

મુંબઈઃ બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે ગઈ કાલે દશેરાના શુભ દિવસે રૂ. ચાર કરોડની તોતિંગ કિંમતે આકર્ષક એવી નવીનક્કોર લેમ્બોર્ગિની કાર ખરીદી છે. તેની તસવીરો અને વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયા છે. જોકે કેટલાક લોકોએ આ ખરીદી માટે શ્રદ્ધાની ટીકા કરી છે. તેમણે એવો નિર્દેશ કર્યો છે કે આ એ જ શ્રદ્ધા છે જેણે કેટલાક વર્ષો અગાઉ ગોરેગાંવ (પૂર્વ)માં આવેલા આરે કોલોની વિસ્તારમાં મેટ્રો ટ્રેન કાર શેડ બાંધવા સામે વિરોધ કર્યો હતો અને આજે પેટ્રોલથી ચાલતી કાર ખરીદી છે.
શ્રદ્ધા આજે તેની નવી કારને ડ્રાઈવ કરીને જુહૂ વિસ્તારના ઈસ્કોન મંદિર ખાતે ગઈ હતી અને ત્યાં એણે પૂજા કરી હતી. અમુક નેટયૂઝર્સે શ્રદ્ધાની ટીકા કરતા કહ્યું છે કે આ પેટ્રોલવાળી કાર તો ઓછું માઈલેજ આપે છે અને વધારે ઈંધણ વાપરે છે. તે વધારે કાર્બન ડાયોક્સાઈડનો ફેલાવો વાતાવરણમાં કરે છે. હજી અમુક વર્ષો પહેલાં તો એણે ‘ક્લાઈમેટ એક્ટિવિસ્ટ’ બનીને પર્યાવરણ રક્ષણની હિમાયત કરી હતી અને આજે પર્યાવરણ માટે હાનિકારક એવા પેટ્રોલથી ચાલતી લક્ઝરી કાર ખરીદી છે.
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના મેગાસ્ટાર કે શહેનશાહ તરીકે જાણીતા અમિતાભ બચ્ચને પોતાની એક્ટિંગથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. 81 વર્ષના અમિતાભ બચ્ચન 51 વર્ષથી વધુ સમયથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને ઘણી ફિલ્મો આપી છે. આ ઉંમરે પણ તે સતત કામ કરી રહ્યો છે અને પોતાના અભિનયથી લોકોના દિલ જીતી રહ્યો છે. આ સાથે બિગ બી પણ આ દિવસોમાં ‘કૌન બનેગા કરોડપતિ’ની 15મી સીઝનને લઈને ઘણી ચર્ચામાં છે. આ શોમાં દરરોજ બિગ બી પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક ન સાંભળેલી વાતો ચાહકો સાથે શેર કરતા રહે છે. આવી જ રીતે એક વખત બિગ બીએ આ શોમાં ખુલાસો કર્યો હતો કે તેઓ જૂતા ઓશીકા નીચે રાખીને સૂતા હતા. આ સાંભળીને તમે બધા ચોંકી જ ગયા હશો. તો ચાલો તમને જણાવીએ બિગ બીના આવું કરવા પાછળનું કારણ..

