Home Blog Page 33

ગિફ્ટ નિફ્ટીનું OI 20.84 અબજ ડોલરની મહત્તમ સપાટીએ

અમદાવાદઃ નિફ્ટીએ મંગળવારે 26,000ની જાદુઈ સપાટી વટાવી હતી, ત્યારે ગિફ્ટ નિફ્ટીએ ભારતીય ઇક્વિટી બજારની ગ્રોથ સ્ટોરીની સાથે એક નવો માઇલસ્ટોન સ્થાપ્યો હતો. 24 સપ્ટેમ્બરે ગિફ્ટ નિફ્ટીએ 23 સપ્ટેમ્બરના 18.50 અબજ ડોલરની તુલનાએ 3,99,188 કોન્ટ્રેક્ટ થકી 20.84 અબજ અમેરિકી ડોલર રૂ. 1,74,275 કરોડ)ના મહત્તમ ઓપન ઇન્ટરેસ્ટનું લક્ષ્ય હાંસલ કર્યું હતું. ઓપન ઇન્ટરેસ્ટમાં થતો નોંધપાત્ર વધારો એ ગિફ્ટ નિફ્ટીમાં વૈશ્વિકી રોકાણકારોનો સતત વધતો વિશ્વાસ દર્શાવે છે. 24 સપ્ટેમ્બરે 4,38,476 કોન્ટ્રેક્ટ થકી- 22.72 અબજ ડોલર (રૂ. 1,90,026 કરોડનું કુલ ટર્નઓવર નોંધાયું હતું.

ગિફ્ટ નિફ્ટીનો ત્રીજી જુલાઈ, 2023એ સંપૂર્ણ સંચાલનનો પ્રારંભ થયા પછી NSE IX પર ટ્રેડિંગ ટર્નઓવર ઝડપથી સતત વધતું રહ્યું છે. ગિફ્ટી નિફ્ટી શરૂ થયાના પહેલા દિવસથી 26.61 લાખ કરોડ કોન્ટ્રેક્ટસનું વોલ્યુમથી વધી 24 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 1.15 લાખ કરોડ ડોલરે પહોંચ્યું છે. ગિફ્ટ નિફ્ટીની આ ઝળહળતી સફળતાથી અમે ખુશ છીએ અને બધા સહભાગીઓના સહકાર અને ગિફ્ટ નિફ્ટીના કોન્ટ્રેક્ટને ટેકો આપવા માટે અમે આભાર વ્યક્ત કરીએ છીએ.

અમેરિકામાં ફરી હિન્દુ મંદિર પર હુમલો, ‘હિન્દુઓ પાછા જાઓ’ના લખ્યા નારા

મુંબઈ: અમેરિકામાં ફરી એકવાર મંદિરને નિશાન બનાવવાના સમાચાર સામે આવ્યા છે. 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ પર હુમલો થયો છે. તાજેતરનો કેસ કેલિફોર્નિયાના સેક્રામેન્ટો કાઉન્ટીનો છે. સેક્રામેન્ટો માથેર એરપોર્ટની દક્ષિણે સ્થિત સ્વામિનારાયણ મંદિરમાં બુધવારે પણ હિન્દુ વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. હુમલાખોરોએ લખ્યું હતું ‘હિન્દુઓ ગો બેક’. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે પણ વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા હતા.

મંદિર સાથે જોડાયેલી પાઈપલાઈન પણ કપાઈ હતી

જ્યારે સ્થાનિક અધિકારીઓને આ અંગેની માહિતી મળી તો તેઓએ સ્થળ પર જઈને તપાસ કરી હતી. તેણે જોયું કે મંદિર સાથે જોડાયેલ પાઈપલાઈન પણ કપાઈ ગઈ હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિરમાં પણ આવી ઘટના બની હતી. ન્યૂયોર્કના સ્વામી નારાયણ મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકામાં હિંદુ મંદિર પર થયેલા હુમલા પર BAPS પબ્લિક અફેર્સે ‘X’ પર લખ્યું, છેલ્લા 10 દિવસમાં ન્યૂયોર્ક, સેક્રામેન્ટો અને CA વિસ્તારમાં અમારા મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ગત રાત્રે પણ હિંદુ વિરોધી સૂત્રો લખીને તેને અપવિત્ર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અમેરિકન સાંસદે આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી હતી

