મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઈકોર્ટમાં રજૂઆત કરી છે કે મુંબઈમાં ધારાવી ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ યોજના માટે વર્ષ 2022માં ઈસ્યૂ કરાયેલા નવા ટેન્ડરમાં પારદર્શકતા જાળવવામાં આવી છે અને સૌથી ઊંચી બોલી લગાવનાર અદાણી ગ્રુપને આ પ્રોજેક્ટની ફાળવણી કરવામાં કોઈ તરફદારી કરવામાં આવી નથી.
અદાણી ગ્રુપની અદાણી પ્રોપર્ટીઝ પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ધારાવી ઝૂંપડપટ્ટી રીડેવલપમેન્ટનો કોન્ટ્રાક્ટ ફાળવવાના મહારાષ્ટ્ર સરકારના નિર્ણયને યૂએઈ સ્થિત કંપની સેકલિન્ક ટેક્નોલોજીસ કોર્પોરેશને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો છે. તેના સંદર્ભમાં મહારાષ્ટ્ર સરકારના નાયબ સચિવે કોર્ટને સુપરત કરેલા સોગંદનામામાં ઉપર મુજબની રજૂઆત કરી છે. સરકારે કહ્યું છે કે અરજદાર સેકલિન્ક કંપનીએ આધારવિહોણા અને લાપરવાહીભર્યા આક્ષેપો કર્યા છે કે પ્રતિવાદી (સરકાર)નો નિર્ણય રાજકીય ઈરાદા પ્રેરિત છે. આવા લાપરવાહીભર્યા આક્ષેપ કરવા બદલ ફરિયાદી પક્ષની પીટિશનને રદબાતલ કરવી જોઈએ અને કેસ પાછળ થયેલો ખર્ચ તેની પાસેથી વસૂલ કરવો જોઈએ.
હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ આરીફ ડોક્ટરની વિભાગીય બેન્ચ આજે આ કેસમાં સુનાવણી કરશે.
ભારતીય ઈતિહાસમાં કદાચ 2023નો ઑગસ્ટ મહિનો સુવર્ણ અક્ષરે લખાશે. વિશ્વ સ્તરે ભારતને ગૌરવ અપાવે એવી કેટકેટલી ઘટના ઘટીઃ ચંદ્રયાન 3ની સફળતા, મધ્યમવર્ગ કુટુંબમાંથી આવતા ચેન્નઈના માત્ર 18 વર્ષના પ્રજ્ઞાનંદનું વર્લ્ડ ચેસ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચવું અને રવિવારે (27 ઑગસ્ટે) હંગેરીના બુડાપેસ્ટમાં આયોજિત વર્લ્ડ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપમાં જેવેલીન થ્રો અર્થાત્ ભાલાફેંકમાં આપણા નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ અંકે કરવો… અને આ જ વર્ષના આરંભમાં જેમનો જન્મશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ધામૂમથી સંપન્ન થયો એ પૂજ્ય પ્રમુખસ્વામીએ, 7 ચોપડી ભણેલા, ગામડાના એક ખેડૂતપુત્ર પ્રમુખસ્વામીએ પોતાના જીવનકાળમાં, 1000 વર્ષની વિશ્વની સૌથી પ્રતિભાશાળી 20 વ્યક્તિની યાદીમાં સ્થાન મેળવવાથી માંડીને યુનોના મહાસદનમાંથી વિશ્વને શાંતિ અને સંવાદિતાનો સંદેશ આપવા જેવાં અનેક આશ્ચર્યોની હારમાળા રચી…
આ તમામ જવલંત સફળતા પાછળનાં અનેક કારણોમાંનું એક છે એમના જીવનકોશમાં ‘ચાલે’ અને ‘કાલે’ જેવા ઘાતક શબ્દોને સ્થાન જ ન હોવું. `આજનું કામ આજે કરીએ’ એ એમનો મંત્ર. કેમ કે લીધેલું કામ પછી કરવાનો વિચાર આવે અથવા થોડા સમય માટે મુલતવી રાખીએ તે પણ આળસ જ છે.
