નવી દિલ્હીઃ નવા વર્ષના પહેલા દિવસે ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. ઇસરોએ પહેલી જાન્યુઆરી, 2024એ પહેલો એક્સ-રે પોલરિમીટર સેટેલાઇટને લોન્ચ કર્યો છે. આ ભારતનું પહેલું પોલારિમીટર મિશન હશે. આ પહેલાં વર્ષ 2021માં નાસાએ ઇમેજિંગ એક્સ-રે પોલારિમેટ્રી એક્સપ્લોરર (IXPE) લોન્ય કર્યું હતું. એ મિશન પછી એ વિશ્વનું બીજું એવું મિશન છે.
આ મિશન પર માત્ર ભારત જ નહીં, બલકે વિશ્વની નજર ટકેલી છે. એ મિશન એટલે ખાસ છે, કેમ કે એક્સપોસૈટ એક્સ-રે સોર્સનાં રહસ્યો માલૂમ થાય અને બ્લેક હોલની રહસ્યમયી વિશ્વનું અધ્યયન કરવામાં મદદ કરશે.
PSLV-C58/XPoSat Mission:
The PS4 stage is successfully brought down to a 350 km orbit.
આ સાથે ઇસરોએ દેશના પ્રથમ XPoSatની મિશન સાથે અન્ય 10 ઉપગ્રહ લઈને જઈ રહેલા PSLV-C58 રોકેટનું શ્રીહરિકોટાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ ઉપગ્રહ બ્લેકહોલ જેવી ખગોળીય રચનાઓ અને રહસ્યો પરથી પડદો ઉઠાવશે. આ સેટેલાઇટ સૌથી ચમકતા તારાનું અધ્યયન કરશે. આ મિશનનો જીવનકાળ આશરે પાંચ વર્ષનું છે. એને PSLVથી લોન્ચ કરવામાં આવ્યું હતું.
બ્રહ્માંડનાં રહસ્યોને જાણવા માટે એક વર્ષથી પણ ઓછા સમયમાં આ ભારતનું ત્રીજું મિશન છે. પહેલું ઐતિહાસિક ચંદ્રયાન-3 મિશન હતું. જેને 14 જુલાઈ, 2023એ લોન્ચ કરવામાં આવ્યું હતું અને એ પછી બીજી સપ્ટેમ્બર, 2023એ આદિત્ય- એલ1 લોન્ચ કરવામાં આવ્યું હતું.
તિરુપતિ મંદિરમાં પૂજા
આ મિશનની સફળતા માટે ઈસરોના વૈજ્ઞાનિકોએ રવિવારે તિરુપતિ મંદિરમાં પૂજા કરી હતી. XPoSat નો હેતુ અવકાશમાં એક્સ-રે સ્ત્રોતોના ધ્રુવીકરણની તપાસ કરવાનો છે. ISRO સિવાય અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ ડિસેમ્બર 2021માં સુપરનોવા વિસ્ફોટના અવશેષો, બ્લેક હોલમાંથી નીકળતા કણો અને અન્ય ખગોળીય ઘટનાઓનો આવો જ સમાન અભ્યાસ કર્યો હતો.
નવી દિલ્હીઃ દેશમાં ફરી એક વાર કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના અત્યાર સુધી 178 દર્દી મળી ચૂક્યા છે. જેમાં કેરળમાં સૌથી વધ 83 લોકો, ગોવામાં 18, મહારાષ્ટ્રમાં સાત, રાજસ્થાનમાં પાંચ, તામિલનાડુમાં ચાર, તેલંગાણામાં બે અને દિલ્હીમાં એક જણ સંક્રમિત છે.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 636 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે ત્રણ જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.67 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,13,908 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.દેશમાં અત્યાર સુધી 5,33,364 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,76,150 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 548 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 4394 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.19 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.67 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,67,79,081 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
લોકોને નવા વર્ષની સલામત ઉજવણી કરવા અપીલ કરવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ સોશિયલ ડિસ્ટન્સ, ફેસ માસ્ક પહેરવા અને હાથ સાફ કરવા જેવી સાવચેતીઓનું પાલન કરવું જોઈએ.
મિલન-મુલાકાતમાં ઉત્સાહ જોવા મળે, જૂનીઓળખાણ તાજી થાય, પ્રિયજન સાથેની વાર્તાલાપમાં સારો સમય પસાર થાય, આરામ કરવાની વૃતિ જાગે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગને નવીનકામ થઈ શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગને અણધર્યા લાભ થઈ શકે છે. સ્પર્ત્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને નવીનજાણકારી પ્રાપ્ત થઇ શકે છે. યુનિફોર્મવળી નોકરી કરનાર માટે કામની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થઇ શકે, વડીલવર્ગ સામાજિકકામ કરવા વધુ ઉત્સાહી બને. લગ્નબાબતની મિલન-મુલાકાત દરમિયાન તમારો પ્રતિભાવ સામેની વ્યક્તિ પર સારો પડી શકે છે.
સગા-સ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે, આરોગ્યબાબત થોડા બેદરકાર પણ બનો, જુના મતભેદ ભૂલવાની અને સબંધમાં નવીનતા લાવવા માટે યોગ્ય તક પણ મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર સાથે જોડાયેલ વર્ગ માટે સમયનો વ્યય વધુ થઇ શકે છે કામ ધાર્યા કરતા વધુ વિલંબિત બની શકે છે, શેરબજાર અને કોમોડીટી બજારમાં કામ કરનાર વર્ગ માટે કામકાજમાં આતુરતા બાદ ફળ મળે. હોટેલ, મોજ શોખ, કલા જગત સાથે કામ કરનાર માટે સારી તક મળી શકે વડીલવર્ગ નાની યાત્રા કે જાત્રમાં સુખદ અનુભવ થઇ શકે છે, પ્રિયજન સાથે થોડા અળખામણા ના થવાય તેની તકેદારી રાખવી સારી.
મુસાફરીના યોગ છે અને મુસાફર દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિ ઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, માર્કેટિંગક્ષેત્રમાં ધીરજનાફળ મીઠા મળી શકે, શેર બજાર અને કોમોડીટી બજારમાં કામકરનાર વર્ગ માટે ગણતરી અને અનુભવથી નિર્ણય લેવામાંજ ડાહપણ છે, દલાલી, કમીશન, કાગળ, બેંક જેવા ક્ષેત્રમાં કામકરનાર માટે ક્યાંક ફાયદાની વાત સંભાળવા મળી શકે, વડીલવર્ગ પોતાનું સ્વમાન સાચવીનેજ વર્તવું સલાહ ભર્યું છે, લગ્નબાબત ક્યાય વાતચીત કરવાની હોય તો તેમાં થોડો વ્યવહારુ અભિગમ રાખી આગળ વધવું સારું કહી શકાય.
કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્ય પ્રતિસાદ મળી શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છે. જનસંપર્ક/માર્કેટિંગ જેવા ક્ષેત્રમાં યોગ્ય ગણતરીથી ધાર્યું કામ થાય તેવું બની શકે છે, ઇમ્પોર્ટ એક્ષ્પોર્ટ જેવા ક્ષેત્રમાં કામ કરનારને સારી તક મળે, શેર અને કોમોડીટી બજારમાં કામકરનાર માટે નસીબ સાથ આપે, વડીલવર્ગને ભૂતકાળના કામની વાતો યાદ આવે તેવું બની શકે, પ્રિયજન સાથે યાદગાર બનાવોની યાદ રોમાંચિત કરીદે, પસંદગીની ખરીદી થઈ શકે છે, લગ્નબાબતની વાર્તાલાપ કે મિલન-મુલાકાત લાભદાઈ બની શકે છે, વિદેશ જવા બાબતના કામકાજમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય, મુસાફરીના યોગ છે, આકસ્મિતખર્ચ કે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈ જગ્યાએથી મનગમતી વાત સંભાળવા મળે તેવું બની શકે છે. સરકારી/રાજકીયક્ષેત્રમાં જોડાયેલ વર્ગ માટે ઉત્સાહ સારો જોવા મળે, માર્કેટિંગક્ષેત્ર/મેડીકલક્ષેત્રમાં જુનાસંપર્કવાળા કામકરવાથી કામની પ્રસંશા થાય તેવું પણ બની શકે છે. શેર અને કોમોડીટીબજારમાં કામ કરનારવર્ગને કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય તેવું બની શકે છે વડીલવર્ગ કોઈને સલાહ/ઠપકો આપવામા ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું. લગ્ન બાબતની વાર્તાલાપમાં શાંતિ અને શાણપણ રાખવું વધુ યોગ્ય કહી શકાય.
નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે ધીરજ રાખવી, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, પાવર/ગેસ /કમીશન/સલાહકાર જેવા કામકાજ કરનારે થોડી ધીરજ અને ચોકસાઈ રાખવી જરૂરી છે, શેર/કોમોડીટી બજારમાં કામકરનારે જોખમથી દુર રહેવું ઇછાનીય છે, માર્કેટિંગ સાથે જોડાયેલ લોકોએ ઉશ્કેરાટમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું, વડીલવર્ગ સ્વાથ્યઅંગે તકેદારી રાખવી અને ખટપટથી દુર રહેવાની સલાહ છે, પ્રિયજન સાથે અર્થહીન દલીલબાજી અને ખોટી વાર્તાલાપના કરવી જેથી કોઈ મનદુઃખ થવાની ઘટનાના બને અને શાંતિ જળવાય.
