Home Blog Page 2380

કોઈ ક્રિકેટરને 10-કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી નથીઃ રતન ટાટા

મુંબઈઃ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) સંસ્થાને કે કોઈ ક્રિકેટરને કોઈ ઈનામ આપવાની પોતે કોઈ જાહેરાત કરી હોવાના અહેવાલોને ઉદ્યોગપતિ રતન ટાટાએ રદિયો આપ્યો છે. એમણે X ટ્વિટર પર પોસ્ટ કરેલા સંદેશમાં ખુલાસો કર્યો છે કે, ‘કોઈ પણ ખેલાડીને દંડ ફટકારવા કે ઈનામ આપવા વિશે મેં આઈસીસી સંસ્થાને કે કોઈ ક્રિકેટરને કોઈ પ્રકારનું સૂચન કર્યું નથી. ક્રિકેટ સાથે મારે કોઈ જ પ્રકારનો સંબંધ નથી. મારા સત્તાવાર પ્લેટફોર્મ્સ પરથી આવ્યા ન હોય તો મહેરબાની કરીને આ પ્રકારના વોટ્સએપ ફોરવર્ડ્સ કે વીડિયો પર વિશ્વાસ કરતા નહીં.’

ઉલ્લેખનીય છે કે, સોશિયલ મીડિયા પર એવા વોટ્સએપ ફોરવર્ડ્સ અને વીડિયો ફરી રહ્યા છે જેમાં એવો દાવો કરાયો છે કે હાલ ભારતમાં રમાતી આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023 સ્પર્ધામાં અફઘાનિસ્તાને તેની રાઉન્ડ રોબિન લીગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યા બાદ રતન ટાટાએ રશીદ ખાનને રૂ. 10 કરોડનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. જોકે રતન ટાટાએ સ્વયં આ દાવાને રદિયો આપ્યો છે.

SCએ મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી

નવી દિલ્હીઃ લીકર કેસમાં સુપ્રીમ કોર્ટે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્ય મંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી. જસ્ટિસ સંજીવ ખન્ના અને SVN ભટ્ટીની ખંડપીઠે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મનીષ સિસોદિયાની વિરુદ્ધ તપાસ કરી રહેલા કેસમાં કહ્યું હતું કે ટ્રાયલ કોર્ટ આ કેસની સુનાવણી છથી આઠ મહિનામાં પૂરી કરે. આ પહેલાં હાઇકોર્ટે પણ સિસોદિયાની અરજી ફગાવી હતી.

જસ્ટિસ સંજીવ ખન્નાએ ચુકાદો આપતાં કહ્યું હતું કે કેટલાંક પાસાં શંકાસ્પદ છે, પરંતુ રૂ. 338 કરોડ ટ્રાન્સફર થયા હોવાનું લગભગ સાબિત થઈ રહ્યું છે, એટલા માટે તેમની જામીન અરજી ફગાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે આ પહેલા કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી અને સિસોદિયા સામે કેસોના સંબંધમાં CBI અને EDને કેટલાક સવાલો કર્યા હતા. સિસોદિયાએ પોતાની સામે બે અલગ-અલગ કેસોમાં જામીન માગ્યા છે, જેમાંથી એક કેસ CBI અને બીજો કેસ EDએ દાખલ કર્યો છે.સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જો કેસની પ્રક્રિયા ધીમી રહેશે તો સિસોદિયા ત્રણ મહિનામાં ફરીથી જામીન અરજી કરવા માટે હકદાર ગણાશે. તેવામાં હવે એ જોવાનું છે કે સિસોદિયા શું ફરી ત્રણ મહિના બાદ કોર્ટ પહોંચશે કે કેમ?

સિસોદિયા પર શું છે આરોપ?

દિલ્હી લિકર કૌભાંડમાં મનીષ સિસોદિયા ફેબ્રુઆરીથી જેલમાં બંધ છે. સિસોદિયા પર દિલ્હી લિકર પોલિસીમાં કૌભાંડ અને મની લોન્ડરિંગ કરવાનો આરોપ છે. આ પહેલાંની સુનાવણીમાં સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંધવીએ કહ્યું હતું કે સિસોદિયા સામે કોઈ પુરાવા નથી અને કૌભાંડ સાથે તેના કોઈ લેવાદેવા નથી. તેમ છતા પણ તેમને આરોપી બનાવમાં આવ્યા છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં હાલમાં જ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ EDએ ધરપકડ કરી હતી.

