Home Blog Page 2422

આઇસી15 ઇન્ડેક્સ 896 પોઇન્ટ ઉછળ્યો

મુંબઈઃ ગ્રેસ્કેલ બિટકોઇન ઈટીએફ અરજીના કેસમાં અમેરિકન સિક્યોરિટીઝ એક્સચેન્જ કમિશને અપીલ કરવાનું માંડી વાળ્યા બાદ રોકાણકારોનો ઉત્સાહ વધતાં વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.61 ટકા (896 પોઇન્ટ) વધીને 35,175 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,279 ખૂલ્યા બાદ 35,435ની ઉપલી અને 34,145ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના તમામ કોઇન વધ્યા હતા, જેમાંથી ટોચના વધેલા કોઇન સોલાના, અવાલાંશ, બિટકોઇન અને બીએનબી હતા.

દરમિયાન, અમેરિકામાં સરકારે વર્ષ 2024 સુધીમાં ક્રીપ્ટોકરન્સી એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ માટે લાઇસન્સિંગના નિયમો લાગુ કરવાનું નક્કી કર્યું છે. આ રીતે ઉદ્યોગનું નિયમન કરવામાં આવશે. સરકારે એના માટે કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું છે.

બીજી બાજુ, લક્ઝરી કારની નિર્માતા ફેરારીએ ક્રીપ્ટોકરન્સીમાં પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું છે. એના માટે એણે ક્રીપ્ટોકરન્સી પેમેન્ટ પ્રોસેસર બિટપે સાથે સહયોગ સાધ્યો છે.

ચૂંટણી 2023: કોંગ્રેસે મિઝોરમ માટે પ્રથમ મતદાર યાદી જાહેર કરી

મિઝોરમ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે વિધાનસભા ચૂંટણી માટે તેની પ્રથમ યાદી જાહેર કરી છે. 40 વિધાનસભા બેઠકો ધરાવતા આ રાજ્યમાં કોંગ્રેસે 39 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. પાર્ટીએ માત્ર લુંગલી દક્ષિણ બેઠક માટે ઉમેદવારની જાહેરાત કરી નથી. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોની યાદી અનુસાર લાલસાવતાને આઈઝોલ પશ્ચિમ-3 વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. આઈઝોલ ઈસ્ટ-1 થી લાલસાંગરા રાતલે, આઈઝોલ વેસ્ટ-1 થી આર. આઈપી જુનિયરને લાલબિયાકાથંગા અને પલકથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. મિઝોરમની તમામ 40 વિધાનસભા બેઠકો માટે 7 નવેમ્બરે મતદાન થશે અને મતગણતરી 3 ડિસેમ્બરે થશે. મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17 ડિસેમ્બરે સમાપ્ત થશે. આ પૂર્વોત્તર રાજ્યમાં મિઝો નેશનલ ફ્રન્ટ સત્તામાં છે.

2018 માં શું પરિણામો આવ્યા?

રાજ્યમાં છેલ્લી ચૂંટણી 28 નવેમ્બર 2018ના રોજ યોજાઈ હતી. આ ચૂંટણીમાં MNFએ 40 સભ્યોની વિધાનસભામાં 27 બેઠકો જીતી હતી. કોંગ્રેસે ચાર બેઠકો જીતી હતી જ્યારે ભાજપે એક બેઠક જીતી હતી. આ સિવાય આઠ બેઠકો પર અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. આ સાથે રાજ્યમાં મુખ્યમંત્રી જોરામથાંગાના નેતૃત્વમાં MNF સરકારની રચના કરવામાં આવી હતી.

હવે વિધાનસભાની શું સ્થિતિ છે?

હાલના રાજકીય સમીકરણની વાત કરીએ તો 40 સભ્યોની મિઝોરમ વિધાનસભામાં MNFના 28, કોંગ્રેસના પાંચ, ZPMના એક અને BJPના એક ધારાસભ્ય છે. પાંચ બેઠકો પર અપક્ષ ધારાસભ્યો છે.

આ ચૂંટણી માટે કોની તૈયારી કેવી છે?

આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો MNF, ZPM, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે થવાની ધારણા છે. હાલમાં રાજ્યમાં MNFની સરકાર છે જે ચૂંટણીમાં પોતાની સત્તા બચાવવાના પડકારનો સામનો કરશે. રાજ્યના વર્તમાન મુખ્યમંત્રી ઝોરામથાંગા છે. આ વખતે પણ MNF પોતાના ચહેરા સાથે જ ચૂંટણીમાં ઉતરશે. અગાઉ 4 ઓક્ટોબરે MNF એ 40 સભ્યોની મિઝોરમ વિધાનસભા માટે તમામ સીટો માટે નામોની જાહેરાત કરી હતી. જોરામથાંગા આઈઝોલ ઈસ્ટ-1થી ચૂંટણી લડશે.

‘પૈસા અને ગિફ્ટ’ આક્ષેપોઃ દુબેને મહુઆ મૌઈત્રાની લીગલ નોટિસ

નવી દિલ્હીઃ તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રા પૈસા લઈને સંસદમાં સવાલ પૂછે છે એવા (કેશ ફોર ક્વેરી) આક્ષેપો કરનાર ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય નિશિકાંત દુબેને કાનૂની નોટિસ મોકલી છે અને તેમણે કરેલા આક્ષેપો બદલ 24 કલાકમાં માફી માગવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઝારખંડના ગોડ્ડા સંસદીય મતવિસ્તારમાં 2009, 2014 અને 2019માં લોકસભા ચૂંટણી જીતનાર દુબેએ ગઈ કાલે એવો આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના ક્રિષ્નાનગર મતવિસ્તારનાં સંસદસભ્ય મહુઆ મોઈત્રાએ સંસદમાં સવાલો પૂછવા માટે મુંબઈના ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાની પાસેથી ‘રોકડ અને ગિફ્ટ’ લીધી હતી. દુબેએ લોકસભા સ્પીકર, ઈન્ફોર્મેશન-ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ અને નાયબ આઈટી પ્રધાન રાજીવ ચંદ્રશેખરને વિનંતી કરી છે કે એમના આક્ષેપોને પગલે મહુઆ મોઈત્રા સામે તપાસ કરવામાં આવે.

મોઈત્રાએ તેમની સામેના આક્ષેપોને નકારી કાઢ્યા છે. એમણે દુબે ઉપરાંત દુબેના આક્ષેપોને દર્શાવવા બદલ યૂટ્યૂબ, X (ભૂતપૂર્વ ટ્વિટર), ગૂગલ તથા બીજા અનેક પ્રકાશનગૃહોને પણ કાનૂની નોટિસ મોકલી છે અને માફી માગવા કહ્યું છે.

 

લિકર કૌભાંડ કેસમાં ‘આપ’ પાર્ટીને આરોપી બનાવવાની શક્યતા

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કૌભાંડ કેસમાં જેલમાં બંધ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની જામીન અરજીની સુનાવણી દરમ્યાન CBI અને EDએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું છે કે એજન્સી દિલ્હી આબકારી નીતિ સંબંધિત મામલામાં આમ આદમી પાર્ટી (આપ)ને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. સિસોદિયા દિલ્હી લિકર કૌભાંડ કેસમાં આ વર્ષના ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે.

બંને એજન્સીઓ તરફથી એડિશનલ સોલિસિટર જનરલ એસ. વી. રાજુએ જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસ. વી. એન. ભટ્ટીની ખંડપીઠે કહ્યું હતું કે તેમણે રાજ્યને નિર્દેશ આપ્યો હતો કે એજન્સીઓ આપ પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. જોકે આ વિશે રાજુને વલણ સ્પષ્ટ કરવા કરતાં કહ્યું હતું કે CBI અને EDની તપાસ મામલે આપની વિરુદ્ધ અલગ-અલગ આરોપ નક્કી થશે.

ASG રાજુએ નિવેદન ત્યારે આપ્યું હતું, જ્યારે ખંડપીઠ આપ નેતા સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી કરી રહી હતી. એજન્સીઓએ વારંવાર કહ્યું છે કે આપ પાર્ટી હિતધારકોથી પ્રાપ્ત લાંચની લાભાર્થી છે, જેને બદલામાં લિકરનાં લાઇસન્સ પ્રાપ્ત થયાં હતાં. આ એ નાણાંનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર માટે કર્યો હતો.

શું છે મામલો?

દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની પાસે અનેક વિભાગોની જવાબદારી હતી, જેમાં આબકારી વિભાગ પણ સામેલ હતો. CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની કૌભાંડમાં કથિત ભૂમિકા માટે ધરપકડ કરી હતી. દિલ્હી સરકારે 17 નવેમ્બર, 2021એ લિક નીતિ લાગુ કરી હતી.

