Home Blog Page 2339

સંસદમાં અવાજ ઉઠાવવા 11 સાંસદોએ લીધી હતી, લાંચ, જાણો…

નવી દિલ્હીઃ વર્ષ 2005માં ટીવી પર લાંચ લેતા 11 સાંસદોને દેશે જોયા હતા. જેથી તેમને સંસદમાંથી સસ્પેન્ડ કરવામા આવ્યા હતા અને સંસદે પ્રસ્તાવ પાસ કરીને તેમનું સભ્યપદ તત્કાળ અસરથી ખતમ કરી દેવામાં આવ્યું હતું. આ શરમજનક ઘટનાની ચોતરફ નિંદા થઈ હતી. ત્યારે વડા પ્રધાન મન મોહન સિંહ અને લોકસભામાં સ્પીકર સોમનાથ ચેટરજી હતી.

સંસદમાં સભ્યપદ ગુમાવનારા સાંસદોમાં કોંગ્રેસ, ભાજપ, BSP અને RJDના સભ્ય હતા. સંસદીય કાર્ય અને માહિતી અને પ્રસારણ મંત્રી પ્રિયરંજન દાસ મુન્શીએ કહ્યું હતું કે સ્ટિંગ ઓપરેશનની પૃષ્ઠભૂમિમાં મિડિયા પર કોઈ નિયંત્રણો લાદવામાં નહીં આવે. RJD પ્રમુખ લાલુ પ્રસાદે પણ કહ્યું હતું કે લાંચ લેનારા પર આકરી કાર્યવાહી જરૂરી છે. ભાજપના નેતા એલ. કે. અડવાણીએ કહ્યું હતું કે લાંચ પ્રકરણ ગંભીર ચિંતાનો વિષય છે.

23 ડિસેમ્બર, 2005એ જે સાંસદોના સભ્યપદ ખતમ કરવામા આવ્યાં હતાં, તેમાં કોંગ્રેસના રામ સેવક સિંહ, RJD મનોજકુમાર, BSPના રાજારામ પાલ, નરેન્દ્ર કુમાર કુશવાહા અને લાલ ચંદ્ર તથા ભાજપના વાઇ. જી. મહાજન, પ્રદીપ ગાંધી, સુરેશ ચંદેલ, છત્રપાલ સિંહ લોઢા, ચંદ્ર પ્રતાપ સિંહ અને અન્ના સાહેબ પાટિલ હતા. આ સાંસદોએ સવાલ પૂછવા માટે રૂ. 35,000થી માંડીને રૂ. 1,10,000ની લાંચ લીધી હતી. સંસદમાં 11 સાંસદ આ કામ માટે તૈયાર થઈ ગયા હતા. છુપાવેલા કેમેરાથી રૂપિયા લેવાની લેવડદેવડને રેકોર્ડ કરી લેવામાં આવી હતી.

 

 

 

 

 

 

મમતા બેનર્જીએ મહુઆ મોઇત્રાને આપી નવી જવાબદારી, TMC સાંસદે કહ્યું- આભાર

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારે તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાંસદ મહુઆ મોઇત્રાને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. TMC ચીફ મમતા બેનર્જીએ મોઇત્રાને પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. ટીએમસીએ કૃષ્ણનગર સીટના લોકસભા સાંસદ મહુઆ મોઇત્રાને આ જવાબદારી એવા સમયે આપી છે જ્યારે તે લોકસભામાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાના આરોપોથી ઘેરાયેલી છે. તાજેતરમાં જ લોકસભાની એથિક્સ કમિટીએ તેમની હકાલપટ્ટીની ભલામણ કરી હતી. એથિક્સ કમિટીએ પોતાનો રિપોર્ટ લોકસભાના સ્પીકર ઓમ બિરલાને સોંપ્યો છે. આ પછી મહુઆએ કહ્યું હતું કે તે આગામી લોકસભા ચૂંટણી વધુ વોટથી જીતશે.

મહુઆ મોઇત્રાએ શું કહ્યું?

મોઇત્રાએ મમતા બેનરજીને જિલ્લા અધ્યક્ષ બનાવવા બદલ આભાર માન્યો હતો. તેણે સોશિયલ મીડિયા X પર લખ્યું, “મને કૃષ્ણનગર જિલ્લાના પ્રમુખ તરીકે નિયુક્ત કરવા બદલ મમતા બેનર્જી અને TMCનો આભાર. હું હંમેશા કૃષ્ણનગરના લોકો માટે પાર્ટી સાથે કામ કરીશ.ટીએમસીએ સંગઠનમાં આ ફેરબદલ એવા સમયે કર્યો છે જ્યારે પાર્ટી આવતા વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે.

