Home Blog Page 255

પીએમ મોદીએ શિવસેના પ્રમુખ એકનાથ શિંદેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ એકનાથ શિંદેની પ્રશંસા કરી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે તેઓ રાજ્યના વિકાસને આગળ વધારવા માટે સતત કાર્યરત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકનાથ પર શેર કરેલી એક પોસ્ટમાં પ્રધાનમંત્રીએ એકનાથ શિંદેને અભિનંદન આપ્યા અને શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરે અને દિવંગત નેતા આનંદ દિઘે સાથે શિંદેના જોડાણને યાદ કર્યું.

પીએમ મોદીએ લખ્યું, “એકનાથ શિંદેજીને જન્મદિવસની શુભકામનાઓ. તેઓ મહારાષ્ટ્રના વિકાસને આગળ વધારવા અને બાળાસાહેબ ઠાકરે અને ધર્મવીર આનંદ દિઘેના સપનાઓને પૂર્ણ કરવા માટે અથાક મહેનત કરી રહ્યા છે. હું તેમના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.” કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત અનેક વરિષ્ઠ નેતાઓએ નાયબ મુખ્યમંત્રી શિંદે ને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી.

એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી, 1964 ના રોજ મહારાષ્ટ્રના સતારા જિલ્લાના દરે ગામમાં એક મરાઠા પરિવારમાં થયો હતો. બાદમાં, તેમનો પરિવાર મુંબઈની બહાર આવેલા શહેર થાણેમાં રહેવા ગયો, જ્યાં તેઓ મોટા થયા. શિંદેએ થાણેની મંગલા હાઇસ્કૂલ અને જુનિયર કોલેજમાં અભ્યાસ કર્યો, જ્યાં તેમણે 11મા ધોરણ સુધી અભ્યાસ કર્યો. તેમના પરિવારને આર્થિક રીતે ટેકો આપવા માટે તેમણે શાળા વહેલા છોડી દીધી હોવાનું કહેવાયુ. રાજકારણમાં પ્રવેશતા પહેલા તેઓ ઓટો-રિક્ષા ડ્રાઇવર તરીકે કામ કરતા હતા.

બાદમાં તેમણે 2014 માં તેમનો અભ્યાસ ફરી શરૂ કર્યો. 2020 માં તેમણે યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવી. શિંદેની રાજકીય સફર 1980 ના દાયકાની શરૂઆતમાં શરૂ થઈ હતી, જ્યારે તેમને થાણેમાં તત્કાલીન શિવસેના પ્રમુખ આનંદ દિઘે દ્વારા રાજકારણમાં પરિચય કરાવવામાં આવ્યો હતો. તેમના શરૂઆતના વર્ષોમાં શિંદેએ વાગલે એસ્ટેટ વિસ્તારમાં અનેક શિવસેના ચળવળોનું નેતૃત્વ કર્યું અને એક અગ્રણી મજૂર નેતા તરીકે ઉભરી આવ્યા અને બાદમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ સંભાળ્યું.

ભારત-કેનેડાના સંબંધોમાંથી ખાલિસ્તાનનો નીકળશે કાંટો?

નવી દિલ્હીઃ ભારત અને કેનેડાએ રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદા અમલ સંબંધિત મુદ્દાઓ પર સહકાર માટે એક “પરસ્પર કાર્ય યોજનાની” તૈયારી કરવા સંમતિ આપી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ બંને દેશોએ આંતરરાષ્ટ્રીય ગુનાહિત નેટવર્ક જેવી પરસ્પર ચિંતાઓને દૂર કરવા માટે વ્યાવહારિક સહકારની વ્યાપક યોજના પર પણ સહમતી વ્યક્ત કરી છે. આ નિર્ણય શનિવારે ઓટાવામાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલ અને તેમની કેનેડિયન સમકક્ષ નતાલી ડ્રોઇન વચ્ચે થયેલી બેઠક દરમિયાન લેવામાં આવ્યો હતો.

