Home Blog Page 326

વાસ્તુ: વિચારશૂન્ય ભીડથી અંધવિશ્વાસ સુધી

એવું કહે છે કે ટોળામાં બુદ્ધિ નથી હોતી. અને એટલે જન કદાચ પોતાનું ધાર્યું કામ સિદ્ધ કરવા માટે ટોળાઓનો ઉપયોગ કરવામાં આવે છે. એક ગાડરિયા પ્રવાહની માફક ટોળું જાય અને કોઈની ઈચ્છાઓ પ્રમાણે વર્તન કરીને પાછુ આવે. શું એમને આવું કર્યા પછી વિચાર આવતો હશે ખરો કે આમાં એમની કોઈ ભૂલ હતી કે પછી કોઈ એમનો ઉપયોગ કરી ગયું? જો વિચાર આવતા હોત તો એ લોકો ટોળાનો ભાગ જ ન હોત. ટોળાને માત્ર ઉશ્કેરણીની જરૂર છે. બાકીની જવાબદારી એ પોતે જ લઇ લે છે. પહેલા ચાર રસ્તા પર કે ગામને પાદરે ટોળા જોવા મળતા હતા. હવે ઈન્ટરનેટ પર પણ જોવા મળે છે.

મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર ચોક્કસ પૂછી શકો છો. આ વિભાગ આપનો જ છે.

સવાલ: હું તમને બે નકશા મોકલું છું. એક મારા ઘરનો છે અને બીજો એક નક્કામાં માણસનો છે. જે મારા દીકરાની જિંદગી બગાડવા બેઠો છે. મારે એક દીકરો જ છે અને મારા પતિ વરસો પહેલા ધામમાં ગયા છે. બે વરસ પહેલા એક કાર્યક્રમમાં એક સજ્જન મળી ગયા. એમને મારા દીકરાનો અવાજ ગમ્યો એટલે એમણે સલાહ આપી કે તારે વ્યવસ્થિત શિક્ષણ લેવું જોઈએ. એમાં હું તને મદદ કરીશ. એ પોતે રસ લઈને શીખવાડતા. એક કાર્યક્રમમાં મારા દીકરાને એક ગ્રુપ મળી ગયું. એના લીડરે સમજાવ્યું કે મારી પાસે તો સરકારના મોટામોટા કામ છે. હું તને સ્ટાર બનાવી દઈશ. તું તારી ઓળખાણથી કામ લઇ આવ આપણે કાર્યક્રમ કરીએ. મારો દીકરો મૂરખા જેવો બે વરસથી કામ લાવે છે અને પેલા લોકો એમાંથી પુરેપુરા પૈસા લઈને મારા દીકરાને રૂપિયો પણ આપતા નથી. વળી એવી ભૂરકી નાખી છે કે મારા દીકરા જેવા કેટલા બધા લોકો આ માણસ પાછળ ભાગે છે. મારું તો કોઈ બીજું છે નહિ. મારા દીકરાને કોણ સમજાવે? એને આમાંથી બહાર કેવી રીતે કાઢવો?

જવાબ: લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. સરકારને ખબર પણ નહિ હોય કે આ માણસ એમનો છે. ઘણા વારસો પહેલા કાદરખાનની એક ફિલ્મ આવી હતી. જેમાં એ રાજકારણીઓના પગ પકડીને પરાણે મનાવતો હોય અને પછી બહાર આવીને બડાસ હાંકતો હોય છે. વળી બે વરસ સતત કોઈ પૈસા ન આપે તોય એની પાછળ તમારો દીકરો ભાગે છે એ નવાઈનો વિષય છે.

પેલા માણસના ઘરનું દ્વાર અગ્નિનું નકારાત્મક દ્વાર છે. એટલે એ માણસ સ્ત્રૈણ વિચારધારા ધરાવતો હોય. અન્યની કુથલી કરવી, લાભ લઇ લેવો, છેતરવું આવા ગુણધર્મ હોય. તમારા દીકરાને તાત્કાલિક એનાથી દુર કરો. હવે રહી વાત તમારા ઘરની. તમારા ઘરમાં પૂર્વનો દોષ છે તેથી મા-દીકરાને ચડભડ થતી હોય. અગ્નિનો દોષ પણ છે. તેથી તમારો દીકરો વધારે પડતી મહત્વકાંક્ષા ધરાવતો હોય. બે સ્વાર્થી વ્યક્તિઓ મળે તો જે વધારે હોંશિયાર હોય એ ફાવે. સવારના વહેલા ઉઠીને ગાયત્રીમંત્ર કરો. સૂર્યને અર્ઘ આપો અને શિવપૂજા કરો. ચોક્કસ લાભ થશે.