અભિષેક બેનર્જીએ સવાલો ઉઠાવ્યા હતા

TMC પૈસા લીધા પછી સવાલ પૂછવાના મામલે મહુઆ મોઇત્રાનો સીધો બચાવ કરવાનું ટાળી રહી છે. જોકે, તાજેતરમાં 9 નવેમ્બરે અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે મોઇત્રા પોતાનો બચાવ કરવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. એથિક્સ કમિટીના નિર્ણય પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું હતું કે, જો તેમની પાસે કોઈ પુરાવા નથી તો તેઓ હાંકી કાઢવાની ભલામણ કેવી રીતે કરી શકે? આ વેરની રાજનીતિ સિવાય બીજું કંઈ નથી.”

મણિપુર હિંસા વચ્ચે ગૃહ મંત્રાલયે 9 મેઇતેઇ ઉગ્રવાદી સંગઠનો પર પ્રતિબંધ મુક્યો

મણિપુરમાં હિંસા વચ્ચે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ સોમવારે મોટી કાર્યવાહી કરી. મંત્રાલયે મેઈતેઈ ના આતંકવાદી સંગઠન પીપલ્સ લિબરેશન આર્મી (PLA) ને પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું. PLAની રાજકીય પાંખો રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF) અને યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ (UNLF)ને પણ ગૃહ મંત્રાલયે પાંચ વર્ષ માટે ગેરકાયદેસર સંગઠનો જાહેર કર્યા છે. આ સિવાય પીએલએની આર્મી વિંગ મણિપુર પીપલ્સ આર્મી (એમપીએ) સામે પણ આ કાર્યવાહી કરવામાં આવી છે.

 

ગૃહ મંત્રાલયે પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કંગલીપાક (PREPAK), રેડ આર્મી અને કાંગલીપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP) પર પણ પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

રાજ્યમાં દિવાળીમાં ફટાકડાને લીધે આગની 400થી વધુ ઘટના

અમદાવાદઃ રાજ્યમાં ગઈ કાલે દિવાળીની રાત્રે ધૂમ ફટાકડા ફૂટ્યા છે, પરંતુ દિવાળીએ ફટાકડાન કારણે રાજ્યમાં 400થી વધુ આગના બનાવો બન્યા છે, જેમાં રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આગ લાગવાના 156 બનાવ, તો સુરતમાં 124, તો અમદાવાદમાં 88 અને વડોદરામાં 40 જેટલા આગના નાના-મોટા બનાવો બન્યા છે. આ બનાવોમાં રાજકોટમાં એક જ્વેલર્સની દુકાન, ફેકટરી તો વડોદરામાં સરકારી કચેરીના દસ્તાવેજો આગ લાગવાને કારણે બળીને ખાખ થઈ ગયાં છે. જોકે કોઈ જાનહાનિના સમાચાર નથી.

રાજકોટમાં છેલ્લા 48 કલાકમાં આગ લાગવાના 156 બનાવ નોંધાયા છે. જેમાં ગઈ કાલે રાત્રે 12 વાગ્યાથી અત્યાર સુધીમાં 65 બનાવ નોંધાયા છે. જ્યારે એ પહેલાં આગ લાગવાના 63 બનાવ નોંધાયા છે. જેમાં શહેર બહાર મેટોડા GIDCમાં ઔદ્યોગિક એકમમાં આગ લાગી હતી.રાજ્યમાં દિવાળીની રાતે ફટાકડાને કારણે ઠેર-ઠેર આગના બનાવો બન્યા હતા. જેથી ફાયર વિભાગની ટીમો મોડી રાત સુધી દોડતી રહી હતી. રાજકોટમાં આગના બનાવો વધ્યા હતા.

સુરતમાં કુલ 125 સ્થળોએ આગની ઘટનાઓ બની હતી. જેમાં શહેરના ફાયર વિભાગને સેન્ટ્રલ ઝોનમાં કુલ 8 કોલ, અઠવાઝોનમાં કુલ 19 કોલ, રાંદરે ઝોનમાં કુલ 29 કોલ, ઉધના ઝોનમાંમાં 14 કોલ, લિંબાયત ઝોનમાં 16 કોલ, કતારગામ ઝોનમાં 18 કોલ અને વરાછા ઝોનમાં 21 કોલ મળ્યા હતા.  આ તમામ આગની ઘટનાઓમાં કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી.

