Home Blog Page 4656

અપેક્ષાઓના ભારણને કારણે સર્જાતો આંત્રપ્રિન્યોરિઅલ સ્ટ્રેસ

(સદગુરૂ જગ્ગી વાસુદેવ)

પ્રશ્નકર્તા: કોઈ પણ મેનેજર કે ઉદ્યોગ સાહસિક માટે સમકક્ષ જૂથ સાથેના સંબંધો જાળવવા એ મુખ્ય મુદ્દો હોય છે. મોટા ભાગનાં વ્યાવસાયિક સાહસો મિત્રો અને પરિવારો સાથે જ શરુ થતાં હોય છે. અમે જોયું છે કે ઉદ્યોગ સાહસિકો જ્યારે તેમનો વ્યવસાય પ્રસ્થાપિત કરી રહ્યા હોય, ખાસ કરીને જ્યારે વ્યવસાય સારો ચાલી રહ્યો હોય, ત્યારે તેઓ ઘણા તણાવ અને ચિંતાની સ્થિતિમાંથી પસાર થતા હોય છે. પરિવાર, મિત્રો કે માધ્યમોના સ્વરુપમાં રાખવામાં આવતી સામાજિક અપેક્ષાઓનો બોજ ભારરુપ હોઈ શકે છે. સંબંધનું સંતુલન જાળવી રાખવું પડતું હોય અને તેની સાથે-સાથે કાર્યદેખાવ પર પણ ધ્યાન આપવું પડતું હોય તેવા ઉદ્યોગ સાહસિકોને તમે શું સલાહ આપશો?

સદગુરુ: ઉદ્યોગ સાહસિકોએ આંત્રપ્રિન્યોર હોવાનો અર્થ સમજી લેવો જરુરી છે. ઉદ્યોગ-સાહસિક એટલે એવી વ્યક્તિ કે જેણે પોતે જીવનમાં જે કાર્ય કરવાની ઈચ્છે છે, તેની પસંદગી કરી લીધી છે. જ્યારે તમે જીવનમાં તમારી ઈચ્છા મુજબનું કામ કરી રહ્યા હોવ, ત્યારે તે તમારા માટે સૌથી વધુ આનંદપ્રદ બાબત હોઈ શકે છે. પરંતુ ધીમે-ધીમે તમે એ ભૂલી જાઓ છો કે તમે જે કાર્ય કરવા ઈચ્છો છો, તે જ કરી રહ્યા છો. તેને બદલે, તમે અન્ય કોઈની અપેક્ષાઓ માટે કામ કરવાનું શરુ કરી દો છો. એ બરાબર નથી. ઉદ્યોગ-સાહસિક હોવાનો અર્થ એ છે કે તમે તે કરી રહ્યા છો, જે તમે કરવા ઈચ્છતા હતા અને તમારે તમારા સમગ્ર જીવન દરમિયાન તે જ કાર્ય કરવાનું ચાલુ રાખવું જોઈએ. સફળતા ફક્ત કદની દ્રષ્ટિએ નથી હોતી. સફળતાને – તમે જે છો તે, તમારી ક્ષમતાઓ અને તમારી યોગ્યતાની પૂર્ણ અભિવ્યક્તિ શોધવાની દ્રષ્ટિએ પણ જોવી જોઈએ. જો કોઈ પણ માનવી તે પોતે કોણ છે, તેની પૂર્ણ અભિવ્યક્તિ શોધી લે, તો તેને સફળતા મળશે. જો તમે તમારી સરખામણી તદ્દન જુદા ક્ષેત્રની કે જુદી જ પ્રવૃત્તિ કરતી વ્યક્તિ સાથે કરશો અને આંકડાઓ એકત્રિત કરશો, તો તે સંખ્યા મોટી હોઈ શકે છે – પણ તે બાબત બિનમહત્વની છે. તમારા જીવનમાં સંપૂર્ણ અભિવ્યક્તિ શોધવી એ સફળતા છે.

