નવી દિલ્હીઃ kL રાહુલ માટે બોક્સિંગ ડે એટલે કે 26 ડિસેમ્બરની તારીખ દરેક વખતે લકી રહી છે. સેન્ચુરિયનમાં ટેસ્ટના પહેલા દિવસે પર KL રાહુલનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું હતું. આ પહેલાં 26 ડિસેમ્બર, 2014એ ઓસ્ટ્રેલિયાની વિરુદ્ધ તેણે મેલબોર્નમાં ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2012માં તેણે સેન્ચુરિયનમાં જ આ જ તારીખે 123 રનની શાનદાર ઇનિંગ્સ આફ્રિકી ટીમ સામે રમી રહી હતી. આ તેના માટે 26 ડિસેમ્બર, 2023ની તારીખ પણ લકી રહી છે.
KL રાહુલે સેન્ચુરિયનમાં સદી ફટકારી હતી, જેથી ભારતે પહેલી ટેસ્ટ જીતી હતી, પણ સિરીઝ 1-2થી હારી ગઈ હતી. મંગળવારે તેને એક નવી જવાબદારી સોંપવામાં આવી હતી, જેના પર ભારતીય ક્રિકેટ વિશ્વમાં એક નવી ડીબેટ છેડાઈ હતી. 31 વર્ષીય ક્રિકેટરે 48મી ટેસ્ટમાં વિકેટકીપર કમ બેટ્સમેન તરીકેની હાજરી નોંધાવી હતી. એક વર્ષ પહેલાં ઋષભ પંતના થયેલા રોડ એક્સિડન્ટ બાદ આ પદે એ ત્રીજો ક્રિકેટર હતો.
સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટમાં ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 5 રન બનાવી રબાડાનો શિકાર બન્યો હતો. યશસ્વી જયસ્વાલ 17 અને શુભમન ગિલ 2 રને આઉટ થયા હતા. આમ ભારતે 24 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. વિરાટ કોહલી અને ઐયરે 68 રનની ભાગીદારી નોંધાવી બાજી સંભાળી હતી. જોકે લંચ પછી શ્રેયસ ઐયર (31 )અને વિરાટ કોહલી (38) જલદી આઉટ થઈ ગયા હતા. ભારતે 107 રને પાંચમી વિકેટ ગુમાવી હતી. અશ્વિન 8 અને શાર્દુલ ઠાકુર 24 રને આઉટ થયા હતા. કેએલ રાહુલે અડધી સદી ફટકારી બાજી સંભાળી હતી. કેએલ રાહુલ 105 બોલમાં 10 ફોર 2 સિક્સર સાથે 70 રન સાથે ક્રીઝ પર છે. દક્ષિણ આફ્રિકા તરફથી રબાડાએ સૌથી વધારે પાંચ વિકેટ ઝડપી હતી.
નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસે ફરીથી ટેન્શન વધાર્યું છે. દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 69 દર્દી મળી ચૂક્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 529 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,10,189 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
દેશમાં અત્યાર સુધી 5,33,340 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,72,756 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 603 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4093 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
હાલમાં WHO અને ભારતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે JN.1 ને વેરિઅન્ટ ઓફ ઇન્ટરેસ્ટ તરીકે વર્ગીકૃત કર્યું છે. આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારના પ્રતિબંધ લગાવવાથી લોકોમાં ગભરાટ ફેલાઈ શકે છે. જોકે રાજ્યમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને ક્રિસમસ અને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
મુંબઈઃ રણબીર કપૂર અભિનીત અને સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત ‘એનિમલ’ ફિલ્મ આ વર્ષમાં સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ છે. એણે ભારતમાં અત્યાર સુધીમાં રૂ. 640 કરોડ અને વિશ્વસ્તરે રૂ. 875 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મમાં ‘ઝોયા’નો રોલ કરનાર અભિનેત્રી તૃપ્તિ ડિમરી સૌનું ધ્યાન આકર્ષિત કરી ગઈ છે. ‘એનિમલ’થી એને મોટો ફાયદો થયો છે. એને મોટા બજેટવાળી એક નવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા મળી છે.
અહેવાલો અનુસાર, તૃપ્તિને ‘આશિકી 3’ ફિલ્મમાં કાર્તિક આર્યનની હિરોઈનનો રોલ મળ્યો છે. મ્યુઝિકલ રોમેન્ટિક ફિલ્મ ‘આશિકી’ની એ ત્રીજી આવૃત્તિ હશે. આનું દિગ્દર્શન અનુરાગ બાસુ કરવાના છે, જેઓ અગાઉ ‘બરફી’, ‘જગ્ગા જાસૂસ’ અને ‘ગેંગસ્ટર’ ફિલ્મો બનાવી ચૂક્યા છે. ‘આશિકી 3’નું શૂટિંગ 2024ના પહેલા ક્વાર્ટરમાં શરૂ કરાશે. ફિલ્મની રિલીઝ તારીખ હજી જાહેર કરાઈ નથી.
મૂળ ‘આશિકી’ ફિલ્મ 1990માં મહેશ ભટ્ટે બનાવી હતી. એમાં રાહુલ રોય અને અનૂ અગ્રવાલની રોમેન્ટિક જોડી હતી. ફિલ્મના ગીતોએ દેશભરના સંગીતપ્રેમીઓને ઘેલું લગાડ્યું હતું. તે પછી 2013માં ‘આશિકી 2’ ફિલ્મ આવી હતી, જેનું દિગ્દર્શન મોહિત સુરીએ કર્યું હતું. તેમાં શ્રદ્ધા કપૂર અને આદિત્ય રોય કપૂરની જોડી હતી. તે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સફળ થઈ હતી.
અયોધ્યાઃ આવતી 30 ડિસેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવા માટે અયોધ્યા નગર સજ્જ થઈ ગયું છે. ઉત્તર પ્રદેશની ભાજપ સરકારે તૈયારીઓમાં કોઈ કચાશ રાખી નથી. એ દિવસે વડા પ્રધાન મોદી અયોધ્યામાં ‘મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ઈન્ટરનેશનલ એરપોર્ટ’નું ઉદઘાટન કરવાના છે. ઉદઘાટન કર્યા બાદ મોદી એરપોર્ટ નજીકના સ્થળે એક જાહેર સભાને સંબોધિત કરશે. ત્યાંથી તેઓ અયોધ્યા નગર તરફ જશે. એ માટે 15 કિલોમીટર લાંબા રોડશોનું આયોજન કરવામાં આવ્યું છે. રોડશોના રૂટને ‘ધરમ પથ’ નામ આપવામાં આવ્યું છે. રોડશો રૂટ અયોધ્યા એરપોર્ટથી લતા મંગેશકર ક્રોસિંગ અને અયોધ્યા રેલવે સ્ટેશન વિસ્તારમાંથી પસાર થશે. સમગ્ર રૂટ પર અયોધ્યાના વિવિધ મઠ તથા મંદિરોના સાધુસંતો અને સ્થાનિક લોકો મોદીનું સ્વાગત કરશે. મોદી પર પુષ્પવર્ષા કરવામાં આવશે.
રોડશોમાં ત્રણ લાખ જેટલા લોકો સામેલ થાય એવી ધારણા છે. અયોધ્યા ડેવલપમેન્ટ ઓથોરિટીના જણાવ્યાનુસાર, સમગ્ર રૂટ પર ડેકોરેશન કરવામાં આવશે. રામાયણ કથાના પ્રકરણો અને ભગવાન શ્રી રામના જીવન સંબંધિત ઘટનાઓનું વર્ણન દર્શાવતા ચિત્રો પ્રદર્શિત કરવામાં આવશે.
