Home Blog Page 1633

દુકાનદારોએ પોતાની ઓળખ બતાવવી જરૂરી નથીઃ સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રાના રૂટ પર નેમ પ્લેટ પર વચગાળાનો સ્ટે મૂકતાં કહ્યું હતું કે દુકાનદારોએ ઓળખ બતાવવાની જરૂર નથી. આ સિવાય કોર્ટે UP, ઉત્તરાંખંડ અને મધ્ય પ્રદેશને પણ નોટિસ જારી કરી છે અને શુક્રવાર સુધી જવાબ માગ્યો છે.

કોર્ટે કહ્યું છે કે દુકાનદારોએ બસ ખાદ્ય પ્રકારનો પ્રકાર બતાવવાનો રહેશે. દુકાનદાર દુકાન પર શાકાહારી કે માંસાહારી- કયા પ્રકારના ખાદ્ય પદાર્થ વેચી રહ્યા છે, બસ, એ જણાવવાનું રહેશે.

સુપ્રીમ કોર્ટે હવે યોગી સરકારના આ ફરમાન પર વચગાળાનો સ્ટે મૂકતાં આદેશ કર્યો હતો કે કોઈ દુકાનદારે તેમની દુકાન કે લારી-ગલ્લાં બહાર નેમ પ્લેટ લગાવવાની જરૂર નથી. આ મામલામાં આગામી સુનાવણી 26મી જુલાઈના રોજ થશે. સુપ્રીમ કોર્ટના વચગાળાના આદેશ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે દુકાનોના માલિકો અને કર્મચારીઓને તેમનાં નામ લખવા માટે દબાણ ન કરવું જોઈએ., ઉત્તર પ્રદેશ સરકારના આદેશને NGO એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઇટ્સ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસમાં જસ્ટિસ હૃષિકેશ રાય અને જસ્ટિસ એસ.વી.એન. ભટ્ટીની બેન્ચે સુનાવણી કરી હતી.

શું છે મામલો?

સુપ્રીમ કોર્ટે કાંવડ યાત્રા –નેમ પ્લેટ વિવાદ મામલે સુનાવણી કરી હતી. રાજ્ય સરકાર દ્વારા કાંવડ યાત્રાના રૂટ પર દુકાનદારોને પોતાની ઓળખ બતાવવા કહેવામાં આવ્યું હતું. આ કેસમાં કેટલીય દુકાનોનાં નામ હિન્દુઓનાં નામ પર રાખવામાં આવ્યાં હતા, પરંતુ તેમના માલિક મુસ્લિમ હતા. વિરોધ પક્ષો આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા હતા.

 

 

મુંબઈની પ્રથમ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો આ તારીખથી શરૂ, જાણો તમામ માહિતી

મુંબઈ: પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો મુંબઈ શહેરમાં 24મી જુલાઈથી શરૂ થશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ જણાવ્યું હતું કે મેટ્રો 3 – એક્વા લાઇન મુંબઈની પ્રથમ ભૂગર્ભ મેટ્રો હશે. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈવાસીઓનું જીવન સરળ બનાવવાની ખાતરી આપી હતી અને તે પૂર્ણ થવા જઈ રહી છે. આ મેટ્રો શહેરની ગતિ વધારવામાં મદદ કરશે.

એક્વા લાઇન કોલાબા, SEEPs અને બાંદ્રા જેવા શહેરના મુખ્ય વિસ્તારોને જોડશે. સરકારના જણાવ્યા અનુસાર, આરે કોલોનીથી કફ પરેડ સુધીના 33.5 કિલોમીટરના રૂટમાં કુલ 27 સ્ટોપ હશે. લાઇન 1નું નિર્માણ ખાનગી ભાગીદાર રિલાયન્સના સહયોગથી કરવામાં આવ્યું હતું, લાઇન 3નું નિર્માણ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ કરવામાં આવ્યું હતું.

એકસાથે 3 હજાર લોકો મુસાફરી કરી શકશે

X પર ભારત સરકારની પોસ્ટ અનુસાર, નવી મેટ્રો લાઇન ‘શહેરી પરિવહનને પરિવર્તિત કરશે, મુંબઈના રસ્તાઓ પર મુસાફરીને સરળ બનાવશે અને ટ્રાફિકની ભીડમાં ઘટાડો કરશે. એક્વા મેટ્રો લાઇનની દૈનિક મુસાફરોની ક્ષમતા 17 લાખ લોકોની હશે. મેટ્રોમાં એક સાથે ત્રણ હજાર લોકો ચડી શકશે. મે મહિનામાં ટ્રાયલ રનની સફળ શ્રેણી હાથ ધરવામાં આવી હતી, જ્યાં મેટ્રો આરે કોલોનીથી દાદર સુધી સરળતાથી કાર્યરત હતી.

