Home Blog Page 43

મહારાષ્ટ્રમાં 1200થી વધુ લોકો સાથે છેતરપિંડીઃ રૂ. 180 કરોડનું કૌભાંડ

મુંબઈ:મહારાષ્ટ્રના થાણે શહેરમાં એક મોટું મૂડીરોકાણ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં લગભગ 1200થી વધુ રોકાણકારોને 180 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આ કૌભાંડની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હવે વરિષ્ઠ IPS અધિકારીઓની દેખરેખ હેઠળ વિશેષ તપાસ ટીમ (SIT) રચવાની માગ ઉગ્ર બની છે. પીડિતોના વકીલ રાજેશ કાકડેએ આ મામલે રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP)ને સત્તાવાર પત્ર મોકલી આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવાની માગ કરી છે.

 ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો બન્યા શિકાર

આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે છેતરપિંડીના ભોગ બનેલા લોકોએ ફરિયાદ નોંધાવી અને 24 ફેબ્રુઆરી 2026એ થાણે નગર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રીતે FIR દાખલ કરવામાં આવી. ઠગોએ રોકાણ પર ભારે નફાનો લાલચ આપીને સમાજના મધ્યમ વર્ગીય અને ગરીબ પરિવારોને નિશાન બનાવ્યા હતા. જીવનભરની બચત ગુમાવ્યા બાદ હવે પીડિતો ન્યાય માટે ભટકી રહ્યા છે.

 સચિન રાણે, પ્રીતિ રાણે અને સાગર કરિવડેકર સામે કેસ

આ મૂડીરોકાણ કૌભાંડમાં મુખ્ય આરોપી સચિન રાણે, તેની પત્ની પ્રીતિ રાણે અને તેમના સાથીદાર સાગર કરિવડેકર સહિત અનેક લોકો સામે કેસ નોંધાયો છે. પોલીસે આરોપીઓ સામે BNS તથા મહારાષ્ટ્રમાં નાણાકીય છેતરપિંડી રોકવા માટે બનાવાયેલા કડક કાયદા MPID (મહારાષ્ટ્ર ડિપોઝિટર્સ ઇન્ટરેસ્ટ પ્રોટેક્શન એક્ટ) હેઠળ કાર્યવાહી શરૂ કરી છે.

જૂનો ગુનાહિત ઇતિહાસ છુપાવવાનો આરોપ

મુખ્ય આરોપી સચિન રાણેએ ધરપકડથી બચવા માટે કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં હતાં, પરંતુ 11 માર્ચે થાણે સેશન કોર્ટે તેની આગોતરી જામીન અરજી સંપૂર્ણપણે ફગાવી દીધી હતી. ત્યાર બાદ બોમ્બે હાઈકોર્ટમાંથી પણ આરોપીઓને કોઈ અંતરિમ રાહત મળી નહોતી. ફરિયાદી પક્ષના વકીલનો આરોપ છે કે આરોપીઓનો જૂનો ગુનાહિત રેકોર્ડ પણ હતો, જેને તેમણે ચાલાકીથી કોર્ટથી છુપાવ્યો હતો.

એક આરોપીની ધરપકડ, પરંતુ રાણે દંપતી હજુ ફરાર

આ મામલે પોલીસે આંશિક સફળતા ત્યારે મેળવી જ્યારે સહ-આરોપી સાગર કરિવડેકરને સાવંતવાડી પોલીસની મદદથી ધરપકડ કરવામાં આવી. જોકે પૂરતા પુરાવા હોવા છતાં મુખ્ય આરોપી સચિન રાણે અને તેની પત્ની પ્રીતિ રાણે હજુ સુધી પોલીસની પકડથી દૂર છે અને ફરાર છે. માત્ર થાણે જ નહીં, પરંતુ મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં પણ આ ગેંગ સામે 34 લાખ રૂપિયાની છેતરપિંડીનો વધુ એક કેસ નોંધાયો છે.

UP, બંગાળ બાદ દિલ્હીમાં બકરી ઈદે ખુલ્લામાં કુરબાની પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ હવે દિલ્હીની ભાજપ સરકારે પણ બકરી ઈદને લઈને માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હીમાં પણ રસ્તાઓ અને ગલીઓમાં કુરબાની કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુરબાની માત્ર માન્ય અને નિર્ધારિત સ્થળોએ જ કરી શકાશે. ઉપરાંત બકરી ઈદ દરમિયાન ગૌવંશ, ગાય, વાછરડું, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓની કુરબાની કરવા પર કડક કાર્યવાહી કરવામાં આવશે.