 

 

 

PM ગુજરાતની મુલાકાતેઃ અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન, શિલાન્યાસ

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની રાજ્યની મુલાકાતે છે. આ મુલાકાતમાં તેઓ રાજ્યને અંદાજે રૂ. 6000 કરોડનાં વિકાસ કાર્યોની ભેટ આપશે. તેમણે સવારે અંબાજી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી. ત્યારે બાદ તેઓ મહેસાણામાં અનેક પ્રોજેક્ટોનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. તેઓ આવતી કાલે કેવડિયા જશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પુષ્પાજંલિ અર્પણ કરશે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડા પ્રધાનનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

વડા પ્રધાન સરદાર પટેલની જન્મજયંતી 31 ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે, જેમાં દેશનાં 17 રાજ્યોના 250થી વધુ NCC કેડેટ્સ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. સાત ઓક્ટોબરથી જ આ કેડેટ્સે એકતા નગરમાં આવી તેમની કૃતિની પ્રેક્ટિસ શરૂ કરી હતી. કેવડિયામાં તેઓ રૂ. 160 કરોડના  કેટલાક પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાનને હસ્તે રાજ્યમાં રૂપિયા 5941 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.


આ કાર્યક્રમ મહેસાણા જિલ્લાના ડાભોડા ગામમાં યોજાશે. વિવિધ પ્રકલ્પોમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંશધાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમ જ શહેરી વિકાસ વિભાગનાં વિકાસકાર્યો સામેલ છે.

તેઓ મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વલસાણા બેરેજ, બનાસકાંઠા-પાલનપુર પેયજળની વ્યવસ્થા માટે બે યોજનાઓ અને ધરોઈ બંધ આધારિત પ્રોજેક્ટ સામેલ છે.  આ સાથે તેઓ ખેરાળુમાં એક સભાને પણ સંબોધન કરશે.

આ સાથે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પણ મળવાની છે.

 

 

 

 

 

કોરાનાના 34 નવા કેસો, એક પણ મોત નહીં        

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 34 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,176 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,293 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,67,719 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 30 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 256 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 5772 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.50 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.70 ટકા છે.

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,74,807 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 25 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

‘ખુશ છું કે બધા અનુભવી ખેલાડીઓએ સારો દેખાવ કરી ઈંગ્લેન્ડને હરાવ્યું’: રોહિત

લખનઉઃ આઈસીસી મેન્સ ODI વર્લ્ડ કપ-2023માં ગઈ કાલે અહીં વાજપેયી સ્ટેડિયમમાં ભારતે ગઈ વેળાના ચેમ્પિયન ઈંગ્લેન્ડને 100-રનથી ધૂળ ચાટતું કરી દીધું. ભારતના કેપ્ટન રોહિત શર્માએ બેટિંગ માટે પડકારજનક પીચ પર તેની આગવી સ્ટાઈલમાં ફટકાબાજી કરીને કરેલા 87 રન બદલ ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ પણ જીત્યો. ઈંગ્લેન્ડના કેપ્ટન અને વિકેટકીપર જોસ બટલરે ટોસ જીતી ભારતને પહેલા બેટિંગ કરવા કહ્યું હતું. ભારતે તેના હિસ્સાની 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 229 રન કર્યા હતા. સૂર્યકુમાર યાદવે 49 અને વિકેટકીપર કે.એલ. રાહુલે 39 રનનું યોગદાન આપ્યું હતું. ઈંગ્લેન્ડ ટીમ 34.5 ઓવરમાં 129 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શામીએ 22 રનમાં 4, અન્ય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે 32 રનમાં 3, ડાબોડી રિસ્ટ સ્પિનર કુલદીપ યાદવે 24 રનમાં બે અને રવિન્દ્ર જાડેજાએ એક વિકેટ લીધી હતી. મેચ બાદ રોહિત શર્માએ કહ્યું કે, અમારી ટીમના તમામ અનુભવી ખેલાડીઓએ આ પડકારજનક પીચ પર સારો દેખાવ કર્યો એનાથી હું બહુ જ ખુશ થયો છું. નાના ટોટલને ડીફેન્ડ કરવું ઘણી વાર મુશ્કેલ બનતું હોય છે, પણ અમારા ફાસ્ટ બોલરોએ હવામાનનો લાભ લઈને જે રીતે સ્વિંગ બોલિંગ ફેંકી એ પ્રશંસનીય છે. અમારી ટીમમાં સ્પિનરો પણ સરસ છે અને અનુભવી પણ છે.

