
આઇસી15 ઇન્ડેક્સ 573 પોઇન્ટ ઘટ્યો
મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં હાલ દિશાવિહોણી સ્થિતિમાં અચાનક ઘટાડો થયો હતો અને 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 1.61 ટકા (573 પોઇન્ટ) ઘટીને 34,996 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 35,569 ખૂલ્યા બાદ 35,751ની ઉપલી અને 34,879ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ ઘટક કોઇન ઘટ્યા હતા, જેમાં સૌથી વધુ ઘટાડો શિબા ઇનુ, એક્સઆરપી, સોલાના અને પોલકાડોટમાં નોંધાયો હતો.
દરમિયાન, યુએસ કન્ઝ્યુમર ફાઇનાન્શિયલ પ્રોટેક્શન બ્યુરોના વડા રોહિત ચોપરાએ કહ્યું છે કે ગ્રાહકોની છેતરપિંડીને રોકવા માટે ક્રીપ્ટોકરન્સી ઉદ્યોગમાં ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એક્ટનો ઉપયોગ કરવાનો વિચાર છે.
અન્ય મહત્ત્વપૂર્ણ ઘટનામાં રિઝર્વ બેન્ક ઓફ ઝિમ્બાબ્વેએ કહ્યું છે કે સુવર્ણનું સમર્થન ધરાવતા ડિજિટલ ટોકનનો ઉપયોગ સ્થાનિક વ્યવહારો માટેના પેમેન્ટ અને સેટલમેન્ટ માટે થઈ રહ્યો છે. આ ટોકન મૂલ્ય સાચવી રાખનારા સાધન તરીકે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યું છે.
ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકન નાગરિકો માર્યા ગયા
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યાર સુધીમાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. આ યુદ્ધથી થયેલી તબાહીએ સૌને હચમચાવી દીધા છે. ઇઝરાયેલમાં હમાસના હુમલામાં 9 અમેરિકન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકન અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે.

EU આવતીકાલે ઈમરજન્સી બેઠક યોજશે
યુરોપિયન યુનિયનના પ્રતિનિધિ જોસેપ બોરેલે કહ્યું કે ઈઝરાયેલ પરના હુમલાને ધ્યાનમાં રાખીને EU 10 ઓક્ટોબરે તેના વિદેશ મંત્રીઓની ઈમરજન્સી બેઠક બોલાવશે.

જબાલિયા કેમ્પ પર ઈઝરાયેલનો હુમલો, 50 માર્યા ગયા
ગાઝાથી અહેવાલ આપતા અલ જઝીરાએ જણાવ્યું હતું કે ઇઝરાયલી હવાઈ હુમલાઓએ ગાઝાના સૌથી વધુ ભીડવાળા કેમ્પમાંના એક જબાલિયા કેમ્પને નિશાન બનાવ્યું છે. આ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક લગભગ 500 છે અને 8,000 થી વધુ ઘાયલ છે.

હમાસ તરફથી ફરીથી રોકેટ છોડવામાં આવ્યા
હમાસ તરફથી ફરી એક પછી એક ત્રણ રોકેટ છોડવામાં આવ્યા છે. ગાઝામાંથી રોકેટ છોડવામાં આવ્યા બાદ ઈઝરાયેલમાં ફરી એકવાર હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (IDF) એ આ જાણકારી આપી છે. જેરુસલેમમાં ઓછામાં ઓછા ત્રણ વિસ્ફોટો સાંભળવામાં આવ્યા છે.

ગાઝાની આસપાસના તમામ વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવવું : ઇઝરાયેલી આર્મી
હમાસના ઓચિંતા હુમલાના 48 કલાકથી વધુ સમય પછી, ઇઝરાયેલની સૈન્યએ કહ્યું કે તેણે ગાઝાની આસપાસના તમામ વિસ્તાર પર ફરીથી નિયંત્રણ મેળવી લીધું છે.
ઇઝરાયેલની ગાઝાપટ્ટી પર ઘેરાવબંધીઃ વીજ સપ્લાય બંધ
યેરુસલેમઃ ઇઝરાયલમાં પેલેસ્ટાઇનના હમાસ ગ્રુપના હુમલામાં 1000થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. 2100થી વધુ ઘાયલ થયા છે. હમાસના લડવૈયાઓએ ઇઝરાયેલના નાગરિકો, સૈનિક અને વિદેશી નાગરિકોનું અપહરણ કરી લીધું હતું. તેમને બંધક બનાવીને સુરંગમાં રાખ્યા હતા. આ પહેલાં હમાસે ઇઝરાયેલ પર 20 મિનિટમાં 5000 રોકેટ વડે હુમલો કર્યો હતો. 