આ ઘટના પર યુએસ કોંગ્રેસમેન રો ખન્નાએ કહ્યું કે હિંદુ અમેરિકનો પ્રત્યે આ પ્રકારની નફરત અને બર્બરતા ભયાનક અને નૈતિક રીતે ખોટી છે. ન્યાય વિભાગે આ અપ્રિય ગુનાઓની તપાસ કરવી જોઈએ, અને જવાબદાર લોકો કાયદાની સંપૂર્ણ હદ સુધી જવાબદાર હોવા જોઈએ.

ગૃહિણીનાં પગારપાણી…

અવારનવાર મારું પ્રવચન રાખનારા આયોજકો મને વિષય આપતા હોય છે. એક વાર વિષય હતોઃ પરિવારમાં સંવાદિતા જાળવવાના ઉપાય. ક્યારેક કોઈ કહે કે, સ્વામી, “મહિને પંચોતેર-લાખ પાડું છું, મારા પગાર પર જ ઘર ચાલે છે. નોકરીનું મારે કેટલું ટેન્શન હોય. આ પત્નીને સારું, આખો દિવસ ઘરમાં જ હોય, કોઈ ટેન્શન નહીં.”

આ વખતે હું એમને કહું છું એક રીતે તમે સાચા છો, પણ ભાઈ, એ પણ જાણી લેજો કે તમારાં ધર્મપત્ની વરસેદહાડે દોઢ-બે કરોડ રૂપિયાનું કામ કરે છે. મારી વાત સાભળીને ચોંકી જનારને જવાબ આપવાને બદલે જવાબને પ્રવચનમાં આવરી લેતો હોઉં છું.

અમેરિકાના બોસ્ટન શહેરમાં એક કંપની છે, જેનું કામ છે પગાર વિશે જાતજાતનાં સર્વેક્ષણ કરવાનું. કઈ ડિગ્રી કેટલું ભણતર, અનુભવી કે ફ્રેશર, જેવા માપદંડના આધારે કેટલો પગાર મળવો જોઈએ એ નક્કી કરે. આટલું વાર્ષિક પેકેજ મળવું જોઈએ. આ માટે કંપની અવારનવાર વિવિધ શહેરમાં, વિવિધ ક્ષેત્રનાં પગારધોરણ વિશે સર્વે કરાવે છે, જેનાં પરિણામ નોકરી વાંચ્છુકને તેમ જ નોકરી આપનાર કંપનીને, બન્નેને મદદરૂપ થાય છે.

હમણાં થોડા સમય પહેલાં આ કંપનીએ એક સર્વે કર્યો કે, એક સ્ત્રી, જે આખો દિવસ માત્ર ઘરનાં કામ જ કરે છે, ફુલટાઈમ હોમમેકર એટલે કે ગૃહિણી છે એને પગાર આપવાનું નક્કી થાય તો કેટલો, અથવા વાર્ષિક કેટલા પગારનું પૅકેજ બને?

પહેલાં તો એ એનાલિસીસ થયું કે એક સ્ત્રી, ધારો કે, હોમમેકર નથી તો કયાં કયાં કામ કરે છેઃ ડોક્ટર, નર્સ, ટીચર, એકાઉન્ટન્ટ, ક્લાર્ક કે પછી નેશનલ-મલ્ટિનેશનલ કંપનીની સીઈઓ, વગેરે. આ બધી ફુલટાઈમ જોબ કરનારી મહિલા દરરોજ કેવાં કામ કરે છે, કેટલી ઊર્જા ખર્ચે છે, કેવા કેવા લોકો સાથે એમનો પનારો પડે છે એની યાદી બનાવવામાં આવી.