આપણે બધા આ વસુંધરા પર કંઈક અદ્ભુત અને અજોડ કરવા આવ્યા છીએ. તમે આ તક ગુમાવશો નહીં તેની ખાતરી કરવાનું તમારું કામ છે. નવા વર્ષમાં કંઈક સર્જનાત્મક કરો. કોઈ પણ વર્ષ કંઈક બનાવ્યા વિના પસાર થવું જોઈએ નહીં. જ્યાં સુધી તમારા મનમાં કોઈ સપનું ન જન્મે ત્યાં સુધી તમે તેને સાકાર કરી શકતા નથી. દરેક શોધ સ્વપ્નમાંથી ઉદ્ભવે છે. તમારી જાતને મોટા સપના જોવા અને વિચારવાની સ્વતંત્રતા આપો અને સંપૂર્ણ સમર્પણ સાથે તેને પૂર્ણ કરવાની હિંમત રાખો. મોટા સપના જોનારાઓની ઘણીવાર ઉપહાસ કરવામાં આવે છે, પરંતુ તેઓએ તેમના લક્ષ્યોને ધ્યાનમાં લીધા વિના પ્રાપ્ત કર્યા.
તમારી જીવન શક્તિને વહેવા માટે ચોક્કસ દિશાની જરૂર છે. જો તમે તેને યોગ્ય દિશા નહીં આપો તો તમે કેટલીક મૂંઝવણનો શિકાર બની શકો છો. જીવન ઊર્જાને એક દિશામાં લઈ જવા માટે પ્રતિબદ્ધતા જરૂરી છે. આજે મોટાભાગના લોકો મૂંઝવણમાં છે કારણ કે તેમનું જીવન દિશાહીન છે. જ્યારે તમે ખુશ હોવ છો, ત્યારે તમારી અંદર ઘણી બધી જીવન શક્તિ હોય છે; પણ જ્યારે આ જીવન-ઊર્જા એનું ધ્યેય ક્યાં છે તેની જાણ હોતી નથી ત્યારે તે અટકી જાય છે. જ્યારે તેને આગળ વધવાનો રસ્તો મળતો નથી, ત્યારે તે સડોનું કારણ બને છે.
રહસ્ય એ છે કે તમે જેટલા વધુ પ્રતિબદ્ધ છો, તે પ્રતિબદ્ધતાને પરિપૂર્ણ કરવા માટે તમે વધુ ઊર્જાનો ઉપયોગ કરશો. પ્રતિબદ્ધતા જેટલી મોટી હશે, તમારા માટે વસ્તુઓ એટલી જ સરળ હશે. નાની પ્રતિબદ્ધતાઓ તમારા માટે ગૂંગળામણ કરી શકે છે કારણ કે તમારી પાસે ઘણી સંભાવનાઓ છે, પરંતુ તમે મર્યાદિત અવકાશમાં અટવાયેલા છો.
જ્યારે તમે સમાજના ભલા માટે, તમારી આસપાસના લોકોના ભલા માટે કામ કરી રહ્યા હોવ, ભલે તમારી પાસે દસ કામ હોય અને એક કામ ખોટું થાય તો પણ તમે બાકીનું કામ કરવાનું ચાલુ રાખી શકો છો; શું ખોટું થયું તે પોતે જ સુધારશે! આ સામાન્ય રીતે ગ્રેસ કેવી રીતે કામ કરે છે. અમને લાગે છે કે અમારી પાસે પૂરતા સંસાધનો હોવા જોઈએ અને પછી અમે પ્રતિબદ્ધ થઈશું.તમે જેટલી વધુ જવાબદારી લેશો, તેટલી જ સરળતાથી સંસાધનો તમારી પાસે આવશે. તમે જે પણ પ્રતિબદ્ધ છો, તે તમને શક્તિ આપે છે. જો તમે તમારા પરિવાર માટે પ્રતિબદ્ધ છો, તો તમારું કુટુંબ તમને ટેકો આપે છે; જો તમે સમાજ માટે પ્રતિબદ્ધ છો, તો તમને સમાજનો ટેકો મળે છે. તમે પૂછો તે પહેલાં તમને મદદ મળશે.
પ્રતિબદ્ધતાનું પરિણામ લાવવા માટે આપણને યોગ્ય વિચારો અને યોગ્ય ક્રિયાઓની જરૂર છે. તમે પ્રાપ્ત કરવા માંગો છો તે બધી ઇચ્છિત વસ્તુઓની સૂચિ બનાવશો નહીં; તેના બદલે, એક વ્યાપક દૃષ્ટિકોણ લો અને કેટલીક આઇટમ્સ પસંદ કરો જે ખરેખર મહત્વપૂર્ણ છે. જો આપણે એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે જે આપણને સૌથી વધુ સંતોષ આપે છે, અને જે લાંબા ગાળે અન્ય લોકોના જીવનને ઉન્નત બનાવવામાં પણ મદદ કરે છે, તો સરળ વસ્તુઓ સ્થાને આવશે.
