નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં 166 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,03,341 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,308 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,69,194 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 173 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1091 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 2,20,67,78,453 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 114 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
દુબઈઃ ઓનલાઈન બેટિંગ (સટ્ટાખોરી)ની મોબાઈલ એપ મહાદેવ એપના બે મુખ્ય માલિકોમાંના એક, રવિ ઉપ્પલની દુબઈમાં સ્થાનિક પોલીસે ધરપકડ કરી છે. ભારતની તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાઈરેક્ટોરેટ (ઈડી)ની વિનંતી પર ઈન્ટરપોલ સંસ્થાએ ઈશ્યૂ કરેલી રેડ નોટિસના આધારે દુબઈ પોલીસે ઉપ્પલની ધરપકડ કરી છે. 43 વર્ષનો ઉપ્પલને ભારત લાવવા માટે ઈડી સત્તાવાળાઓ દુબઈના સત્તાવાળાઓ સાથે સંપર્કમાં છે.
ઈડી એજન્સીએ ગેરકાયદેસર સટ્ટાખોરી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં ઉપ્પલ સામે તપાસ આદરી છે. આ મામલે મુંબઈ અને છત્તીસગઢ પોલીસ પણ તપાસે કરે છે. ઈડી એજન્સીએ ઉપ્પલ ઉપરાંત ઈન્ટરનેટ-આધારિત પ્લેટફોર્મ મહાદેવ એપના અન્ય પ્રમોટર સૌરભ ચંદ્રાકર સામે પણ મની લોન્ડરિંગનો આરોપ મૂક્યો છે. આ કેસ ગયા ઓક્ટોબરમાં છત્તીસગઢના રાજધાની શહેર રાયપુરમાં સ્પેશિયલ પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કોર્ટમાં નોંધવામાં આવ્યો હતો.
ઈડીનો આરોપ છે કે ઉપ્પલે આ ગુનામાંથી આવક મેળવી હતી અને તેને છુપાડી હતી. તે ચંદ્રભૂષણ વર્મા નામના એક શખ્સ મારફત છત્તીસગઢના સરકારી અધિકારીઓ અને નેતાઓને ગેરકાયદેસર રીતે નાણાં પહોંચાડતો હતો. આ કેસમાં ગુનાખોરીની રકમ રૂ. 6,000 કરોડ જેટલી થવા જાય છે.
મુંબઈઃ દેશની અગ્રગણ્ય એરલાઈન કંપની એર ઈન્ડિયા નવા વર્ષથી નવા લુક સાથે ગ્રાહકો/વિમાનપ્રવાસીઓની સેવામાં હાજર થશે. જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ એર ઈન્ડિયાના કેબિન અને કોકપિટ ક્રૂ સભ્યોનાં નવા ગણવેશની ડિઝાઈન તૈયાર કરી છે. એર ઈન્ડિયાએ X પ્લેટફોર્મ પર આ સમાચાર, તસવીરો અને વીડિયો શેર કર્યાં છે. એર ઈન્ડિયાએ 60 વર્ષ પછી પોતાનાં કેબિન ક્રૂ અને પાઈલટ્સનાં યૂનિફોર્મમાં ફેરફારો કર્યા છે.
આ વીડિયો પરથી જોઈ શકાય છે કે મનીષ મલ્હોત્રાએ એર ઈન્ડિયાનાં ફ્લાઈટ એટેન્ડન્ટ્સનાં યૂનિફોર્મ્સને આધુનિક વળાંક આપ્યો છે. નવા યૂનિફોર્મ્સમાં રંગોની વિવિધતા અને કાલાતીત ડિઝાઈન જોવા મળે છે.
દર્શકોને સૌથી વધારે એ ગમ્યું છે કે અમુક ફ્લાઈટ એટેન્ડન્ટ્સ સાડી અને પેન્ટમાં જોવા મળી છે. આ ભારતીય-પશ્ચિમી લુક ખૂબ જ કમ્ફર્ટેબલ જણાય છે.