આ ખરેખર સમજવા જેવી વાત છેઃ તમે જ્યાં નોકરી કરો છો અથવા તમારો નાનો-મોટો વેપાર છે તો એમાં તમારે દરરોજ અમુક જ લોકો સાથે પનારો પાડવાનો હોય છે. બીજી તરફ ગૃહિણીએ રોજિંદા જીવનમાં કેવાં કેવાં કાર્ય કરવાનાં હોય છે તથા જાતજાતના લોકો સાથે પનારો પાડવાનો હોય છેઃ સવારના પહોરમાં સ્કૂલે જતાં બાળકો, પતિ માટે ચા-નાસ્તો ત્યાર બાદ લંચ બોક્સ તૈયાર કરવાથી લઈને, રસોઈપાણી અને અન્ય કામ.

-અને કેવા કેવા લોકો સાથે રોજ એનો ભેટો થાય છે? શાકબકાલું કે અન્ય ચીજવસ્તુ વેચનારા, પતિ-સંતાનો, સંયુક્ત કુટુંબ હોય તો સાસુ-સસરા, અવારનવાર વૃદ્ધ માતા-પિતાની દેખભાળ, ઘરકામ કરનારી બાઈ, જો ઘરમાં કાર હોય તો ડ્રાઈવર, કોઈ સભ્યએ ઓનલાઈન મગાવેલી ચીજ ડિલિવર કનાર, ઈસ્ત્રી કરવાવાળો, કપડાંની સંખ્યા ડાયરીમાં નોંધવાની, કૂરિયરકંપનીનો માણસ, બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ, ઘરમાં કંઈ બગડ્યું તો એ રિપેર કરવા આવનાર… યાદી ઘણી લાંબી છે. ટૂંકમાં એનું વરાઈટી ઑફ વર્ક છે અને ક્લાસ વનથી ક્લાસ ફોર સુધીની રેન્જના વરાઈટી ઑફ પીપલ છે. તમારે નોકરી કે બિઝનેસમાં આટલી બધી વરાઈટી નથી.

પરિણામ આવતાં સર્વે અથવા એનાલિસીસ કરનારા આશ્ચર્ય પામી ગયાઃ આટલાં કામ તો ફુલટાઈમ સીઈઓ પણ નથી કરતા. એમણે ત્રિરાશિ માંડીને પગાર નક્કી કર્યોઃ 1,78,201 ડોલર. આશરે દોઢેક કરોડ રૂપિયા વરસના. કોવિડકાળમાં આ આંકડો વધીને બે કરોડ પર પહોંચ્યો, કારણ બાળકો, પતિ, વગેરે ચોવીસ કલાક ઘરમાં હતાં એટલે કામનો બોજ, કામના કલાક વધ્યા.

હવે પછી આરામખુરશીમાં ઝૂલતાં ઝૂલતાં ઓર્ડર છોડો ત્યારે આ હકીકત ધ્યાન રાખજો, એમને આદર આપજો. આટલી વાત સમજાઈ જશે તો ઘરમાં સંસ્કાર અને ખાસ તો સંવાદિતા જળવાઈ રહેશે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

KBC 16 ને તેનો પહેલો કરોડપતિ મળ્યો, કોણ છે એ યુવક જેણે જીતી માતબર રકમ?

મુંબઈ: ‘કૌન બનેગા કરોડપતિ 16’ને સિઝનનો પહેલો કરોડપતિ મળ્યો છે. UPSCની તૈયારી કરી રહેલા જમ્મુ-કાશ્મીરના ચંદ્ર પ્રકાશે પોતાના નામે 1 કરોડ રૂપિયાની રકમ જીતી લીધી છે. બુધવારે, ચંદ્ર પ્રકાશ હોટસીટ પર રોલ-ઓવર સ્પર્ધક તરીકે હાજર હતો. થોડા સમયમાં સાચા જવાબો આપીને તેણે રૂ. 1 કરોડના પ્રશ્ન સુધીની સફર સફળતાપૂર્વક પૂર્ણ કરી. તેણે અમિતાભ બચ્ચને પૂછેલા 7 કરોડ રૂપિયાના જેકપોટ પ્રશ્નનો પણ સામનો કરવો પડ્યો, પરંતુ તે જવાબ ચૂકી ગયો અને ત્યાં જ રમત છોડી દીધી. હાલમાં અમિતાભ બચ્ચન તેમના પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત દેખાતા હતા.

