Home Blog Page 2938

મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનનો સાહિત્ય એવોર્ડ લાભશંકર પુરોહિતને  

અમદાવાદઃ સાહિત્ય, શિક્ષણ અને ગ્રામપુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુરસ્કારવાના હેતુથી રચાયેલા મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનનો વર્ષ ૨૦૨૨નો વિવેચન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે લાભશંકરભાઈ પુરોહિતને સાહિત્ય એવોર્ડ અને શિક્ષણ માટે નવ દાયકાથી વિશિષ્ટ કાર્ય કરનાર ભાવનગરની ‘શિશુવિહાર’ સંસ્થાને શિક્ષણ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન  મધુકરભાઈ બી. પારેખના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારીબાપુ આશીર્વચન આપશે. આ પ્રસંગે જાણીતા સાહિત્યકારો રઘુવીર ચૌધરી, પ્રકાશ ન. શાહ, મનસુખ સલ્લા તથા નીતિન વડગામા પ્રવચન આપશે. આ કાર્યક્રમ બીજી મેએ મંગળવાર સવારે 10 કલાકે સ્થળઃ- શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર-364 001માં યોજાશે.

લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વમાં કે તેમની વાણીમાં ક્યાંય ઔપચારિકતાનો ઓછાયો જોવા ન મળે. બલકે સહજતા, સ્વાભિકતા અને પારદર્શિતાનો જ પડઘો પડે. તેમના લિખિત અને ઉચ્ચારિત શબ્દમાં હંમેશાં આત્મપ્રતીતિનો પ્રતિઘોષ સાંભળી શકાય છે. તેમની સજ્જતા અને વિદ્વત્તાનો લાભ અનેક કોલેજો, યુનિવર્સિટીઓ અને સાહિત્યિક સંસ્થાઓને મળતો રહ્યો છે. તેમણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ ઉપરાંત મુંબઈ અને SNDT યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રોફેસર અને નિમંત્રિત વક્તા તરીકે સેવાઓ આપી છે. અધ્યાપકોની ત્રણ-ત્રણ પેઢીઓ તેમની પાસેથી તૈયાર થઈ છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ આજે પણ પુરોહિતસાહેબને આદરપૂર્વક યાદ કરે છે તો સાહિત્યના અભ્યાસુઓ પણ લાભુદાદાને વાંચવા કે સાંભળવા એટલા જ ઉત્સુક હોય છે.  

શિશુવિહાર શહેરની 314 આંગણવાડીના 8000 બાળકોને શિક્ષણ સાથે જોડવા છેલ્લાં 12 વર્ષથી બાલવાડી  શિક્ષક તાલીમ અને સાધન સહાય આપે છે. આ ઉપરાંત સંસ્થા શિક્ષકો દ્વારા પસંદ કરવામાં આવેલાં 1700 બાળકોને સ્કૂલ કિટ આપી તેમના પરિવાર સાથે શિક્ષકોના માધ્યમથી સંપર્કમાં રહે છે.

 

 

 

 

 

 

 

કૂનો નેશનલ પાર્કમાં સ્થાનાંતરિત દક્ષિણ આફ્રિકી ચિત્તાનું મોત

 ભોપાલઃ દક્ષિણ આફ્રિકાથી મધ્ય પ્રદેશના કૂનો નેશનલ પાર્ક (KNP)માં લાવવામાં આવેલા એક ચિત્તાનું ગઈ કાલે મોત થયું છે. આ મૃતક ચિત્તા ઉદયની ઉંમર છ વર્ષની હતી. આશરે એક મહિના પહેલાં KNPમાં આ પ્રકારની બીજી ઘટના છે. આ પહેલાં નામિબિયા ચિત્તા સાશાનું 27 માર્ચે કિડનીમાં થયેલા ઇન્ફેક્શનને કારણે મોત થયું હતું.

સારવાર દરમ્યાન સાંજે ચાર કલાકની આસપાસ ચિત્તાનું મોત થયું હતું, એમ પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) વાઇલ્ડલાઇઝ JS ચૌહાણે કહ્યું હતું. એક અન્ય વન અધિકારીએ જણાવ્યું હતું કે મૃત ચિત્તાની ઓળખ ઉદય તરીકે કરી હતી.