દિલ્હી સરકારે માર્ગદર્શિકા જાહેર કરી

દિલ્હી સરકારના મંત્રી કપિલ મિશ્રાએ બકરી ઈદને લઈને સરકારની માર્ગદર્શિકા જાહેર કરી. તેમણે જણાવ્યું હતું કે બકરી ઈદ દરમિયાન ગૌવંશ, ગાય, વાછરડું, ઊંટ અને અન્ય પ્રતિબંધિત પ્રાણીઓની કુરબાની સંપૂર્ણપણે ગેરકાયદે છે અને આવું કરનારાઓ સામે ફોજદારી કેસ દાખલ કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જાહેર સ્થળો, ગલીઓ અને રસ્તાઓ પર કુરબાની કરવાની મંજૂરી નથી અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે પણ કાનૂની કાર્યવાહી થશે.

બકરી ઈદના તહેવાર માટે દિલ્હી સરકારની માર્ગદર્શિકા

ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ બાદ દિલ્હીની ભાજપ સરકારે પણ બકરી ઈદ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. દિલ્હીમાં રસ્તાઓ અને ગલીઓમાં કુરબાની કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કુરબાની માત્ર કાયદેસર અને મંજૂર સ્થળોએ જ થઈ શકશે.

પશુઓની ગેરકાયદે કુરબાની સામે કાર્યવાહી થશે

દિલ્હી સરકારે બકરી ઈદને ધ્યાનમાં રાખીને અધિકારીઓને રાજધાનીમાં ગેરકાયદે પશુવધ, અનધિકૃત પશુ વેપાર અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કાર્યવાહી વધુ કડક બનાવવાનો નિર્દેશ આપ્યો છે. વિકાસ મંત્રી કપિલ મિશ્રાએ સમીક્ષા બેઠક દરમિયાન જણાવ્યું હતું કે પશુઓના ગેરકાયદે પરિવહન, ગેરકાયદે વધ અને પશુઓ પ્રત્યેની ક્રૂરતા સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેમણે કહ્યું કે “ઈદ-ઉલ-અઝહા દરમિયાન પશુ કલ્યાણ અને જાહેર સ્વચ્છતા સુનિશ્ચિત કરવા માટે કુરબાની માત્ર અધિકૃત અને નિર્ધારિત સ્થળોએ જ કરવાની મંજૂરી હોવી જોઈએ.

આ એડવાઇઝરીની નકલ જિલ્લા કલેક્ટરો (DM), પોલીસ ઉપઆયુક્તો (DCP), મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને અન્ય સંબંધિત વિભાગોને મોકલવામાં આવી છે, જેથી બકરી ઈદ દરમિયાન કાયદાનું કડક પાલન સુનિશ્ચિત થઈ શકે.

વાસ્તુ: ખુરસીની ઉર્જા કે સમાજની નિષ્ક્રિયતા?

એક જાહેરખબરમાં ખુરસી વિશેની માન્યતા દર્શાવવામાં આવી છે. કોઈની ખુરસી પર ન બેસવું એ ભારતીય વિચારધારાનો એક ભાગ છે. ‘બત્રીસ પુતળી’ની વાર્તામાં આ વાત અત્યંત સુંદર રીતે કહેવામાં આવી છે કે એક ભરવાડનો નાનકડો દીકરો માટીના ટીંબા પર બેસીને રાજા ભોજ કરતાં પણ વધુ સારો ન્યાય કરે છે. જ્યારે ટીંબો ખોદવામાં આવે છે ત્યારે એમાંથી વિક્રમાદિત્યનું સિંહાસન નીકળે છે.

આમ, જે વ્યક્તિ જે ખુરસી પર બેસે છે, તેની ઉર્જા એ જગ્યાએ છોડી જાય છે. આજ કારણથી પોતાની ખુરસી પર કોઈને પણ બેસવા ન દેવાય અથવા બીજાની ખુરસી પર ન બેસાય.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.

