Home Blog Page 2265

નરેન્દ્ર મોદી 2023ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિઃ સર્વે

તાજેતરમાં યોજાયેલી રાજ્યોની ચૂંટણીઓમાં ભાજપની નોંધપાત્ર વિજયને જોતાં એક સર્વેમાં ભારતના રાજકીય ક્ષેત્રમાં પ્રભાવની જાહેર ધારણા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ રાજકીય પરિદ્રશ્ય પર પ્રતિબિંબ પાડતાં 60 ટકા ઉત્તરદાતાઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની 2023ની સૌથી પ્રભાવશાળી વ્યક્તિ તરીકે પસંદગી કરી છે.

આ ધારણાને પ્રધાનમંત્રીના સક્રિય આંતરરાષ્ટ્રીય આયોજનો દ્વારા વધુ વેગ મળ્યો છે, જેમાં G20 સમિટમાં તેમની મુખ્ય ભૂમિકા અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની હાજરીને વધારવાની દિશામાં તેમના પ્રયાસોનો સમાવેશ થાય છે. આ ઘટનાઓને કારણે ઘણા લોકોમાં ઉત્સાહમાં વધારો થયો છે, જે આ વર્ષે નરેન્દ્ર મોદીની મહત્વપૂર્ણ પ્રભાવક તરીકેની સ્વીકૃતિમાં વધારામાં યોગદાન આપે છે.

પાંચ રાજ્યોની ચૂંટણીઓને 2024ની લોકસભાની ચૂંટણીની શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે, ત્યારે ડિસેમ્બરનો CSI રિપોર્ટ રાજકીય વલણોમાં લોકોના ઊંડા રસ તરફ નિર્દેશ કરે છે. 67 ટકા જેટલા નોંધપાત્ર પ્રમાણમાં ઉત્તરદાતાઓએ આ નિર્ણાયક ચૂંટણીઓના એગ્ઝિટ પોલ જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, જે સંભવિત પરિણામો અને તેમની અસરો વિશે ઉચ્ચ સ્તરનું જોડાણ અને ઉત્સુકતા દર્શાવે છે. તેનાથી વિપરીત, સર્વેક્ષણમાં સામેલ 32 ટકા લોકો પોલ જોવા નથી માગતા, જે લોકોમાં રાજકીય બાબતોમાં રસ અને જોડાણના વિવિધ સ્તરો સૂચવે છે.

આ સર્વેક્ષણે ભારત સરકારની મુખ્ય આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારત- જન આરોગ્ય યોજનામાં જનજાગૃતિ અને ભાગીદારી પર પ્રકાશ પાડ્યો હતો. તેમાં સામે આવ્યું હતું કે 27 ટકા ઉત્તરદાતાઓ આ યોજનાથી વાકેફ છે, પરંતુ તેમણે યોજના સાથે જોડાવા માટેનાં પગલાં નથી ભર્યાં. જે આ યોજના વિશે જાગરુકતાનું નોંધપાત્ર સ્તર સૂચવે છે, તેમ છતાં જાગૃતિ અને કાર્યો વચ્ચેનો તફાવત દર્શાવે છે. બીજી બાજુ, 28 ટકા ઉત્તરદાતાઓ યોજનાથી માહિતગાર છે અને યોજનામાં સક્રિયપણે નોંધણી પણ કરાવી છે, જે તેમને પૂરા પાડવામાં આવેલા સ્વાસ્થ્ય લાભોને મેળવવા માટેનું સકારાત્મક વલણ દેખાડે છે.

આ સર્વેક્ષણે ભારતમાં સ્વાસ્થ્ય સેવાઓના ડિજિટાઇઝેશનના મુખ્ય ઘટક એવા 14-આંકડાના આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (ABHA) કાર્ડ અંગે જનતાને સ્વીકૃતિ અને જાગરૂકતા પૂરા પાડ્યા છે. તેમાં સામે આવ્યું છે કે 84 ટકા ઉત્તરદાતાઓ, ABHA કાર્ડ વિશે અજાણ છે, જે આ મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલમાં જ્ઞાનના નોંધપાત્ર અંતરને દર્શાવે છે. બીજી તરફ નવ ટકા ઉત્તરદાતાઓએ સક્રિયપણે ABHA કાર્ડ મેળવ્યું છે, જે લોકોમાં એક સ્તર સુધીનું જોડાણ અને ઉત્સાહ દેખાડે છે. સાત ટકા ઉત્તરદાતાઓ એવા પણ છે, જેઓ ABHAથી વાકેફ તો છે, પણ તેમની પાસે કાર્ડ નથી.