7 કરોડનો સવાલ અને તેના જવાબ

પહેલા અમે તમને એ સાત કરોડ સવાલ જણાવીએ જેનો જવાબ ચંદ્ર પ્રકાશ આપવામાં ચૂકી ગયો. તેણે કહ્યું કે તેને આ વિશે કોઈ જાણ નથી. આવી સ્થિતિમાં તે થોડો નર્વસ થયો અને પછી અમિતાભ બચ્ચને તેને પ્રોત્સાહિત કર્યો. 7 કરોડ રૂપિયાનો 16મો જેકપોટ પ્રશ્ન છે.

1587માં ઉત્તર અમેરિકામાં અંગ્રેજ માતા-પિતાને જન્મેલ પ્રથમ બાળક કોણ હતું?

તેના વિકલ્પો હતા-
A-વર્જિનિયા ડેર

B-વર્જિનિયા હોલ
C- વર્જિનિયા કોફી
D-વર્જિનિયા સિંક

ચંદ્ર પ્રકાશ ચોક્કસપણે આ પ્રશ્નનો જવાબ આપવામાં નિષ્ફળ ગયો, પરંતુ હોટ સીટ છોડતા પહેલા તેણે એક વિકલ્પ પસંદ કરવો પડ્યો. આ કર્યા પછી જ સાચો જવાબ સામે આવ્યો, જે A- વર્જિનિયા ડેર છે.

એક કરોડનો સવાલ અને તેના જવાબ
હવે અમે તમને જણાવીએ કે એક કરોડ રૂપિયાનો સવાલ, જેનો જવાબ આપીને ચંદ્ર પ્રકાશ કરોડપતિ બની ગયા છે. આ સાથે તેઓ તેમની સાથે મોટી રકમ પણ લેશે. આ રહ્યો પ્રશ્ન અને તેનો સાચો જવાબ

‘કયા દેશનું સૌથી મોટું શહેર તેની રાજધાની નથી પણ બંદર છે, જેના અરબી નામનો અર્થ શાંતિનું ઘર છે?’

વિકલ્પો – A: સોમાલિયા, B: ઓમાન, C: તાંઝાનિયા અને D: બ્રુનેઈ

સાચો જવાબ – C: તાંઝાનિયા

સ્પર્ધક વિશે જાણો

સ્પર્ધક ચંદ્ર પ્રકાશ, જેઓ જમ્મુ-કાશ્મીરના છે, ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યા પછી શોમાં પહોંચ્યા. ચંદ્ર પ્રકાશે શો દરમિયાન જણાવ્યું કે જ્યારે તેનો જન્મ થયો ત્યારે જાણવા મળ્યું કે તેના આંતરડામાં બ્લોકેજ છે, જેના કારણે તેને સર્જરી કરાવવી પડી હતી. તેની સારવાર દરમિયાન તેણે એવી દવાઓ લેવી પડી જેના કારણે તેની કિડની પર અસર થઈ અને પછી તેની સારવાર ચાલુ રહી. હાલમાં ચંદ્ર પ્રકાશ યુપીએસસીની તૈયારી કરી રહ્યા છે. ચંદ્ર પ્રકાશ અર્થશાસ્ત્રમાં માસ્ટર્સ કરી રહ્યા છે.

કબીરવાણી: મોક્ષની પૂર્વ શરત તૃષ્ણાનો ત્યાગ

બંધે કો બંધા મિલા, છૂટે કૌન ઉપાય,
કર સેવા નિરબંધ કી, પલમેં લેત છુડાય.