જ્યારે મન સંપૂર્ણપણે વર્તમાનમાં હોય છે, ત્યારે સુસંગત વિચારો તમારી પાસે આવે છે. તમારે ફક્ત તમારા ધ્યેયો જ નહીં, પરંતુ તેમની તરફ કામ કરવાના માધ્યમો અને પદ્ધતિઓની પણ યોજના કરવી જોઈએ. ત્રણ વર્ષ પછી તમે તમારી જાતને ક્યાં જોવા માંગો છો? 20 વર્ષ પછી? 40 વર્ષ પછી? પરિણામો વિશે ઉત્સાહિત થશો નહીં. તમારું 100 ટકા આપો.
સામાન્ય રીતે, આપણે આપણા મગજનો ઝડપી ઉપયોગ કરીએ છીએ પરંતુ ધીમે ધીમે કામ કરીએ છીએ. સફળતા માટે યોગ્ય સૂત્ર મનમાં ધીરજ અને ક્રિયામાં ગતિશીલતા છે. ઉત્સાહ અને અલગતા બંનેને અપનાવો. તમારા ધ્યેયોને આગળ ધપાવવા માટે હિંમત સાથે આગળ વધો અને જ્યારે જરૂરી હોય ત્યારે હાર માનો. સમૃદ્ધિ કુદરતી રીતે આવશે.
જ્યારે તમે ધ્યાન કરો છો, ત્યારે તમારી અવલોકન કરવાની ક્ષમતા વધે છે. તમે સંપૂર્ણપણે નચિંત બનો છો, પરંતુ તે જ સમયે, તમારી પાસે બૌદ્ધિક શક્તિ, જાગૃતિ અને અંતર્જ્ઞાનની તીવ્રતા પણ છે. જ્યારે તમે સભાનપણે કામ કરો છો, ત્યારે કાર્ય સારી રીતે થાય છે. અટલ નિશ્ચય અને સાહજિક મન તમને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં મદદ કરશે. ઊર્જાથી ભરપૂર તણાવમુક્ત જીવનનો માર્ગ ‘ધ્યાન’ છે, જેમાં વ્યક્તિની ધ્યેય તરફની દ્રષ્ટિ સ્પષ્ટ હોય છે.પ્રતિબદ્ધતા હંમેશા ભવિષ્યમાં સુખદ લાગણીઓ લાવશે. આ દુનિયાને રહેવા માટે એક સુંદર સ્થળ બનાવવાની જવાબદારી ઉપાડો.
(શ્રી શ્રી રવિશંકરજી)
(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)
“મોસ્ટ આઉટ-સ્ટેન્ડિંગ કેમિકલ-એન્જિનિયર”(1986), “એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટ”(2002) તથા વિજ્ઞાન, ઇજનેરી અને કૃષિ ક્ષેત્રે કરેલ પ્રદાન માટે “પદ્મશ્રી”(2011) પુરસ્કારથી સન્માનિત વડોદરાના ઇજનેર, વિજ્ઞાની, સંશોધક, સમાજસેવક અને કવિ એવા મુનિભાઈ મહેતાની વાત સાંભળીએ તેમની પાસેથી.
