Home Blog Page 2773

રાશિ ભવિષ્ય 19/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવુ.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.

પંચાંગ 19/06/2023

સિક્કીમમાં ભેખડ ધસી પડી; ફસાયેલાં પર્યટકોને ઉગાર્યા

ઉત્તર સિક્કીમમાં ભારે વરસાદને કારણે ધસી પડેલી ભેખડોને કારણે રસ્તાઓ પર અવરોધો ઊભા થઈ જતાં અનેક પર્યટકો ફસાઈ ગયાં હતાં. 18 જૂન, રવિવારે ભારતીય સેનાનાં જવાનોએ બચાવ કામગીરી હાથ ધરીને એ તમામને ઉગારી લીધાં હતાં.

જમ્મુની હોટેલોમાં એડવાન્સ બુકિંગ કરાવનાર અમરનાથ યાત્રીઓને 30% ડિસ્કાઉન્ટ મળશે

જમ્મુઃ જમ્મુ શહેરની હોટેલ અને લોજ માલિકોના સંગઠને જાહેરાત કરી છે કે અમરનાથ યાત્રા દરમિયાન જે લોકો જમ્મુમાં એમનાં રોકાણ માટે હોટેલ રૂમનું બુકિંગ એડવાન્સમાં કરાવશે એમને 30 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

AJHLAના પ્રમુખ પવન ગુપ્તાએ કહ્યું છે કે શુભેચ્છા રૂપે અમે એવા યાત્રીઓને 30 ટકા ડિસ્કાઉન્ટ આપવાના છીએ જેઓ અમારે ત્યાંની હોટેલોમાં રૂમ રિઝર્વેશન એડવાન્સમાં કરાવશે. આની પાછળનો અમારો ઉદ્દેશ્ય યાત્રીઓને એમની યાત્રા માટે ટેકો અને સહાયતા પૂરી પાડવાનો છે.

આ વર્ષની અમરનાથ યાત્રા 62-દિવસની હશે. તે 1 જુલાઈથી શરૂ થશે. દક્ષિણ કશ્મીરમાં હિમાલય પર્વતમાળામાં 3,880 મીટરની ઊંચાઈ પર આવેલી બાબા અમરનાથની પવિત્ર ગુફા સુધી પહોંચવા માટે બે રૂટ છે. એક, પરંપરાગત 48 કિ.મી.નો નુનવાન-પહલગામ (અનંતનાગ જિલ્લામાં) અને 14-કિ.મી.નો ટૂંકો પણ ઊંચા ચઢાણવાળો બાલતાલ રૂટ (ગંડેરબાલ જિલ્લામાં). 30 જૂને જમ્મુથી યાત્રીઓના પહેલા જૂથને યાત્રા માટે રવાના કરવામાં આવશે.

આંદોલનકારી પહેલવાનોમાં પડ્યું ભંગાણ; બબિતાએ કહ્યું, સાક્ષી કોંગ્રેસની કઠપૂતળી છે

નવી દિલ્હીઃ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના વડા અને આરોપી બ્રિજભૂષણ શરણસિંહ સામેના વિરોધ-આંદોલન માટે પોલીસ પાસેથી પરવાનગી મેળવવામાં ભૂતપૂર્વ મહિલા કુસ્તીબાજ અને ભાજપના નેતા બબિતા ફોગાટ મદદરૂપ થઈ હોવાના ઓલિમ્પિક મેડલવિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિક અને તેનાં પતિ સત્યવર્ત કાડિયનના દાવાને બબિતાએ રદિયો આપ્યો છે અને કહ્યું છે કે પતિ-પત્ની કોંગ્રેસ પાર્ટીની કઠપૂતળીઓ છે.

ઉલ્લેખનીય છે કે, સાક્ષી મલિકે ગઈ કાલે તેનાં ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરેલા એક વિડિયોમાં જણાવ્યું છે કે કુસ્તીબાજોનું આંદોલન રાજકીય નહોતું. બબિતા અને ભાજપનાં અન્ય નેતા તીરથ રાણાએ જંતર મંતર ખાતે આંદોલન  કરવાની પરવાનગી મેળવવામાં મદદ કરી હતી. આ આંદોલનને કોંગ્રેસ પાર્ટીનો કોઈ ટેકો મળ્યો નહોતો. (કુસ્તી જગતના) 90 ટકાથી વધારે લોકોને ખબર હતી કે સતામણી અને ધમકી આપવાનું છેલ્લા 10-12 વર્ષથી ચાલી રહ્યું છે. બહુ ઓછા લોકો એમનો અવાજ ઉઠાવવા માગતા હતા, પરંતુ કુસ્તીજગતમાં એકતા નહોતી.