 

 

 

 

 

વર્લ્ડકપ 2023 : ઓસ્ટ્રેલિયા સામે શ્રીલંકા 209 રનમાં ઓલઆઉટ

ઓસ્ટ્રેલિયન ટીમે શ્રીલંકાની ઈનિંગને 43.3 ઓવરમાં 209 રનમાં સમેટી દીધી હતી. લંકાની ટીમ સારી શરૂઆતનો ફાયદો ઉઠાવી શકી ન હતી. કુસલ પરેરા અને પથુમ નિસાન્કાએ પ્રથમ વિકેટ માટે 125 રનની ભાગીદારી કરીને શ્રીલંકાને મજબૂત શરૂઆત અપાવી હતી. નિસાંકા 61 રન બનાવીને આઉટ થયો હતો. તેના પછી કુસલ મેન્ડિસ 78 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. બંનેના આઉટ થયા બાદ લંકાની ટીમ ફંગોળાઈ હતી અને 209 રનમાં સમેટાઈ ગઈ હતી.

નિસાન્કા અને મેન્ડિસ સિવાય માત્ર ચારિત અસલંકા જ ડબલ ફિગરને સ્પર્શી શક્યો હતો. તેણે 25 રન બનાવ્યા હતા. દાસુન શનાકાના આઉટ થયા બાદ સુકાની સંભાળી રહેલો કુસલ મેન્ડિસ માત્ર નવ રન બનાવી શક્યો હતો. પાકિસ્તાન સામે સદી ફટકારનાર સાદિરા સમરવિક્રમા આઠ રન બનાવીને આઉટ થયો હતો. ધનંજય ડી સિલ્વા સાત અને લાહિરુ કુમારા ચાર રન બનાવીને આઉટ થયા હતા. ચમિકા કરુણારત્ને અને દુનિથ વેલાલાગે માત્ર બે જ રન બનાવી શક્યા હતા. મહિષ તિક્ષિણા ખાતું ખોલાવી શક્યો ન હતો. જ્યારે, દિલશાન મદુશંકા ખાતું ખોલાવ્યા વિના અણનમ રહ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી લેગ સ્પિનર ​​એડમ ઝમ્પાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને બે-બે સફળતા મળી હતી. ગ્લેન મેક્સવેલે એક વિકેટ લીધી હતી.

કેસરિયા ગરબામાં રાષ્ટ્રધ્વજ સાથે શૌર્ય મહાયાત્રા યોજાઈ

ગાંધીનગરઃ ઉત્તર વિધાનસભાનાં ધારાસભ્ય રીટાબહેન દ્વારા પ્રેરિત સહાય ફાઉન્ડેશન દ્વારા ગરબાનું આયોજન કર્યું હતું.

આ આયોજિત કેસરિયા ગરબા મહોત્સવનો લોકપ્રિય નેતા, ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ તેમ જ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિ વચ્ચે રંગારંગ પ્રારંભ થયો હતો.

તેમના આગમન સાથે જ ખેલૈયાઓ અને દર્શકોનો ઉત્સાહ બમણો થયો હતો. ધારાસભ્ય રીટાબહેન પટેલ તેમ જ સહાય ફાઉન્ડેશન દ્વારા અમિતભાઈ શાહનું અયોધ્યા રામ મંદિરના મોમેન્ટો અને ખેસથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કેસરિયા ગરબાના પ્રથમ દિવસે ભવ્ય આતશબાજી યોજાઈ હતી.

સહાય ફાઉન્ડેશન દ્વારા આયોજિત કેસરિયા ગરબામાં પ્રથમ દિવસે અંદાજે ૨૯,૦૦૦ કરતાં વધારે  ફૂટફોલ નોંધાયા હતાં. પ્રથમ નોરતે ગાયક પ્રહર વોરા અને ટીમે ખેલૈયાઓને ગરબાના તાલે ઝુમાવ્યા હતાં.

ગરબાની શરૂઆત અને સમાપન રાષ્ટ્રગીતથી કરવામાં આવ્યું હતું.

રાધે રાધે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને કડી સર્વ વિશ્વ વિદ્યાલયના સહયોગથી કેસરિયા ગરબાના પ્રાંગણમાં ૧૫૫૧ ફૂટ લાંબા અને ૧૦ ફૂટ પહોળા વિશાળ રાષ્ટ્રધ્વજ સાથે ગૌરવવંતી શૌર્ય મહાયાત્રા યોજાઇ હતી.

