Home Blog Page 3829

કેલિફોર્નિયામાં વસતા ભારતીયોએ કરી પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ભારતના રાષ્ટ્રીય પર્વ પ્રજાસત્તાક દિનની જ્યાં જ્યાં ભારતીય રહે છે ત્યાં ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયામાં વસતા ભારતીયો દ્વારા દર વર્ષે પ્રજાસત્તાક પર્વની સમૂહમાં એકઠા થઇ ઉજવણી થાય છે. આ વર્ષે ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરીટોઝના મેયરની સાથે ભારતનો ૭૨મો પ્રજાસત્તાક પર્વ ઉજવ્યો હતો.

વિદેશમાં વસતા ભારતીયો દ્વારા પણ ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવે છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં દર વર્ષે ભારતીયો પ્રજાસત્તાક પર્વ ઉજવે છે. આ વરસે કોવિડ-19ના કારણે નિયંત્રણો હોઈ, ભારતીયોની સંસ્થાના પ્રતિનિધિઓએ સેરીટોઝ શહેરના મેયર નરેશ સોલંકી, બેવર્લી હિલ્સ શહેરના મેયર કાઉન્સિલર ડો. જુલિયન ગોલ્ડ અને સેનેટ સભ્ય હેન્રી સ્ટર્ન સાથે ઉજવણી કરી હતી. જ્યારે ૫૮મા ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ વીડિયો સંદેશો જારી કરી સૌને શુભેચ્છા પાઠવી હતી.

સિટી ઓફ સેરીટોઝના મેયર નરેશ સોલંકી મૂળ બારડોલી તાલુકાના વતની છે. અમેરિકા સહિત વિદેશમાં વસતા ભારતીયોને તેમજ ભારતવાસીઓને પ્રજાસત્તાક પર્વની શુભેચ્છા આપતા તેમણે જણાવ્યું હતું કે, અમે બધાં ભેગા મળીને દર વર્ષે ભારતના રાષ્ટ્રીય પર્વ ઉજવીએ છીએ. કોવિડસંકટમાં સૌને માસ્ક પહેરવા અને કાળજી લેવાનો અનુરોધ છે.

આ પ્રસંગે લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારત દેશ સાર્વભોમત્વનું પ્રતિક છે. ૧૩૦ કરોડ લોકોનો સાથે મળીને પ્રજાસત્તાક પર્વ ઉજવે છે. અહીં અમેરિકામાં અમે પણ સૌ જોમ-જુસ્સાથી પ્રજાસત્તાક દિન ઉજવીએ છીએ. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કરી રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રધ્વજને સલામી અર્પણ કરવામાં આવે છે. ભારત કોરોનાની રસી વિશ્વના અન્ય દેશોને આપીને માનવતાનું મોટું કાર્ય કરી રહ્યો છે.

ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પરિમલ શાહે જણાવ્યું હતું કે, સ્વતંત્રતા મળ્યા બાદ આપણે ભારતીયો પ્રજાસત્તાક બન્યા. આ રાષ્ટ્રીય પર્વની અમારી સંસ્થા દ્વારા પ્રતિવર્ષ ઉજવણી કરવામાં આવે છે જેમાં સામાજિક આગેવાનો ઉપસ્થિત રહે છે. આ વર્ષે કોવિડને કારણે એ શક્ય બન્યું નથી ત્યારે અમે અગ્રણીઓએ એકઠા થઇ વર્ચ્યુઅલ ઉજવણી કરી છે. ભારતની એક્તા અને બંધુત્વના આદર્શો હવે વૈશ્વિક બની ગયા છે.