સાક્ષીની તે પોસ્ટ સામે આજે 33 વર્ષીય બબિતાએ ટ્વિટર પર એક નિવેદન પોસ્ટ કરીને કહ્યું કે સાક્ષી અને એનાં પતિ સત્યવર્તના દાવાઓ ખોટા છે. મારી નાની બહેન અને એનાં પતિનો વિડિયો જોઈને મને બહુ જ દુઃખ થયું અને સાથોસાથ હસવું પણ આવ્યું છે. મારે એ સ્પષ્ટતા કરી દેવી છે કે મારી નાની બહેન પરવાનગીનો જે કાગળ બતાવે છે તેમાં મારી સહી નથી કે ક્યાંય પણ મારું નામ પણ નથી. મારે એની સાથે કોઈ લેવાદેવા નથી.

‘બિપરજોય’ વાવાઝોડાનો સામનો કરવામાં કચ્છના લોકોએ અભૂતપૂર્વ હિંમત બતાવીઃ મોદી

નવી દિલ્હીઃ ગયા અઠવાડિયે ગુજરાતમાં ફૂંકાઈ ગયેલા ચક્રવાતી વાવાઝોડા ‘બિપરજોય’નો સામનો કરવામાં લોકો તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટના જવાનોએ કરેલા પ્રયત્નોની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની આજે 102મી આવૃત્તિમાં સરાહના કરી હતી.

મોદીએ કહ્યું કે, છેલ્લા અમુક વર્ષોથી ભારતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક દ્રષ્ટાંત બની ગયું છે. દરિયાઈ વાવાઝોડા બિપરજોયએ ગુજરાતના કચ્છ જિલ્લામાં ખૂબ જ નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ કચ્છનાં લોકોએ પૂરી બહાદુરી અને સજ્જતા સાથે એનો સામનો કર્યો હતો. સૌથી મોટું ધ્યેય હાંસલ કરવાનું આવે કે સૌથી કઠિન પડકાર ઝીલવાનો આવે ત્યારે ભારતનાં લોકોનું સહિયારું બળ અને સહિયારી શક્તિ દરેક મુશ્કેલીને હંફાવી દે છે.

થઈ ગયા સીધાદોરઃ ‘આદિપુરુષ’ના વિવાદાસ્પદ ડાયલોગ્સ અઠવાડિયામાં સુધારવામાં આવશે

મુંબઈઃ ગઈ 16મી જૂને રિલીઝ થયેલી તેલુગુ અને હિન્દી ફિલ્મ ‘આદિપુરુષ’ના અમુક બકવાસ સંવાદોને કારણે દેશભરનાં હિન્દૂ લોકો ભડકી ગયાં છે. આને કારણે ફિલ્મ રિલીઝ થયાના પહેલા જ અઠવાડિયાથી વિવાદાસ્પદ બની ગઈ છે. ઓમ રાઉત દિગ્દર્શિત આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી અરજી પણ કોર્ટમાં નોંધવામાં આવી છે. હિન્દૂધર્મીઓનાં પવિત્ર ધાર્મિક ગ્રંથ રામાયણની કથા પર આધારિત આ ફિલ્મના સંવાદો, પુરુષ કલાકારોનાં પહેરવેશ અને લૂક અને દિગ્દર્શન સામે લોકોને ભારે રોષ ચડ્યો છે.

ફિલ્મના સંવાદલેખક મનોજ મુંતશીરે સંવાદો સામેના રોષ અને આક્ષેપોની ગઈ કાલે તો અવગણના કરી હતી, પણ આજે એ ઢીલા પડી ગયા છે. એમણે ટ્વિટર પર એક લાંબી પોસ્ટ લખીને શેર કરી છે. એમાં તેમણે જણાવ્યું છે કે ‘આદિપુરુષ’ના નિર્માતાઓએ દર્શકોની લાગણીને ઠેસ પહોંચાડતા વિવાદાસ્પદ સંવાદોને બદલવાનું નક્કી કર્યું છે.

મુંતશીરે ગઈ કાલે પોતે લખેલા સંવાદોનો બચાવ કરતાં સોશિયલ મિડિયા પર એમની જોરદાર રીતે ઝાટકણી કાઢવામાં આવી હતી. કેટલાક લોકોએ એમને ‘સનાતન દ્રોહી’ તરીકે ઓળખાવ્યા હતા.

છેતરપિંડી, ચેક બાઉન્સ કેસઃ અમીષા રાંચીની કોર્ટને શરણે આવી

રાંચીઃ ચેક બાઉન્સ થવાના એક કેસના સંબંધમાં બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ ગઈ કાલે રાંચી શહેરની સિવિલ કોર્ટમાં શરણે થઈ હતી. સિનિયર ડિવિઝન જજ ડી.એન. શુક્લાએ એની જામીન અરજી મંજૂર કરી હતી અને એને 21 જૂને કોર્ટમાં પ્રત્યક્ષ રીતે ફરી હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ 2018ની સાલનો છે જ્યારે ઝારખંડનિવાસી ફિલ્મ નિર્માતા અજયકુમાર સિંહે અમીષા વિરુદ્ધ છેતરપિંડી અને ચેક બાઉન્સની ફરિયાદ સાથે કોર્ટ કેસ નોંધાવ્યો હતો. ફરિયાદીના જણાવ્યા મુજબ, પોતે ‘દેશી મેજિક’ નામની એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને એમાં ભૂમિકા ભજવવા માટે અમીષાની પસંદગી કરાયા બાદ એનાં બેન્ક ખાતામાં અઢી કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. પરંતુ અમીષાએ બાદમાં તે ફિલ્મમાં કામ કર્યું નહીં. એણે અઢી કરોડ રૂપિયાનો ચેક મોકલ્યો હતો, પરંતુ એ બાઉન્સ થયો હતો. ઝારખંડની ટ્રાયલ કોર્ટે અમીષા વિરુદ્ધ સમન્સ ઈસ્યૂ કર્યું હતું. અમીષાએ પોતાની સામેનો ટ્રાયલ કોર્ટનો આદેશ રદબાતલ કરવામાં આવે એવી ઝારખંડ હાઈકોર્ટમાં અપીલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે તેની અરજીને નકારી કાઢી હતી. અમીષાએ હાઈકોર્ટના આદેશને 2022ની પાંચમી મેએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 2022ના ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે અમીષા સામે છેતરપિંડી અને ક્રિમિનલ વિશ્વાસઘાતના ગુનાઓ બદલ ક્રિમિનલ કાર્યવાહી કરવા સામે સ્ટે ઓર્ડર આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેમ છતાં એમ જણાવ્યું હતું કે નેગોશિએબલ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ એક્ટની કલમ 138 (ચેક બાઉન્સ) હેઠળ શિક્ષાપાત્ર ગુના માટેની કાર્યવાહી કાયદા અનુસાર હાથ ધરી શકાય.

અમીષા ‘ગદર 2’ ફિલ્મમાં જોવા મળશે. સની દેઓલ સાથેની તેની આ ફિલ્મ આ વર્ષની 11 ઓગસ્ટે રિલીઝ થવાની છે. અગાઉ આ બે કલાકારે 2001માં આવેલી ‘ગદરઃ એક પ્રેમ કથા’ ફિલ્મમાં પણ કામ કર્યું હતું, જે ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ થઈ હતી. તે ફિલ્મ 1947માં ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે થયેલા કોમી રમખાણો અને હિન્દુ યુવક સની દેઓલ તથા મુસ્લિમ યુવતી અમીષા વચ્ચેનાં પ્રેમની વાર્તા વિશેની હતી. તે ફિલ્મનું દિગ્દર્શન અનિલ શર્માએ કર્યું હતું અને હવે રીમેક ફિલ્મનું દિગ્દર્શન પણ એમણે જ કર્યું છે.

મુંબઈની ‘ટ્રાઈડેન્ટ હોટેલ’માં આગ લાગ્યાના સમાચારને સત્તાવાળાઓનો રદિયો

મુંબઈઃ દક્ષિણ મુંબઈના નરીમાન પોઈન્ટ વિસ્તારમાં આવેલી લક્ઝરિયસ ‘ટ્રાઈડેન્ટ હોટેલ’ ઈમારતના ટોપ ફ્લોર પરથી આજે સવારે લગભગ 7 વાગ્યે કાળા ધૂમાડા નીકળતા દેખાયા હતા. એની તસવીરો અને વિડિયો ક્લિપ્સ ઈન્ટરનેટ પર ફરી હતી. એને કારણે એવી વાતો ફેલાઈ હતી કે ફાઈવ સ્ટાર હોટેલમાં આગ લાગી છે. બાદમાં મુંબઈ મહાનગરપાલિકા, મુંબઈ પોલીસ અને અગ્નિશમન દળના સત્તાવાળાઓએ જણાવ્યું કે ટ્રાઈડેન્ટ હોટેલમાં આગનો કોઈ બનાવ બન્યો નહોતો. હોટેલના બોઈલર રૂમમાંથી ધૂમાડો આવતો દેખાયો હતો.

મુંબઈ ફાયર બ્રિગેડ વિભાગે કહ્યું કે તે એક રેગ્યૂલર જાળવણી ડ્રિલ હતી, જે વખતે હોટેલની ચીમનીમાંથી અમુક ધૂમાડો નીકળ્યો હતો અને એવું સમજી લેવામાં આવ્યું હતું કે આગ લાગી છે. અમે પણ અમારા જવાનોની ટીમને ત્યાં મોકલી હતી, પરંતુ આગ જેવો કોઈ બનાવ બન્યો નહોતો.

આગની જાણકારી મળતાં અગ્નિશામક દળના જવાનો અને પોલીસો તરત જ ત્યાં પહોંચી ગયા હતા. ‘ટ્રાઈડેન્ટ હોટેલ’ માત્ર મુંબઈ જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં જાણીતી થઈ છે. 2008ની 26 નવેમ્બરે મુંબઈમાં કરવામાં આવેલા શ્રેણીબદ્ધ આતંકવાદી હુમલાઓમાં ‘ટ્રાઈડેન્ટ હોટેલ’ને પણ ટાર્ગેટ બનાવવામાં આવી હતી.

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂન, ૨૦૨૩

વાહ ભાઈ વાહ! – ૧૯ જૂન, ૨૦૨૩