નવી દિલ્હીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી એક વાર ટેન્શન વધ્યું છે. અમેરિકી સેનાએ જણાવ્યું હતું કે તેણે ઈરાનના રડાર અને ડ્રોન ઠેકાણાંઓ પર બોમ્બમારો કર્યો છે. અમેરિકી સેનાના જણાવ્યા અનુસાર ઈરાન દ્વારા એક અમેરિકન ડ્રોનને તોડી પાડ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. અમેરિકાના હુમલા પછી ઈરાને પણ જવાબી કાર્યવાહી કરતાં કુવૈત પર હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કુવૈતે ઈરાની હુમલાની પુષ્ટિ કરી છે.
અમેરિકી સેનાનું નિવેદન
આ સુનિયોજિત અને વિચારપૂર્વક કરવામાં આવેલી કાર્યવાહી ઈરાનની આક્રમક હરકતોના જવાબમાં કરવામાં આવી હતી. તેમાં આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાં ઉડાન ભરી રહેલા અમેરિકન MQ-1 ડ્રોનને તોડી પાડવાની ઘટના પણ સામેલ છે. અમેરિકન લડાકુ વિમાનોએ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરીને ઈરાનની હવાઈ સુરક્ષા પ્રણાલી, એક ગ્રાઉન્ડ કંટ્રોલ સ્ટેશન અને બે એકતરફી હુમલાખોર ડ્રોનને નષ્ટ કર્યા હતા, જે પ્રાદેશિક જળમાર્ગમાંથી પસાર થતાં જહાજો માટે સ્પષ્ટ જોખમ હતાં.
કુવૈતે શું કહ્યું?
કુવૈતે જણાવ્યું હતું કે સોમવારે વહેલી સવારે તેની હવાઈ સુરક્ષા પ્રણાલીએ ડ્રોન અને મિસાઈલ હુમલાઓને અટકાવવા માટે ગોળીબાર શરૂ કર્યો હતો. ઈરાનના અર્ધસૈનિક રેવોલ્યુશનરી ગાર્ડ્સે જણાવ્યું હતું કે તેણે અમેરિકન હુમલાનો જવાબ આપ્યો છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું નહોતું કે આ જવાબી હુમલો ક્યાં કરવામાં આવ્યો હતો, પરંતુ સંકેત કુવૈત પર થયેલા હુમલા તરફ હતો. રેવોલ્યુશનરી ગાર્ડ્સે દાવો કર્યો કે અમેરિકી સેનાએ એક ટેલિકોમ્યુનિકેશન ટાવરને નિશાન બનાવ્યો હતો.
ઈરાનના સરકારી ટીવીએ ટ્રમ્પની મજાક ઉડાવી
ઈરાનના સરકારી ટેલિવિઝને મિસાઈલ લોન્ચિંગના દૃશ્યો પ્રસારિત કર્યાં. તેમાં મિસાઈલના બહારના ભાગ પર લગાવવામાં આવેલા સ્ટિકરનો ક્લોઝ-અપ શોટ પણ દર્શાવવામાં આવ્યો હતો. આ સ્ટિકરમાં ઘાયલ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની તસવીર દર્શાવવામાં આવી હતી.




6 જૂનના રોજ અમદાવાદમાં બિહારની જાણીતી યુવા ગાયિકા અને ભાજપની યુવાન ધારાસભ્ય મૈથિલી ઠાકુરની એક ભજન સંધ્યા યોજાઇ રહી છે.
વૃંદાવનમાં હાલ ઇસ્કોન સંપ્રદાય દ્વારા વિશ્વના સૌથી ઊંચા એવા વૃંદાવન ચંદ્રોદયા મંદિરનું નિર્માણ થઇ રહ્યું છે. આ નિર્માણ પ્રક્રિયા વિશે લોકોને જાણકારી મળે અને એમાં લોકોનો આર્થિક સહયોગ મળી રહે એ માટે ટ્રસ્ટ દ્વારા મ્યુઝીક ફોર મંદિર એ અંતર્ગત મૈથિલી ઠાકુરની કુલ ચાર શહેરમાં સંગીત સંધ્યા યોજાઇ રહી છે.
મુંબઇ ખાતે એક ઇવેન્ટ યોજાઇ ગયા પછી અમદાવાદ ખાતે આ બીજી ઇવેન્ટ 6 જૂનના રોજ યોજાશે. એ પછી બેંગલુરૂ અને પછી દિલ્હી એમ કુલ ચાર શહેરમાં આ ટૂરનું આયોજન થયું છે.
100 એકરથી વધારે જગ્યામાં નિર્માણ થઇ રહેલા 17 માળ જેટલી ઊંચાઇ ધરાવતા આ મંદિર પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સુબોધ અગ્રવાલ કહે છે એમ, વૃંદાવન ચંદ્રોદય મંદિર વિશ્વનું સૌથી ઉંચુ મંદિર હશે. આમ તો એનું બાધકામ વર્ષ 2013માં શરૂ થયેલું, પણ વચ્ચે કોવિડ અને અન્ય સંજોગોના કારણે એ કામ અટકી ગયું હતું. હવે એનું કામ પૂરજાશેમાં ચાલે છે અને આ વર્ષના અંત સુધીમાં ફેઝ-1નું કામ પૂર્ણ થયે એનું ઉદઘાટન થઇ જશે.
ઉત્તર પ્રદેશમાં અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિર પછી વૃંદાવનમાં ભગવાન શ્રીકૃષ્ણનું આ ભવ્ય મંદિર બનશે. ઇસ્કોન-બેંગલુરૂ સાથે સંકળાયેલું આ વૃંદાવન ચંદ્રોદયા મંદિર ટ્રસ્ટ એની અક્ષયપાત્ર યોજના સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ માટે જાણીતું છે.

જો કોઈ નાગરિકો ખોટી વિગત આપશે કે ઈન્કાર કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. તો બીજી તરફ નાગરિકોને આવક, દસ્તાવેજો અને બેંક વિગતો ન આપવા જણાવાયું છે. રાજ્યના વસતી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ આ દેશવ્યાપી મહાઅભિયાનમાં સક્રિય સહભાગી થઈ સાચી વિગતો નોંધાવવા તમામ નાગરિકોને સત્તાવાર અનુરોધ કર્યો છે.
રાજ્યભરમાં શરૂ થઈ હાઉસ લિસ્ટિંગની કામગીરી



અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ મહામંત્રી મુકુલ વાસનીક, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ શક્તિસિંહ ગોહિલ અને વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી સહિતના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં આ પુસ્તક ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નેતાઓએ આ અવિરત સેવાયાત્રાને બિરદાવી શિક્ષણના વ્યાપારીકરણ સામે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે આ પુસ્તકને આશીર્વાદરૂપ ગણાવ્યું હતું.