આ સર્વે એવા વર્ષમાં ભારત માટે એક ટોચના સીમાચિહ્નરૂપ મિશનની ઓળખ કરે છે, જે ICC વર્લ્ડ કપ અને G20 સમિટ સહિતની નોંધપાત્ર ઈવેન્ટથી ભરપૂર છે. 54 ટકા જેટલી મોટી સંખ્યામાં ઉત્તરદાતાઓએ ચંદ્રયાન-3 ચંદ્ર મિશનને વર્ષનું સૌથી નિર્ણાયક સીમાચિહ્ન ગણાવ્યું હતું.

અગ્રણી કન્ઝ્યુમર ડેટા ઇન્ટેલિજન્સ કંપની- એક્સિસ માય ઇન્ડિયા, ઈન્ડિયા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ (CSI)ની નવીનતમ બાબતો જાહેર કરી રહી છે. આ સર્વે પરિવારની આવક, ખર્ચ અને વપરાશની પદ્ધતિ અંગેનો ઉંડાણપૂર્વકનો ડેટા પૂરો પાડે છે, જે આ વર્ષે દેશની આર્થિક સ્થિતિ અંગેની સેન્ટિમેન્ટ્સને ઉજાગર કરે છે.

  CSI રિપોર્ટ પર ટિપ્પણી કરતાં એક્સિસ માય ઇન્ડિયાના ચેરમેન અને એમડી પ્રદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી રાજ્યોની ચૂંટણીઓએ ભારતના રાજકીય પરિદ્રશ્યમાં નવેસરથી રસ જગાડ્યો છે, જે લોકોમાં વધુ ઊંડી અને વધુ સૂક્ષ્મ સમજણને પ્રતિબિંબિત કરે છે. રાજકારણ ઉપરાંત પણ આપણા દેશના વૈજ્ઞાનિક પ્રયાસો પ્રત્યે લોકોનું આકર્ષણ વધી રહ્યું છે, જે ઈનોવેશન અને પ્રગતિ માટેની વ્યાપક કદરને દર્શાવે છે. આપણે જેમ લોકસભાની ચૂંટણીની નજીક જઈ રહ્યા છીએ, ત્યારે એ સ્પષ્ટ છે કે આ ઘટનાઓ આપણા રાષ્ટ્રીય સ્તરના વાર્તાલાપના મૂળ તત્વને આકાર આપી રહી છે. જે એક એવા સમાજનું પ્રતિબિંબ તૈયાર કરે છે.

PM મોદીએ રેવંત રેડ્ડીને તેલંગાણાના સીએમ બનવા બદલ અભિનંદન પાઠવ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેનારા રેવંત રેડ્ડીને અભિનંદન આપ્યા છે. આ સાથે પીએમ મોદીએ રાજ્યના વિકાસ માટે શક્ય તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.  રેવંત રેડ્ડીએ ગુરુવારે તેલંગાણાના ત્રીજા મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આયોજિત આ કાર્યક્રમમાં લાખો લોકોની હાજરીમાં રાજ્યપાલ તમિલિસાઈ સુંદરરાજને રેવંત રેડ્ડી અને તેમના કેબિનેટ સાથીદારોને શપથ લેવડાવ્યા હતા. રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટ રેડ્ડી, એસ. દુદિલ્લા શ્રીધર બાબુ, પોંગુલેબ શ્રીનિવાસ રેડ્ડી, પોનમ પ્રભાકર, સોટ. કોંડા સુરેખા, ડી. અનસૂયા સીથાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, કૃષ્ણા રાવ અને ગદ્દમ પ્રસાદ કુમારે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંસદીય પક્ષ (CPP) અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા જેવા મોટા નેતાઓ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. આ સિવાય કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર, સીપીઆઈના મહાસચિવ ડી. રાજાએ પણ શપથ ગ્રહણમાં ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે તેલંગાણામાં કોંગ્રેસ નેતાએ મંત્રીને પોતાના ચૂંટણી પ્રચારના વડા બનાવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ, પાર્ટીએ શાસક BRS ને હરાવ્યું અને 119 માંથી 64 બેઠકો જીતી. જૂન 2014માં તેલંગાણાની રચના બાદ રાજ્યમાં પહેલીવાર કોંગ્રેસની સરકાર બની છે.