ભારતીય ટીમ તમામ 6 મેચ જીતીને પોઈન્ટ્સ ટેબલ પર ફરી ટોચ પર આવી ગઈ છે. ઈંગ્લેન્ડની ટીમ 6માંથી પાંચ મેચ હારીને યાદીમાં તળિયે – 10મા નંબરે ફેંકાઈ ગઈ છે. ભારતનો હવે પછીનો મુકાબલો બીજી નવેમ્બરે મુંબઈમાં શ્રીલંકા સામે છે.

ઈંગ્લેન્ડની ટીમમાં કોઈ ઝઘડો નથીઃ કોચ મેથ્યૂ મોટ

ઈંગ્લેન્ડની ટીમનો દેખાવ આ વખતની વર્લ્ડ કપ સ્પર્ધામાં અત્યંત નબળો રહ્યો છે ત્યારે ટીમના ખેલાડીઓમાં ફૂટ પડી હોવાના 2019માં વર્લ્ડ કપ જીતનાર ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન ઓઈન મોર્ગને કરેલા આક્ષેપને ટીમના કોચ મેથ્યૂ મોટએ રદ્યો આપ્યો છે. એમણે કહ્યું કે ટીમ સંપૂર્ણપણ સંગઠિત છે. મોર્ગને ગઈ કાલે સ્કાઈ સ્પોર્ટ્સ પર એમ કહ્યું હતું કે, ‘ઈંગ્લેન્ડની ટીમમાં કંઈક ગડબડ છે.’ એનું કહેવું હતું કે સ્પર્ધામાં ટીમના ખરાબ દેખાવનું એક કારણ છે ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમમાં ચાલી રહેલો અણબનાવ. પરંતુ કોચ મોટએ કહ્યું છે કે, મોર્ગનને એમનો અભિપ્રાય વ્યક્ત કરવાનો અધિકાર છે. એમની પત્નીએ એમનાં બાળકને જન્મ આપ્યો છે એટલે તે બે અઠવાડિયાથી ક્રિકેટ અને ઈંગ્લેન્ડના ડ્રેસિંગ રૂમથી દૂર રહ્યા છે. હું ચોક્કસ પણ એમની સાથે આ મુદ્દે વાત કરીશ. અમારી વચ્ચે સારા સંબંધો રહ્યા છે.

આંધ્ર પ્રદેશમાં ટ્રેન અકસ્માતમાં મરણાંક વધીને 13 થયો

હૈદરાબાદઃ ગઈ કાલે સાંજે લગભગ 7 વાગ્યાના સુમારે આંધ્ર પ્રદેશમાં બે પેસેન્જર ટ્રેન અથડાવાથી થયેલા ભીષણ અકસ્માતમાં મરણાંક વધીને 13 થયો છે. અકસ્માતમાં 50 જેટલા લોકો ઘાયલ થયા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી પ્રત્યેક મૃતકના નિકટના સ્વજનને રૂ. બે લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. 50,000 વળતર પેટે આપવાની જાહેરાત કરી છે.

આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન જગનમોહન રેડ્ડીએ પ્રત્યેક મૃતકના સ્વજનને રૂ. 10 લાખ અને પ્રત્યેક ઈજાગ્રસ્તને રૂ. બે લાખની એક્સ-ગ્રેશિયા રકમ ચૂકવવાની જાહેરાત કરી છે.

વિશાખાપટનમથી પલાસા જતી એક સ્પેશિયલ પેસેન્જર ટ્રેન અલામાન્ડા અને કાંતાકપાલ્લે સ્ટેશનો વચ્ચે ગ્રીન સિગ્નલ ન મળવાને કારણે પાટા પર ઊભી હતી. એ જ વખતે તેની સાથે પાછળથી વિશાખાપટનમ-રાગડા વચ્ચે દોડતી એક અન્ય પેસેન્જર ટ્રેન અથડાઈ હતી. એને કારણે વિઝાગ-પલાસા ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉથલી પડ્યા હતા.

૩૦ ઓક્ટોબર, ૨૦૨૩

૩૦ ઓક્ટોબર, ૨૦૨૩

દરેક પરિસ્થિતિમાં ખૂશ રહેવું

સંજીવ કપૂર: નમસ્કાર સદગુરુ. મારો સવાલ એ છે કે જ્યારે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે જો આપણે રસોઈ બનાવવાનો આનંદ અનુભવવો હોય કે જે એક આંતરિક વસ્તુ છે તો હું પોતાના આનંદ માટે રસોઈ બનાવું છું. પણ જ્યારે તમે બીજાના માટે રસોઈ બનાવતા હોવ તો તમારે તેમને આનંદ આપવાનો હોય છે અને ઘણી વાર તેમાં સંઘર્ષ થાય છે. તો કોની જીત થવી જોઈએ?