તમારા દીકરાએ કોઈ બ્રાહ્મણનું મન દુખાવ્યું હોય એવું પણ બને. જો એવું હોય તો જે તે વ્યક્તિની માફી માંગી અને ફરી આવું નહિ કરવાનું વચન આપવું જરૂરી છે.

સવાલ: હું એક સંસ્થામાં નોકરી કરું છુ. એક વ્યક્તિનો પગાર બાકી હતો મેં આનાકાની કરી તો એમણે ગુસ્સામાં કહ્યું કે તો એને દાન સમજીને રસીદ આપીદો. એટલે પતે. આ વાત મેં મારા સાહેબને કહી એટલે હવે એમણે પણ પૈસા આપવાની ના પડી છે. પછી મારા જીવનમાં ઘણી સમસ્યા આવે છે. આ બંનેને કોઈ સંબંધ હોય ખરો?

જવાબ: હોય જ. એમને પૈસા અપાવી દો. તમને પરિણામ દેખાશે. જેટલું જલ્દી કરશો એટલા કર્મો ઓછા ચડશે.

સુચન: કોઈને દુખી કરીને સુખી થવાની વાત કોઈ પણ ધર્મનો ભાગ નથી.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com )

સોસાયટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ : મુંબઈમાં ફેમસ થયેલું અનોખું ક્લબ ક્લ્ચર

તમે કોઈ પણ સોશ્યિલ કે ફેમિલી ફંક્શનમાં જાઓ ત્યાં જો આપણને કોઈ આપણા જેવું ના મળે તો ખાસ મજા આવતી નથી. પણ જો આપણા વિચારો જેની સાથે મળી જાય પછી તો કલાકો ક્યાં જતા રહે એ ખબર પડતી નથી. અમુક લોકો કોઈ સાથે મિક્સ થતાં નથી. એમના વિચારો પર લોકો હસી પડે છે, અથવા તો એ લોકો સહેલાઈથી આઉટ ઓફ બોક્સ થઇ જાય છે. બૌદ્ધિક લોકો સાથે આ પ્રોબ્લેમ સર્વ સામાન્ય છે જ્યાં તેમના વિચારોને સમજવા માટે લોકો ઓછા હોય છે.

પણ મુંબઈ તો મુંબઈ છે, એક એવો સમુદ્ર જે બધાને સમાવી લે છે. અને જરૂરી લાગે ત્યારે ફરી ફેંકી પણ દે છે.

મુંબઈ હંમેશા મનમાનીનું શહેર રહ્યું છે, જ્યાં એવા લોકો રહે છે જે લોકો પોતાની મરજી મુજબ જિંદગી જીવવાનું પસંદ કરે છે. નાઈટ ક્લ્ચર હોય કે સ્પિરિ્ચ્યુઅલ ક્લ્ચર, અહીં દરેક માટે સમય અને સ્થાન અલગ છે, જ્યાં નવા વિચારોને લોકો પુરેપુરા મનથી અપનાવી લે છે.

એવુ જ એક અજીબોગરીબ ક્લબ ક્લ્ચર મુંબઈમાં ઘણુંજ ફેમસ થઇ રહ્યું છે, એ છે, સોસાયટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ, એટલેકે બૌદ્ધિક સમાજ….

સોસાયટી ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ્સ

આ એક એવુ ક્લબ છે જ્યાં લોકો રાતના કલાકો સુધી જાગે છે, ખુરશીઓ ગોઠવાય છે, અવનવા વ્યંજનો અને પીણાઓ પીરસાય છે, અને અનોખા જ વિષયો પર ચર્ચાઓ ચાલે છે, ડિબેટ થાય છે, પ્રશ્નો પુછાય છે. અને સૌથી મહત્વનું કે આ બધું જ એક્સપર્ટસ દ્વારા થાય છે.