બિગ બી પોતાના ચંપલ ઓશિકા નીચે રાખીને સૂતા હતા
‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સીઝનની આ ઘટના છે જ્યારે એક સ્પર્ધકની વાર્તા સાંભળીને અમિતાભ બચ્ચન ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. આ દરમિયાન બિગ બીએ તેમના જીવનની એક રસપ્રદ વાત બધાની સાથે શેર કરી હતી. અગાઉ આ સમયગાળા દરમિયાન તેમણે તેમના સંઘર્ષના દિવસોને યાદ કર્યા હતા. બિગ બીએ આ દરમિયાન કહ્યું હતું કે તે સ્કૂલની ક્રિકેટ ક્લબનો ભાગ ન બની શક્યો કારણ કે તે સમયે તેની માતા પાસે 2 રૂપિયા પણ નહોતા. આનું કારણ એ છે કે તે સમયે તેમની પાસે આજના જેટલા સંસાધનો નહોતા. આ સિવાય બિગ બીએ એમ પણ કહ્યું કે તેણે ક્યારેય તેના માતા-પિતા પાસેથી કંઈપણ માંગ્યું નથી. પરંતુ જ્યારે પણ તેને જૂતા ગમતા ત્યારે તે તેના માતા-પિતાને જ કહેતા હતા. આ પછી જ્યારે પણ તેને તે બુટ કે ચપ્પવ મળતા તે હંમેશા તેને તેના ઓશિકા નીચે રાખીને સૂઈ જતા. આ એટલા માટે છે કારણ કે તે તેમના માતાપિતા દ્વારા આપવામાં આવેલી કિંમતી ભેટ હતી. ખરેખર બિગ બી દ્વારા શેર કરવામાં આવેલી આ સ્ટોરી ખૂબ જ રસપ્રદ હતી, જેને વાંચીને ચાહકોના દિલમાં તેમના માટે પ્રેમ અને આદર વધી ગયો છે.

બિગ બીનું વર્ક ફ્રન્ટ
બિગ બીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તેમની પાસે ઘણી મોટી ફિલ્મો છે. તે ટૂંક સમયમાં નાગ અશ્વિનની ફિલ્મ ‘કલ્કી 2898 એડી’માં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ મકરસંક્રાંતિના અવસર પર 12 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય બિગ બી ‘ગણપતઃ અ હીરો ઈઝ બોર્ન’માં જોવા મળશે. આ ફિલ્મ 20 ઓક્ટોબરે હિન્દી, તેલુગુ, તમિલ, મલયાલમ અને તેલુગુમાં રિલીઝ થઈ રહી છે. આ સાથે બિગ ‘સેક્શન 84’માં પણ જોવા મળશે. આ એક કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ છે, જેમાં નિમરત કૌર, ડાયના પેન્ટી અને અભિષેક બેનર્જી જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન રિભુ દાસગુપ્તા કરી રહ્યા છે.
ગુજરાતની ગૃહિણીઓ માટે ખુશીના સમાચાર છે. જેમાં સિંગતેલના ભાવ ઘટ્યા છે. તથા કપાસિયા તેલના ભાવ પણ ઘટ્યા છે. સામાન્ય વર્ગને તહેવારો પહેલા રાહત મળી છે. થોડા દિવસો પહેલા સિંગતેલના ભાવ ઘટતા કિંમતો 2850 રૂપિયાથી 2900 થઈ હતી. સિંગતેલના ભાવમાં ડબ્બાએ રૂ.80 નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે જ કપાસિયા તેલના ભાવમાં ડબ્બાએ રૂ.20 નો ઘટાડો થયો છે. આ ઘટાડા સાથે સિંગતેલના ડબ્બાના ભાવ 2820 રૂપિયા થયા તો કપાસિયા તેલના ડબ્બાના ભાવ 1500 રૂપિયા થયા છે. હાલના દિવસોમાં રાજકોટ, ધોરાજી, જૂનાગઢ સહિતના સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટયાર્ડોમાં મગફળની નવી આવકમાં ધૂમ જોવાઈ રહી છે. સિઝનનો સારો વરસાદ અને પાછોતરા વરસાદના લીધે મગફળીની ખેતી કરતા ખેડૂતો માટે પાકની ઉપજ સારી નોંધાઈ છે. જેનાથી જગતતાતના ચહેરે આનંદની લહેરખીઓ છવાઈ છે.

સારા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોને પણ મોટી રાહત
હાલના દિવસોમાં મગફળી, કપાસ જેવી જણસોના સારા અને પોષણક્ષમ ભાવો મળતા ખેડૂતોને પણ મોટી રાહત થઈ છે. જનતા મોંઘવારીના મારમાં પિસાઈ રહી છે સાથે જ ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે. એવામાં એક સારા સમાચાર સામે આવ્યા, રાજ્યમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્યતેલનાં ભાવ આસમાને આંબી રહ્યા છે, જેને કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું હતું. ત્યારે રાજ્યમાં ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે.

સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો
સિંગતેલના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી સતત વધારો જોવા મળતો હતો. પરંતુ તેજ ગતિ થતાં વધારા વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં આંશિક ઘટાડો થયો છે. તો વાત એમ છે કે આ વખતે વરસાદ સારો પડ્યો છે અને સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક સારી માત્રામાં થયો હતો. હવે માર્કેટિંગ યાર્ડમાં આ પાકની આવક શરૂ થઈ ગઈ છે અને તેનો સીધો અસર સીંગતેલના ભાવમાં પડી રહ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં એક કેસ દરમિયાન બે જજ એકબીજા સાથે ઝઘડી પડતા થતા વિચિત્ર વાતાવરણ સર્જાયું હતું.જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ વચ્ચે સોમવારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરંતુ જસ્ટિસ મૌના એમ. ભટ્ટ સાથે ઉગ્ર બોલાચાલી કરનાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ બિરેન વૈષ્ણવે આજે વકીલો અને સ્ટાફ સભ્યોની હાજરીમાં ખુલ્લી કોર્ટમાં તેમની માફી માંગી છે.
Heated exchange between Gujarat High Court judges in open court on Monday and the hearing stopped midway! pic.twitter.com/ci9rRUappG
— WorldSoHigh🪷 (@KhataPitaPeople) October 24, 2023
હિન્દી સમાચાર ચેનલના અહેવાલ અનુસાર, બંને જજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આ બધું લાઈવ સ્ટ્રીમિંગ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યું હતું. જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને મૌના ભટ્ટ વચ્ચેની આ ઉગ્ર ચર્ચા સોમવારે કોર્ટ રૂમની અંદર થઈ હતી અને આ સમગ્ર ચર્ચા કોર્ટ રૂમમાં લગાવેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. ગુજરાત હાઈકોર્ટની તમામ બેન્ચની સુનાવણીને તેની યુટ્યુબ ચેનલ પર લાઈવ-સ્ટ્રીમ કરવામાં આવી હતી અને લાઈવ સ્ટ્રીમ દરમિયાન થયેલી સમગ્ર ચર્ચા યુટ્યુબ ચેનલ પર જોવા મળી હતી. જો કે બે ન્યાયાધીશો વચ્ચેના ઝઘડાને કેપ્ચર કરતો લાઇવ-સ્ટ્રીમ વીડિયો ત્યારથી યુટ્યુબ પરથી હટાવી દેવામાં આવ્યો છે. એટલું જ નહીં બંને જજો વચ્ચે બોલાચાલી બાદ સુનાવણી પણ મોકૂફ રાખવામાં આવી હતી.
આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જસ્ટિસ વૈષ્ણવ એક આદેશ પસાર કરતા જોવા મળે છે જેમાં જસ્ટિસ ભટ્ટ જસ્ટિસ વૈષ્ણવ સાથે અસંમત જોવા મળે છે. આના પર જસ્ટિસ વૈષ્ણવને એમ કહેતા સાંભળી શકાય છે કે, તો તમે અલગ છો. અમે એકબીજાથી અલગ છીએ, અમે બીજામાં અલગ હોઈ શકીએ છીએ. ત્યારે જસ્ટિસ ભટ્ટે કહ્યું, તે અલગ થવાનો પ્રશ્ન નથી. જેના જવાબમાં જસ્ટિસ બિરેને કહ્યું, તો તમે બડબડાટ કરશો નહીં, તમે અલગ ઓર્ડર પાસ કરો. અમે વધુ કેસ નથી લઈ રહ્યા. ત્યારપછી તે ઉઠ્યા અને કોર્ટરૂમમાંથી બહાર નીકળી ગયા હતા અને કહ્યું કે બેંચ વધુ મામલાની સુનાવણી નહી કરે. કોર્ટ રૂમની અંદર ગુજરાત હાઈકોર્ટના બે ન્યાયાધીશો વચ્ચે થયેલી ગરમાગરમી કોર્ટ રૂમમાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી.
