Home Blog Page 1803

શા માટે ઉજવાય છે નેશનલ બ્રધર્સ ડે?

નેશનલ બ્રધર્સ ડે (Brother’s Day 2024) દર વર્ષે 24 મેના રોજ ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ ભાઈઓને સમર્પિત છે. ભાઈનો દિવસ (National Brother’s 2024) ઉજવવાનો હેતુ ભાઈ-બહેન વચ્ચેના પ્રેમને પ્રોત્સાહન આપવાનો અને તેમને વિશેષ અનુભવ કરાવવાનો છે.

બ્રધર્સ ડેનો ઈતિહાસ

બ્રધર્સ ડેની શરૂઆત અમેરિકામાં 2005માં થઈ હતી. સી ડેનિયલ રોડ્સે અમેરિકાના અલાબામામાં આ દિવસની સૌપ્રથમ ઉજવણી કરી હતી. તેઓ વ્યવસાયે કલાકાર અને લેખક હતા. વિશ્વભરના ભાઈઓના પ્રયત્નો અને યોગદાનની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. તમને જણાવી દઈએ કે 10 એપ્રિલના રોજ ભાઈ-બહેનનો દિવસ ઉજવવામાં આવે છે. જેને નેશનલ સિબલિંગ ડે પણ કહેવામાં આવે છે.

બ્રધર્સ ડેનું વિશેષ મહત્વ

ભાઈઓના પ્રયત્નો અને યોગદાનને ખાસ કરીને સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા અને રશિયામાં પણ 24 મેના રોજ બ્રધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને ભેટ આપીને વિશેષ અનુભવ કરાવે છે અને આ દિવસ વધુ વિશેષ બની જાય છે.

સ્માર્ટ મીટર મુદ્દે સરકારનો નવો નિર્ણય..

ગરમીના પારા સાથે સ્માર્ટ મીટરના વિરોધમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. વિરોધના વંટોળ વચ્ચે પણ સુરતમાં સ્માર્ટ મીટર લગાડવાનું કામ યથાવત્ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે સરકારે સ્માર્ટ મીટરને લઈ મહત્વના નિર્ણય કર્યા છે.

સમગ્ર રાજ્યમાં સ્માર્ટ વીજ મીટરના વિવાદ વચ્ચે ઉર્જા વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રિચાર્જમાં જૂના પેન્ડિંગ બિલની રકમ ન લેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ જૂના પેન્ડિંગ બીલની રકમ અલગથી વસૂલવાનો આદેશ કરાયો છે. સ્માર્ટ મીટર અને સાદા મીટર વચ્ચેના જૂના બિલને લઈ લોકોમાં ગેરસમજ થઈ હોવાનું તારણ બહાર આવતા જૂના પેન્ડિંગ બિલની રકમમાં 180 હપ્તા કરવાનો આદેશ આપ્યો છે. સ્માર્ટ મીટરનાં દરરોજની વપરાશની સાથે રકમ કપાતી હતી. એક-એક દિવસનું પેન્ડિંગ બિલ ઉમેરી રકમ કપાતી હતી. જેનાં કારણે ગ્રાહકોમાં ગેરસમજ ઉભી થઈ હોવાનું તારણ આવ્યું છે.

સ્માર્ટ મીટરનો વિરોધ પહોંચ્યો હાઈકોર્ટમાં

સ્માર્ટ મીટરના મુદ્દો હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. વધુમાં અરજીકર્તાએ જણાવ્યું કે, દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.

પાપુઆ ન્યુ ગિનીમાં ભૂસ્ખલનથી 100થી વધુ લોકોનાં મોત

નવી દિલ્હીઃ પાપુઆ ન્યુ ગિનીના એંગા પ્રાંતના કાઓકલામ ગામમાં ભારે ભૂસ્ખલન થયું છે. આ ભૂસ્ખલનમાં 100થી વધુ લોકોનાં મોત થયાનો અંદાજ છે, કેમ કે ભારે સંખ્યામાં લોકો જમીનની નીચે દબાયેલા છે. ગ્રામીણોએ ઘટનાસ્થળેથી મોટી સંખ્યામાં મૃતદેહો મેળવ્યા છે. આ દુર્ઘટનામાં મૃતકોનો સત્તાવાર આંકડો નથી આવ્યો.