દર શનિવારે પણ રજા: શું બેન્કકર્મીઓની માગણીનો સરકાર સ્વીકાર કરશે?

મુંબઈઃ જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓને કામકાજ માટે પાંચ-દિવસના અઠવાડિયાનો નિયમ જોઈએ છે. એમને દર રવિવાર ઉપરાંત દર શનિવારે પણ સત્તાવાર રજા જોઈએ છે. કેન્દ્રના રાજ્યકક્ષાના નાણાં પ્રધાન ભાગવત કરાડે કહ્યું છે કે ઈન્ડિયન બેન્ક્સ એસોસિએશને સરકારને પ્રસ્તાવ આપ્યો છે જેમાં જણાવાયું છે કે જાહેર ક્ષેત્રની બેન્કોના કર્મચારીઓ માટે પાંચ-દિવસના કામકાજના સપ્તાહનો નિયમ લાગુ કરવામાં આવે. 2015ની સાલથી દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કો દર મહિને રવિવાર ઉપરાંત દર બીજા અને ચોથા શનિવારે બંધ રહે છે. હવે એમણે પાંચ-દિવસના વર્ક વીકની માગણીને અમલમાં મૂકવાનો આગ્રહ કર્યો છે.

સરકારી બેન્કોના કર્મચારીઓએ ડિસેમ્બરના મધ્ય ભાગથી એમના પગારમાં 15-20 ટકાનો વધારો કરવાની અને પાંચ-દિવસનું વર્ક વીક લાગુ કરવાની માગણી રજૂ કરી છે. બેન્કોના યૂનિયનો અને એસોસિએશનો તથા આઈબીએ વચ્ચે આ મુદ્દે એક સમજૂતી કરવામાં આવી છે. આઈબીએ દેશની જાહેર તેમજ ખાનગી ક્ષેત્રની બેન્કો, સહકારી બેન્કો, પ્રાદેશિક ગ્રામિણ બેન્કો, ભારતમાં પ્રવૃત્ત વિદેશી બેન્કો અને દેશની તમામ નાણાં સંસ્થાઓનાં કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરે છે.

રેવંત રેડ્ડીએ તેલંગાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

તેલંગાણામાં શાનદાર જીત બાદ કોંગ્રેસે મુખ્યમંત્રી તરીકે રેવંત રેડ્ડીની જાહેરાત કરી હતી. રેવંત રેડ્ડીએ આજે તેલંગાણાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા. હૈદરાબાદના એલબી સ્ટેડિયમમાં આ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યપાલે  લાખો લોકોની હાજરીમાં રેવંત રેડ્ડીને શપથ લેવડાવ્યા હતા. રેવંત રેડ્ડીની સાથે મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. આ ઉપરાંત નલમદા ઉત્તમ કુમાર રેડ્ડી, સી. દામોદર રાજનરસિમ્હા, કોમાતિરેડ્ડી વેંકટા રેડ્ડી, દુડિલા શ્રીધર બાબુ, પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડી, પોનમ પ્રભાકર, કોંડા સુરેખા, ડી. અનસૂયા સીથાક્કા, તુમ્માલા નાગેશ્વર રાવ, જુપલ્લી કૃષ્ણ કુમાર રાવ, ગાદલ કૃષ્ણા રાવે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા છે.

 

શપથ ગ્રહણ સમારોહમાં કોણે હાજરી આપી હતી?