વડાપ્રધાનના ‘ડિજિટલ ઇન્ડિયા’ મિશનને પ્રાધાન્ય આપવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાતને એસટી દ્વારા ૨,૦૦૦ જેટલા UPI પેમેન્ટ મશીનનો અમલ કરીને બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે ટીકીટ સેવાનો આજે ગાંધીનગરથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવામાં આવ્યો છે. આ UPI પેમેન્ટના અમલથી બસમાં મુસાફરી કરતા મુસાફરો અને કંડકટરને રોકડ અથવા છૂટા પૈસાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે સમયની પણ બચત થશે. વાહન વ્યવહાર મંત્રી સંઘવી દૂરદૂરના ગામડા-શહેરોમાં વસવાટ કરતા વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ તેમજ વડીલોને મુસાફરીની શ્રેષ્ઠ અને સલામત સવારી માટે ગુજરાત એસટીની હજારો બસો કાર્યરત છે. ગુજરાત એસટી નિગમ દ્વારા નવી ૪૦૦ બસ પૈકી બાકીની ૪૦ બસોનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે.- વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ
નવા (Android) મશીનમાં
Digital Payment (UPI) મારફતે ટિકિટ મેળવવાની પદ્ધતિ.#GSRTC pic.twitter.com/69SQKQwzEA— Harsh Sanghavi (@sanghaviharsh) October 25, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વધુ ૨,૦૦૦ જેટલી નવીન આધુનિક બસો નાગરીકોની સેવામાં ઉપલબ્ધ કરવામાં આવશે. રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ, પ્રવાસન ધામોમાં જવા-આવવા માટે વધુને વધુ નવીન બસોની સુવિધા શરૂ કરવામાં આવશે જેથી ગુજરાતમાં પ્રવાસન ઉદ્યોગને વધુ વેગ મળશે. વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજ્યના મુસાફરોની સુવિધામાં વધારો કરવા ગાંધીનગર એસટી ડેપોમાંથી વધુ ૪૦ નવીન રેડી બિલ્ટ મિડિ ૨x૨ બસોને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું.
🔸 ગાંધીનગર ડેપો ખાતેથી વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યની જનતામાં સેવામાં જી.એસ.આર.ટી.સી. ની ૪૦ નૂતન મીડી બસો પ્રજાર્પણ કરી.
🔸 ડિજિટલ યુગ સાથે કદમ મિલાવતા એસ.ટી.વિભાગમાં QR CODE આધારિત UPI ડિજિટલ પેમેન્ટ સેવાનો પણ શુભારંભ કરાવ્યો.
🔸 આ સુવિધાથી જાહેર પરિવહનની સેવા વધુ… pic.twitter.com/aOs85JkhAw
— Harsh Sanghavi (@sanghaviharsh) October 25, 2023
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નિયત માપદંડ સાથે તૈયાર કરાયેલી ભારત સ્ટેજ-૬ રેડી બિલ્ટ મિડિ ૨x૨ બસમાં ૩૩ આરામદાયક બેઠક વ્યવસ્થા, લેગ રૂમ, ઇન્ટીરીયર પેનલીંગ, સર્વિસ ડોર, રીવર્સ કેમેરા,વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ-પેનિકબટન, એક્શટીગ્યુશર બોટલ, ફાયર ડીટકશન એન્ડ એલાર્મ સિસ્ટમ, ઈમરજન્સી ડોર, સહિતની સુવિધા ઉપલબ્ધ છે જેની પ્રતિ બસ કિંમત અંદાજે રૂ. ૨૭ લાખ છે.