૫૮મા ઍસેમ્બલી ડિસ્ટ્રિક્ટ પ્રતિનિધિ ક્રિસ્ટિના ગ્રેસિયાએ જણાવ્યું હતું કે, અમેરિકા અને ભારત બન્ને દેશ લોકતંત્રમાં એક પ્રકારની વિશિષ્ટતા ધરાવે છે. અમેરિકા સૌથી જૂની લોકશાહી છે તો ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. વિવિધતા ધરાવતો ભારત દેશ લોકશાહી મૂલ્યો દ્વારા વિશ્વને પ્રેરણા આપી રહ્યો છે. અનેક ધર્મો, ભાષાઓ, પ્રાંતીય સંસ્કૃતિ ધરાવતું હોવા છતાં હળીમળીને રહીને વિશ્વને સર્વસમાવેશી વિકાસનું ઉદાહરણ પુરું પાડ્યું છે. ભારતીયો  હળીમળીને રહેવાની ભાવનાથી જાણીતા છે તેઓ જ્યાં રહે છે ત્યાં ભળી જાય છે. અમેરિકામાં આજે લાખોની સંખ્યામાં ભારતીયો વસે છે જેનો અમેરિકાના વિકાસમાં ફાળો રહ્યા છે. આ બધું ભારતીયોના લોકતંત્રના મૂલ્યોને કારણે બન્યું છે.

બેવર્લી હિલ્સ અને સિટી ઓફ સેરિટોઝ ખાતે થયેલી ઉજવણીમાં જૈન સોશિયલ ગ્રુપના રાજેન્દ્ર  વોરા, ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના પ્રેસિડેન્ટ પી.કે. નાયક તથા ઓર્સેટિયા ચેમ્બરના વાઈસ પ્રેસિડન્ટ અનિલ દેસાઇ હાજર રહયા હતા.

મતદાન મથકે ગયા વગર મતદાન કરી શકાશે

નવી દિલ્હીઃ આજે 11મા રા,ટ્રીય મતદાર દિવસ નિમિત્તે દેશના વડા ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યું છે કે મતદારોને દૂરના સ્થળેથી પણ મતદાન કરવાની સુવિધા પૂરી પાડી શકાય એ માટેની યંત્રણાની ‘મોક ટ્રાયલ્સ’ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. રીમોટ વોટિંગ સુવિધા આઈઆઈટી-મદ્રાસ સંસ્થાના સહયોગમાં અને અદ્યતન ટેક્નોલોજીના ઉપયોગ સાથે કરવામાં આવનાર છે. રીમોટ વોટિંગનો મતલબ ઘેર બેઠાં વોટ આપવાનો નથી. આ પરિકલ્પનામાં, બાયોમેટ્રિક ડીવાઈસીસ અને વેબ કેમેરા સાથે એનેબલ્ડ કરાયેલી ડેડિકેટેડ ઈન્ટરનેટ લાઈન્સ પર વ્હાઈટ-લિસ્ટેડ ઘોષિત ડીવાઈસીસ પર નિયંત્રિત પરિસ્થિતિ અંતર્ગત ટુ-વે ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમ છે. તેમાં મતદારોએ આ સુવિધાનો ઉપયોગ કરવા માટે પૂર્વનિર્ધારિત સમયગાળા દરમિયાન એક નિશ્ચિત સ્થળે પહોંચવાનું રહેશે.

આ યોજના-સુવિધા માટે ‘બ્લોકચેન’ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવનાર છે. દૂરના સ્થળેથી (રીમોટ) આપવામાં આવેલા મતને મતગણતરી તબક્કા પૂર્વે ક્રોસ-ચેક કરવામાં આવશે, એ જોવા માટે કે એની સાથે કોઈ પ્રકારની છેડછાડ કરવામાં તો નથી આવીને. જેવો મત અપાશે કે તરત જ એને સુરક્ષિત રીતે એન્ક્રિપ્ટ કરાશે અને એક બ્લોકચેન હેશટેગ જનરેટ થશે. તે હેશટેગ નોટિફિકેશન અનેક સંબંધિતોને મોકલવામાં આવશે, જેમ કે ચૂંટણી ઉમેદવારો અને રાજકીય પક્ષો. દરમિયાન, હવે વોટર IDની PDF આવૃત્તિ પણ પ્રાપ્ત થશે. આજથી નવા વોટર IDની PDF કોપી ડાઉનલોડ કરી શકાશે, જૂના વોટર્સ માટે આ સુવિધા 1 ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે.