 

તૃષ્ણા બંધનનું કારણ છે, તૃષ્ણાનો ત્યાગ એ મોક્ષની પૂર્વ શરત છે. જે મોહ-માયાના પાશમાં બંધાયેલ છે તેને ગુરુ કરીને મુક્તિ કેમ મળે ? ધર્મનો અર્થ ધન-પ્રાપ્તિનું સાધન એમ માનીને સંપત્તિ અને ચેલાઓનું સામ્રાજ્ય નિર્માણ કરતાં મહંતો-સ્વામીઓ – મુલ્લાઓ કે ગાદીપતિઓ પાસે જનાર મુમુક્ષો અનેક પ્રકારનાં બંધનોમાં ફસાય છે. સંસારનાં બંધનો તો વૈરાગ્ય વિના છૂટે નહીં. બ્રહ્માનંદજીએ કહ્યું કે, “ત્યાગ ટકે નહીં વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાયજી.”

જેમણે જ્ઞાન પ્રાપ્ત કરી આસક્તિમાંથી છૂટકારો મેળવ્યો છે તેવા ગુરુનો અલ્પ સત્સંગ પણ મુક્તિનાં દ્વાર ખોલી આપે છે. મોક્ષના માર્ગે ચાલતા-ચાલતા પણ ઇચ્છાઓની તીવ્રતા ગમે તેવા તપસ્વીને રસ્તો ભૂલવાડી દે છે. સ્થિતપ્રજ્ઞ કે ભક્ત માટે ગીતામાં ભગવાને જે લક્ષણો વર્ણવ્યાં છે તેમાં સર્વ ઇચ્છાઓ તજી, સમતા ધારણ કરી, પરોપકાર માટે પ્રવૃત્તિમય રહેવાનું જરૂરી છે. કબીરજી કોઈ પાખંડ સહન કરી શકતા નથી તેથી તેનો આક્રોશ છે કે, ખોટા માર્ગે કેમ છો ? સાચા માર્ગે ચાલો તો મુક્તિ તો પળવારમાં મળે.

(લેખક પ્રવીણ કે. લહેરી નિવૃત્ત સનદી અધિકારી છે. ગુજરાત રાજ્યના મુખ્ય સચિવ સહિત અનેક હોદ્દાઓ પર કામ કરી ચૂકયા છે. વહીવટી અને સમાજજીવનનો બહોળો અનુભવ ધરાવે છે. હાલમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ અને સદવિચાર પરિવાર સાથે જોડાયેલા છે. સમાજજીવનના વિવિધ પ્રવાહો પર એ નિયમિત લખતા રહે છે.)

જંગલનો નકલ ખોર રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો

મધ્યભારતના જંગલો અને ગુજરાતના વાંસદા નેશનલ પાર્કમાં જોવા મળતુ સુંદર પક્ષી રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો જેને ગુજરાતીમાં ભિમરાજ પણ કહે છે. ચમકતા કાળા રંગનું રેકેટ આકારની બે પૂંછડી અને માથા પર કલગી વાળુ આ પક્ષી ખુબજ સુંદર દેખાય. ખુબ ચપળ આ પક્ષી સતત અહીં તહીં ઉડયા જ કરે. જંગલમાં પોતાના અવાજ થી એ તરત જ ઓળખાય જાય.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગોની એક ખાસ વિશેષતા એ કે તે આસપાસના પક્ષીના અવાજની એવી સરસ નકલ કરે કે એ પક્ષી પણ ન ઓળખી શકે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો અલગ અલગ પક્ષી સાથે ટીમ બનાવી શિકાર કરે. પોતાના માળાને બચાવવા અને કયારેક માદા પક્ષીને આકર્ષવા પણ આવા બીજા પક્ષીના અવાજો કરે છે.

રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો એ લક્કડ ખોદ થી લઈ કાગડા સુધી અનેકવિધ પક્ષીના અવાજની આબેહુબ નકલ કરી શકે છે. મધ્યભારતના જંગલોમાં રેકેટ ટેઈલ્ડ ડ્રોંગો ભિમરાજની ફોટોગ્રાફી કરવાની અઘરી પણ ફોટો મળે પછી ખૂબ મજા આવે.