આ લોકાર્પણ પ્રસંગે વન-પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ, ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જશવંત પટેલ, વાહન વ્યવહાર વિભાગના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત એસ ટી નિગમના એમ ડી ગાંધી સહિત એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુંબઈઃ અમદાવાદમાં ‘વાઘ બકરી ચા’ કંપનીના માલિક પરાગ દેસાઈનું તાજેતરમાં રસ્તે રખડતા કૂતરાના હુમલાને કારણે થયેલા આકસ્મિક મૃત્યુને પગલે વેપારીજગતમાં ઘેરો શોક છવાઈ ગયો છે. વેપારીઓના રાષ્ટ્રીય સ્તરના બે સંગઠને રખડતા કૂતરાઓને કારણે માનવીઓના જાન પર વધી ગયેલા જોખમ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ, મહારાષ્ટ્રના મહામંત્રી અને ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ શંકર ઠક્કરે આ ચિંતા વ્યક્ત કરી છે અને કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે કૂતરાઓની આ સમસ્યાને દૂર કરવા માટે તે કોઈક કડક નીતિ ઘડે અને તેનો કડક રીતે અમલ કરવાનો રાજ્ય સરકારોને આદેશ આપે. સરકારને આવી વિનંતી કરવા પાછળનો હેતુ પરાગ દેસાઈના મૃત્યુ જેવી ઘટના ભવિષ્યમાં ફરીવાર બનતી રોકવાનો અને કૂતરાઓના હુમલા સામે માનવીઓને રક્ષણ આપવાનો છે. એક અહેવાલ મુજબ, ભારતમાં અંદાજે 3 કરોડ પાલતુ કૂતરાઓ છે અને સાડા ત્રણ કરોડ જેટલા રખડતા કૂતરાઓ છે. રસ્તાઓ પર મોટી સંખ્યામાં રખડતા કૂતરાઓની ઉપસ્થિતિ અનિયમિત છે અને એને લીધે લોકોની સલામતી વિશે ચિંતા સર્જાઈ છે. ભારતમાં આવા જનાવરોની સ્વાસ્થ્ય સંભાળ અને નિયંત્રણ માટે અસરકારક પદ્ધતિઓનો અભાવ પ્રવર્તે છે અને તેના પરિણામ વધી રહ્યા છે. રખડતા કૂતરાઓ ઘણી વાર ટોળામાં હોય છે અને ઘણા જ આક્રમક બની ગયા હોય છે.
ઉલ્લેખનીય છે કે, 49 વર્ષીય પરાગ દેસાઈ ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા. ગયા રવિવારની સાંજે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં એમનું અવસાન થયું હતું. ગુજરાત ટી પ્રોસેસર્સ એન્ડ પેકર્સ લિમિટેડની ‘વાઘ બકરી ચા’ બ્રાન્ડ લોકપ્રિય છે. દેસાઈ ગઈ 15 ઓક્ટોબરના રોજ તેમના ઘર નજીક ઈસ્કોન આંબલી રોડ પાસે મોર્નિંગ વોક માટે ગયા હતા ત્યારે કોઈક રખડતા કૂતરાએ હુમલો કરતાં તેઓ રસ્તા પર પડી ગયા હતા. એમને માથામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે બ્રેઈન હેમરેજ થયું હતું. એમને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાં એમની તબિયત બગડતાં અન્ય ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પરિવારના નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, દેસાઈ પર તરત જ સર્જરી કરવામાં આવી હતી અને સાત દિવસ માટે એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. આખરે ગયા રવિવારે સાંજે વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓના કારણે એમણે જીવ ગુમાવ્યો હતો.
