Home Blog Page 444

દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન ક્યારે શરૂ થશે? રેલ્વે મંત્રીએ અપડેટ આપી

દેશની સૌથી વૈભવી અને હાઇ-ટેક ટ્રેન, વંદે ભારતના સ્લીપર વર્ઝનની રાહ જોઈ રહેલા મુસાફરો માટે સારા સમાચાર છે. મહિનાઓના પરીક્ષણ, ટ્રાયલ અને તૈયારીઓ પછી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્રેનના લોન્ચ અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપી છે.

દેશની સૌથી પ્રીમિયમ મુસાફરીને એક નવી ઓળખ આપનાર વંદે ભારત એક્સપ્રેસના સ્લીપર વર્ઝન અંગે આખરે એક મોટી અપડેટ આવી છે. વર્ષોની રાહ અને અનેક લોન્ચ તારીખ મુલતવી રાખ્યા પછી, રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પુષ્ટિ આપી છે કે આ લક્ઝરી સ્લીપર ટ્રેન આગામી ડિસેમ્બરમાં શરૂ થશે. આનો અર્થ એ છે કે મુસાફરોના આરામદાયક, ઝડપી અને હાઇ-ટેક ટ્રેન મુસાફરીના સપના સાકાર થવાના છે.

મનીકંટ્રોલના અહેવાલ મુજબ, અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનના પ્રથમ રેકના પરીક્ષણ દરમિયાન કેટલીક નાની સમસ્યાઓ મળી આવી હતી. તેથી, બોગીઓ, સીટો અને મુસાફરોની સુવિધાઓ અંગે કેટલાક ફેરફારોની ભલામણ કરવામાં આવી હતી. આ બધા સુધારાઓ પર કામ હવે ઝડપથી આગળ વધી રહ્યું છે. રેલ્વે મંત્રીએ જણાવ્યું હતું કે ફેરફારો નાના હોઈ શકે છે, પરંતુ તે ખૂબ જ ગંભીરતાથી હાથ ધરવામાં આવી રહ્યા છે કારણ કે અમારું લક્ષ્ય મુસાફરો માટે આરામદાયક મુસાફરી સુનિશ્ચિત કરવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે આ ટ્રેન આવનારી પેઢીઓ માટે એક અદ્ભુત ટ્રેન રહેશે, તેથી કંઈપણ ઉતાવળમાં કરવામાં આવશે નહીં.

પ્રથમ રેક BEML ને પરત કરવામાં આવી

BEML, જે વંદે ભારત સ્લીપર ટ્રેનોનું ઉત્પાદન કરે છે, તેણે પુષ્ટિ આપી છે કે પ્રોટોટાઇપ રેક તેમને રેટ્રોફિટિંગ માટે પરત કરવામાં આવી છે. RDSO અને રેલવે સલામતી કમિશનરની દેખરેખ હેઠળ ટ્રેનનું અનેક રાઉન્ડ પરીક્ષણ અને ટ્રાયલ કરવામાં આવ્યા હતા. BEML ના અધિકારીના જણાવ્યા અનુસાર, કારણ કે આ એક પ્રોટોટાઇપ છે, તે સ્વાભાવિક છે કે તે તમામ સલામતી અને આરામ પરિમાણો પર વ્યાપક પરીક્ષણમાંથી પસાર થશે. બધા સૂચવેલા ફેરફારો લાગુ કરવામાં આવી રહ્યા છે.

સલામતી અને આરામ માટે નવા ધોરણો

RDSO ને લખેલા પત્રમાં રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે ભવિષ્યની ટ્રેનોમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવશે, જેમ કે ફાયર સેફ્ટી માટે આર્ક ફોલ્ટ ડિટેક્શન ડિવાઇસ, AC ડક્ટ માટે નવા સ્થાનો, CCTV માટે ફાયર-સર્વાઇવલ કેબલ્સ, યુરોપિયન ફાયર અને ક્રેશ ધોરણો માટે થર્ડ-પાર્ટી ઓડિટ અને ઇમરજન્સી એલાર્મ બટનો માટે નવી સ્થિતિ. વધુમાં, ટ્રેનના ફર્નિશિંગ અને કારીગરી સંબંધિત મુદ્દાઓને ઉકેલવા માટે સુધારા કરવામાં આવી રહ્યા છે.