પ્રમુખસ્વામી હોય કે પ્રજ્ઞાનંદ, ઈસરોના બાહોશ વિજ્ઞાનીઓ હોય કે પછી નીરજ ચોપડા, આ તમામ લોકોએ એક સપનું જોયું, એક સંકલ્પ કર્યો અને એ સાકાર કરવા મંડી પડ્યા. વિજ્ઞાની હોય, રમતવીર હોય કે પછી આઈએએસ કે એના જેવી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરનારા- મહાન પુરુષોની આ જ ખાસિયત છે. સરેરાશ માણસો દિવસો અને કલાકોના પરિમાણમાં જીવતા હોય છે, જ્યારે દિગ્ગજ વ્યક્તિઓ મિનિટો અને સેકન્ડ્સના પરિમાણમાં જીવે છે. એટલે જ ‘કાલે’, ‘ચાલે’ કે ‘પછી કરીશું’ જેવા શબ્દો તેમને અભડાવી શકતા નથી.
ભગવાનની કૃપાથી માનવમાત્રને સમયાંતરે શુભ પ્રેરણાઓની અંતઃસ્ફુરણા થતી રહે છે, પણ મનુષ્યમાં રહેલી `કાર્યને ઠેલવાની વૃત્તિ, જેને અંગ્રેજી પ્રોક્રેસ્ટિનેશન કહે છે એ ટાળંટાળ ગમે તેવા શુભ સંકલ્પોના પાળિયા બનાવી દે છે. શુભ વિચારો પર કોઈનો ઈજારો નથી, એ તો ભગવાનની દેણ છે. વિશ્વમાં દરરોજ અબજો માણસોને રચનાત્મક અને ક્રાંતિકારી વિચારોની પ્રેરણાથી થતી હશે. પરંતુ ‘કાલે’, ‘હમણાં નહીં’, ‘પછી કરીશું’ જેવા ઘાતક શબ્દો, શબ્દપ્રયોગો (શસ્ત્રો) એ ભવ્યાતિભવ્ય સપનાંની હત્યા કરી નાખે છે. અને પછી એ અસાધારણ વિચારોને મનમાં ને મનમાં સંઘરીને લોકો સાધારણ વ્યક્તિ તરીકે આ પૃથ્વી પરથી વિદાય થઈ જાય છે.
પ્રસિદ્ધ ચિંતક ગેટેએ કહ્યું છેઃ ‘જે તમે કરી શકો છો, અથવા જે કરવા માટે તમે સપનાં સેવી રહ્યા છો તેને સાકાર કરવાની શરૂઆત કરી દો. હમણાં જ. સાહસમાં એક શક્તિ છે, જાદુ છે, પ્રતિભા છે… મગજને એક ધક્કો મળશે પછી કાર્ય એની જાતે સંપન્ન થવા માંડશે.’ બસ, જરૂર છે ચિરકારીપણાની વૃત્તિને ચિરવિદાય આપવાની અને શરૂઆત કરવાના ‘સાહસ’ની.
એક વાત ખાસ યાદ રાખજો કે આવતી કાલ ઉપર તો આપણો કોઈ અધિકાર નથી, કોઈ કન્ટ્રોલ નથી, પણ આપણા હાથમાં વર્તમાન તો છેને. ‘આવતી કાલ’ ના વાયદા છોડી ‘આજ’ અને અત્યારે’માં જીવનને ભરીએ. કોઈ પણ કામને ઠેલ્યા વગર સત્વર કરવાની વૃત્તિ રાખીએ અને એક સત્ય સતત નજર સમક્ષ રાખીએઃ ‘ઈટ્સ નાઉ ઓર નેવરઃ અત્યારે નહીં તો પછી ક્યારેય નહીં.’