ડીટેલમાં જોઈએ તો આ એક એવુ ક્લબ છે જ્યાં તમને તમારા જેવા લોકો સાથે સમય પસાર કરવાનો તેમજ તમારા મનગમતા વિષયો પર ઊંડાણમાં જાણવાનો મોકો મળે છે, એ પણ લાઈવ. અહીં પહેલેથી જ વિષયો તેમજ સ્પેશલ સ્પીકર્સ નક્કી કરેલા હોય છે. જેના વિષયો એકદમ ટ્રેન્ડિંગ તેમજ ખુબજ રસપ્રદ હોય છે, જેમકે અહીં કોઈ પ્રવચન માત્ર સાંભળવામાં પૂરતું નથી.

ન્યુરોસાયન્ટિસ્ટ આદતોની ચર્ચા કરે છે, ફિલ્મમેકર વાર્તાની માનસિકતા સમજાવે છે, શહેરી આયોજનકાર ભવિષ્યના શહેરની વાત કરે છે. ઉપરાંત, અહીં નક્કી કરેલા મેનુ પ્રમાણે અહીં ભોજન સાથે ખૂબ જ હેલ્થી ડિસ્ક્શન દ્વારા વિચારોની આપ-લે થાય છે. નવા લોકો સાથે રિયલમાં કનેકશન તેમજ નેટવર્કિંગની ખૂબ જ મોટી તક ઉભી થાય છે.

હકીકતમાં આ ટ્રેન્ડ કોઈ નવો નથી અગાઉ પણ 17-18મી સદીમાં ઇટલીમાં આવો ‘સલોન ક્લ્ચર’ ટ્રેન્ડ પ્રખ્યાત હતો. જ્યાં વિચારકો, લેખકો, કલાકારો મળીને પોતાના વિચારો રજૂ કરતાં. એ દિવસો પણ હતા જ્યારે મુંબઈના જુવાનિયાઓ રાતને મોડે સુધી જાગીને બેહોશીમાં માપતા. પણ હવે એજ શહેર, દુનિયાને અનોખા વિચારોથી માપશે.

Society of Intellectuals એ સોશિયલ મીડિયા જેવા ફેક કોન્સેપ્ટ થી દૂર, દંભી અને દેકારા ભર્યા ફેમિલી ફંક્શનથી અલગ, ક્લાસ રૂમ અને સેમિનારના બોરિંગ લેક્ચર કરતા વધારે, એક મીનિંગ ફુલ સમાજની સંરચના કરી રહ્યું છે. જે માત્ર વિચારોનું કનેકશન જ નથી બનાવતું પરંતુ તેમને હકીકત બનાવવા અને લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કરે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૯ જાન્યુઆરી ૨૦૨૬

ટ્રમ્પની ધમકી વચ્ચે પોલેન્ડનું ભારતને સમર્થન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ તરફથી રશિયન તેલ ખરીદનારા દેશો પર 500 ટકા સુધીના ભારે ટેરિફની ધમકી વચ્ચે ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વપૂર્ણ રાજનૈતિક ટેકો મળ્યો છે. યુરોપિયન દેશ પોલેન્ડે ખુલ્લેઆમ ભારતનું સમર્થન કર્યું છે અને રશિયા પાસેથી તેલ આયાત ઘટાડવા અંગે ભારતના પગલાં પર સંતોષ વ્યક્ત કર્યો છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારત-અમેરિકા સંબંધોમાં ફરી એક વખત તણાવ વધતો જોવા મળી રહ્યો છે.

પોલેન્ડના વિદેશ મંત્રી રાદોસ્લાવ સિકોર્સ્કીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારત દ્વારા રશિયન કાચા તેલની ખરીદીમાં ઘટાડો કરવો એક મહત્વપૂર્ણ અને જવાબદાર પગલું છે. તેમના મતે, આ નિર્ણયથી રશિયાને મળતી આર્થિક ફંડિંગ પર સીધી અસર પડશે, જે યુક્રેન યુદ્ધના સંદર્ભમાં અત્યંત મહત્વપૂર્ણ બાબત છે. પેરિસમાં યોજાયેલી બેઠક દરમિયાન તેમણે આ મુદ્દે પોતાની સંતોષની ભાવના વ્યક્ત કરી હતી.

આ નિવેદન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને યુરોપના મુખ્ય નેતાઓ સાથે થયેલી બેઠક બાદ સામે આવ્યું છે. આ બેઠક ‘વાઇમર ટ્રાયએન્ગલ’ જૂથ સાથે ભારતની પ્રથમ સત્તાવાર ચર્ચા હતી, જેમાં ફ્રાન્સ, જર્મની અને પોલેન્ડ સામેલ છે. આ ચર્ચામાં વૈશ્વિક રાજકારણ, યુક્રેન યુદ્ધ, ઊર્જા સુરક્ષા અને હિંદ-પ્રશાંત ક્ષેત્રની સ્થિતિ જેવા મુદ્દાઓ પર વિચારવિમર્શ કરવામાં આવ્યો.