એર ઈન્ડિયાનાં વિમાનકર્મીઓ આ નવા ડ્રેસ સાથે નવા વર્ષના અંતભાગમાં, સૌ પ્રથમ A350 વિમાનમાં જોવા મળશે. એર ઈન્ડિયા પાસે 10,000થી વધારે ફ્લાઈટ ક્રૂ સભ્યો, ગ્રાઉન્ડ સ્ટાફ અને સુરક્ષા કર્મચારીઓ છે. એર ઈન્ડિયાએ નવા 470 વિમાનોનો ઓર્ડર પણ આપ્યો છે.
મનીષ મલ્હોત્રાએ કહ્યું છે કે, ‘એર ઈન્ડિયાનાં કર્મચારીઓ માટે નવા ગણવેશની ડિઝાઈન તૈયાર કરવાની મને તક આપવામાં આવી એને હું મારું ગૌરવ સમજું છું.’
ઉલ્લેખનીય છે કે, મહાન ઉદ્યોગપતિ જે.આર.ડી. ટાટાએ શરૂ કરેલી એર ઈન્ડિયા સમય જતાં ભારત સરકારે પોતાને હસ્તક લીધી હતી. પરંતુ, હવે તે ફરી ટાટા ગ્રુપની માલિકીની થઈ ગઈ છે. 1962ની સાલ સુધી એર ઈન્ડિયાની મહિલા ક્રૂ સભ્યો સ્કર્ટ, જેકેટ અને હેટ પહેરતી હતી, પણ જે.આર.ડી. ટાટાએ એમનાં ગણવેશમાં મોટો ફેરફાર કરાવ્યો હતો. મહિલા ક્રૂ સભ્યો સાડી પહેરે તે આઈડિયા ટાટાનો હતો. એ સાડીઓ એમણે બિન્ની મિલ્સમાંથી ખરીદી હતી.
Introducing our new Pilot & Cabin crew uniforms, an ode to Air India’s rich history and a promise of a bright future.
These uniforms, envisioned by India’s leading couturier @ManishMalhotra, features three quintessential Indian colours – red, aubergine and gold, representing the… pic.twitter.com/Pt1YBdJlMN
નામ પ્રમાણે સદાય હસતાં અને ખુશખુશાલ રહેતાં હસમુખબહેન કાંતિલાલ ગાંધીની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
તેમનો જન્મ અમદાવાદ, પખાલીની પોળ(રાયપુર ચકલા)માં થયો હતો. તેમને ત્રણ ભાઈ…તેઓ એક જ બહેન, એટલે બાળપણ લાડકોડમાં ગયું. વનિતા વિશ્રામ(પાંચકુવા)માં અભ્યાસ કર્યો. 1950ની સાલમાં મેટ્રિક પાસ કરી. 1942ની લડત જોયેલી તે યાદ છે! તેમના સાત વર્ષે વિવાહ થયા અને 16 વર્ષે લગ્ન થયા! તેમનાં સાસુનો સ્વભાવ ઘણો સરસ હતો. તેમને સારો સપોર્ટ કરતાં અને રસોઈ પણ સરસ બનાવતાં!
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સવારે સાડા-છ-સાત વાગે ઊઠે. ટીવીમાં દર્શન કરે અને થોડીવાર આરામ કરે. ચોથી પેઢી મેહાન સાથે ઘરમાં સાત જણ રહે છે. ઘરમાંથી બહાર કામે જનાર, શાળાએ જનાર માણસોનું કામ પતી જાય પછી આઠ વાગે ઊઠી પોતાની ચા જાતે બનાવે. છાપુ વાંચે. સાફસુફી કરે. નાહી-ધોઈ 10.00 થી 12:30 સુધી શ્રીનાથજી, યમુનાજીના સેવા અને પૂજા-પાઠ કરે. જાતે પુષ્ટિમાર્ગી છે. 12:30 વાગ્યે જમે. પછી ટીવી જુએ. ‘રસોઈ શો’ તેમનો ફેવરીટ! ચાર વાગ્યા સુધી આરામ કરે પછી ચા પીએ. ભાગવત અને ધાર્મિક પુસ્તકો વાંચે. ટીવી ઉપર કથા કે પ્રવચન સાંભળે. દ્વારકેશલાલ મહારાજની કથા બહુ ગમે! દીકરો-વહુ અને ઘરનાં બધાં બહુ સારી રીતે રાખે છે.