બિહારમાં નીતીશકુમાર 10મી વખત બનશે CMના લેશે શપથ

પટનાઃ નીતીશકુમાર આજે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ લઈને 10મી વખત બિહારના CM તરીકે વાપસી કરશે. આ જ સ્થળે 1974માં જયપ્રકાશ નારાયણે “સંપૂર્ણ ક્રાંતિ”નું આહ્વાન કર્યું હતું. JDUના સુપ્રીમો નીતીશકુમારે NDA દ્વારા 202 વિધાનસભા વિસ્તારોમાં જીત બાદ બિહારમાં સરકાર બનાવવાનો દાવો ગઈ કાલે રજૂ કર્યો હતો.

તેમણે બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને ગઈ કાલે મુખ્ય મંત્રીનું રાજીનામું સોંપ્યું હતું. આ પહેલાં નીતીશકુમારને સર્વસંમતિથી NDA વિધાનસભા દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તેમના પટનાસ્થિત નિવાસસ્થાને થયેલી બેઠકમાં તેઓ JDU વિધાનસભા દળના નેતા તરીકે પણ પસંદ થયા હતા.

આ પ્રસંગે તેમના ડેપ્યુટી સમ્રાટ ચૌધરી અને વિજય સિંહા, લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના અધ્યક્ષ ચિરાગ પાસવાન અને બિહાર ભાજપાધ્યક્ષ દિલીપ કુમાર જયસ્વાલ હાજર હતા. આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને NDAના અન્ય નેતાઓ હાજર રહેશે. NDA શાસિત રાજ્યોના અનેક મુખ્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેવાની શક્યતા છે.

બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં NDAએ ઐતિહાસિક જીત મેળવી હતી — 243માંથી 202 બેઠકો. જ્યારે મહાગઠબંધન માત્ર 35 બેઠકો જીતી શક્યું. 2010માં એનડીએએ 206 બેઠકો જીતી હતી.

NDAમાં ભાજપે 89, JDUએ 85, LJP (રામવિલાસ)એ 19, HAMSએ 5 અને RLMએ 4 બેઠકો જીતી.

નવી કેબિનેટના નવા ચહેરાઓ અંગે ચર્ચા

રાજ્યના મંત્રી મંડળમાં અનુભવી નેતાઓની સાથે યુવા ચહેરાઓને પણ સ્થાન આપવાની સંભાવના છે, જેમાં નીચેના નેતાઓને મંત્રી પદ મળવાની સંભાવના છે.

રામ કૃપાલ યાદવ – ભાજપ

શ્રેયસી સિંહ – ભાજપ

દીપક પ્રકાશ – આરએલએમ

રમા નિષાદ – ભાજપ

સંજય ટાઇગર – ભાજપ

રાજુ તિવારી – લોજપા

નીતીશકુમારનો આ શપથગ્રહણ ઐતિહાસિક છે, કારણ કે તેઓ સતત બિહારમાં પોતાની રાજકીય પકડ મજબૂત રાખી રહ્યા છે. NDAની જીત પછી રાજ્યમાં વિકાસની ગતિ વધવાની આશા વધી છે. લોકોમાં નવી સરકાર પ્રત્યે ઉત્સાહ છે અને નીતીશકુમારના નેતૃત્વમાં બિહારને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.

સુવિચાર – ૨૦ નવેમ્બર ૨૦૨૫

૨૦ નવેમ્બર ૨૦૨૫

કબીરવાણી: નયન- મનના ભાવોની નિર્લિપ્ત ભાષા

 

પ્રેમ છિપાયા ના છિપે, જા ઘટ પરગટ હોય,

જો પે મુખ બોલે નહીં, નૈન દેત હૈ રોય.

 

આપણી આંખો અમૂલ્ય રત્ન છે. તેના થકી આપણે વિશ્વદર્શન કરીએ છીએ. આંખોની જોવાની શક્તિથી તો આપણે સૌ પરિચિત છીએ, પરંતુ આંખ દ્વારા ભાવની અભિવ્યક્તિ કરવી એ નયનોની વિશિષ્ટ શક્તિ છે. અભિનયના કલાકારોનો ભાવ સમગ્ર શરીર દ્વારા વ્યક્ત થાય છે.

માનસશાસ્ત્રમાં દેહની ભાષાનો વિષય આગવું સ્થાન ધરાવે છે. પ્રેમની ઉત્કટ લાગણી છુપાવી શકાતી નથી. નરસિંહનું રાસલીલાનું નિહાળવું કે મીરાંનો ભાવાવેશ એવી સ્થિતિ છે જેમાં શરીરનું રોમ રોમ પ્રભુમય બની જાય છે.

આ પ્રેમનો ભાવ શબ્દોથી વ્યક્ત કરવો જરૂરી નથી. સમગ્ર દેહમાં જે ભાવ પ્રસરી જાય છે તેની નેણ ચાડી ખાઈને પ્રગટ કરી દે છે.

બુદ્ધ, ઈશુ કે ગાંધીના નયનોમાંથી જે કરુણા ઝરતી હતી તેનાથી જ લોકો અભિભૂત થઈ જતા હતા. ત્રાટક વિદ્યામાં પણ નયનો સ્થિર કરી એકાગ્રતા કેળવવાનું મહત્ત્વ છે. ભય, કરુણા, પ્રેમ, ગુસ્સો, કામ જેવી અનેક લાગણી આંખોમાં મોટા ફેરફારો કરી દે છે. આપણે સૃષ્ટિને જોવા દૃષ્ટિનો ઉપયોગ કરીએ છીએ તે આંખો જ આપણું ભાવવિશ્વ દર્શાવે છે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

પળવારમાં પેચીદા પ્રશ્ન ઉકેલતી ગુરુચાવી

સુખ અને દુઃખ, ચડતી અને પડતી એ માનવજીવન સાથે વણાઈ ગયેલાં પરમ સત્યો છે. પરંતુ કેટલાંક દુઃખો એવાં હોય છે, જે મનની અંદર જન્મે છે ને અંદર જ અથડાતાં રહે છે. માણસ મેળામાં પણ એકલતતા અનભવે છે, ચોવીસ કલાક નિરાશા એના ખભા પર બેઠી હોય છે, અજાણ્યું અંધારું એની ઘેરી વળ્યું હોય છે.

 

જો કે અંધકારનું ષડ્યંત્ર બહુ લાંબું ચાલતું નથી. પોતીકાનો એક મૃદુ સ્પર્શ, મીઠી નજર, કે સાદ એને ભગાવવા પૂરતાં છે. આ બધાં સાથે મળીને મનમાં ઉજાસ રેલાવે છે. આ પણ જીવનનું ગહન ને પરમ સત્ય છે.

અમેરિકામાં જૉની કેશ નામનો મોટા ગજાનો ગાયક થઈ ગયો. તેણે તેના જીવનકાળ દરમિયાન 1500થી વધુ ગીતો ગાયાં. સંગીતજગતનો પ્રતિષ્ઠિત ગણાય એવો ગ્રેમી એવૉર્ડ પણ મેળવેલો. 1961માં, એક જ વર્ષમાં જૉનીએ 290 લાઈવ કન્સર્ટ્સ કરેલા.

અચાનક જૉનીને શું દુઃખ આવી પડ્યું કે એ ડ્રગ્ઝનો બંધાણી થઈ ગયો. મનોવિજ્ઞાનીઓના કહેવા મુજબ અમર્યાદ ધનસંપત્તિ, પ્રતિષ્ઠા અને વાહવાહથી એ છકી ગયો હોવો જોઈએ. જે હોય તે, પણ વધુ પડતા ડ્રગ્ઝના સેવનથી એનું ગળું સુકાઈ જતું, એ ગાઈ શકતો નહોતો, એનું વજન ઊતરી ગયું. જૉની પર પોલીસ કેસ થયા, હૉસ્પિટલ-રિહેબિલિટેશન સેન્ટરમાં એની આવનજાવન ચાલુ રહેતી.