રાશિ ભવિષ્ય 26/09/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો તમારો દિવસ સારો છે ઉત્સાહ તમારા વર્તનમાં જ દેખાઈ આવે, તમારા ધાર્યા કામ થઈ શકે છે , વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, કોઈ ધાર્મિકપ્રસંગકે સ્થળ પર જવાના યોગ છે, કોઈ સદ્કાર્યકે દાન કરવાની ઈચ્છા હોય તેપણ ફળીભૂત થવાથી ખુશીની સારી લાગણી અનુભવી શકો.


આજનો દિવસ સામાન્ય છે તમારા કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાત થઇ શકે અને તેમાં પ્રવાસનું આયોજન થઈ શકે છે, ક્યાંક નાણાકીયખર્ચ થાય, પ્રિયજન સાથે કોઈબાબતમાં વાર્તાલાપમાં બાંધછોડ કરવાની વૃત્તિ તમને લાભ અપાવી શકે છે, વેપારમાં ગણતરી પૂર્વકનુજ કામકાજ કરવું ઇચ્છનીય છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, મુસાફરી કંટાળાજનક અને સમયનાવ્યય વાળી બની શકે છે, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, શકય હોયતો ભક્તિમાં સમય વધુ ફાળવવો ઇચ્છનીય છે, એકંદર દિવસ શાંતિથી પસાર કરવો સારો.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસતા જોવા મળે અને પરિણામે કામપ્રત્યેનો અણગમો અને માનસિકથાકની લાગણી અનુભવાય, ક્યાંકને ક્યાંક ધીરજનો અભાવ વધુ વર્તાય. અગત્યના કામની  વાતચીતમાં ધીરજ અને ગણતરીપૂર્વક કામ કરવું યોગ્ય કહી શક્ય, વેપારમાં નાનું કામ કરવુજ  યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે તમારામાં આત્મવિશ્વાસ સારો જોવા મળે, ભૂતકાળના કોઈ કામની કદર થાય તેમાં તમને સારા સંતોષની લાગણી અનુભવો, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે આજે વધુ મેહનતથી સારા ફળ મળે તેવી આશા રાખી શકાય. વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઇ શકે છે.


આજના દિવસે સાવચેતી રાખવી અને તેમાં પણ વાણીસયમ રાખવો જરૂરી છે, હિતશત્રુથી સજાગ રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારમાં જોખમથી દુર રહેવું, પ્રિયજન સાથે કોઈપણ બાબતપર વાદવિવાદ કરવો ઇચ્છનીય નથી કેમકે તેમની લાગણી દુભાઈ શકે છે, મનને એકાગ્ર કરવાથી શાંતિ અનુભવી શકશો.


આજનો દિવસ સારો છે, તમે તમારા પ્રિયજનને સારીરીતે કોઈબાબતમાં ખુશ કરી થોડું ધાર્યું કામ કરાવી લો તેવું બનવા જોગ છે, વેપારમાં અનુભવ મુજબ કામ લાભ કરાવી શકે છે, નજીકના કોઈ ધાર્મિકસ્થળ કે પ્રસંગમાં જવાથી તમને જૂનીઓળખાણ કે જુનાસ્મરણો તાજા થાય તેવું બની શકે છે.