શપથ ગ્રહણ સમારોહમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,  સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, દીપેન્દ્ર હુડ્ડા જેવા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. આ સિવાય કોંગ્રેસના અન્ય ઘણા વરિષ્ઠ નેતાઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન સુખવિંદર સિંહ સુખુ, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર અને સીપીઆઈના મહાસચિવ ડી. રાજા રેવંત રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામો આવ્યા બાદ મુખ્યમંત્રી પદની રેસમાં ઘણા નામ સામે આવ્યા હતા. અચાનક સમાચાર આવ્યા કે રેવંત રેડ્ડી રાજ્યના સીએમ બનશે અને તેઓ સોમવારે સાંજે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પછી પાર્ટીના કેટલાક નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું અને શપથ ગ્રહણ સમારોહ રદ કરવો પડ્યો. આ પછી પાર્ટીના હાઈકમાન્ડે દિલ્હીમાં રેવંત રેડ્ડીના નામની જાહેરાત કરી. જણાવવામાં આવી રહ્યું છે કે છ વખત ધારાસભ્ય અને કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડી અને મલ્લુ ભટ્ટીએર્કે રેવંત રેડ્ડીનો વિરોધ કર્યો હતો.

રેવંત કોંગ્રેસના પ્રચારનો ચહેરો હતો

રેવંત રેડ્ડીના વિરોધીઓએ તેમને સીએમ બનતા રોકવાનો પૂરો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પક્ષના ટોચના નેતાઓની પ્રથમ પસંદગી રહ્યા. તેલંગાણામાં ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા અને પછી પણ તેઓ BRS વિરુદ્ધ કોંગ્રેસના અભિયાનનો ચહેરો રહ્યા હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 119માંથી 64 બેઠકો જીતી છે.

MPમાં 205 વિધાનસભ્યો કરોડપતિ, ભાજપના નેતા સૌથી શ્રીમંત

ભોપાલઃ મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આ વખતે ચોંકાવનારાં રહ્યાં છે. ભાજપને 163 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 66 સીટો જ જીતી શકી છે. મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભ્યોમાંથી 205 વિધાનસભ્યો કરોડપતિ છે. એ આંકડો વર્ષ 2018ની તુલનાએ આઠ ટકા વધ્યો છે. ત્યારે 81 ટકા એટલે કે 187 વિધાનસભ્યો કરોડપતિ હતા,એમ એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)નો રિપોર્ટ કહે છે.

રાજ્યમાં કરોડપતિ વિધાનસભ્યોમાંથી 144 વિધાનસભ્યો ભાજપ અને 61 વિધાનસભ્યો કોંગ્રેસના છે. જીતેલા બધા 230 વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 11.77 કરોડ છે. વર્ષ 2018માં વિધાનસભ્યોની સરેરાશ સંપત્તિ રૂ. 10.17 કરોડ હતી. જોકે વાર્ષિક આવક મામલામાં ભાજપના વિધાનસભ્ય સંજય પાઠક આગળ છે.

જો સૌથી શ્રીમંત વિધાનસભ્યની વાત કરીએ તો રતલામ સિટીથી ચૂંટાયેલા ભાજપના વિધાનસભ્ય ચેતન્ય કશ્યપ સૌથી શ્રીમંત છે. તેમની કુલ સંપત્તિ રૂ. 296 કરોડથી વધુ છે.  બીજા ક્રમે ભાજપના જ સંજય સત્યેન્દ્ર પાઠક છે. સંજય કટની જય રાઘવગઢ સીટથી વિધાનસભ્ય છે. તેમની કુલ સંપત્તિ રૂ. 242 કરોડ છે. સંજય પાઠક વર્ષ 2018માં જીતનારા રાજ્યના સૌથી શ્રીમંત વિધાનસભ્ય હતા. ત્રીજા ક્રમાંકે કોંગ્રેસના પ્રદેશ અધ્ય કમલનાથ છે, જેમની કુલ સંપત્તિ રૂ. 134 કરોડ છે.

સૌથી ઓછી સંપત્તિવાળા ત્રણ વિધાનસભ્યો છે, જેમાં ભારત આદિવાસી પાર્ટીના એકમાત્ર વિધાનસભ્ય કમલેશ્વર ડોડિયાર છે, જેની કુલ સંપત્તિ રૂ. 18 લાખ છે. બીજા ક્રમે ભાજપના સંતોષ વરકડે છે, જેમની કુલ સંપત્તિ આશરે રૂ. 25 લાખ છે અને ત્રીજા ક્રમાંકે ભાજપનાં કંચન મુકેશ તન્વે છે, જેમની કુલ સંપત્તિ રૂ. 26 લાખ છે.