સદગુરુ: અધ્યાત્મિક પ્રક્રિયાની ખૂબ મૂળભૂત વાત આ જ છે : તમે અહીં જીવી રહ્યા છો જાણે કે તમે એકલા જ જીવતા હોવ, બીજા કોઈ નહીં પણ માત્ર તમે. કારણ કે તમે બધાને પોતાના સમજો છો તો કોઈ તકલીફ થતી નથી. લોકો મને પૂછે છે, “સદગુરુ તમે જ્યાં પણ જાઓ છો, ત્યાં 10,000 માણસો હોય કે 1,00,000 માણસો હોય તમે કેવી રીતે બોલો છો?” સારું, હું તેમની સાથે એવી રીતે વાત કરું છું જાણે હું pઓટીએનીસાથે વાત કરતો હોવ – જાણે કે મને આવી આદત હોય.

તમે” છો જ નહીં. હું જે કઈ કરી રહ્યો છું તે વક્તૃત્વકળા અથવા પ્રવચન નથી – હું એવી રીતે વાત કરી રહ્યો છું જાણે કે હું મારી જાત સાથે વાત કરતો હોવ, કારણ કે હું બીજા કોઈને જોતો નથી, પણ મારી જાતને જોવું છું. અધ્યાત્મિક પ્રક્રિયાનો અર્થ છે કે કોઈક રીતે તમારા અનુભવમાં તમે સર્વ-સમાવેશી બની જાઓ. સરખામણી અને સ્પર્ધા તમારા જીવનમાથી ગાયબ થઈ ગયા છે. નહીંતર, જેની શરૂઆત સરખામણીથી થાય છે તે સમય જતાં સ્પર્ધામાં રૂપાંતરિત થાય છે અને પછી વાત બગડી જાય છે. જ્યાં સરખામણી અને સ્પર્ધા હોય છે, ત્યાં જીવંત અને સુંદર એવો આનંદ પણ બગડી જાય છે. આનંદ તમારા જીવનનો સૌથી મહત્વનો ભાગ છે. આનંદનો અર્થ એ છે કે તમારા અસ્તિત્વનો અનુભવ ખૂબ જ અદ્ભુત છે.

જ્યારે તમે સર્વ-સમાવેશી હોવ છો, તમારા અસ્તિત્વનો અનુભવ તમારા માટે સુંદર બની જાય છે, અને તેથી જ તમે આનંદિત હોવ છો. હવે, હું આનંદિત તેના લીધે નથી કેમ કે હું શ્રેષ્ઠ ઢોંસા બનાવું છું, કે પછી તમારા કરતાં સારા ઢોંસા બનાવું છું, એના લીધે પણ નહીં કેમ કે હું તમારી બનાવેલી શ્રેષ્ઠ રસોઇ જમું છું. તમારા રેસ્ટોરન્ટમાં આવતા પહેલા પણ હું ખૂબ આનંદિત હોઈશ. જો તમે કઈક સારું બનાવશો તો હું ખૂશી-ખૂશી જમીશ. જો તમે કઈક ખરાબ બનાવશો તો હું ખૂશી-ખૂશી તેને બાજુમાં મૂકી દઇશ. તમારી સારી કે ખરાબ રસોઈથી તમે મને આનંદ આપી શકવાના નથી કે  મારો આનંદ છીનવી પણ શકવાના નથી. મારી ઈચ્છા છે કે તમે અને દુનિયામાં બધા આ રીતે બની જાઓ, કે તમારા સિવાય બીજું કોઈ પણ તમારી અંદર શું થાય છે તે નક્કી ના કરી શકે.

(સદ્દગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

રાશિ ભવિષ્ય 30/10/2023 થી 05/11/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

સપ્તાહ દરમિયાન કાયદાકીયપ્રશ્નથી માનસિકથાકની લાગણી જગાવે તેના કારણે ક્યાંક ખોટીવાર્તાલાપ કે વાદવિવાદની ઘટના બની શકે છે. નાનીનાની વાતમા ગુસ્સો ના આવે તેનુ ધ્યાન રાખવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવુ તેમજ મુસાફરીમા તકેદારી રાખવી જરૂરી છે. વેપારમા કામકાજ કરતી વખતે કામમા ધ્યાન કેન્દ્રિત ઓછુ થવાથી ક્યાંક ઉતાવળિયાનિર્ણય લેવાયાની લાગણીનો અનુભવ થયા કરે. કોઈને વણમાગી સલાહસુચન ના આપવા, ખટપટી લોકોથી દુર રહેવામાજ શાણપણ છે, સ્પર્ધાત્મકપરિક્ષામા આત્મવિશ્વાસ સારો જોવા મળી શકે છે, નવાઆયોજનના વિચારો અને દ્વિધા વધુ જોવા મળી શકે છે.


