કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા વાયનાડના ચુરલમાલામાં ભૂસ્ખલન સ્થળ પર પહોંચ્યા છે, જ્યાં 30 જુલાઈએ ભૂસ્ખલન થયું હતું. રાહુલ અને પ્રિયંકા વાયનાડના પીડિત પરિવારોને પણ મળશે. પૂર, વરસાદ અને ભૂસ્ખલનની વિવિધ ઘટનાઓમાં અત્યાર સુધીમાં 167 લોકોના મોત થયા છે જ્યારે 300થી વધુ લોકો લાપતા છે. 8000 થી વધુ લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.
नेता विपक्ष श्री @RahulGandhi और कांग्रेस महासचिव श्रीमती @priyankagandhi ने वायनाड के मेपड्डी में लैंड स्लाइड से प्रभावित इलाकों का जायजा लिया और हादसे से पीड़ित लोगों से मुलाकात की।
📍 केरल pic.twitter.com/adyUEPpviS
— Congress (@INCIndia) August 1, 2024
કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું કે સવારે 7 વાગ્યા સુધી શરીરના અંગો સહિત કુલ 256 પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા હતા. આમ, આ સમગ્ર 256 મૃતદેહો નથી પરંતુ કેટલાક મૃતદેહોના ભાગો પણ તેમાં સામેલ છે. અમે 154 મૃતદેહોને જિલ્લા પ્રશાસનને સોંપ્યા છે. રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે. સેના સતત બચાવ કાર્ય ચલાવી રહી છે.
મુંડક્કાઈ અને ચુરલમાલા સૌથી વધુ અસરગ્રસ્ત
મુંડક્કાઈ અને ચુરલમાલા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો છે. અહીં ઘણું નુકસાન થયું છે. બંને વિસ્તારોને જોડવા માટે 190 ફૂટ લાંબો ‘બેઈલી બ્રિજ’ બનાવવામાં આવ્યો છે. મુંડક્કાઈ નગરમાં લગભગ 450 થી 500 ઘરો હતા પરંતુ મુંડક્કાઈ હવે વાયનાડના નકશામાંથી ભૂંસાઈ ગયું છે. અહીં કશું બાકી નથી. કાદવ અને પથ્થરો સિવાય કશું જ નથી.
લોકસભામાં પણ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો
બુધવારે લોકસભામાં પણ વાયનાડ ભૂસ્ખલનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે આ સમય કેરળના વાયનાડના લોકો સાથે ખડકની જેમ ઉભા રહેવાનો છે. મોદી સરકાર આ માટે પ્રતિબદ્ધ છે. રાહત, બચાવ અને પુનર્વસન માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે. શાહે ગૃહને એમ પણ કહ્યું કે તે આ જ સત્રમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પર બિલ પણ લાવશે. મંત્રીએ કહ્યું કે સરકાર કેરળના લોકોને ખાતરી આપવા માંગે છે કે તે તેમને કોઈપણ મુશ્કેલીમાં એકલા નહીં છોડે.





ઉલ્લેખનીય છે કે આજે સવારે અમદાવાના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ નોંધવામાં આવ્યો હતો. શહેરના સુભાષબ્રિજ, સાબરમતી, આશ્રમરોડ, વાડજ, ઉસ્માનપુરા, આરટીઓ સર્કલ, શાહીબાગ, માધુપુરા, ઇન્કમટેક્સ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે. તો બીજી બાજુ ધારી તેમજ ગીર કાંઠાના ગામોમાં વરસાદી માહોલ છવાયો છે. ધારી શહેર સહીત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો છે.



‘આપણું અદભૂત બ્રહ્માંડ’ કાર્યક્રમ ૩જી ઑગસ્ટ શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે સાંઈબાબા મંદિર બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી પશ્ચિમના સરનામે યોજાવાનો છે. કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે અને આ જાહેર કાર્યક્રમમાં કોઈપણ વ્યક્તિ હાજરી આપી શકશે. છેલ્લી દસેક મિનિટ શ્રોતાઓ વક્તાને પ્રશ્નો પૂછી શકશે.
કરુણા, સંવેદનશીલતા વિનાને સાધુ કેમ કહી શકાય? ગરીબી – સાદગી – વૈરાગ્ય – અપરિગ્રહથી જ આસક્તિ ટળે છે. સ્વેચ્છાએ ગરીબી સ્વીકાર કરનારને અસંતોષ નથી હોતો. જાનકુ કુછ ન ચાહિયે વો શાહોં કા શાહ. બંદગી – પ્રાર્થના – નામ-સ્મરણ – આરઝુ અને ભક્તિ એ તો પ્રભુ સાથેના સંવાદસેતુ છે. મનને સ્થિર કરી, ઈચ્છાઓનો પરિત્યાગ કરી, જાત સાથે સંવાદ કરી જે સત્યની આરાધના કરે છે તે જીવ ઉચ્ચ કોટિનો છે. સમતા – સુખદુઃખ સમાન – અદ્વૈતના અનુભવથી સર્વમાં ચૈતન્ય સ્વરૂપ નિહાળવાની વૃત્તિ જ મંગળકારી છે.




ગાયકવાડે 22 વર્ષની કારકિર્દીમાં 205 ફર્સ્ટ ક્લાસ મેચો પણ રમી હતી. બાદમાં તેમણે ભારતીય ટીમના કોચનું પદ સંભાળ્યું હતું. 1998માં શારજાહ ખાતે અને ફિરોઝશાહ કોટલામાં ટેસ્ટ મેચમાં તેમની સૌથી મોટી ક્ષણ આવી હતી, જ્યારે અનિલ કુંબલેએ 1999માં પાકિસ્તાન સામેની એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી.