Home Blog Page 2772

કરણ દેઓલ-દ્રિશા આચાર્યનાં રીસેપ્શનમાં બોલીવુડ હસ્તીઓની ઉપસ્થિતિ

બોલીવુડ અભિનેતા સની દેઓલ અને તેની પત્ની પૂજા દેઓલનાં પુત્ર અને પીઢ અભિનેતા ધર્મેન્દ્રના પૌત્ર કરણ દેઓલે તેની વર્ષો જૂની ગર્લફ્રેન્ડ દ્રિશા આચાર્ય સાથે 18 જૂન, રવિવારે મુંબઈના બાન્દ્રા (વેસ્ટ)સ્થિત ફાઈવ સ્ટાર હોટેલ તાજ લેન્ડ્સ એન્ડ ખાતે લગ્ન કર્યા છે. બાદમાં બંનેનાં લગ્નનું રીસેપ્શન એ જ હોટેલમાં યોજવામાં આવ્યું હતું. તેમાં હિન્દી ફિલ્મ જગતની અનેક નામાંકિત હસ્તીઓએ હાજરી આપી હતી. દ્રિશા આચાર્ય દંતકથા સમાન ફિલ્મ દિગ્દર્શક-નિર્માતા સ્વ. બિમલ રોયની પ્રપૌત્રી છે.

સની દેઓલ

બોબી દેઓલ (કરણ દેઓલના કાકા) તેની પત્ની તાન્યા અને પુત્ર આર્યમન સાથે

બોબી દેઓલ

ધર્મેન્દ્ર

શત્રુઘન સિન્હા એમના પુત્ર લવ સાથે

અભય દેઓલ (કરણ દેઓલના કાકા)

અનુપમ ખેર

સુભાષ ઘઈ

સુનીલ શેટ્ટી

જેકી શ્રોફ

સલમાન ખાન

કપિલ શર્મા અને તેની પત્ની ગિની

આમિર ખાન

(તસવીર અને વિડિયોઃ માનસ સોમપુરા)

એશિઝ સિરીઝઃ ખ્વાજાને આઉટ કરવા ઇંગ્લેન્ડે બનાવ્યો હતો ચક્રવ્યૂહ

બર્મિંગહેમઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશિઝ સિરીઝ 2023ની પહેલી મેચ બર્મિગહેમના એજબેસ્ટમાં રમાઈ રહી છે, જેમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ઓલઆઉટ થવા સુધી 386 રન બનાવ્યા છે. આ પહેલાં ઇંગલેન્ડે પહેલી ઇનિંગ્સમાં 393 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ઉસ્માન ખ્વાજાએ 141 રનોની શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેને ઓલી રોબિન્સને આઉટ કર્યો હતો. જોકે રોબિન્સને તેને આઉટ કરવા માટે ખાસ પ્રકારની ફિલ્ડિંગ્સ લગાવી હતી. એના કેટલાક ફોટો સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. ખ્વાજાએ ફટકારી સદી ઇંગ્લેન્ડ માટે મુસીબત બની ગઈ હતી.

વાસ્તવમાં ઓસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ્સમાં ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા બેટિંગ કરવા આવ્યા હતા, એ દરમ્યાન વોર્નર માત્ર નવ રન બનાવીને આઉટ થયો હતો, પણ 36 વર્ષીય ખ્વાજા ક્રીઝ પર ટકા રહ્યો હતો. તેણે 321 બોલમાં 141 રન બનાવ્યા હતા. ખ્વાજાએ 14 ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી સદી ફટકારી હતી. જોકે તેને આઉટ કરવા માટે ઇંગ્લેન્ડે ખાસ પ્રકારનો ચક્રવ્યૂહ બનાવ્યો હતો, જે સોશિયલ મિડિયામાં ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

એશિઝ સિરીઝ 2023માં પાંચ ટેસ્ટ મેચ રમાવાની છે. ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટમાં 393 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. ત્યાર બાદ બીજી ઇનિંગ્સમાં બે વિકેટની સાથે 28 રન બનાવ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં 386 રન બનાવ્યા છે.