NSA અજિત ડોભાલની આ ઓટાવા મુલાકાત બંને દેશો વચ્ચેના તણાવપૂર્ણ દ્વિપક્ષી સંબંધોને સુધારવા દિશામાં ગણતરીપૂર્વકનું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહી છે. તાજેતરનાં વર્ષોમાં બંને દેશો વચ્ચે યોજાયેલી આ સૌથી મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકોમાંની એક છે.

અપરાધિક નેટવર્ક સામે કાર્યવાહીથી લઈને સાઇબર સુરક્ષા સુધી — શું સહમતી બની?

વિદેશ મંત્રાલયે ડોભાલ-ડ્રોઇન બેઠકની વિગતો શેર કરતા જણાવ્યું કે બંને પક્ષોએ પોતાના દેશો અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કરવામાં આવેલી પહેલોની પ્રગતિને સ્વીકારી છે. મંત્રાલયે નિવેદનમાં કહ્યું હતું કે તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદા અમલ મુદ્દાઓ પર દ્વિપક્ષી સહકારને માર્ગદર્શન આપવા અને સંબંધિત પ્રાથમિકતાઓ પર વ્યાવહારિક સહકાર માટે એક પરસ્પર કાર્ય યોજનાને મંજૂરી આપી છે. તેમાં વધુમાં જણાવાયું કે બેઠક દરમિયાન બંને દેશો સુરક્ષા અને કાયદા અમલ માટે સંપર્ક અધિકારીઓની નિમણૂક કરશે અને સંબંધિત એજન્સીઓ કામકાજી સંબંધોને વધુ મજબૂત બનાવશે.

આ નિવેદન મુજબ આ “મહત્વપૂર્ણ પગલું” દ્વિપક્ષી સંવાદને વધુ સુવ્યવસ્થિત બનાવશે અને “પરસ્પર ચિંતા”ના મુદ્દાઓ — જેમ કે ગેરકાયદે નશીલા પદાર્થોનો પ્રવાહ અને આંતરરાષ્ટ્રીય સંગઠિત ગુનાહિત નેટવર્ક — અંગે સમયસર માહિતી વહેંચવામાં મદદરૂપ થશે. બંને પક્ષોએ સાયબર સુરક્ષા નીતિ અને સંબંધિત મુદ્દાઓ પર માહિતી વહેંચણીને ઔપચારિક બનાવવાનો અને ઘરેલુ કાયદા તથા આંતરરાષ્ટ્રીય બાધ્યતાઓને અનુરૂપ છેતરપિંડી અને ઇમિગ્રેશન અમલ સંબંધિત સહકાર અંગે ચર્ચા ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી છે.

રાશિ ભવિષ્ય 09/02/2026 થી 15/02/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.


સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.


મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.


કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.


મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે  વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.


નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.


આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.


મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે  વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.


મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે,  નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.


કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.


ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.


તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.

૦૯ ફેબ્રુઆરી ૨૦૨૬

PCB-BCB અને ICC વચ્ચે લાહોરમાં ‘સીક્રેટ મીટિંગ’

લાહોરમાં થયેલી એક ‘સીક્રેટ મીટિંગ’એ ભારત-પાકિસ્તાન વર્લ્ડ કપ મુકાબલાને લઈને ચાલી રહેલા મોટા વિવાદ પર નવી આશા જગાવી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB), બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ના ટોચના અધિકારીઓ વચ્ચે થયેલી આ બેઠકને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ખાસ કરીને 15 ફેબ્રુઆરીએ યોજાનારા ભારત-પાકિસ્તાન હાઈ-વોલ્ટેજ મુકાબલાને લઈને સર્જાયેલા ગતિરોધને દૂર કરવા માટે આ ચર્ચા નિર્ણાયક સાબિત થઈ શકે છે.

રવિવારે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં PCB ચેરમેન મોહસિન નકવી, BCB અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ અને ICCના ઉપાધ્યક્ષ ઇમરાન ખ્વાજા વચ્ચે લાંબી બેઠક યોજાઈ હતી. PCB દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરોમાં ત્રણેય અધિકારીઓને ગંભીર ચર્ચામાં વ્યસ્ત જોવા મળ્યા હતા. આ બેઠક એવા સમયે થઈ જ્યારે પાકિસ્તાન દ્વારા ભારત સામેના મેચના બહિષ્કારની ધમકીથી સમગ્ર ટૂર્નામેન્ટની યોજના પર પ્રશ્નચિહ્ન ઊભું થઈ ગયું હતું.