ધ ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, સમગ્ર પ્રોજેક્ટનો ખર્ચ આશકે 37000 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીએ પ્રોજેક્ટના મોટા હિસ્સા માટે નાણાં પૂરાં પાડ્યાં હતાં. હાલમાં, લાઇન 1, 2a અને 7 મુંબઈમાં કાર્યરત છે, અન્ય લાઇન હજુ બાંધકામ હેઠળ છે. લાઇન 3 શરૂ થવાથી શહેરમાં કનેક્ટિવિટી વધશે, ખાસ કરીને દક્ષિણ મુંબઈના મુસાફરો માટે.

મેટ્રોનો સમય

દરરોજ સવારે 6:30 થી 11:00 વાગ્યા સુધી દરેક થોડી મિનિટોમાં એક મેટ્રો લોકો માટે ઉપલબ્ધ રહેશે. માર્ગ મુસાફરીની તુલનામાં મુસાફરોને નોંધપાત્ર સમય બચાવવાની અપેક્ષા છે, કારણ કે મેટ્રો પ્રતિ કલાક 90 કિમીની ઝડપે પહોંચી શકે છે. 35 કિમીની મુસાફરી, જે સામાન્ય રીતે રોડ દ્વારા બે કલાકથી વધુ સમય લે છે, તે મેટ્રો દ્વારા માત્ર 50 મિનિટમાં પૂર્ણ થશે.

આ મેટ્રો સ્ટેશનો પર હશે સ્ટોપ

આ સ્ટેશનો છે કફ પરેડ, વિધાન ભવન, ચર્ચગેટ, હુતાત્મા ચોક, સીએસટી મેટ્રો, કાલાબાદેવી, ગિરગાંવ, ગ્રાન્ટ રોડ, મુંબઈ સેન્ટ્રલ મેટ્રો, મહાલક્ષ્મી, સાયન્સ મ્યુઝિયમ, આચાર્ય અત્રે ચોક, વરલી, સિદ્ધિવિનાયક, દાદર, શીતળાદેવી, ધારાવી, બીકેસી, વિદ્યાનગર, સાંતાક્રુઝ, ડોમેસ્ટિક એરપોર્ટ, સહર રોડ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, મરોલ નાકા, MIDC, SEEPs અને આરે ડેપો.

આર્થિક સર્વેઃ GDP ગ્રોથ 6.5 ટકાથી સાત ટકા રહેવાનો અંદાજ

નવી દિલ્હીઃ નાણા મંત્રી નિર્મલા સીતારામને આર્થિક સર્વેક્ષણ 2023-24 લોકસભામાં રજૂ કરી દીધું છે. આર્થિક સર્વે મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક ગ્રોથ 6.5 ટકાથી સાત ટકા રહેવાની શક્યતા છે. દેશમાં મોંઘવારી કાબૂમા છે અને ભૂ-રાજકીય તણાવો છતાં આર્થિક સ્થિતિ સારી છે.  આ આર્થિક સર્વેમાં ખાનગી સેક્ટર અને સરકારમાં પાર્ટનરશિપ પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

આ સર્વેમાં GDP ગ્રોથ, મોંઘવારી દર, રોજગારી દર અને રાજકોષીય ખાધ સહિત અનેક ડેટા સામેલ છે. આર્થિક સર્વેમાં કૃષિ પર ધ્યાન દેવા પર ભાર આપવામાં આવ્યો છે. નાણાપ્રધાને રજૂ કરેલા આર્થિક સર્વેમાં નીચેની મુખ્ય બાબતો સામેલ હતી.

