક્સ્ટોર્શન સેલને ટ્રાન્સફર કરી હતી.

માંજરેકરે કહ્યું કે આ કેસ બહુ સંવેદનશીલ છે અને આમાં ખંડણીના પ્રયાસનો મામલો છે. કેસ વધુ તપાસ માટે એન્ટી-એક્સ્ટોર્શન સેલને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યો છે. મને ફોન પર અમુક મેસેજ આવ્યા હતા. એ માણસે મારી પાસે પૈસા માગ્યા હતા. એટલે મેં પોલીસને જાણ કરી હતી. એ સિવાય મને કંઈ થયું નથી. એ કદાચ ગરીબ છે અને પૈસાની જરૂરને કારણે હતાશામાં આવીને મને મેસેજ કર્યો હશે.

માંજરેકરને જે નંબર પરથી ફોન આવ્યો હતો તે ફોન કરનાર શખ્સના નામથી જ રજિસ્ટર થયો છે.

આ કેસમાં તપાસ હજી ચાલુ છે. પોલીસ એ ચકાસી રહી છે કે એ શખ્સને અબુ સાલેમની ગેન્ગ સાથે ખરેખર કોઈ સંબંધ છે કે નહીં કે પછી સાલેમના નામે છેતરપીંડી કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે.

અબુ સાલેમ 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસનો અપરાધી છે અને 25-વર્ષની આજીવન કેદની સજા હેઠળ મુંબઈની આર્થર રોડ જેલમાં છે.

માંજરેકર રાષ્ટ્રીય એવોર્ડવિજેતા નિર્માતા છે. એમણે ‘વાસ્તવ’, ‘અસ્તિત્વ’, ‘વિરુદ્ધ’ જેવી ફિલ્મો બનાવી છે અને ‘ઓ માય ગોડ’ ફિલ્મમાં પણ એમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

માંજરેકરની પુત્રી સઈ માંજરેકરે 2019ના ડિસેંબરમાં સલમાન ખાનની ‘દબંગ 3’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એ ફિલ્મમાં મહેશ માંજરેકરે પણ અભિનય કર્યો હતો.

અનુષ્કા-વિરાટ આવતા જાન્યુઆરીમાં મમ્મી-પપ્પા બનશે

મુંબઈઃ આજના દિવસના સૌથી શ્રેષ્ઠ ગૂડ ન્યૂઝ ક્રિકેટ કેપ્ટન વિરાટ કોહલી અને એની બોલીવૂડ અભિનેત્રી પત્ની અનુષ્કા શર્મા તરફથી મળ્યા. એમણે સોશિયલ મિડિયા પર જાણકારી આપી કે અનુષ્કા ગર્ભવતી છે. બંને જણ પહેલી જ વાર માતા-પિતા બનશે.

અનુષ્કાએ આજે સવારે જાહેરાત કરી હતી કે તે એનાં ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે એમનાં પ્રથમ સંતાનનાં આગમનની રાહ જોઈ રહ્યાં છે.

સ્ટાર દંપતીએ 2017માં 11મી ડિસેંબરે લગ્ન કર્યા હતા.

અનુષ્કા અને વિરાટ, બંનેને પોતપોતાના સોશિયલ મિડિયા એકાઉન્ટ પર તસવીર પોસ્ટ કરી છે જેમાં અનુષ્કાનું પેટ ગર્ભધારણથી ફૂલી ગયેલું જોઈ શકાય છે.

32 વર્ષીય અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છેઃ ‘અને ત્યારે અમે બેનાં ત્રણ થઈશું… 2021ના જાન્યુઆરીમાં આગમન થશે.’

2017ના ડિસેંબરમાં ઈટાલીમાં એક ખાનગી સમારંભ યોજીને લગ્ન કર્યા એના ચાર વર્ષ પહેલાં કોહલી અનુષ્કાને પહેલી વાર મળ્યો હતો. એ વખતે બંને જણ એક કમર્શિયલ જાહેરખબરના શૂટિંગ માટે ભેગાં થયા હતા.

અનુષ્કા છેલ્લે 2018માં રોમેન્ટિક ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળી હતી.

31 વર્ષીય વિરાટ કોહલી હાલ આઈપીએલ-2020 સ્પર્ધા રમવા માટે યૂએઈ ગયો છે. એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમનો કેપ્ટન છે.