 

 

 

 

 

 

6 વર્ષ સુધી પીએમ રહેલા ડેવિડ કેમરૂન બન્યા બ્રિટનના નવા વિદેશ મંત્રી

બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે તેમના કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો હતો. તેમણે ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનને બ્રિટનના નવા વિદેશ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા. તેમજ ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને પણ બરતરફ કરવામાં આવ્યા હતા. વિદેશ મંત્રી બનાવવા પર કેમરૂને કહ્યું કે વડાપ્રધાને મને તેમના વિદેશ મંત્રી તરીકે કામ કરવા કહ્યું છે અને મેં તેનો સ્વીકાર કર્યો છે. “અમે યુક્રેનમાં યુદ્ધ અને મધ્ય પૂર્વમાં કટોકટી સહિત આંતરરાષ્ટ્રીય પડકારોનો સામનો કરીએ છીએ.

તેમણે કહ્યું, “હું છેલ્લા સાત વર્ષથી રાજકારણથી દૂર છું, મને આશા છે કે 11 વર્ષ સુધી કન્ઝર્વેટિવ નેતા અને છ વર્ષ સુધી વડાપ્રધાન તરીકેનો મારો અનુભવ વડાપ્રધાનને મહત્વપૂર્ણ પડકારોનો સામનો કરવામાં મદદ કરશે. કેમરન 2010 થી 2016 સુધી બ્રિટનના વડાપ્રધાન હતા. બ્રેક્ઝિટ પર જનમત બાદ તેમણે પીએમ પદ પરથી રાજીનામું આપ્યું હતું. હકીકતમાં, આ જનમત સંગ્રહમાં મોટાભાગના લોકોએ યુરોપિયન યુનિયન (EU)માંથી બ્રિટનના અલગ થવાની તરફેણમાં મતદાન કર્યું હતું.

દિવાળીએ ગ્રાહકોએ ધૂમ ખરીદી કરીઃ 3.75 લાખ કરોડનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમા તહેવારોની સીઝન ચાલી રહી છે. દેશમાં લોકો દિવાળીએ ખૂબ ખરીદી કરી છે. આ દિવાળીએ લોકોએ રૂ. 3.75 લાખ કરોડથી વધુનો રેકોર્ડ ખરીદી કરી છે. દેશના રિટેલ માર્કેટમાં રેકોર્ડ બિઝનેસ નોંધવામાં આવ્યો છે, એમ કોફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)એ કહ્યું હતું.

CAIT અનુસાર ગોવર્ધન પૂજન, ભાઈબીજ, છઠ પૂજા અને તુલસી વિવાહે રૂ. 50,000 કરોડના વેપાર થવાની અપેક્ષા છે. આ દિવાળીએ ગ્રોસરીમાં 13 ટકા ટેક્સટાઇલમાં 12 ટકા, ઇલેક્ટ્રોનિક્સ અને મોબાઇલમાં ઈઠ ટકા જ્વેલરીમાં નવ ટકા, ગિફ્ટ આઇટમ્સમાં આઠ ટકા અને કોસ્મેટિક્સમાં છ ટકાના વેપારમાં વધારો થયો હતો. આ સાથે ઓટોમોબાઇલ્સ, હાર્ડવેર, ઇલેક્ટ્રિકલ, રમકડાં અને અન્ય માલસામાનના વેચાણમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.

CAIT દ્વારા દિવાળીએ ફૂલો અને ફળો પર રૂ. 7000 કરોડના વેચાણ થયાં હોવાની માહિતી આપવામાં આવી હતી. આ વખતે દિવાળીએ ચીનને આશરે રૂ. એક લાખ કરોડથી વધુના વેપારનો ફટકો લાગ્યો છે. દિવાળીએ કોઈ પણ વેપારીએ આ વર્ષે ચીનથી કોઈ પણ માલસામાનની આયાત નથી કરી. આમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલ તથા આત્મનિર્ભરની અસર છે.

 

 

 

કબીર રેસ્ટોરાંમાં મસાલા પાપડમાં જીવતો વંદો નીકળ્યો

અમદાવાદઃ ડ્રાઇવઇન રોડ પર આવેલી કબીર રેસ્ટોરાંની બેદરકારી સામે આવી છે. કબીર રેસ્ટોરાંમાંથી મસાલા પાપડમાં વંદો નીકળ્યો હતો. આ ઘટનાને પગલે ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો છે. આ રેસ્ટોરાંમાં જમવા ગયેલા ગ્રાહકે આ મસાલા વિડિયોનો વાઇરલ કર્યો છે. આ રેસ્ટોરાંશરૂઆતના ઓર્ડરમાં જ વંદો નીકળતા જમ્યા વિના જ ગ્રાહક પરત ગયા હતા.

અમદાવાદના ડ્રાઈવઇન રોડ પર આવેલી કબીર રેસ્ટોરાંમાં મસલા પાપડમાંથી જીવતો વંદો નીકળતા ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો. કબીર રેસ્ટોરાંમાં જમવા આવેલા ગ્રાહકે જમવાના ઓર્ડરની સાથે મસાલા પાપડનો પણ ઓર્ડર આપ્યો હતો. મસાલા પાપડ જ્યારે ગ્રાહકના ટેબલ પર આવ્યો ત્યારે તેમાથી જીવતો વંદો નીકળ્યો હતો. આ અંગે ગ્રાહકે કબીર રેસ્ટોરાંના માલિકને ફરિયાદ કરી હતી, પરંતુ તેમણે આ મામલે કાંઈ પણ કહેવાને બદલે મૌન ધારણ કરી લીધું હતું.

ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગનો સંપર્ક કર્યો. AMCના હેલ્થ વિભાગે, કબrર રેસ્ટોરાંમાં તપાસ કરતા તળેલા અને શેકેલા પાપડ પહેલાથી જ તૈયાર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. શાક બનાવવા માટે વપરાતા શાકભાજી પણ ખુલ્લામાં કાપેલા મળી આવ્યા હતા. આથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે કબીર રેસ્ટોરાંને રૂ. 20,000નો દંડ ફટકાર્યો હતો.

 

 

બ્રિટિશ વડા પ્રધાને ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે ભારતીય મૂળના ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને બરતરફ કર્યા છે. સુએલાએ પોલીસ પર પેલેસ્ટાઈન તરફી વિરોધીઓ પ્રત્યે ખૂબ નરમ હોવાનો આરોપ મૂક્યો હતો. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે સુએલા બ્રેવરમેને અખબારમાં એક લેખ લખ્યો હતો. આ લેખમાં તેમણે લંડનમાં વિરોધ પ્રદર્શનો સાથે કડક કાર્યવાહી ન કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી તેના ભવિષ્યને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી.

સુનક પર પગલાં લેવા દબાણ

સુએલા બ્રેવરમેનની ટિપ્પણીઓને લઈને સુનાક તેના કન્ઝર્વેટિવ પાર્ટીના ઘણા સભ્યોના દબાણ હેઠળ હતા અને વિપક્ષના હુમલાઓનો પણ સામનો કરી રહ્યા હતા. આ દરમિયાન સુનકે તેમને પદ પરથી હટાવી દીધા છે. સરકારનું કહેવું છે કે કેબિનેટમાં ફેરબદલના ભાગરૂપે બ્રેવરમેને સોમવારે તેમનું પદ છોડી દીધું હતું. તેમના સ્થાને ભારતીય મૂળના વડા પ્રધાન ઋષિ સુનકે જેમ્સ ચતુરાઈને ગૃહ પ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે.

ડાઉનિંગ સ્ટ્રીટે શું કહ્યું?

બ્રેવરમેને કહ્યું કે લંડનનું પોલીસ દળ પેલેસ્ટાઈન તરફી ટોળા દ્વારા કાયદાના ભંગની અવગણના કરી રહ્યું છે. તેમણે ગાઝામાં યુદ્ધવિરામની હાકલ કરતા વિરોધીઓને નફરત ફેલાવતા ગણાવ્યા હતા. બ્રેવરમેનના લેખ પર, ડાઉનિંગ સ્ટ્રીટે કહ્યું કે તેને બ્રેવરમેન પર સંપૂર્ણ વિશ્વાસ છે, પરંતુ તેઓ તપાસ કરી રહ્યા છે કે ધ ટાઈમ્સમાં એક અભિપ્રાય લેખમાં તેમની ટિપ્પણી કેવી રીતે પીએમ સુનકની સંમતિ વિના પ્રકાશિત કરવામાં આવી. આ સાથે સુનકના પ્રવક્તાએ કહ્યું હતું કે અભિપ્રાય લેખો પીએમના વિચારો સાથે મેળ ખાતા નથી.

સુએલા બ્રેવરમેનની રિપ્લેસમેન્ટ ટ્યુન

વિવાદ વધતાં સુએલા બ્રેવરમેને પોલીસની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું, “અમારા બહાદુર પોલીસ અધિકારીઓ દેખાવકારો અને વિરોધીઓની હિંસા અને આક્રમકતાનો સામનો કરવામાં તેમની વ્યાવસાયિકતા માટે લંડનના દરેક પ્રતિષ્ઠિત નાગરિકના આભારને પાત્ર છે. ફરજ બજાવવામાં કેટલાય અધિકારીઓ ઘાયલ થતા રોષ છે.