આકસ્મિકખર્ચા વધે તેવા બનાવ બની શકે છે, પરિવાર સાથે મુસાફરી થઈ શકે છે ,અંગતસંબંધ જેવાકે મિત્રતામા,સગાસ્નેહીની તમે મજાકકરવાની વૃતિવાળા બનો. જૂનીઓળખાણકે જૂનીયાદથી ઘણા રોમાંચિત બનો. સામાજિક, ધાર્મિકપ્રસંગમા તમારી હાજરી પ્રભાવી બની શકે છે, વેપારના કામકાજમા ઉત્સાહને સફળતા જોવા મળે તેવી વાત બને,  જુનામતભેદ ભૂલવાની તક મળી શકે છે. નવીનોકરીકે ફેરબદલી કરવા માટે સમય યોગ્ય કહી શકાય. સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ નવીરીત શીખવી હોયતો આ સમયનો સદઉપયોગ કરવો સારો છે, લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક આગળ વધી શકે છે.


મહેનત કરતા ઓછુફળ મળવાની ફરિયાદ મનમા વધુ રહે, ક્યારેય વાણીવિલાસ ના થાય તેનુ દયાન રાખવુ ઇચ્છનીય છે. ધરમાંકે કુટુંબમાં કોઈપણ કામકાજ દરમિયાન થોડી ધીરજ રાખવી જરૂરી છે ઉતાવળીયે કામકાજમા ગેરસમજ થઈ શકે છે. કોઈજગ્યાએ આકસ્મિકખર્ચ થાય તેવુ પણ બની શકે છે. આરોગ્યબાબત પરેજી પાળવી વધુ જરૂરી બને છે, વેપારના કામકાજમા ધીરજ અને અનુભવથી કામકાજ કરવુ, અન્યની વાતમા દોરવાઈ ના જવાય તે માટે ધીરજ જરૂરી છે, નોકરીકે વ્યવસાયમા સમયનો દુરુપયોગ અને કારણ વગરની કામકાજમા સમસ્યા ના થાય તેનુ ધ્યાન રાખવુ સારુ, જરૂરપુરતો જ વ્યવહાર યોગ્ય કહી શકાય.


સાહસિકવૃત્તિ જોવા મળે, આવક-જાવક સરખી રહે, મિલનમુલાકાતકે હરવાફરવામા સમય વધુ પસાર થાય, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ક્યાંક નવીનઓળખાણ થઇ શકે છે તેમા લાભની વાત આપ-લે થઇ શકે છે. કુટુંબકે આસપાસના કોઈ જાહેરકાર્યક્રમમા જવાના યોગ છે તેમા તમારી હાજરીનુ વર્ચસ્વ પણ દેખાય, વેપારના કામકાજમા તમને ઉત્સાહ અને નવીનકાર્ય કરવાનીવૃતિ જાગે, યુવાવર્ગને તેમના મિત્રવર્તુળમાથી સારી જાણકારીકે વાત સાંભળવા મળે તેમજ સહયોગ પણ પ્રાપ્ત થઇ શકે છે. ઘણા વખતથી કોઈવાત મનમા રહેતી હોય તેને ક્યાંક રજુ કરવાની તક પણ મળી શકે છે.


સપ્તાહ દમિયાન સફળતા વધુ જોવા મળે, વિચારોની માયાજાળમા ફસાયેલા રહો, વેપારના કામકાજમા ધીરજનો અભાવ વર્તાય પણ તેની અસર કામકાજમા ખાસ ન પડે, શરદી, ખાસી, કફ, તાવ જેવી નાની નાની તકલીફથી પણ પરેશાની રહે તેમા ઉકેલ પણ આપ મેળે મળી જાય, તમારી લાગણી અન્ય લોકો સારી રીતે સમજી શકે, પ્રભુભક્તિમા ધ્યાન અને મન વધુ રહે અને ઘણી માનસિકશાંતિનો અનુભવ કરી શકો, ક્યાંક આળસવૃતીકે આરામ કરવાની ભાવના વધુ જાગે, હિતશત્રુ કે ખટપટી વ્યક્તિથી તમારો કુદરતી રીતે સારો બચાવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારકે વિવાહિતવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે.


સપ્તાહ દરમિયાન પરિવાર સાથે મનદુઃખ ના થાય તેની દકેદારી રાખવી, છાતી, ફેફસાના દર્દ હોય તેવા લોકોએ દવાબાબત ચોકસાઈ રાખવી, ધાર્મિકભાવના વધુ દેખાઈ આવે તમને કોઈ સામાજિકકે ધાર્મિકકાર્ય માં કોઈ પ્રવૃત્તિ કરવાનુ મન થાય, વેપારના કામકાજમા કોઈ નવીનસમાચાર તમારા આત્મવિશ્વાસમા વધારો કરી શકે છે, ઘણી જૂનીઓળખાણ તાજી થાય અને તેમા તમારુ મન આનંદની લાગણી અનુભવી શકે છે. વિદ્યાર્થીવર્ગકે યુવાવર્ગ જે કોઈ નોકરીકે વ્યવસાયમા નવીનતા ઇચ્છતુ હોય તેમના માટે કોઈ સારીવાત જાણવા મળે, પસંદગીની ચીજવસ્તુની ખરીદી કરવામા ગણતરી કરતા વધુ ખર્ચ થઈ શકે છે.


ઘરમા કોઈને સ્વાસ્થબાબત નાનીમોટી તકલીફ ના થાય તેનુ ધ્યાન રાખવુ, લગ્નની વાતચીત ક્યાય ચાલતી હોય તેવા યુવાવર્ગ માટે પણ આ સપ્તાહ દરમિયાન સારા સંજોગ ઉભા થઈ શકે છે, જૂનીવાત ક્યાય અટકેલી હોય તેમા પણ પ્રયત્ન કરવામા આવેતો નસીબ જોગસંજોગ પણ સાથ આપી શકે છે, વેપારના કામકાજમા ગણતરી અને આયોજનપૂર્વકના કામકાજમા પણ સફળતા મળી શકે છે, મુસાફરીકે પ્રવાસના યોગ પણ બની રહ્યા છે તેમા તમે આનંદઉત્સાહ અનુભવી શકો છે, તમારામા સહકાર આપવાની ભાવના વધુ જાગે તેવુ પણ બની શકે છે, ભાઈ-બહેનો, મિત્રો તરફથી સારો સહયોગ પ્રાપ્ત થઈ શકે છે.


કામકાજમા ગણતરી કરતા વધુ મહેનત થયા બાદ ફળ મળે, કામકાજમા ધીરજ અને સમજણનો વ્યવહારુ અભિગમ રાખવો જરૂરી છે,  જાહેરજીવનમા તમને લોકો વચ્ચે થોડી મજાકમસ્તી કરવાની વૃતિ વધુ જાગે, ઘરમાકે નજીકના સગાસ્નેહીમા કોઈ અણબનાવકે મનદુઃખ થયુ હોયતો તેવા સંબંધને સુધારવાની કોશિશ કરતા તેમા પણ સફળતા દેખાઈ શકે છે, વેપારના કામકાજમા તમને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, તમારો મોભો,પ્રતિષ્ઠા તમે કરેલા કોઇ કામમા સારી ઉપસી આવે, નવીનકાર્ય કરવામા તમને અન્યનો સાથસહકાર કે માર્ગદર્શન સારુ મળી રહે અને તેના કારણે તે કામ માટે તમારો ઉત્સાહ પણ વધી શકે છે.


કોઇપણ પ્રકારની મિલનમુલાકાત સફળ થઈ શકે છે, પાડવા,વાગવા કે લાપસવા જેવી બાબત ઉપરાંત શરદી,ઉધરસ, તાવ,ઇન્ફેકશન લાગવા જેવી બાબતથી તકેદારી રાખવી, ખટપટ કરનારવર્ગથી દુર રહેવાની જરૂર છે જેથી કોઈની ખોટીવાતમા દોરવાઈ ના જવાય, વેપારના કામકાજમા ધીરજ અને તકેદારી રાખવી જરૂરી છે, સલાહ, ઠપકો કે કઈપણપ્રકારનુ માર્ગદર્શન કોઈને આપતા પહેલા વિચાર કરવો જરૂરી છે કે તેમા તેને કોઈ ગેરસમજ ના થઇ જાય, વાર્તાલાપ દરમિયાન વધુ પડતા સ્પષ્ટશબ્દો પણ ના વાપારવા ધીરજ અને કુનેહપૂર્વક વર્તવાથી ઘણીશાંતિ અને સરળતા તમારા વ્યવહારમા રહી શકે છે.


રોકાણ માટે કે નવાકોઇપણ આયોજન માટે સમય સાથ આપી શકે છે, યાત્રાકે જાત્રા થાય તેવા સંજોગો ઉભા થઇ શકે છે. તમારામા ધાર્મિકભાવના વધુ જાગે અને લોકકલ્યાણના વિચારો આવે,  સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે કોઈ વિષય શીખવામા અઘરો પડતો હોયતો તે વિષય શીખવામા વધુમહેનત કરવાથી સારા  ફળની પ્રાપ્તિ થઇ શકે છે, વેપારના કામકાજમા લાભની કોઈવાત બની શકે છે,  લગ્નમાટેની વાતચીત ગોઠવવી અને તેમા મિલનમુલાકાત કરવી ફાયદાકારક બની શકે છે, વિદેશજવા ઈચ્છા રાખનારવર્ગ આ સપ્તાહ દરમિયાન તેમા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરેતો તેમા પણ યોગ્યપ્રતિસાદ મળી શકે છે.


તમારા સંબંધને મજબુત રાખવા પ્રયત્ન કરવા પડે, કામકાજમા વ્યસ્તતા અને માનસિકથાકની લાગણી અનુભવો, કામકાજમા સમયનો વ્યય પણ વધુ થઇ શકે તેમજ કોઈનો સહયોગ થોડો ઓછો જોવા મળે તેવુ બની શકે છે, ધીરજ અને પોતાના આત્મવિશ્વાસથી કામમા રચ્યાપચ્યા રહેવુ વધુ યોગ્ય છે, વેપારમા કામકાજ દરમિયાન નિર્ણયશક્તિનો થોડો અભાવ દેખાવ પરંતુ કામકાજ થઇ શકે. ઘરમા વડીલવર્ગ કે ઓફીસમા ઉપરીઅધિકારી સાથે વાર્તાલાપ દરમિયાન વિચાર મતભેદ થઈ શકે છે માટે તકેદારી રાખવી, મુસાફરી, થોડી કંટાળાજનક, સમય અને નાણાનોવ્યય થાય તેવો રહી શકે શકે છે.


પરિવાર, સહ-કર્મચારી સાથે સુમેળ થોડો ઓછો જોવા મળે માટે વાર્તાલાપ અને વર્તણુકમા યોગ્યગણતરી રાખવી સલાહભરી છે, વેપારના કામકાજમા પણ તમને ઉત્સાહ જોવા મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમા તમારી જૂની મિલનમુલાકાતની યાદી બનાવી તેમા કામ કરવાથી લાભ થઈ શકે છે. મુસાફરીનુ આયોજન થઈ શકે છે, પેટ,અપચાની તકલીફ બાબતે તકેદારી રાખવી, વડીલવર્ગને જુનાસંભારણા વધુ તાજા થાય અને કોઈ સામાજિકકે ધાર્મિકકામકાજમા જોડાવાની વૃતિ વધુ જાગે, કોઈપ્રવૃત્તિમા અન્યનો સાથસહકાર મળી શકે છે, નાણાની લેવડદેવડ તેમજ પ્રેમસંબંધમા ધીરજ અને જાગૃતતા રાખવી ઇચ્છનીય છે.

રાશિ ભવિષ્ય 30/10/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસમાં તમને ઉત્સાહ જોવા મળી શકે છે, અંગતમિત્રો સાથેની વાર્તાલાપમાં સારોસમય પસાર થાય તેમાં જુનાસ્મરણ તાજા થાય અને તમને આનંદ,ખુશીની લાગણીનો અનુભવ થાય, આજે આરામ કરવાની અને થોડેક અંશે આળસવૃતિ પણ જોવા મળે, ધાર્મિકસ્થાનની મુલાકાત થઈ શકે છે.


આજે સગાસ્નેહી,જુનાપરિચિત સાથે મિલનમુલાકાતકે કોઈ તેમની સાથેના અગત્યના કામકાજ થાય તેવા યોગ છે, કામકાજકે ઈતરપ્રવૃત્તિના કારણે આરોગ્યબાબતે થોડા બેદરકાર પણ બનો, કોઈ વ્યવહારુ અભિગમ અપનાવા જાવતો તમે ક્યાંક કોઈના થોડા રોષના ભોગ પણ બની શકો છે.


આજે તમારા માટે કોઇપણ પ્રકારના કામકાજ હેતુ નાનીકે મોટી મુસાફરીના યોગ બની રહ્યા છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, તમારાકે અન્ય માટેના શુભપ્રસંગઅંગે ચર્ચા વિચારણા પણ થાય, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખવુ.


