Home Blog Page 34

જંગલનો નકલ ખોર રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો

મધ્યભારતના જંગલો અને ગુજરાતના વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળતુ સુંદર પક્ષી રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો જેને ગુજરાતીમાં ભિમરાજ પણ કહે છે. ચમકતા કાળા રંગનું રેકેટ આકારની બે પૂંછડી અને માથા પર કલગી વાળુ આ પક્ષી ખુબજ સુંદર દેખાય. ખુબ ચપળ આ પક્ષી સતત અહીં તહીં ઉડયા જ કરે. જંગલમાં પોતાના અવાજ થી એ તરત જ ઓળખાય જાય.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગોની એક ખાસ વિશેષતા એ કે તે આસપાસના પક્ષીના અવાજની એવી સરસ નકલ કરે કે એ પક્ષી પણ ન ઓળખી શકે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો અલગ અલગ પક્ષી સાથે ટીમ બનાવી શિકાર કરે. પોતાના માળાને બચાવવા અને કયારેક માદા પક્ષીને આકર્ષવા પણ આવા બીજા પક્ષીના અવાજો કરે છે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો એ લક્કડ ખોદ થી લઈ કાગડા સુધી અનેકવિધ પક્ષીના અવાજની આબેહુબ નકલ કરી શકે છે. મધ્યભારતના જંગલોમાં રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો ભિમરાજની ફોટોગ્રાફી કરવાની અઘરી પણ ફોટો મળે પછી ખૂબ મજા આવે.

રાશિ ભવિષ્ય 26/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પેરાસિટામોલ સહિત 50 થી વધુ દવાઓ પર મૂકાયો પ્રતિબંધ

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ગુણવત્તા પરીક્ષણમાં 53 દવાઓ ફેલ થઈ છે. આમાં બીપી, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે. CDSCO જે દવાઓ નિષ્ફળ ગઈ છે તેમાં પીડા રાહત આપતી દવા ડિક્લોફેનાક, તાવ ઘટાડવાની દવા પેરાસીટામોલ, એન્ટિફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે.

CDSO 53 દવાઓના પરીક્ષણમાં ફેલ ગઈ છે, જોકે 48 દવાઓની યાદી બહાર પાડવામાં આવી છે. કારણ કે 5 દવાઓ બનાવતી કંપની કહે છે કે આ તેમની દવા નથી. તેમની કંપનીના નામે જ નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે. જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સન ફાર્મા દ્વારા ઉત્પાદિત પેન્ટોસીડ ટેબ્લેટનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે. ઘણા લોકો આ દવાનો ઉપયોગ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વપરાશ પણ વધ્યો છે, પરંતુ આ દવા પણ ટેસ્ટમાં પાસ થઈ નથી.

કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ – શેલ્કલ અને પલ્મોસિલ ઈન્જેક્શન, જેનો ઉપયોગ હાઈ બીપીની સારવાર માટે થાય છે, તે પણ ટેસ્ટમાં નિષ્ફળ ગયો. અલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક ક્લાવમ 625 દવા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ. જો કે, કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ એવો પણ દાવો કર્યો છે કે સીડીએસઓ દ્વારા ચિહ્નિત કરાયેલી દવાઓની બેચ નકલી છે અને તેમના દ્વારા બનાવવામાં આવતી નથી.

ગુજરાતમાં ફરી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં ઠેર ઠેર મેઘરાજા બઘટાડી બોલાવી રહ્યા છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ વહેલી સવારથી રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને રાત સુધીમાં શહેરના અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા. આજે આખા દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં 11 મિ.મી વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના ઝાપટા પડ્યા છે. અમદાવાદમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સાંજ સુધીમાં શહેરમાં અનેક ઠેકાણે વરસાદી ઝાપટા પડ્યા હતા.

આજે વહેલી સવારે 6 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 125 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. જે પૈકી સૌથી વધુ 137 મિ.મી (5.39 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં નોંધાયો છે. આ સિવાય સુરત શહેરમાં 79 મિ.મી (3.11 ઈંચ), વડોદરા શહેરમાં 77 મિ.મી (3.03 ઈંચ),નવસારીમાં 66 મિ.મી (2.60 ઈંચ), સાબરકાંઠાના પ્રાંતિજમાં 60 મિ.મી (2.36 ઈંચ), સુરતના માંડવી અને નવસારીના ગણદેવીમાં 52-52 મિ.મી (2.05 ઈંચ) વરસાદ વરસ્યો છે. આજે આખા દિવસ દરમિયાન 18 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 7 તાલુકામાં 2 ઈંચથી વધુ, 3 તાલુકામાં 3 ઈંચથી વધુ અને એક તાલુકામાં 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. રાત્રે 8 થી 10 વાગ્યા સુધીના બે કલાક દરમિયાન રાજ્યના 72 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 72 મિ.મી (2.83 ઈંચ) વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં ખાબક્યો છે. આ સિવાય મહેસાણાના વિજાપુરમાં 33 મિ.મી (1.30 ઈંચ), છોટા ઉદેપુરમાં 24 મિ.મી, નવસારીમાં 23 મિ.મી, સુરતના કામરેજમાં 21 મિ.મી વરસાદ વરસ્યો છે.