પોર્ટ મોરેસ્બીથી આશરે 600 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં એંગા પ્રાંતના કાઓકલામ ગામમાં સવારે ત્રણ કલાકે ભૂસ્ખલન થયું હતું, એમ ABC ન્યૂઝે જણાવ્યું હતું. એંગા પ્રાંતીય વહીવટી તંત્રનું કહેવું છે કે એણે આ દુર્ઘટનામાં થયેલા નુકસાનની સમીક્ષા કરવા માટે એક ઇમર્જન્સી એક્શન ટીમની રચના કરવામાં આવી છે.

આ ભૂસ્ખલનમાં બચી ગયેલા લોકોને કાટમાળમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આ ભૂસ્ખલનને કારણે ઘણાં ગામડાંઓમાં ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યાં છે. રાહત અને બચાવ કાર્યકર્તાઓ અહીંથી લોકોને બહાર કાઢવાનું કામ કરી રહ્યા છે. ઘણા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ભૂસ્ખલન બાદ દટાયેલા મૃતદેહોને બહાર કાઢવામાં સ્થાનિક લોકો રાહત અને બચાવ કાર્યકરોની મદદ કરી રહ્યા છે.

ભૂસ્ખલન પહેલાં પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. આ ધરતીકંપ ફિન્શચાફેનથી 39 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.3 માપવામાં આવી હતી. ભારતીય સમય અનુસાર, આ ભૂકંપ પાપુઆ ન્યુ ગિનીમાં ગુરુવારે સવારે 9.49 કલાકે આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વેએ પણ પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપની પુષ્ટિ કરી છે. પાપુઆ ન્યુ ગિનીમાં ભૂકંપથી નુકસાનના કોઈ અહેવાલ નથી.

 

 

 

 

 

 

 

જીવનમાં વાસ્તવિક સૌંદર્ય ભરવાનો પુરુષાર્થ કરીએ

રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ધોરણે પસંદ થતી વિશ્વ સુંદરીનો તાજ ફક્ત કુવારી કન્યાને શોભી શકે છે. કોઈ લગ્ન કર્યા વગર પણ બ્રહ્મચારી છે કે નહીં તેની આજના યુગમાં કોઈ ગેરંટી નથી. જો શરીરથી પવિત્ર હોય પરંતુ મનથી પવિત્ર હોવું બહુ મુશ્કેલ છે. તેમ છતાં પણ આજના તમો પ્રધાન યુગમાં પણ જો શારીરિક પવિત્રતાને વિશ્વ સંગ્રહનો તાજ પહેરવાનો આધાર માનવામાં આવે છે તો તે પવિત્રતાનું મહત્વ બતાવે છે. સૌંદર્ય હરીફાઈમાં વિજેતા બહેનો પવિત્રતાની શરતનું પાલન કરવા સાથે એક વર્ષ સુધી વિશ્વ સુંદરીનો તાજ ધારણ કરી નામ તથા પૈસા કમાઈ શકે છે.

ભગવાન દ્વારા આયોજિત હરીફાઈમાં વિજય બનવા માટે વર્તમાન પુરુષોત્તમ સંગમ યુગમાં મન-વચન-કર્મ થી સંપૂર્ણ પવિત્રતાનું પાલન કરવાથી 21 જન્મો માટે અવિનાશી મહિમા, ખૂટે નહીં તેટલું ધન તથા દિવ્ય સૌંદર્ય પ્રાપ્ત કરી શકાય છે. લૌકિક હરીફાઈમાં ફક્ત બહેનોની જ પસંદગી કરવામાં આવે છે કારણ કે કળિયુગમાં નારીના સૌંદર્યને વધુ મહત્વ આપવામાં આવે છે. પરંતુ પરમાત્મા કે જે સર્વ આત્માઓના પિતા છે, તેમની નજરમાં બધી આત્માઓ ભાઈ ભાઈ છે. પરમાત્માએ સત્યયુગી દેવી-દેવતા બનવા માટેની હરીફાઇમાં ભાગ લેવા માટે સ્ત્રી પુરુષ બંનેને આહ્વાન કરેલ છે. શ્રી લક્ષ્મી તથા શ્રી નારાયણ સંપૂર્ણ સુંદર, 16 કલા સંપૂર્ણ, સંપૂર્ણ નિર્વિકારી તથા મર્યાદા પુરુષોત્તમ છે. અર્થાત આ ઈશ્વરીય હરિફાઇ નર તથા નારી બંને માટે છે.