  • FY26 સુધી નાણાકીય ખાધ ઘટાડીને 4.5 ટકા રહેવાની સંભાવના
  • 2030 સુધીમાં ભારત વૈશ્વિક ડ્રોન હબ બનાવવા અગ્રેસર
  • રાજ્યોની ક્ષમતા વધારવા પર ફોક્સ જરૂરી
  • જાન્યુ.-માર્ચ 2023માં શહેરી બેરોજગારી દર ઘટીને 6.7 ટકા
  • શિક્ષણ અને રોજગારમાં સંતુલન જરૂરી
  • એરપોર્ટ ક્ષેત્રમાં રૂ. 72,000 કરોડ મૂડી ખર્ચ છે.
  • દેશમાં કુલ વર્કફોર્સ 56.5 કરોડ હોવાનો અંદાજ
  • કૃષિમાં 45 ટકા, મેન્યુફેક્ચરિંગમાં 11.4 ટકા, સર્વિસીઝમાં 28.9 ટકા, અને કન્સ્ટ્રક્શનમાં 13 ટકા છે.
  • દેશમાં કુલ 57.3 ટકા વર્કફોર્સ ખુદ રોજગાર કરી રહી છે, જેમાં મહિલાઓનો નોંધપાત્ર ગ્રોથ છે
  • બેરોજગારીનો દર 2017-18માં 17.8 ટકાથી ઘટીને 2022-23માં 10 ટકા પર આવ્યો.
  • મહિલાનઓનો ગ્રામીણ ક્ષેત્રોમાં 2017-18થી 16.9 ટકા ગ્રોથ
  • FY25માં ITમાં વધુ હાયરિંગની સંભાવના ઓછી
  • FY24 માટે GDP ગ્રોથ 6-6.8 ટકા
  • પ્રાઇવેટ કેપિટલ માર્કેટે FY24માં રૂ. 10.9 લાખ કરોડની મૂડી એકત્ર કરી
  • કોવિડ કાળ પર વાસ્તવિક GDPમાં 20 ટકા વધારો
  • પ્રતિ વર્ષ 78.5 લાખ નોકરીઓ આપવાની જરૂર
  • કોર્પોરેટ ક્ષેત્રનો નફો 15 વર્ષની ઉપર રહેવાનો અંદાજ
  • સરકારનો PPP પર વિશેષ ભાર

આ આર્થિક સર્વેમાં રોજગાર સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા છે, જે દેશની અર્થવ્યવસ્થાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વસ્તીના ગુણોત્તરમાં વૃદ્ધિ સાથે કોરોના મહામારી પછી દેશનો વાર્ષિક બેરોજગારી દર ઘટી રહ્યો છે. 15 વર્ષ કરતા વધુ વય જૂથ માટે શહેરી બેરોજગારીનો દર માર્ચ 2024 માં ઘટીને 6.7 ટકા થયો છે જે ગયા વર્ષે 6.8 ટકા હતો.

 

 

ચાંદીપુર વાયરસ અપડેટ: રાજ્યમાં 84 શંકાસ્પદ કેસ નોંધાયા

રાજ્યમાં ચાંદીપુર વાયરસ ધીમે ધીમે પગપેસારો કરી રહ્યો છે. ગુજરાતમાં ફરી આજે ચાંદીપુરાના વધુ 13 શંકાસ્પદ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ 9 કેસ પોઝિટિવ છે જ્યારે અન્યના સેમ્પલના પરિણામ આવવાના બાકી છે. વધુ પાંચ દર્દીના શંકાસ્પદ ચાંદીપુરાથી મૃત્યુ થયાછે. આ સાથે જ મૃત્યુઆંક વધીને 32 થયો છે.