 

આમ, તમે જે કામ કરી રહ્યા છો તે થકી, તમે જે છો તેની પૂર્ણ અભિવ્યક્તિ કરવા સક્ષમ હોવ અને સૌથી મહત્વનું – તમારા અસ્તિત્વનો માર્ગ પ્રસ્થાપિત કરવા માટે સક્ષમ હોવ, તો તમારે સમકક્ષ જૂથો, માધ્યમો કે અન્ય કોઈથી પણ દબાણ અનુભવવાની જરુર નથી. ઉદ્યોગ-સાહસિક જે કરવા ઈચ્છે, તે કરતા હોય છે. તેના માટે તેનું કામ મહત્વનું હોય છે. એક વાર તમારું કામ તમારા માટે મહત્વનું બની રહે, ત્યાર પછી સૌથી અગત્યની બાબત એ છે કે તમારે સ્વયં પર ધ્યાન આપવું જોઈએ. તેનો સદંતર અભાવ વર્તાય છે. વ્યવસાયનું સંચાલન કરવાનો અર્થ એ થાય છે કે તમે હજ્જારો દિમાગોનું સંચાલન કરી રહ્યા છો. જો તમે સ્વયંના દિમાગનું વ્યવસ્થાપન ન કરી શકો, તો તમે અન્યોના દિમાગ કેવી રીતે સંભાળી શકશો? જો તમે તમારું દિમાગ સાચવો, તો પછી દબાણનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવનો પ્રશ્ન જ ક્યાં રહ્યો? તણાવ જેવી કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી. કામ એ દબાણ નથી. કામ એ તણાવ નથી. સ્વયંને સંભાળવાની તમારી અસક્ષમતા, એ તણાવ છે.

મોટા ભાગના લોકો એવું વિચારે છે કે તેમની જોબ, તેમનો પરિવાર, તેમના જીવનની પરિસ્થિતિ, કરવેરા અને ન ચૂકવાયેલાં બિલને કારણે તેઓ તણાવ અનુભવે છે. પણ મુખ્યત્વે, તણાવ તમારી પોતાની સિસ્ટમ – તમારું શરીર, દિમાગ, લાગણીઓ અને ઊર્જાનું સંચાલન કરવાની તમારી અક્ષમતા છે.

તણાવ મશીનમાં ઉત્પન થતાં ઘર્ષણ જેવો છે. બીજા શબ્દોમાં કહીએ તો, સિસ્ટમ સરળતાથી અને સુચારુ રીતે ચાલે તે માટે તેમાં પૂરતું લુબ્રિકેશન નથી. દરેક વ્યક્તિના જીવનમાં પરિસ્થિતિઓ આવતી રહે છે અને બદલાતી રહે છે, પણ દરેક વ્યક્તિ તે પરિસ્થિતિનો સામનો ભિન્ન-ભિન્ન રીતે કરે છે, જેનો આધાર તેની પોતાની સિસ્ટમ કેટલી સરળ રીતે કામ કરે છે, તેના પર રહે છે. આ માનવીય વ્યવસ્થાને કેવી રીતે સંભાળવી તે તમે જાણતા હોવ, તો તણાવનો કોઈ પ્રશ્ન જ ઉઠ્તો નથી. વિશ્વમાં તમે કેટલા સફળ થાઓ છો, તેનો આધાર મુખ્યત્વે તમારું પોતાનું આંતરિક તંત્ર કેટલું ઘર્ષણ-રહિત છે, તેના પર રહેલો છે. તમે સરળ પ્રવૃત્તિઓ દ્વારા તમારી સિસ્ટમને ઘર્ષણરહિત સ્થિતિમાં લાવી શકો છો. યોગ વિજ્ઞાન તમને તણાવમુક્ત જીવન માટેનાં સાધનો પૂરાં પાડે છે.

(ભારતની પચાસ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા સદગુરુ યોગી, રહસ્યવાદી, સ્વપ્નદ્રષ્ટા અને બેસ્ટસેલિંગ ઓથર છે. 2017માં ભારત સરકાર દ્વારા સદગુરુને પદ્મવિભૂષણથી સમ્માનિત કરવામાં આવ્યા હતા, જે વિશિષ્ટ અને અસાધારણ સેવા બદલ આપવામાં આવતો વાર્ષિક એવોર્ડ છે.)

 

રાશિ ભવિષ્ય 14/09/2020

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજના દિવસે સાવચેતી અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકાની તકલીફથી સાચવવું, કામકાજઅર્થે કઈ બહાર મુસાફરીના યોગ બને છે. સહકર્મચારી સાથે કામની બાબતમાં ખટપટના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં નાનું અને ગણતરીનુંજ કામ કરવુ યોગ્ય છે.