એમની સાથેની વાતચીતનો એક્સ-રે :
જન્મ ભાવનગરમાં. માતા ભક્ત-કવયિત્રી ભાગીરથીબહેન “જાહ્નવી”, પિતા શિક્ષક, મામા નાથાલાલ દવે, બહેન કવયિત્રી સરયુ પરીખ…..! શાળાનો અભ્યાસ ભાવનગરમાં, B.Tech અને Ph D. IIT મુંબઈમાં. યુનિવર્સિટી ઓફ એરિઝોના અને કેલિફોર્નિયામાં આમંત્રિત વિજ્ઞાની તરીકે સેવા આપી. ભાભા રિસર્ચ સેન્ટર અને સેન્ટ્રલ સોલ્ટ રિસર્ચ(ભાવનગર) ખાતે ડિસેલાઈઝેશન ઓફ વોટર(ખારા પાણીમાંથી મીઠું પાણી), વેસ્ટ ટુ વેલ્થ(કચરામાંથી કંચન) અને બાયો ટેકનોલોજી પર પાયાનું સંશોધન કર્યું. જીએસએફસી વડોદરાના રિસર્ચ-ડાયરેક્ટર, સાયન્સ ફાઉન્ડેશન અને ગુજરાત ગ્રીન રેવોલ્યુશન કંપનીના સ્થાપક-ડાયરેકટર. રાજ્યસરકારના આમંત્રણથી ગુજરાત એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઇસ-ચાન્સેલર તરીકે જોડાયા, પાયાના ફેરફારો કરી નવીનીકરણ માટે નેતૃત્વ પૂરું પાડ્યું. ગુજરાત લાઈફ-સાયન્સના ચેરમેન છે. ઇકો-એગ્રીકલ્ચર(પર્યાવરણ-કૃષિ) અને બાયોશીલ્ડના વૈશ્વિકસ્તરીય કામમાં અગ્રેસર યોગદાન આપી રહ્યા છે. 150 સંશોધન પેપર્સ અને ચાર પુસ્તકો લખ્યાં છે. 16થી વધુ પેટર્ન મેળવી છે. કવિતા લખે છે, લોક-વિજ્ઞાન-કેન્દ્ર અને “વહો-વિશ્વામિત્રી” અભિયાનના પ્રણયદાતા છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
સતત પ્રવૃત્તિમય રહે છે. સવારે છ વાગ્યે ઊઠે અને રાતના 10:00 વાગ્યે સૂઈ જાય. એકદમ નિયમિત જીવન! ઊઠીને પોણો કલાક યોગ કરે. રેગ્યુલર ટેનિસ રમતા. સાંજે સાઇકલ ચલાવે, બાગમાં ચાલે, સાધનો પર કસરત કરે અને ઘેર આવીને ટીવી જુએ. આખો દિવસ તેમની કંપનીના કામકાજમાં એકદમ સક્રિય. સાથેસાથે ઇકો-એગ્રી નેશનલ-વર્કિંગ-કમિટીના ચેરમેન તરીકેનું પણ કામ ચાલે. વિશ્વામિત્રી નદીના પુનરુત્થાનના “વહો-વિશ્વામિત્રી” અભિયાન જેવા સામાજિક પ્રોજેક્ટમાં પણ સક્રિય. 250 શાળાઓને આવરી લેતા લોક-વિજ્ઞાન-કેન્દ્ર (Community Science Center-CSC) માટે દર અઠવાડિયે એક આખો દિવસ ફાળવેલ છે.
શોખના વિષયો :
બહુમુખી પ્રતિભા.. બાળપણથી ‘સપ્તકલા'(ભાવનગર)માં શાસ્ત્રીય-સંગીત શીખ્યા છે. કાષ્ટ-તરંગ સરસ વગાડે છે. રેડિયો ઉપર પણ વગાડતા. ‘દિલ્હી યુથ-ફેસ્ટિવલ’માં ઇનામ જીત્યા છે. ફરવાનો ઘણો શોખ છે. પાંચે ખંડમાં અને 50થી વધુ દેશોમાં ફર્યા છે! જુદીજુદી હોટલોના મેનુ-કાર્ડ ભેગા કરવાનો અજબ શોખ છે. લગભગ 500 જેટલાં મેનુ-કાર્ડ ભેગાં કર્યાં છે! સ્પોર્ટ્સમાં રુચિ….ટેનિસ, સ્વિમિંગ નિયમિત કરે. વાંચન-લેખન(કવિતા) બહુ ગમે. સમાજસેવાનો પણ આગ્રહ રાખે. “વહો વિશ્વામિત્રી” અભિયાનમાં સક્રિય. બાળકો માટે લોક-વિજ્ઞાન-કેન્દ્ર(CSC) માટે અઠવાડિયે એક આખો દિવસ આપે!
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
સતત પ્રવૃત્તિભર્યું નિયમિત જીવન, હસમુખો સ્વભાવ અને આજીવન કસરત-સ્પોર્ટ્સ-યોગને કારણે તબિયત એકદમ સરસ છે. ભગવાનની મહેરબાની અને પત્ની ઈલાબહેનની કૃપાથી કોઈ તકલીફ નથી! એક દીકરો, એક દીકરી, બે પૌત્રી છે.
યાદગાર પ્રસંગ:
2001ના ધરતીકંપને યાદ કરે છે. તેમનું ભચાઉ કેન્દ્ર એક્ટિવ હતું. ત્યાંથી મેસેજ આવ્યો કે “અમને ખાવાનાની જરૂર નથી પણ શેલ્ટર માટે કંઈક કરો.” મુનિભાઈએ પોતાના ગ્રીનહાઉસના અનુભવ પરથી, લો-કોસ્ટ અને ઝડપથી બની જાય તેવા શેલ્ટર(તંબુ) બનાવવા શરુ કર્યા. તે રાત્રે સ્વામીનાથન-સાહેબનો ફોન આવ્યો ત્યારે મુનિભાઈએ તેમને ગ્રીનહાઉસ શેલ્ટર (તંબુ) ની વાત કરી. સ્વામીનાથન-સાહેબે ગ્રીનહાઉસ શેલ્ટર (તંબુ) ની વિગતવાર નોટ તરત મંગાવી. રાતોરાત જાગી મુનિભાઈએ નોટ બનાવી મોકલી આપી, જે સ્વામીનાથન-સાહેબે ટાટા-ટ્રસ્ટમાં પહોંચાડી અને રતન ટાટાએ એક જ રાતમાં 1.5 કરોડ રૂપિયાની મદદ મંજૂર કરી! દોઢ મહિનામાં તો 1500 જેટલા ગ્રીનહાઉસ બની ગયાં જેનો લોકોએ ભરપૂર ઉપયોગ કર્યો! પાકાં રહેઠાણ બન્યાં પછી તે ગ્રીનહાઉસ શાકભાજી ઉગાડવા માટે વપરાયાં. “SHELTER TO LIVELYHOOD”નો પ્રોજેક્ટ દુનિયાભરમાં એક આદર્શ બની ગયો છે!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
વિજ્ઞાનના માણસ છે એટલે નવી ટેકનોલોજી તો હાથવગી જ હોય! કોમ્પ્યુટર ઉપર કરવાનું કામ હાથ નીચેનાં માણસો સંભાળે. સાયન્સ અને સ્પિરીચ્યુઆલીટીમાં માને છે. “વિજ્ઞાન-અધ્યાત્મ અને આવતીકાલનું વિશ્વ” નામે સરસ ચોપડી લખી છે. વિક્રમ સારાભાઈ અને અબ્દુલ કલામ તેમના હીરો. બંને સાથે સારો અંગત પરિચય.
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
તેમના મતે આજના યુવાનો બહુ હોશિયાર છે. હસતા-હસતા ઉમેરે છે: અમારા હાથ-પગ મજબૂત હતા, આજના યુવાનોનું માથું મજબૂત છે! સ્પિરિટ-ઓફ-ઇનોવેશન અને સ્ટાર્ટ-અપની પ્રવૃત્તિઓ ચાલુ રહે તેવી આશા છે.
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
એમના હાથ નીચે કામ કરનારી આખી ટીમ યંગ છે. લોક-વિજ્ઞાન-કેન્દ્રમાં 250 સ્કૂલનાં વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલા છે! સાયન્ટિફિક ડ્રામા અને ઇનોવેશન માટે ઘણું કામકાજ કરે છે.
દેશની રાજધાની દિલ્હીમાં સ્થિત ઈઝરાયેલ દૂતાવાસની પાછળની ખાલી જમીન પર વિસ્ફોટ થયાના સમાચાર છે. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને એક ફોન આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ બ્લાસ્ટની વાત કરી હતી. મામલાની ગંભીરતાને જોતા પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સ્પેશિયલ સેલની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ, ફાયર બ્રિગેડને 5.45 વાગ્યે બ્લાસ્ટની માહિતી મળી હતી, ત્યારબાદ ફાયર અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા.