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કુલ 84 કેસમાંથી અરવલ્લી, બનાસકાંઠામાં 2-2 કેસ અને સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, મહેસાણા, નર્મદા, વડોદરા, રાજકોટમાં 1— કેસ નોંધાયા છે. આ ઉપરાંત પંચમહાલમાં સૌથી વધુ 11 કેસ જ્યારે સાબરકાંઠામાં 8, અમદાવાદમાં 6 શંકાસ્પદ કેસ નોંધાયા છે. હાલ સુધીમાં અરવલ્લી, મહેસાણામાંથી 2-2 જ્યારે ગાંધીનગર પંચમહાલ, મોરબી, વડોદરામાંથી 1-1 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. ઉલ્લેખની છે કે ગત રવિવારે બનાસકાંઠામાંથી 2 જ્યારે મહીસાગર-ખેડા-બનાસકાંઠા-વડોદરા શહેરમાંથી 1-1 દર્દીના મૃત્યુ થયા છે. આ ઉપરાંત આજે વધુ ત્રણ બાળકોના મોત થઈ ગયા છે. જેમાં બનાસકાંઠાના સુઈગામ, રાજકોટના ગોંડલના રાણસીકી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 બાળકના મોત થઈ ગયા છે. આ સાથે જ મૃત્યુઆંક 33 પહોંચ્યો છે અને કુલ કેસ 84 થયા છે.  ત્યારે દક્ષિણ ગુજરાતના સુરતમાં રહેતી 12 વર્ષની બાળકી શંકાસ્પદ ચાંદીપુરામાં સપડાતા સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી છે. સુરતમાં આ પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્યતંત્રમાં દોડધામ મચી ગઇ છે. અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરાથી એક બાળકનું મોત થયું છે. અત્યારસુધી સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાથી 6 બાળકોના મૃત્યુ થયા છે. હાલ સિવિલમાં બે બાળકો સારવાર હેઠળ છે. જેમાંથી એક બાળક હાલ વેન્ટિલેટર પર છે.

સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગ..

રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યું છે. ત્યારે સૌરાષ્ટ્રના પોરબંદર અને દ્વારકા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. આ ઉપરાંત પાછલા 24 કલાકમાં ગુજરાતના 150 તાલુકામાં નોંધપત્ર વરસાદ નોંધાયો છે. નોંધનીય છે કે વલસાડના ઉમરગામમાં 8 ઈચથી વધુ, સુરતના પલસાણામાં પણ 5 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે તાપીના નિઝરમાં  5 ઈંચથી વધુ, સુરતના મહુવામાં 5 ઈંચ, નવસારી 5 ઈંચ, ભરૂચના અંકલેશ્વરમાં 4 ઈંચથી વધુ, વલસાડના પારડીમાં 4 ઈંચથી વધુ, સુરતના ઓલપાડમાં 4 ઈંચથી વધુ નોંધાયો છે. બીજી તરફ હવામાન વિભાગે આજે સોમવારની આગાહી કરી છે જેમાં 12 જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડવાની શક્યતાઓ સેવી છે.

 મળતી માહિતી અનુસાર ગુજરાતમાં આજે સવારે 8 વાગ્યાથી લઈને સવારે 10 વાગ્યા સુધીમાં બે કલાકમાં રાજ્યના 68 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સવારથી જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દેવભૂમી દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદે ભૂક્કા બોલાવી દીધા હતા. બે કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢના માણાવદરમાં ત્રણ ઈંચ, રાજકોટના પેટલાદમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં સૌષ્ટ્રના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી હતી, ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં આજે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના છ જિલ્લાઓમાં રેલ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જુનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટને પગલે ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં હાલ સુધીમાં સરેરાશ 13.30 ઈંચ સાથે સિઝનનો 38.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતના રીજિયન પ્રમાણે જોવામાં આવે તો સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધુ 57.10 ટકા, કચ્છમાં 51.10 ટકા જ્યારે પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી ઓછો 23.09 ટકા વરસાદ નોંધાયો છે.

બજેટ સત્રથી પહેલાં PM મોદીએ વિપક્ષને આપ્યો કડક સંદેશ

નવી દિલ્હીઃ આજથી 18મી લોકસભાના પહેલા બજેટ સત્રનો પ્રારંભ થયો છે. એ પહેલાં વડા પ્રધાન મોદીએ મિડિયાથી વાતચીત કરતાં વિકસિત ભારત યાત્રાના નવા લક્ષ્ય પર ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે હવે સમય આવી ગયો છે ગેરન્ટીઓને જમીન પર ઉતારવાનો.

વડા પ્રધાનને વિપક્ષ પર નકારાત્મક રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. કેટલાક પક્ષો લાભ માટે સંસદનો દુરુપયોગ કરી રહ્યા છે. PMનો અવાજ દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

PM મોદીએ કહ્યું હતું કે હું દેશના બધા સાસંદોને આગ્રહ કરું છું કે જાન્યુઆરીથી માંડીને અત્યાર સુધી આપણે જેટલો સંઘર્ષ કરવાનો હતો, એ કર્યો, પરંતુ હવે એ દોર ખતમ થયો છે. જનતાએ નિર્ણય આપી દીધો છે. બધી પાર્ટીઓને કહેવા ઇચ્છીશ કે તેઓ પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને ખુદને દેશના પ્રતિ સમર્પિત કરે અને આગામી 4-5 વર્ષ સુધી સંસદના એ ગરિમામય મંચનો ઉપયોગ કરે. જાન્યુઆરી, 2029ના ચૂંટણી વર્ષમાં તમે કોઈ પણ ખેલ ખેલી શકો છો, પરંતુ ત્યાં સુધી આપણે ખેડૂતો યુવાઓ અને દેશના સશક્તીકરણમાં ભાગ લઈએ.

