નવી દિલ્હીઃ શ્રીલંકાની નેવીની બોટ શ્રીલંકાના જળ ક્ષેત્રમાં ગેરકાયદે શિકાર કરી રહેલી ભારતીય માછલી પકડવાવાળી નૌકાની વચ્ચે ટક્કરમાં એક ભારતીય માછીમારનું મોત થયું છે. આ ઘટનામાં એક અન્ય ભારતીય લાપતા થયો છે. એ ઘટના કચ્છાથીવું દ્વીપના ઉત્તરમાં આશરે પાંચ સમુદ્રી માઇલના અંતરે થઈ હતી.
શ્રીલંકાન નેવીના પ્રવક્તા કેપ્ટન ગયાન વિક્રમસૂર્યાએ કહ્યું હતું કે એ ઘટના ડેલ્ફટ દ્વીપની પાસે એ સમયે થઈ, જ્યારે નેવી ગેરકાયદે શિકાર કરતા ભારતીય ટ્રોલરોને ખદેડવા માટે અભિયાન ચલાવી રહી હતી.
તેમણે દાવો કર્યો હતો કે ચાર માછીમારોને લઈ જઈ રહેલું ભારતીય ટ્રોલર આક્રમક યુદ્ધાભ્યાસ અને ખરાબ સમુદ્રી પરિસ્થિતિઓને કારણે પલટી ગયું હતું. એક માછીમાર લાપતા છે અને નેવી એની શોધખોળ કરવા માટે તપાસ ઝુંબેશ ચલાવી રહી છે. બચાવવામાં આવેલા માછીમારોમાંથી કને પંકુદુથિવુમાં દાખલ કરવામાં આવ્યો હતો, પણ તેનું મોત થયું હતું. અન્ય બે માછીમારોની હાલત સ્થિર છે, એમ પ્રવક્તે ભારતીય અધિકારીઓને ઘટનાની માહિતી આપી હતી.
ભારતે આ ઘટના અંગે નવી દિલ્હીન સ્થિત કાર્યવાહક હાઇ કમિશનને વિદેશ મંત્રાલયમાં બોલાવ્યા હતા અને આ ઘટના અંગે આકરો વિરોધ નોંધાવ્યો હતો. માછીમારોનો મુદ્દો ભારત અને શ્રીલંકાની વચ્ચેના સંબંધોમાં એક વિવાદાસ્પદ મુદ્દો છે. બંને દેશોના માછીમારોને એકબીજાના જળ ક્ષેત્રમાં ઘૂસવા માટે વારંવાર ધરપકડ કરવામાં આવે છે.









અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના તેલાવ ગામમાં રહેતા ખેડૂત અકબરઅલી બાબુભાઈ મોમીને વર્ષ ૨૦૨૨થી પ્રાકૃતિક ખેતી તરફ પ્રયાણ કર્યું છે. તેઓ ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરે છે. દેશી ગાયનું ગૌમૂત્ર, છાણ વગેરેનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ખેતી કરતા અકબરઅલી મોમીન સિઝનલ શાકભાજીના પાક વડે સારી આવક મેળવે છે. સંયુક્ત પરિવારમાં રહેતા અકબરભાઈ લગભગ ૧૨ વીઘા જેટલી સંયુક્ત જમીન ધરાવે છે. તે પૈકી માત્ર ૨ વિઘા જમીનમાં તેમણે રીંગણી વાવી છે અને માત્ર બે વીઘામાંથી ત્રણ- ચાર માસ જેટલા ટૂંકા ગાળામાં રૂપિયા અઢી લાખ જેટલી આવક મેળવી છે. આખા વર્ષ દરમ્યાન તેઓ અંદાજે ૬ લાખ જેટલી આવક મેળવે છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી હિતેષ પટેલ જણાવે છે કે, ‘અમદાવદ જિલ્લામાં કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ આત્મા, ખેતીવાડી, બાગાયત વિભાગના ક્ષેત્રીય અધિકારી/ કર્મચારીની સંયુક્ત ટીમ મારફત તેમજ 5 ગામ દીઠ જિલ્લામાં 100 જેટલા ક્લસ્ટરની રચના કરી, ખેડૂતોને ઘનિષ્ટ તાલીમ આપવાની કામગીરીની ફલશ્રુતિ રૂપે અમદાવાદ જિલ્લામાં હાલ લગભગ ૧૬ હજાર જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે, અને અંદાજે ૧૩ હજાર એકર જેટલી જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. ગુજરાતના રાજ્યપાલએ પ્રાકૃતિક ખેતી માટે જે રાજ્યવ્યાપી ઝુંબેશ ઉપાડી છે, તેના લીધે હજારો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે.
અકબરભાઈ ખેતીની વાત કરતા જણાવે છે કે, તેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરી સીઝનલ શાકભાજી ઉગાડે છે. પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી ત્યારથી તેમનો ખર્ચ ઓછો થયો છે અને ઉત્પાદન તથા નફો વધુ થયો છે. તેમના ખેતરમાં ઉગાડેલી શાકભાજીનું સીધું વેચાણ સાણંદ કે અમદાવાદના બજારમાં કરે છે. લોકોને શુદ્ધ વસ્તુ મળતા તેના બજારમાં ભાવ પણ સારા મળે છે જેથી સારો એવો નફો મળે છે.