(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)
(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક, સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારા કાર્યઅંગેની ચર્ચાવિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમા સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનુ આયોજન પણ થઇ શકે છે, વેપારમા નાનુ કામ કરવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા-વાગવાથી સંભાળવુ, ઘરમા વડીલકે ઓફીસમા ઉપલીઅધિકારી સાથે ગેરવર્તન ના થાયતે બાબતની તકેદારી રાખવી, યુવાવર્ગે પ્રિયજન સાથે વિવાદકે દલીલબાજીથી દુર રહેવુ, વેપારના કામકાજમા જોખમથી દુર રહેવુ સલાહ ભર્યું કહી શકાય.
આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ ખુશીની લાગણી અનુભવો, તમારી મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમા ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનુ આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમા લાભ થઈ શકે છે, આજે ઉત્સાહ સારો જોવા મળે.
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે, અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમા જુનાઅટકેલા કામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમા નાનુકામ કરવુજ યોગ્ય છે, કામકાજમા વ્યસ્તતા પણ જોવા મળે.
આજનો દિવસ તમે શાંતિ અને કુનેહથી પસાર કરવો જેથી તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટીવ્યક્તિથી દુર રહેવુ, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ.
આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમા ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. માર્કેટિંગક્ષેત્રમા પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમા નાનુ અને ગણતરીપૂર્વકનુ કામકાજ કરવુ યોગ્ય છે, સહકર્મચારી સાથે કામકાજમા સહકાર થોડો ઓછો જોવા મળે.
આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મહેનત કરવી સારી કહી શકાય, વેપારમા લાભ થઈ શકે છે.
આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવુ, વાણીવિલાસ દરમિયાન ખોટા શબ્દપ્રયોગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવુ જરૂરી છે. વેપારના કામકાજમા જોખમ ન કરવુ અને ધીરજ રાખી કામ કરવાની સલાહ છે.
આજનો દિવસ સારો છે, તમરી લાગણીની કદર સારી રીતે થાય, જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમા કોઈની સાથે મનદુઃખ થયુ હોયતો તેને સુધારવાની તક મળે, સામાજિક, ધાર્મિક, રાજકીયકામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળે, વેપારના કામકાજમા લાભ થઈ શકે.
આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવી કોઈ વાત બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવુ, મુસાફરી કંટાળાજનક રહે, વેપારમા બિનજરૂરી જોખમથી દુર રહેવુ, વાતવાતમા ઉશ્કેરાટ ના આવે તેનુ ધ્યાન રાખવુ સારુ, શાંતિથી દિવસ પસાર કરવો.
આજનો દિવસ સારો છે, તમારા ધાર્યા કામ પર પડે , નસીબ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલન મુલાકાત યાદગાર બને, માર્કેટિંગક્ષેત્રમા તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમા લાભ કે નવીનતક દેખાઈ શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમા સમયનો બગાડ થઈ શકે છે, વેપારના કામકાજમા નાનુ અને આયોજન પૂર્વકનુ કામકાજ યોગ્ય છે, કોઈની સાથે કામની બાબતમા દલીલબાજી ના કરવી, યુવાવર્ગને ઈતરપ્રવૃતીમા ધ્યાન વધુ જાય અને ક્યાંક બિનજરૂરી નાણાકીયખર્ચ પણ થઈ શકે, મુસાફરી થોડી કંટાળાજન બની શકે છે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ની આગેવાની હેઠળના NDA અને નવા-નવા બનેલા વિપક્ષી ગઠબંધન ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઈન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ઈન્ડિયા 2024ની લોકસભા ચૂંટણી માટે ચૂંટણી મોડમાં આવી ગયા છે. સત્તા કબજે કરવા માટે પક્ષો દ્વારા નવા નવા ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ વખતે ભાજપ માટે સતત ત્રીજી વખત સત્તા મેળવવાની લડાઈ છે. તેને જોતા ભાજપે ગત વખતે ગુમાવેલી 161 બેઠકો માટે નવો પ્લાન તૈયાર કર્યો છે. માહિતી અનુસાર ભાજપે રાજ્યમાંથી નેતાઓ અથવા દિગ્ગજોને મેદાનમાં ઉતારીને 2019ની ચૂંટણીમાં હારેલી 161 બેઠકો હેઠળ આવતી 1000 વિધાનસભાઓને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. લોકસભા ચૂંટણી 2024ની રણનીતિને આખરી ઓપ આપવા માટે મંગળવારે બીજેપી હેડક્વાર્ટર ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સમિતિના સભ્યો અને તેમના સાથીદારો હાજર રહ્યા હતા. આ બેઠક લગભગ દોઢ કલાક સુધી ચાલી હતી.
આ નેતાઓને જવાબદારી મળી
ભાજપે આ 161 હારેલી બેઠકો પર રણનીતિ બનાવવા માટે એક સમિતિની રચના કરી છે. જેના સભ્યોમાં રાષ્ટ્રીય મહાસચિવ સુનીલ બંસલ, વિનોદ તાવડે, પૂર્વ મહાસચિવ નરેશ બંસલ, પાર્ટીના પ્રવક્તા સંબિત પાત્રા અને રાષ્ટ્રીય સચિવ હરીશ દ્વિવેદીનો સમાવેશ થાય છે.
આ ભાજપનો પ્લાન છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 27-28 પ્રોજેક્ટ્સ છે જેને લોકસભા ચૂંટણીમાં નબળી માનવામાં આવતી 161 સીટો પર પાર્ટીની સ્થિતિ મજબૂત કરવા માટે લાગુ કરી શકાય છે. 15 દિવસ બાદ કામની સમીક્ષા કરવા માટે સમીક્ષા બેઠક યોજાશે. જવાબદારીઓમાં બૂથનું વર્ગીકરણ, રોડ મેપ, રાજકીય સામાજિક વિશ્લેષણ અને સોશિયલ મીડિયા જૂથો બનાવવાનો સમાવેશ થાય છે.
નરેશ બંસલ પાસે આ રાજ્યોની જવાબદારી છે
2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે વિવિધ રાજ્યોમાંથી 161 બેઠકો ગુમાવી હતી. આ બેઠકો મેળવવા માટે પાંચ સભ્યોની ચૂંટણી સમિતિને જવાબદારી સોંપવામાં આવી છે. નરેશ બંસલને ઉત્તર પ્રદેશમાં 14, હિમાચલ પ્રદેશમાં બે, હરિયાણામાં ત્રણ, પંજાબમાં નવ અને જમ્મુ-કાશ્મીરમાં એક બેઠકની જવાબદારી સોંપવામાં આવી છે. તેવી જ રીતે અન્ય સભ્યોને પણ નબળી બેઠકો મજબૂત કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ બેઠકો અંગે 12મી જુલાઈના રોજ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાની અધ્યક્ષતામાં ભાજપની લોકસભાની વ્યૂહાત્મક યોજનાની મહત્વની બેઠક ભાજપ વિસ્તરણ કાર્યાલય ખાતે યોજવામાં આવી હતી.
ભારત આગામી ચંદ્ર મિશનમાં જાપાનને દક્ષિણ ધ્રુવ પર પણ લઈ જશે. આ માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. આ સંયુક્ત મિશન માટે બંને દેશોના વૈજ્ઞાનિકો સાથે મળીને કામ કરી રહ્યા છે, નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી પણ આ મિશનમાં સતત સહયોગ કરી રહી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ના સફળ ઉતરાણ બાદ હવે ભારત જાપાન પણ દક્ષિણ ધ્રુવની મુલાકાત લેશે. જાપાનની સ્પેસ રિસર્ચ એજન્સી JAXA એ આ માટે ISRO સાથે જોડાણ કર્યું છે. બંને અવકાશ એજન્સીઓ નવા ચંદ્ર મિશન પર સાથે મળીને કામ કરી રહી છે, જેને LUPEX નામ આપવામાં આવ્યું છે, ભારતમાં તેને ચંદ્રયાન-4 તરીકે ઓળખવામાં આવશે.
ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ તાજેતરમાં ચંદ્રયાન-3ને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતારીને વિશ્વમાં પોતાનું વર્ચસ્વ સ્થાપિત કર્યું છે. ભારત હવે વિશ્વનો ચોથો દેશ છે જે ચંદ્ર પર પહોંચવામાં સફળ થયો છે. ભારત બાદ જાપાન આ રેસમાં છે જે તેના સ્માર્ટ લેન્ડરને સ્લિમ ચંદ્રની સપાટી પર ઉતારવા માંગે છે. તાજેતરમાં તેની લોન્ચિંગ ડેટ બે વાર બદલવામાં આવી છે. આ મિશનનું પરિણામ ગમે તે હોય, જાપાનની સ્પેસ એજન્સી JAXA એ પહેલાથી જ આગામી ચંદ્ર મિશન માટે ISRO સાથે હાથ મિલાવ્યા છે.
LUPEX મિશન શું છે
LUPEX નું પૂરું નામ લુનર પોલર એક્સપ્લોરેશન મિશન છે. આ એક માનવરહિત મિશન હશે, જેનો ઉદ્દેશ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવાનો છે અને અહીં પાણીની સંભાવનાની પુષ્ટિ કરવાનો છે. મિશન માટે લોન્ચ વ્હીકલ અને રોવર તૈયાર કરવાની જવાબદારી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીની છે અને લેન્ડર ઈસરો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે. JAXA અનુસાર, આ મિશન 2025માં શરૂ કરવામાં આવશે અને તે ત્રણથી છ મહિના સુધી ચાલશે.
મિશનનો ઉદ્દેશ્ય શું છે
ISRO અને JAXAના LUPEX એટલે કે ચંદ્રયાન-4 મિશનનો ઉદ્દેશ્ય અત્યાર સુધીના મિશનમાં મળેલી તસવીરો અને માહિતીની પુષ્ટિ કરવાનો છે. JAXA ની અધિકૃત વેબસાઇટ અનુસાર, ચંદ્રયાન-4નું લેન્ડર અને રોવર ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર જળ સંસાધનોની શોધ કરશે અને તેના જથ્થા પર ડેટા એકત્રિત કરશે, જેથી ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સહયોગી મિશનમાં તેનો ઉપયોગ કરી શકાય. આ ઉપરાંત હાઇડ્રોજન પણ શોધી કાઢવામાં આવશે. તે પણ પુષ્ટિ કરવામાં આવશે કે ચંદ્ર પર પાણીનો જથ્થો ભૂગર્ભમાં છે અથવા તે અન્ય કયા સ્વરૂપમાં ઉપલબ્ધ છે. તેનાથી આપણને એ પણ જાણવામાં મદદ મળશે કે જો ચંદ્ર પર પાણી છે તો તે ક્યાંથી આવ્યું.
નાસા અને યુરોપ પણ મદદ કરશે
ચંદ્રયાન-4 અથવા લ્યુપેક્સ મિશન કેટલું મહત્વપૂર્ણ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ મિશન માટે માત્ર ISRO અને JAXA જ નહીં પરંતુ નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી પણ તેમાં સહયોગ કરી રહી છે. એવું માનવામાં આવે છે કે આ મિશન સમગ્ર વિશ્વમાં ચંદ્ર પર મોકલવામાં આવતા તમામ મિશનમાં મદદ કરશે.
જળ સંસાધન પરીક્ષણ સાધનો લેન્ડર સાથે જશે
રોવરને લેન્ડર સાથે મોકલવામાં આવશે. જે એક પ્રકારનું જળ સંસાધન પરીક્ષણ સાધન હશે. તેમાં JAXA, ISRO, NASA અને યુરોપિયન સ્પેસ એજન્સીના પેલોડ્સ હશે. આમાં, ચાર પેલોડ JAXA ના હશે, ત્રણ ISRO ના હશે, જેમાં નમૂના વિશ્લેષણ પેકેજ અને ગ્રાઉન્ડ પેનિટ્રેટિંગ રડાર અને મિડ ઇન્ફ્રારેડ ઇમેજિંગ સ્પેક્ટ્રોમીટર હશે. આ સિવાય અન્ય બે પેલોડ અનુક્રમે નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સીના હશે.
