Home Blog Page 2086

અવળચંડુ કેનેડા, ભારત પર ચૂંટણીમાં દખલ કરવાનો આરોપ લગાવ્યો

કેનેડા તેની હરકતોથી બચી રહ્યું નથી. તેઓ ભારતને બદનામ કરવાના નિષ્ફળ પ્રયાસો કરતા રહે છે. ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જર પર હત્યાનો આરોપ લગાવ્યા બાદ કેનેડાને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. હવે તેણે ભારત પર નવો આરોપ લગાવ્યો છે. કેનેડાએ પોતાના દેશની ચૂંટણીમાં ભારતીય દખલગીરીનો આરોપ લગાવીને નવો વિવાદ સર્જ્યો છે. વિદેશ મંત્રાલયે ગુરુવારે આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કેનેડાને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે, ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરવાની નથી. જ્યારે કેનેડા પોતે ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે.

FI પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણીનો આરોપ

ગ્લોબલ ન્યૂઝ આઉટલેટના તાજેતરના દસ્તાવેજને ટાંકીને, ભારતને ‘ચિંતાનો વિષય’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. આ રિપોર્ટ કેનેડિયન સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ (CSIS) દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારત પર ગંભીર આરોપ લગાવતા કહેવામાં આવ્યું હતું કે, FI (વિદેશી હસ્તક્ષેપ) પ્રવૃત્તિઓમાં ભારતની સંડોવણી જણાવવામાં આવી હતી.

ભારતે તમામ આરોપોને ફગાવી દીધા હતા

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે કહ્યું કે તેમણે મીડિયા રિપોર્ટ્સ જોયા છે. કેનેડિયન કમિશન વિદેશી હસ્તક્ષેપ કેસની તપાસ કરી રહ્યું છે. ભારતે કેનેડા દ્વારા કરવામાં આવેલા આવા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને એમ પણ કહ્યું છે કે તે તેને સખત રીતે ફગાવી દેશે.

ભારત આ મુદ્દો કેનેડાના અધિકારીઓ સમક્ષ ઉઠાવતું રહ્યું છે

આનો પુનરોચ્ચાર કરતાં પ્રવક્તાએ કહ્યું કે, ભારત સરકારની નીતિ અન્ય દેશોની લોકતાંત્રિક પ્રક્રિયામાં દખલગીરી કરવાની નથી. વાસ્તવિકતા એ છે કે તેનાથી વિપરિત, કેનેડા ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે આ બધાને ધ્યાનમાં રાખીને ભારતે સતત કેનેડિયન અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે અને અસરકારક રીતે તેમની સાથે ભારતની ચિંતા વ્યક્ત કરી છે. રજૂઆત કરવા પણ કહેવામાં આવ્યું છે.

ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ

મુંબઈના દહિસર વિસ્તારમાં ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા અભિષેક ઘોસાલકર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી હતી. અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો છે. વિનોદ ઘોસાલકર ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા છે અને આ ગોળીબાર તેમના પુત્ર અભિષેક ઘોસાલકર પર થયો હતો. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અભિષેક ઘોષાલકર ભૂતપૂર્વ કોર્પોરેટર છે. પરસ્પર વિવાદના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હતું, નજીકના સંબંધીઓ પાસેથી માહિતી મળી રહી છે. પોલીસ ઘટના સ્થળે હાજર છે. મોરીસ ભાઈ નામના વ્યક્તિ પર ગોળીબારનો આરોપ હતો. આરોપીએ પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

આદિત્ય ઠાકરેએ શું કહ્યું?

આ ઘટના પર શિવસેના (યુબીટી)એ કહ્યું કે મહારાષ્ટ્રમાં ‘ગુંડારાજ’ છે. ABP Majha અનુસાર, આદિત્ય ઠાકરેએ કહ્યું કે અશોક તેમને મળવા માતોશ્રી પહોંચ્યા હતા અને હવે સમાચાર આવ્યા કે તેમને ગોળી મારી દેવામાં આવી છે. રાજ્યમાં શું થઈ રહ્યું છે? અહીં ગુંડાઓની સરકાર છે.