 

 

લાપતા બાળકોના મૃતદેહો SUVમાંથી મળવાથી ખળભળાટ

નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુરમાં ઘરથી 50 મીટર દૂર સ્પોર્ટ્સ યુટિલિટી વેહિકલ (SUV)માં એક ભાઈ-બહેન સહિત ત્રણ બાળકો રવિવારે સાંજે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં, એમ પોલીસના એક અધિકારીએ આ માહિતી આપી હતી. પચપોલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફારુકનગરના નિવાસી તૌફિક ફિરોઝ ખાન (ચાર), આલિયા ફિરોઝ ખાન (6) અને આફરિન ઇરશાદ ખાન (6) શનિવારે આશરે ત્રણ કલાકે લાપતા થયા હતા.

બાળકોનાં માતાપિતાને લાગતું હતું કે તેઓ પાસેના મેદાનમાં રમી રહ્યા છે, પણ જ્યારે બાળકો શનિવાર સુધી સાંજ સુધી પરત નહીં ફર્યા, ત્યારે માતાપિતાને પોલસનો સંપર્ક કર્યો હતો અને અપહરણનો કેસ નોંધાવ્યો હતો. રવિવારે સાંજે આશરે સાત કલાકે એક કોન્સ્ટેબલે તેમના ઘરોની પાસે એક SUV ઊભી હતી અને ત્રણ બાળકોના મૃતદેહો અંદર હતા, એમ અધિકારીએ કહ્યું હતું.તોફિક (4) અને આલિયા (6) ભાઈ-બહેન હતાં જ્યારે આફરિન (6) તેમના ઘરની પાસે રહેતી હતી, એમ તેમણે જણાવ્યું હતું. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારે જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી માલૂમ પડશે કે બાળકોનાં મોત કયાં કારાથી થયાં છે. જોકે હાલમાં આ વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસોને તહેનાત કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે લાપતા બાળકોના મૃતદેહો તેમના ઘરની પાસે ઊભેલી એક જૂની કારમાંથી મળ્યા હતા. આ ત્રણ બાળકો રમતા-રમતાં કારમાં બેસી ગયા હશે અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હશે. તેમનાં મોત ગરમી અને શ્વાસ રૂંધાવાને કારણે થયાં હોવાની શક્યતા છે.

 

 

 

 

જીવનમાં આગળ વધારતું ઑટોવૉક છે ખરું?

જૂન મહિનો એટલે વિદ્યાર્થીઓ માટે આગળ વધવાનો મહિનો. સમર વૅકેશન બાદ શાળા-કૉલેજો ફરી શરૂ થાય અને  પોતપોતાનાં ધોરણમાં ઉત્તીર્ણ થઈ વિદ્યાર્થીઓ આગળ વધે. હવે એમને વધુ ભણવું પડશે, કેમ કે એ એક પાયરી ઉપર ચડ્યા છે. આમાં એમને મદદ કરશે એકાગ્રતા.

અનેક નેશનલ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ પર એક ગેટથી બીજા ગેટનાં લાંબાં અંતર કાપવા ઑટોવૉક અથવા ટ્રાવેલેટરની વ્યવસ્થા હોય છે. જેમ એસ્કેટેલટર પર ઊભા રહેતાં એ આપણને ઉપર લઈ જાય એમ, ટ્રાવેલેટર પર તમારે ઊભા રહી જવાનું. એ તમને તમારા ગેટ પર પહોંચાડે. એકાગ્રતા એક જાતનું ઑટોવૉક છે.

