Home Blog Page 1797

રાજ્યના તમામ ગેમ ઝોનમાં ચેકિંગ હાથ ધરાયું

રાજ્યમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જી હાં રાજકોટ TRP ગેમ ઝોનમાં લાગેલી આગમાં 28થી વધુ લોકો બળીને ભસ્મ થયા બાદ રાજ્ય સરકારે તમામ ગેમ ઝોનમાં ચેકિંગ કરવાના આદેશ આપ્યા છે, ત્યારે અમદાવાદ શહેર સહિત રાજ્યમાં આવેલા ગેમ ઝોનમાં ચેકિંગ કરવા માટે ત્રણ ટીમની રચના કરવામાં આવી છે. આજે રવિવારે સવારથી જ શહેરમાં આવેલા વિવિધ ગેમઝોનમાં ટીમો દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર આલ્ફા વન મોલમાં ફન સિટી નામનું એક જ ગેમ ઝોન હોવા અંગેની માહિતી હતી, જ્યારે ટીમ દ્વારા ચેકિંગ અને ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવી તો એક નહીં પરંતુ 4 જેટલા ગેમ ઝોન ચાલતા હોવા અંગેનો ઘટસ્ફોટ થયો છે. જેમાં કેટલાકની તો ફાયર NOC પણ ન હોવાનું જાણવા મળ્યું છે.

tragedy

ગેમ ઝોનમાં ફાયર બ્રિગેડ, AMC અને પોલીસના અધિકારીઓએ ફાયર સેફટી, NOC, ગેમ ઝોનમાં એન્ટ્રી એક્ઝિટની કેવી વ્યવસ્થા છે તે વગેરે અંગેની ચકાસણી કરવા માટે વસ્ત્રાપુરના આલ્ફા વન મોલમાં આજે સવારે એક ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગેમ ઝોન ચલાવવા માટે કેવા પ્રકારની મંજૂરી લેવામાં આવી છે તે અંગેના ડોક્યુમેન્ટની પણ ચકાસણી કરવામાં આવી છે. અન્ય એક ટીમ દ્વારા સિંધુભવન રોડ ઉપર આવેલા SHOTT ગેમ ઝોનમાં પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ફાયર બ્રિગેડ દ્વારા અને ડેપ્યુટી સીટી ઇજનેર સહિતના અધિકારીઓએ ફાયર NOC અને યોગ્ય પ્રકારનું બાંધકામ કર્યું છે કે કેમ તે વગેરે અંગેની ચકાસણી કરવામાં આવી હતી. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સમાં તપાસ આ સાથે જ વનિતા વિશ્રામ સહિતના 3 મેળા પણ બંધ કરાવાયા હતા. શહેરમાં મોટા 17 ગેમ ઝોન્સ છે, જેની ઈલેક્ટ્રિક લોડ, એનઓસીથી લઈને તમામ બાબતે આજે તપાસ કરવામાં આવશે. જેથી કાલે વધુ પોલ ખુલે તેવી સંભાવના છે.

ઇઝરાયેલ પર હમાસ દ્વારા મોટો હુમલો

હમાસે ફરી એકવાર ઇઝરાયેલ પર મોટો હુમલો કર્યો છે. હમાસની સશસ્ત્ર પાંખ, અલ-કાસમ બ્રિગેડસે કહ્યું કે તેણે રવિવારે તેલ અવીવ પર એક મોટો મિસાઇલ હુમલો કર્યો. આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ શહેરમાં સાયરન વગાડીને સંભવિત રોકેટ હુમલાની ચેતવણી આપી હતી. જેથી લોકોને હુમલાથી બચવા માટે એલર્ટ કરી શકાય.

ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ અનુસાર, રવિવારે હમાસની સશસ્ત્ર પાંખ અલ-કાસમ બ્રિગેડે તેની ટેલિગ્રામ ચેનલ પર દાવો કર્યો હતો કે નાગરિકો વિરુદ્ધ ઝાયોનિસ્ટ નરસંહારના જવાબમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. જ્યારે હમાસ અલ-અક્સા ટીવીએ જણાવ્યું હતું કે ગાઝા પટ્ટીમાંથી રોકેટ છોડવામાં આવ્યા હતા. છેલ્લા 4 મહિનાથી તેલ અવીવમાં રોકેટ સાયરન સંભળાતા ન હતા. જો કે, ઇઝરાયેલી સેનાએ તરત જ સાયરન વાગવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.

જાનહાનિનો કોઈ અહેવાલ પ્રાપ્ત થયો નથી – ઇમરજન્સી હેલ્થ ટીમ

તે જ સમયે, ઇઝરાયેલની કટોકટી તબીબી સેવાઓએ કહ્યું કે તેમને કોઈ જાનહાનિના અહેવાલ મળ્યા નથી. આ મિસાઇલ હુમલો દર્શાવે છે કે ઇસ્લામિક જૂથ 7 મહિનાથી વધુ સમયથી હવાઈ અને જમીન સ્તર પર ઇઝરાયલી સૈન્ય હુમલાઓ છતાં લાંબા અંતરના રોકેટ ફાયર કરવામાં સક્ષમ છે.