રાદોસ્લાવ સિકોર્સ્કીએ જણાવ્યું કે ભારતે રશિયા પાસેથી તેલ આયાત ઘટાડવાનું શરૂ કર્યું છે, જે વ્લાદિમીર પુતિનની યુદ્ધ મશીનરી માટેની ફંડિંગ ઘટાડે છે. તેમણે ઉમેર્યું કે આગામી સપ્તાહે ભારતની મુલાકાત દરમિયાન આ મુદ્દે વધુ વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે યુરોપના કેટલાક દેશો ભારતની સ્થિતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીજી તરફ, અમેરિકા તરફથી દબાણ યથાવત છે. ડોનાલ્ડ ટ્રંપે તાજેતરમાં એક નવા બિલને મંજૂરી આપી છે, જેના હેઠળ રશિયન તેલ અથવા યુરેનિયમ ખરીદનારા દેશો પર 500 ટકા સુધીનો ટેરિફ લગાવી શકાય છે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ રશિયા પર આર્થિક દબાણ વધારવાનો છે, પરંતુ તેની સીધી અસર ભારત જેવા દેશો પર પડી શકે છે, જે ઊર્જાની જરૂરિયાતો માટે મોટા પ્રમાણમાં તેલ આયાત કરે છે.

આ પહેલા પણ અમેરિકા ભારત પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરી ચૂક્યું છે. ભારતીય આયાત પર 25 ટકા શુલ્ક લાદ્યા બાદ, રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ વધુ 25 ટકા ટેરિફ લગાવવામાં આવ્યો હતો, જેના કારણે અનેક ભારતીય ઉત્પાદનો પર કુલ ટેરિફ 50 ટકા સુધી પહોંચી ગયો હતો. આ પરિસ્થિતિએ બંને દેશોના વેપાર સંબંધોમાં તણાવ ઊભો કર્યો છે.

અમેરિકાના રિપબ્લિકન સેનેટર લિન્ડસી ગ્રેહમે જણાવ્યું છે કે ટ્રંપે આ બિલને મંજૂરી આપી દીધી છે અને આગામી સપ્તાહે તેના પર મતદાન થઈ શકે છે. જો આ કાયદો અમલમાં આવે છે તો વૈશ્વિક તેલ બજાર અને ભારત જેવી ઉદયમાન અર્થવ્યવસ્થાઓ પર તેની વ્યાપક અસર થવાની સંભાવના છે.

આ તણાવપૂર્ણ માહોલ વચ્ચે વિદેશ મંત્રી એસ. જયશંકર યુરોપના પ્રવાસ પર છે. તેમણે જણાવ્યું કે યુરોપ વૈશ્વિક રાજકારણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ભારત-યુરોપ સંબંધોમાં અપાર સંભાવનાઓ છે. જયશંકરે ભારપૂર્વક કહ્યું કે ભારત આંતરરાષ્ટ્રીય અર્થતંત્ર અને રાજકારણમાં સ્થિરતા લાવવા માગે છે અને આ જ ઉદ્દેશ સાથે તેઓ યુરોપ પહોંચ્યા છે.

Chitralekha Gujarati – 19 January, 2026

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

GPSCની 2026ની પ્રીલિમ પરીક્ષાની તારીખો જાહેર

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે આવનારા વર્ષને લઈ નવી આશા જગી છે. ગુજરાત જાહેર સેવા આયોગે 2026 દરમિયાન યોજાનારી વિવિધ ભરતી પરીક્ષાઓ અંગે પ્રાથમિક સંકેતો આપતા ઉમેદવારોમાં ફરી એકવાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી ભરતી પ્રક્રિયામાં સ્પષ્ટતા ન હોવાના કારણે ગૂંચવણમાં રહેલા ઉમેદવારો માટે આ જાણકારી મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

આયોગના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી વર્ષ દરમિયાન રાજ્યના વિવિધ વિભાગોમાં ખાલી પડેલા ક્લાસ-1 અને ક્લાસ-2ના પદો ભરવા માટે તબક્કાવાર પરીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પરીક્ષાઓનું આયોજન શિયાળાના અંત અને ઉનાળાની શરૂઆત દરમિયાન થવાની શક્યતા છે, જેના કારણે ઉમેદવારોને તૈયારી માટે યોગ્ય સમય મળશે. વહીવટી સેવાઓ ઉપરાંત ટેક્નિકલ, શિક્ષણ અને વિશેષ સેવાઓના પદો માટે પણ સ્પર્ધાત્મક માહોલ સર્જાવાની શક્યતા છે.