આજનો દિવસ મસ્તીમજાકમાં પસાર થઈ શકે છે, તમને તમારા કામમાં અન્યનો સાથ-સહકાર સારો મળે તમારા કામની પ્રશંસા થાય, નવીનકામનું આયોજન થઇ શકે છે , જુનાકોઈપણ પ્રકારના મતભેદ થયા હોયતો તેને સુધારવાની તક મળે, વેપારના કામકાજમાં સારો પ્રતિસાદ મળી શકે છે.


આજના દિવસ તમને ઉત્સાહ વધુ જોવા મળી શકે છે, કોઈની સાથે અગત્યની વાર્તાલાપ કરવાની હોયતો તેમાં પણ તમને કોઈનો સારોસહયોગ મળી શકે છે, તમારા મનમાં રહેલી કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે, બજારના કામકાજમાં આયોજનથી કામ કરવામાં આવેતો સારો લાભ થઈ શકે છે.


આજનો દિવસ કામકાજમાં વધુ વ્યસ્તતા વાળો જોવા મળી શકે તેના કારણે તમને માનસિકથાકની લાગણી વધુ લાગે, વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં ધીરજ અને ગણતરીપૂર્વકનું નાનુંકામ કરવું યોગ્ય છે, પ્રિયજન સાથે ખરીદીકે મુસાફરી થોડીખર્ચાળ બને તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, પાડવા-વાગવાના યોગ છે, વાહન ધીમે ચલાવવું, હિતશત્રુ, ખટ પટી લોકોથી દુર રહેવું, તમને નકારાત્મકવિચારના આવે તેનું ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું.કોઈની ઉશ્કેરીજનક વાતથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમારા કોઈ જુનાકામની ગુંચ પડેલી હોય તેને ઉકેલી શકાય તેવા પ્રયત્નો આજે કરવા સારા કહી શકાય , મનની ઈચ્છા પૂરી થઇ શકે તેવા પણ યોગ ઉદભવી શકે છે, આજે આત્મવિશ્વાસ સારો રહે, વેપારના કામકાજમાં તમારું પ્રભુત્વ સારું જળવાય.


આજનો દિવસ કામકાજની સાથે કામકાજમાં નવીનતક અપાવે તેવો છે, મિત્રો સાથે કોઈ લાભની વાત આપલે થાય તેવા સંજોગો પણ ઉભા થઇ શકે છે, પોતાની પસંદગીની કોઈ ખરીદી કરવી હોયતો પણ ફળીભૂત થઇ શકે છે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને મોજશોખમાં સમય પસાર થાય.


આજનો દિવસ સરસ છે, જૂનીઓળખાણ તાજી થાય, કામની કદર થાય તેમાં તમારો ઉત્સાહ વધે, મુસાફરી દરમિયાન ખોટાખર્ચા થયાની લાગણી અનુભવાય, વેપારના કામકાજમા સારાકામની અપેક્ષા ફળી શકે, અગત્યની કોઈ વાર્તાલાપ ક્યાંક ફળીભૂત થાય તેવા સંજોગો ઉભા થાય અને તેમાં તમારો ઉત્સાહ વધે.


આજનો દિવસે સાવચેતી રાખવી, કોઈ વાતથી મન અશાંત રહે, ઘરની કોઈ ચિંતા હોય તેની અસર તમારા કામકાજ પર પડે, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પ્રેશર, ડાયાબીટીસના દર્દીએ આજના દિવસે કાળજી રાખવી, વેપારમાં ધાર્યા કામન થવાનો રંજ મનમાં રહ્યા કરે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યું કે મનનું કામ થઇ  શકે તેથી તમે સારી ખુશી અનુભવી શકો, અગત્યની વાત ક્યાંક કરવાની હોયતો તેમાં પણ સારું કામ થાય અને કોઈની મદદ સલાહ પણ મળી શકે છે, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં વ્યસ્ત રહેવાય, જુના કોઈ કામમાં અટવાયેલા હોવતો તેનો જલ્દીથી ઉકેલન આવે તેને કારણે તમે અશાંત બની શકો છે, વેપારના કામકાજમાં અનુભવ મુજબ નાનુંકામ સારું કહી શકાય, કોઈ અણધાર્યા કામ આવી જવાથી સમયનો વ્યય થાય અને તમે કંટાળો અનુભવો તેવું બની શકે.