સંસદના પહેલા સત્રમાં જે સરકારને દેશની 140 કરોડ જનતાએ બહુમતથી ચૂંટી કાઢી છે, એના અવાજને દબાવવાના પ્રયાસ થયા છે. દેશની જનતાએ આપણને પાર્ટી માટે નહીં દેશ માટે મોકલ્યા છે, એમ તેમણે કહ્યું હતું.

સોમવારથી શરૂ રહેલું સંસદનું ચોમાસુ સત્ર 12 ઓગસ્ટ સુધી ચાલશે. આમાં કુલ 19 બેઠકો યોજાવાની છે. આ સમયગાળામાં સરકાર છ બિલ પણ રજૂ કરે તેવી અપેક્ષા છે. આમાં 90 વર્ષ જૂના એરક્રાફ્ટ એક્ટમાં ફેરફાર કરવા માટેનું બિલ તેમ જ જમ્મુ-કાશ્મીરના બજેટ માટે સંસદની મંજૂરીનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન વિપક્ષ તરફથી હંગામો જોવા મળી શકે છે. મંગળવારે રજૂ થનારા બજેટ પહેલાં નાણામંત્રી સીતારામન સોમવારે સંસદમાં આર્થિક સર્વે પણ રજૂ કરશે.

 

સાચા પ્રેમનો અર્થ – શબ્દોને પરે છે

તમે જાણો છો. સાચા પ્રમેનો શું અર્થ થાય છે. શું તમે તેની શોધમાં છો. સદગુરુ તમને જણાવશે એક એવી અદભુત પ્રકિયા, જેના થકી તમે શબ્દોને પર જઈ, સાચા પ્રેમની ઓળખ કરાવશે.

સદગુરુ: અંગ્રેજીમાં એક સુવાક્ય છે “ફોલિંગ ઈન લવ”, એનો અર્થ “પ્રેમમાં પડવું”. અહીં મહત્વનું છે કે, આપણે પ્રેમ પડીએ છીએ, આપણો પ્રેમમાં ઉદય કે ઉદ્ધાર થતો નથી. કારણ કે, તમે જે વ્યક્તિને પ્રેમ કરો છો, તે એક સમયે તમારાથી દૂર થશે. શક્ય છે, સંપૂર્ણ રીતે નહીં તો, આંશિક રીતે, પણ તે હકિકત છે. માત્ર પ્રેમ ખાતર તમે અન્યને માટે પોતાની જાતનો નાશ કરવા પણ તૈયાર થઈ જાવ છો, તેનો ચોક્કસ અર્થ એ છે કે, તમે તમારી જાત કરતા બીજાને વધુ મહત્વ આપો છો.

પ્રેમ, નફા નુકસાનનું ગણિત નથી.

મોટાભાગના લોકો “પ્રેમ”ને માત્ર નફા નુકસાનના ત્રાજવે જ જોખે છે. એક સમયની વાત છે, એક શંકરન પિલ્લાઈ નામનો માણસ એક વખત બગીચામાં ગયો હતો. ત્યાં તેણે  બાંકડા પર એક સુંદર સ્ત્રી જોઈ. સ્રીને જોતા જ તે, એજ બાંકડા પર જઈને બેઠો. થોડી વાર પછી તે સહેજ સ્ત્રીની નજીક ગયો, તો પેલી સ્ત્રી પણ થોડી ખસી, વળી, પાછો થોડા સમય પછી શંકરન પાછો સહેજ પેલી સ્ત્રી નજીક ગયો. વળી પાછી સ્ત્રી થોડી ખસી. આમ કરતા કરતા પેલી મહિલા બાકડાંના કિનારા સુધી આવી ગઈ. ત્યારે શંકરને પેલી સ્ત્રીનો હાથ પોતાના હાથમાં લીધો અને ઘુંટણીયે બેસી ગયો અને હાથમાં ફુલ રાખી પેલી સ્ત્રીને બોલ્યો કે, “હું તને પ્રેમ કરું છું. મેં ક્યારેય મારા જીવનમાં કોઇને પ્રેમ નથી કર્યો.”