 

 

 

 

પેટ્રોલમાં મિક્સ કરવા ઈથેનોલના ઉત્પાદનમાં શેરડીના રસના ઉપયોગ પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ સાકરના કારખાના માલિકો અને ઈન્વેસ્ટરોને ધક્કો લાગે એવા સમાચાર છે. કેન્દ્ર સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે કે પેટ્રોલમાં મિક્સ કરવા માટે ઈથેનોલનું ઉત્પાદન કરવા માટે શેરડીનો રસ કે શુગર સિરપનો ઉપયોગ કરવો નહીં. સરકારે કહ્યું છે કે આ ઓર્ડર તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે.

દેશમાં સાકરના ભાવને અંકુશમાં રાખવા માટે સરકારે આ જાહેરાત કરી છે. દેશમાં મુખ્ય સાકર ઉત્પાદક રાજ્યો – કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ચોમાસામાં ઓછો વરસાદ પડતાથી સાકરનું ઉત્પાદન ઓછું થયું છે. તેથી સરકારે દેશમાં સાકરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય જાહેર કર્યો છે.

કેન્દ્રના ફૂડ પ્રોસેસિંગ મંત્રાલય તરફથી દેશની તમામ સાકર મિલો અને ડિસ્ટીલરીઝના મેનેજિંગ ડાઈરેક્ટરો અને ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસરોને મોકલવામાં આવેલા પત્રમાં સરકારે જણાવ્યું છે કે સાકરના કારખાનાઓ પેટ્રોલમાં મિશ્રણ કરવા માટે આવશ્યક્તા પૂરી કરવા માટે બી-હેવી મોલાસીસમાંથી ઈથેનોલનું ઉત્પાદન ચાલુ રાખી શકે છે.

સરકાર પુશ નોટિફિકેશન દ્વારા મોબાઇલ પર રાખી રહી છે નજરઃ રોન વિડેન

વોશિંગ્ટનઃ વિદેશી સરકારો ગૂગલ અને સ્માર્ટફોન યુઝર્સ પર પુશ નોટિફિકેશન દ્વારા નજર રાખી રહી છે, એમ અમેરિકી સેનેટરે કહ્યું હતું. ન્યાય વિભાગને લખેલા પત્રમાં સેનેટર રોન વિડેને કહ્યું હતું કે વિદેશી અધિકારી આલ્ફાબેટના ગૂગલ અને એપલથી ડેટાની માગ કરી રહી છે. વાસ્તવમાં બધા પ્રકારના મોબાઇલ એપ્સ પુશ નોટિફિકેશન દ્વારા તમને અપડેટ કે એલર્ટ આપે છે.

આ નોટિફિકેશન મેસેજ અપડેટ, ન્યૂઝ, સ્કોર વગેરે દ્વારા ગૂગલ કે એપલના સર્વર થઈને તમારા સુધી પહોંચે છે. એનાથી ગૂગલ અને એપલને એ માલૂમ પડી જાય છે કે એપ્સથી કેટલાય ટ્રાફિક યુઝર્સ સુધી જાય છે અને એ ડેટા કંપનીઓ સરકારની સાથે શેર કરી શકે છે. સર્વરના માધ્યમથી ફોર્વર્ડ થવાને કારણે તમારું ગૂગલ એકાઉન્ટ, કઈ એપથી ક્યારે કોઈ નોટિફિકેશન ગયું છે અને કયા મોબાઇલ ફોનમાં ગયું છે, એ તમામ પ્રકારની માહિતી કંપનીઓ સરકારને આપી શકે છે.