ચૂંટણીમાં ટિકિટ મેળવવા ભાજપમાં ભડકો, કોંગ્રેસમાં કમઠાણ

અમદાવાદઃ રાજ્યમાં છ મહાનગરપાલિકા, 55 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયતો તેમ જ 231 તાલુકા પંચાયતોની ચૂંટણી થવાની છે ત્યારે મુખ્ય પક્ષોના કાર્યકર્તાઓમાં ટિકિટ મેળવવા માટે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા 8000 જેટલાં EVM મૂકવામાં આવશે. આ ચૂંટણીમાં નાના-મોટા મળીને કુલ 20 પક્ષો ભાગ લે એવી સંભાવના છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત સાથે  ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોએ ઉમેદવારોની પસંદગીપ્રક્રિયા શરૂ કરી છે. ભાજપે મહાનગરો અને પાલિકામાં જ્યાં સત્તાવિરોધી લહેરની અસર હશે, જ્યારે કોંગ્રેસે આ વખતે સ્થાનિક ચૂંટણીમાં યુવાનો અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની વ્યૂહરચના બનાવી છે.

ભાજપમાં પ્રથમ દિવસે જ નરોડામાં સેન્સની કામગીરી દરમિયાન દંગલ મચી ગયું હતું. નરોડાના સિટિંગ કોર્પોરેટર ગિરિશ પ્રજાપતિએ પોતાની પત્ની શિલ્પા માટે ટિકિટ માગતાં યુવા મોર્ચાના નેતા લવ ભરવાડે તેમની સાથે બોલાચાલી કરી રીતસર માર માર્યો હતો. જેમાં ગિરીશ પ્રજાપતિને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા. સમગ્ર મામલો હાઇ કમાન્ડ સુધી પહોંચ્યો હતો.

સ્થાનિક ચૂંટણીમાં મતદાન પહેલાં જ કોંગ્રેસની  હાલત કફોડી બનતી જઈ રહી છે. કોંગ્રેસના નેતાઓ એક પછી એક પંજાનો સાથ છોડીને કેસરિયો  ધારણ કરી રહ્યા છે. ભરૂચ-કોંગ્રેસમાં આ પહેલાં મોટું ભંગાણ થયું હતું. જેમાં ઝાડેશ્વરના કોંગ્રેસ આગેવાન કૌશિક પટેલ પોતાના 300 જેટલા સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં સામેલ થયા હતા. જ્યારે અંકલેશ્વરમાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ પંજાનો સાથ છોડ્યો હતો.

ભરૂચ, અંકલેશ્વર અને અરવલ્લીમાં કોંગ્રેસમાં  ભંગાણ બાદ હવે વિધાનસભામાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીના (Paresh Dhanani) ગઢ અમરેલીમાં પણ ગાબડું પડ્યું છે. જેમાં અમરેલી જિલ્લાની ધારી તાલુકા પંચાયતના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ સહિતના ચાર ભૂતપૂર્વ સભ્યોએ કોંગ્રેસને રામ-રામ કહીને કેસરિયો ધારણ કર્યો છે.

 

 

 

 

સિંગર સોનુ નિગમે અયોધ્યામાં રામલલ્લાનાં દર્શન કર્યાં

અયોધ્યાઃ બોલીવૂડના મશહૂર સિંગર સોનુ નિગમે રવિવાર અયોધ્યા પહોંચ્યો હતો. તેણે ત્યાં હનુમાનગઢી અને રામલલ્લાનાં દરબારમાં દર્શન કર્યાં હતાં. રામલલ્લાનાં દર્શન પછી સોનુ નિગમે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું હતું કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા આવીને હું ધન્ય થયો છું. અયોધ્યા ભારતનું હ્દયસ્થળ છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ ભારતની ગરિમાનો વિષય છે. રામ મંદિર બધાને જોડવાનું કામ કરશે. સોનુ સાથે કોંગ્રેસ નેતા સંજય નિરુપમ પણ અયોધ્યા પહોંચ્યા હતા.