હવે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે NCERTના પુસ્તકોમાં INDIA ને બદલે ભારત લખવામાં આવશે. NCERT એ પુસ્તકોમાં જરૂરી ફેરફારો અંગે પેનલના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. પેનલના સભ્યોમાંથી એકે જણાવ્યું હતું કે, આ પ્રસ્તાવ થોડા મહિના પહેલા મુકવામાં આવ્યો હતો અને હવે તેનો સ્વીકાર કરવામાં આવ્યો છે. NCERT પેનલની ભલામણ એવા સમયે કરવામાં આવી છે જ્યારે રાજકીય વર્તુળોમાં INDIA નું નામ બદલીને ભારત કરવાની અફવાઓ સાંભળવા મળી રહી છે. INDIA નું નામ બદલીને ભારત કરવાની અફવા ગયા મહિને સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી જ્યારે G20 ઈવેન્ટ દરમિયાન ભારતના રાષ્ટ્રપતિના નામે મોકલવામાં આવેલા આમંત્રણ પત્રમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ને બદલે ‘ પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવામાં આવ્યું હતું.
NCERT panel recommends replacing ‘India’ with ‘Bharat’ in school textbooks
Edited video is available on PTI Videos (https://t.co/L2D7HH309u) #PTINewsAlerts #PTIVideos @PTI_News pic.twitter.com/0pU7xJTvwh
— PTI News Alerts (@PTI_NewsAlerts) October 25, 2023
INDIA અને ભારત વિશે બંધારણ શું કહે છે?
INDIA નું નામ ભારત રાખવું જોઈએ કે નહીં અથવા શા માટે એવું હોવું જોઈએ તેની ચર્ચા વચ્ચે ભારતનું બંધારણ શું કહે છે? બંધારણના અનુચ્છેદ 1(1)માં આપણા દેશનું નામ ‘INDIA એટલે કે ભારત જે રાજ્યોનું સંઘ હશે’ એવું જણાવવામાં આવ્યું છે. અગાઉ સપ્ટેમ્બરમાં આ ચર્ચાને વધુ વેગ મળ્યો હતો જ્યારે G20 મીટિંગ દરમિયાન PM મોદીએ રાઉન્ડ ટેબલમાં તેમના નામની આગળ ભારત લખેલું હતું.
જોકે, આ અંગે પૂછવામાં આવતા ભારત સરકાર તરફથી કોઈએ સ્પષ્ટ જવાબ આપ્યો ન હતો. આ પહેલા રાષ્ટ્રીય સેવક સંઘના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે INDIA નામ પશ્ચિમના શાસકોએ આપ્યું છે. તમામ ભારતીયોએ ભારત નામનો જ ઉપયોગ કરવો જોઈએ કારણ કે પ્રાચીન સમયથી આ દેશનું નામ ભારત છે.
બુધવારે શેરબજારમાં સતત 5માં દિવસે ઘટાડો નોંધાયો હતો. નબળા વૈશ્વિક સંકેતોને કારણે મુખ્ય બજાર સૂચકાંકો ઘટ્યા હતા. BSE સેન્સેક્સ 522 પોઈન્ટ ઘટીને 64,049 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 159 પોઈન્ટ ઘટીને 19,122 પર છે.
Sensex tanks 522.82 points to settle at 64,049.06; Nifty falls 159.60 points to 19,122.15
— Press Trust of India (@PTI_News) October 25, 2023
કયા ક્ષેત્રોમાં સૌથી વધુ વેચાણ થાય છે?
આઇટી, ફાઇનાન્શિયલ અને ફાર્મા સેક્ટર માર્કેટ ઘટાડામાં મોખરે હતા. નિફ્ટીનો ટોપ લૂઝર અપોલો હોસ્પિટલનો શેર હતો, જે 2.4% ઘટીને બંધ રહ્યો હતો.આ પહેલા સોમવારે ભારતીય બજારમાં સતત ચોથા દિવસે વેચવાલી નોંધાઈ હતી. BSE સેન્સેક્સ 825 પોઈન્ટ ઘટીને 64,571 પર બંધ રહ્યો હતો.
રોકાણકારોને મોટું નુકસાન
શેરબજારમાં સતત 5માં દિવસે ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ 15 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. કારણ કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 309.32 લાખ કરોડ થયું હતું, જે 17 ઓક્ટોબરે બજાર બંધ થયા પછી રૂ. 323.87 લાખ કરોડ હતું.