મામલો ત્યારે વધુ ગરમાયો હતો જ્યારે પાકિસ્તાને કોલંબોમાં થનારા ભારત-પાકિસ્તાન મેચમાંથી બહાર રહેવાની ચેતવણી આપી હતી. PCBનું કહેવું હતું કે તે બાંગ્લાદેશ સાથે એકજૂટતા બતાવી રહ્યું છે, કારણ કે ICCએ સુરક્ષા કારણો આપ્યા છતાં બાંગ્લાદેશના કેટલાક મેચ ભારત બહાર ખસેડવાની માગ સ્વીકારી નહોતી. આ નિર્ણય બાદ ICCએ બાંગ્લાદેશની જગ્યાએ સ્કોટલેન્ડને ટૂર્નામેન્ટમાં સામેલ કરી દીધું, જેના કારણે વિવાદ વધુ ઘેરો બન્યો.

જાપાનમાં Iron Lady નો ઐતિહાસિક વિજય

જાપાનની રાજનીતિમાં એક ઐતિહાસિક અધ્યાય ઉમેરાયો છે. દેશની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી સાનાએ તાકાઇચીએ પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરતા વિન્ટર સ્નેપ પોલમાં ભવ્ય જીત નોંધાવી છે. રવિવારે યોજાયેલા આ મધ્ય-શિયાળાના ચૂંટણી પરિણામોએ જાપાનની લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ને ફરી એક વખત મજબૂત સ્થિતિમાં સ્થાપિત કરી છે. તાકાઇચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને સંસદના 465 સીટ ધરાવતા નીચલા સદનમાં બહુમતનો આંકડો પાર કરી લીધો છે, જે છેલ્લા અનેક વર્ષોમાં પાર્ટીના શ્રેષ્ઠ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહ્યું છે.

મતદાન પૂર્ણ થયાના માત્ર બે કલાકની અંદર જ LDPએ એકલાએ 233 સીટનો જાદુઈ આંકડો પાર કરી લીધો હતો. આ ઝડપભર્યા પરિણામોએ રાજકીય વિશ્લેષકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા. અગાઉ એવું માનવામાં આવી રહ્યું હતું કે પાર્ટી માટે આ ચૂંટણી જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ પરિણામોએ તમામ અંદાજોને ખોટા સાબિત કરી દીધા. આ જીત માત્ર સંખ્યાબળની નથી, પરંતુ તે તાકાઇચીના નેતૃત્વ પર જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ પણ છે.

સાનાએ તાકાઇચી પોતાને બ્રિટનની ભૂતપૂર્વ પ્રધાનમંત્રી માર્ગરેટ થેચર, એટલે કે “આયર્ન લેડી”,થી પ્રેરિત ગણાવે છે. તેમના મજબૂત અને સ્પષ્ટ વિચારધારાવાળા નેતૃત્વને કારણે જાપાનમાં તેમને “આયર્ન લેડી” તરીકે ઓળખવામાં આવી રહી છે. તેમણે દેશની અર્થવ્યવસ્થા, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક કૂટનીતિમાં મજબૂત નિર્ણય લેવાની છબી ઉભી કરી છે, જેનો સીધો ફાયદો તેમને આ ચૂંટણીમાં મળ્યો હોવાનું માનવામાં આવે છે.

આ જીત પર વિશ્વભરના નેતાઓ તરફથી અભિનંદનનો ધોધ વહેવા લાગ્યો છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સાનાએ તાકાઇચીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે જણાવ્યું કે પ્રતિનિધિસભાની ચૂંટણીમાં મળેલી આ ઐતિહાસિક જીત ભારત-જાપાન વચ્ચેની વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે. મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે તાકાઇચીના નેતૃત્વમાં બંને દેશોની મિત્રતા નવી ઊંચાઈઓએ પહોંચશે.