સોનુ નિગમે વધુમાં કહ્યું હતું કે અયોધ્યા આવવાની ઇચ્છા ઘણા દિવસોથી મનમાં હતી. હું દુબઈ અને મુંબઈમાં વધુ સમય રહ્યો છું. મને અયોધ્યા આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. રામલલ્લાનાં દર્શન કરીને પરમ શાંતિ અને આનંદ અનુભવું છું. મારી પણ ઇચ્છા છે કે રામ મંદિરમાં એક ઇંટ રાખું. દરેક દેશવાસીઓની ઇચ્છા હોય છે કે તે રામ મંદિરમાં પોતાનું યોગદાન કર્યો હતો.

તેણે કહ્યું હતું કે ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા આવીને અભિભૂત થયો છું.રામ મંદિર નિર્માણ માટે તેણે લોકોને સહયોગ કરવાની અપીલ કરી હતી. તે રામલલ્લા માટે એક ગીત બનાવશે.

 

 

 

 

TRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડની શક્યતા

મુંબઈઃ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક)ના ભૂતપૂર્વ CEO પાર્થો દાસગુપ્તાએ ટીઆરપી કૌભાંડ મામલે મોટો ખુલાસો કર્યો છે. રિપબ્લિક ટીવીના એડિટર-ઇન-ચીફ અર્ણવ ગોસ્વામીએ ટીઆરપીમાં ઘાલમેલ કરવા માટે 12,000 ડોલર આપ્યા હતા. આ વાતનો ખુલાસો પાર્થોએ મુંબઈ પોલીસની સામે લેખિત નિવેદનમાં આપ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે તેમને ફિક્સ રેટિંગ માટે કુલ રૂ. 40 લાખ મળ્યા છે.

મુંબઈ પોલીસે 11 જાન્યુઆરીએ 3600 પાનાંની સપ્લિમેન્ટરી ચાર્જશીટ કોર્ટમાં ફાઇલ કરી છે. એમાં બાર્કના ફોરેન્સિક રિપોર્ટ પણ રજૂ કરવામાં આવ્યો છે. આમાં મુંબઈ પોલીસના દાસગુપ્તા અને અર્ણવની વચ્ચેની લાંબી વાતચીતને વોટ્સએપ ચેટ અને 59 લોકોનાં નિવેદનો પણ ફાઇલ કરવામનાં આવ્યાં છે, જેમાં કેબલ ઓપેરેટર્સ અને બાર્ક કાઉન્સિલના ભૂતપૂર્વ કર્મચારી પણ સામેલ છે.

ચેટ લીક મામલો સામો આવ્યા પછી ફરીથી અર્ણવ ગોસ્વામી પર ધરપકડની તલવાર લટકી રહી છે. એને લઈને મહારાષ્ટ્ર સરકાર સતત કાયદાવિદો સાથે સંપર્કમાં છે. રવિવારે રાજ્યના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે આ મુદ્દો રાષ્ટ્રીય સુરક્ષાથી સંકળાયેલો છે અને કેન્દ્ર સરકારે આ વિશે જવાબ આપવો જોઈએ. તેમણે કહ્યું હતું કે  મહારાષ્ટ્ર સરકાર આ સંબંધમાં કાયદાની સલાહ લઈ રહી છે કે શું રાજ્યનો ગૃહવિભાગ ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923 હેઠળ આ મામલે કાર્યવાહી કરી શકે છે.

કેટલાક દિવસો પહેલાં અર્ણવ ગોસ્વામી અને બાર્કના ભૂતપૂર્વ પ્રમુખ પાર્થો દાસગુપ્તાની વચ્ચે ચેટ લીક થઈ ગઈ હતી. એને સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે શેર કરી હતી. આ ચેટ મુજબ ગોસ્વામીને 2019માં થયેલી બાલાકોટ સ્ટ્રાઇક વિશે પહેલેથી માહિતી હતી. ઇન્ડિયન એર ફોર્સે 26 ફેબ્રુઆરી, 2019એ પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદીઓના એક ટ્રેનિંગ કેમ્પમાં એર સ્ટ્રાઇક કરી હતી.