શંકરનના આ પ્રેમ ભર્યા અંદાજથી સ્ત્રી, પીગળી ગઈ અને તેના પ્રેમનો સ્વીકારા કર્યો. સાંજ પડી, શંકરનને મોડું થતું હતું. શંકરન પિલ્લાઈ ઊભો થયો અને બોલ્યો, “આઠ વાગ્યા છે, મારે હવે જવું પડશે, મારી પત્ની રાહ જોતી હશે.”.

પેલી સ્ત્રી બોલી “શું? તું જઈ રહ્યો છે? તે હમણા જ કહ્યું હતું કે તું મને પ્રેમ કરે છે!”

“હા પણ હવે મારો જવાનો સમય. થઈ ગયો છે.”

સામાન્ય રીતે, આપણે આપણા માળખા રહીને સંબંધો બાંધીએ છીએ. સાથે આપણે જે સંબંધોમાં કમ્ફર્ટેબલ અને ફાયદો જોતા હોઈએ છીએ. લોકોની શારીરિક, મનોવૈજ્ઞાનિક, ભાવનાત્મક, આર્થિક અથવા સામાજિક જરૂરિયાતો હોય છે. આ જરૂરિયાતો આધીન અને તેને પૂર્ણ કરવાની શ્રેષ્ઠ માર્ગ કોઈને કહેવું કે, “હું તને પ્રેમ કરું છું.” આ કહેવાતો “પ્રેમ” એ મંત્ર સમાન બની ગયો છે. પણ શું આ યોગ્ય છે? આમ કહીને તમે સામેવાળી વ્યક્તિને શું કહેવા માંગો છો, તેનો વિચાર કરવાનો પ્રયાસ કરી જુઓ.

આપણે જે પણ કાર્ય કરીએ છીએ. તે કોઈ જરૂરિયાતો સંતોષવા માટે કરતા હોઈએ છીએ. જો તમે ધ્યાન આપશો તો, ખ્યાલ આવશે કે, કુદરતી રીતે જ તમારો પ્રેમ વધી રહ્યો છે. પણ લોકો પોતાની જાતને છેતરીને એવો વિશ્વાસ કેળવે છે, કે, તેઓ સુખ, સગવડ અને આરામ માટે સંબંધો બાંધ્યા છે. તે, વાસ્તવમાં પ્રેમનાં સંબંધો છે. હું એમ નથી કહેતો કે આ પ્રકારના સંબંધોમાં પ્રેમની કોઈ અનુભુતી નથી હોતી, પરંતુ તેમાં પ્રેમની ચોક્કસ મર્યાદા હોય છે. આ શબ્દોથી કોઈ ફકર નથી પડતો કે, “હું તમને કેટલો પ્રેમ કરું છું” જો અમુક અપેક્ષાઓ અને જરૂરીયાત ન સંતોષાય તો, પ્રેમ ઓછો થતો જણાય છે.

સાચો પ્રેમનો અર્થ

જ્યારે તમે પ્રેમની વાત કરો, ત્યારે તે બિનશરતી હોય તે જરૂરી છે. જો કે શરતી અને બિનશરતી પ્રેમ જેવી કોઈ વસ્તું જ નથી. અહીં તો માત્ર પ્રેમ અને શરતો જ છે. જે ક્ષણે શરત આવી કે, એજ ક્ષણે પ્રમે મટીને વ્યવહાર થઈ ગયો. શક્ય છે કે, ગમે તેવો અનુકૂળ વ્યવહાર, સારી ગોઠવણ, અથવા તો, જીવનમાં ઉત્તમ વ્યવસ્થા કરી હોય. પણ આ તમામ કિમીયા વ્યક્તિને પરિપૂર્ણ કરશે નહીં;  તેઓ ક્યારે પણ સાચા પ્રેમની અનુભુતી નહી કરી શકે. તેઓ જીવનમાં માત્ર અનુકૂળતા અને સમાધાન સાધતા રહેશે.