આત્મવિશ્વાસ સારો જોવા મળે, કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમને આરામ કરવાની કે આળસવૃતિ જોવા મળે, પસંદગીની વ્યક્તિ સાથે મિલન-મુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે હીરા/ઝવેરાત/કાપડ/દવા બજાર સાથે જોડાયેલા લોકો માટે કામની નવીનતક દેખાય તેવું બની શકે છે, શેર/કોમોડીટી બજાર સાથે કામકરનાર માટે ઓછા નફા સાથે વધુ કામ કરવાની અનુકુળતા કહી શકાય. કોઈના સામાજિકપ્રસંગમાં જવાથી તમારો ઉત્સાહ વધે, વડીલવર્ગ માટે જૂનીઓળખાણ તાજી થાય તેવા સારા અવસર આવે અને જુના દિવસોની યાદથી ભાવવિભોર બની જવાય તેવું પણ બની શકે છે.
મસ્તી-મજાક કરવાની વૃતિ વધુ જોવા મળે પણ તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું. વડીલ કે પરિચિત સાથે ફરવા જવાના યોગ પણ બને છે, જુનાસ્મરણો તમને અતિલાગણીશીલ પણ બનાવી દે તેવા સંજોગો બની શકે છે. બાંધકામ/સરકારી/રાજકીય ક્ષેત્રમાં કામકરનાર માટે વધુ મહેનત થાય. તેવા સંજોગ બને, શેર/કોમોડીટી બજારમાં કામકરનારને થાકની અસર જોવા મળે અને આરામકરવાની વૃતિ જાગે, માર્કેટિંગમાં થોડી વધુ મહેનત અને ઓછી સફળતાના સંજોગ બને છે વડીલવર્ગ માટે મોટું મન રાખી સમય પસાર કરીલેવા માજ શાણપણ રહેલું છે, ખોટાખર્ચા થવાથી મન અશાંત બની શકે છે.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણ તાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, ક્યાય મતભેદના થાય તેનું પણ ધ્યાન રાખવું, માર્કેટિંગમાં વ્યર્થની દોડધામ થઈ શકે છે, નોકરીકરનારવર્ગ માટે કામમા રચ્યા-પચ્યા રહેવું સલાહ ભર્યું છે, શેર/કોમોડીટી બજારમાં કોઈપણ ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, રાજકીયપક્ષ સાથે કામ કરનાર માટે તકેદારી જરૂરી છે, વડીલવર્ગને યુવાવર્ગ સાથેની વાર્તાલાપમાં વધુ ન બોલવાની સલાહ છે. લગ્નબાબતની વાર્તાલાપ ક્યાંક ખોટી દિશામા ના જાય તેનું ધ્યાન રાખવું, ધીરજ અને શાંતિ રાખવી સલાહભરી છે.
કોઇપણ કારણસર માનસિક અશાંતિ રહે કારણકે મનમાં કોઈક વાતનો અજંપો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું માટે શક્ય એટલું ઓછુ બોલવું સારું, વહનવ્યવહાર કુરિયર/ રોજની અપડાઉનની નોકરી કરનારવર્ગ માટે શાંતિ અને સંયમ જરૂરી છે, માર્કેટિંગમાં કામ કરનાર માટે સાથી કર્મચારીકે જુનાસંપર્કમાં કામકાજ દરમિયાન મન મોટું રાખી કામ કરવાની સલાહ છે, શેર કોમોડીટી બજારમાં કોઈની દોરવણીથી ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, લગ્નબાબતની વાર્તાલાપમાં તમારા વાણીવર્તનથી ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સલાહભર્યું કહી શકાય.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, યુવા વર્ગને પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે કે જાણવા મળે તેવું બની શકે છે. માર્કેટિંગમાં ધ!ર્યા કરતા ઓછું ફળ મળે તેવી લાગણી અનુભવાય, રોજબરોજનું કામકરનારકે ખાનગીપેઢીમાં કામકરનાર માટે કામ ટાળવાની વૃત્તિ વધુ જાગે, સાંધા/કમર/અપચા/ગેસની તકલીફના થાય તેનું ધ્યાન રાખવું, શેર/ કોમોડીટી બજારમાં નાનું કામકાજ ઇચ્છનીય છે. વડીલવર્ગ માટે થાકલાગવાની અસર વધુ થાય. લગ્ન માટેની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં સામેના પક્ષના જવાબ બાબતની ધીરજ રાખવી સારી.
તમને કોઈનો સાથસહકાર મળે જેને કારણે તમે થોડા ઉત્સાહી બનો, જુનાઅટકેલા કામ બાબત કઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે. યુવાવર્ગ માટે લગ્નની વાત ક્યાંક થઇ શકે, નોકરી/વ્યવસાયમાં નવું જાણવાની તક મળે, શેર/કોમોડીટી બજારમાં અનુભવ મુજબ કામ કરવું યોગ્ય છે. માર્કેટિંગમાં જુના સંપર્કની યાદીમાં કામ કરવાથી લાભ થઈ શકે, રાજકીયપક્ષ સાથે કામકરનાર માટે કોઈ અગત્યની વાત જાણવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે વધુ શીખવાની વૃત્તિ લાભ આપે, વડીલવર્ગ શાંતિથી સમય પસાર કરવો, પ્રિયજનને ખુશ રાખવાથી તમને પણ વધુ ખુશી મળે તેવું બની શકે છે.