આ ઉપરાંત કેસરિયા ગરબા મહોત્સવ દરમિયાન એકત્રિત થયેલા પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરી તે વેસ્ટમાંથી બાંકડાઓ, લખવાના પેડ અને કુંડા બનાવવાની વ્યવસ્થા સહાય ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.

સહાય ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ બાલ-બાલિકા (વય: ૭ વર્ષ સુધી), શ્રેષ્ઠ ગોપાલ-ગોપી (વય ૭થી ૧૨ વર્ષ), શ્રેષ્ઠ કિશોર- કિશોરી (વય ૧૩થી ૧૭ વર્ષ); શ્રેષ્ઠ રાજકુમાર- રાજકુમારી (વય ૧૮થી ૩૫ વર્ષ).

શ્રેષ્ઠ રાજા-રાણી (વય ૩૫ વર્ષથી વધુ), શ્રેષ્ઠ પ્યારી જોડી (વય ૧૮થી ૩૫ વર્ષ)ની શ્રેણીમાં શ્રેષ્ઠ પ્રદર્શન અને વસ્ત્ર સહિતની કેટેગરીમાં ૩૮ ખેલૈયાઓને વિજેતા અને રનર્સ-અપ તરીકે સરાહના કરી.

શ્રીરામ મંદિર મોમેન્ટો, આકર્ષક ગિફ્ટ, રોકડ ઇનામ તેમ જ ગિફ્ટ વાઉચર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં.

LA ઓલિમ્પિકસ 2028માં ક્રિકેટનો સમાવેશ

ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ ઐતિહાસિક મુંબઈ સેશનમાં 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવા માટે મત આપ્યો હતો. IOC સભ્ય નીતા અંબાણીએ લોકપ્રિય રમતના સમાવેશને આવકારતા કહ્યું હતું કે વિશ્વના નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક મૂવમેન્ટ માટે તેમાં ઘણી નવી રુચિ અને તકો આકર્ષવાની ક્ષમતા છે.

મુંબઈમાં ચાલી રહેલા 141મા IOC સેશનમાં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સ્વીકાર થયા પછી નીતા અંબાણીએ કહ્યું, “આઈઓસીના સભ્ય, ગૌરવશાળી ભારતીય અને પ્રખર ક્રિકેટ ચાહક તરીકે, મને આનંદ છે કે IOC સભ્યોએ LA સમર ઓલિમ્પિક્સ 2028 માં ક્રિકેટને ઓલિમ્પિક રમત તરીકે સમાવવા માટે મત આપ્યો છે.”

અગાઉ વર્ષ 1900ની ઓલિમ્પિક્સમાં ફક્ત એક જ વખત ક્રિકેટ જોવા મળી છે. ત્યારે પણ ફક્ત બે ટીમે ભાગ લીધો હતો. નીતા એમ. અંબાણીએ વધુમાં કહ્યું કે, “ક્રિકેટ વૈશ્વિક સ્તરે સૌથી વધુ લોકપ્રિય રમતોમાંની એક અને વિશ્વમાં બીજી સૌથી વધુ જોવાતી રમત છે. 1.4 અબજ ભારતીયો માટે ક્રિકેટ એ માત્ર રમત નથી, તે એક ધર્મ છે!,”

નીતા એમ. અંબાણીએ ઉમેર્યું કે,આઇ.ઓ.સી.ના ઇતિહાસમાં આ ફક્ત 2જી વખત તેનું સત્ર ભારતમાં યોજાઈ રહ્યું છે, આ પહેલાં તે 40 વર્ષ અગાઉ ભારતમાં યોજાયું હતું. ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ કરવાનો ઐતિહાસિક નિર્ણય આ રમતના હાર્દસમા ગણાતા ભારતમાં લેવાયો છે. “આપણા દેશમાં મુંબઈમાં બરાબર અહીં આઈઓસીના 141મા સત્રમાં આ ઐતિહાસિક ઠરાવ પસાર કરાયો તેનો મને ખૂબ આનંદ છે”. એમણે આશા વ્યક્ત કરી હતી કે આ જાહેરાત સાથે વિશ્વભરમાં આ રમતની અપીલમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. “ઓલિમ્પિક્સમાં ક્રિકેટનો સમાવેશ નવા ભૌગોલિક વિસ્તારોમાં ઓલિમ્પિક અભિયાનના ઊંડા જોડાણની રચના કરશે. અને તેની સાથે-સાથે, ક્રિકેટની વધતી આંતરરાષ્ટ્રીય લોકપ્રિયતાને પણ પ્રેરકબળ પૂરું પાડશે.”