ભારતના મહિલા ટીચર રૂબલ નાગીએ જીત્યો ઇન્ટરનેશનલ એવોર્ડ

ભારતની શિક્ષણ જગત માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. એક ભારતીય મહિલા શિક્ષિકા રૂબલ નાગીએ દુનિયાભરના હજારો શિક્ષકોને પાછળ છોડી ગ્લોબલ ટીચર પ્રાઈઝ 2026 જીત્યો છે. દુબઈમાં આયોજિત ભવ્ય આંતરરાષ્ટ્રીય સમારોહ દરમિયાન તેમને 10 લાખ અમેરિકી ડોલર એટલે કે આશરે 9 કરોડ રૂપિયાના ઇનામથી સન્માનિત કરવામાં આવ્યા. આ સિદ્ધિ સાથે રૂબલ નાગી માત્ર ભારતનું નામ રોશન કર્યું નથી, પરંતુ શિક્ષણની શક્તિ દુનિયા સામે ફરી એકવાર સાબિત કરી છે.

રૂબલ નાગી છેલ્લા ઘણા વર્ષોથી વંચિત અને ગરીબ બાળકો માટે શિક્ષણને સરળ, રસપ્રદ અને ઉપયોગી બનાવવાના પ્રયાસમાં લાગી છે. તેમનું કામ પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી અલગ છે, જેના કારણે તેઓ વૈશ્વિક સ્તરે ઓળખ મેળવી શક્યા. તેમણે એવા બાળકોને શિક્ષણ આપ્યું છે જેમણે ક્યારેય શાળા જોયી નહોતી, પેન્સિલ પકડી નહોતી અને પુસ્તક સાથે કોઈ નાતો નહોતો.

પોતાની સફર વિશે વાત કરતા રૂબલ નાગીએ કહ્યું કે તેમની શિક્ષણ યાત્રા આજથી લગભગ 27 વર્ષ પહેલાં શરૂ થઈ હતી. એક આર્ટ વર્કશોપ દરમિયાન તેમની મુલાકાત એક એવા બાળક સાથે થઈ હતી, જેણે પોતાના જીવનમાં ક્યારેય પેન્સિલ જોઈ પણ નહોતી. એ ક્ષણે તેમને લાગ્યું કે શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું નથી, પરંતુ આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને જીવન બદલવાની શક્તિ છે. આ વિચાર સાથે તેમણે પોતાનું જીવન શિક્ષણ માટે સમર્પિત કરી દીધું.

પંચાંગ 09/02/2026

“જો સંઘ કહે તો હું રાજીનામું આપવા તૈયાર છું…” મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે મુંબઈમાં RSS ના શતાબ્દી વર્ષના કાર્યક્રમમાં અનેક મુદ્દાઓ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. તેમણે RSS પદ છોડવાના પ્રશ્નનો પણ ઉલ્લેખ કર્યો. મોહન ભાગવતે કહ્યું કે સંઘે તેમને તેમની ઉંમર હોવા છતાં કામ કરવાનું કહ્યું છે. પરંતુ જો સંઘ તેમને રાજીનામું આપવાનું કહેશે, તો તેઓ તરત જ રાજીનામું આપશે.

તેમણે કહ્યું કે RSSનું કામ પ્રચારને પ્રોત્સાહન આપવાનું નથી પરંતુ સમાજમાં મૂલ્યો વિકસાવવાનું છે. વધુ પડતો પ્રચાર દેખાડો અને પછી ઘમંડ તરફ દોરી જાય છે. પ્રચાર વરસાદ જેવો હોવો જોઈએ, સમયસર અને મર્યાદિત માત્રામાં. સંઘ તેના સ્વયંસેવકોને છેલ્લા ટીપા સુધી કામ કરાવે છે. સંઘના ઇતિહાસમાં ક્યારેય એવી પરિસ્થિતિ બની નથી કે કોઈને બળજબરીથી નિવૃત્તિ લેવી પડી હોય.

હકીકતમાં, એવું કહેવાય છે કે સંઘમાં સામાન્ય રીતે 75 વર્ષની ઉંમર પછી કોઈ પણ પદ ન રાખવાની પરંપરા છે. ભાગવતે કહ્યું કે સંઘનું નેતૃત્વ કરનાર વ્યક્તિ હંમેશા હિન્દુ રહેશે, પછી ભલે તે કોઈ પણ જાતિનો હોય. ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર કે બ્રાહ્મણ હોવું એ સરસંઘચાલક બનવાની લાયકાત નથી; જે કોઈ હિન્દુ સંગઠન માટે કામ કરે છે તે સરસંઘચાલક બને છે. RSS માં આ સર્વોચ્ચ પદ શ્રેષ્ઠ ઉમેદવારોમાંથી શ્રેષ્ઠને આપવામાં આવે છે.

ભાગવતે કહ્યું કે RSS વડા પદ માટે કોઈ ચૂંટણી થતી નથી. પ્રાદેશિક અને વિભાગીય વડાઓ નિમણૂક કરે છે. સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે 75 વર્ષની ઉંમર પછી, વ્યક્તિએ કોઈપણ પદ વિના કામ કરવું જોઈએ. તેમણે કહ્યું, હું 75 વર્ષનો છું, અને RSS આ વાતથી વાકેફ છે, પરંતુ સંગઠને મને મારા પદ પર કામ કરવાનું કહ્યું છે. જ્યારે પણ RSS મને પદ છોડવાનું કહેશે, ત્યારે હું પદ છોડી દઈશ, પરંતુ હું કામ પરથી નિવૃત્ત થઈશ નહીં.

ભાગવતે કહ્યું કે સંઘે પહેલેથી જ નક્કી કરી લીધું છે કે તેનું સમગ્ર સમાજને સંગઠિત કરવા સિવાય બીજું કોઈ કામ નથી. મને ખબર નથી કે તમે જેને RSS કહો છો તેને તમે કેવી રીતે કહો છો. ઘણા લોકો કહે છે કે નરેન્દ્રભાઈ વડા પ્રધાન છે. તેઓ RSS ના વડા પ્રધાન છે. તેમનો એક રાજકીય પક્ષ છે, BJP, જે અલગ છે. તેમનામાં ઘણા સ્વયંસેવકો છે, અને તેઓ પ્રભાવશાળી પણ છે.

એ નોંધવું જોઈએ કે અગાઉ ભાગવતે કહ્યું હતું કે ભારતમાં ચાર પ્રકારના હિન્દુઓ છે. પ્રથમ, જેઓ ગર્વથી જાહેર કરે છે કે તેઓ હિન્દુ છે. બીજું, જેઓ કહે છે, “જો આપણે હિન્દુ છીએ તો શું?” ગર્વ કરવા જેવું શું છે? ત્રીજું, જેઓ કહે છે, “ધીમેથી કહો, ‘અમે હિન્દુ છીએ.’ જો તમે અમને ઘરે પૂછશો, તો અમે તમને કહીશું કે અમે હિન્દુ છીએ.” ચોથું, જેઓ ભૂલી ગયા છે કે તેઓ હિન્દુ છે, અથવા જેમને ભૂલી જવાની ફરજ પાડવામાં આવી છે કે તેઓ હિન્દુ છે.

ભારત-અમેરિકા ‘સુપર ડીલ’ બાંગ્લાદેશને બરબાદ કરી નાખશે!

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના કરારથી એશિયન વેપાર બજારમાં ખળભળાટ મચી ગયો છે. આ સમાચારથી ભારતમાં ખૂબ આનંદ થયો છે, પરંતુ તેનાથી આપણા પડોશી દેશ બાંગ્લાદેશ માટે પણ મોટી સમસ્યા ઉભી થઈ છે. અમેરિકાએ ભારતીય કપડાં અને કાપડ ઉત્પાદનો પરની આયાત ડ્યુટી (ટેરિફ) અડધાથી વધુ ઘટાડી દીધી છે. પહેલા ભારતીય માલ પર 50% કર લાગતો હતો, હવે તે ઘટાડીને માત્ર 18% કરવામાં આવ્યો છે. વ્યાપાર નિષ્ણાતો માને છે કે અમેરિકાનો આ એક જ નિર્ણય બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ તોડવા માટે પૂરતો છે, કારણ કે કાપડ ઉદ્યોગ દેશની આવકનો મુખ્ય સ્ત્રોત છે.