જાપાનની ટીમ ઈસરોના હેડક્વાર્ટરમાં આવી હતી
તાજેતરમાં, જાપાનની ટીમ મિશન અંગે ચર્ચા કરવા બેંગલુરુમાં ISRO મુખ્યાલય પહોંચી હતી. તેમાં રાષ્ટ્રીય અવકાશ નીતિ પર જાપાનની કેબિનેટ સમિતિના ઉપાધ્યક્ષ સાકુ સુનેતા પણ સામેલ હતા. ટીમે ઈસરોના ચીફ એસ સોમનાથ સાથે બેઠક કરી અને મિશનની પ્રગતિ અંગે ચર્ચા કરી. JAXAની સત્તાવાર વેબસાઇટ અનુસાર, જાપાને 2020માં જ ISRO સાથે મિશન કરવાની યોજના બનાવી હતી. જોકે આ અંગેનો અંતિમ નિર્ણય ગયા વર્ષે જ લેવામાં આવ્યો હતો. ISRO પહેલા, JAXA NASA સાથે મળીને આ મિશન હાથ ધરવા માંગતું હતું.
MVA નેતાઓએ બુધવારે મુંબઈમાં યોજાનારી ભારત ગઠબંધનની બે દિવસીય બેઠક અંગે પીસી યોજી હતી. આ દરમિયાન શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે બેઠકની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આ બેઠક 31મી ઓગસ્ટ અને 1લી સપ્ટેમ્બરે યોજાશે. સંજય રાઉતે કહ્યું કે છ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને બેંગલુરુ અને પટના આવેલા તમામ નેતાઓ આ બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં 28 પક્ષોના નેતાઓ હાજરી આપશે. કેટલાક નેતાઓ આજે આવ્યા છે, કેટલાક નેતાઓ કાલે આવશે. કેન્દ્ર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપે સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. ભારતની બે બેઠકોની અજાયબી એ છે કે ભાવ નીચે આવવા લાગ્યા. તેણે વધુમાં કહ્યું કે મુંબઈનું સમગ્ર વાતાવરણ ભારત જેવું થઈ ગયું છે.
STORY | INDIA alliance to provide formidable alternative to bring political change: Sharad Pawar
મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે મહેમાનોનું સ્વાગત મહારાષ્ટ્રની સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવશે. અમે ભાજપની તાનાશાહી સામે લડવાના છીએ. લોકો ઈન્ડિયા એલાયન્સમાં જોડાઈ રહ્યા છે. ચીને નકશામાં અરુણાચલને પોતાનું બતાવ્યું છે. જેમ જેમ ભારત આગળ વધશે તેમ ચીન પીછેહઠ કરશે.
STORY | Opposition INDIA bloc has several choices for PM’s post, BJP has only one: @uddhavthackeray
NCP ચીફ શરદ પવારે કહ્યું કે ભારતની અત્યાર સુધી બે બેઠકો થઈ છે. બેઠકો અંગે ચર્ચા થવાની સંભાવના છે. માયાવતી દ્વારા લેવામાં આવેલા નિર્ણય વિશે લોકોએ વિચારવું પડશે. માયાવતી ભાજપ સાથે વાતચીત કરી રહી હોવાની માહિતી મળી રહી છે. હું વિપક્ષમાં છું, આ અંગે કોઈ મૂંઝવણ નથી.
STORY | No decision on BSP’s inclusion in INDIA until clarity on whose side Mayawati is: Sharad Pawar
શિવસેના (UBT) પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દરરોજ મહિલાઓની સુરક્ષા હોવી જોઈએ, આવું દરરોજ થવું જોઈએ. આજે રાજ્ય અને કેન્દ્રમાં આવી સરકાર નથી. જો મહિલાઓને રાખડી બાંધવાનું કામ બીજેપીના લોકો કરી રહ્યા છે તો સૌથી પહેલા તેઓએ મણિપુરની બે બહેનો બિલકીસ બાનો અને કુસ્તી સંગઠનનો વિરોધ કરી રહેલી મહિલા ખેલાડીઓને રક્ષાબંધન બાંધવી જોઈએ. તેમણે કહ્યું કે જેમ જેમ ભારત ગઠબંધન આગળ વધશે તેમ તેમ તેઓ ગેસ ફ્રી આપવાનું શરૂ કરશે. હું 9 વર્ષમાં મારી બહેનોને યાદ કરી શક્યો નથી.આ સરકાર પોતે ગેસ પર છે. મેં સાંભળ્યું છે કે મુંબઈમાં મહાયુતિની બેઠક છે. માત્ર વિરોધ કરવા માટે ન કરો, રાજ્યમાં દુષ્કાળની સ્થિતિ છે. અંગ્રેજો પણ વિકાસ કરતા હતા, પરંતુ અમને આઝાદી જોઈતી હતી, તેથી જ અમે એક સરમુખત્યાર સામે ભેગા થયા છીએ. અમે ભારત માતાની રક્ષા માટે સાથે આવ્યા છીએ. અમારા કારણે જ ભાજપે ગેસના ભાવ ઘટાડ્યા છે.
પીસી દરમિયાન અશોક ચવ્હાણે કહ્યું કે આજે 28 પાર્ટીઓ ભારત ગઠબંધનમાં જોડાઈ છે, પહેલા અમારા ગઠબંધનમાં 26 પાર્ટીઓ હતી. આજે રક્ષાબંધનનો દિવસ છે. દેશની સુરક્ષાની જવાબદારી પણ ભારતની છે. 2019ની ચૂંટણીમાં ટુડેઝ ઈન્ડિયા એલાયન્સની પાર્ટીઓને 23.40 કરોડ વોટ મળ્યા અને બીજેપીને 22 કરોડ વોટ મળ્યા. જે રાજ્યોમાં ભાજપે તોડીને સરકાર બનાવી છે ત્યાં હારનો સામનો કરવો પડ્યો છે.
રિઝર્વ બેંક દ્વારા 2000 રૂપિયાની નોટ બદલવા માટે આપવામાં આવેલો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે. હવે આ સમયમર્યાદા પુરી થવામાં થોડા જ દિવસો બાકી છે. જો તમે હજી સુધી તમારી પાસે નોટો બેંકમાં જમા કરાવી નથી અથવા તેને બદલાવી નથી, તો આ તે સમય છે જ્યારે તમારે તમારું કામ ઝડપથી પૂર્ણ કરવું જોઈએ. હવે તમારી પાસે ગણતરીના દિવસો જ બાકી છે, ઝડપથી તમારી પિગી બેંક અને રસોડાના ડબ્બામાંથી પસાર થાઓ. જો તમારી પાસે 2000 રૂપિયાની નોટ ક્યાંય પણ રાખવામાં આવી હોય, તો તેને ઝડપથી શોધીને બેંકમાં પહોંચો. એકવાર સમય પસાર થઈ જશે તો પસ્તાવા સિવાય કોઈ વિકલ્પ રહેશે નહીં, કારણ કે સમયમર્યાદા પછી 2000 રૂપિયાની નોટને અમાન્ય જાહેર કરવામાં આવશે. એટલે કે, સમય પસાર થયા પછી, તમારી 200 રૂપિયાની નોટ સંપૂર્ણપણે નકામી થઈ જશે.
અંતિમ તારીખ ક્યારે છે?
રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને પોલિસી તરીકે બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બર, 2023 નક્કી કરવામાં આવી છે. આનો અર્થ એ છે કે હવે તમારી પાસે તમારી રૂ. 2000ની નોટ બદલવા અથવા તમારા ખાતામાં જમા કરાવવા માટે માત્ર એક મહિનો બાકી છે. 30 સપ્ટેમ્બર પછી તમારી પાસે રાખવામાં આવેલી આ નોટો સંપૂર્ણપણે નકામી થઈ જશે. તો, હવે જલ્દી કરો અને જ્યાં પણ તમને ઘરે 2000 રૂપિયાની નોટ મળે, તેને ઝડપથી બેંકમાં લઈ જાઓ.