1824માં ફ્રાન્સમાં જન્મેલો ચાર્લ્સ બ્લોન્ડિન તંગ દોર પર ચાલવાનો કસબ ધરાવતો કુશળ ઍક્રોબેટ હતો. 1859ના જૂનમાં પોતાના અમેરિકાપ્રવાસ દરમિયાન એણે ચાલવાનો સંકલ્પ કર્યો. ક્યાં? તો કહે, ધસમસતાં વહેણવાળા નાયેગ્રા ધોધ પર. એક દિવસ એણે ધોધની ઉપર ૧૬૦ ફૂટ ઊંચાઈ પર ૧૧૦૦ ફૂટ લાંબું દોરડું બાંધ્યું, જેનો એક છેડો અમેરિકા સાઈડ હતો ને બીજો, કેનેડા સાઈડ. અને એણે તંગ દોરડા પર એણે ચાલવાનો પ્રારંભ કર્યો. પહેલી વાર ચાર્લ્સ એક લાકડી લઈને દોરડા પર ચાલ્યો, બીજી વાર આંખે પાટા બાંધીને તે અંતર પસાર કર્યું. ત્રીજી વાર તો પોતાના ખભે એક માણસને બેસાડીને ચાલ્યો, પરંતુ ચોથી વાર એ પોતાની સાથે એક સ્ટવ અને કડાઈ લઈને ગયો, દોરડા પર એક વાનગી બનાવીને જમ્યો. પાંચમી વાર તેણે ૭૫૦ મીટરનું અંતર એક પૈડાંવાળી સાઈકલ ચલાવીને પસાર કર્યું. અને 30 જૂન, ૧૮૫૯ના દિવસે ચાર્લ્સે ૪૦ ફૂટ લાંબો વાંસ હાથમાં ઝાલી દોરડાની મધ્યમાં જઈને ઊંધી ગુલાંટ મારી, જેને 18મી સદીનું સૌથી મોટું સાહસ ગણાવવામાં આવ્યું. ચાર્લ્સને તેની સફ્ળતાનું રહસ્ય પૂછવામાં આવ્યું ત્યારે તેણે એટલું જ કહ્યું કે: ‘મારી નજર તો દોરડા તરફ જ હતી.’

આ ઘટનાના પાંત્રીસેક વર્ષ બાદ, ૧૮૯૫માં સ્વામી વિવેકાનંદ અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં ભ્રમણ કરી રહ્યા હતા ત્યાં એમની નજરે એક દશ્ય ચડ્યું- કેટલાક યુવાનો નદીના પ્રવાહમાં બૉલ નાખી એ બૉલને બંદૂકથી વીંધવાનો પ્રયત્ન કરતા હતા. આ દશ્ય જોઈ સ્વામી વિવેકાનંદને હસવું આવી ગયું. એમને હસતા જોઈ પેલા યુવાનો છંછેડાયાઃ ‘હસવું આવે છે? નિશાનબાજી કાંઈ ખેલ નથી. તાકાત હોય તો તમે વીંધી બતાવો.’

ત્યારે સ્વામીજીએ તત્કાળ હાથમાં રાઈફ્સ લઈ નિશાન તાક્યું અને એક પછી એક છ બૉલ વીંધી નાખ્યા. એક પણ નિશાન ખાલી ન ગયું. યુવાનો સ્તબ્ધ બની ગયાઃ ‘તમે તો બહુ મોટા નિશાનબાજ લાગો છો. ક્યાં શીખ્યા? તમારા ગુરુ કોણ?’ જેવા પ્રશ્નોની એમણે ઝડી વરસાવી, પરંતુ પ્રત્યુત્તરમાં સ્વામીજીએ એટલું જ કહ્યું: ‘મારા ગુરુદેવ રામકૃષ્ણે મને શીખવાડ્યું છે કે લક્ષ્ય પ્રત્યે એકાગ્રતા રાખશો તો ધાર્યાં નિશાન પાર પાડી શકશો.’

સ્વામી વિવેકાનંદ ઘણી વખત કહેતા કે કોઈ પણ ક્ષેત્રમાં સફ્ળતા મેળવવા ૩૦% પુરુષાર્થ અને ૭૦% એકાગ્રતાની જરૂર હોય છે. એકાગ્રતા વિનાનો માણસ સુકાન વિનાની નાવ જેવો આમતેમ ભટક્યા કરે છે, પણ લક્ષ્ય સુધી નથી શકતો. ખરેખર, કાળા માથાનો માનવી જ્યારે પોતાનાં મન ઈન્દ્રિયો અને અંતઃકરણને એકાગ્ર કરે છે ત્યારે અકલ્પનીય આંતરિક શક્તિનો ખજાનો ઉદભવે છે. દુનિયાને અશક્ય લાગતાં કાર્યો તે સહજતાથી કરે છે. એટલું જ નહીં નવા વિક્રમો સર્જે છે.’

સ્વામિનારાયણીય સંતકવિ નિષ્કુળાનંદે લખ્યું છેઃ

જેમ નટ ચડે વળી વાંસડે,

જોવા મળે સઘળું ગામ,

પણ નટ ન જુએ કોઈને,

જો જુએ તો બગડે કામ.