શોખના વિષયો :
રસોઈ કરવાનો તથા ખાવા-ખવડાવવાનો શોખ! ઉત્તરાયણમાં ખીચડો તો તેમના જ હાથનો હોય! સમોસા બહુ સરસ બનાવે છે! બાળકો સાથે હોટલમાં પણ જાય અને ફરવા પણ જાય! કપડાનો શોખ, જુદી-જુદી સાડીઓ પહેરવાનો શોખ! ગરબા કરવાનો શોખ. વાંચન ગમે. આખું છાપુ વાંચી જાય. અંગ્રેજી છાપા પણ વાંચે! એકવાર પોસ્ટમાં અંગ્રેજીમાં સહી કરી તો પોસ્ટમેન આશ્ચર્ય પામી ગયો! પતિને LICમાં નોકરી હતી એટલે હજુ પેન્શન આવે છે. ફરવાનું ગમે, ચારધામ-યાત્રા તથા ચંપારણ્યની જાત્રા કરી છે. નેપાલ ફરી આવ્યા છે અને આખું અમેરિકા ફર્યાં છે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
કાન અને પગ થોડા વખતથી સાથ નથી આપતા, છતાં આ નવરાત્રીમાં માટલી માથે મૂકી અને ગરબો લીધો હતો! ઉંમર પ્રમાણે અને કોરોના થઈ ગયા પછી તબિયત થોડી ઢીલી છે. શ્વાસ ચડી જાય છે. કોરોના સુધી તો રિક્ષામાં કે બીઆરટીએસમાં બેસી યમુનાષ્ટકના પાઠ કરવા છેક મણિનગર સુધી જતાં! મોટા બંગલામાં વર્ષો સુધી હિંમતથી એકલાં રહેતાં!
યાદગાર પ્રસંગ:
જીવનમાં બધાંનો પ્રેમ મળ્યો છે અને એ પ્રેમને લીધે તેઓ ટકી ગયાં છે! અગવડ, દુઃખ, મુશ્કેલી ખાસ પડી નથી. દીકરીઓને પરણાવતાં બહુ દુઃખ થયું. બાળકો ઘરમાંથી અમેરિકા ગયા ત્યારે તેમને અમેરિકા માટે મનમાં આશ્ચર્ય રહેતું: ત્યાં લોકો શું ખાતા-પીતા હશે? કેવી રીતે રહેતા હશે? બે ભાણિયાઓએ તેમને અમેરિકા બોલાવ્યા અને આખું અમેરિકા ફેરવ્યું ત્યારે તેમને થયું કે અમેરિકામાં લોકો લહેર કરે છે! LAથી ન્યૂયોર્ક ફ્લાઇટમાં(વ્હીલ-ચેરની મદદથી) એકલાં ગયાં હતાં! અમેરિકામાં બેબી-શાવરનો પ્રસંગ પણ કર્યો અને વહુની બહેનનું લગ્ન પણ માણ્યું!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
મોબાઈલથી પરદેશ રહેતાં બાળકો સાથે વાત કરી લે છે. 90મી વર્ષગાંઠમાં ટચ-સ્ક્રીન વાળો નવો મોબાઈલ દીકરાઓએ ભેટ આપ્યો છે જેની ઉપર તેઓ નવું-નવું ઘણું શીખી રહ્યાં છે! દીકરાએ બધા કોડ પૂરા કર્યા છે તેનો આનંદ છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
બહુ જ ફેર પડી ગયો છે! પહેલાં સ્ત્રીઓ ઘરનાં બધાં કામ જાતે કરતી, તેમને લેવડદેવડમાં, ધંધામાં કે કામકાજમાં કંઈ ખબર પડતી નહીં. હવે સ્ત્રીઓ ઘણી આગળ વધી ગઈ છે, જે તેમને બહુ ગમે છે. તેઓ ઘરની સ્ત્રીઓને બહુ જ સપોર્ટ કરે છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો અને યુવાનો સાથે તેમને બહુ ફાવે છે! બધાંને ‘બા’ની કંપની ગમે છે. દીકરાના મિત્રો વર્લ્ડકપ જોવા ભેગા થાય તો બા પણ બધા સાથે મેચ જુએ! તેમને ત્રણ દીકરી, એક દીકરો તથા 17 માણસનું કુટુંબ છે. અડધું કુટુંબ અમેરિકામાં રહે છે! પિયરમાં પણ તેમનું બહુ માન છે, હમણાં જ ભત્રીજાના લગ્ન પિયરમાં માણીને આવ્યાં છે! ચોથી પેઢી સાથે બહુ માયા છે! ચોથી પેઢીના મેહાનના જન્મ વખતે પ્રેગ્નેન્ટ વહુ માટે તપેલી ભરીને લાપસી કરી હતી!
સંદેશો :
શાંતિથી જીવો! એડજસ્ટ થાવ! રોંદણાં રડવાં નહીં! શરીરને પંપાળવાનું નહીં અને તકલીફોથી ડરવાનું નહીં!
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
સૂર્યકુમાર યાદવની કપ્તાનીવાળી ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર T20 શ્રેણી રમી રહી છે. વરસાદના કારણે પ્રથમ મેચ રદ્દ થયા બાદ બીજી T20 ગકેબરહાના સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાઈ રહી છે. પ્રથમ બેટિંગ કરીને, ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ T20 માં સૌથી ઝડપી 2000 રન બનાવનાર મેન ઇન બ્લુનો બીજો ખેલાડી બન્યો. આ સિવાય તે ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર ચોથો ભારતીય બેટ્સમેન બન્યો.
સૂર્યા પહેલા વિરાટ કોહલીએ ટી20માં ભારત માટે સૌથી ઝડપી 2000 રન પૂરા કર્યા હતા. જ્યારે T20Iમાં સૌથી ઝડપી 2000 રન બનાવનારની આ યાદીમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ ટોપ નંબર પર છે. બાબર T20Iમાં 52 ઇનિંગ્સમાં સૌથી ઝડપી 2000 રન પૂરા કરનાર હતો. ત્યારબાદ આ યાદીમાં પાકિસ્તાનનો વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પણ સંયુક્ત પ્રથમ સ્થાન પર છે, જેણે ફોર્મેટમાં 2000 રન પૂરા કરવા માટે 52 ઇનિંગ્સ પણ લીધી હતી.
સૂર્યાએ 56 T20 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા
ત્યારબાદ પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી બીજા, સૂર્યકુમાર યાદવ સંયુક્ત રીતે બીજા અને કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે. સૂર્યાએ કેએલ રાહુલને પાછળ છોડ્યો છે. સૂર્યાએ 56 T20 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા, જ્યારે કેએલ રાહુલે 58 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો. જ્યારે વિરાટ કોહલીએ T20Iમાં 56 ઇનિંગ્સ રમીને 2000 રન પૂરા કર્યા, જે સૂર્યકુમાર યાદવની બરાબર છે.
T20 ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 2000 રન બનાવનાર બેટ્સમેન (ઈનિંગ્સની દ્રષ્ટિએ)
52 ઇનિંગ્સ – બાબર આઝમ
52 ઇનિંગ્સ – મોહમ્મદ રિઝવાન
56 ઇનિંગ્સ – વિરાટ કોહલી
56 ઇનિંગ્સ – સૂર્યકુમાર યાદવ*
58 ઇનિંગ્સ – કેએલ રાહુલ.