તેમના પત્ર પર એપલે કહ્યું હતું કે ફેડરલ સરકારે અમને કોઈ પણ માહિતી શેર કરવાથી મનાઈ કરી છે એટલે કે સરકારે એના પર પ્રતિબંધ લગાવ્યો છે. તેમણે માહિતીના સ્રોત તરીકે એક ટિપનો હવાલો આપ્યો હતો. જોકે તેમના કર્મચારીએ ટિપ વિશે વિસ્તારપૂર્વક નથી જણાવ્યું, પરંતુ આ મામલાથી એક પરિચિત સૂત્રએ પુષ્ટિ કરી હતી કે વિદેશી અને અમેરિકી સરકારી એજન્સીઓ- બંને એપલ અને ગૂગલથી પુશ નોટિફિકેશન પાસેથી સંબંધિત મેટાડેટા માગી રહી છે. સ્માર્ટફોન યુઝર્સ પુશ નોટિફિકેશન પર વધુ ધ્યાન નથી આપતા, પણ ટેક દિગ્ગજોનું એના પર ધ્યાન ગયું છે.

 

 

 

ગર્લફ્રેન્ડને આત્મહત્યા c મજબૂર કરવા બદલ ‘પુષ્પા’ ફિલ્મના અભિનેતા જગદીશની ધરપકડ

હૈદરાબાદઃ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઈઝ’માં ભૂમિકા ભજવનાર અભિનેતા જગદીશ પ્રતાપ બંડારીની શહેરની પોલીસે આજે ધરપકડ કરી છે. તેની પર આરોપ છે કે એણે તેની ગર્લફ્રેન્ડ, જે એક જુનિયર આર્ટિસ્ટ હતી, તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરી હતી. યુવતીએ ગઈ 29 નવેમ્બરે આત્મહત્યા કરી હતી. તેને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાનો યુવતીનાં પરિવારજનોએ જગદીશ પર આરોપ મૂક્યો છે. પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે જગદીશની ધરપકડ કરી છે.

અહેવાલ અનુસાર, પોલીસ તપાસમાં એવું માલૂમ પડ્યું છે કે જગદીશ અને તે યુવતી લિવ-ઈન રિલેશનશિપમાં હતાં. જગદીશે એક વીડિયો બનાવ્યો હતો અને તેના દ્વારા એ પેલી યુવતીને બ્લેકમેલ કરતો હતો. એણે યુવતીને ધમકી આપી હતી કે પોતે એની ખાનગી તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે. એને પગલે યુવતીએ પોતાનું જીવન ટૂંકાવી દેવાનું અંતિમ પગલું ભર્યું હતું. યુવતીનાં મૃત્યુ બાદ જગદીશ ફરાર થઈ ગયો હતો. આખરે પોલીસે એને પકડી લીધો છે.

જગદીશની ધરપકડ અંગે જગદીશ તથા એના મિત્રએ હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.

‘પુષ્પા’ ફિલ્મમાં જગદીશે અલ્લૂ અર્જુનના પાત્રના જમણા હાથ સમાન મિત્ર કેશવની ભૂમિકા ભજવી હતી. આખી ફિલ્મમાં એ અનેક વાર અલ્લૂ અર્જુન સાથે જોવા મળ્યો હતો.

કાર્તિકેય વિક્રમ સારાભાઈ સાથે એક યાદગાર સાંજ

મુંબઈઃ રોટરી ક્લબ ઑફ ક્વીન સિટી તથા ‘ડી ઍન્ડ જે ફાઉન્ડેશન’ના સ્થાપક રમેશ જૈન દ્વારા આયોજિત ‘બીતે કલ કો સલામ’ની એ કાર્યક્રમની શ્રેણીમાં પાંચ ડિસેમ્બરે પદ્મશ્રી કાર્તિકેય વિક્રમ સારાભાઈનું સમ્માન તથા એમની સાથે એક સંવાદનો કાર્યક્રમ મુંબઈના નેહરુ સેન્ટર સ્થિત જેડ બૉલરૂમમાં યોજાઈ ગયો.

‘એન્વાયરમેન્ટ એજ્યુકેશન સેન્ટર’ના ફાઉન્ડર અને ડિરેક્ટર તથા ભારતમાં પર્યાવરણના શિક્ષણ અંગે જાગૃતિ લાવી રહેલા 76 વર્ષીય કાર્તિકેય સારાભાઈ મિનિસ્ટ્રી ઑફ એન્વાયર્નમેન્ટ, ફૉરેસ્ટ અને મિનિસ્ટ્રી ઑફ હ્યુમન રિસોર્સીસ સાથે સંકળાયેલી વિવિધ કમિટીમાં કામ કર્યું છે.