આજનો દિવસ સારો છે, મિત્રો સાથે કામની ચર્ચા થાય, મુસાફરીના યોગ છે, તમારા વ્યવહાર અને સંબંધ થી તમને કોઈ સારીવાત ક્યાંકથી સંભાળવા મળી જાય, આજે તમે થોડા ઉદારવાદી બનો તેમજ કોઈ માટે સમય અને નાણા પણ ખર્ચી શકો છો. વેપારમાં સારો પ્રતિસાદમળી શકે છે, ઉત્સાહ સારો જોવા મળે.

પંચાંગ 14/09/2020

2021ના માર્ચ સુધીમાં કોરોના રસી ઉપલબ્ધ થવાની ધારણાઃ ડો.હર્ષવર્ધન

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડો. હર્ષવર્ધને આજે કહ્યું કે કોવિડ-19 રસી આવતા વર્ષના આરંભ સુધીમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. સરકાર કોરોના વાઈરસ માટે અત્યંત-જોખમ ધરાવતા વિસ્તારોમાં રસીને તાકીદે ઉપલબ્ધ કરાવવા વિચારે છે.

હર્ષવર્ધને એમ પણ કહ્યું કે જો રસીની સુરક્ષિતતા અંગે લોકોને કોઈ પ્રકારની ચિંતા હશે તો એનો પહેલો ડોઝ પોતે લેશે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના નિવેદન અનુસાર, હર્ષવર્ધને કહ્યું છે કે દેશમાં કોરોના રસી લોન્ચ કરવા અંગે કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ એ 2021ના પ્રથમ ત્રિમાસિક સુધીમાં તૈયાર થઈ જવાની ધારણા છે. જેમને સૌથી વધારે જરૂર હશે એમને તે રસી પહેલા આપવામાં આવશે, પછી ભલે એ લોકોમાં એ માટેના પૈસા ચૂકવવાની ક્ષમતા હોય કે ન હોય.

ડો. હર્ષવર્ધને ‘સન્ડે સંવાદ’ નામે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે. ત્યાં એ લોકોના સવાલોના જવાબ આપે છે. એમાં તેમણે કોવિડ-19 તથા કોરોના રસી અંગેના સવાલોના જવાબ આપ્યા હતા.

સરકાર કોરોના રસીના માનવ પરીક્ષણ માટે તમામ પ્રકારની સાવચેતી લઈ રહી છે અને નીતિ આયોગના સદસ્ય ડો. વી.કે. પૌલની અધ્યક્ષતામાં કોવિડ-19ની રસી માટે એક રાષ્ટ્રીય નિષ્ણાત સમૂહની રચના પણ કરવામાં આવી છે. આ સમૂહ નક્કી કરશે કે વધુમાં વધુ લોકોને કોરોના રસી આપવામાં આવે. તે ઉપરાંત રસીની સુરક્ષા, એની કિંમત વગેરે બાબતો ઉપર પણ સઘન ચર્ચા કરવામાં આવી રહી છે.

નાઓમી ઓસાકા બીજી વાર બની યૂએસ ઓપન ચેમ્પિયન…

જાપાનની 22 વર્ષની નાઓમી ઓસાકાએ 12 સપ્ટેમ્બર, શનિવારે ન્યૂયોર્કમાં યૂએસ ઓપન ગ્રાન્ડ સ્લેમ ટેનિસ સ્પર્ધામાં મહિલાઓની સિંગલ્સ ફાઈનલમાં બેલારુસની વિક્ટોરિયા એઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવીને કારકિર્દીમાં બીજી વાર આ ટાઈટલ હાંસલ કર્યું છે. ઓસાકાનું આ ત્રીજું ગ્રાન્ડસ્લેમ ટાઈટલ છે. એણે 2018માં યૂએસ ઓપન અને 2019માં ઓસ્ટ્રેલિયન ઓપન વિજેતાપદ હાંસલ કર્યું હતું. 2018ની ફાઈનલમાં એણે અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી હતી.

ઈન્વેસ્ટરો ફરી આકર્ષાયાઃ સોનું રૂ.68,000ના આંકે પહોંચી શકે છે

મુંબઈઃ ગયા અઠવાડિયે સોના અને ચાંદીની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો હતો. એની પાછળ અનેક કારણો છે. જેમ કે, ભારત અને ચીન વચ્ચે સરહદ પર હાલ પ્રવર્તતી તંગદિલી, દેશમાં કોરોના વાઈરસના દર્દીઓની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો અને રૂપિયા સામે અમેરિકી ડોલરની મજબૂતી. જોકે સોનું એના વિક્રમી સ્તર કરતાં નીચે આવ્યું છે. એણે તેની વિક્રમી સપાટીથી લગભગ 4,800 રૂપિયાનું ગડથોલિયું ખાધું છે. આમ છતાં સોનાની કિંમતમાં ફરીથી તેજી આવવાની સંભાવના સર્જાઈ છે.