સવાલ: અમારી સોસાયટીમાં છેલ્લા પંદર વર્ષથી જેટલી કમિટીઓ આવી છે, એ ભ્રષ્ટાચારના કારણે જ બદલાઈ છે. જૂના લોકો આવીને ભ્રષ્ટાચાર સાબિત કરે છે, પરંતુ એકેય રૂપિયો પાછો આવ્યો નથી. એ લોકોના ઘર અમારી સોસાયટી પર ચાલે છે. હાલની કમિટી તો પરિવાર સાથે ઓફિસના એસીમાં પડી-પાથરી રહે છે. નવરા લોકો વાતે વાતે ઉઘરાણી કરે છે. સોસાયટીના સ્વિમિંગ પુલમાં એમના ઓળખીતાઓ પડેલા દેખાય છે.

તહેવારોમાં એમના મિત્રો દારૂ પીીને અમારી સોસાયટીના લોકોને હેરાન કરે છે. પોતે મોટા માણસોને દારૂની પાર્ટીમાં બોલાવતા હોવાના દાવા કરે છે, પરંતુ સોસાયટીમાં પોલીસ આવે તો ગાયબ થઈ જાય છે. ઘણા ઉંધા ધંધા એમના રાજમાં ચાલે છે.

વળી, દરેક મેનેજરને નવી કમિટી વાળાઓએ મારીને ભગાડ્યા છે. છતાં નવા મેનેજરો પેલા જીનની માફક “જી મોરે આકા” કરીને દરેક જગ્યાએ સહી કરી દે છે અને એમના પાપ પોતાના માથે લે છે. એટલે કમિટીના બદલે મેનેજરે ખોટું કર્યું એવું કહીને કમિટી છટકી શકે. શું આવું કોઈ વાસ્તુદોષના કારણે થાય?

જવાબ: ભારતીય વાસ્તુના નિયમો માનવજાતને મદદ કરવા માટે રચાયેલા છે. તમારી સોસાયટીમાં જે રાક્ષસરાજ ચાલે છે, એની સામે તમારે જ વિરોધ કરવો પડશે. જો જૂની કમિટીએ આર્થિક ભ્રષ્ટાચાર કર્યો છે અને એ સાબિત થયું છે, તો એ પૈસા પાછા લાવવા માટે હાલની કમિટીએ પ્રયાસ કરવો જોઈએ.

પરંતુ એના બદલે એ લોકો પણ નવો ભ્રષ્ટાચાર કરે છે, એ જ બતાવે છે કે તમે લોકોએ એ વ્યવસ્થા સ્વીકારી લીધી છે. જે લોકો પોતાના હક માટે લડવાનું ભૂલી જાય છે, એ અંતે ગુલામી જ ભોગવે છે. વિરોધ કરો.

મેનેજર બિચારા પગાર માટે ન કરવાનું ઘણું કરવા તૈયાર થઈ જાય છે. બેરોજગારીના સમયમાં આ એમની મજબૂરી પણ હોઈ શકે. દરેક ખુરસીની પોતાની ઉર્જા હોય છે. જો જૂનો માણસ એ ખુરસીનો દુરુપયોગ કરીને ગયો હોય, તો એની અસર નવા માણસના માનસ પર પણ પડી શકે છે.

નવાઈની વાત એ છે કે જૂના મેનેજરો પોતાનો અનુભવ નવાને કહેતા નથી, અને તમે લોકો પણ જૂના અનુભવમાંથી શીખતા નથી. રાક્ષસોના રાજમાં પણ લોકોએ પોતાનો બચાવ કર્યો જ છે. બકાસુર સામે કૃષ્ણ નહીં, પરંતુ ભીમે વિરોધ કર્યો હતો. તમે ગુંડાઓને રાજ આપશો તો એ ગુંડાગીરી જ કરશે. એકત્રિત થઈને વિરોધ કરો.

સ્વિમિંગ પુલના પાણીથી ચામડીના રોગ થઈ શકે છે. સાવ અજાણ્યા લોકોને એમાં આવવા ન દેવાય. વળી, સોસાયટીમાં દારૂની પાર્ટીઓ થતી હોય અને તમે એ ચલાવી લેતા હો, એ પણ દુઃખદ છે.

સોસાયટીના સભ્યો દરરોજ એક વખત ઓફિસમાં આંટો મારો. એનાથી નવી ઉર્જા ઉભી થશે. શક્ય હોય તો બધા થોડો સમય ઓફિસમાં બેસો. આનાથી એ લોકોની નકારાત્મક ઉર્જાની જગ્યાએ સકારાત્મક ઉર્જા આવશે.