લૌકિક હરિફાઈમાં વિજયી બનનાર મોટાભાગની બહેનો ન્યાયાધીશોની સામે ઈચ્છા પ્રગટ કરે છે કે તેઓ ઇનામમાં મળેલ પૈસા થી બાળ કલ્યાણ તથા સમાજ કલ્યાણના કાર્યો કરશે. પરંતુ વ્યવહારમાં એવું બહુ ઓછું જોવા મળે છે. મોટાભાગે તેઓ મોડલિંગ કે અભિનય ક્ષેત્રમાં જેતી રહે છે. પરમાત્મા પિતાની હરીફાઈમાં વિજયી તેજ બનશે કે જેઓ સમય, શ્વાસ, સંકલ્પ, ધન વિગેરે માનવ માત્રની સેવામાં અર્પણ કરી દેશે. તેઓ કોઈપણ ભેદભાવ વગર અથક બનીને આત્માઓના કલ્યાણ માટે લાગેલા રહેશે તથા પરમાત્મા પિતાની શ્રીમત અનુસાર કથની અને કરનીને એક સમાન બનાવીને રાખશે. આવું કરવાના પરિણામે તેઓને 5000 વર્ષના આ સૃષ્ટિ ચક્રમાં હીરો પાર્ટધારીની કામગીરી મળશે. તેમની નિર્વિકારી, હર્ષિત તથા કંચન કાયાને અડધા કલ્પ સુધી પ્રજા તથા અડધા કલ્પ દરમિયાન ભક્ત શ્રદ્ધા સુમન અર્પણ કરતા રહેશે.

પરમ પિતા પરમાત્મા શિવ આ સમયે સહજ રાજયોગ તથા સહજ જ્ઞાનનો અભ્યાસ કરાવી રહ્યા છે જે દ્વારા આત્માના સર્વ પતિત સંસ્કાર સમાપ્ત થઈ જાય છે. સંસ્કારોના આધારે જ શરીર તથા ભાગ્ય બને છે. તથા સંસ્કારોના આધારે જ બીજા જન્મમાં સુખ કે દુઃખ મળશે તે નક્કી થાય છે. જે આત્માઓના સંસ્કાર તથા સંકલ્પ સતો પ્રધાન હોય છે તેઓ પ્રતિભાવાન તથા સુખ આપનાર બની જાય છે.

આથી તમામ ભાઈઓ તથા બહેનોને શુભ અપીલ છે કે બંને પ્રકારના સૌંદર્યને ધારણ કરવાનું લક્ષ રાખે. ફક્ત એક જન્મ માટે પ્રાપ્ત થયેલ વિનાશી ચામડી આધારિત સુંદરતા, જે બીમારી તથા વૃદ્ધાવસ્થાના સમયે સમાપ્ત થઈ જાય છે તેના ઉપર મહેનત કરવાના બદલે રાજયોગ દ્વારા જીવનમાં વાસ્તવિક સૌંદર્ય ભરવાનો પુરુષાર્થ કરીએ.

(બી. કે. શિવાની)

(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)

કોરાનાના 23 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 23 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,612 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,387 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 110 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 432 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,427 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 16 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૨૪ મે, ૨૦૨૪