જયારે તમે કોઈને “પ્રેમ” કરો છો, ત્યારે તમારે તેને અનુકૂળ થવાની જરૂરી નથી; જો કે મોટાભાગે આવું નથી બનતું. પ્રેમ કરવો સહેલો નથી, કારણ કે પ્રેમ સ્વને ખાય છે. જો તમે કોઈના પ્રેમમાં હોવો, તો તમારે તમારું સ્વ ભુલવું પડે. ત્યારે જ એક વ્યક્તિ તરીકે તમે પ્રેમમાં પડી શકો. આ માટે તમારે મક્કમ થવું પડે, અન્યથા તમે માત્ર અનુકૂળ પરિસ્થિતિમાં છો એનાથી વધારે કશું જ નથી. અહીં આપણે એ ઓળખી કાઢવું જોઈએ કે, શું આ વ્યવહાર છે કે, ખરેખર પ્રેમ. જો કે, પ્રેમ કોઈ ચોક્કસ વ્યક્તિ સાથે થવો જરૂરી નથી; તમે એક ઉચ્ચ કોટીનો પ્રેમ માત્ર વ્યક્તિ સાથે નહીં પણ, તમે તમારી જાત કે જીવનને પણ પ્રેમ કરી શકો છો.

તમે જે કરો છો, અથવા જે નથી કરતા તે, તમારી આસપાસના સંજોગોને આધીન છે. આપણું વર્તન બાહ્ય પરિસ્થિતિના આધારે છે. તમે જે કાંઈ પણ કરો છો તે, કાયમ ઘણી શરતોને આધીન હોય છે. પરંતુ પ્રેમ આંતરિક બાબત છે, અને આ આંતરીક પ્રેમ ચોક્કસપણે બિનશરતી કરી શકો છો.

સ્વને પ્રેમ કરો

જો તમે જીવંત છો, તો સ્વાભાવિક રીતે દરેક મનુષ્ય પ્રેમ કરવા સક્ષમ છો, પરંતુ કમનસીબે, ઘણા લોકો પોતાની જાતને અમુક પ્રકારની માન્યતાઓ, રૂઢીઓ, વિચારધારાઓ અને ફિલસૂફીઓ સાથે સાંકળી દે છે. ત્યારબાદ જીવનમાં પ્રેમ સિવાયની તમામ વસ્તુઓ અસ્તીત્વ ધરાવે છે.

પ્રેમ સ્વર્ગથી નથી ઊતર્યો

મોટાભાગના લોકો ભગવાનને પ્રેમ કરે છે, અને સામે એવું પણ માને છે કે ભગવાન પણ તેઓને પ્રેમ કરે છે. આ ધારણા મુજબ તો, પ્રેમ સ્વર્ગમાંથી ઉતરી આવ્યો હોય તેવું લાગે છે. પણ શું ખરેખર ભગવાન તમને પ્રેમ કરે છે કે નહીં?  આ વાત ગમે તે મગજની ઉપજ હોય, પણ આ વાત સર્જન કરનારના મગજને સત સત પ્રણામ છે. – પરંતુ તમે નથી જાણતા, એ પ્રેમ છે, આનંદ છે, કે શાંતિ.

પ્રેમ માનવીય લાગણી છે

મનુષ્ય જ્યારે ઈચ્છે ત્યારે પ્રેમ કરવા સક્ષમ છે, પણ કમનસીબે આપણે સ્વર્ગમાં સુંદર જીવનની આશાએ અહીં નિરર્થક અને નીરસ જીવન જીવવા માંગીએ છીએ. પ્રેમ, આનંદ, પરમાનંદ આ માનવ જીવનમા શક્ય છે.

તે સરળ પ્રક્રિયા છે

બીજા કોઈને પ્રેમ કરવો એ પ્રેમ નથી. પ્રેમ બે લોકો વચ્ચે ક્યારેય નથી થતો. તમારી અંદર જ પ્રેમ છે, અને તે પ્રેમ માટે તમારે કોઈના ગુલામ થવાની જરૂર નથી. દરરોજ 15 થી 20 મિનિટ કોઈપણ વસ્તુ, જેમકે, એક વૃક્ષ, પથ્થર, અથવા કોઈ કૃમિ કે જંતુ પાસે બેસી જાવ. અમુક સમય પછી, તમને લાગશે કે તમે તે વસ્તુ પર તમારી પત્ની કે પતિ, માતા કે બાળક કરતા વધુ પ્રેમથી જોઆ લાગ્યા છો. કદાચ કૃમિ કે પથ્થરને આ વાતની જાણ પણ નહી હોય. કોઈ ફરક નથી પડતો, આ જ રીતે તમે તમારી આસપાસની ચીજવસ્તુંને  પ્રેમથી જોઈ શકો છો, તો તમારા માટે સમગ્ર વિશ્વમાં સુંદર બની જશે. તમેને ખ્યાલ આવશે કે, તમે જે કરો છો એટલો જ પ્રેમ નથી; પણ તમે ખુદ જ પ્રેમ બનો છો.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કારપદ્મ વિભૂષણઆપવામાં આવ્યો છે. સાથે તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટમાટી બચાવોના સ્થાપક છે જે 4 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