સવારે ઇન્સ્પેક્શનમાં દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા એક ચિત્તાને સુસ્ત જોવામાં આવ્યો હતો, જે પછી પાર્કમાં ઉપસ્થિત પશુ ડોક્ટરોએ વરિષ્ઠ અધિકારીઓને સતર્ક કર્યા હતા અને સારવાર માટે એને બહાર કાઢ્યો હતો.

વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે 72મા જન્મદિને આઠ નામિબિયા ચિત્તાને પાર્કમાં છોડ્યા હતા.

 

 

કેરી પકાવવા માટે રસાયણોના ઉપયોગ સામે રાજ ઠાકરેની પાર્ટીનો વિરોધ

મુંબઈઃ રાજ ઠાકરેના વડપણ હેઠળની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીએ માગણી કરી છે કે કેરી ફળને કૃત્રિમ રીતે પકાવવા માટે રસાયણોનો ઉપયોગ કરતા વેપારીઓ સામે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) પગલું ભરે. ‘મનસે’ પાર્ટીનો આરોપ છે કે કેરીનું વધારે વેચાણ કરી નફો કમાવવા માટે અસંખ્ય વેપારીઓ ગેરકાયદેસર રીતમાં સંડોવાયેલા છે.

હાલ ઉનાળાની મોસમમાં નવી મુંબઈસ્થિત એગ્રિકલ્ચર પ્રોડ્યૂસ માર્કેટ કમિટી (એપીએમસી)ની ફળ બજારમાં દરરોજ કેરીના 75,000 બોક્સ આવે છે અને તે બધી કાચી કેરી હોય છે. સામાન્ય રીતે, કાચી કેરીને કુદરતી રીતે પાકતા એકાદ અઠવાડિયું લાગે છે, પરંતુ વેપારીઓ લિક્વિડ ઈથેફોન જેવા રસાયણોનો ઉપયોગ કરીને આંબા ફળોને કૃત્રિમ રીતે, સામાન્ય કરતાં ઝડપથી અને ગેરકાયદેસર રીતે પકાવે છે. ઈથેફોનનો ઉપયોગ માનવશરીર માટે હાનિકારક હોય છે.

સમયથી પહેલાં મળેલી ફેરવેલથી MS ધોનીને કર્યો ભાવુક

કોલકાતાઃ ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં ગઈ કાલે રમાયેલી છેલ્લી મેચ રમી હોવાની શક્યતા છે. મહેન્દ્ર સિંહ મેદાનમાં પગ મૂકતાં જ સ્ટેડિયમમાં માહી-માહીના નામના સૂત્રોચ્ચાર થવા લાગ્યા હતા. રવિવારે KKRની સામે મેચમાં કંઈક આવો જ નજારો જોવા મળ્યો હતો, જ્યાં ઈડન ગાર્ડન્સમાં ફેન્સ ચેન્નઈ સુપર કિંગ્સની જરસીમાં નજરે ચઢ્યા હતા.

મહેન્દ્ર સિંહ ધોનીએ અત્યાર સુધી સત્તાવાર તરીકે તો કાંઈ નથી કહ્યું, પણ એવું માનવામાં આવે છે કે આ સીઝન ધોનીની IPLમાં છેલ્લી સીઝન થવાની છે.  સમયથી પહેલાં મળેલી આ ફેરવેલને ધોનીના દિલ સ્પર્શી લીધી હતી. ધોનીએ મેચમાં કહ્યું હતું કે હું બધાનો ટેકો આપવા બદલ આભાર માનું છું. તેઓ અહીં મોટી સંખ્યામાં છે. તેઓ મને ફેરવેલ આપવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બધાનો ખૂબ-ખૂબ આભાર. ધોનીએ અહીં ગ્રાઉન્ડ્સમેનની સાથે ફોટો ખેંચાવ્યા હતા. 

દિગ્ગજ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપવાળી ટીમે ચેન્નઈ સુપર કિંગ્સે રવિવારે ઇન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનમાં પાંચમી જીત નોંધાવી હતી. કોલકાતામાં રમાયેલી આ મેચમાં ચેન્નઈએ કોલકાતા નાઇટરાઇડર્સ પર 49 રનથી જીતી લીધી હતી. હવે ચાર વખતની ચેમ્પિયન ટીમ ચેન્નઈ સુપરકિંગ્સ આ જીતની સાથે પોઇન્ટ્સ ટેબલમાં ટોચે પહોંચી ગઈ છે. અત્યાર સુધીની સાત મેચોમાં પાંચ જીતથી 10 પોઇન્ટ થયા છે. રાજસ્થાન રોયલ્સ, લખનઉ સુપરજાયન્ટ્સ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર અને પંજાબ કિંગ્સના 8-8 પોઇન્ટ છે.

 

 

 

 

‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ 28-30 એપ્રિલે ઓસ્ટ્રેલિયામાં યોજાશે

સિડનીઃ આ વર્ષનો ‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ 28-30 એપ્રિલે ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં યોજાશે. આ જાહેરાત હરિયાણા સરકારે કરી છે. આ કાર્યક્રમ હિન્દૂધર્મીઓ માટે પવિત્ર એવા મૂળ સંસ્કૃત ગ્રંથ ‘ભગવદ્દ ગીતા’ના વૈશ્વિક પ્રચાર માટે યોજવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત સેમિનાર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે.

(તસવીર સૌજન્યઃ @igmkkr – International Gita Mahotsav)

સરકારના એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ગીતા મહોત્સવ હિન્દૂધર્મીઓ માટે પવિત્ર એવા ભગવદ્દ ગીતાના કાલાતીત (અનંત) જ્ઞાનની એક ભવ્ય ઉજવણી સમાન હોય છે. આ કાર્યક્રમ જીવનના તમામ સ્તરના લોકોને એક જ મંચ પર એકત્ર કરે છે.’ આ મહોત્સવ અનેક વર્ષોથી નવેમ્બર-ડિસેમ્બર દરમિયાન હરિયાણાના કુરુક્ષેત્રમાં યોજાતો રહ્યો છે અને છેલ્લા ઘણા વર્ષોથી વિદેશમાં પણ યોજાય છે. ભૂતકાળમાં આ મહોત્સવ મોરિશિયસ, ઈંગ્લેન્ડ અને કેનેડામાં યોજવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં આ મહોત્સવ એસોસિએશન ઓફ હરિયાનવીઝ ઈન ઓસ્ટ્રેલિયા (એએચએ) અને કુરુક્ષેત્ર ડેવલપમેન્ટ બોર્ડ (કેડીબી)ના સંયુક્ત ઉપક્રમે તેમજ અન્ય સંસ્થાઓના સહયોગમાં યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમ માટે હરિયાણા સરકાર પ્રોત્સાહન પૂરું પાડે છે.

રિલાયન્સ ઇન્ડ.એ શ્રીકાંત વેન્કટચારીને નવા CFO નીમ્યા

નવી દિલ્હીઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા મુકેશ અંબાણીએ શ્રીકાંત વેંકટચારીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા CFOની નિયુક્તિ કરી છે. એ સાથે રિલાયન્સના CFO આલોક અગ્રવાલને અંબાણીએ સલાહકાર તરીકે નિમણૂક કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના વડા અંબાણીએ શ્રીકાંત વેંકટચારીને પહેલી જૂનથી નવી જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારે કંપનીની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

અહેવાલ મુજબ શ્રીકાંત વેંકટચારીએ 14 વર્ષ પહેલાં કંપનીમાં જોડાયા હતા. તેઓ કંપનીમાં હાલ સંયુક્ત CFO છે. તેઓ આલોક અગ્રવાલની જગ્યા લેશે.