પોતાના વક્તવ્યના આરંભમાં કાર્તિકેય સારાભાઈએ પોતાના પરિવાર વિશેની સુખદ સ્મૃતિ વાગોળી હતી. જેમ કે, 1920માં ગુજરાતી સાહિત્ય પરિષદ વતી રવીન્દ્રનાથ ટાગોરને અમદાવાદ બોલાવવાના હતા ત્યારે એ આમંત્રણ મહાત્મા ગાંધી દ્વારા મોકલવામાં આવ્યું. તે વખતે રવીન્દ્રનાથના અમદાવાદમાં ઉતારાની વ્યવસ્થા કાર્તિકેયભાઈના દાદાજી અંબાલાલ સારાભાઈએ પોતાના નિવાસસ્થાનમાં કરેલી. એ રીતે રવીન્દ્રનાથ ટાગોરનો સારાભાઈપરિવાર સાથે ઘરોબો બંધાયો.

પોતાના વ્યક્તિઘડતરમાં દાદાજી-ફોઈ-પિતા તથા જૈનસંસ્કારે કેટલો મહત્વનો ભાગ ભજવ્યો છે એ જણાવતાં કાર્તિકેયભાઈએ કહ્યું કે “1917ના ડિસેમ્બરમાં અમદાવાદમાં મજૂરોએ પગારવધારા માટે હડતાળ પાડી ત્યારે અંબાલાલ સારાભાઈ (કાર્તિકેયભાઈના દાદાજી)નાં બહેન ડૉ. અનસૂયાબહેન (કાર્તિકેયભાઈનાં ફોઈ) મજૂરો વતી લડત ચલાવતાં. આખો દિવસ એ મિલમાલિકો, જેમાં પોતાના નાના ભાઈ, અંબાલાલ સારાભાઈ (કેલિકો, જ્યુબિલી મિલ) પણ હતા, એમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા ને રાતે ભાઈ-બહેન સાથે જમવા બેસતાં. ત્રણેક મહિના બાદ પગારાવધારો માન્ય રાખવામાં આવ્યો. ભાઈ-બહેનના આ સૈદ્ધાંતિક સંઘર્ષને મહાદેવભાઈ દેસાઈએ ધર્મયુદ્ધ તરીકે ઓળખાવ્યું હતું. મજૂરો સાથે કામ કરવાના પોતાના અનુભવો તથા ગાંધીવિચારોથી પ્રેરાઈને અનસુયાબહેને મજૂરોના પ્રશ્નોના ઉકેલ માટે ‘મજૂર મહાજન સંઘ’ની સ્થાપના કરી.”

તો રવીન્દ્રનાથ ટાગોરે જેમને મેધાસંપન્નનું બિરુદ આપેલું એ ડૉ. વિક્રમ સારાભાઈ (કાર્તિકેયભાઈના પિતા) એટલે ભારતના પરમાણુ અને અવકાશયુગની તાસીર બદલનાર ભૌતિકવિજ્ઞાની, ‘ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી’, ‘અમદાવાદ ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રી રિસર્ચ ઍસોસિયેશન’ (‘અટિરા’), ‘ઈન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મૅનેજમેન્ટ’ તથા ‘કમ્યૂનિટી સાયન્સ સેન્ટર’ જેવી કંઈકેટલીય સંસ્થાઓના સર્જક, પ્રગતિશીલ ઉદ્યોગપતિ, કલા, વિજ્ઞાન અને શિક્ષણનો સમન્વય સાધનાર દ્રષ્ટા હતા.