 

 

 

 

 

કોરોનાના 13,203 નવા કેસ, 131નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.06 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,203 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 131 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,06,67,736 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,53,470 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,03,30,084  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 17,130 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,84,182એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 96.83 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

અત્યાર સુધી 16 લાખથી વધુ લોકોને રસી અપાઈ

દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારત  હવે દુનિયાના તે ટોપ-15 સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે. દેશમાં અત્યાર સુધીમાં  કુલ 16,15,504 લોકોને કોરોના રસીકરણ કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

રાશિ ભવિષ્ય 25/01 થી 31/01/2021

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાનીવૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.

રાશિ ભવિષ્ય 25/01/2021

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા View post

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમા મિલન-મુલાકાત થઇ શકે, માર્કેટિંગ ક્ષેત્રમા પરિચિતકે જુનાસંપર્કમા કામકાજ કરવામા આવેતો સારુ પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસયોગ થઈ શકે છે, યુવાવર્ગને ગમતી કોઈવાત સાંભળવા મળે,  વેપારમા નાનુ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસકરીને વાણીસયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે,  વેપારમા કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વિચારમતભેદ ના થાય તેની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડુ અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમા  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમા નાનુ અને ગણતરીપુર્વાક્નુ કામ કરવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા વ્યસ્તતા વચ્ચે પણ કામ શાંતિથી પૂર્ણ થઇ શકે છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈજૂની ઓળખાણથી લાભની વાત બને, વેપારના કામકાજમા અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે,  તમને આજે થોડો ગુસ્સો કઈને કઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણી ના દુભાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમા ધ્યાન રાખવુ, વેપારના કામકાજમા જોખમીપરિબળથી દુર રહેવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમા પણ તમારા ધાર્યા કામ થાય મન થોડુ આજે ઉદાર બની ક્યાંક કોઈને સહભાગી બનો અને જૂનીભૂલ સુધારવા માટે પ્રયત્ન કરો, વેપારના કામકાજમા ચોકસાઈ રાખોતો લાભ થાય, યુવાવર્ગને પોતાની કોઈ અંગતવાતની દ્વિધા હોયતો તેમા પણ યોગ્ય રાહ મળે તેવુ બની શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ, વાહન ધીમે ચલાવવુ અને ક્યાય કોઈની સાથે ઉગ્રતા ના થાય તે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગક્ષેત્રમા કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે, વેપારમા જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસયોગ બને, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવુ પણ બનવા જોગ છે, તમારી કરેલી મહેનતનુ ફળ સારુ મળી શકે તેવુ પણ બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમને અન્યનુ માર્ગર્દર્શન સારુ મળી રહે, વેપારમા લાભની તક રહેલી છે, યુવાવર્ગને સારી ખુશી જોવા મળી શકે છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમા દિવસ પસાર થઇ જાય, તમારા કામમા થોડા વ્યસ્ત રહો તેવુ પણ બની શકે છે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા માનસિકથાકની લાગણી વધુ અનુભવો, યુવાવર્ગને કોઇવાતમા આતુરતા વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમા તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમા સારાકામ કર્યાનો સંતોષ મળે, વેપારમા નાનુ કામજ કરવુ યોગ્ય છે, યુવાવર્ગને આજે પોતાના મનની કોઈવાત ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીમા પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મકવિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમા કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવુ.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમા વધુ સમય ફાળવોતો કંઇક સારુ શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમા આયોજનબદ્ધ કામ કરવાથી સારુ પરિણામ મળી રહે, વેપારમા અનુભવ મુજબ કામ કરવાથી લાભ થઈ શકે છે.

વરુણ ધવન, નતાશા દલાલ બન્યાં જીવનસાથી

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા વરુણ ધવને એની લાંબા સમયની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ સાથે ગઈ કાલે અહીંથી નજીકના અલીબાગ ખાતેના મેન્શન હાઉસ રિસોર્ટમાં પરિવારજનો તથા કરણ જોહર, મનિષ મલ્હોત્રા, ઝોઆ મોરાની, કુણાલ કોહલી જેવા ખાસ નિકટનાં મિત્રોની હાજરીમાં અને પરંપરાગત હિન્દુ વિધિ અનુસાર સાત ફેરા ફરીને લગ્ન કર્યાં હતાં. નવદંપતી હવે 26 જાન્યુઆરીએ રિસેપ્શન રાખશે. લગ્નની તસવીરો વરુણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. એની કેપ્શનમાં લખ્યું છેઃ ‘જિંદગીભરનો પ્યાર હવે સત્તાવાર બન્યો છે.’ બોલીવૂડની હસ્તીઓ તરફથી વરુણ-નતાશાને લગ્ન માટે અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસાવવામાં આવી રહ્યો છે.

વરુણ અને નતાશા શાળાના દિવસોથી એકબીજાનાં પરિચયમાં હતાં. બંને જણ મુંબઈની માણેકજી કૂપર સ્કૂલમાં સાથે ભણ્યાં હતાં અને ત્યારથી મિત્રો બન્યાં હતાં. નતાશા ફેશન ડિઝાઈનર છે. વરુણ છેલ્લે ‘કૂલી નં.1’ ફિલ્મમાં જોવા મળ્યો હતો. એની ઘણી નવી ફિલ્મો આવી રહી છે – ‘જુગ જુગ જિયો’, ‘રણભૂમિ’ વગેરે.

કિસાન-ટ્રેક્ટર-પરેડ માટે દિલ્હી પોલીસની કડક માર્ગદર્શિકા

નવી દિલ્હીઃ આંદોલનકારી ખેડૂતોને આવતીકાલે 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિને દિલ્હીમાં 63 કિ.મી. લાંબી ટ્રેક્ટર રેલી કે ટ્રેક્ટર પરેડ કાઢવાની મંજૂરી આપી છે, પરંતુ એ માટે કડક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જેમ કે, (1) ખેડૂતો ટીકરી, સિંઘૂ અને ગાઝીપુર ચેકનાકાઓ પરથી દિલ્હીમાં પ્રવેશી શકશે, પણ એમણે એમના મૂળ સ્થાને પાછા જતા પણ રહેવું પડશે. (2) ખેડૂતોને તેમની રેલીને ક્યાંય પણ અટકવા દેવામાં નહીં આવે. (3) રાજપથ ખાતે પ્રજાસત્તાક દિન પરેડ સમાપ્ત થાય એ પછી જ ખેડૂતોને ટ્રેક્ટર પરેડ કાઢવા દેવામાં આવશે.

બીજી બાજુ, ખેડૂતોના સંગઠન ‘સંયુક્ત કિસાન મોરચા’એ કહ્યું છે કે એમની ટ્રેક્ટર પરેડ શાંતિપૂર્વકની હશે, અમારે કંઈ દિલ્હી સર નથી કરવું, પણ દેશનાં લોકોનાં દિલ જીતવા છે. ટ્રેક્ટર રેલી-પરેડમાં ટ્રેક્ટરો સાથે પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાંથી હજારોની સંખ્યામાં ખેડૂતો ભાગ લે એવી ધારણા છે. ખેડૂત સંગઠનોએ પણ એમના સાથી દેખાવકારો માટે માર્ગદર્શિકા ઘડી છે. જેમ કે, (1) ખેડૂત આગેવાનોએ એમની કાર કે ટ્રેક્ટરમાં આગળ બેસવું, (2) ઉચિત કારણ વગર કાર કે ટ્રેક્ટરને અટકવા દેવામાં નહીં આવે, (3) દરેક ટ્રેક્ટર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવો પડશે અને લોકસંગીત અને દેશભક્તિના ગીતો વગાડવાના રહેશે (4) પ્રતિ ટ્રેક્ટર પર મિનિમમ પાંચ વ્યક્તિ બેસી શકશે (5) સખત ઠંડી હોવાથી દરેક જણે પોતપોતાનું જેકેટ કે બ્લેન્કેટ સાથે રાખવું (6) તાકીદની તબીબી પરિસ્થિતિ ઊભી થાય તો એ માટે 40 એમ્બ્યુલન્સ અને ડોક્ટરોની ટીમ સાથે રહેશે.