65 વર્ષીય શ્રીકાંત વેન્કટચારી પર કંપનીની મોટી જવાબદારી હશે. શેરબજારમાં કંપનીના સતત ઘટતા માર્કેટ કેપની વચ્ચે કંપનીએ મોટો ફેરફાર કર્યો છે, કંપનીએ આ માહિતી શેરબજારને આ માહિતી આપી હતી. કંપનીએ તેમની નિમણૂક પર કહ્યું હતું કે શ્રીકાંત કંપનીના વિકાસ અને ભવિષ્યની યોજનાઓને આગળ ધપાવશે.

રિલાયન્સથી પહેલાં શ્રીકાંતે 20 વર્ષ સિટી ગ્રુપમાં કામ કર્યું છે, જ્યાં તેઓ ફોરેન્સિક ટ્રેડિંગના વડા હતા. શ્રીકાંતની પાસે માર્કેટ ઓપરેશન, પ્લાનિંગ વગેરેનો લાંબો અનુભવ છે.

 

 

સરકારની સામે આરપાર મૂડમાં રેસલર્સે રાજકીય પક્ષોનો સાથ માગ્યો

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વડા બ્રિજભૂષણ શરણ સિંહના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ઓલિમ્પિક મેડલિસ્ટ બજરંગ પુનિયાએ કહ્યું હતું કે બધી પાર્ટીઓનું સ્વાગત છે. તેમણે કહ્યું હતું કે અમે કોઈ એક પાર્ટીથી નથી જોડાયા, પણ હવે આ વખતે સૌનું સ્વાગત છે.  સરકાર સામેની આરપારની લડાઈમાં રેસલર્સોએ રાજકીય પક્ષોનો પણ સાથ માગ્યો છે.  

તેમણે કહ્યું હતું કે ભાજપ, કોંગ્રેસ અને આપ-સૌનું સ્વાગત છે, કેમ કે જ્યારે અમે મેડલ જીતીએ છીએ તો કોઈ પાર્ટીનો ઝંડો નથી લગાવતા, અમે તિરંગો લહેરાવીએ છીએ. જ્યારે અમે મેડલ જીતીએ છીએ તો અમને અભિનંદન આપવા ના તો કોઈ એક પાર્ટી અમને અભિનંદન આપે છે, કેમ કે અમે કોઈ પાર્ટીથી જોડાયેલા નથી. બધા દેશવાસીઓનું સ્વાગત છે, કેમ કે અમે અમારી બહેન-પુત્રીઓ  માટે નથી લડી રહ્યા, ના તો અમે કોઈ સામે લડી રહ્યા છીએ.

વિશ્વ ચેમ્પિયનશિપની મેડલવિજેતા વિનેશે સવાલ કર્યો હતો કે સમિતિ રિપોર્ટ સુપરત કરવામાં કેટલો સમય લગાવશે. પહેલાં જ ત્રણ મહિના થઈ ચૂક્યા છે અને અમે હવે તેમની વાત સાંભળવાની રાહ જોઈ રહ્યા છે. શું રિપોર્ટ ત્યારે આવશે, જ્યારે ફરિયાદ નોંધાવનારી યુવતીઓનાં મોત થઈ જાય? અમે સરકારને આ મામલે નિષ્કર્ષ જારી કરવા માટે કહી-કહીને થાકી ગયા છીએ. અમે કોનોટ પ્લેસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે અને અમે ઇચ્છીએ છીએ બ્રિજભૂષણ શરણ સિંહની સામે પ્રાથમિક ફરિયાદ દાખલ થાય.  તેમણે કહ્યું હતું કે અમારે WFIની ચૂંટણીપ્રક્રિયાથી કોઈ લેવાદેવા નથી. અમે અમારી કેરિયરને લઈને ચિંતિત છીએ.

 

 

 

 

 

 

 

કોરાનાના 7178 નવા કેસો, 16નાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 6896 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે 16 જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.66 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,48,98,893 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,345 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,43,01,865 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 9011 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 65,683એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.15 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.67 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 78,342 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 92.52 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.39 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 5.1 ટકા છે.

દેશમાં 220.66 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,66,39,736 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 208 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

કેન્દ્રિય કર્મચારીઓ/પેન્શનર્સનાં DA/DRના નવા વધારેલા દરનો અમલ જુલાઈથી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટેના ડીયરનેસ અલાવન્સ (ડીએ – મોંઘવારી ભથ્થા) અને પેન્શનધારકો માટેના ડીયરનેસ રીલિફ (ડીઆર – મોંઘવારી રાહત)ના દરમાં તાજેતરમાં જ 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. DA/DRના અપડેટ કરાયેલા દર આ વર્ષની 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. દરમાં ફેરફારો કરાયા બાદ હવે કર્મચારીઓ અને પેન્શનધારક રાહ જોઈ રહ્યાં છે કે એમને ચૂકવણી ક્યારે કરવામાં આવે છે. તો સમાચાર એ છે કે એમને આ ચૂકવણી આ વર્ષના જુલાઈમાં કરવામાં આવશે એવી ધારણા છે.

કેન્દ્રિય શ્રમ મંત્રાલયનો એક હિસ્સો ગણાતા લેબર બ્યૂરો દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતી અનુસાર, કર્મચારીઓ અને પેન્શનધારકો માટે હાલ ડીએ/ડીઆર રેશિયો 42 ટકા છે. તે આગામી ફેરફારો વખતે વધારીને કદાચ 45 ટકા કરાશે. કર્મચારીઓને મૂળ પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ આપવામાં આવે છે. આ ભથ્થાની ગણતરી કેન્દ્રીય પગાર પંચ દ્વારા કરવામાં આવેલી ભલામણ અનુસાર કરવામાં આવે છે.

અમિતાભ સાથે ટ્વિટરે છેતરપીંડી કરી?

મુંબઈઃ માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટરે બ્લૂ ટીક મામલે નવું ધોરણ અપનાવ્યું છે. એકાઉન્ટ વેરિફિકેશન માટે અપાતા બ્લૂ ટીક માટે હવે પૈસા ભરવા પડે છે. એને પગલે ટ્વિટરે ગઈ 21 એપ્રિલથી અનેક દિગ્ગજ વ્યક્તિઓના એકાઉન્ટમાં એમનાં નામની આગળ દર્શાવાતું બ્લૂ ટીક કાઢી નાખ્યું છે. એમાં અનેક નામાંકિત કલાકારો, રાજકીય નેતાઓના નામનો પણ સમાવેશ થાય છે. ટ્વિટરના માલિક ઈલોન મસ્કે જાહેરાત કરી છે કે હવેથી જેમને બ્લૂ ટીક જોઈતું હોય એમણે દર મહિને 8 ડોલર (ભારતીય ચલણ પ્રમાણે આશરે રૂ 900) ચૂકવવા પડશે. પરંતુ ટ્વિટરે એવી પણ જાહેરાત કરી છે કે જે વ્યક્તિઓના ફોલોઅર્સની સંખ્યા 10 લાખથી વધારે હશે એમને મફતમાં બ્લૂ ટીક પાછું ફાળવવામાં આવશે. પરંતુ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને એવો આરોપ મૂક્યો છે કે એમની સાથે છેતરપીંડી થઈ છે. એમણે આ વિશે કરેલા ટ્વીટે ખળભળાટ મચાવી દીધો છે.

અમિતાભે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ‘મારા તો 4 કરોડ 84 લાખથી વધારે ફોલોઅર્સ છે. તે છતાં એમની પાસેથી પૈસા લઈને બ્લૂ ટીક આપવામાં આવ્યું છે.’ અમિતાભના આ ટ્વીટ બાદ અસંખ્ય લોકોએ રસપ્રદ, વિનોદસભર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. એક જણે લખ્યું છે, ‘સાહેબ, ઈલોન મસ્કે તમને ફસાવ્યા છે. તમારા પૈસા ડૂબી ગયા. એ હવે તમને પાછા નહીં મળે.’

ટ્વિટરના બ્લૂ ટીકની કિંમત દરેક દેશ માટે જુદી જુદી રાખવામાં આવી છે. વપરાશકાર જે દેશમાંથી લોગ-ઈન કરશે તે દેશના ધોરણ અનુસાર તેના એકાઉન્ટને બ્લૂ ટીક પેમેન્ટ રકમનો નિયમ લાગુ થશે.