એક દિવસ જૉનીએ જીવનનો અંત આણી દેવાનું નક્કી કર્યું. એ નિકાજેક ગુફામાં જતો રહ્યો. અમેરિકાના ટેનેસી રાજ્યની નિકાજેક ગુફા એવી અટપટી ને ખતરનાક છે કે એમાં ગયેલો પાછો ભાગ્યે જ આવી શકે. જૉની એ અંધારી ગુફામાં કલાકો સુધી રઝળ્યો, મૃતઃપ્રાય થઈને ઢળી પડ્યો, પરંતુ અથડાતો-કૂટાતો ગુફાની બહાર આવી ગયો. એ સમયે એણે પોતાની માતા તથા પત્નીને ત્યાં ઊભેલાં જોયાં. સૌ જૉનીની ભાળ કાઢતાં આવી પહોંચેલાં. તેમણે જૉનીને પ્રેમથી આવકાર્યો. આવું શું કામ કર્યું એ વિશે એક શબ્દ નહીં.

જૉની નોંધે છે કે “મારી માતા-પત્નીના સ્નેહે મને હિંમત આપી. હું એકલવાયો અને ઓરમાયો થયો ત્યારે તેમણે મને પ્રેમ આપ્યો.” પત્ની અને માતાના સ્નેહે તે કલાકારને બચાવી લીધો. તેની ડ્રગની લત છૂટી ગઈ અને જીવન પુનઃ સીધી લીટીમાં આવી ગયું. 2003માં 72 વર્ષની વયે એનું અવસાન થયું.

ઉપરોક્ત સત્યઘટનામાં ‘સ્નેહ’ની તાકાત દેખાય છે. કહે છેને કે, સ્નેહભરી સંભાળ આખી દુનિયા બદલી શકે છે. એ દુનિયા ભલેને યુવાનની જ કેમ ન હોય? કહ્યું છેને કે “બાય અ સ્વીટ ટંગ ઍન્ડ કાઈન્ડનેસ, યુ કૅન ડ્રૅગ ઍન એલિફન્ટ વિથ હૅર” અર્થાત્ “મધ જેવી મીઠી બોલી અને મમતાથી તો હાથી જેવા હાથીને કાચા સૂતરના તાંતણે દોરી શકાય.”

ન્યુ જર્સીમાં રહેતા એક ભારતીય યુવાનનાં લગ્ન માતા-પિતાએ દેશની સુકન્યા સાથે ધામધૂમથી કરાવ્યાં, પણ લગ્ન પછી યુવાને પત્નીને અમેરિકા લાવવાની ના પાડી દીધી. મા-બાપ, સગાંવહાલાં સમજાવીને થાક્યાં. સંયોગથી એ અરસામાં પૂજ્ય પ્રમુખ સ્વામી પ્રેરણાથી ન્યુ જર્સીમાં ભારતીય સાંસ્કૃતિક મહોત્સવ- કલ્ચરલ ફેસ્ટિવલ ઑફ ઈન્ડિયા યોજાયેલો. પેલો યુવાન ઉત્સવ પ્રસંગે સ્વામીશ્રીના સંપર્કમાં આવ્યો. સ્વામીશ્રીના સ્નેહ અને સૌહાર્દમાં એ યુવાન ભીંજાયો. એક સાંજે સ્વામીશ્રીએ તેને લગ્ન બાબત પૂછ્યું, એ વિશે સ્નેહપૂર્વક ચર્ચા કરી. ત્યાર બાદ યુવાને કહ્યું: “સ્વામી, આપ કહો તે કરવા તૈયાર છું. આપના આશીર્વાદ હોય તો હું તેને બોલાવીશ.”

આમ, સ્નેહના જાદુથી એક પેચીદો પ્રશ્ન પળમાં પીગળી ગયો.

સાચું જ કહેવાયું છે કે હૃદયમાંથી નીકળે એ હૃદયસોંસરવું ઊતરે. તમે પણ અનુભવ્યું હશે. ઘણા લોકો એવા હોય છે, જેમની સાથે વાત કરીને એવું લાગે કે એ આપણી સાથે જાણે દિલથી વાત કરી રહ્યા છે. એમના દિલમાંથી નીકળેલો એક એક શબ્દ સામેવાળાના દિલમાં ઊતરી જાય, એ શબ્દોને ગ્રહણ કરવાનું તેને અનુસરવાનું ખરેખર મન થાય.