અગાઉ અભિષેકે આરોપીઓ સામે કેસ દાખલ કર્યો હતો

આરોપી મોરિસ ભાઈ તરીકે ઓળખાતો હતો અને પોતાને સામાજિક કાર્યકર કહેતો હતો. એક વર્ષ પહેલા અભિષેક ઘોષલકરે તેની સામે દહિસર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો. અભિષેક ઘોસાલકરને ગોળી માર્યા બાદ તેમના કાર્યકરો આક્રમક બની ગયા હતા અને આરોપીની ઓફિસમાં તોડફોડ કરી હતી. આ ઘટનાથી દહિસર વિસ્તારમાં વાતાવરણ ગરમાયું હતું અને અહીં મોટી સંખ્યામાં પોલીસ બોલાવવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બીજેપી ધારાસભ્ય ગણપત ગાયકવાડે શિવસેનાના એક નેતા પર ગોળીબાર કર્યો હતો. કલ્યાણના ધારાસભ્ય ગણપત ગાયકવાડે 2 ફેબ્રુઆરીએ થાણે જિલ્લાના ઉલ્હાસનગરમાં હિલ લાઇન પોલીસ સ્ટેશનમાં સ્થાનિક શિવસેના નેતા મહેશ ગાયકવાડ અને અન્ય વ્યક્તિ પર કથિત રીતે ગોળીબાર કર્યો હતો. આ ઘટના બાદ ધારાસભ્ય અને તેમના બે સહયોગીની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેમના પુત્ર વૈભવ, ગણાત્રા અને અન્ય આરોપી નાગેશ બડેકર ફરાર છે.

લોકસભામાં નાણાપ્રધાન નિર્મલા સીતારામને રજૂ કર્યું શ્વેત પત્ર

નવી દિલ્હીઃ નાણાં મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં ભારતીય અર્થતંત્ર પર શ્વેત પત્ર રજૂ કરી દીધું છે. હવે એના પર આવતી કાલે ચર્ચા કરવામાં આવશે. UPAના  2004થી 2014 સુધીના કાર્યકાળમાં આર્થિક સ્થિતિ પર એક શ્વેત પત્ર રજૂ કર્યું છે. UPA સરકારનાં 10 વર્ષોથી NDA સરકારનાં 10 વર્ષોની તુલના કરવા માટે શ્વેત પત્ર સરકાર લઈને આવી છે. આ શ્વેત પત્ર એક સરકારી દસ્તાવેજ છે.એના દ્વારા સરકાર નીતિઓ અને સફળતાઓને હાઇલાઇટ કરવા પ્રયાસ કરશે.

લોકસભામાં કાલે 12 વાગ્યે ચર્ચાના સમયે વાઇટ પેપરના મુદ્દા પર ચર્ચા માટે પ્રસ્તાવિત છે. ભાજપ તરફથી સુનીતા દુગ્ગલ, તેજસ્વી સૂર્યા, નિશિકાંત દુબે, જયંત સિન્હા સહિત અન્ય સાંસદો આ શ્વેત પત્ર પર પોતાની વાત રજૂ કરશે. આ શ્વેત પત્રમાં તબક્કાવાર રીતે 2004થી 2014ની વચ્ચે UPA સરકારની આર્થિક નીતિઓમાં રહેલી ખામીઓનો ઉલ્લેખ છે. આ ખામીઓની જગ્યાએ શું કરવું જોઈએ, તે વાતનો પણ ઉલ્લેખ આ શ્વેત પત્રમાં કરવામાં આવ્યો છે.

ત્યાર બાદ 2014થી 2024 સુધી મોદી સરકારના કાર્યકાળમાં આર્થિક નીતિઓ કેવી રીતે લાગુ થઈ, તે વાતને સંસદમાં બતાવવામાં આવશે. ત્યાર બાદ આ શ્વેત પત્ર પર ચર્ચાનો સમય પણ પ્રસ્તાવિત છે. પીએમ મોદીની સરકારે વર્ષ 2014થી પહેલા અર્થવ્યવસ્થાની કુનીતિ વિશે આ શ્વેત પત્રને સંસદમાં રજૂ કર્યું છે. પીએમ મોદીની આગેવાનીમાં પહેલી વાર સરકાર 2014માં બની હતી. તેના પહેલા સતત 10 વર્ષ સુધી 2004-10 મનમોહન સિંહની આગેવાનીવાળી સરકાર રહી હતી. મોદી સરકારનો બીજો કાર્યકાળ પણ ટૂંક સમયમાં ખતમ થવાનો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કરતા આ કુનીતિ પર શ્વેત પત્ર લાવવાની જાણકારી આપી હતી. સીતારમણે કહ્યું હતું કે, સરકાર અર્થવ્યવસ્થા વિશે સંસદના પટલ પર શ્વેત પત્ર રજૂ કરશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે, 2014માં દેશની કમાન સંભાળ્યા બાદ સરકાર સંકટોના નિવારણ કરવામાં સફળ રહી અને હવે અર્થવ્યવસ્થા સર્વાંગીણ વિકાસ સાથે ઉચ્ચ વૃદ્ધિની રાહ પર અગ્રેસર છે.

 

 

 

 

 

 

 

RBIની ધિરાણ નીતિના એલાન પછી સેન્સેક્સ, નિફ્ટીમાં કડાકો

અમદાવાદઃ RBIની ધિરાણ નીતિના એલાન પછી અને નિફ્ટી વીકલી એક્સપાયરીના દિવસે બજારમાં નફારૂપી વેચવાલનું દબાણ જોવા મળ્યું હતું. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નફારૂપી વેચવાલી થઈ હતી. સેક્ટોરિયલ આધારે FMCG, બેન્કિંગ, રિયલ્ટી અને ફાર્મા અને ઓટો શેરોમાં વેચવાલી થઈ હતી. જોકે PSU બેન્ક અને PSE શેરોમાં લેવાલી થઈ હતી. એનર્જી અને IT ઇન્ડેક્સ પણ તેજી સાથે બંધ થયા હતા.  આજની વેચવાલીથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. 1.04 લાખ કરોડનું ધોવાણ થયું હતું.વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ભારે વેચવાલી કરી હતી. તેઓ નેટ સેલર્સ રહ્યા હતા. ગઈ કાલે વિદેશી રોકાણકારોએ રૂ. 1619.02 કરોડની ચોખ્ખી વેચવાલી કરી હતી. FIIએ આ મહિને અત્યાર સુધી 2888.51 કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી.

બજારમાં ફાઇનાન્સિયલ શએરોમાં વેચવાલી દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી બેન્ક આશરે બે ટકા તૂટ્યો હતો. નિફ્ટીના ઘટાડામાં પણ ટોચના પાંચ શેરોમાં ચાર ખાનગી બેન્કો હતી. જેથી સેન્સેક્સ 724 પોઇન્ટ તૂટીને 71,428ના સ્તર બંધ થયો હતો. નિફ્ટી પણ 213 પોઇન્ટ તૂટીને 21,718ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સ 24 પોઇન્ટ તૂટ્યો હતો. નિફ્ટી બેન્ક 807 પોઇન્ટ તૂટ્યો હતો.

BSE પર આજે 3945 શેરોમાં કામકાજ થયાં હતાં, જેમાં 1636 શેરોમાં તેજી થઈ હતી, જ્યારે 2204 શેરોમાં ઘટાડો થયો હતો, જ્યારે 105 શેરો સપાટ બંધ રહ્યા હતા. બજારમાં 524 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી અને 24 શેરો નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

રાજ્યમાં તમામ હોસ્પિટલ્સ-ક્લિનિક્સ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત

ગુજરાતમાં તમામ હોસ્પિટલ્સ-ક્લિનિક્સ માટે રજિસ્ટ્રેશન ફરજિયાત થયુ છે. જેમાં વિરમગામ અંધાપાકાંડની સુનાવણીમાં સરકારે HCમાં જાહેરાત કરી છે. ડૉક્ટરોએ કોર્પોરેટ કલ્ચર મુજબ પૈસા જોઈતા હોય તો એ નિષ્ઠા દાખવવી પડે તેમ હાઇકોર્ટે ટકોક કરી હતી. વિરમગામમાં મોતિયાના ઓપરેશન બાદ 17 લોકોની દ્રષ્ટિ જતી રહેતાં તેમ જ આંખે જોવામાં ઝાંખપ સર્જાવાના અંધાપાકાંડ મામલે ગુજરાત હાઇકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પીઆઇએલની સુનાવણીમાં રાજ્ય સરકારે સોગંદનામું રજૂ કરી મહત્ત્વની જાહેરાત કરી હતી કે, હવેથી રાજયભરમાં રાજયભરના તમામ ક્લિનિક અને હોસ્પિટલોએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવું પડશે. રાજય સરકાર દ્વારા કલીનીકલ એસ્ટાબ્લિશમેન્ટ એકટ અને રૂલ્સમાં જરૂરી સુધારો કરવામાં આવ્યો છે. તેને લઇને હવે ટૂંક સમયમાં જ આ નવી જોગવાઇઓ લાગુ બનશે. દરમ્યાન કોર્ટ સહાયકે અંધાપાકાંડ જેવા કિસ્સાઓમાં ડોકટરો જવાબદારીમાંથી બચી જવા હોવા સહિતના મુદ્દે ધ્યાને દોરતાં હાઇકોર્ટે રાજ્યના તબીબી આલમને બહુ માર્મિક ટકોર કરી હતી કે, જો ડોકટરોએ કોર્પોરેટ કલ્ચર પ્રમાણે પૈસા જોઇએ છે તો એ પ્રમાણે તેમણે નિષ્ઠાથી કામ પણ કરવું જોઇએ., જે આપણે કરતા નથી.

ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે વધુમાં જણાવ્યું કે, કોર્પોરેટ હોસ્પિટલો અને કલ્ચરમાં સતત ચોવીસ કલાક કામ કરવી પ્રથા છે અને તેમાં કોઇ રાત-દિવસ જોવાતા હોતા નથી. રાજય સરકારના સોગંદનામાને રેકર્ડ પર લઇ હાઇકોર્ટે આવા કિસ્સાઓ ભવિષ્યમાં ના બને તે માટે મહત્તમ રીતે શું સારું થઇ શકે તેમ છે તે દિશામાં પગલાં સાથે આવવા રાજ્ય સરકારને અને કોર્ટ સહાયકને સૂચન સાથે નિર્દેશ કર્યો હતો.

આ કેસની સુનાવણીમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કરી જણાવ્યું કે, સરકાર દ્વારા ક્લિનિકલ એસ્ટાબ્લીશમેન્ટ એકટમાં સુધારો કરવાની દિશામાં પ્રક્રિયા હાથ ધરી છે અને તે અંગે જરૂરી વાંધા સૂચનો મંગાવાયા છે તે પહેલા જ વિરમગામમાં અંધાપાકાંડની આ ઘટના સામે આવી ગઇ. અગાઉ 50 બેડથી વધુ હોસ્પિટલ હોય તો રજિસ્ટ્રેશન ફરજિયાત હતુ પરંતુ હવેથી ભલે એક કે બે બેડનું ક્લિનિક કે હોસ્પિટલ હશે તો પણ તેનું રજિસ્ટ્રેશન કરાવવુ ફરજિયાત રહેશે.

ખેડૂતોની દિલ્હી તરફ કૂચ, ક્રેન, બુલડોઝર અને કમાન્ડો તૈનાત

ખેડૂતોની દિલ્હી તરફ કૂચને કારણે નોઈડાની ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. એક તરફ ખેડૂતોને રોકવા માટે પોલીસે વિવિધ સ્થળોએ બેરીકેટ્સ લગાવી દીધા છે તો બીજી તરફ નોઈડાના રસ્તાઓ પર વાહનોના પૈડા થંભી ગયા છે. અનેક માર્ગો પર સ્થિતિ એવી બની છે કે કલાકો સુધી વાહનો એક ડગલું પણ આગળ વધી શકતા નથી. સ્થિતિને જોતા નોઈડા પોલીસે દિલ્હી સાથે જોડાયેલી સરહદો પર સુરક્ષા વધારી દીધી છે. વળતર અને નોકરીની માંગણી સાથે રસ્તા પર ઉતરેલા ખેડૂતો પણ આજે સર્વાંગી લડતના મૂડમાં છે.આ ક્રમમાં ખેડૂતોએ સંસદ સુધી કૂચ કરવાની હાકલ કરી છે.

જ્યારે પરિસ્થિતિને જોતા નોઈડા પોલીસે દિલ્હી સાથેની સરહદો પર સુરક્ષા વધારી દીધી છે. કેટલીક જગ્યાએ રૂટ ડાયવર્ઝન કરવામાં આવ્યું છે અને ઘણી જગ્યાએ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે નોઈડાથી દિલ્હી જતી ડીએનડી, ચિલ્લા અને કાલિંદી કુંજ બોર્ડર પર લાંબો ટ્રાફિક જામ છે. આ સમસ્યાના ઉકેલ માટે પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ સતત ખેડૂતો સાથે વાત કરી રહ્યા છે. જોકે હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. નોઈડા પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને દિલ્હી બોર્ડર સાથે કિસાન ચોક પર બેરિયર લગાવવામાં આવ્યા છે. આ તમામ સ્થળોએ પૂરતા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ફ્લાયઓવર પર ખેડૂતો એકઠા થયા

દરેક વાહનને યોગ્ય તપાસ કર્યા બાદ જ આગળ વધવાની મંજૂરી આપવામાં આવી રહી છે. જેના કારણે વાહનવ્યવહાર ધીમી ગતિએ ચાલે છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે ઘણા વરિષ્ઠ પોલીસ અને વહીવટીતંત્રના અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે. તમને જણાવી દઈએ કે ભારતીય કિસાન પરિષદ (BKP) એ જિલ્લાના તમામ ખેડૂતોને ગુરુવારે બપોરે 12.30 વાગ્યા સુધીમાં નોઈડાના મહામાયા ફ્લાયઓવર પર પહોંચવા માટે આહ્વાન કર્યું હતું. BKP નેતા સુખબીર યાદવ ખલીફાએ જણાવ્યું કે મહામાયા ફ્લાયઓવર નીચે એકઠા થયા બાદ ખેડૂતોએ દિલ્હી કૂચ કરવી પડી હતી.અહીંથી ખેડૂતો શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરીને સંસદ સુધી પહોંચવા જઈ રહ્યા હતા. પરંતુ પોલીસે ખેડૂતોને પહેલા જ અટકાવી દીધા છે.

વળતર અને નોકરીની માંગ

બીજી તરફ, નોઈડા પોલીસ કમિશનરેટે ખેડૂતોના આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કલમ 144 હેઠળ પ્રતિબંધિત આદેશો લાગુ કરી દીધા છે. પોલીસ સતત લોકોને ક્યાંય ભેગા ન થવા સમજાવી રહી છે. આ સાથે પોલીસે સામાન્ય વાહન ચાલકો માટે એડવાઈઝરી પણ જાહેર કરી છે. નોંધનીય છે કે ડિસેમ્બર 2023માં વિકાસ અધિકારીઓએ ખેડૂતોની જમીન સંપાદિત કરી હતી. આ સંપાદન માટે વળતર અંગે વિવાદ ચાલી રહ્યો છે. નોઈડા અને ગ્રેટર નોઈડાના ખેડૂતો આના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે એનટીપીસીએ અલગ દરે વળતર આપ્યું છે. આ સાથે નોકરી આપવાનું વચન પણ પૂરું થયું નથી.

ખેડૂતો હડતાળ પર બેઠા છે

પોલીસે અટકાવ્યા બાદ ખેડૂતો રસ્તા પર બેસીને વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે સતત છેતરપિંડી થઈ રહી છે. પહેલા તેમને આશ્વાસન આપવામાં આવ્યું અને હવે સરકાર પોતાની વાત પર ફરી રહી છે. ખેડૂતોનું કહેવું છે કે તેઓ ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે, પરંતુ સરકાર તેમની વાત સાંભળી રહી નથી. હાલમાં, ખેડૂતો મહામાયા ફ્લાયઓવરથી આગળ વધી ગયા છે અને સેક્ટર-18 ફ્લાયઓવરની બરાબર પહેલા દલિત પ્રેરણા સ્થળના મુખ્ય દરવાજા આગળ બેસી ગયા છે. અહીં ખેડૂતોની સંખ્યા 400થી વધુ હોવાનું કહેવાય છે.

CM ભૂપેન્દ્ર પટેલને હસ્તે AMC ગ્રીન બોન્ડનું BSEમાં લિસ્ટિંગ

મુંબઈઃ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રૂપિયા 200 કરોડના મ્યુનિસિપલ ગ્રીન બોન્ડનું બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટિગ કરાવ્યુ છે. મુખ્ય મંત્રી બેલ રીંગિંગ સેરેમનીથી ગ્રીન બોન્‍ડનું BSEમાં લિસ્ટિંગ કરાવ્યું હતું. અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બની છે.

અમદાવાદ મહાનગરપાલિકાએ આવા ગ્રીન બોન્ડ લિસ્ટિંગ કરનારી રાજ્યની પ્રથમ મહાનગરપાલિકાનું ગૌરવ પણ મેળવ્યું છે. અમદાવાદ મહાનગરમાં સાતત્યપૂર્ણ અને પર્યાવરણ સંતુલન સાથેના વિકાસ પ્રોજેક્ટ ગ્રીન પ્રોજેક્ટ માટે આ ગ્રીન બોન્ડ ઉપયુક્ત બનશે. અમદાવાદમાં સુએજ ગટરના પાણીનું શુદ્ધીકરણ કરીને ઉદ્યોગોને વપરાશ માટે આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન તથા ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના વિવિધ ગ્રીન પ્રોજેક્ટમાં અસરકારક કામગીરી માટે આ બોન્ડ ઇસ્યુ બહાર પાડવામાં આવ્યો છે.

અમદાવાદ સસ્ટેઇનેબલ સિટી ડેવલપમેન્ટ અન્વયે સુએજ વોટરનું શુદ્ધીકરણ કરી ઉદ્યોગોને આપવા ગ્રીન એનર્જી ઉત્પાદન અને ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ સહિતના ગ્રીન એન્વાયરમેન્ટ પ્રોજેક્ટના અસરકારક અમલ માટે બોન્ડના નાણાંનો સુઆયોજિત ઉપયોગ કરવામાં આવશે. રૂ. 200 કરોડના ગ્રીન બોન્ડની રકમ સામે રૂ.1360 કરોડનું ભરણું ભરાયું હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર બોન્ડ ઇશ્યુઅર AMC દ્વારા રોકાણકારને ચૂકવવામાં આવનાર વ્યાજ  7.9 ટકાના દરે નક્કી કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 200 કરોડનો ગ્રીન બોન્ડ 13.60 ગણો ભરાયેલો છે.

 

 

 

 

 

લોકશાહીની ચર્ચા થશે ત્યારે મનમોહન સિંહને યાદ કરાશેઃ PM મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં સાંસદોને તેમના વિદાય ભાષણમાં ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે પણ લોકશાહીની ચર્ચા થશે ત્યારે મનમોહન સિંહને યાદ કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે મનમોહન સિંહે શીખવ્યું કે જવાબદારીનો અર્થ શું છે. સિંહ સાંસદો માટે પ્રેરણાદાયી ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આ ગૃહમાં મનમોહન સિંહનું મહત્વનું યોગદાન છે.

 


પીએમ મોદીએ કહ્યું કે હું ખાસ કરીને મનમોહન જીને યાદ કરવા માંગુ છું. તેમણે લાંબા સમય સુધી આ ગૃહ અને દેશને માર્ગદર્શન આપ્યું છે. જ્યારે પણ અમારા ગૃહની ચર્ચા થશે, મનમોહન સિંહજી તેમાં ચોક્કસપણે ચર્ચા કરશે. મનમોહન સિંહજી વ્હીલ ચેરમાં આવ્યા અને ગૃહમાં મતદાન કર્યું. તેણે પોતાની ફરજ બજાવી. મનમોહનજીએ લોકશાહીને તાકાત આપી.

પીએમ મોદીએ કહ્યું કે મનમોહન સિંહે બતાવ્યું કે એક સાંસદ પોતાની જવાબદારીઓ માટે કેટલા જવાબદાર છે. તેઓ વ્હીલ ચેર પર મતદાન કરવા આવ્યા હતા. સવાલ એ નથી કે તેઓ કોને સત્તા આપવા આવ્યા. હું માનું છું કે તેઓ વધુ સારી લોકશાહી આપવા આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આજે એટલે કે ગુરુવારે 56 સાંસદોને વિદાય આપવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે સાંસદો ક્યારેય વિદાય લેતા નથી. તેમણે કહ્યું કે સાંસદો અહીં તેમનો અમૂલ્ય વારસો છોડીને જાય છે. આ ઘર સાતત્યનું પ્રતીક છે.

પંજાબમાં આપ અને કોંગ્રેસની વચ્ચે નહીં થાય ગઠબંધન

નવી દિલ્હીઃ ઇન્ડિયા ગઠબંધનના આવનારા દિવસો સારા નથી લાગતા. પંજાબમાં આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી ઇનકાર કર્યો છે. પાર્ટીના પ્રભારી અને રાજયસભાના સાંસદ સંદીપ પાઠકે સત્તાવાર રીતે ગઠબંધન નહીં કરવાનું એલાન કર્યું છે. પંજાબમાં ગઈ લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ એક સીટ મળી હતી.

પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સંદીપ પાઠકે ઉમેદવારોનાં નામની ઘો,ણા કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે લોકસભા ચૂંટણીમાં ઓછો સમય બચ્યો છે અને અમારે ચૂંટણી જીતવી છે.  સંદીપ પાઠકે આગળ કહ્યું હતું કે અમે ઇન્ડિયા ગઠબંધનથી વાતચીત કરતાં-કરતાં થાકી ગયા છે. મહિનાઓ થયા છે વાતચીત કરતાં-કરતાં, પણ પરિણામ કંઈ ના નીકળ્યું.તેમણે વધુમાં કહ્યું હતું કે હવે કોંગ્રેસ આસામમાં અમારી ત્રણ સીટો ઇન્ડિયા ગઠબંધન માટે અમારા માટે સ્વીકાર કરી લે.

 આમ આદમી પાર્ટીએ આસામમાં ત્રણ ઉમેદવારોનાં નામની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ ડિબ્રુગઢથી મનોજ ધનોવાર, ગુવાહાટીથી ભાવેન ચૌધરી અને સોનિતપુરથી ઋષિરાજ કોંડિન્યને લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ પહેલાં પાર્ટી ગુજરાતની એક લોકસભા સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી હતી.દરમ્યાન દિલ્હીમાં આજે કેરળના મુખ્ય મંત્રી પિનરાઈ ધરણાં કરવાના છે. કેન્દ્ર સરકારની નીતિઓ અને કેરળ સાથેના ભેદભાવ મુદ્દે આ ધરણાં કરવામાં આવી રહ્યા  છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ જંતર-મંતર પર CM પિનરાઈ વિજયનનાં ધરણાંમાં સામેલ થશે. CM કેજરીવાલની સાથે પંજાબના મુખ્ય મંત્રી ભગવંત માન પણ જંતર-મંતર પર ધરણાંમાં સામેલ થશે.

 

 

 

 

 

 

 

 

 

 

 

ભારત-મ્યાનમારની વચ્ચે મુક્ત આવ-જા હવે નહીં: ગૃહપ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભારત અને મ્યાનમાર વચ્ચે મુક્ત આવા-જાને નાબૂદ કરી દીધી છે. મુક્ત આવ-જા વ્યવસ્થા આંતરરાષ્ટ્રીય સરહદની બંને બાજુએ રહેતા લોકોને વિઝા વિના એકબીજાના પ્રદેશના 16 કિલોમીટરની અંદર મુસાફરી કરવાની મંજૂરી આપે છે. ગૃહપ્રધાન અમિત શાહે X  પર કહ્યું હતું કે વડા પ્રધાન મોદીએ સંકલ્પ કર્યો છે કે આપણી સરહદો સુરક્ષિત હોવી જોઈએ. તેથી ગૃહ મંત્રાલયે નિર્ણય લીધો છે કે દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા અને ઉત્તર-પૂર્વીય રાજ્યોની વસ્તી વિષયક માળખું જાળવવા માટે આ સિસ્ટમને નાબૂદ કરવામાં આવશે.

આ નિર્ણય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનના બે દિવસ પછી આવ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે ભારત મ્યાનમાર સાથેની 1643 કિલોમીટર લાંબી સરહદ પર વાડ કરશે અને સુરક્ષા દળો માટે પેટ્રોલિંગ ટ્રેક પણ બનાવવામાં આવશે.

મણિપુરમાં કુકીઓ (જેમને મ્યાનમારના ચિન રાજ્યના સમુદાયો સાથે વંશીય સંબંધો છે) અને બહુમતી મૈતઈ વચ્ચે વંશીય હિંસાની ઘટનાઓ પછી આ જાહેરાત કરવામાં આવી છે. સરહદ પર વાડ લગાવવી એ ઇમ્ફાલ ખીણના મૈતઇ જૂથોની વારંવાર માગ છે, જેઓ આરોપ લગાવતા રહ્યા છે કે આદિવાસી આતંકવાદીઓ વારંવાર ખુલ્લી સરહદ દ્વારા ભારતમાં પ્રવેશ કરે છે. આ  જૂથો એવો પણ આક્ષેપ કરે છે કે વાડ વિનાની આંતરરાષ્ટ્રીય સરહદનો લાભ લઈને ભારતમાં ડ્રગ્સની દાણચોરી કરવામાં આવી રહી છે.​​​​​​​

ભારતનાં ચાર રાજ્ય- અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર અને મિઝોરમ- મ્યાનમારની સાથે 1643 કિલોમીટર લાંબી સરહદ શેર કરે છે. ફેબ્રુઆરી, 2021માં મ્યાનમારમાં સૈન્ય તખતાપલટની પછી એના 31,000થી વધુ લોકોએ મિઝોરમમાં શરણ લીધું છે.