ખરેખર લૌકિક માર્ગ હોય કે આધ્યાત્મિક માર્ગ…તેમાં એકાગ્ર થયા વિના કાર્યનું ઉત્કૃષ્ટ ફ્ળ નથી મળતું. નિર્ણય આપણા હાથમાં છે કે, શું મારે આગળ વધવું છે?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

કોરાનાના 63 નવા કેસો, એકનું  મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 63 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,49,93,543 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,31,896 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,59,737 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 77 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1910એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 30,718 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.18 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,34,224 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 160 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

યૂએન મુખ્યાલયમાં ‘યોગ દિવસ’ ઉજવણીની તડામાર તૈયારી

ન્યૂયોર્કઃ આ વર્ષના ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ (21 જૂન) પૂર્વે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર (યૂએન) સંસ્થાના મુખ્યાલય ખાતે આ દિવસની ઉજવણી માટેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ઉજવણી કાર્યક્રમની આગેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદી લેશે, જેઓ 20-24 જૂન દરમિયાન અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવનાર છે. યૂએન હેડક્વાર્ટર્સ ખાતે નિર્ધારિત કાર્યક્રમમાં મોદીની સાથે દુનિયાનાં તમામ દેશોનાં પ્રતિનિધિઓ, રાજદૂતો તથા અધિકારીઓ પણ યોગાસન કરશે.

વડા પ્રધાન મોદીના સૂચનને પગલે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના ઉપક્રમે 2015ની સાલથી દર વર્ષે 21 જૂનનો દિવસ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે અને દુનિયાભરમાં તેની ઉજવણી કરવામાં આવે છે. શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિ વધારતી યોગવિદ્યા ભારતની પ્રાચીન વિદ્યા છે.

ન્યૂયોર્કમાં યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા બાદ વડા પ્રધાન મોદી વોશિંગ્ટન ડી.સી. જશે જ્યાં 22 જૂને વ્હાઈટ હાઉસ ખાતે એમનું વિધિસર સત્તાવાર રીતે સ્વાગત કરવામાં આવશે. ત્યાં તેઓ અમેરિકી પ્રમુખ જો બાઈડનને મળશે, જેમના આમંત્રણને માન આપીને જ મોદી અમેરિકાની મુલાકાતે જવાના છે. મોદી અને બાઈડન વચ્ચે ઉચ્ચ-સ્તરીય દ્વિપક્ષી મંત્રણા યોજાશે. એ જ દિવસની સાંજે પ્રમુખ બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડન પીએમ મોદીના માનમાં સત્તાવાર ડિનર યોજશે.

‘બિપરજોય’નો રાજસ્થાનમાં હાહાકાર; 500થી વધુ ગામોમાં અંધારપટ, અનેક ગામમાં પૂરની સ્થિતિ

જયપુરઃ ગુજરાતના કચ્છ જિલ્લા અને સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં વિનાશ વેર્યા બાદ દરિયાઈ વાવાઝોડું બિપરજોય આગળ વધીને પડોશના રાજસ્થાનમાં ત્રાટક્યું છે. એને કારણે તે રાજ્યના 500થી વધારે ગામડાઓમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો છે અને અંધારપટ છવાઈ ગયો છે. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડવાને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે.

રાજસ્થાનના પાલી, સિરોહી, રાજસમંદ, ઉદયપુર, બાડમેર જિલ્લાઓમાં મુસળધાર વરસાદ પડ્યો છે. એને કારણે અનેક ગામોમાં પૂર આવ્યું છે. ચક્રવાતી વાવાઝોડાને કારણે ત્રણ જણનું મરણ નિપજ્યું છે. આશરે 300 મિ.મી. વરસાદ પડ્યો છે.

સુવિચાર – ૧૯ જૂન, ૨૦૨૩

સુવિચાર – ૧૯ જૂન, ૨૦૨૩

૧૯ જૂન, ૨૦૨૩

૧૯ જૂન, ૨૦૨૩

રાશિ ભવિષ્ય 19/06/2023 થી 25/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

વ્યવસાયમા શુભ અને પ્રગતિના સમાચાર મળે,  કામકાજ દરમિયાન વધુવિચારો આવવાના કારણે તમને તમારા કામની ગતિ ઓછી થાય તેમજ કામનો થાક હોય તેવી લાગણી મનમાને મનમા રહ્યા કરે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારવર્ગ માટે સમયનો સદુપયોગ ઓછો થાય તેવા સંજોગો બની શકે છે, ખરીદી કરવા પાછળ તેમજ સામાજિકપ્રવૃત્તિના કારણે નાણા અને સમયનો વ્યય થઈ શકે છે, મોસાળપક્ષ તરફથી કોઈ જાણવા જેવા સમાચાર સાંભળવા મળી શકે છે, આરામકરવાની વૃતિ વધુ જોવા મળી શકે, બજારમા અનુભવના આધારે નાનુ કામકાજ કરવુ વધુ યોગ્ય છે, યુવાવર્ગને મનોરંજનમા મન વધુ લાગે.


અચાનક કોઈ સારીવાત સાંભળવા મળી જાય અને તમે સારો ઉત્સાહ અનુભવો, લગ્નબાબત કોઈજગ્યાએ વાતચીત ચાલતી હોયતો તેમા પણ કઈ સારી આશા જાગવાના સંજોગ ઉભા થઇ શકે છે, જુના મિત્રવર્તુળ સાથે મિલનમુલાકાત દરમિયાન તમે સારી મસ્તીમજાક કરો અને ભૂતકાળના સ્મરણો તાજા થાય, વિદ્યાર્થી વર્ગ માટે સપ્તાહ દરમિયાન નવીનજાણકારીકે શીખવાની તક મળે, તમારા પોતાનુ માન જળવાય અને તમારા કામકાજમા અન્યનો સાથસહકાર મળે જેમા તમે ખુશીની લાગણી અનુભવો. બજારના કામકાજ તમને આત્મવિશ્વાસ જોવા મળે તેમજ ક્યાય લાભ થાય તેવુ બનવાથી તમારી ખુશીમા વધારો પણ થાય.


આ સપ્તાહ દરમિયાન તમારા મનને કોઈવાતની શાંતિનો અનુભવ થાય, તમારા કામકાજમા ઉત્સાહ વધુ જોવા મળે તેમજ કામની બાબતમા થોડી ઉતાવળ કરવાની વૃતી રહે, ઘરમા કે ઓફીસમા તમારી અન્ય સાથે દલીલબાજી થાય પરંતુ ધીરજ અને શાંતિ રાખવાથી પરિસ્થિતિ પણ ઘણી નિયંત્રણમાં રહી શકે છે, તમારા કામકાજમા અન્યનો સાથસહકાર જોવા મળી શકે છે તેમજ તમને પણ અન્યને સહયોગી થવામા થોડા ઉત્સાહી બનો, વેપારના કામકાજમા થોડી રઘવાટ અનુભવો અને તેની અસર તમારા કામકાજમા થઇ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપમા યોગ્ય પ્રયત્ન કરવાથી વાત આગળ ચાલે તેવા સંજોગો પણ બની શકે.


વિદ્યાર્થીવર્ગને થોડી તકેદારી રાખવી, આર્થિકક્ષેત્રમા થોડો ઉતર-ચઢાવ આવી શકે છે, સંતાનબાબત,ઘર, કુટુંબમા ભાઈ-બહેનની કોઈ ચિંતા થાય તેવુ બની શકે છે, કામકાજમાં કોઈનો સાથ-સહકાર ઓછો જોવા મળી શકે છે, લગ્ન માટે જેમની વાતચીત ચાલતી હોય તેવા લોકોને અન્ય તરફથી કોઈ ખટપટ ના થાય તેનુ ધ્યાન રાખવું ઇચ્છનીય છે, બજારના કામકાજ ધીરજ રાખવી સારી કહી શકાય, તમારી વાણી-વર્તણુકના કારણે ક્યાય ગેરસમજ ના થાય તેનુ ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવુ, મુસાફરી થોડી કંટાળાજનક બને અને તેનો માનસિકથાક વધુ વર્તાય, પ્રિયજન સાથે મતભેદ ના થાય તેનુ ધ્યાન રાખવુ.


સામાન્ય પરિસ્થિતિ જોવા મળે, ધીરજ રાખવી જરૂરી છે કેમકે  ક્ષણિકઆવેશ પણ તમારા માટે કોઈ સમસ્યા સર્જી શકે છે. અણધાર્યાખર્ચને કારણે તમને થોડી અકળામણ આવી શકે છે પણ તેમા તમને કોઈ મોટી સમસ્યા થાય તેવુ જણાતુ નથી. તમને કોઈપણ બાબતના વિચારો વધુ આવે અને તેની અસર તમારા કામ અને વર્તન પર સ્પષ્ટ દેખાઈ આવે, ક્યાય મુસાફરી પણ થઈ શકે છે તેમા તમે કંટાળાની લાગણી વધુ અનુભવી શકો છો, કોઈજગ્યાએ વાતચીત દરમિયાન તકેદારીકે ચોખવટ જેવી બાબતનુ ધ્યાન રાખવુ સારુ, બજારના કોઈપણ પ્રકારના કામકાજમા ઉતાવળિયો નિર્ણય ના લેવાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે.


આશા-નિરાશા જેવા પરિબળો વચ્ચે સપ્તાહ પસાર થાય, ક્યાંક તમારાથી કોઈની અવગણના ના થઇ જાય તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે. લગ્ન માટે ક્યાય વાર્તાલાપકે મિલન-મુલાકાતમા તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર થોડી સારી રીતે પડી શકે છે, તમે થોડા ચંચળ અને ક્યાંક વધુ પડતા ઉદારવાદી પણ બની શકો છો પણ તેમ થોડું સજાગ રહેવુ જેથી ક્યાય ગેરસમજ ના વર્તાય, બજારના કામકાજમા તમે થોડી અપેક્ષા વધુ રાખો પણ કામકાજતો રાબેતા મુજબનુ થાય, અચાનક કોઈ પસંદગીની વ્યક્તિ સાથે મુલાકાત થવાથી તમારી ખુશીમા વધારો થઈ જાય, તમારામા થોડી ક્યાંક કામ ટાળવાની નીતિ જોવા મળી શકે છે.


કામકાજમા રુકાવટને કારણે તમે કામકાજમા વ્યસ્ત વધુ રહો, સામાજિકકે ધાર્મિકકાર્યક્રમમા તમારી હાજરી થોડી પ્રભાવશાળી બને અને તેમા તમને આત્મસંતોષ વધુ જોવા મળી શકે, કોઈક નવીનકામકાજ થાય તેવુ પણ બની શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ થાય, તમે કોઈના કામકાજમા સારી રીતે સહભાગી બની શકો છો અને તમારા કામની સારીનોધ પણ લેવાય, કામકાજની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ જૂનીવાતકે કામ ક્યાય અટકેલુ હોય તેમા પણ તમે કોઈનો સહયોગ ઈચ્છોતો મળી શકે છે. બજારમા કામકાજ દરમિયાન ગણતરીપૂર્વક વર્તવુ યોગ્ય છે, માર્કેટિંગક્ષેત્રમા મહેનત પ્રમાણે ફળ મળે.


તમારે પુરુષાર્થ વધુ કરવો પડે અને કામનુ જે ફળ મળે તેનો સંતોષ રાખવો, મિત્રો સાથે મિલન-મુલાકાતમા તમે ખુશીની લગાણીની સાથે માનસિકથાક અને કંટાળાનો પણ અનુભવ કરો, જુના કોઈ અટકેલા કામકાજમા મહેનત કરોતો તેમા પણ થોડી ગતિ જોવા મળી શકે છે, સ્વાસ્થબાબત થોડી કાળજી રાખવી તેમા પણ જેમને શરદી, તાવ, કફ, આંખ, માથા અંગેની ફરિયાદ હાલમા ચાલતી હોય તેવા લોકોએ ચોકસાઈ વધુ રાખવી સારી કહી શકાય, બજારમા નાનુ અને આયોજનપૂર્વકનુજ કામ કરવુ ઇચ્છનીય છે, યુવાવર્ગને ઈતર પ્રવૃત્તિમા વધારો થાય અને કયાંક આસ્મિક નાણાકીયખર્ચા પણ થઈ શકે છે માટે તકેદારી રાખવી.