Chitralekha Gujarati – 03 June, 2024

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 24/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે સાવચેતી રાખવી, ગુસ્સા પર કાબુ રાખવો, વાહન ધીમે ચલાવવું, તાવ, માથા, આંખ, હાડકા ની તકલીફથી સાચવવું, વાર્તાલાપમાં ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, ખરીદી પાછળકે ફરવામાં ધાર્યા કરતા વધુ નાણા ખર્ચાય અને તેનો થોડો અજંપો તમારી શાંતિને ખલેલ પોહ્ચાડી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થાય કારણકે તમને ઉત્સાહ રહે તેવા સંજોગો બને અને નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, ધાર્મિકકાર્ય હેતુ ક્યાક મુસાફરી થાય અને તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય, તમે કોઈને મદદ કરવાની સદભાવના રાખો તેવું બની શકે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સારી રીતે સમય પસાર થાય, ક્યાંક બિનજરૂરી નાણાકીય ખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય, હરવાફરવામાં ઉત્સાહ સારો જોવા મળે,  માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિતકે જુનાસંપર્ક દ્વારા તમને તમારા કામમાં સારો પ્રતિસાદ જોવા મળી શકે છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો ખાસ કરીને વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે જેથી ખોટો અજંપો ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું, પાડવા,વાગવા,કફ,છાતી,પ્રેસરજેવી તકલીફથી સાચવવું, માર્કેટિંગક્ષેત્રમાં મહેનત કરતા ઓછું ફળ મળે તેવું બની શકે છે, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, કામકાજમાં થોડી વ્યસ્તતા જોવા મળી શકે છે, મનમાં થોડી અશાંતિ જોવા મળી શકે છે, સરકારીકામ,યુનિફોર્મવાળી નોકરી,સોનાઝવેરાત,ફાર્મા જેવા ક્ષેત્રમાં કામકરનારને માનસિકથાકની લાગણી અનુભવાય. માર્કેટિંગક્ષેત્રમાં તમને સમયનો વ્યય વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસ સારી રીતે પસાર થઇ શકે છે અને જો જુના કામની કોઈ ગુંચ પડેલી હોયતો તેને ઉકેલી શકાય તેવા યોગ બની શકે છે, તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય કે તેમાં તમને કોઇ મદદ કરતા મળે તેવું પણ બની શકે છે, વેપારમાં યોગ્ય ગણતરીપૂર્વક કામકાજ કરવાથી લાભ થઈ શકે છે.


આજનો દિવસ તમારે સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે , વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ અને ખટપટી લોકોથી દુર રહેવાની જરૂર છે , ક્યાય કોઇપણ બાબતની મિલનમુલાકાત કરવાની હોય તે દરમિયાન વાર્તાલાપમાં ધ્યાન આપવું કે જેથી કોઇપણ પ્રકારની ગેરસમજ ટાળી શકાય.


આજનો દિવસ સરસ છે અને તેમાં પણ જો કોઈ જૂનીઓળખાણ તાજી થાયતો તમારી ખુશી અને લાગણીમાં ખુબજ વધારો થાય, તમારા કોઈકામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય. વેપારમાં લાભની વાત સંભાળવા મળી શકે છે. પ્રિયજન તરફથી સારો આદરભાવ જોવા મળે અને ક્યાંક નાનાઅંતરની યાત્રા પણ થઈ શકે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, ખટપટ અને ગુસ્સાથી દુર રહેવું જેથી બિનજરૂરી વિવાદ ટાળી શકાય, યુવાવર્ગ માટે મશ્કરીમજાક જેવી બાબતથી દુર રહેવાની સલાહ છે. વેપારમાં કોઈ મોટાનિર્ણય લેતા પહેલા વાતને ચકાસવી યોગ્ય કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમને તમારા કામકાજમાં ઉત્સાહ સારો રહે, ક્યાંક મુસાફરી થઈ શકે છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવા યોગ પણ છે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો  યોગ્ય છે, પ્રિયજન સાથે કોઈ ખરીદીકે ફરવાના પ્રસંગ બને અને તેમાં તમને સારી લાગણીનો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, તમારા કામમાં વ્યસ્ત વધુ રહેવાય તેવા સંજોગો બની શકે છે, જુના કોઈ કામમાં અટવાવતો તેમાં જલ્દીથી ઉકેલન આવે અને સમયનો વ્યય થાય તેવું બની શકે છે, માનસિક થાકની લાગણી તમે વધુ અનુભવો. વેપારમાં નાનું કામ કરવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, તમારા મિત્રો સાથે કામની કોઈ લાભકારી ચર્ચા થાય અને તેમાં તમારી ગણતરી મુજબ કામ થાય તેવું બની શકે છે, મુસાફરી થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં રેફરન્સથી કામ કરોતો લાભ થાય, આજે તમારામાં ધાર્મિકભાવના સારી રહે અને કોઈક જાત્રા કરવા જવાના વિચાર વધુ જાગે.

પંચાંગ 24/05/2024