નવી કમિટીની પસંદગીમાં જાતિવાદ કે ભાષાવાદને બદલે સારા માણસોને પસંદ કરો.

સૂચન: પ્રમોશન થાય ત્યારે નવી ખુરસીનો આગ્રહ રાખવો જોઈએ, જેથી જૂના માણસની સમસ્યાઓનો સામનો કરવો ન પડે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

આત્મવંચના : એવી વાત જે તમારા આધ્યાત્મિક ગુરુ તમને કદી નહીં કહે

આપણા સમાજની સૌથી મોટી ખામી એ છે કે આપણે જરૂરિયાત પ્રમાણે નહીં, પણ બીજાને જોઈને સુધરવાનું શરૂ કરીએ છીએ. અને એટલે જ આપણને પોતાની જાતને સુધારવા માટે જેટલા પણ ઉપાયો મળ્યા છે, તે મોટા ભાગે બાહ્ય હોય છે, આંતરિક નહીં. જ્યારે જ્યારે લોકોને એવું લાગ્યું કે હવે આપણે પણ પ્રસિદ્ધ લોકો જેવી રહેણીકરણી અને વિચારો અપનાવવા છે, ત્યારે તેનું કારણ માત્ર દેખાડો અને પોતાને છેતરવાનો એક અભિગમ જ હોય છે. જ્યારે સાચું પરિવર્તન હંમેશાં આંતરિક હોય છે. જ્યાં દેખાડાને સ્થાન હોતું નથી, જ્યાં પોતાને બીજાઓ સામે સાબિત કરવાની જરૂર રહેતી નથી.

પણ જમાનો હવે દેખાડાનો છે, એટલે આવી બાબતો સહજ બની ગઈ છે. અને આ જ અભિગમનો સૌથી વધુ ફાયદો મળે છે પ્રોફેશનલ આધ્યાત્મિક વેપારીઓને.

મેજિક પીલ – મેડિટેશન

આપણે દુનિયાને યોગ શીખવ્યો, પરંતુ ખરેખર આપણે જ તેનો ખરો અર્થ ભૂલી ગયા છીએ. મારી-તારી પંચાત, ઢગલો જંક ફૂડ, સવારથી સાંજ સુધીનો નોનસ્ટોપ કામનો થાક — અને પછી માત્ર 5 મિનિટ શ્વાસની ક્રિયા તથા 15 મિનિટ બંધ આંખોની પાછળ આપણે સ્વાસ્થ્ય શોધીએ છીએ. પરંતુ હકીકત એ છે કે ખોટી લાઇફસ્ટાઇલ માત્ર શ્વાસ દ્વારા બહાર નીકળી જતી નથી.

બીજાને જોઈને આપણે માત્ર એટલું જ શીખ્યા છીએ કે મેડિટેશન અને યોગ કરવું જરૂરી છે. પરંતુ તેની પાછળનું વિજ્ઞાન અને સાચી પદ્ધતિ આજે પણ આપણાથી કોશો દૂર છે.

ભ્રમ : આધ્યાત્મ હંમેશાં શાંતિપૂર્ણ હોય છે

સૌથી મોટી ભ્રમણા એ છે કે આપણે આધ્યાત્મમાં શાંતિ શોધીએ છીએ. પરંતુ હકીકત એ છે કે આધ્યાત્મિકતાની શરૂઆત પોતાની અંદર રહેલા દુર્ગુણો અને આંતરિક નબળાઈઓ સામે લડીને, તેમનો સામનો કરવાથી થાય છે. અને એ જ સૌથી મોટો સંઘર્ષ છે.

લાઇફ કોચ કે કોઈ પણ પ્રોફેશનલ ગુરુ તમને આ હકીકત કદાચ ક્યારેય નહીં કહે, કારણ કે પરિવર્તન હંમેશાં આંતરિક જ હોય છે. તે કોઈના કહેવાથી કે સમજાવવાથી આવતું નથી.

આંતરિક સંઘર્ષ હંમેશાં ભયાવહ હોય છે. સામાન્ય લોકો હંમેશાં તેનાથી દૂર ભાગે છે. એટલે જ બનાવટી સ્વપ્નોના મહેલ ઊભા કરવા અને ખ્યાલોનો વેપાર કરવો આજકાલ ખૂબ સહેલો બની ગયો છે.

