Home Blog Page 2340

NSEમાં મુહૂર્ત ટ્રેડિંગના દિવસે ખીચડીના કલાકારોની ટીમની હાજરી

સંવંત 2080નો પ્રારંભ તેજી સાથે થયો હતો. દિવાળીના શુભ અવસરે ખાસ મુહુર્ત ટ્રેડિંગમાં બજાર તેજી સાથે બંધ થયું હતું. નવા સંવંતના પહેલા સેશનમાં સેન્સેક્સ 354.77 પોઇન્ટ સાથે 65,259.45ના સ્તરે અને નિફ્ટી 100.2 પોઇન્ટની તેજી સાથે 19,525.55ના મથાળે બંધ થયો હતો.

આ વરસે દિવાળીના મુહુર્ત ટ્રેડિંગના દિવસે NSEનો માહોલ કંઈક વિશેષ બની રહ્યો હતો. આ શુભ દિવસે NSEમાં યુએસ કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના ડેપ્યુટી પ્રિન્સિપાલ ઓફિસર માઈકલ સ્ક્રુડર-IIM, જમ્મુના ચેરમેન પદ્મશ્રી મિલિન્દ કામ્બલે, ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક પણ વિશેષ હાજર હતા.

આ સાથે-સાથે જાણીતા નિર્માતા દિગ્દર્શક જમનાદાસ મજેઠિયા અને એમની આવનારી ફિલ્મ ખીચડી-૨ના કલાકારો પણ હાજર હતા. આ ઉપરાંત સિરિયલ-ફિલ્મ ખીચડીની ટીમના અગ્રણી કલાકારોમાં જે. ડી. મજિઠિયા,આતિષ કાપડિયા, સુપ્રિયા પાઠક, અનંગ દેસાઈ, વંદના પાઠક અને રાજીવ મહેતાએ પણ NSEની બેલ રિંગના પ્રસંગમાં ભાગ લીધો હતો. NSEના મેનેજિંગ ડિરેકટર આશિષ ચૌહાણે આ પ્રસંગે સૌનું સ્વાગત કર્યુ હતું. મજાની વાત એ છે કે મુહુર્ત ટ્રેડિંગના દિવસે નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો હતો.

NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમયમાં કરવામાં આવેલા દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે.

 NSE રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ સાથે વ્યવહાર કરવા અને અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં વ્યવહાર કરવાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે છે. એક દુઃખદ અનુભવ અસરગ્રસ્ત રોકાણકારોને ફરી ક્યારેય શેરબજારમાં પ્રવેશવા માટે નિરાશ કરે છે.

ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ. લાંબા ગાળાના ખેલાડી બનો. ભારતની વિકાસગાથામાં ભાગ લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમારા ટ્રેડ સાનુકૂળ રહે, રોકાણો ફળદાયી બને અને દિવાળીની ભાવના આપણને વિપુલતા અને નાણાંકીય સફળતા તરફ દોરી જાય તેવી અભ્યર્થના. NSEમાં મુહૂર્તની શુભકામનાઓ, જ્યાં દરેક ટ્રેડ આવતી કાલને વધુ મજબૂત, સમૃદ્ધ બનાવવાના અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે, એમ NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું.

 

 

NSEમાં મુહુર્ત ટ્રેડિંગના દિવસે ખીચડીના કલાકારોની ટીમની હાજરી

મુંબઈઃ સંવંત 2080નો પ્રારંભ તેજી સાથે થયો હતો. દિવાળીના શુભ અવસરે ખાસ મુહુર્ત ટ્રેડિંગમાં બજાર તેજી સાથે બંધ થયું હતું. નવા સંવંતના પહેલા સેશનમાં સેન્સેક્સ 354.77 પોઇન્ટ સાથે 65,259.45ના સ્તરે અને નિફ્ટી 100.2 પોઇન્ટની તેજી સાથે 19,525.55ના મથાળે બંધ થયો હતો.

આ વરસે દિવાળીના મુહુર્ત ટ્રેડિંગના દિવસે NSEનો માહોલ કંઈક વિશેષ બની રહ્યો હતો. આ શુભ દિવસે NSEમાં યુએસ કોન્સ્યુલેટ જનરલ, મુંબઈના ડેપ્યુટી પ્રિન્સિપાલ ઓફિસર માઈકલ સ્ક્રુડર-IIM, જમ્મુના ચેરમેન પદ્મશ્રી મિલિન્દ કામ્બલે, ચિત્રલેખાના ચેરમેન મૌલિક કોટક પણ વિશેષ હાજર હતા. આ સાથે-સાથે જાણીતા નિર્માતા દિગ્દર્શક જમનાદાસ મજેઠિયા અને એમની આવનારી ફિલ્મ ખીચડી-૨ના કલાકારો પણ હાજર હતા. આ ઉપરાંત સિરિયલ-ફિલ્મ ખીચડીની ટીમના અગ્રણી કલાકારોમાં જે. ડી. મજિઠિયા,આતિષ કાપડિયા, સુપ્રિયા પાઠક, અનંગ દેસાઈ, વંદના પાઠક અને રાજીવ મહેતાએ પણ NSEની બેલ રિંગના પ્રસંગમાં ભાગ લીધો હતો. NSEના મેનેજિંગ ડિરેકટર આશિષ ચૌહાણે આ પ્રસંગે સૌનું સ્વાગત કર્યુ હતું. મજાની વાત એ છે કે મુહુર્ત ટ્રેડિંગના દિવસે નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો હતો.

NSEમાં મુહૂર્ત ટ્રેડિંગ એ અમારી સહિયારી નાણાકીય આકાંક્ષાઓનું પ્રમાણપત્ર છે. આ વાઇબ્રન્ટ માર્કેટપ્લેસના હાર્દમાં, જેમ જેમ દિવાળીની રોશની ઝળકે છે, અમે સાવચેત પસંદગીઓ અને વ્યૂહાત્મક રોકાણોની સફર શરૂ કરીએ છીએ. આ શુભ સમયમાં કરવામાં આવેલા દરેક ટ્રેડ રોકાણકારોમાં વૃદ્ધિ અને એકતાની ભાવનાનું વચન આપે છે.

NSE રોકાણકારોને ફક્ત રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ સાથે વ્યવહાર કરવા અને અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં વ્યવહાર કરવાથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. શેરબજાર લાંબા ગાળાની સંપત્તિ બનાવવા માટે છે. એક દુઃખદ અનુભવ અસરગ્રસ્ત રોકાણકારોને ફરી ક્યારેય શેરબજારમાં પ્રવેશવા માટે નિરાશ કરે છે. ડેરિવેટિવ્સમાં સંકળાયેલા ઊંચા જોખમને કારણે રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં ટ્રેડ કરવાનું ટાળવું જોઈએ.

લાંબા ગાળાના ખેલાડી બનો. ભારતની વિકાસગાથામાં ભાગ લેવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમારા ટ્રેડ સાનુકૂળ રહે, રોકાણો ફળદાયી બને અને દિવાળીની ભાવના આપણને વિપુલતા અને નાણાંકીય સફળતા તરફ દોરી જાય તેવી અભ્યર્થના. NSEમાં મુહૂર્તની શુભકામનાઓ, જ્યાં દરેક ટ્રેડ આવતી કાલને વધુ મજબૂત, સમૃદ્ધ બનાવવાના અમારા સામૂહિક સંકલ્પને દર્શાવે છે, એમ NSEના MD અને CEO આશિષકુમાર ચૌહાણે જણાવ્યું હતું.

 

 

કોરોનાના છ નવા કેસ, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં છ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,01,439 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.

દેશમાં અત્યાર સુધી 5,33,295 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,68,021 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 19 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 148એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.10 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.20 ટકા છે.

 

દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,76,144 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 15 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

સુવિચાર – ૧૩ નવેમ્બર, ૨૦૨૩

સુવિચાર – ૧૩ નવેમ્બર, ૨૦૨૩

૧૩ નવેમ્બર, ૨૦૨૩

૧૩ નવેમ્બર, ૨૦૨૩

ઝડપી ગતિ પર જીવન

સદગુરુ: એકવાર તમે આધ્યાત્મિક માર્ગ પર સક્રિય થઈ જાઓ પછી, કેટલાક મૂર્ખ લોકો તમને કહેશે, “બધું બરાબર થઈ જશે.” આધ્યાત્મિક માર્ગ પર રહેવું એ બધું ઠીક કરવા માટે નથી. જો તમે વસ્તુઓ બરાબર કરવા માંગતા હો, તો તમારે જ તેને ઠીક કરવું પડશે, છત્તા પણ, ફક્ત થોડીક વસ્તુઓ બરાબર થશે, બધું નહીં. આધ્યાત્મિક માર્ગ પર હોવાનો અર્થ આરામ મેળવવો નથી, પણ તમારા જીવનને ઝડપથી આગળ વધારવાનો છે. તેથી, તમે કલ્પના કરી હોય તેના કરતા વધુ વધઘટ તમારા જીવનમાં થઈ શકે છે. દસ વર્ષમાં જે બનવું જોઈએ, એ બે મહિનામાં થશે. તમારી પાસે હિંમત, ક્ષમતા અને તેને લેવાની સ્થિરતા છે કે કેમ તે પ્રશ્ન છે. જો તમે આરામની શોધમાં હોવ તો તમારે આધ્યાત્મિક માર્ગ પર ના હોવું જોઈએ.

જો તમે ઉદવિકાસી ઝડપથી ચાલવા માંગતા હોવ, તો ઘણો સમય લાગશે. બધુ કોઈક રીતે વિકસિત તો થશે જ, પણ અમે એ નથી જાણતા કે કેટલો સમય લાગશે. આધ્યાત્મિક બનવું એટલે આપણે ઉત્ક્રાંતિ પ્રક્રિયાને હરાવવા માગીએ છીએ. આપણી પાસે ઉત્ક્રાંતિ ગતિએ આગળ વધવાની ધીરજ નથી, આપણે ઘણું વધારે ઝડપથી જવા માગીએ છીએ. એકવાર તમે ગતિ ઇચ્છશો, તો તમે સ્થિરતા વિના મુશ્કેલીને નોતરશો.

સાધના, એક માપી રીતે, બનાવવામાં આવે છે જેથી એક તરફ તે સ્થિરતા ઉત્તપન્ન કરે છે, અને બીજી બાજુ તે ગતિ ઉત્તપન્ન કરે છે. જો તમે ખૂબ ઝડપી છો, તો પછી તે રોલરકોસ્ટર સવારી જેવું લાગે છે. રોલરકોસ્ટર તમને નિયંત્રણ બહાર હોવાનો અહેસાસ આપે છે. પરંતુ ખરેખર, તે એકદમ સલામત છે કારણ કે તે પાટા પર લોક છે જેના પર તે દોડે છે.

આધ્યાત્મિક પ્રક્રિયા આના જેવું જ છે. જો તમે આંતરિક પાટા પર ક્લેમ્પ્ડ કર્યું હોય, તો બધું જંગલી અને વિચિત્ર થઈ શકે છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડતો નથી કારણ કે ત્યાં એક બિંદુ છે જે સ્થિર છે, જેથી કોઈ પણ રીતે તે પડશે નહીં. જો તમને ઉત્તેજના ન ગમતી હોય, જો તમે ઉત્તેજનાને સંભાળી ના શકો, તો તે ઘણી મુશ્કેલી ઊભી કરશે. પણ જો તમે ઉત્તેજનાનો આનંદ માણશો, તો રોલરકોસ્ટર એક સારી જગ્યા છે.

તેથી, આધ્યાત્મિક માર્ગ પર હોવાનું અર્થ એ નથી કે બધું ઠીક થઈ જશે. જો કંઇપણ નિશ્ચિત નથી અને બધું વિચિત્ર થઈ રહ્યું છે, તો પણ “હું સ્થિર છું તેથી મારી સાથે બધું બરાબર છે.”

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

ભારતે આપી દિવાળી ભેટ, નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું

ભારતે નેધરલેન્ડને 160 રનથી હરાવ્યું છે. ડચ ટીમને 411 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ આખી ટીમ 47.5 ઓવરમાં 250 રન પર જ સિમિત રહી ગઈ હતી. નેધરલેન્ડના છેલ્લા બેટ્સમેનને ભારતીય કેપ્ટન રોહિત શર્માએ આઉટ કર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય ટીમે 50 ઓવરમાં 4 વિકેટે 410 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે સદી ફટકારી હતી. ભારતના 410 રનના જવાબમાં નેધરલેન્ડની ટીમ 47.5 ઓવરમાં 250 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડ માટે તેજા નિદામાનુરુએ 39 બોલમાં સૌથી વધુ 54 રન બનાવ્યા હતા. બારાત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. આ સિવાય વિરાટ કોહલી અને રોહિત શર્માને 1-1 સફળતા મળી છે.

ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમીને 410 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ભારત તરફથી શ્રેયસ અય્યર (128 અણનમ) અને કેએલ રાહુલ (102)એ સદી ફટકારી હતી. આ વર્લ્ડ કપમાં ભારતનો બીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે. આ પહેલા શુભમન ગિલ 51, રોહિત શર્મા 61 અને વિરાટ કોહલીએ 51 અડધી સદી ફટકારી હતી. ODI ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત ભારતના ટોચના 5 ખેલાડીઓએ 50થી વધુ રન બનાવ્યા છે. કેએલ રાહુલે માત્ર 62 બોલમાં સદી ફટકારી હતી. રાહુલ હવે ભારત માટે વિશ્વમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

રાષ્ટ્રપતિ ભવનમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી

આજે દેશભરમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશના દરેક ભાગમાં લોકો દિવાળીની ઉજવણીમાં મગ્ન છે. સામાન્ય લોકો દિવાળીના તહેવારની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણા દેશમાં સર્વોચ્ચ હોદ્દા પર રહેલા રાજકારણીઓએ પણ દિવાળીની ઉજવણી કરી અને એકબીજાને મળ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીઓને રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવ્યા અને તેમને મળ્યા અને દિવાળીની શુભેચ્છા પાઠવી.

દિવાળીના અવસર પર રાષ્ટ્રપતિ મુર્મુના આમંત્રણ પર ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમના પત્ની ડૉ.સુદેશ ધનખર રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ધનખરે રાષ્ટ્રપતિ મુર્મુને ગુલાબનો ગુલદસ્તો આપીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન તેની પત્ની પણ હાજર હતી. વડાપ્રધાન પણ દિવાળીની શુભેચ્છા આપવા રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેઓ રાષ્ટ્રપતિ મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ ધનખરને મળ્યા અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી. પીએમ મોદીએ બંને લોકો સાથે લાંબા સમય સુધી બેસીને વાત કરી.

પિયુષ ગોયલ-સ્મૃતિ ઈરાની પણ રાષ્ટ્રપતિને મળ્યા હતા

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની પણ રાષ્ટ્રપતિ ભવનમાં જઈને રાષ્ટ્રપતિ મુર્મુને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે રાષ્ટ્રપતિને ફૂલોનો ગુલદસ્તો આપીને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. આ પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે દિવાળીના શુભ અવસર પર દરેકને મારી હાર્દિક શુભકામનાઓ. દિવાળીના શુભ અવસર પર, હું દેશ-વિદેશમાં વસતા તમામ ભારતીયોને મારા હૃદયપૂર્વકના અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.

PMની સૈનિકો સાથે દિવાળી

દરમિયાન, દિવાળીના અવસર પર પીએમ મોદી વહેલી સવારે હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા હતા. અહીં તેમણે સૈનિકો સાથે દિવાળી મનાવી અને પોતાના હાથે તેમને મીઠાઈ ખવડાવી. આ દરમિયાન તેમણે સરહદ પર થઈ રહેલી ગતિવિધિઓનો પણ હિસાબ લીધો હતો. જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તા સંભાળી છે ત્યારથી તેઓ દર વર્ષે સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ગયા વર્ષે તેઓ કારગિલ ગયા હતા, જ્યાં તેમણે સૈનિકો સાથે દિવાળી મનાવી હતી.

 

એનએસઈમાં મુહૂર્તના કામકાજ પ્રસંગે આશિષકુમાર ચૌહાણની રોકાણકારોને શુભેચ્છા સાથે સલાહ

મુંબઈ તા. 12 નવેમ્બર, 2023:  નેશનલ સ્ટોકસ એક્સચેન્જમાં રવિવારે સાંજે 6.15થી 7.15 દરમિયાન વિક્રમ સંવત 2080ના મુહૂર્તનાં કામકાજ થયાં હતાં. એ દરમિયાન નિફ્ટી 50 આગલા શુક્રવારના 19,425.35ના બંધથી 100.20 પોઈન્ટ્સ વધીને 19,525.55 થયો હતો.

આ પ્રસંગે એનએસઈના એમડી અને સીઈઓ આશિષ કુમાર ચૌહાણે કહ્યું કે મુહૂર્ત ટ્રેડિંગમાં આપણી સહિયારી આકાંક્ષાઓ પડઘાય છે. રોકાણકારો રજિસ્ટર્ડ મધ્યસ્થીઓ મારફત કામ કરે એને એનએસઈ ઉત્તેજન આપે છે. રોકાણકારોએ સાવચેત રહેવું જોઈએ અને રિટેલ રોકાણકારોએ ડેરિવેટિવ્ઝમાં કામકાજ કરવાનું ટાળવું જોઈએ, કારણ કે એકાદ દુખદ અનુભવ રોકાણકારને કાયમ માટે શેરબજારથી દૂર કરી દે છે. રોકાણકારોએ લાંબા ગાળાના ખેલાડી બનવું જોઈએ. તમારાં મૂડીરોકાણો ફળદાયી બનો અને આ દીવાળી તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિ લાવે એવી શુભકામના.

કોહલી, રોહિત શર્મા અને શુભમન ગિલે પણ કરી બોલિંગ, જુઓ Video

ODI વર્લ્ડ કપ 2023 માં, ભારતીય બેટ્સમેનોએ નેધરલેન્ડ્સ સામે ઘણા રન બનાવ્યા અને 410 રન બનાવ્યા. આ મેચમાં વિરાટ કોહલીએ 51 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે તેની 50મી ODI સદી ચૂકી ગયો હતો. તેના આઉટ થયા બાદ શ્રેયસ અય્યર અને લોકેશ રાહુલે સદીની ઇનિંગ્સ રમી હતી. જો કે આ મેચમાં વિરાટે પણ બોલ સાથે યોગદાન આપ્યું હતું. કોહલી નેધરલેન્ડની ઈનિંગની 23મી ઓવર નાખવા આવ્યો હતો અને તેના સ્પેલની બીજી ઓવરમાં તેણે વિપક્ષના કેપ્ટન ચાર્લ્સ એડવર્ડ્સને પણ આઉટ કર્યો હતો. કોહલી આ વર્લ્ડ કપમાં બીજી વખત બોલિંગ કરતો જોવા મળ્યો હતો. આ પહેલા તેણે બાંગ્લાદેશ સામેની મેચમાં બોલિંગ કરી હતી. તે મેચમાં તેણે માત્ર ત્રણ બોલ નાખ્યા અને હાર્દિકની ઓવર પૂરી કરી.


કોહલીએ આ મેચમાં સંપૂર્ણ સ્પેલ કર્યો હતો. તેણે પ્રથમ ઓવરમાં સાત રન આપ્યા, પરંતુ છેલ્લા બોલમાં જે ચાર આવ્યા તે બહારના કિનારેથી હતા. જો સ્લિપ હોત તો વિરાટને વિકેટ મળી ગઈ હોત. જો કે, પછીની ઓવરમાં કોહલીએ તેની ભરપાઈ કરી અને ઓવરના ત્રીજા બોલમાં વિકેટ પણ લીધી. આ તેની ODI કારકિર્દીની પાંચમી વિકેટ હતી.

બેંગ્લોરના ચાહકોને કોહલીની બોલિંગ ઘણી પસંદ આવી. કોહલી બોલિંગ કરવા આવ્યો કે તરત જ આખું મેદાન ગૂંજી ઊઠ્યું. આ પછી જ્યારે તેણે વિકેટ લીધી ત્યારે તમામ ફેન્સ સેલિબ્રેશનમાં ઉમટી પડ્યા હતા. કોહલીની બોલિંગ ભારત માટે મહત્વની છે, કારણ કે સેમીફાઈનલ અને ફાઈનલ મેચમાં જો કોઈ બોલર ઈજાગ્રસ્ત થાય છે તો ટીમ ઈન્ડિયા મુશ્કેલીમાં મુકાઈ શકે છે. કોહલી નેટ્સમાં પણ ઘણી બોલિંગ કરતો જોવા મળ્યો છે. વિરાટ કોહલી બાદ આ મેચમાં શુભમન ગીલે પણ બોલિંગ કરી હતી. ભારતીય બેટ્સમેનોની બોલિંગ ન કરવી ટીમ માટે ચિંતાનો વિષય રહ્યો છે, પરંતુ રોહિત-દ્રવિડની જોડી આ નબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

ભારતના નવ ખેલાડીઓએ બોલિંગ કરી હતી

આ મેચમાં ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. રોહિત શર્માએ 11માંથી 9 ખેલાડીઓને બોલિંગ કરી હતી. માત્ર કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરે બોલિંગ કરી ન હતી. ટીમના સિનિયર ખેલાડી વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ એક-એક વિકેટ લીધી હતી. શુભમન ગિલ અને સૂર્યકુમાર યાદવને પણ બોલિંગ કરવાની તક મળી હતી. ભારત તરફથી મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે બે-બે વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને આ મેચમાં એક પણ સફળતા મળી નથી.