આ સોદાનો સૌથી મોટો ફાયદો એ છે કે ભારતીય કાપડ હવે અન્ય દેશોની તુલનામાં અમેરિકામાં સૌથી સસ્તું હશે. આંકડાઓ દ્વારા, નવી ટેરિફ સિસ્ટમ ભારતને પ્રીમિયમ પર મૂકે છે. હવે, ભારતીય માલ પર 18% કર લાગશે, જ્યારે બાંગ્લાદેશી માલ પર 20%, વિયેતનામ પર 20% અને ચીન પર 30% કર લાગશે. ૧૯% સાથે પાકિસ્તાન પણ ભારતથી પાછળ રહી ગયું છે.

કાપડ મંત્રાલય સ્પષ્ટપણે જણાવે છે કે જ્યારે મુખ્ય વૈશ્વિક ખરીદદારો ભારતમાંથી ઓછા કરવેરા પર ગુણવત્તાયુક્ત માલ મેળવી શકે છે, ત્યારે તેઓ બાંગ્લાદેશ કે ચીન તરફ કેમ જોશે? ખરીદદારો હવે તેમની ખરીદી વ્યૂહરચના બદલશે, અને ભારતીય નિકાસકારોને સીધો ફાયદો થશે. આ બાંગ્લાદેશ માટે એક મોટો ફટકો છે, જે યુરોપિયન યુનિયન સાથેના ભારતના કરારને કારણે પહેલાથી જ ઊંઘ હરામ કરી રહ્યો હતો.

ભારત માટે ૧૧૮ અબજ ડોલરનો ખજાનો હવે ખુલી રહ્યો છે

યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વનું સૌથી મોટું બજાર છે, જેમાં 118 અબજ ડોલરનો જંગી કાપડ વેપાર છે. અત્યાર સુધી, ભારે કરને કારણે ભારત આ બજારમાં પોતાની તાકાત સંપૂર્ણપણે દર્શાવી શક્યું ન હતું. જો કે, વોશિંગ્ટન સાથેના આ કરારથી ભારત માટે દરવાજા સંપૂર્ણપણે ખુલી ગયા છે. ભારત પહેલાથી જ અમેરિકામાં આશરે 10.5 અબજ ડોલરના કાપડની નિકાસ કરે છે, પરંતુ આ મુક્તિથી આ આંકડો અનેક ગણો વધવાની અપેક્ષા છે. સરકાર 2030 સુધીમાં 100 અબજ ડોલરની નિકાસ સુધી પહોંચવાનું લક્ષ્ય રાખે છે, અને આ સોદો તે લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

ટ્રમ્પ-મોદી મિત્રતાની અસરથી અમેરિકાને પણ ફાયદો થયો

વેપાર એ વેપાર સંબંધિત પ્રક્રિયા છે, તેથી ભારતે અમેરિકાને વળતર ભેટ પણ આપી છે. આ માળખા હેઠળ, ભારતે અમેરિકાથી આયાત થતી અનેક કૃષિ અને ઔદ્યોગિક ચીજવસ્તુઓ પરના કર ઘટાડ્યા છે અથવા દૂર કર્યા છે. હવે, અમેરિકામાંથી સૂકા ડિસ્ટિલર્સના અનાજ, પશુ આહાર, બદામ, અખરોટ, તાજા ફળો અને સોયાબીન તેલ જેવા ઉત્પાદનો ભારતીય બજારમાં સરળતાથી પ્રવેશી શકશે. જ્યારે આ ભારત માટે જીત-જીતની સ્થિતિ છે, ત્યારે બાંગ્લાદેશ માટે અસ્તિત્વ ટકાવી રાખવાનો સંઘર્ષ બની ગયો છે.