તો આપણે પણ મહાપુરુષોનાં જીવનમાંથી પ્રેરણા લઈએ, આપણે પણ આપણા પ્રત્યે હૃદયનો સેતુ રચીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

બિહારમાં 10મી વખત નીતિશ કુમાર

બિહારમાં નવી સરકાર આજે, ગુરુવારે શપથ લેવાના છે. મુખ્યમંત્રી પદ અંગેનો સસ્પેન્સ દૂર થયો છે. નીતિશ કુમાર બિહારના આગામી મુખ્યમંત્રી બનશે. તેઓ 10મી વખત શપથ લેશે. તેમના શપથ ગ્રહણ સાથે, તેઓ બિહારના 19મા મુખ્યમંત્રી બનશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 11:30 વાગ્યે પટનાના ગાંધી મેદાનમાં થશે. બંને નાયબ મુખ્યમંત્રી પણ રહેશે. બુધવારે પટનામાં ત્રણ મોટી બેઠકો યોજાઈ હતી. પહેલી બેઠક મુખ્યમંત્રી નિવાસસ્થાને થઈ હતી. નીતિશ કુમારને મુખ્યમંત્રી નિવાસસ્થાને JDU વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટવામાં આવ્યા હતા.

નીતિશ કુમારની નેતા તરીકે પસંદગી થયાના થોડા સમય પછી, ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મળી. સમ્રાટ ચૌધરી નેતા તરીકે ચૂંટાયા અને વિજય સિંહા ઉપનેતા તરીકે ચૂંટાયા. બંને નાયબ મુખ્યમંત્રી પણ છે. કેન્દ્રીય નિરીક્ષક કેશવ પ્રસાદ મૌર્યએ બેઠકમાં બંનેની પ્રશંસા કરી. બંને બેઠકો બાદ, NDA વિધાનસભા પક્ષની બેઠક મળી. આ બેઠકમાં, નીતિશને નેતા તરીકે ચૂંટવામાં આવ્યા, જેનાથી બિહારના આગામી મુખ્યમંત્રી તરીકે તેમની નિમણૂકની પુષ્ટિ થઈ.

વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા બાદ, નીતિશ કુમાર રાજભવન ગયા. તેમણે રાજ્યપાલને પોતાનું રાજીનામું સુપરત કર્યું અને સરકાર બનાવવાનો દાવો કર્યો. તેમણે રાજ્યપાલને સમર્થન પત્ર પણ સુપરત કર્યો. અહીં સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે નીતિશે NDA વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા ત્યાં સુધી પોતાના પદ પરથી રાજીનામું આપ્યું ન હતું. તેઓ એક દિવસ પહેલા રાજ્યપાલને મળ્યા હતા, પરંતુ 19 તારીખે રાજીનામું આપવાની જાહેરાત કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

પંચાંગ 20/11/2025

અનમોલ બિશ્નોઈને 12 દિવસની કસ્ટડીમાં મોકલાયો

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અને મોસ્ટ વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈને પટિયાલા હાઉસ કોર્ટે ૧૧ દિવસ માટે NIA કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. NIAએ દલીલ કરી હતી કે અનમોલની કસ્ટડીમાં પૂછપરછ જરૂરી છે, કારણ કે તેની સામે ૩૫ થી વધુ હત્યાઓ, ૨૦ થી વધુ અપહરણ, ખંડણી, ધમકીઓ અને હિંસાના કેસોમાં સીધી સંડોવણી હોવાના મજબૂત પુરાવા મળી આવ્યા છે.

National Investigation Agency (NIA) arrests Anmol Bishnoi, brother and close aide of jailed gangster Lawrence Bishnoi, following his deportation from the United States. Anmol, absconding since 2022 and the 19th accused in the terror-gangster conspiracy case, was chargesheeted for aiding Lawrence Bishnoi and Goldy Brar in multiple terror activities between 2020 and 2023. (IANS)

ખરેખર, અનમોલ બિશ્નોઈને યુનાઇટેડ સ્ટેટ્સથી ભારત મોકલી દેવામાં આવ્યો છે. NCP નેતા બાબા સિદ્દીકીની હત્યાના મુખ્ય કાવતરાખોર અનમોલની NIA અને દિલ્હી પોલીસની એક વિશેષ ટીમ દ્વારા ૧૯ નવેમ્બરના રોજ IGI એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. તેને કડક સુરક્ષા હેઠળ સીધા પટિયાલા હાઉસ કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને રિમાન્ડ પર મોકલ્યો હતો. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સમગ્ર સુનાવણી ઇન-કેમેરા કરવામાં આવી હતી, જેમાં મીડિયા સહિત બહારના લોકોનો સમાવેશ થતો ન હતો.

એજન્સીએ કોર્ટમાં દલીલ કરી હતી કે અનમોલના કબજામાંથી બે ભારતીય પાસપોર્ટ મળવાથી નકલી દસ્તાવેજોનો ઉપયોગ થયો હોવાનું જણાય છે, જે તેના ગુનાહિત નેટવર્કની ઊંડાઈ દર્શાવે છે. હત્યા સહિતના ગંભીર ગુનાઓનો પર્દાફાશ કરવા, ગુનાઓમાં સંડોવાયેલા લોકો, ભંડોળના સ્ત્રોત અને ગુનાઓ કયા નેટવર્ક દ્વારા આચરવામાં આવ્યા હતા તે ઓળખવા માટે કસ્ટોડિયલ પૂછપરછ મહત્વપૂર્ણ છે.

પાકિસ્તાનને ભારત તરફથી હુમલાનો ડર

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફને ભારત તરફથી હુમલાનો ડર છે. મંગળવારે તેમણે કહ્યું કે ભારત સાથે યુદ્ધની શક્યતાને નકારી શકાય નહીં. દેશ સંપૂર્ણ સતર્ક છે. પાકિસ્તાની સંરક્ષણ પ્રધાનની ટિપ્પણી ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂરને “88 કલાકનો ટ્રેલર” ગણાવ્યાના થોડા દિવસો પછી આવી છે. દ્વિવેદીએ કહ્યું હતું કે જો પરિસ્થિતિ માંગ કરે તો, સેના પાકિસ્તાનને તેના પડોશી દેશ સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે વ્યવહાર કરવો તે શીખવવા માટે તૈયાર છે.

સામા ટીવી સાથેની મુલાકાતમાં ખ્વાજા આસિફે કહ્યું, “અમે કોઈપણ સંજોગોમાં ભારતની અવગણના કરી રહ્યા નથી કે તેના પર વિશ્વાસ કરી રહ્યા નથી. હું ભારત તરફથી કોઈપણ પ્રકારના યુદ્ધ અથવા પ્રતિકૂળ વ્યૂહરચનાની શક્યતાને નકારી શકતો નથી. આપણે સંપૂર્ણપણે સતર્ક રહેવું પડશે.”

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ઓપરેશન સિંદૂરને “૮૮ કલાકનું ટ્રેલર” ગણાવ્યાના થોડા દિવસો પછી તેમની ટિપ્પણી આવી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જો પરિસ્થિતિ માંગ કરે તો, સશસ્ત્ર દળો પાકિસ્તાનને તેના પડોશી દેશ સાથે જવાબદારીપૂર્વક કેવી રીતે વર્તવું તે શીખવવા માટે તૈયાર છે.

દિલ્હીમાં કાર વિસ્ફોટ

આ વર્ષે અનેક હિંસક ઘટનાઓ બાદ નિવેદનોની આપ-લે કરવામાં આવી છે. ૧૦ નવેમ્બરના રોજ, દિલ્હીમાં કાર બોમ્બ વિસ્ફોટમાં ૧૫ લોકો માર્યા ગયા, જે પહેલગામ હુમલા પછી ભારતીય ભૂમિ પરનો બીજો મોટો હુમલો હતો.