 

CM ભૂપેન્દ્ર પટેલે રાજકોટમાં દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગને કારણે સર્જાયેલી કમનસીબ દુર્ઘટનાની જાત માહિતી મેળવવા રવિવારે વહેલી સવારે રાજકોટ પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ રાજકુમાર, પોલીસ મહાનિદેશક વિકાસ સહાય, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ એમ.કે. દાસ સહિત રાજ્ય સરકારના વરીષ્ઠ અધિકારીઓ, શહેર તથા જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓ સાથે દુર્ઘટના સ્થળનું જાત નિરીક્ષણ કર્યું હતું.

Chief Minister Bhupendrabhai Patel

સમગ્ર મુલાકાત દરમિયાન ભૂપેન્દ્ર પટેલની સાથે રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ શનિવારની મોડી રાતે ઘટના સ્થળે પહોંચીને જે વિગતો મેળવી હતી, તેનાથી મુખ્યમંત્રીને વાકેફ કર્યા હતા. મુખ્યમંત્રીએ રાજકોટમાં એઈમ્સ તથા અન્ય હોસ્પિટલ, જ્યાં ઈજાગ્રસ્તોને સારવાર અપાઈ રહી છે, તેની મુલાકાત લીધી હતી. ઈજાગ્રસ્તો અને તેમના પરિવારજનો સાથે વાતચીત કરીને મુખ્યમંત્રીએ તેમને અપાઈ રહેલી સારવારની વિગતો મેળવી હતી અને ખબર-અંતર પૂછ્યા હતા.

Chief Minister Bhupendrabhai Patel

આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નિર્દોષ વ્યક્તિઓના પરિવારોને મળીને ભૂપેન્દ્રભાઈએ હૃદયપૂર્વક સાંત્વના પાઠવી હતી અને શોકસંતપ્ત પરિવારોના દુઃખમાં સહભાગી થયા હતા. રાજ્ય સરકાર આ કપરી વેળાએ આપદગ્રસ્તોની પડખે ઊભી છે, એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ આપ્યો હતો.

મુખ્યમંત્રીએ આ દુર્ઘટના સંદર્ભમાં સ્થાનિક તંત્ર દ્વારા લેવાયેલા બચાવ, રાહતના પગલાં, ઈજાગ્રસ્તોની સારવારનો ત્વરિત પ્રબંધ, વગેરે અંગે રાજકોટના હીરાસર એરપોર્ટ ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે આ સમગ્ર દુર્ઘટનાની તલસ્પર્શી તપાસ કરીને દુર્ઘટનામાં જવાબદારો સામે કડક શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવા પણ સ્પષ્ટ સૂચનાઓ આ બેઠકમાં આપી હતી.

૨૬ મે, ૨૦૨૪

રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 32 લોકોના મોત

ગુજરાતના રાજકોટ શહેરમાં શનિવારના રોજ TRP ગેમ ઝોનમાં લાગેલી ભીડમાં લાગેલી આગમાં બાળકો સહિત 30થી વધુ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મૃતકોના પરિવારજનો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવાર માટે 4-4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ SIT ટીમ આ ઘટનાની તપાસ કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું આ સંદર્ભે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, ગૃહમંત્રી સહિત ઘણા નેતાઓએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

Rajkot fire incident

બે કલાકમાં આગ પર કાબુ મેળવ્યો

માહિતી આપતા રાજકોટ કલેક્ટરે જણાવ્યું હતું કે, અમને લગભગ સાડા ચાર વાગ્યે આગની માહિતી મળી હતી, તરત જ એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અહીં TRP ગેમિંગ ઝોનમાં જે કામચલાઉ માળખું હતું તે ધરાશાયી થયું હતું. અસરગ્રસ્ત TRP ગેમ ઝોન અને અધિકારીઓને આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે કારણ કે ઉનાળાની રજાઓ અને સપ્તાહાંતના કારણે ઘટના સ્થળે ઘણા બાળકો હાજર હતા.

Gamezone fire

રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

tragedy

તો બીજી તરફ સરકારે અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મામલે વધુ એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં આગની દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકોટમાં આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ કરી રહ્યું છે.

પંચાંગ 26/05/2024

રાશિ ભવિષ્ય 26/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થઈ શકે છે, તમારા કામમાં વ્યસ્તતાથી થાક લાગવાની લાગણી અનુભવાય અને આરામકરવાની વૃતિ જાગે, ફરવાકે મુસાફરીમાં ઉત્સાહની સાથે થાક પણ અનુભવો, કોઈ જગ્યાએ કામકાજ અર્થે મિલનમુલાકાત કરવાની હોયતો શાંતિ અને ચોકસાઈ રાખવી યોગ્ય છે.