વડીલવર્ગની આરોગ્યબાબત થોડી ચિંતા થાય, કોઈ કામની બાબતમા થોડુ અધીરાપણુ વધુ જોવા મળે તેના કારણે તમે કોઈના ઉશ્કેરાટના ભોગ પણ બની શકો છો પરંતુ તમારા કામકાજમા તમને કોઈનો સાથ-સહકાર પણ સારો મળી શકે છે અને તેમે થોડી ખુશી પણ અનુભવો, ઘરમાકે ઓફીસમા તમારા વિચાર મતભેદને કારણે ક્યાંક અણગમો વર્તાય પરંતુ તમારી વ્યવહારકુશળતાના કારણે તમે પરિસ્થિતિને કાબુમા લાવીદો. બજારના કામકાજમા તમને નિર્ણયશક્તિનો અભાવ વર્તાય અને તેની અસર તમારા કામકાજ પર પડી શકે માટે શાંતિ અને ગણતરીપુર્વક જ કામ કરવુ જોઈએ, વાહન ધીમે ચલાવવુ સલાહભર્યું છે.


જીવનસાથી સાથે આત્મીયતા વધે તેથી ઉત્સાહ જોવા મળે અને તેમા પણ તમારી કોઈ પસંદગીની વ્યક્તિ સાથે કોઈ સારીવાતની આપ-લે થાય, તમારી લાગણીની કદર થાય, કોઈજગ્યાએ તમારાથી કોઈ નાખુશ થયુ હોય તેવા લોકો તરફથી પણ સારો આદરકે પ્રતિભાવ જોવા મળે, તમારી લાગણીનો કોઈ દુરુપયોગ ના કરે તેનુ ધ્યાન રાખવુ જરૂરી છે, લગ્નનીવાત કોઈજગ્યાએ ચાલતી હોય તેમા પણ તમને સારો પ્રતિભાવ કે જાણવા જેવી વાત સાંભળવા મળી શકે છે, તમે થોડા ધાર્મિકવૃતિ તરફ ધ્યાન વધુ આપો તેવુ પણ બની શકે છે, બજારના કામકાજમા તમારા અનુભવનો ઉપયોગ તમે સારી રીતે કરીને લાભ મેળવી શકો છો.


યુવાવર્ગને નાનીવાતમા ગુસ્સો આવી જવો અને નારાજ થઇ જવુ તે મુજબનુ વર્તન જોવા મળી શકે છે પરંતુ ક્યાંકથી આકસ્મિકનાણાકીય કે કોઈબાબતે ખુશી થવાય તેવો લાભ પણ બની શકે છે, કમર, સાંધા, સ્નાયુ જેવી તકલીફ ભોગવતા હોય તેવા લોકોએ થોડી તકેદારી રાખવી જરૂરી છે, સગા-સ્નેહી સાથેની વાર્તાલાપમા તમને ગમતી કોઇ વાત સાંભળવા મળી શકે છે, તમારા હિતશત્રુ તમને ઉશ્કેરે નહિ તે બાબતની કાળજી રાખવી જરૂરી છે, તમારી પસંદગીની કોઈવસ્તુ ખરીદવાની ઈચ્છા રાખતા હોવતો તે માટે પણ તમને તક મળી શકે છે, બજારના કામકાજમા પસંદગી અનુરૂપ નાના કામ કરવા યોગ્ય છે.


તમારા કામકાજમા અન્યનો સાથ-સહકાર ઓછો મળી શકે છે, તમારા કામમા ગણતરી અને મહેનતના  પ્રમાણમા ઓછુફળ મળી શકે છે, લગ્નની માટેની વાતચીત ક્યાય ચાલતી હોયતો તેની વાર્તાલાપ અને મિલન-મુલાકાતમા અતિઉત્સાહ ના રાખવો ફક્ત એટલુ ધ્યાન રાખવુંકે ઈર્ષાળુ કોઈ ખટપટ ના કરી જાય, યાત્રા-પ્રવાસ પણ તમને ઓછા ઉત્સાહવાળો રહે, મિત્રવર્તુળ સાથે કોઈ નવીનવાતની આપલે પણ થઇ શકે છે, બજારના કામકાજમા તમને સારુ કરવાની લાગણી જન્મી શકે છે અને આયોજનપૂર્વક કામ કરોતો થોડો લાભ થઈ શકે છે, કોઈ કારણસર આકસ્મિકખર્ચ થવાથી મન થોડુ નાખુશ રહે તેવુ પણ બનવા જોગ છે.