આ યુદ્ધમાં અમેરિકાએ ઇઝરાયેલને સૈન્ય સહાયતાનું એલાન કર્યું છે. અમેરિકાએ એક યુદ્ધ સબમરિન ઇઝરાયેલની બોર્ડર પર તહેનાત કરી છે. ગાઝાપટ્ટી પર ઇઝરાયેલ સતત હુમલા કરી રહ્યું છે. ઇઝરાયેલે ગાળાપટ્ટીનો ઘેરાવ કરવાનો આદેશ કર્યો છે. વીજળી ભોજન અને પાણી સહિતની ચીજવસ્તુનો સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો છે.
ઇઝરાયેલે 48 કલાકમાં ત્રણ લાખ સૈનિકો ગાઝા બોર્ડર પર તહેનાત કર્યા છે. મૂતદેહો એકઠા કરનારા સંગઠનના જણાવ્યાનુસાર ગાઝાની નજીક કિબુત્ઝ રીમ પાસે એક મ્યુઝિક શોમાં હમાસના હુમલાખોએ અંદાજિત 250 લોકોની હત્યા કરી છે. આ મૃતકોમાં યુવા ઇઝરાયેલી અને વિદેશી નાગરિકો સામેલ છે.
બીજી બાજુ, હમાસની સેના અને શાસન ક્ષમતાને નષ્ટ કરવાનું વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ એલાન કર્યું છે. ઇઝરાયેલની સેનાએ ગાઝાપટ્ટી પર હવાઈ હુમલા તેજ કરી દીધા છે. ગાઝા સરહદે છ જગ્યાએ હમાસની સાથે ભીષણ જંગ જારી છે. ઇઝરાયેલી ફોર્ટના પ્રવક્તાના જણાવ્યા મુજબ 70 આતંકવાદીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યા છે. કેટલાંય શહેરોમાં હજી પણ આતંકવાદીઓ દેખાઈ રહ્યા છે.
કૃતિ સેનન અને ટાઈગર શ્રોફની ફિલ્મ ‘ગણપત’નું અદ્ભુત ટ્રેલર રિલીઝ થયું
એક દિવસ એક યોદ્ધાનો જન્મ થશે જે અમર રહેશે, તે અમીર અને ગરીબ વચ્ચેની દિવાલને નષ્ટ કરશે… તે યોદ્ધા મરશે નહીં પણ મારશે. ટાઈગર શ્રોફની ‘ગણપત’નું ટ્રેલર આ અદ્ભુત ડાયલોગથી શરૂ થાય છે. ટાઈગર શ્રોફ અને કૃતિ સેનનની આગામી ફિલ્મ ‘ગણપત’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. 2 મિનિટ 30 સેકન્ડનું આ ટ્રેલર ખૂબ જ આકર્ષક છે. તેમાં એક લવસ્ટોરીની સાથે-સાથે ઘણી બધી એક્શન પણ છે, જો કે એક્શન તમને કંઈ નવું નહીં લાગે. મનોરંજનનું સ્તર બમણું કરવા માટે અમિતાભ બચ્ચન પણ ફિલ્મમાં જોવા મળે છે.
ગણપતનું ટ્રેલર એક અલગ દુનિયાથી શરૂ થાય છે જે વર્ષ 2070ની દુનિયા છે, જેમાં અમીર અને ગરીબ વચ્ચેનો તફાવત બતાવવામાં આવ્યો છે. આ સમય દરમિયાન એક શ્રીમંત શેતાન ગરીબોની દુનિયામાં પ્રવેશ કરે છે જેમના માટે માત્ર પૈસા જ મહત્વ ધરાવે છે. કોઈક રીતે કૃતિ સેનન એ અમીર લોકોની ચુંગાલમાં ફસાઈ જાય છે અને પછી ગુડ્ડુના ગણપત બનવાની કહાની શરૂ થાય છે. ફિલ્મમાં ગ્રાફિક્સ અને વીએફએક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જો કે ટાઇગરની એક્શન તમને તેની જૂની ફિલ્મો વોર, બાગી અને હીરોપંતી યાદ અપાવશે. ફિલ્મમાં અમિતાભનો લુક ઘણો જ દમદાર લાગી રહ્યો છે, હવે જોવાનું એ રહે છે કે તેમનો રોલ કેવો હશે. અત્યારે ટ્રેલર જુઓ.
તમને જણાવી દઈએ કે વિકાસ બહલે આ ફિલ્મનું નિર્દેશન કર્યું છે, જ્યારે તેના નિર્માતા વાશુ ભગનાની, વિકાસ બહલ, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની છે. ‘ગણપત’ હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને તેલુગુ ભાષાઓમાં 20 ઓક્ટોબર, 2023ના રોજ દશેરાના અવસર પર રિલીઝ થશે. ટાઈગર અને કૃતિની વાત કરીએ તો આ જોડી પહેલા પણ સાથે જોવા મળી છે. બંને પહેલીવાર ડેબ્યૂ ફિલ્મ ‘હીરોપંતી’માં જોવા મળ્યા હતા. જોકે, ટાઈગર પહેલીવાર અમિતાભ સાથે સ્ક્રીન શેર કરી રહ્યો છે.
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૦૯ ઓક્ટોબર, ૨૦૨૩
ક્રિપ્ટોકરન્સીઝ અને બ્લોકચેઇન: આજની સ્થિતિએ – ૦૯ ઓક્ટોબર, ૨૦૨૩
આઠ વર્ષીય કિશોરી સાથે ગેન્ગરેપ, હત્યાઃ આરોપીઓની ધરપકડ
રાજકોટઃ શહેરમાં એક દુખદ ઘટના બની છે. આઠ વર્ષીય કિશોરી પર બળાત્કાર પછી હત્યા કરી દેવામાં આવી છે. કિશોરીને પથ્થરના ઘા માથાના ભાગે મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી. જોકે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરના ભક્તિનગર રેલવે સ્ટેશનની હદમાં આવેલી ઝાડીઝાંખરામાંથી માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી આઠ વર્ષની ગુમ થયેલી બાળકીની લાશ શનિવારે મળી આવી હતી. જે મામલે પોલીસ તપાસમાં આરોપીઓએ આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તરુણીની હત્યા કરી હોવાનું કબૂલ્યું હતું. આ પકડાયેલા આરોપીઓ એકલા રહી કારખાનામાં મજૂરી કામ કરતા હતા અને બાળકીના પરિવારજનો સાથે પરિચય ધરાવતા હોવાથી બાળકીને ફોસલાવી અવાવરું જગ્યાએ લઈ ગયા હતા. ત્યાં તેમણે આ કિશોરી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બિહારના મિથિલેશન કુમાર ઉર્ફે કાણિયો દાસ (ઉ. 24), રાજસ્થાનના ભરત મીણા (ઉ.38) અને ઉત્તર પ્રદેશના અમરેશ ઉર્ફે બ્રિજેશ (ઉ.25)ની ધરપકડ કરવામાં આવી છે. માલવિયાનગર પોલીસે પ્રથમ આ બનાવમાં અપહણરની ફરિયાદ નોંધી હતી. ત્યાર બાદ બાળકીની લાશ મળી આવતા હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. હવે આરોપીઓ પકડાયા બાદ તેમને દુષ્કર્મ આચર્યાની કબૂલાત આપ્યા બાદ તેમના મેડિકલ પુરાવાના આધારે ગેંગરેપ તેમજ પોક્સોની અલગ-અલગ કલમોનો ઉમેરો કરી વધુ તપાસ હાથ ધરી છે.
જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં 70 ભાષાઓની 250 ફિલ્મો બતાવાશે
મુંબઈઃ જિયો MAMI મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલનું આવતી 27 ઓક્ટોબરથી અહીં બીકેસી વિસ્તારમાં આવેલા જિયો વર્લ્ડ સેન્ટરમાં નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરના ગ્રેન્ડ થિયેટરમાં આયોજન કરવામાં આવશે. 10 દિવસ સુધી (5 નવેમ્બર સુધી) ચાલનારા આ જિયો MAMI (Mumbai Academy of Moving Image) ફિલ્મોત્સવમાં દુનિયાભરની 70 ભાષાઓની અઢીસોથી વધારે ફિલ્મોનું પ્રદર્શન કરવામાં આવશે.