T20Iમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ અત્યાર સુધી 107 ઇનિંગ્સમાં 4008 રન બનાવ્યા છે. આ સિવાય રોહિત શર્મા T20Iમાં ભારત માટે બીજા સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે, કેએલ રાહુલ ત્રીજો અને સૂર્યકુમાર યાદવ ચોથો બેટ્સમેન બની ગયો છે.
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે T-20 શ્રેણીની બીજી મેચ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહી છે. ત્રણ મેચની આ શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે રમાઈ શકી ન હતી, બીજી મેચ પણ વરસાદના છાયામાં રમાઈ રહી છે. આ મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરવાની છે. સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાએ આ સીરીઝમાં મેદાન માર્યું છે, આ સીરીઝથી સ્પષ્ટ થઈ જશે કે ભારતીય ટીમ ટી20 વર્લ્ડ કપ 2024 પહેલા કેવી તૈયારી કરે છે.
નડિયાદ : હમણાં ભારતભરમાંથી વિદેશ ફરવા, કમાવવા અને ભણવા જવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. એમાંય ગુજરાતના કોઈપણ નાના મોટા શહેરમાં એન્ટ્રી મારો ત્યારથી જ વિદેશ મોકલવા મદદ કરતી સંસ્થાઓના હોર્ડિંગ્સ, કટ આઉટ, બેનર્સ જોવા મળે. વિદેશની ટુર્સ ટ્રાવેલ્સ, એજ્યુકેશન વિઝા, વર્ક વિઝા માટેની જાહેરાતો અખબારોમાં પણ અઢળક છપાય છે. લોકોને વિદેશ મોકલવા માટે આકર્ષણ ઉભુ કરવા માટે એકદમ પોશ વિસ્તારના જાજરમાન હોલ અને હોટલોમાં સેમિનારો પણ ગોઠવાય છે. આમેય આખાય ચરોતરમાં અઢળક લોકો વિદેશમાં છે. એટલે ખેડા, આણંદ, નડિયાદમાં લોકોને વિદેશ પહોંચાડવા અવનવી જાહેરાતો મુકવામાં આવે છે.
લોભામણી જાહેરાતો
એમાંય સૌથી મજાની વાત વિદેશ જવા કાગળીયા ભેગા કરવા સલાહ આપવા મદદ કરતી સંસ્થાઓની લોભામણી આકર્ષક જાહેરાતોની છે. અરજન્ટ વિઝા..પરિણામની ઉચ્ચ ટકાવારી સાથેના ફોટા..તો મુકે જ સાથે વિઝાની ગેરેંટી પણ આપે. આવી જ એક અનોખી જાહેરાત નડિયાદ શહેરથી ઉતરસંડા તરફ જતા માર્ગના ડીવાઈડર પરના પાટિયા પર જોવા મળી.
વિદેશ જવા ડાબી બાજુ વળો
એમાં અંગ્રેજીમાં લખ્યું છે..યુકે, કેનેડા, યુએસએ, યુરોપ. વિદેશ જવા માટે ડાબી બાજુ વળો,, બીજી તરફ માર્ગ પર લખ્યું છે..વિદેશ જવા જમણી બાજુ વળો.. જે શિક્ષિત અને જાણકાર હોય એને સમજણ પડી જાય. આ ભણવા કે કમાવા વિદેશ મોકલતા સલાહ આપતા એજન્ટની ઓફિસ જ હશે..બાકી વિદેશ જવા ડાબી બાજુ વળો અને જમણી બાજુ વળોનું પાટિયું વાંચી એમ થાય કે આ નડિયાદમાં ડાબે જમણે જવાથી ક્યા દેશ જવાતુ હશે..?