પોતાના જીવનમાં આવેલા વળાંક વિશે જણાવતાં “કાર્તિકેયભાઈએ જણાવ્યું કે 1965માં હું લંડન અભ્યાસ કરવા ગયો. મારે પિતાના પગલે ફિઝિક્સ-મૅથ્સ ભણીને વિજ્ઞાની બનવું હતું, પણ 1967માં બિહારના ભીષણ દુષ્કાળ વિશે લંડન ટાઇમ્સમાં વાંચ્યું અને ફિઝિક્સ-મૅથ્સમાં આગળ વધવાને બદલે સમાજોદ્ધાર માટે ભારત આવવાનો નિર્ણય લીધો. અલબત્ત, એ પહેલાં એમઆઇટીમાં ભણતર પૂરું કર્યું, ડિગ્રી મેળવી. મારી ઈચ્છા પિતાને જણાવી. એમણે મને કારકિર્દી બદલવાની તથા જીવનમાં જે કરવું હોય એની મોકળા મને સંમતિ આપી.”

આ અવસરે કાર્તિકેયભાઈએ  હવામાનના બદલાતા મિજાજના સમયમાં શિક્ષક અને શિક્ષણ માટે પડકારો વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે “પ્રકૃતિ ક્યારેય કચરાનું સર્જન કરતી નથી, કચરો એ માનવીનું સર્જન છે. ક્લાઇમેટ ચેન્જના યુગમાં તમામ શિક્ષકોએ પર્યાવરણીય મુદ્દે જાગ્રત રહેવું પડશે અને આવનારી પેઢીને આ વિશે માહિતગાર કરવા પડશે. પ્રકૃતિના વિનાશથી ઊભા થયેલા વિવિધ પર્યાવરણીય પડકારો વિશે પણ તેમણે માહિતી આપી હતી.”

આમ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યમાં ડૂબકી લગાવી, કાર્તિકેયભાઈએ અઢળક અણમોલ રત્નો શ્રોતા સમક્ષ મૂક્યાં હતાં. આ દબદબાભેર કાર્યક્રમમાં પ્રિન્સિપાલ ચીફ કમિશનર- કસ્ટમ્સ તથા જીએસટી ડૉ. ઉમા શંકર, મેજર ડૉ. સુરેન્દ્ર પુનિયા, ‘સિયારામ મિલ્સ’ના જૉઈન્ટ મૅનેજિંગ ડિરેક્ટર પવન પોદ્દાર, ‘બીએમસી’ના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટે, સંગીતકાર આણંદજી, વગેરે જેવી વિવિધ ક્ષેત્રની નામાંકિત વ્યક્તિ ઉપસ્થિત રહી હતી.

(કેતન મિસ્ત્રી) 

 

 

1 ફેબ્રુઆરીના બજેટમાં કોઈ આકર્ષક જાહેરાતો કરાશે નહીં: નિર્મલા સીતારામન

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે કે વર્ષ 2024નું કેન્દ્રીય બજેટ આવતા વર્ષની 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરવામાં આવશે. એમાં કોઈ આકર્ષક જાહેરાતો કરવામાં નહીં આવે, કારણ કે આવતા વર્ષે જ લોકસભાની ચૂંટણી નિર્ધારિત છે તેથી 1 ફેબ્રુઆરીએ માત્ર વોટ-ઓન-એકાઉન્ટ જ હશે. લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર રચાય ત્યાં સુધી વર્તમાન સરકારના ખર્ચને પહોંચી વળવા પૂરતી જાહેરાતો જ 1 ફેબ્રુઆરીએ કરવામાં આવશે.

સીતારામને CII ગ્લોબલ ઈકોનોમિક પોલિસી ફોરમ ખાતે બોલતાં કહ્યું હતું કે આપણો દેશ આવતા વર્ષે ઉનાળાની મોસમ દરમિયાન યોજાનાર લોકસભાની ચૂંટણી માટે સુસજ્જ થશે. તેથી બ્રિટિશ પરંપરાનું અનુસરણ કરીને સરકાર આવતી 1 ફેબ્રુઆરીએ રજૂ કરનાર બજેટ વોટ ઓન એકાઉન્ટ તરીકે ઓળખાશે. એમાં કોઈ આકર્ષક જાહેરાતો કરવામાં નહીં આવે. તેથી જનતાએ લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર રચાય ત્યાં સુધી રાહ જોવી પડશે. નવી સરકાર જ જુલાઈ-2024માં દેશનું નવું સંપૂર્ણ બજેટ રજૂ કરશે.