વડોદરામાં સાંજે 6 થી રાતના 8 વાગ્યા દરમિયાન વડોદરા શહેરમાં તોફાની પવન સાથે 65 મિ.મી જેટલો ધોધમાર વરસાદ ખાબક્યો હતો. 40 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂંકાયેલા પવન સાથે ખાબકેલા વરસાદના કારણે વડોદરામાં ઠેર-ઠેર વૃક્ષ અને બેનર ધરાશાયી થઈ ગયા હતા. જેના પગલે વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરનો કોલ સતત રણકતો રહ્યો હતો. વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી સેન્ટરને વૃક્ષ અને બેનર ધરાશાયી થવાના 200થી વધુ કોલ મળ્યા હતા. જેમાં એક કલાકમાં જ શહેરના રાવપુરા, સયાજીગંજ, અલકાપુરી, પાણીગેટ, ગુરુકુળ રોડ સહિતના સ્થળે 165થી વધુ વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. જ્યારે વીજ પૂરવઠો ખોરવાયો હોવાના 500થી વધુ કોલ MGVCLને મળ્યા છે. હાલ 12 ટીમ દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો અને બેનરોને હટાવવાની કામગીરી ચાલી રહી છે.

સુરતમાં બે કલાકમાં વરસ્યો બે ઇંચ વરસાદ

સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ પડવાથી ટેકસ્ટાઇલ માર્કેટની સ્થિતિ ખરાબ થવા પામી હતી. રઘુકુળ માર્કેટ, મિલેનિયમ માર્કેટ સહીતના માર્કેટોમાં પાણી ભરાયા હતા. માર્કેટમાં પાણી ભરાતા વેપારીઓની મુશ્કેલી વધી જવા પામી હતી. સુરત શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદથી જળ બંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

ગાજવીજ સાથે વરસાદ

આણંદના ઉમરેઠ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. ઉમરેઠ પંથકના રતનપુરા, લિંગડા થામણા સુંદલપુરા સહિત વિસ્તારમા ધોધમાર વરસાદ વરસ્યો હતો. દિવસ દરમિયાન ભારે ઉકરાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

ગુજરાતના 98 તાલુકામાં 1 થી 72 મિ.મી. સુધીનો વરસાદ

ગુજરાતમાં આજે સવારના 6 વાગ્યાથી રાત્રીના આઠ વાગ્યા સુધીમાં 98 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વઘુ વરસાદ સુરત શહેરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. વડોદરા શહેરમાં અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સુરતના ઉમરપાડામાં પણ અઢી ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. નવસારી જિલ્લાના ગણદેવી અને સુરતના માંડવીમા 2 ઈંચ વરસાદ વરસ્યો છે.

પંચાંગ 26/09/2024

IPL મેગા ઓક્શન પહેલા રીટેન્શનના નિયમો બદલાશે

BCCI આગામી આઈપીએલ સીઝન માટે ફ્રેન્ચાઈઝીઓને પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપી શકે છે. જો કે, જો આમ થશે તો રાઇટ ટુ મેચ વિકલ્પ ફ્રેન્ચાઇઝી પાસે ઉપલબ્ધ રહેશે નહીં. પાંચ ખેલાડીઓને રિટેન કરવાનો અર્થ એ છે કે મુંબઈ ઈન્ડિયન્સ હવે હાર્દિક પંડ્યા, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ જેવા તેમના મુખ્ય ખેલાડીઓને જાળવી શકે છે. જો કે ટીમો કેટલા વિદેશી ખેલાડીઓને જાળવી શકશે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.

પાંચ ખેલાડીઓને જાળવી રાખવાની પરવાનગી મળી શકે છે

અહેવાલ મુજબ BCCI મુખ્યાલયમાં તાજેતરમાં યોજાયેલી બેઠકમાં તમામ 10 ફ્રેન્ચાઈઝી સાથે ખેલાડીઓને જાળવી રાખવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મોટાભાગની ફ્રેન્ચાઈઝી પાંચથી છ ખેલાડીઓને નિવૃત્ત કરવાના પક્ષમાં હતી. આ પછી માનવામાં આવે છે કે BCCI પાંચ ખેલાડીઓને નિવૃત્તિ લેવાની મંજૂરી આપશે.