આજના દિવસે થોડી ધીરજ રાખવી સારી છે, મનમાં કોઈક વાતનો ઉદ્વેગ રહ્યા કરે, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા,આંખ,હાડકાની તકલીફથી સાચવવું, બિઝનેસમાં જોખમથી દુર રહેવુ, પ્રિયજન સાથે વાર્તાલાપમાં ધીરજ અને શાંતિ રાખવી, સહકર્મચારી સાથે કામકાજમાં સહકારનો અભાવ જોવા મળી શકે છે.
આજે ઉત્સાહ સારો જોવા મળી શકે જેના કારણે તમે કામકાજ પ્રત્યે પ્રોત્સાહી બનો, કોઈ પ્રસંગમાં તમારી હાજરીની સારી નોંધ લેવાય અને તમારી ક્યાંક પ્રસંશા પણ થાય, લગ્નબાબતની વાતચીતકે મિલન મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિ પર સારી પડે અને તમે તેની સારી લાગણી અનુભવો.
આજનો દિવસ સામાન્ય છે, કોઈકની પાછળ નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, માર્કેટિંગ ક્ષેત્રમાં સારી કામગીરી થવાથી ખુશી અનુભવો, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય કોઇ બાબત પર મુલાકાત દરમિયાન વાર્તાલાપમાં જરૂરિયાત પુરતી વાર્તાલાપ તમારા માટે યોગ્ય કહી શકાય.
આજનો દિવસ માનસિકદ્વિધા વાળો છે , કોઇપણ પ્રકારના વાદવિવાદથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી, બ્લડપ્રેશર જેવી તકલીફથી સાચવવું, વેપારમાં જોખમવાળા નિર્ણયથી દુર રહેવું, સહકર્મચારી સાથે કામની બાબતમાં અસંતોષ જોવા મળી શકે પરંતુ કામકાજ શાંતિથી પૂર્ણ થાય.
આજનો દિવસ કામકાજમાં વ્યસ્તતાવાળો અને અજંપાવાળો છે, સરકારીકામ, યુનિફોર્મવાળી નોકરી, સોના ઝવેરાત,ફાર્મા ક્ષેત્રમાં કામ કરનારને માનસિકથાકની લાગણી રહે, વેપારમાં નાનું કામ કરવુજ યોગ્ય છે, ક્યાય વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું, ઉતાવળિયા નિર્ણયના લેવાયતે બાબતની તકેદારી રાખવી.
આજનો દિવસ સારો છે, ભૂતકાળમાં કરેલા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમે સારી લાગણીનો અનુભવ કરો. પ્રિયજન તમને કોઈ પસંદગીની વાત કરેને તમેં ખુશી અનુભવો તેવા સંજોગો પણ બને છે. લગ્નબાબતની વાર્તાલાપમાં તમારી પસંદગી વધુ જળવાય તેવું પણ બનવાથી તમે સારી ખુશી અનુભવો.
આજનો દિવસ શાંતિથી પસાર કરવો, કામકાજમાં ધીરજનો અભાવ વર્તાય, તમારા ઉચ્ચઅધિકારી તમારી સાથે આજે થોડા નાખુશકે ઉગ્ર હોઈ શકે છે. વાતવાતમાં ગુસ્સો આવવો આજે સહજ વાત જેવું બની શકે છે. પરંતુ ગણતરીપૂર્વક અને અનુભવથી કામકાજ કરવાથી તમે પરિસ્થિતિને ઘણી હળવી બનાવી પણ શકો છો.
આજનો દિવસ સારો છે, પ્રિયજન સાથે જૂની વાતો અને યાદો દ્વારા તમારા મનને ઘણી ખુશી મળે, લગ્ન માટે મિલનમુલાકાતમાં તમારો આત્મવિશ્વાસ અને પ્રભાવ તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે, વેપારમાં ગણતરીપૂર્વક કામ કરવાથી લાભની કોઈ વાત બને, આજે કોઈ સારાસમાચાર પણ સંભાળવા મળી શકે.
આજના દિવસે ધીરજ રાખવી, આજે કોઇપણ કામ પરાણે કરતા હોવ તેવી લગાણીનો અનુભવ થાય, કામકાજમાં ઉતાવળ કરવી નકામી છે. વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું સારું, વેપારમાં જોખમી પરિબળોથી સાચવવું, મજાકમસ્તી કરનારવર્ગથી આજે દુર રહેવું સલાહ ભર્યું છે.
આજનો દિવસ સારો છે, ઉત્સાહ સારો રહે, તમને કોઈ પસંદગીની વાત સંભાળવા મળે અને તેની ખુશી તમને ઘણી રોમાંચિત કરીદે, લગ્નબાબતની વાતચિત તમારા માટે ક્યાંક ફળદાયી બની શકે છે, સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે કોઈ નવીવસ્તુ શીખવા માટે આજે સમય ફાળવોતો સારું પરિણામ મળી શકે છે.
આજનો દિવસ સામાન્ય છે, આજે આરામ કરવાની વૃતિ વધુ જાગે, કામકાજને ત્વરિત પૂર્ણ કરવા માટે થોડા ઉતાવળિયા પણ બનતા જોવા મળો, ક્યાંક ગણતરી કરતા વધુ ખરીદી થવાથી નાણાખર્ચાયાની ખોટી લાગણી પણ ઉભી થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામમાં વધુ વ્યસ્ત જોવા મળી શકો છે, નાનીનાની વાતમાં થોડો ગુસ્સો જોવા મળે, ક્યાંક તમારી લાગણી કોઇ જલ્દી સમજીના શકે તેવું બની શકે છે. સહકર્મચારીને સહકાર આપવાની તમાંરી ભાવના તમારા માટે કોઈ પ્રશ્નો ઉભાના કરે તેનું ધ્યાન રાખવું જરૂરી છે.
ભારત સહિત વિશ્વના ઘણા દેશોના લોકોએ ફટાકડા ફોડીને નવા વર્ષનું સ્વાગત કર્યું. આખો દેશ નવા વર્ષની ઉજવણીમાં ડૂબી ગયો છે. આ અવસર પર જમ્મુ-કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના લોકો નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહથી કરી રહ્યા છે. સાથે જ આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનને પણ શણગારવામાં આવ્યું છે. નવા વર્ષને આવકારવા માટે લોકો મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર એકઠા થયા હતા. નવા વર્ષની શરૂઆત દિલ્હીના ઝંડેવાલન દેવી મંદિરમાં આરતીથી કરવામાં આવી હતી. નવા વર્ષને આવકારવા માટે દિલ્હીના કનોટ પ્લેસમાં લોકોની મોટી ભીડ ઉમટી છે.
Visuals of New Year celebrations at the historical Ridge Maidan in Himachal Pradesh’s Shimla. pic.twitter.com/BWIWV46ntB
નવા વર્ષની શરૂઆત સમગ્ર વિશ્વમાં ઉજવણી સાથે થઈ હતી. ન્યુઝીલેન્ડમાં ઓકલેન્ડ એ પહેલું મોટું શહેર હતું જ્યાં નવું વર્ષ 2024 પહેલું હતું. નવા વર્ષના આગમન પર દેશના સૌથી ઊંચા ટાવર સ્કાય ટાવર ખાતે હજારો લોકોએ ઉજવણી કરી હતી અને ફટાકડા ફોડ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હાર્બર બ્રિજ પર આતશબાજી અને લાઈટ શો જોવા મળ્યો હતો. તેવી જ રીતે
લોકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે 2023ને અલવિદા કહ્યું
વિશ્વના અન્ય ઘણા મોટા શહેરોમાં, લોકોએ 2023 ને અલવિદા કહ્યું અને ફટાકડા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું. ફ્રાન્સની રાજધાની પેરિસમાં નવા વર્ષની ઉજવણી 2024ની પેરિસ ઓલિમ્પિક ગેમ્સ પર કેન્દ્રિત હતી.
નવા વર્ષ નિમિત્તે દેશભરમાંથી ઉજવણીના ચિત્રો સામે આવી રહ્યા છે. ન્યૂઝ એજન્સી ANIએ અજમેરનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં નવા વર્ષની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
નોઈડામાં નવા વર્ષની ઉજવણી
દિલ્હીને અડીને આવેલા નોઈડામાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો નવા વર્ષની ઉજવણીમાં ડૂબેલા જોવા મળે છે.
— 📍अनुपम यादव Anupam Yadav انوپم یادو (@anupamyad) December 31, 2023
ઓડિશાના ભુવનેશ્વરમાં ફટાકડા ફોડીને નવા વર્ષની ઉજવણી
ગોવાની જેમ ઓડિશાના ભુવનેશ્વરમાં પણ નવા વર્ષની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી રહી છે. આકાશ ફટાકડાના સુંદર ચમકારાથી ભરેલું છે.
જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં નવા વર્ષની ઉજવણી માટે પંડાલો સજાવવામાં આવ્યા છે. જેને લઈને પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં પણ ભારે ભીડ જોવા મળે છે. કડકડતી ઠંડી છતાં લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે. બીજી તરફ વારાણસીના દશાશ્વમેધ ઘાટ પર ભવ્ય ગંગા આરતી કરવામાં આવી હતી.
શિમલાના મોલ રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા
હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ શિમલાના મોલ રોડ ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણીમાં હાજરી આપી હતી. હિમાચલ પ્રદેશમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે શિમલાના મોલ રોડ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા.
જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગથી થાઈલેન્ડ સુધી નવા વર્ષની ઉજવણી
નવા વર્ષને આવકારવા માટે લોકો અલગ-અલગ જગ્યાએ ઉજવણી કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના ગુલમર્ગમાં લોકો સંગીતના તાલે નાચતા જોવા મળ્યા હતા, જ્યારે થાઈલેન્ડમાં ભારે ફટાકડા અને રંગોનો વરસાદ જોવા મળ્યો હતો.
જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લામાં ત્રિકુટા પહાડીઓની ટોચ પર સ્થિત વૈષ્ણો માતાના મંદિરમાં રવિવારે દર્શન માટેની યાત્રા હાલ પુરતી રોકી દેવામાં આવી છે. નવા વર્ષની પૂર્વ સંધ્યાએ માતાના દર્શન માટે કટરામાં ભક્તોની ભારે ભીડ એકઠી થઈ છે, જેના કારણે શ્રી માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ (SMVDSB) એ યાત્રાને થોડા સમય માટે રોકવાનો નિર્ણય કરવો પડ્યો હતો.
આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે વર્ષ 2023માં મુસાફરોની સંખ્યાએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં લગભગ 97 લાખ લોકોએ મા વૈષ્ણો દેવીના દર્શન કર્યા છે. અગાઉ 2012માં એક કરોડ ભક્તોએ માતા વૈષ્ણો દેવીના દર્શન કર્યા હતા. આ વર્ષે પણ આ આંકડો 1લી જાન્યુઆરી સુધીમાં 1 કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.
નવા વર્ષ પર ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને શ્રાઈન બોર્ડ દ્વારા નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. મા વૈષ્ણો દેવી ભવન સાથે, બેઝ કેમ્પ કટરા સુધીના તમામ માર્ગો પર સુરક્ષા દળો તેમજ પોલીસ વિભાગની વધારાની કંપનીઓ તૈનાત કરવામાં આવી છે. ડ્રોન દ્વારા પણ મોનિટરિંગ કરવામાં આવશે. નવા વર્ષ 2024ના આગમન માટે 31મી ડિસેમ્બરે ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ વિવિધ પગલાં લઈ રહ્યું છે.
ભીડને અંકુશમાં લેવા માટે બોર્ડ મા વૈષ્ણો દેવીની યાત્રામાં નીકળતા દરેક ભક્તોને વિશેષ સ્ટીકર સાથેનું RFID યાત્રા કાર્ડ પ્રદાન કરશે, જેથી કરીને શ્રાઈન બોર્ડને બિલ્ડિંગમાં કેટલી યાત્રાઓ પહોંચી છે તેની માહિતી મળે. બીજી તરફ દેશમાં કોરોના વાયરસના વધતા જતા કેસોને જોતા શ્રાઈન બોર્ડે નિર્ણય લીધો છે કે હવે શ્રદ્ધાળુઓને માસ્ક વગર યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
અયોધ્યામાં 22 જાન્યુઆરી 2024ના રોજ ભગવાન શ્રી રામના અભિષેકની ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. દરમિયાન શ્રી રામ મંદિર, સીએમ યોગી આદિત્યનાથ અને એસટીએફ ચીફને એક મેઇલ દ્વારા ઉડાવી દેવાની ધમકીનો મામલો સામે આવ્યો છે. આ મેઈલ મળતા જ પોલીસે તપાસ શરૂ કરી હતી. ભારતીય કિસાન મંચના રાષ્ટ્રીય અધ્યક્ષ દેવેન્દ્ર તિવારીને ઈ-મેલ મોકલનાર વ્યક્તિએ પોતાને આઈએસઆઈ સાથે સંકળાયેલો હોવાનું જણાવ્યું છે. આ મામલે UP-112ના ઈન્સ્પેક્ટરની ફરિયાદ પર સુશાંત ગોલ્ફ સિટી પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ મામલાની તપાસ માટે પોલીસની સાથે એટીએસને તૈનાત કરવામાં આવી છે અને ઈ-મેલ મોકલનાર વ્યક્તિને ટ્રેસ કરવામાં આવી રહી છે.
રામ મંદિરની ઉજવણીને માતમમાં બદલવાની તૈયારીઓ
આ ધમકીભર્યા મેલમાં લખવામાં આવ્યું છે કે “દેવેન્દ્ર તિવારી એક મહાન ગાય સેવક બની ગયા છે, તે ઘણી વખત ભાગી ચૂક્યા છે. અમારા લોકો યુપી પહોંચી ગયા છે, હવે ન તો રામ મંદિર રહેશે, ન દેવેન્દ્ર તિવારી કે ન યોગી, તેમના પર બોમ્બ ધડાકા કરવામાં આવશે. જેઓ તૈયારી કરી રહ્યા છે. ઉજવણી માટે, અમે તેને શોકમાં ફેરવીશું.”
કેન્દ્ર સરકાર દ્વારા 16મા નાણાપંચની રચના કરવામાં આવી છે અને નીતિ આયોગના પૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢીયાને આ 16મા નાણાપંચના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. જેની જાણકારી નાણા મંત્રાલયે એક નોટિફિકેશન જાહેર કરીને આપી છે. આ સાથે નાણા મંત્રાલયમાં સંયુક્ત સચિવ ઋત્વિક રંજનમ પાંડેને આ કમિશનના સચિવ બનાવવામાં આવ્યા છે. મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ કમિશનના અન્ય સભ્યોના નામની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે. આ નવનિયુક્ત સભ્યોનો કાર્યકાળ 31 ઓક્ટોબર 2025 સુધી અથવા રિપોર્ટ સબમિટ થાય ત્યાં સુધી રહેશે. કમિશનએ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરની ચોખ્ખી આવકના વિતરણ અંગે ભલામણો કરે છે.
Government of India constitutes Sixteenth Finance Commission with Dr. Arvind Panagariya as its Chairman
સત્તાવાર નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે, “રાષ્ટ્રપતિએ નીતિ આયોગના ભૂતપૂર્વ વાઇસ-ચેરમેન અને કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. અરવિંદ પનાગરિયાની અધ્યક્ષ તરીકે નિયુક્તિ સાથે નાણા પંચની રચના કરીને ખુશ છે. કમિશનના સભ્યોને અલગથી સૂચિત કરવામાં આવશે.”
આયોગ પોતાનો અહેવાલ પાંચ વર્ષના સમયગાળામાં રાષ્ટ્રપતિને સુપરત કરશે
આયોગ પાંચ વર્ષના સમયગાળા (2026-27 થી 2030-31) માટેનો તેનો અહેવાલ રાષ્ટ્રપતિને સુપરત કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ગયા મહિને 16મા નાણાપંચના સંદર્ભની રૂપરેખા (TOR)ને મંજૂરી આપી હતી. જેને પગલે આ આયોગ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરના વિનિમય અને મહેસૂલ વૃદ્ધિના પગલાં સૂચવવા ઉપરાંત કમિશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ રચાયેલા ભંડોળના સંદર્ભમાં આપત્તિ વ્યવસ્થાપન પહેલને ધિરાણ આપવા માટેની વર્તમાન વ્યવસ્થાઓની સમીક્ષા કરશે. નાણા પંચ એક બંધારણીય સંસ્થા છે જે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો અંગે સૂચનો આપે છે. એન.કે. સિંહના નેતૃત્વ હેઠળના અગાઉના 15મા નાણાપંચે ભલામણ કરી હતી કે, 2021-22 થી 2025-26ના પાંચ વર્ષના સમયગાળા દરમિયાન રાજ્યોને કેન્દ્રના વિભાજ્ય ટેક્સ પૂલના 41 ટકા આપવામાં આવે, જે 14મા નાણા કમિશન દ્વારા ભલામણના સમાન સ્તરે છે.
તમે આજસુધીમાં કોઇ પોતાના ઘરનું, પોતાના પાળીતા કૂતરાં કે અન્ય પ્રાણીઓનું નામ રાખે, એમને એ નામથી બોલાવે એ જોયું હશે, પણ તમે ક્યારેય એ જોયું છે કે, કોઇએ પોતાની ગમતી ચીજવસ્તુનું નામ રાખ્યું હોય? અને એ પણ બહારથી સાવ નિર્જીવ દેખાતી ચીજનું? તમને થશે કે આવું તો કાંઇ હોતું હશે? કોઇ પોતાના ઘરની ચીજવસ્તુના તે નામ રાખતું હશે? રાખે, જરૂર રાખે, જો એ વ્યક્તિ એ ચીજને બેહદ પ્રેમ કરતી હોય તો, જો એ વ્યક્તિ માટે એ ચીજ જ પોતાના જીવનનું સર્વસ્વ હોય તો. અને પોતાની ચીજને આ હદે ચાહનાર વ્યક્તિ તો કોઇ કલાકાર જ હોઇ શકે ને?! હા, આ કલાકારનું નામ છે અમિતા દલાલ.
શાસ્ત્રીય સંગીતની દુનિયામાં સિતાર વાદક તરીકે અમદાવાદ સ્થિત અમિતા બહેનનું નામ અજાણ્યું નથી. વિદૂષી મંજુબહેન મહેતા અને ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વમોહન ભટ્ટ જેવા સમર્થ કલાકારોની તાલીમ અને આશીર્વાદ મેળવીને તૈયાર થયેલા અમિતા બહેનને મોસ્કો ઓલિમ્પિક, પ્રિન્સ કાર્લ થિયેટર અને બનારસના સુપ્રસિધ્ધ સંકટ મોચન સમારોહ સહિત અનેક કાર્યક્રમો-સંગીત સમારોહમાં પોતાની સિતારના તારથી શ્રોતાઓને ડોલાવ્યા છે અને પોતાની એ જ સિતારને એમણે નામ આપ્યું છેઃ અમૃતવર્ષિની. કદાચ સંગીતની દુનિયામાં અમિતાબહેન પહેલા એવા કલાકાર છે, જેમણે પોતાના વાદ્યને કોઇ નામ આપ્યું હોય!
સિતારનું નામ અમૃતવર્ષિની રાખ્યું
ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં અમિતા બહેન કહે છે, દસેક વર્ષ પહેલાંની આ વાત છે. એક કલાકાર તરીકે હું જે વાજિંત્ર વગાડતી હોઉં એ મને પ્રિય હોય જ. મારે મન તો એ સૂર-સંગીતના અમૃતની વર્ષા સમાન છે એટલે મેં સિતારનું નામ અમૃતવર્ષિની રાખ્યું. મારા માટે તો મારી સિતાર એ જીવંત વ્યક્તિ સમાન જ છે. હું જ્યારે જ્યારે રિયાઝ કરતી હોઉં કે પરફોર્મ કરતી હોઉં ત્યારે હું સિતાર સાથે વાતો કરતી હોઉં એવું જ ફીલ કરું છું. પરંતુ વાત આટલેથી અટકતી નથી. અમિતાબહેને પોતાની સિતારનું નામકરણ કર્યું ત્યારે એમને એ ખબર નહોતી કે દક્ષિણ ભારતમાં શાસ્ત્રીય સંગીતમાં આ નામનો કોઇ રાગ પણ પ્રચિલત છે. અમતૃવર્ષિની નામના આ દક્ષિણ ભારતીય રાગથી એ સંપૂર્ણપણે અજાણ હતા. આટલું જાણ્યા પછી અમિતાબહેનનો કલાકાર જીવ કેમ બેસી રહે? એમણે ગુરુજનો અને અન્ય કલાકારોની મદદથી આ રાગ વિશે વધારે માહિતી એકત્ર કરી અને પછી એ રાગ શીખવાનું નક્કી કર્યું. સંગીતની સાધનામાં આ કક્ષાએ પહોંચ્યા પછી કોઇ કલાકાર સામાન્યતઃ એક રાગ માટે આટલી મહેનત ન કરે પરંતુ અમિતાબહેને પૂરી લગનથી આ રાગની સાધના શરૂ કરી અને રાગ શીખ્યા.
સંગીતની દુનિયામાં એક અનોખો રેકોર્ડ સર્જશે
હવે 1 જાન્યુઆરીથી અમદાવાદમાં શરૂ થનારા પ્રસિધ્ધ સપ્તક સમારોહમાં અમિતાબહેન સૌ પ્રથમવાર આ રાગ છેડવાના છે. અત્યાર સુધી એમણે આ રાગ ક્યારેય કોઇ જાહેર કાર્યક્રમમાં વગાડ્યો નથી અને જાહેર મંચ પર એને પ્રથમવાર વગાડવા માટે સપ્તકથી વધારે સારું પ્લેટફોર્મ બીજુ ક્યુ હોઇ શકે? એટલે આ વરસે સપ્તકમાં 2 જાન્યુઆરીની સાંજે અમિતાબહેન સ્ટેજ પર સિતારના તારથી અમૃતવર્ષિનીનો રાગ છેડશે ત્યારે એ ઘટના પણ શાસ્ત્રીય સંગીતની દુનિયામાં એક અનોખો રેકોર્ડ સર્જશે. જે સિતારનું નામ એમણે અમૃતવર્ષિની રાખ્યું એ જ સિતારના તાર એ જ રાગ રેલાવશે.
અનેક સમ્માન મળ્યા
પોતાના વાજીંત્ર અને રાગ વચ્ચેનો આવો અદભૂત સમન્વય સર્જવો એનાથી વધારે ગૌરવની વાત કોઇ કલાકાર માટે બીજી કઇ હોઇ શકે? અત્યાર સુધીમાં પંડિત ઓમકારનાથ એવોર્ડ, ગુજરાત ગોરવ પુરસ્કાર, પંડિત મનમોહન ભટ્ટ એવોર્ડ જેવા અનેક સમ્માન પ્રાપ્ત કરી ચૂકેલા અમિતાબહેન માટે આ ઘટના પણ કોઇ એવોર્ડથી કમ નથી. કદાચ એ ક્ષણે એમની સિતાર ખરા અર્થમાં સૂરની વર્ષા કરતી હશે.