ચાંદીની કિંમત પર નજર કરીએ તો એ પણ રૂ. 76,000ના ભાવથી ઉતરીને રૂ. 65,400ની આસપાસ આવી ગઈ છે. પરંતુ બજારના નિષ્ણાતો સોના-ચાંદીમાં તેજી આવવાની સંભાવના વ્યક્ત કરે છે.

અનિશ્ચિતતાનું વાતાવરણ

હાલ કોરોનાના અનેક કેસ બની રહ્યા છે. સરહદ પર ભારત અને ચીન વચ્ચેની તંગદિલી ઘટવાનું નામ લેતી નથી. ભારતીય અર્થતંત્ર હાલ મુશ્કેલ હાલતમાં છે. દેશમાં અનિશ્ચિતતાનું વાતાવરણ સર્જાયું છે. આવી પરિસ્થિતિમાં સોનાની કિંમતને લાભ મળી શકે છે. વાસ્તવમાં, ઈન્વેસ્ટરો સંકટના સમયમાં સોનામાં ઈન્વેસ્ટ કરવાનું પસંદ કરતા હોય છે, કારણ કે આને સુરક્ષિત માનવામાં આવે છે. કોરોના સંકટ સર્જાયું એની શરૂઆતથી જ સોનામાં તેજી આવી હતી અને સોનું વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. પરંતુ અર્થતંત્ર ધીમે ધીમે ખુલ્લું મૂકાતાં સોનાના ભાવમાં થોડોક ઘટાડો આવ્યો. પરંતુ, હવે વર્તમાન સંજોગોને કારણે એનો ભાવ ફરી ઊંચે જઈ શકે છે.

રૂ. 68,000 સુધી જઈ શકે છે

સોનું હાલ રૂ. 51,441ના ભાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે સોનાનો ભાવ એક વર્ષમાં રૂ. 68,000 પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે. એફડીના વ્યાજદરમાં ઘટાડો થવાથી અને શેરબજારમાં મૂડીરોકાણ કરવામાં જોખમ જેવા કારણોને લીધે ઈન્વેસ્ટરો ફરી સોના તરફ આકર્ષાઈ રહ્યા છે. આનું એક મુખ્ય કારણ છે સોના પર મળતું રિટર્ન. ઈન્વેસ્ટરોને સોનાએ ઘણો ફાયદો કરાવી આપ્યો છે. ગયા એક વર્ષમાં સોનાએ લગભગ 30 ટકાથી પણ વધારે રિટર્ન અપાવ્યું છે.

ઈ-ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ વધી રહ્યું છે

જાણકારોના કહેવા મુજબ, ચીન, ભારત ઉપરાંત અમેરિકા પણ તંગ હાલતમાં છે. ત્યાં પણ અનિશ્ચિતતા પ્રવર્તે છે. ત્યાં કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લેતા. આવા સંકટના સમયે ત્યાં પણ ઈન્વેસ્ટરો સોનામાં મૂડીરોકાણ કરવાનું સુરક્ષિત માને છે. હાલના સમયે લોકો ઘરમાં બેસીને જ ઈ-ગોલ્ડના માધ્યમથી સોનામાં નાણાં રોકી રહ્યાં છે. ઈ-ગોલ્ડનો ટ્રેન્ડ ખાસ્સો એવો વધ્યો છે. એને કારણે સોનાનો ભાવ વધી રહ્યો છે.

મને થયેલા અન્યાય વિશે મેં રાજ્યપાલને વાકેફ કર્યાંઃ કંગના

મુંબઈઃ બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત આજે સાંજે દક્ષિણ મુંબઈમાં આવેલા રાજભવન ખાતે જઈને મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી અને મહાનગરપાલિકા દ્વારા પોતાને કરાયેલા અન્યાય વિશે એમને વાકેફ કર્યાં હતાં. એ મુલાકાતમાં કંગના સાથે એની બહેન રંગોલી ચંદેલ પણ હતી.