આજે તમને થોડો માનસિકથાકકે કારણવગરનો ઉશ્કેરાટની લાગણીનો અનુભવ થાય, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે, આકસ્મિકખર્ચા પણ કોઈ કારણસર થઈ શકે છે. શરદી,ખાંસી,તાવ જેવી નાનીનાની તકલીફથી તમે થોડી બેચીની વધુ અનુભવો. શાંતિથી દિવસ પસાર કરવો.


આજના દિવસે તમને કંઇકને કંઇક કરવાની જીજ્ઞાસા વધુ જોવા મળે અને કામકાજ કરવામાં થોડી ઉતાવળ કરવાની વૃતિ પણ જોવા મળે, કોઈ જુનાઅટકેલા કામ પુરા કરવા માટે પ્રયત્ન કરવો સારો કહી શક્ય જેમાં સારો પ્રતિભાવ જોવા મળી શકે છે, ક્યાય દાનદક્ષિણા આપવાના યોગ પણ બની રહ્યા છે.


આજે કુટુંબના સભ્યો સાથે મિલનમુલાકાત થાયકે કોઈ સામાજિકકે ધાર્મિકપ્રસંગમાં હાજરી આપવાના યોગ બને છે અને તેમાં તમારું વર્ચસ્વ અને મોભો જળવાય તેવું પણ બની શકે છે. તમને કોઈની મજાકમશ્કરી કરવાની વૃતિ જાગે પરંતુ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.


આજ દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, નાનાઅંતરની મુસાફરી થઈ શકે છે. તમે આજે મિત્રોના કોઈ કામકાજમાં ક્યાંક સહભાગી બનો તેવું પણ બની શકે છે, ધાર્મિકસ્થળની મુલાકાત થાય અને તેમાં તમારું મન સારું પ્રસન્ન રહે તેવું બની શકે છે.


આજે થોડી માનસિકચિંતાકે અશાંતિ જેવું લાગે કારણકે કોઈકને કોઈક વિચાર આબાબતે તમને અસ્વસ્થ કરી શકે છે. મિત્રોકે ઘરમાં વડીલવર્ગ સાથે વિચારમતભેદના થાય તેનું ધ્યાન રાખવું, પ્રભુભક્તિમાં સમય વધુ પસાર કરવાની ઈચ્છા થાય અને ધાર્મિકસ્થળની મુલાકાત કરવાથી મનને શાંતિ પણ મળે.


આજે મિત્રો સાથે સારો સમય પસાર થાય, તમે કોઈને કોઈકામમાં સહભાગી બનો તેવી લાગણી તમારામાં જોવા મળે, ધાર્મિકઆસ્થા થોડી વધુ જોવા મળી શકે. લાગણીભર્યા જુનાસંબંધ અચાનક યાદ આવી શકે છે. કોઈ કાર્ય બાબતની ક્યાય મિલનમુલાકાત થવાથી તમને સારો પ્રતિભાવ જોવા મળે તેવું બની શકે છે.


આજે થોડાક માનસિકવિચારોથી તમે અશાંતિ અનુભવો, મનમાંને મનમાં કોઈક વાતનો અજંપો રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, શક્ય એટલું ઓછુ બોલવું સારું, કોઈ જરૂરિયાત વાળી વ્યક્તિને યથાશક્તિ દાન આપવું ઇચ્છનીય છે, પ્રભુમાં ચિત્ત રાખવું યોગ્ય કહી શકાય.


આજે કોઈ ધાર્મિકસ્થળકે સામાજિકપ્રસંગ માટેની મુલાકાત થઈ શકે છે, જાહેરજીવનમાં તમારો મોભો સારો વર્તાય, આજે તમારું વર્ચસ્વ તમાર કામ અને આવડત પર સારું જોવા મળે. યુવાવર્ગને પોતાની પસંદગીની કોઈ વાત સંભાળવા મળે કે જાણવા મળી શકે છે, નાનાઅંતરની મુસાફરી પણ થઈ શકે છે.


આજે એકલા હાથે ઘણા કામ કરવાના આવે તેવું બની શકે છે તેમાં તમને અન્યનો સાથ ઓછો જોવા મળે તેના કારણે તમે કામ ટાળવાની વૃતિ જાગે અને આરામ કરવાનું મન વધુ થાય, ક્યાંક આકામિકનાણાકીય ખર્ચ આવી શકે છે, મિલનમુલાકાતકે હરવાફરવામાં ઉમંગનો અભાવ જોવા મળી શકે છે.