VIDEO | Israel Embassy’s security team inspects the area near the embassy after receiving information about an explosion. pic.twitter.com/fbv64UQ3ym
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ જેવી ઘટનાની ઘટના સ્થળ પર પુષ્ટિ થઈ નથી અને ન તો બ્લાસ્ટના કોઈ પુરાવા મળ્યા છે. સમગ્ર વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું છે. પોલીસ સમગ્ર વિસ્તારમાં સતત તપાસ કરી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ હાલ ઘટનાસ્થળે હાજર છે. દિલ્હી ફાયર સર્વિસના ડાયરેક્ટર અતુલ ગર્ગે કહ્યું કે દિલ્હી ફાયર સર્વિસને આજે સાંજે ચાણક્યપુરી વિસ્તારમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે વિસ્ફોટનો કોલ મળ્યો હતો. હજુ સુધી ઘટનાસ્થળેથી કંઈ મળ્યું નથી. જો કે સામે કાશ્મીર ભવન પણ છે. તેના એક કર્મચારીએ જણાવ્યું કે લોકોએ તેમને કહ્યું કે તેઓએ જોરદાર અવાજ સાંભળ્યો. આ અવાજ શેનો હતો તે તપાસ બાદ જ ખબર પડશે. ઘટના સ્થળની તપાસ ચાલી રહી છે.
VIDEO | Delhi Police teams arrive at the spot after receiving information of an explosion near the Israel Embassy. More details are awaited. pic.twitter.com/FqSjRSW7uB
આ પહેલા પણ દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસીને નિશાન બનાવવામાં આવી હતી. 29 જાન્યુઆરી, 2021 ના રોજ દિલ્હીમાં ઇઝરાયેલ એમ્બેસીની બહાર IED બ્લાસ્ટ થયો હતો. પોલીસને સ્થળ પરથી કેટલાક બોલ બેરિંગ પણ મળ્યા હતા. જેનો ઉપયોગ બોમ્બ બનાવવામાં કરવામાં આવ્યો હતો. આ પછી ઈઝરાયેલ એમ્બેસીને લઈને એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે કોઈ અપ્રિય ઘટના ન બને તે માટે કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
VIDEO | “Our senior officer was already at the spot when we arrived. Nothing was found here,” says a fire brigade official on a reported blast near Israel Embassy in Delhi. pic.twitter.com/CwTACaENC0
કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં ઉજવાતા રણોત્સવમાં આવતા દેશ વિદેશના સહેલાણીઓ માટે વધુ એક આકર્ષણરૂપે લાઈટ એન્ડ સાઉન્ડ શો નું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ લાઈટ એન્ડ સાઉન્ડ શોમાં મુખ્યમંત્રી તેમજ તેમની સાથે ઉપસ્થિત મહાનુભાવોએ મારી ભૂમિ-કચ્છની ભૂમિ-રણની ભૂમિ-યદ્ધની ભૂમિ થીમ પર તૈયાર થયેલ શોમાં સફેદ રણ, હડડપીય સભ્યતાનું ધોળાવીરા, લખપત ખાતે આવેલી બૌદ્ધ ધર્મની ગુફાઓ, કોટેશ્વર મહાદેવ અને નારાયણ સરોવર, કચ્છના કુરુક્ષેત્ર સમું ઝરાનું યુદ્ધ, કચ્છની વિરાંગનાઓએ પાકિસ્તાન સાથેના યુદ્ધમાં તૂટેલા એર સ્ટ્રીપને ફરી ઉભો કર્યો તે ઘટના, રક્ષક વન, કચ્છની હસ્તકલા, કસબ અને કારીગરી, કચ્છની શોર્ય અને વીરતા, ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ માં કચ્છમાં આવેલ વિનાશક ભૂકંપ અને તેમની સ્મૃતિમાં ભુજમાં બનેલ સ્મૃતિ વન, વિશ્વના સૌથી મોટા રીન્યુએબલ એનર્જી પાર્ક વગેર આકર્ષિત રીતે રજૂ થયેલા કચ્છના ઇતિહાસ અને સંસ્કૃતિના પાસાઓ નિહાળ્યા હતા.
‘બેસ્ટ ટુરીઝમ વિલેજ’નું વૈશ્વિક સન્માન મેળવનાર ધોરડો ખાતે રણોત્સવ અંતર્ગત દેશવિદેશના પ્રવાસીઓ માટે વધુ એક પ્રવાસન આકર્ષણ – લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળવાનો અવસર ખૂબ આનંદમય રહ્યો. pic.twitter.com/DAxlxOYGK7
કચ્છમાં નયનરમ્ય પર્યટન સ્થળ તરીકે પ્રસિદ્ધિ પામેલા કચ્છના ધોરડો સફેદ રણમાં ખાતે પ્રવાસીઓ માટે નવું આકર્ષણ શરૂ કરવામાં આવ્યું છે. સફેદ રણમાં આવેલા વૉચ ટાવર ઉપર કાયમી લાઇટ એન્ડ સાઉન્ડ શો થકી એક મનમોહક નજારો પેદા થશે. પ્રવાસીઓ આ લાઈટ અને સાઉન્ડ શોના માધ્યમથી કચ્છના ભવ્ય ઇતિહાસ અને સંસ્કૃતિથી પરિચિત બની એ ભવ્યતાનો સાક્ષાત્કાર કરી શકશે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના આંગણે યોજાતો રણોત્સવએ આંતરરાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ધરાવે છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ દેશના પ્રધામંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સફેદ રણમાં રણોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. આ રણોત્સવ થકી આ રણ વિસ્તાર તેમજ સમગ્ર કચ્છ આગવી ઓળખ ઉભી કરી આજે વિશ્વ સ્તરે ઉભરી આવ્યું છે. કચ્છ એ સફેદ રણ સહિતના પ્રવાસન સ્થળો થકી દેશ વિદેશમાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે સફેદ રણ ખાતે આજથી શરૂ થઈ રહેલા લાઈટ એન્ડ સાઉન્ડ શો અહીં આવતા સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. વોચ ટાવર પર રજૂ થતા લાઈટ એન્ડ સાઉન્ડ શો થકી પ્રવાસીઓ કચ્છના ભવ્ય ઇતિહાસ અને ગરીમામયી સંસ્કૃતિના સાક્ષી બનશે.
આ લાઈટ એન્ડ સાઉન્ડ શો રૂ.7.29 કરોડથી વધુના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. દર વર્ષે સફેદ રણમાં રણ ઉત્સવ દરમિયાન આવેલ પ્રવાસીઓને વધુ આકર્ષણ મળી રહે તથા નાઈટ ટુરિઝમને પ્રાધાન્ય મળી રહે તેને ધ્યાને લઈને ડેકોરેટીવ/ઇનોવેટીવ લાઈટીંગ તથા લાઈટ અને સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. આ 18 મિનીટની અવધિનો લાઈટ અને સાઉન્ડ શો કચ્છના ઈતિહાસ ઉપર રણ અને ભૂમિની થીમ પર તૈયાર કરવામાં આવ્યો છે. આ શો કાયમી ધોરણે રાતના સમયે બે વાર બતાવવામાં આવશે જે એકસાથે 250 માણસો બેસીને નિહાળી શકાશે.
રણોત્સવમાં લાઈટ એન્ડ સાઉન્ડ શોના અનાવરણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયા, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ, પ્રવાસન વિભાગ સચિવ હારીત શુક્લ, ઊર્જા અને પેટ્રો કેમિકલ્સ વિભાગના સચિવ મમતા વર્મા, ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, ત્રિકમભાઈ છાંગા, અનિરુદ્ધભાઈ દવે, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી શૈલેષ પ્રજાપતિ, ધોરડો ગામના સરપંચ મિંયા હુસેન તેમજ પદાધિકારીઓ/ઉચ્ચ અધિકારીઓ અને પ્રવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.