ઉલ્લેખનીય છે કે, સહ-કલાકાર સુશાંત સિંહ રાજપૂતના ભેદી મૃત્યુના કેસમાં મુંબઈ પોલીસ દ્વારા કરાયેલી તપાસની ટીકા કર્યા બાદ કંગના અને મહારાષ્ટ્ર સરકાર, ખાસ કરીને શાસક પાર્ટીઓમાંની એક શિવસેના તેની પર ઉકળી ઉઠી છે. શિવસેના સંચાલિત મહાનગરપાલિકાએ બાન્દ્રા (વેસ્ટ)માં આવેલા કંગનાનાં નિવાસસ્થાનની અંદર બનાવેલી ઓફિસ ‘ગેરકાયદેસર’ છે એમ કહીને જેસીબી મશીનો વડે તોડી પાડી છે. મહાપાલિકાના એ પગલાથી કંગના રોષે ભરાઈ છે અને એના સંદર્ભમાં આજે ગવર્નર કોશ્યારીને જઈને મળી હતી.

મુલાકાત બાદ પત્રકારો સાથેની વાતચીતમાં કંગનાએ કહ્યું કે મારી સાથે જે અન્યાયી વ્યવહાર કરવામાં આવ્યો છે એ વિશે મેં તેમને (રાજ્યપાલ કોશ્યારીને) જણાવ્યું છે. મને આશા છે કે મને ન્યાય મળશે જેથી તમામ નાગરિકો, ખાસ કરીને યુવા છોકરીઓને પ્રશાસનમાં વિશ્વાસ પ્રસ્થાપિત થશે. હું પોતાને ભાગ્યશાળી સમજું છું કે રાજ્યપાલ કોશ્યારીએ મને એમની પોતાની દીકરીની સમાન ગણીને મારી વાત ધ્યાનથી સાંભળી હતી.

દરમિયાન, કંગના સાથે ઉગ્ર શાબ્દિક યુદ્ધમાં ઉતરનાર શિવસેનાના નેતા સંજય રાઉતે આજે કહ્યું કે અમે હવે કંગના વિશે વાત કરવાનું બંધ કરી દીધું છે. જેને જે કરવું હોય એ કરી લે. અમે સાંભળીશું, પણ બોલીશું નહીં, પરંતુ દરેક વાતની અમે નોંધ જરૂર લઈશું. અમે જોઈ રહ્યા છીએ કે કઈ રાજકીય પાર્ટી દેશ અને મહારાષ્ટ્ર વિશે શું વિચારે છે અને એમના વિચારો કેટલા ખરાબ છે.

રોગચાળા દરમિયાન મરાઠા અનામત મામલે મોરચા કાઢશો નહીંઃ ઉદ્ધવ ઠાકરેની જનતાને અપીલ

મુંબઈઃ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે રાજ્યની જનતા સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમમાં એમણે મરાઠા અનામત, ખેતીવાડીની લોન માફી સહિત અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. આ સાથે એમણે કોરોના વાઈરસ રોગચાળાનો સામનો કરવા માટે ‘મારો પરિવાર, મારી જવાબદારી’ ઝુંબેશ લોન્ચ પણ કરી છે.

મરાઠા સમાજના લોકોને સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતનો લાભ આપવા માટે પોતાની સરકાર ન્યાયની લડત ચલાવશે અને કાયદો ઘડશે, એમ તેમણે કહ્યું.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે મરાઠા સમાજને અનામતનો લાભ આપવાના રાજ્ય સરકારના નિર્ણયના અમલ સામે સ્ટે ઓર્ડર આપ્યો છે.

હાલ કોરોના રોગચાળાની અસર ચાલુ છે તે દરમિયાન લોકો મરાઠા અનામત મામલે મોરચા કે વિરોધ કૂચ ન કાઢે એવી ઠાકરેએ જનતાને અપીલ કરી છે.

કોરોના વાઈરસ બીમારી સામે લડવામાં સાવચેત અને જવાબદાર બની રહેવા ઠાકરેએ જનતાને ખાસ અપીલ કરી છે.

એમણે કહ્યું કે કોરોના વાઈરસ કટોકટી હજી સમાપ્ત નથી થઈ અને વધી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ પણ તેના એક અહેવાલમાં આમ જણાવ્યું છે. મહારાષ્ટ્ર સરકાર તબક્કાવાર અનલોક પ્રક્રિયા હાથ ધરી રહી છે. લોકોએ આ સમય દરમિયાન સંયમ જાળવવાની જરૂર છે. દરેક ધર્મના લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમનું પાલન કરીને એમના ઉત્સવોની ઉજવણી કરી છે. તે છતાં પોતાના પરિવારજનો તથા મિત્રોનું રક્ષણ કરવામાં પણ સતર્ક રહેવાની જરૂર છે.