સાઇલેન્ટ રિટ્રીટ

આધુનિક સમયમાં શાંતિ મેળવવી હવે માત્ર કઠિન જ નહીં, પરંતુ અતિ ખર્ચાળ પણ બની ગઈ છે. કારણ કે આપણે જાણતાં-અજાણતાં પોતાની લાઇફમાં એવા તત્વોને પ્રવેશવા દીધા છે, જે સંપૂર્ણપણે બિનજરૂરી છે. એટલે જ ડિજિટલ અને નોન-ડિજિટલ ડિટોક્સ હવે માત્ર જરૂરિયાત જ નહીં, પણ પૈસા કમાવાનો મોટો વ્યવસાય પણ બની ગયા છે.

વિપશ્યના જેવી સાઇલેન્ટ રિટ્રીટની અસંખ્ય શિબિરો હવે ટ્રેન્ડમાં છે, જ્યાં લોકો દુનિયાથી, બિઝનેસથી અને ઘરથી દૂર મોબાઇલ અને ઇન્ટરનેટ વગર શાંતિ શોધવાનો પ્રયત્ન કરે છે. પરંતુ હકીકત એ છે કે આજ સુધી આવી શિબિરોમાંથી સમાજને કોઈ બુદ્ધ મળ્યા નથી. કારણ કે આત્મજ્ઞાન કોઈ રિસોર્ટમાં મળતું નથી, અને તેના માટે કોઈ ખર્ચાળ પેકેજ પણ નથી હોતાં.

અસલી પરીક્ષા કોઈ પહાડની ટોચ પર નથી હોતી, પરંતુ 40 ડિગ્રી તાપમાં ટ્રાફિક જામમાં હોય છે. એ વાતાવરણમાં તમે કેટલા શાંત રહી શકો છો — એ જ અસલી વિપશ્યના છે.

કોઈ બોસના પ્રેશરમાં તમે કેટલા શાંત રહીને ક્રિએટિવ બની શકો છો — એ જ સાચી પરીક્ષા છે. એ સમયે તમારું રિએક્શન જ તમારું સાચું વ્યક્તિત્વ છે.

તમારા અવગુણોને સ્વીકારવાની ક્ષમતા જ તમારો સાચો સંઘર્ષ છે, અને તેને જીતવાની કળા એ જ શાંતિ તરફ જતું પહેલું પગથિયું છે.

લાગણીઓના ચક્રવ્યૂહમાં ફસાયેલા હો ત્યારે મનથી ડિટેચ થવાની કળા જ સાચી સિદ્ધિ છે. અને આવી કળા કોઈ શિબિરમાં શીખવવામાં આવતી નથી.

મોંઘા નંગ અને હીરાઓ માત્ર “એસ્થેટિક કન્ઝ્યુમરિઝમ”નો એક ભાગ છે, જ્યાં લોકોની લાગણીઓનો વેપાર થાય છે. ખર્ચાળ શિબિરોમાં લેવાતા સ્પિરિચ્યુઅલ સેશન હવે આધ્યાત્મ નહીં, પરંતુ વેપારનું મોટું કેન્દ્ર બની ચૂક્યાં છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

સરકારનો 200 પેટ્રોકેમિકલ્સ ચીજવસ્તુઓનું ઉત્પાદન વધારવા પર ભાર

નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્ર સરકાર પેટ્રોકેમિકલ ક્ષેત્રમાં એવાં ઉત્પાદનોનું સ્થાનિક ઉત્પાદન વધારવા માગે છે, જેના માટે હાલ વિદેશ પર વધુ નિર્ભરતા છે. ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT)એ પેટ્રોકેમિકલ ઉદ્યોગોને અપીલ કરી છે કે તેઓ 200થી વધુ એવાં પેટ્રોકેમિકલ ઉત્પાદનોનું ભારતમાં ઉત્પાદન વધારે, જેમાં હાલમાં આયાત પર ભારે નિર્ભરતા છે. આ ઉત્પાદનો માટે દેશનું આયાત બિલ લગભગ 50 અબજ ડોલર સુધી પહોંચે છે. સરળ શબ્દોમાં કહીએ તો સરકારને અંદાજે 4 લાખ કરોડ રૂપિયા ખર્ચવા પડે છે. લાંબા સમયથી ભારત સરકાર આ મુદ્દા પર વિચાર કરી રહી હતી, પરંતુ પશ્ચિમ એશિયાના સંઘર્ષને કારણે સ્થિતિ વધુ ગંભીર બની ગઈ છે. ભારત સામે કયા પડકારો?

વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત કાચા તેલ અને અન્ય કેમિકલ્સ માટે ખાડી દેશો પર નિર્ભર છે. ત્યાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય અથવા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય માટે બંધ થઈ જાય તો સપ્લાય ચેઇન ખોરવાઈ શકે છે. હાલમાં ભારત પાસે જૂનો સ્ટોક ઉપલબ્ધ હોવાથી પશ્ચિમ એશિયાના યુદ્ધનો ઉદ્યોગો પર હજુ મોટો પ્રભાવ પડ્યો નથી. પરંતુ જો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ લાંબા સમય સુધી બંધ રહે તો તેની સીધી અસર વિવિધ ઉદ્યોગો પર જોવા મળી શકે છે. પેટ્રોકેમિકલ્સ એવાં રસાયણો છે, જે મુખ્યત્વે કાચા તેલ અને કુદરતી ગેસમાંથી બનાવવામાં આવે છે. પ્લાસ્ટિક, પેકેજિંગ સામગ્રી, પાઈપ, ટાયર, કપડાં અને દવાઓનાં સાધનો જેવી રોજબરોજની અનેક વસ્તુઓમાં પેટ્રોકેમિકલ્સનો ઉપયોગ થાય છે.

 

 દેશનાં કયાં ક્ષેત્રો પર અસર પડશે?

હાલમાં દેશમાં PVC, પોલિથિન, ABS પ્લાસ્ટિક, એમોનિયા, એસિટિક એસિડ, ટોલ્યુઇન અને એપોક્સી રેઝિન જેવી વસ્તુઓનું વધુ પ્રમાણમાં આયાત થાય છે. આ તમામ ઉત્પાદનોનો ઉપયોગ અલગ-અલગ ઉદ્યોગોમાં થાય છે.PVC, પોલિપ્રોપાઇલિન અને પોલિથિન જેવાં કેમિકલ્સનો ઉપયોગ પેકેજિંગ, પ્લાસ્ટિક કન્ટેનર અને પાઈપ બનાવવામાં વ્યાપક પ્રમાણમાં થાય છે. તેમની સપ્લાયમાં ખલેલ પડે તો FMCG કંપનીઓ માટે પેકેજિંગ ખર્ચ વધી શકે છે. રોજિંદા વપરાશની વસ્તુઓ મોંઘી થઈ શકે છે અને ઈ-કોમર્સ પેકેજિંગ પણ પ્રભાવિત થઈ શકે છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

પંચાંગ 22/05/2026

૨૨ મે ૨૦૨૬

Chitralekha Gujarati – 01 June, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

PM મોદીની અધ્યક્ષતામાં સાડા ચાર કલાકની મંત્રીમંડળની મહાબેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગુરુવારે સાંજે કેન્દ્રીય મંત્રીપરિષદની એક અત્યંત મહત્વની અને હાઈ-લેવલ બેઠક મળી હતી. આ મહાબેઠક આશરે 4.5 કલાક સુધી સતત ચાલી હતી, જેમાં દેશની પ્રગતિ સાથે જોડાયેલા અનેક મોટા અને નીતિગત મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદી સરકારના ત્રીજા કાર્યકાળના સફળતાપૂર્વક 2 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, તે પહેલાં યોજાયેલી આ બેઠકને સરકારના કામકાજના એક ‘મિડ-ટર્મ રિવ્યુ’ (મધ્યકાલીન સમીક્ષા) તરીકે જોવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ બેઠક સાંજે 5 વાગ્યે ‘સેવા તીર્થ’ ખાતે શરૂ થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકારના તમામ કેબિનેટ મંત્રીઓ, સ્વતંત્ર પ્રભાર ધરાવતા રાજ્યમંત્રીઓ અને તમામ કક્ષાના રાજ્યમંત્રીઓએ હાજરી આપી હતી. વર્તમાન વર્ષની આ પ્રથમ એવી સંપૂર્ણ કેબિનેટ બેઠક હતી જેમાં દેશની આર્થિક પ્રગતિ, મંત્રાલયોની સમીક્ષા અને ભવિષ્યની રણનીતિનો રોડમેપ તૈયાર કરાયો હતો.