EDના દરોડા પછી મમતા બેનર્જીની એન્ટ્રીથી બંગાળમાં હોબાળો

I-PAC વડા પ્રતીક જૈન અને તેમની ઓફિસ પર EDના દરોડા અને કોલસા કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં તપાસમાં મમતા બેનર્જીની એન્ટ્રીથી રાજ્યભરમાં હોબાળો મચી ગયો છે. EDના દરોડાની માહિતી મળતાં, મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેમના અધિકારીઓ સાથે, પ્રતીક જૈનના ઘર અને ઓફિસ પર પહોંચ્યા, ત્યાંથી દસ્તાવેજો મેળવ્યા અને ED અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા.

તૃણમૂલ કોંગ્રેસે ગુરુવારે સાંજે EDની કાર્યવાહી સામે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી. EDની કાર્યવાહી સામે મમતા બેનર્જી પોતે શુક્રવારે કોલકાતામાં કૂચનું નેતૃત્વ કરશે. દરમિયાન, EDએ ED ઓફિસમાંથી દસ્તાવેજો લેવાના આરોપમાં મમતા બેનર્જી સામે કાર્યવાહી કરી છે અને કોલકાતા હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો છે. શુક્રવારે સુનાવણી થવાની અપેક્ષા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીની IPAC ઓફિસની મુલાકાત અંગે ED એ કોલકાતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે સર્ચ દરમિયાન તેમના બંધારણીય પદનો દુરુપયોગ કરીને દસ્તાવેજો ચોરાઈ ગયા હતા. તેમણે આ મામલો હાઈકોર્ટના જસ્ટિસ શુભ્રા ઘોષના ધ્યાન પર લાવ્યો હતો. પરવાનગી આપવામાં આવી હતી. શુક્રવારે સુનાવણી થવાની અપેક્ષા છે. દરમિયાન, I-PAC એ ED દરોડા સામે હાઈકોર્ટમાં કેસ પણ દાખલ કર્યો છે.

શુક્રવારે હાઈકોર્ટમાં ED કેસ પર સુનાવણી

ED એ ગુરુવારે સવારે રાજ્ય સરકારની સલાહકાર સંસ્થા I-PAC ની ઓફિસ પર દરોડા પાડ્યા હતા. I-PAC વડા પ્રતીક જૈનના લાઉડન સ્ટ્રીટ નિવાસસ્થાનની પણ તલાશી લેવામાં આવી હતી. ED દરોડા દરમિયાન મમતા બેનર્જી વ્યક્તિગત રીતે પ્રતીક જૈનના ઘરે ગયા હતા. ગયા પછી, તેમણે સોલ્ટ લેકમાં I-PAC ઓફિસની પણ મુલાકાત લીધી હતી.

તેઓ એક ફાઇલ અને લેપટોપ લઈને જતા જોવા મળ્યા હતા. મમતાએ મીડિયા સમક્ષ ફરિયાદ કરી હતી કે તેમના પક્ષની રાજકીય વ્યૂહરચના ચોરાઈ ગઈ છે. તેમણે કેન્દ્રીય એજન્સીના દરોડા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ED દરોડો અલોકતાંત્રિક અને ખોટો હતો.

મમતાના આરોપો વચ્ચે, ED એ એક નિવેદન બહાર પાડ્યું. તેમાં જણાવાયું છે કે માહિતીના આધારે, ગેરકાયદેસર કોલસાની દાણચોરીના કેસના સંદર્ભમાં પશ્ચિમ બંગાળમાં છ સ્થળોએ અને દિલ્હીમાં ચાર (કુલ 10 સ્થળોએ) સર્ચ કરવામાં આવી રહ્યું છે. જોકે, તેમના બંધારણીય પદનો દુરુપયોગ કરીને બે સ્થળોએથી દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ, કેન્દ્રીય એજન્સીએ હાઇકોર્ટમાં અરજી કરી.