ઠાકરેએ કહ્યું કે એવું જોવામાં આવી રહ્યું છે કે ઘણા લોકો એમના મિત્રો તથા સંબંધીઓને મળતી વખતે એમના મોઢા પરથી માસ્ક ઉતારી નાખે છે. આમ કરવું બરાબર નથી, માસ્કને આખો વખત પહેરી રાખવો જોઈએ.

ઠાકરેએ કહ્યું કે અમે મહારાષ્ટ્ર રાજ્યમાં આવતી 15 સપ્ટેમ્બરે મારો પરિવાર, મારી જવાબદારી નામક એક ઝુંબેશ શરૂ કરવાના છીએ. આનો મતલબ એ છે કે લોકોએ વ્યક્તિગત રીતે એમની પોતાની, એમના પરિવારજનોની અને એમના વિસ્તારની કાળજી રાખવાની રહેશે, જે આખરે સરકારને રાજ્યમાં કોરોના વાઈરસનો ફેલાવો રોકવામાં મદદ કરશે.

ઠાકરેએ જનતા સાથે સંવાદ મરાઠી ભાષામાં બોલીને કર્યો હતો. એમણે કહ્યું કે કેટલાક સ્થાપિત હિતો મહારાષ્ટ્રને બદનામ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જે કોઈ રાજકીય ઝંઝાવાત આવશે, હું એનો સામનો કરીશ… હું કોરોના વાઈરસનો પણ સામનો કરીશ. હાલને તબક્કે હું રાજકારણ વિશે બોલવા માગતો નથી, પરંતુ એનો મતલબ એ નથી કે મારી પાસે જવાબ નથી. મારા મૌનને કમજોરી તરીકે ગણવી ન જોઈએ. છેલ્લા અમુક દિવસોમાં પોતાની સરકાર રાજ્યમાં જનજીવનને ફરી થાળે પાડવા માટે સતત પ્રયત્નો કરી રહી છે. લોકોએ આમાં સરકારને સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે, એની તેમણે નોંધ પણ લીધી છે.

દેશમાં, મહારાષ્ટ્ર કોરોના વાઈરસથી સૌથી વધારે માઠી અસર પામેલું રાજ્ય છે. અહીં અત્યાર સુધીમાં કોરોનાના 10,37,765 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. આમાં 2,79,768 કેસ સક્રિય છે અને 7,28,512 જણ સાજા થઈ ચૂક્યા છે. મૃત્યુદર 2.81 ટકા રહ્યો છે.

Vi બની ‘ડ્રીમ11 IPL 2020’ની સહ-સ્પોન્સર

મુંબઈઃ ટેલીકોમ ઓપરેટર વોડાફોન આઈડિયા, જેણે હવે Viનું નવું બ્રાન્ડનેમ ધારણ કર્યું છે, એ ‘ડ્રીમ11 આઈપીએલ 2020’ની સહ-સ્પોન્સર બની છે. આ સ્પર્ધા આવતી 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં શરૂ થઈ રહી છે.

Vi કંપનીએ અબુધાબી, દુબઈ અને શારજાહમાં રમાનાર આઈપીએલ-13 અથવા આઈપીએલ-2020ના લાઈવ બ્રોડકાસ્ટના સહ-સ્પોન્સરશિપના હક પ્રાપ્ત કર્યા છે. મેચો સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. એમ Vi લિમિટેડ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.

આઈપીએલ-2020ની ટાઈટલ સ્પોન્સર ડ્રીમ11 છે. એણે રૂ. 222 કરોડની સૌથી ઊંચી બોલી લગાવીને આ અધિકાર પ્રાપ્ત કર્યા છે. ચાઈનીઝ મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદક કંપની વિવો ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલા સરહદી-વિવાદને કારણે સ્પર્ધાને સ્પોન્સર કરવામાંથી ખસી ગઈ છે.

આઈપીએલ-2020ને સહ-સ્પોન્સર કરવા માટે પોતે સ્ટાર સ્પોર્ટ્સ સાથે કરેલા સોદાની વિગતો Vi કંપનીએ બહાર પાડી નથી.

૧૩ સપ્ટેમ્બર ૨૦૨૦

Today In The History -130920