9 મંત્રાલયોનું રિપોર્ટ કાર્ડ અને સુધારાનું નવું મોડલ

આ મેગા મંથન દરમિયાન દેશના 9 પ્રમુખ મંત્રાલયોએ પોતપોતાની કામગીરી અને ભવિષ્યના લક્ષ્યો અંગે વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. જેમાં સૌથી પહેલા વાણિજ્ય (Commerce) મંત્રાલયે પોતાનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારપછી પેટ્રોલિયમ, ગૃહ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય જેવા ભારે-ભરખમ અને મહત્વના વિભાગોની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

તમામ મંત્રાલયોને અગાઉથી જ સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે તેઓ પોતાના વિભાગ દ્વારા કરવામાં આવેલા વહીવટી અને નીતિગત સુધારાઓને મુખ્યત્વે 4 ભાગોમાં વહેંચીને રજૂ કરે:

કાયદાકીય ફેરફારો (Changes in Law)

નિયમોમાં ફેરફારો (Changes in Rules)

નીતિગત ફેરફારો (Changes in Policy)

કામ કરવાની શૈલીમાં ફેરફારો (Changes in Work Culture)

આ સાથે જ પીએમ મોદીએ મંત્રીઓ પાસે એ પણ જાણ્યું હતું કે આ તમામ નીતિગત ફેરફારોની દેશની સામાન્ય જનતાના દૈનિક જીવન પર શું સકારાત્મક અને પ્રત્યક્ષ અસર પડી છે.

વિકસિત ભારત 2047 અને ‘ઈઝ ઓફ લિવિંગ’ પર વિશેષ ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક દરમિયાન તમામ મંત્રીઓને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે તેઓ પોતાનું તમામ ધ્યાન વર્ષ 2047 ના લક્ષ્ય પર કેન્દ્રિત કરે. ભારતને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવા પર એટલે કે વર્ષ 2047 સુધીમાં એક સંપૂર્ણ ‘વિકસિત ભારત’ બનાવવાનો જે સંકલ્પ છે, તેને ધ્યાનમાં રાખીને જ દરેક યોજનાઓ ઘડાવી જોઈએ. પીએમ મોદીએ ‘ઈઝ ઓફ લિવિંગ’ (Ease of Living) એટલે કે સામાન્ય નાગરિકોનું જીવન વધુ સરળ અને સુલભ બનાવવા વાળા સુધારાઓ પર સૌથી વધુ ભાર મૂક્યો હતો. બેઠકમાં મોટી સરકારી યોજનાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની ગતિ વધારવા તેમજ વિવિધ મંત્રાલયો વચ્ચે અરસપરસ ઉત્તમ તાલમેલ જાળવાઈ રહે તે માટે કડક આદેશો અપાયા હતા.

મિડલ ઈસ્ટ સંકટ અને ભારતીય અર્થતંત્ર પર તેની અસર

વર્તમાન સમયમાં પશ્ચિમ એશિયા એટલે કે મિડલ ઈસ્ટના દેશોમાં જે ભારે ભૌગોલિક-રાજકીય તણાવ ચાલી રહ્યો છે, તેની ભારતીય અર્થતંત્ર પર થનારી અસરો અંગે પણ બેઠકમાં ગંભીર ચર્ચા થઈ હતી. વડાપ્રધાને મંત્રીઓને નિર્દેશ આપ્યા છે કે આ વૈશ્વિક કટોકટીના કારણે ભારતના સામાન્ય નાગરિકો પર આર્થિક બોજ કે પરેશાની ઓછી થાય તે માટે જરૂરી તમામ પગલાં લેવામાં આવે. આ માટે ખાસ કરીને એનર્જી (ઉર્જા ક્ષેત્ર), ખેતીવાડી, ખાતર, એવિએશન (ઉડ્ડયન), શિપિંગ અને લોજિસ્ટિક્સ જેવા સંવેદનશીલ સેક્ટરો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા કહેવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની આગેવાની હેઠળ મંત્રીઓનું એક શક્તિશાળી જૂથ પહેલેથી જ આ મિડલ ઈસ્ટ સંકટ પર સતત નજર રાખી રહ્યું છે. જોકે, રાજનાથ સિંહ હાલ દક્ષિણ કોરિયાના સત્તાવાર પ્રવાસે હોવાથી આ બેઠકમાં હાજર રહી શક્યા ન હતા. તેવી જ રીતે આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા પણ જિનેવા ખાતે હોવાથી આ બેઠકમાં ઉપસ્થિત નહોતા.