આજનો દિવસ સારો છે, મિત્ર અને પરિચિત સાથે કોઈ લાભની વાત કરવાની તક મળી શકે છે, ઘણા વખત થી કોઈ ચીજવસ્તુ ખરીદવાની ઈચ્છા ધરાવતા હોવતો તેપણ ફળીભૂત થાય તેવા સંજોગો બની શકે છે, આગળના કોઈ અધૂરાકામ પુરા કરવા માટે પ્રયત્ન કરવાથીતે કામને પણ ગતિ મળી શકે છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં વધુ ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય, તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે, ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

રાજકોટ અગ્નિકાંડ મામલે 4 લોકોની અટકાયત, SITનું ગઠન

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા છે. આમાં 9 બાળકો પણ સામેલ છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ 24 લોકોના મોતની પુષ્ટિ કરી છે. 32 મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. શહેરના નાના મૌવા વિસ્તારમાં આવેલા ગેમઝોનમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં 32 લોકોના મોત થયા છે. રાજકોટમાં ફરી એકવખત હચમચાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. TRP ગેમઝોનના માલિકની ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ સોલંકીની ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. રાજકોટ ગેમ ઝોનના માલિકોની ઓળખ થઇ છે. યુવરાજસિંહ સોલંકી, માનવિજયસિંહ સોલંકી, પ્રકાશ જૈન અને રાહુલ રાઠોડ ગેમઝોનના માલિક છે.

Rajkot fire

રાજકોટ પોલીસે ટીઆરપી ગેમ ઝોનના 4 લોકોની અટકાયત કરી છે. હજુ પણ ગેમઝોન અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધી શકે છે. જે લોકોની અટકાયત કરવામાં આવી છે તેમાં યુવરાજસિંહ સોલંકી, પ્રકાશ જૈન, રાહુલ રાઠોડ, મહેંદ્રસિંહ સોલંકીનો સમાવેશ થાય છે. રાજકોટમાં ગેમઝોનમાં સર્જાયેલી આગની દૂર્ઘટના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુ:ખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું છે કે, આ ઘટનામાં જીવ ગુમાવનાર વ્યક્તિઓ અને તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો સત્વરે સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.

Gamezone fire

તો બીજી તરફ સરકારે અગ્નિકાંડની તપાસ માટે SITની રચના કરી છે. આ ઉપરાંત પીએમ મોદીએ પણ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. પીએમ મોદીએ મુખ્યમંત્રી સાથે ફોન પર વાતચીત કરી છે. રાજ્ય સરકારે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના મૃતકોના પરિવારને 4 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરી છે. FSLની ટીમ ઘટનાસ્થળે તપાસ કરવા પહોંચી છે.

રાજકોટઃ દુર્ઘટનાને લઈને સરકારે કરી સહાયની જાહેરાત

ગુજરાતના રાજકોટમાં TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 32 લોકોના મોત થયા છે. આમાં 9 બાળકો પણ સામેલ છે. 32 મૃતકોમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રેસ્ક્યુ ઓપરેશનની સાથે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે. બાળકો સહિત અનેક લોકો ફસાયા હોવાની આશંકા છે. આગ કેવી રીતે લાગી તે અંગે કોઈ માહિતી નથી.

મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત

રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપશે. આવી ઘટના ફરીથી ન બને તે સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. આમાં કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. આ સંદર્ભે, એક વિશેષ તપાસ ટીમ (SIT) ની રચના કરવામાં આવી છે અને તેને સમગ્ર મામલાની તપાસની જવાબદારી સોંપવામાં આવી છે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મામલે વધુ એક પોસ્ટ કરી છે. તેમણે કહ્યું કે, રાજકોટમાં આગની દુર્ઘટના હૃદયને હચમચાવી દે તેવી છે. આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકો અને તેમના પરિવારો પ્રત્યે હું દિલથી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તે માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું.

રાજકોટ આગ દુર્ઘટના, PMએ વ્યક્ત કર્યું દુઃખ

ગુજરાતના રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગને કારણે મૃત્યુઆંક વધીને 32 થયો છે. બપોરે લાગેલી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટના શનિવારના રોજ બની હતી અને રાજકોટ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે આગ પાછળનું કારણ શું છે તેની અમે તપાસ કરી રહ્યા છીએ. આ સાથે તેમણે કહ્યું કે, શહેરના તમામ ગેમિંગ ઝોનને બંધ કરવાનો મેસેજ આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

આ ઘટના પર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, રાજકોટમાં આગની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના તે તમામ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું ઘાયલો માટે પ્રાર્થના કરું છું. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય મદદ કરી રહ્યું છે.