આમાંની 40 ફિલ્મોનો અહીં વર્લ્ડ પ્રીમિયર રજૂ કરાશે. જ્યારે 45 ફિલ્મોનો એશિયા પ્રીમિયર અને 70થી વધુનો દક્ષિણ એશિયા પ્રીમિયર શો રજૂ કરાશે. આ વખતના ફિલ્મોત્સવમાં મુખ્ય સ્પર્ધા સાઉથ એશિયા કોમ્પીટિશન છે. 14 ફિલ્મ નવોદિત નિર્માતા-દિગ્દર્શકોની હશે, જેઓ ભારત, બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળના છે. સાઉથ એશિયન ફિલ્મોમાં 22 ફીચર અને 24 નોન-ફીચર હશે.
CWCની બેઠક બાદ રાહુલ ગાંધીએ કહ્યું, ‘કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરી કરાવશે
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની સોમવારે બેઠક થઈ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ સહિત પાર્ટીના ઘણા નેતાઓએ બેઠકમાં હાજરી આપી હતી.
राहुल गांधी जी ने प्रेस कॉन्फ्रेंस में पत्रकारों से पूछा- ‘इस कमरे में कितने OBC, दलित और आदिवासी हैं?’
इसके जवाब में एक हाथ नहीं उठा।
यही वजह है कि @RahulGandhi जी जातिगत जनगणना की मांग कर रहे हैं। pic.twitter.com/Yj2IGcrjOy
— Congress (@INCIndia) October 9, 2023
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું કે અમે CWCની બેઠકમાં જાતિ ગણતરી પર સર્વસંમતિથી સંમત થયા હતા. તેમણે કહ્યું કે અમે રાજસ્થાન, છત્તીસગઢ અને હિમાચલ પ્રદેશ સહિત અન્ય કોંગ્રેસ શાસિત રાજ્યોમાં જાતિ ગણતરીમાં આગળ વધીશું. આ અંગે અમે ભાજપ પર દબાણ પણ બનાવીશું. તેમણે કહ્યું કે વિપક્ષી ગઠબંધન ‘ભારત’માં સામેલ મોટાભાગના પક્ષો જાતિ ગણતરીના આધારે છે. વાસ્તવમાં, બિહારમાં જાતિ સર્વેક્ષણ પછી કોંગ્રેસ અને રાહુલ ગાંધી કહેતા રહ્યા છે કે જેમ શેર છે, તેવો જ અધિકાર છે.
कांग्रेस अध्यक्ष ने यह निर्णय लिया है कि हम जाति आधारित गणना को लागू करेंगे।
हम BJP पर दबाव बनाकर, उनसे ये काम कराएंगे। अगर ये काम BJP नहीं करती है, तो वे रास्ता छोड़ दें।
INDIA गठबंधन की बहुत सारी पार्टियां जाति आधारित गणना का समर्थन करेंगी। एक-दो पार्टियों की राय अलग हो सकती… pic.twitter.com/uiFxq8J9wv
— Congress (@INCIndia) October 9, 2023
પીએમ મોદીનો ઉલ્લેખ કર્યો
રાહુલ ગાંધીએ કહ્યું કે અમારા ચારમાંથી ત્રણ મુખ્યમંત્રીઓ અન્ય પછાત વર્ગ (ઓબીસી)માંથી આવે છે. તે જ સમયે, ભાજપના દસમાંથી માત્ર એક સીએમ ઓબીસી સમુદાયના છે. તેમણે દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓબીસી માટે કામ કરતા નથી પરંતુ ધ્યાન હટાવવાનો પ્રયાસ કરે છે. તેમણે દાવો કર્યો હતો કે જ્ઞાતિની વસ્તી ગણતરી થશે.
कांग्रेस कार्यसमिति की बैठक में जातिगत जनगणना पर हमारी चर्चा हुई और सबने इसका समर्थन किया।
कांग्रेस के मुख्यमंत्री भी अपने राज्यों में जाति आधारित गणना का काम कराएंगे।
: @RahulGandhi जी pic.twitter.com/ivzHsm5zST
— Congress (@INCIndia) October 9, 2023