આઇ.ઓ.સી. સભ્ય બનનારા પ્રથમ ભારતીય મહિલા નીતા એમ. અંબાણીએ આને ભારત માટે ખૂબ જ આનંદનો દિવસ ગણાવતા કહ્યું કે, “હું આ સીમાચિહ્નરૂપ નિર્ણયના સમર્થન બદલ આઇ.ઓ.સી. અને એલ.એ. ઓર્ગેનાઇઝિંગ કમિટીનો આભાર માની તેમને અભિનંદન પાઠવું છું. આ ખરેખર વિશેષ આનંદ અને ઉલ્લાસનો દિવસ છે.”

નવરાત્રી નિમિત્તે ગરબાપ્રેમીઓ માટે મુંબઈ મેટ્રોની સેવા મધરાત બાદ પણ ઉપલબ્ધ

મુંબઈઃ નવરાત્રી તહેવાર નિમિત્તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સૂચનાને પગલે મુંબઈ મેટ્રોની બે લાઈન – 2A અને 7, જે અંધેરી અને દહિસરના ઉપનગરો વચ્ચે પૂર્વ અને પશ્ચિમ, બંને ભાગમાં કાર્યરત છે, તેની સેવાનો સમય રાતે લંબાવવામાં આવ્યો છે.

મહામુંબઈ મેટ્રો ઓપરેશન કોર્પોરેશને ટ્વીટમાં જણાવ્યું છે કે, શહેરનાં લોકો નવરાત્રી ઉત્સવ આનંદથી ઉજવી શકે એ માટે 19 ઓક્ટોબરથી 23 ઓક્ટોબર સુધી મેટ્રો રૂટ 2A અને 7 પર વિસેષ મેટ્રો સેવા ઉપલબ્ધ કરાશે. અતિરિક્ત મેટ્રો ફેરી કરવામાં આવશે. ગુંદવલી-દહિસર અને અંધેરી (પશ્ચિમ) સ્ટેશનોથી રાતે છેલ્લી ટ્રેન 12.20 વાગ્યે રવાના થશે.

આ બંને લાઈન પર રાતે 10.30 અને મધરાત બાદ 12.20 વાગ્યા વચ્ચે 14 અતિરિક્ત સેવા ઉપલબ્ધ કરવામાં આવશે.

નવા ફેરફારમાં, ગુંદવલી સ્ટેશનેથી મધરાત બાદ 12.20 વાગ્યે છૂટનારી ટ્રેન રાતે 1.33 વાગ્યે અંધેરી વેસ્ટ સ્ટેશને પહોંચશે. એવી જ રીતે, અંધેરીથી મધરાત બાદ 12.20 વાગ્યે છૂટનારી આખરી ટ્રેન 1.33 વાગ્યે ગુંદવલી સ્ટેશને પહોંચશે. આમ, ઉત્તર મુંબઈના ઉપનગરોમાં મોડીરાત સુધી નવરાત્રીમાં ગરબા-દાંડિયા રાસનો આનંદ માણતાં લોકોને એમનાં ઘેર પહોંચાડવામાં મેટ્રો ટ્રેનની સુવિધા ઉપલબ્ધ રહેશે. અતિરિક્ત 14 ટ્રેન ટ્રિપ વચ્ચેનો સમયગાળો (ફ્રીક્વન્સી) 15-મિનિટનો રહેશે. સપ્તાહાંત અને શનિવાર અને રવિવારના દિવસોએ લોકોને 219થી લઈને 267 ટ્રિપ ઉપલબ્ધ થશે.

લાઈન 7 પરની ટ્રેનો અંધેરી પૂર્વમાં ગુંદવલીથી પશ્ચિમ એક્સપ્રેસ હાઈવેના એલિવેટેડ કોરિડોરમાં દહિસર પૂર્વ સુધી દોડે છે જ્યારે દહિસર (પૂર્વ)થી ન્યૂ લિન્ક રોડ પર અંધેરી પશ્ચિમ સુધીની લાઈન 2A કહેવાય છે. આ બંને સેવા ‘U’ શેપમાં છે.