નોટો બદલવા માટેના ખાસ નિયમો
રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટને લઈને પણ ખાસ નિયમો બનાવ્યા છે. આરબીઆઈએ કહ્યું છે કે આ નોટોને ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહી નથી અને તે 30 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણ રીતે માન્ય રહેશે. ત્યાં સુધી, જો તમે ઈચ્છો, તો તમે આ નોટો વડે કંઈપણ ખરીદી શકો છો અથવા તમે બેંકમાં આવીને તમારા ખાતામાં જમા કરાવી શકો છો. જો કે, 30મી સપ્ટેમ્બરની સમયમર્યાદા બાદ તમને 2000 રૂપિયાની નોટો ચલણમાં લાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે.
બેંકોએ ખાસ વિન્ડો બનાવી
જ્યારે RBIએ 19 મેના રોજ ચલણમાંથી રૂ. 2000ની નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે 2016ની જેમ ફરી એકવાર ગ્રાહકોમાં ગભરાટ ફેલાયો હતો. પરંતુ, આરબીઆઈએ સ્પષ્ટતા કરી કે આ વખતે નોટો બદલવા અથવા ખાતામાં જમા કરાવવા માટે સમય આપવામાં આવી રહ્યો છે અને આ માટે બેંકોમાં એક ખાસ વિન્ડો પણ બનાવવામાં આવી છે, જેથી કોઈ ગ્રાહકને આ કામમાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
દેશમાં આવતા વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે કેન્દ્રમાં બે ટર્મથી સત્તા પર રહેલી પીએમ નરેન્દ્ર મોદીની સરકાર પ્રત્યે દેશના લોકોનું વલણ શું છે. પ્યુ રિસર્ચ સેન્ટરના સર્વે મુજબ પીએમ મોદી આવતા વર્ષે ફરી લોકસભા ચૂંટણી જીતવાના છે. 10માંથી 8 ભારતીયોને હજુ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં વિશ્વાસ છે. લોકો માને છે કે વિશ્વમાં ભારતનું કદ વર્ષોથી વધ્યું છે.
ભારતમાં આયોજિત થનારી G20 કોન્ફરન્સના એક અઠવાડિયા કરતાં થોડો સમય પહેલાં મંગળવારે આ અહેવાલ બહાર પાડવામાં આવ્યો હતો. વિશ્વના કુલ 23 દેશોમાં 30,861 લોકો પર કરવામાં આવેલા આ સર્વે દરમિયાન 20 ફેબ્રુઆરી 2023 થી 22 મે 2023 વચ્ચે ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, 68 ટકા ભારતીય પુખ્ત વયના લોકો માનતા હતા કે વિશ્વમાં ભારતનો પ્રભાવ વધ્યો છે. 55 ટકા લોકોની વિચારસરણી પીએમ મોદી માટે અનુકૂળ છે. તેઓ આવતા વર્ષે સામાન્ય ચૂંટણી દરમિયાન પીએમ મોદીને ફરીથી દેશની સત્તા સંભાળતા જોવા માંગે છે.
દસમાંથી લગભગ સાત ભારતીયોએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં વિશ્વમાં દેશનો પ્રભાવ વધુ મજબૂત થઈ રહ્યો છે, જ્યારે પાંચમાથી ઓછા લોકો માને છે કે તે નબળો પડી રહ્યો છે. અમેરિકા ઉપરાંત કેનેડા, ઈટાલી, જર્મની, યુકે, ઓસ્ટ્રેલિયા, જાપાન અને ઈન્ડોનેશિયા વગેરે 23 દેશોમાં આ સર્વે કરવામાં આવ્યો છે. અહીં 28 ટકા લોકો માને છે કે વિશ્વમાં ભારતનું કદ હવે વધી ગયું છે. આ 23માંથી 12 દેશોના 32 ટકા લોકો એવું પણ માને છે કે વડાપ્રધાન મોદી વૈશ્વિક સ્તરે યોગ્ય નિર્ણયો લે છે.