ED એ મમતા બેનર્જી પર દસ્તાવેજો લેવાનો આરોપ લગાવ્યો 

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ED અધિકારીઓ I-PAC ઓફિસ અને પ્રતીકના ઘરની તપાસ કરી રહ્યા હતા, ત્યારે મમતા બેનર્જીએ પ્રવેશ કર્યો અને ફાઇલો અને લેપટોપ લઈ ગયા અને તેમને તેમની કારમાં મૂકી દીધા. પ્રશ્ન એ છે કે: શું ED અધિકારીઓએ તેમને રોક્યા ન હતા? શું તેઓએ ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક પણ કર્યો? તે સ્પષ્ટ છે કે કેસ દાખલ કરવાનો નિર્ણય ખૂબ પાછળથી લેવામાં આવ્યો હતો.

ED એ સોશિયલ મીડિયા પર એક નિવેદન બહાર પાડ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, “ઇડી હેડક્વાર્ટર યુનિટ ગેરકાયદેસર કોલસાની દાણચોરીના કેસના સંદર્ભમાં પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ 10 સ્થળોએ દરોડા પાડી રહ્યું છે. અનુપ માજી કોલસાની દાણચોરીનું સિન્ડિકેટ ચલાવતો હતો અને પશ્ચિમ બંગાળના વિવિધ સ્થળોએથી ગેરકાયદેસર રીતે કોલસાની દાણચોરી કરતો હતો. સર્ચ ઓપરેશન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું, પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી તેમના વહીવટી અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ સાથે પહોંચ્યા અને બળજબરીથી દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા લઈ ગયા.”

પદ્મશ્રી તોમિયો મિઝોકામી: ભારત-જાપાન વચ્ચે આજીવન સેતુ

નવી દિલ્હી: જાપાનના પ્રખ્યાત ભાષાવિદ્ અને ઓસાકા યુનિવર્સિટીના પ્રોફેસર ઇમેરિટસ પ્રો. તોમિયો મિઝોકામીને ભારત-જાપાન વચ્ચે સાંસ્કૃતિક દૂત તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય ભાષાઓ, સાહિત્ય અને શિક્ષણમાં તેમના આજીવન યોગદાન બદલ ૨૦૧૮માં ભારત સરકારે તેમને પદ્મશ્રી સન્માનથી સન્માનિત કર્યા હતા. આ સન્માન રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલ સમારોહમાં આપવામાં આવ્યું હતું.૧૯૪૧માં જાપાનના કોબે શહેરમાં જન્મેલા પ્રો. મિઝોકામીને બાળપણથી જ ભારતીય સંસ્કૃતિ અને ભાષાઓ પ્રત્યે ગહન રુચિ હતી. ૧૯૬૫માં ઓસાકા યુનિવર્સિટી ઓફ ફોરેન સ્ટડીઝમાંથી ભારતીય અધ્યયનમાં સ્નાતક થયા પછી તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ભારત આવ્યા. ૧૯૬૫થી ૧૯૬૮ દરમિયાન તેમણે અલ્હાબાદમાં હિન્દી અને શાંતિનિકેતનમાં બંગાળી ભાષાનો ગહન અભ્યાસ કર્યો. ૧૯૭૨માં દિલ્હી યુનિવર્સિટીમાંથી પી.એચ.ડી. મેળવી અને પંજાબમાં ભાષા-સંપર્ક પર મહત્વપૂર્ણ સંશોધન કર્યું, જેણે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણ મેળવ્યા.પ્રો. મિઝોકામીએ દાયકાઓ સુધી ઓસાકા યુનિવર્સિટીમાં ભારતીય ભાષાઓનું અધ્યાપન કર્યું. નિવૃત્તિ પછી પણ ૨૦૦૭થી પ્રોફેસર ઇમેરિટસ તરીકે સક્રિય છે. તેઓ હિન્દી, પંજાબી, બંગાળી, ઉર્દૂ, ગુજરાતી, મરાઠી સહિત અનેક ભાષાઓમાં નિપુણ છે. તેઓ પંજાબી ભાષા પર સંશોધન કરનાર પ્રથમ જાપાની વિદ્વાન છે.તેમણે ગુરુ નાનકદેવજીની ‘જપજી સાહિબ’નો જાપાની અનુવાદ કર્યો અને અનેક પુસ્તકો લખ્યા. જેમ કે ‘Introductory Punjabi’ અને ‘Language Contact in Punjab’. આ કાર્યોએ જાપાનમાં ભારતીય આધ્યાત્મિકતા અને સાહિત્યને નવી ઓળખ આપી.

ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR)એ તેમના યોગદાનને બંને દેશો વચ્ચે જન-જનના સંબંધો મજબૂત કરનારું ગણાવ્યું. હિરોશિમામાં G7 શિખર સમ્મેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને મળીને તેમના સમર્પણની પ્રશંસા કરી હતી.૧૦ જાન્યુઆરીએ ઉજવાતા વિશ્વ હિન્દી દિવસના પ્રસંગે પ્રો. મિઝોકામીની વારસત વધુ પ્રસ્તુત થાય છે. જાપાન જેવા દેશમાં હિન્દીને અકાદમિક પ્રતિષ્ઠા અપાવવામાં તેમનો યોગદાન ઐતિહાસિક છે. આજે જ્યારે ભારત-જાપાનના સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે, ત્યારે પ્રો. તોમિયો મિઝોકામી બંને દેશો વચ્ચે મૈત્રીના જીવંત પ્રતીક છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.

વડાપ્રધાન મોદીના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬નું ઉદ્ઘાટન

અમદાવાદ: ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવું મહત્વ છે. સમગ્ર રાજ્યના પતંગ રસિયાઓ રંગબેરંગી પતંગો હવામાં ઉડાડીને ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે. આ વર્ષે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’નો ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ સવારે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવશે. આ ઉદ્ઘાટન સમારોહમાં જર્મનીના ચાન્સેલર ફ્રેડરીક મર્ઝની પ્રેરક ઉપસ્થિત રહેશે. અમદાવાદ ખાતે તા.૧૨ થી ૧૪ જાન્યુઆરી ૨૦૨૬ દરમિયાન યોજાનાર ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬’ના મુખ્ય આકર્ષણના કેન્દ્રોમાં આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો વિવિધ પ્રકારના શ્રેષ્ઠ મોટા પતંગોની ઉડાન કરશે. આ ઉપરાંત તા. ૧૩ જાન્યુઆરીના રોજ રાત્રિ પતંગ ઉડાન કરવામાં આવશે. અમદાવાદની વારસાગત સ્થાપત્ય પરંપરાને દર્શાવતી હેરિટેજ હવેલી અને પૌરાણિક પોળ, રંગબેરંગી હસ્તકલા બજાર, હેરિટેજ વોક-વે પર રચાયેલ પતંગ મ્યુઝિયમ, આકર્ષક આઈકોનિક ફોટો વોલ ઇન્સ્ટોલેશન્સની સાથોસાથ સાંજે ૦૭:૦૦ વાગ્યાથી વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમો નગરજનોને આકર્ષિત કરશે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં ૫૦ દેશોના ૧૩૫ આંતરરાષ્ટ્રીય પતંગબાજો, ભારતના ૧૩ રાજ્યોમાંથી ૬૫ તથા ગુજરાતના ૧૬ જિલ્લાઓમાંથી ૮૭૧ પતંગબાજો એમ કુલ મળીને ૧,૦૭૧ પતંગ રસિયાઓ ભાગ લેશે. આ મહોત્સવ દરમિયાન ૨૫ હસ્તકલા સ્ટોલ અને ૧૫ ફૂડ સ્ટોલ કાર્યરત રહેશે, જે સ્થાનિક કલા, હસ્તકલા અને સ્થાનિક વ્યંજનોને પ્રોત્સાહન આપશે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬ અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત અને કચ્છના ધોળાવીરામાં તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૬, વડનગર, શિવરાજપુર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં તા.૧૧ જાન્યુઆરી ૨૦૨૬ તેમજ વડોદરા ખાતે તા.૧૩ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે.

વર્ષ-૨૦૨૫માં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે સમગ્ર ગુજરાતમાં ૩.૮૩ લાખથી વધુ મુલાકાતીઓને આકર્ષ્યા હતા. ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ’ દ્વારા ગુજરાત ટૂરિઝમ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરે અગ્રણી સાંસ્કૃતિક અને પ્રવાસન સ્થળોમાં પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે. જેના પરિણામ સ્વરૂપે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૬માં અંદાજિત પાંચ લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાતની મુલાકાતે આવશે તેમ ગુજરાત ટૂરિઝમની યાદીમાં જણાવાયું છે.