આજનો દિવસે શાંતિ અને સાવચેતી રાખવી તેમાંપણ ખાસ ગુસ્સાને કાબુમાં રાખવો અને વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારમાં જોખમન કરવું, પ્રિયજન સાથે કોઈવાત બાબત દલીલબાજીન કરવી, ધાર્મિકબાબતમાં મન સ્થિર રાખશોતો શાંતિ સારી રહેશે.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ ભાગ્ય સાથ આપે તેવું કયાંક બની શકે,  વેપારમાં લાભ થઈ શકે છે, ધાર્મિકપ્રસંગકે ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે અને તેમાં કોઈ સદ્કાર્ય કરવાની ભાવના જાગે, જૂનીઓળખાણ તાજી થાય, તમારી પરોપકાર કરવાની વૃતી આજે વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારો છે,  તમારામાં ઉત્સાહ સારો જોવા મળી રહે, ધાર્યુંકે મનનું કામ થઇ  શકે તેની તમે સારી ખુશી અનુભવી શકો, વેપારના કામકાજમાં તમારા અનુભવનો તમે સારો ઉપયોગ કરી શકો છો, પરોપકાર કરવાની વૃતી જાગે, ધાર્મિકસ્થળમાં દાન,પુણ્ય,ભક્તિ કરવા જવાની ઈચ્છા જાગે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રો,પરિચિતો સાથે નવીનકાર્યનું આયોજન થઇ શકે છે તેમજ પ્રવાસ પણ ક્યાંક થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારું રહે, વેપારમાં નાનું કામજ કરવું યોગ્ય કહી શકાય., આજે તમારામાં ધાર્મિકભાવના વધુ જોવા મળે અને ભક્તિ અને દાન કર્મ કરવા મન પ્રેરાય તેવું બની શકે છે.


આજનો દિવસે ધીરજ અને સાવચેતી રાખવી, તમને નકારત્મકવિચાર વધુ આવી શકે છે, વિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, પાડવા-વાગવાથી સાચવવું, ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, અગત્યની વાતચીતમાં વ્યવહારુ અભિગમ રાખવો ઇચ્છનીય છે, વેપારમાં જોખમથી દુર રહેવું.

પેરાસિટામોલ સહિત 50 થી વધુ દવાઓ પર મૂકાયો પ્રતિબંધ

સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) ગુણવત્તા પરીક્ષણમાં 53 દવાઓ ફેલ થઈ છે. આમાં બીપી, ડાયાબિટીસ અને વિટામિન્સ માટેની કેટલીક દવાઓનો પણ સમાવેશ થાય છે. CDSCO જે દવાઓ નિષ્ફળ ગઈ છે તેમાં પીડા રાહત આપતી દવા ડિક્લોફેનાક, તાવ ઘટાડવાની દવા પેરાસીટામોલ, એન્ટિફંગલ દવા ફ્લુકોનાઝોલ અને કેટલીક વિટામિન દવાઓનો સમાવેશ થાય છે. આ દવાઓ દેશની ઘણી મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓ દ્વારા બનાવવામાં આવે છે. આ દવા ક્વોલિટી ટેસ્ટમાં ફેલ થઈ છે અને તેને સ્વાસ્થ્ય માટે જોખમી જાહેર કરવામાં આવી છે.

CDSO 53 દવાઓના પરીક્ષણમાં ફેલ ગઈ છે, જોકે 48 દવાઓની યાદી બહાર પાડવામાં આવી છે. કારણ કે 5 દવાઓ બનાવતી કંપની કહે છે કે આ તેમની દવા નથી. તેમની કંપનીના નામે જ નકલી દવાઓ બજારમાં વેચાઈ રહી છે. જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સન ફાર્મા દ્વારા ઉત્પાદિત પેન્ટોસીડ ટેબ્લેટનો ઉપયોગ એસિડ રિફ્લક્સની સારવાર માટે થાય છે. ઘણા લોકો આ દવાનો ઉપયોગ કરે છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં તેનો વપરાશ પણ વધ્યો છે, પરંતુ આ દવા પણ ટેસ્ટમાં પાસ થઈ નથી.

કેલ્શિયમ અને વિટામિન ડીની ગોળીઓ – શેલ્કલ અને પલ્મોસિલ ઈન્જેક્શન, જેનો ઉપયોગ હાઈ બીપીની સારવાર માટે થાય છે, તે પણ ટેસ્ટમાં નિષ્ફળ ગયો. અલ્કેમ હેલ્થ સાયન્સની એન્ટિબાયોટિક ક્લાવમ 625 દવા પરીક્ષણમાં નિષ્ફળ ગઈ. જો કે, કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓએ એવો પણ દાવો કર્યો છે કે સીડીએસઓ દ્વારા ચિહ્નિત કરાયેલી દવાઓની બેચ નકલી છે અને તેમના દ્વારા બનાવવામાં આવતી નથી.