કોંગ્રેસ આચાર્ય કૃષ્ણમને પાર્ટીમાંથી કાઢી મૂકે એવી શક્યતા

જયપુરઃ કોંગ્રેસ નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે પાર્ટીના મહા સચિવ રણદીપ સૂરજેવાલા પર જે આરોપ લગાવ્યા છે, એ કોઈ વિરોધ પાર્ટીના નેતા જ લગાવી શકે છે. આટલું જ નહીં, આચાર્યએ પાંચ રાજ્યોની ચૂંટણી ટાણે જ પાર્ટીને રામવિરોધી અને હિન્દુવિરોધી બતાવીને પાર્ટી માટે સંકટ ઊભું કરવાનું કામ કર્યું છે. જેથી તેમની સામે પાર્ટી પગલાં ભરે એવી માગ પક્ષમાંથી ઊઠવા લાગી છે.

પ્રિયંકા ગાંધી વાડરાના વિશ્વાસુ આચાર્ય કૃષ્ણમે કંઈ પહેલી વાર પાર્ટીને નિશાને લઈ રહ્યા છે. આ પહેલાં પણ તેમણે કેટલીય વાર પાર્ટીની નીતિઓની ખૂલીને ટીકા કરી હતી. એ જ કારણે તેમના પર વર્ષોથી ભાજપમાં જવાના આરોપ લાગતા રહ્યા છે. હજી પણ આચાર્યને પાર્ટીમાંથી બહારનો રસ્તો નહીં બતાવાય કે ના કારણ બતાવો નોટિસ જ જારી થશે તો સવાલ ઊભા થશે. સવાલ  એ પણ ઊભા થયા છે કે આચાર્યમાં એવું શું છે કે પાર્ટી તેમની સામે કોઈ પગલાં નથી લેતી?

આચાર્યે એવું શું કહ્યું?

કોંગ્રેસ નેચા આચાર્ય પ્રમોદ કૃષ્ણમના નિવેદન પર ઘમસાણ મચ્યું છે. તેમણે કહ્યું હતું કે પાર્ટીના કેટલાક મોટા નેતાઓ એવા છે જેમને હિન્દુ શબ્દથી જ નફરત છે. કેટલાક કોંગ્રેસી એવા નેતા છે, જેમને રામ મંદિરથી જ નહીં, બલકે ભગવાન રામથી નફરત છે. આચાર્ય ટ્વીટ કરતાં લખ્યું હતું કે કોંગ્રેસના ભાગ્યની વિટંબણા છે કે આવા લફંડરને પાર્ટીએ મહા સચિવ બનાવી રાખ્યા છે. આ નેતાએ ઝીના માલિક સુભાષ ચંદ્રાને જિતાડવાનું પાપ કર્યું છે.

 

 

 

 

હૈદરાબાદમાં બિલ્ડિંગમાં લાગેલી આગમાં નવ લોકોનાં મોત

હૈદરાબાદઃ શહેરના નામપલ્લી વિસ્તારમાં બજાર ઘાટ સ્થિત ચાર માળના એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગવાથી કમસે કમ નવ લોકોનાં મોત થયાં છે. પોલીસે જણવ્યું હતું કે આ આગ બિલ્ડિંગના ગેરેજમાં આગ  લાગી હતી, જ્યાં  રસાયણોથી ભરેલાં કેટલાંક ડ્રમ રાખ્યા હતા. આ આગમાંથી 21 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, એમ ફાયર બ્રિગ્રેડના અદિકારીએ જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર આગમાં ફસાયેલા 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અનેક લોકોને બારી તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રારંભિક માહિતી અનુસાર જે છ લોકોનાં મોત થયાં છે, તેમનાં મોત શ્વાસ રૂંધાવાને કારણે થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ફાયરબ્રિગ્રેડની ગાડીઓએ આગ પર કાબૂ મેળવી લીધો છે. પાંચ માળની બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એક મેકેનિકલ દુકાન અને કેમિકલ ગોડાઉન હતું. આ ગોડાઉનમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી.

હૈદરાબાદ સેન્ટ્રલ ઝોનના ડીસીપી વેંકટેશ્વર રાવે જણાવ્યું કે, ગ્રાઉન્ડ ફ્લોર પરના ગેરેજમાં કારનું રિપેરિંગ કામ ચાલી રહ્યું હતું. ત્યારબાદ વેરહાઉસમાં રાખેલા કેમિકલ બેરલ પર સ્પાર્ક પડતાં તેમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી.