વિરાસત, હેરાફેરી, હંગામા વગેરે ફિલ્મોના નિર્દેશક પ્રિયદર્શનના જીવનના કિસ્સાઓ કોઈ ફિલ્મી પટકથાથી ઓછા
નથી. ક્રિકેટર બનવાની ઈચ્છા રાખનાર એક યુવાન કેવી રીતે ભારતીય સિનેમાનો દિગ્ગજ દિગ્દર્શક બન્યો તેની રસપ્રદ અને ભાવુક વિગતો જાણવા જેવી છે. પ્રિયદર્શન ક્રિકેટર હતા. કેરળની ડિવિઝન લીગમાં રમતા હતા. તેમનું સપનું રાજ્ય સ્તરે અને આગળ જતાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવવાનું હતું.
પરંતુ એક મેચ દરમિયાન બોલ સીધો ડાબી આંખ પર વાગ્યો, જેના કારણે તેમને ગંભીર ઈજા થઈ અને આંખનો પડદો ખસી ગયો. હોસ્પિટલમાં લાંબા સમય સુધી સારવાર લીધા પછી ડોક્ટરે સખત ચેતવણી આપી કે ફરીથી કોઈ ઈજા થશે તો કાયમી દ્રષ્ટિ ગુમાવી શકે છે. જ્યારે પ્રિયદર્શન હોસ્પિટલમાંથી ઘરે પાછા ફર્યા ત્યારે કેરળ યુનિવર્સિટીમાં લાયબ્રેરિયન રહેલા પિતા ખૂબ જ ડરેલા હતા. તેઓ નહોતા ઈચ્છતા કે રમતગમતમાં પુત્ર પોતાની આંખો ખોઈ બેસે.
પિતાએ ગુસ્સા અને ચિંતામાં આવીને તેમની ક્રિકેટ કિટ, બેટ અને ગ્લવ્સ સળગાવી દીધા. આ દ્રશ્ય પ્રિયદર્શન માટે આઘાતજનક હતું, પણ પિતાએ એક રસ્તો બતાવ્યો. તેમણે કહ્યું કે હવે મેદાનમાં દોડવાને બદલે પુસ્તકોની દુનિયામાં જીવતા શીખ. પિતા લાયબ્રેરિયન હોવાથી પ્રિયદર્શનને પુસ્તકોનો ખજાનો મળ્યો. ક્રિકેટ છૂટ્યા પછી તેમણે કલાકો સુધી વાંચવાનું શરૂ કર્યું. આ વાંચન દરમિયાન જ તેમનામાં વાર્તા કહેવાની કળા વિકસી.

પ્રિયદર્શન જ્યારે ફિલ્મોમાં નસીબ અજમાવવા ચેન્નાઈ આવ્યા ત્યારે તેમની પાસે ખાવાના પણ પૈસા નહોતા. મોહનલાલ અને પ્રિયદર્શન લંગોટિયા મિત્રો હતા. સંઘર્ષના દિવસોમાં મોહનલાલ પાસે થોડા પૈસા હતા, જ્યારે પ્રિયદર્શન પાસે માત્ર વિઝન હતું. તેમના ગુરુ ફાઝિલે તેમને ભૂલથી પહેલીવાર ક્લેપબોર્ડ પકડાવ્યું હતું. એક નાની ભૂલથી તેમની આસિસ્ટન્ટ તરીકેની સફર શરૂ થઈ હતી.
જેમણે ‘ભૂલ ભુલૈયા’ની મૂળ ફિલ્મ ‘મણિચિત્રતાઝુ’ બનાવી હતી, એ મલયાલમ નિર્દેશક ફાઝિલની એક ફિલ્મનું રાત્રે અંધારા લોકેશન પર ચાલતું શૂટિંગ જોવા તેઓ ગયા હતા. પ્રિયદર્શન ત્યાં એક પ્રેક્ષક તરીકે ફિલ્મ કેવી રીતે બને છે તે જોવા ગયા હતા. શૂટિંગ દરમિયાન લાઈટ ઓછી હતી અને ફાઝિલ સાહેબ ઉતાવળમાં હતા. તેમને કોઈ શોટ માટે ક્લેપબોયની જરૂર હતી.

તેમણે અંધારામાં જોયું કે એક યુવાન ત્યાં ઉભો છે. ફાઝિલને લાગ્યું કે આ તેમનો નવો આસિસ્ટન્ટ છે, જે હમણાં જ જોડાયો છે. તેમણે બૂમ પાડી અને કહ્યું, ‘એય, જલ્દી આ ક્લેપબોર્ડ પકડ અને કેમેરા સામે જઈને ક્લેપ આપ. લાઈટ જઈ રહી છે!’ પ્રિયદર્શન ગભરાઈ ગયા, પણ તક ઝડપી લીધી. કશું જ બોલ્યા વગર ક્લેપબોર્ડ હાથમાં લઈ કેમેરા સામે જઈને નંબર બોલ્યો અને ક્લેપ આપ્યો.
શોટ પૂરો થયા પછી ફાઝિલ તેમની પાસે આવ્યા અને પૂછ્યું, ‘તારું નામ શું છે? તું ક્યારથી જોડાયો?’ જ્યારે પ્રિયદર્શને કહ્યું કે, ‘સર, હું તો ખાલી શૂટિંગ જોવા આવ્યો હતો,’ ત્યારે ફાઝિલ ખડખડાટ હસી પડ્યા. તેમણે પ્રિયદર્શનની કામ પ્રત્યેની ઝડપ અને શિસ્ત જોઈને કહ્યું, ‘ભલે, તો કાલથી તું મારો આસિસ્ટન્ટ જ છે!’ અને પ્રિયદર્શનને તે જ દિવસે કામ મળી ગયું.

ફાઝિલના આસિસ્ટન્ટ તરીકે તેમણે ફિલ્મના ટેકનિકલ પાસાઓ શીખ્યા. આ જ સેટ પર તેમની મુલાકાત મોહનલાલ સાથે પણ થઈ હતી. ત્યાંથી જ પ્રિયદર્શન-મોહનલાલ-ફાઝિલની ત્રિપુટી બની, જેણે આગળ જતાં દક્ષિણ ભારતીય સિનેમાનો ઈતિહાસ બદલી નાખ્યો.
આજે પ્રિયદર્શન ગમે તેટલા મોટા નિર્દેશક હોય, પણ ફાઝિલને જ પોતાના ગુરુ માને છે. તેઓ કહે છે કે જો તે રાત્રે ફાઝિલે તેમને ભૂલથી ક્લેપબોર્ડ ન આપ્યું હોત, તો કદાચ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશતા હજુ કેટલાય વર્ષો નીકળી ગયા હોત. તેમને પહેલી મલયાલમ ફિલ્મ બનાવવા માટે પણ મોહનલાલે જ મદદ કરી હતી. આ ફિલ્મ ‘પૂચક્કુરુ મૂક્કુત્તી’ એક કોમેડી હતી અને તેની સફળતાએ સાબિત કર્યું હતું કે પ્રિયદર્શન પાસે હાસ્યની અદભૂત સમજ છે.
તેના પરથી જ તેમની સુપરહિટ હિન્દી ફિલ્મ ‘હંગામા’ (2003) બની હતી. (હવે પછીના લેખમાં પ્રિયદર્શનને પહેલી હિન્દી ફિલ્મ ‘મુસ્કુરાહટ’ (1992) કેવી રીતે મળી તેની પાછળનો રસપ્રદ કિસ્સો જાણીશું.)












કાર્નિવલના પ્રથમ દિવસે મુખ્ય સચિવ એમ કે દાસના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમજ સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સેક્રેટરી પી. ભારતી તેમજ ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વી કે પટેલ ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ સાથે સાયન્સ અને ટેક્નોલોજી પ્રદર્શનનું પણ ઉદ્ઘાટન થયું હતું. દિવસે હેન્ડ્સ-ઓન વર્કશોપ (AI & Robotics), “Explore Science City”, ભવ્ય ડ્રોન શો તથા નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશન જેવા આકર્ષક કાર્યક્રમો યોજાયા હતા.
બીજા દિવસે જુનિયર લેવલ (પ્રાથમિક વિભાગના) વિદ્યાર્થીઓ માટે સાયન્સ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાયન્સ અને ટેક્નોલોજી એક્ઝિબિશન, સાયન્ટિફિક 3D રંગોળી, ગેલેરી વિઝિટ તથા લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનનું આયોજન થયું હતું, જેમાં “Women in Science” વિષય પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. “Wonder of Chemistry” સાયન્સ શો, મેથ્સ થ્રૂ ઓરિગામી વર્કશોપ અને સાયન્સ ડ્રામા જેવા કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને વિશેષ આકર્ષ્યા હતા. દિવસના અંતે નાઇટ સ્કાય ઓબ્ઝર્વેશનનું આયોજન થયું હતું.
આ સમગ્ર કાર્નિવલ દરમિયાન હેન્ડ્સ-ઓન લર્નિંગ, ઇન્ટરએક્ટિવ પ્રદર્શન, વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ અને મનોરંજનનું અનોખું સંયોજન જોવા મળ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવો, નવીનતા પ્રત્યે રસ વધારવો અને પ્રયોગાત્મક શિક્ષણને પ્રોત્સાહન આપવાનો હતો, જેમાં ગુજરાત સાયન્સ સિટી સફળ રહી છે.
ગુજરાત સાયન્સ સિટી દ્વારા આયોજિત આ ભવ્ય સાયન્સ કાર્નિવલને વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓ તરફથી અત્યંત સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ભવિષ્યમાં પણ આવા જ વધુ પ્રેરણાદાયક કાર્યક્રમો યોજવા માટે પ્રેરણા મળી છે.




અવકાશ વિજ્ઞાનનું ભવિષ્ય: એઆઈ અને ડેટા સાયન્સ