બ્રાન્ડ વેલ્યુ અકબંધ રહેશે

ફ્રેન્ચાઇઝીનું માનવું છે કે પાંચ ખેલાડીઓને જાળવી રાખવાથી તેમની બ્રાન્ડ વેલ્યુ પણ અકબંધ રહેશે. 2022 પહેલા, ફ્રેન્ચાઇઝીઓને વધુમાં વધુ ચાર ખેલાડીઓને જાળવી રાખવાની મંજૂરી આપવામાં આવી હતી, જેમાંથી વધુમાં વધુ ત્રણ ભારતીય અને બે વિદેશી ખેલાડીઓને જાળવી શકાય છે.

મહારાષ્ટ્રમાં જળબંબાકાર, શાળાઓ- કોલેજો બંધ

ભારતીય હવામાન વિભાગ (IMD) એ મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મુંબઈમાં ભારે વરસાદ બાદ બે ફ્લાઈટ ડાયવર્ટ કરવામાં આવી છે, જ્યારે ઘણી ફ્લાઈટ્સ કેન્સલ થઈ શકે છે.

શાળા-કોલેજો બંધ

BMCએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ભારતીય હવામાન વિભાગ (IMD) એ આવતીકાલે સવારે 8.30 વાગ્યા સુધી મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આને ધ્યાનમાં રાખીને, વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, આવતીકાલે, ગુરુવાર 26 સપ્ટેમ્બર 2024 ના રોજ મુંબઈની તમામ શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) વહીવટીતંત્ર મુંબઈવાસીઓને તેમના ઘરની બહાર નીકળવા વિનંતી કરે છે જ્યારે એકદમ જરૂરી હોય.

ભારે વરસાદની ચેતવણી

તે જ સમયે, મુંબઈ પોલીસે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે IMD એ 26 સપ્ટેમ્બરની સવાર સુધી મુંબઈ અને ઉપનગરોમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બધા મુંબઈકરોને વિનંતી કરવામાં આવે છે કે જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની અંદર જ રહો. કૃપા કરીને સુરક્ષિત રહો. કોઈપણ ઈમરજન્સીના કિસ્સામાં 100 નંબર ડાયલ કરો.

IMDનું રેડ એલર્ટ જારી

IMDએ જણાવ્યું હતું કે મુંબઈ અને થાણેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને વીજળી અને તેજ પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. પુણે, રાયગઢ અને રત્નાગીરી જિલ્લાઓ માટે પણ રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જેમાં ભારે વરસાદ અને ગાજવીજ અને વીજળીની આગાહી કરવામાં આવી છે.

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

બુધવારે સાંજે જારી કરાયેલી ચેતવણીમાં, IMDએ જણાવ્યું હતું કે આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈ, પાલઘર, નંદુરબાર, ધુલે, જલગાંવ, સોલાપુર અને 40-50 કિમી સુધી વીજળી સાથે વાવાઝોડું અને ભારે વરસાદની સંભાવના છે. સાતારા જિલ્લામાં એક કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતા છે.

 

‘તત્કાલ લેબનોન છોડો’, ભારતીય દૂતાવાસે જાહેર કરી એડવાઈઝરી

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધ ઉગ્ર બની રહ્યું છે જેના કારણે મધ્ય પૂર્વમાં તણાવ ઝડપથી વધી રહ્યો છે. આ સંદર્ભે, બેરુતમાં ભારતીય દૂતાવાસે બુધવારે લેબનોનમાં ભારતીય નાગરિકો માટે એક એડવાઈઝરી જાહેર કરીને તેમને તાત્કાલિક દેશ છોડી દેવાની સલાહ આપી છે.

બેરૂતમાં ભારતીય દૂતાવાસે ટ્વિટર પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે, ‘પ્રદેશમાં તણાવને ધ્યાનમાં રાખીને, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ આગળની સૂચના સુધી લેબનોનની મુસાફરી ન કરે. લેબનોનમાં પહેલાથી જ હાજર તમામ ભારતીય નાગરિકોને પણ લેબનોન છોડવાની સખત સલાહ આપવામાં આવે છે. જેઓ કોઈપણ કારણોસર રોકાયા છે તેમને સલાહ આપવામાં આવે છે કે તેઓ અત્યંત સાવધાની રાખે, તેમની હિલચાલ બંધ કરે અને બેરૂતમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કરે.

ઇઝરાયેલના બોમ્બ ધડાકામાં 580 થી વધુ લોકોના મોત

હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધને લગભગ એક વર્ષ થઈ ગયું છે અને હવે ઈઝરાયેલ ખુલ્લેઆમ હિઝબુલ્લાને નિશાન બનાવી રહ્યું છે. ગયા અઠવાડિયે પેજર હુમલાથી શરૂ થયેલો હુમલો હવે હવાઈ હુમલામાં ફેરવાઈ ગયો છે. માહિતી અનુસાર, ઇઝરાયેલની બોમ્બમારાથી લેબનોનમાં અત્યાર સુધીમાં 580 થી વધુ લોકોના મોત થયા છે, જેમાં ડઝનેક બાળકો પણ સામેલ છે. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રીએ તેને ‘નરસંહાર’ ગણાવ્યો છે.

જમ્મુ-કાશ્મીર ચૂંટણીઃ બીજા તબક્કામાં 54 ટકા મતદાન

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા માટે મતદાન થયું હતું. રાજ્યના છ જિલ્લાની 26 સીટો પર મતદાન થયું હતું. આ બીજા તબક્કામાં 239 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય 25.78 લાખ મતદાતાઓ કરશે. ચૂંટણી પંચના ડેટા મુજબ સાંજે પાંચ વાગ્યા સુધી 54.12 ટકા મતદાન થયું હતું.

જમ્મુ-કાશ્મીર ચૂંટણીના બીજા તબક્કામાં મતદાનથી ચૂંટણી પંચ ખુશ છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે રાજ્યમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે નીકળ્યા છે. અહીં ઇતિહાસ બની રહ્યો છે. અમે બહુ ખુશ છીએ કે ખીણમાં  અને જમ્મુમાં ઉત્સાહ સાથે મતદાન થઈ રહ્યું છે.

તેમણે તેમના સાથી ચૂંટણી કમિશનરો જ્ઞાનેશકુમાર અને શુખબીર સિંહ સંધુની હાજરીમાં કહ્યું હતું કે આ લોકતંત્રનું પર્વ છે. એ ક્ષેત્રોમાં મતદાન થઈ રહ્યું છે, જ્યાં મતદાન નહોતું થતું. આ લોકતંત્રનું ઉચિત સન્માન છે.

રાજ્યમાં શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ રીતે મતદાન થઈ રહ્યું છે. વિધાનસભા ચૂંટણી જોવા માટે મોટી સંખ્યામાં વિદેશી ડિપ્લોમેટ્સ આવ્યા છે. બીજા તબક્કા દરમ્યાન 15 દેશોના ડિપ્લોમેટ્સે મતદાન કેન્દ્રોની મુલાકાત લીધી હતી. તેમણે મતદાતાઓ સાથે વાતચીત પણ કરી હતી. નોર્વેના ડિપ્લોમેટ્સે કહ્યું હતું કે ચૂંટણી સારી રીતે વ્યવસ્થિત રીકે થઈ છે. અમે કેલાં ક્યાંય પણ આ રીતે વ્યવસ્થા નથી જોઈ. રાજ્યમાં શાંતિપૂર્વ રીતે મતદાન થઈ રહ્યું છે.

અમદાવાદમાં ભાદરવા સાથે અષાઢી માહોલ જામ્યો

અમદાવાદ: ગુજરાતમાંથી ચોમાસુ ધીમે ધીમે વિદાય લઈ રહ્યુ છે. ત્યારે હવામાન વિભાગે રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે આગાહીના પગલે રાજ્યના અલગ-અલગ વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું. ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જો કે, સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. હવામાન વિભાગે આગામી ત્રણ કલાક સુધી અમદાવાદમાં વરસાદની આગાહી વ્યક્ત કરી હતી. મુશળધાર વરસાદે શહેરનાં મોટાભાગના વિસ્તારોની ભીંજવી દીધા છે. અમદાવાદના ગોતા, સાયન્સ સિટી, સરખેજ, પ્રહલાદ નગર, ઈસ્કોન, થલતેજ, બોપલ, ધુમા, જોધપુર, શિવરંજની, શીલજ સહિત એસજી હાઈવેના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી

26 સપ્ટેમ્બરના ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 27 સપ્ટેમ્બરના વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરત, ડાંગ, નવસારી, તાપી, અમરેલી, ભાવનગરમાં અને 28 સપ્ટેમ્બરના રોજ સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ માટે ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.