VIDEO: સુરતના રસ્તાઓ જળબંબાકાર, 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

સુરત: રવિવારે મોડી સાંજે અવિરત વરસાદના પગલે સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાતું હતું. રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. 2 કલાકમાં સતત 4 ઈંચ વરસાદ પડતા અ0નેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. કામરેજમાં સવા 4 ઈંચ તો તાપીના નિઝરમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે.

સુરત શહેર, કામરેજ અને પલસાણા તાલુકામાં સાંજના છ થી આઠ વાગ્યા દરમિયાન બે કલાકમાં ચાર-ચાર ઈચ  વરસાદ નોંધાયો છે. સુરતમાં ભારે વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીથી તરબોળ થયા. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. આઠવાગેટથી રીંગ રોડ વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે.મેટ્રોની કામગીરીને કારણે પાણીનો નિકાલ ન થતાં ઠેર-ઠેર ટ્રાફિક જામના દર્શ્યો સર્જાયો હતા.

ભારે વરસાદના પગલે દુકાનો અને ઘરોમાં પણ પાણી ભરાયા છે. અઠવાગેટ, પૂણાગામ, વરાછા, ઉધનામાં પાણી ભરાયા છે.

પંચાંગ 22/07/2024

સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ‘નેમ પ્લેટ વિવાદ’, આજે થશે સુનાવણી

નવી દિલ્હી: ઉત્તર ભારતના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હરિદ્વારથી લઈને દિલ્હી વચ્ચે આવેલા માર્ગ પર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકારના ખાદ્ય સામગ્રી વેચનારા લોકોએ ફરજીયાતપણે પોતાની લારી અથવા તો દુકાન પર તેમની ઓળખ સ્પષ્ટ થાય તે રીતે નેમ પ્લેટ લગાવવી પડશે. આ આદેશ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા આપવામાં આ્યો છે. જેને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે અનેક અરજીઓ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. જેના પર સોમવારે સુનાવણી કરવામાં આવશે. આ મુદ્દા પર અત્યાર સુધીમાં ટી.એમ.સી. સાંસદ મહુઆ મોહિત્રા, પ્રોફેસર અપૂર્વાનંદ અને આકાર પટેલની સાથે-સાથે અને એન.જી.ઓ. દ્વારા પણ અરજીઓ દાખલ કરવામાં આવી છે.

પ્રોફેસર અપૂર્વાનંદ અને આકર પટેલે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સરકારના એ નિર્દેશ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે કે જેમાં શ્રાવણ મહિનામાં કાંવડ માર્ગ પર ખાદ્ય સામગ્રી વેચનારા દરેક દુકાનદારે પોતાની દુકાન બહાર માલિક અને કર્મચારીયોંના નામ લખવા પડશે.અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય સરકારો દ્વારા જાહેર કરવામાં આવેલા નિર્દેશો સંવિધાનના અનુચ્છેદ 14,15 અને 17 અંતર્ગત વ્યક્તિને આપવામાં આવતા પાયાના અધિકારોને પ્રભાવિત કરે છે. સાથે જ તે મુસ્લિમ પુરૂષોના અધિકારોંને પણ પ્રભાવિત કરે છે, જે અનુચ્છેદ 19(1)નું ઉલ્લંઘન કરે છે. કારણ કે આ આદેશના કારણે તેમની આજીવિકા પર અસર પડશે. આ આદેશ અસ્પૃશ્યતાની પ્રથાનું પણ સમર્થન કરે છે જે ભારતના સંવિધાનના અનુચ્છેદ 17 અંતર્ગત સ્પષ્ટ રૂપથી કોઈપણ રીતે માન્ય નથી.