ITના દરોડામાં એક અબજથી વધુની સંપત્તિ જપ્ત

નવી દિલ્હીઃ કર્ણાટક, તેલંગાણા, દિલ્હી અને આંધ્ર પ્રદેશમાં 55થી વધુ સ્થળો પર કોન્ટ્રેક્ટરો અને રિયલ એસ્ટેટ ડેવલપર્સને ત્યાં ચાલી રહેલા દરોડામાં ઇન્કમ ટેક્સ વિભાગે આશરે રૂ. 100 કરોડ રોકડા જપ્ત કર્યા છે. આ દરોડા દરમ્યાન રૂ. 94 કરોડ રોકડ, રૂ. આઠ કરોડનાં સોના અને હીરાના આભૂષણો અને 30 લક્ઝરી ઘડિયાળો જપ્ત કરવામાં આવી છે. આ દરોડ 12 ઓક્ટોબરે શરૂ કરવામાં આવ્યા હતા અને વિભાગ દ્વારા બેંગલુરુ અને તેલંગાણા અને આંધ્ર પ્રદેશનાં કેટલાંક શહેરોની સાથે-સાથે દિલ્હીમાં 55 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટ ટેક્સીસ (CBDT)એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તપાસના પરિણામ સ્વરૂપ આશરે રૂ. 94 કરોડના બિનહિસાબી રોકડ મળીને કુલ રૂ. 102 કરોડથી વધુની જપ્તી થઈ હતી. આરોપીઓની ઓળખ બતાવ્યા વગર CBDTએ જણાવ્યું હતું કે એક ખાનગી પગારદાર કર્મચારીના નિવાસસ્થાનેથી 30 લક્ઝરી વિદેશી ઘડિયાળોનું કલેક્શન પણ જપ્ત કરવામાં આવ્યું હતું.

આ દરોડા દરમ્યાન દસ્તાવેજોની હાર્ડ કોપી અને ડિજિટલ ડેટા પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ દરોડામાં માલ રસીદ નોટમાં અને કેટલાય દસ્તાવેજોમાં ભારે વિસંગતિઓ જોવા મળી છે. દાવો કરવામાં આવ્યો હતો કે કોન્ટ્રેક્ટર બિનવ્યાવસાસિક ઉદ્દેશો માટે બુકિંગ ખર્ચાઓમાં પણ સામેલ હતા.

 ભાજપ-કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ

કર્ણાટકમાં સત્તારૂઢ કોંગ્રેસ અને વિરોધ પક્ષ ભાજપની વચ્ચે આ મામલે વાકયુદ્ધ છેડાયું છે. ભાજપના પ્રદેશાધ્યક્ષ નલિન કુમાર કતીલે કહ્યું હતું કે આ નાણાં કોંગ્રેસથી જોડાયેલાં છે, જ્યારે મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ આ આરોપને નિરાધાર ગણાવ્યા હતા.

 

 

 

 

 

અમિત શાહે સીએમ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે તેમના પશ્ચિમ બંગાળ પ્રવાસના ભાગ રૂપે કોલકાતામાં દુર્ગા પૂજાનું ઉદ્ઘાટન કર્યું અને રાજ્યની મમતા બેનર્જી સરકાર પર આડકતરી રીતે નિશાન સાધ્યું. ગૃહમંત્રી શાહે કહ્યું, “હું માતા દુર્ગાને પ્રાર્થના કરીશ કે બંગાળમાંથી ભ્રષ્ટાચાર અને અત્યાચારનો અંત આવે.” તેમણે કહ્યું કે તેઓ બંગાળ આવતા રહેશે અને રાજ્યમાં પરિવર્તન માટે લડશે.

પોતાના સંબોધન દરમિયાન ગૃહમંત્રી શાહે કહ્યું કે, “સૌ પ્રથમ તો હું પશ્ચિમ બંગાળના તમામ લોકોને નવરાત્રિની બીજી તારીખે દુર્ગા પૂજાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ જ કરવા માટે, હું સવારે ગુજરાત છોડીને છત્તીસગઢ થઈને બંગાળમાં માત્ર માતા દુર્ગાના આશીર્વાદ મેળવવા આવ્યો છું અને જો આપણે આપણા શાસ્ત્રોમાં માનીએ તો, જેઓ હંમેશા સારી શક્તિની સુરક્ષા માટે ઘણા યુદ્ધો લડ્યા છે. બ્રહ્માંડ, રક્તબીજથી શુંભ સુધી. નિશુંભ સુધી, તેણે ઘણા રાક્ષસી તત્વોનો નાશ કરવાનું કામ કર્યું છે.