નવી દિલ્હીઃ હાલમાં GDP ગ્રોથ રેટમાં મોટો ઘટાડો નોંધાયો છે. રિઝર્વ બેન્કની MPC આ સપ્તાહે ધિરાણ દરની સમીક્ષા કરવા માટે મળવાની છે, ત્યારે અનેક કેન્દ્રીય મંત્રીઓ અને જાહેર મંચથી વ્યાજદરમાં કાપ અને સામાન્ય વ્યક્તિને રાહત આપવાની વકીલાત કરવામાં આવી છે.
બીજી બાજુ RBIના ગવર્નર શક્તિકાંત દાસ પર ગ્રોથ દરને જાળવી રાખવા અને મોંઘવારીને નાથવા માટે દબાણ છે. આ ઉપરાંત ડોલર સામે રૂપિયાને નબળો પડતાં અટકાવવાનું પણ દબાણ છે.
રિઝર્વ બેન્કની છ સભ્યોવાળી મોનિટરી પોલિસી કમિટી (MPC)ની મીટિંગ 4-6 ડિસેમ્બરે મળવાની છે, ત્યારે જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં દેશનું અર્થતંત્ર માત્ર 5.4 ટકાના દરે વધ્યું હતું, જે સાત મહિનાના નીચલા સ્તરે છે અને RBIના સાત ટકાના અંદાજથી પણ ઘણો નીચે છે.
દેશનો ઓકટોબરનો રિટેલ ફુગાવો RBIની ચાર ટકાની મર્યાદા ઉપરાંત છ ટકાથી વધુ રહી ૬.૨૦ ટકા રહ્યો છે, ત્યારે મોનિટરી પોલિસી કમિટી (MPC) વ્યાજ દર ઘટાડવાની પ્રક્રિયા શરૂ કરવાનું દબાણ છે, એમ વિશ્લેષકે જણાવ્યું હતું. એક બાજુ ઊંચા ફુગાવા તથા બીજી બાજુ GDPની નીચી વૃદ્ધિને જોતાં ૪-૬ ડિસેમ્બર દરમિયાન યોજાનારી MPC બેઠકમાં સભ્યો વચ્ચે મતમતાંતર જોવા મળવાની સંભાવના રહેલી છે.
હવે RBI ડિસેમ્બરની બેઠકમાં વ્યાજ દર અંગે કેવો અભિગમ અપનાવે છે તેના પર સૌની નજર રહેલી છે. ઊંચા ફુગાવાને ધ્યાનમાં રાખતા RBI હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે તેવો પણ એક મત પણ પ્રવર્તી રહ્યો છે.








અમદાવાદ સ્થિત અંધજન મંડળ ખાતે આજ રોજ વાઘબકરી ફાઉન્ડેશનના સૌજન્યથી એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. જેમાં દિવ્યાંગજનો સ્વમાનભેર જીવન વ્યતિત કરી શકે તે માટે અમદાવાદ, ખેડા અને મહિસાગર જિલ્લાના 25 લોકોને નાના સ્ટોલનું વિતરણ કરવામાં આવ્યું. લાભાર્થીઓને તેમની આજીવિકા વધારવા માટે જંગમ નાની દુકાનો અને સંબંધિત કીટ આપવામાં આવી હતી. તેમના વ્યવસાયને અસરકારક રીતે ચલાવવા માટે તાલીમ પણ આપવામાં આવી હતી. BPA (બ્લાઇન્ડ પીપલ્સ એસોસિએશન) લાભાર્થીઓને વ્યવસાયમાં સફળ બનાવવા માટે આગામી ત્રણ વર્ષ સુધી હેન્ડ-હોલ્ડિંગ સપોર્ટ પ્રદાન કરશે.
સાથે જ દિવ્યાંગ મહિલાઓ પણ સ્વરોજગાર મેળવી શકે તે માટે તેમજ સ્ત્રી સશક્તિકરણના ઉદ્દેશ સાથે તેમને કેડીન્સ કંપનીના સહયોગથી સિલાઈ મશીનનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પહેલ અંગે વાત કરતા વાઘ બકરી ટી ગ્રુપના સીઈઓ સંજય સિંગલએ જણાવ્યું હતું કે, “વાઘ બકરી ટી ગ્રુપ હંમેશા સમાજમાં અર્થપૂર્ણ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરે છે અને આ પ્રોજેક્ટ સામાજિક જવાબદારી પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને દર્શાવે છે. સ્વનિર્ભર બનવા માટે સંસાધનો અને તાલીમ વડે દિવ્યાંગોને મદદ કરીને, અમે તેમને સ્વામાન સાથે આત્મર્નિભર જીવન જીવવામાં મદદ કરી રહ્યાં છીએ. અમને વિશ્વાસ છે કે આ પહેલ દિવ્યાંગોને સશક્તિકરણ તરફ આગળ લઇ જશે. આ પ્રયાસમાં BPAના સમર્થન બદલ અમે આભારી છીએ. આગામી સમયમાં વાઘ બકરી ટી ગ્રૂપ આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યભરમાં 100 લાભાર્થીઓને સહાય કરશે, જેનો ઉદ્દેશ્ય દિવ્યાંગોને સ્વ-રોજગારની તકો પ્રદાન કરવાનો છે અને તેમને ‘આત્મનિર્ભર’ બનવા માટે સશક્તિકરણ કરવાનો છે.”
ડૉ. રાજેન્દ્ર પ્રસાદના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે ગુજરાત વિધાનસભા પોડિયમમાં મૂકાયેલ તેમના તૈલચિત્રને આજે પેટલાદના ધારાસભ્ય કમલેશભાઈ પટેલ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે વિધાનસભા સચિવ ચેતન પંડ્યા, સહિત ઉચ્ચઅધિકારીઓ અને કર્મચારીઓએ ઉપસ્થિત રહી ડૉ. રાજેન્દ્ર પ્રસાદના તૈલચિત્રને પુષ્પ અર્પણ કરીને તેમના જીવનના મુક્તિ સંગ્રામ સમયના સંસ્મરણો યાદ કર્યા હતા.
સેમિનારમાં બિરસામુંડા વિશ્વ વિદ્યાલયના કુલગુરુ ડૉ. મધુકર પાડવી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડૉ. કિશોરસિંહ ચાવડા, ચિત્રલેખા ડિજિટલના એડિટર કેતન ત્રિવેદી, સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રોફેસર ડૉ. મહેન્દ્ર નાઈ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભરત ઠાકોર, દમણની સરકારી કૉલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. ભાવેશ વાળા જેવા ખ્યાતનામ ભાષાવિદો, શૈક્ષણિક પ્રતિનિધિઓ અને ગુજરાતી ભાષાના પ્રેમી, કવિઓ અને લેખકોએ પોતાના વિચારો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
સેમિનારમાં ભારતીય ભાષાઓ, ખાસ કરીને ગુજરાતી ભાષાને ડિજિટલ મિડિયા અને ટેકનોલોજીના પ્રભાવથી કેવી રીતે આગળ લઈ જઈ શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ગુજરાતી ભાષાને નવી પેઢી સુધી પહોંચાડવામાં અને કમ્પ્યુટર, મોબાઇલ એપ્લિકેશનો અને સોશિયલ મીડિયા જેવા આક્રમક પ્લેટફોર્મ પર ભાષા માટે ઉપલબ્ધ તકનિકીઓ વિશે પણ ચર્ચા કરવામાં આવી. સેમિનારના નિયામક ડૉ. જયેશ પટેલ સાહેબે પરિસંવાદની પૂર્વભૂમિકા અને મહેમાનોનું સ્વાગત પ્રવચન રજૂ કર્યું હતું. તથા સેમિનારના સંયોજક ડૉ. સંજય પટેલ દ્વારા સેમિનારની પ્રસ્તાવિક્તા રજૂ કરવામાં આવી હત
વિદ્યાદીપ યુનિવર્સિટીના પ્રમુખ જયંતિ પટેલે જણાવ્યું કે, “ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાના સંરક્ષણ માટે આપણે નવો દ્રષ્ટિકોણ અપનાવવો પડશે. જેનાથી ટેકનોલોજી અને ઈન્ટરનેટના માધ્યમથી ભાષાની સંપત્તિ અને સાંસ્કૃતિકતા વધારે વિકસિત થઈ શકે છે.”
સેમિનારમાં આધુનિક ગુજરાતી કવિતા અને લેખનના ક્ષેત્રમાં નવી તકનીકીઓ, બ્લૉગિંગ, સોશિયલ મિડિયા, અને ડિજિટલ સામગ્રીના અમલ પર ચર્ચાઓ કરવામાં આવી. ડિજિટલ યુગમાં ગુજરાતી ભાષાની સાચી ઓળખ આપવી, તેને વધુ વિકસિત કરવી અને તેના ભવિષ્ય માટે નવા રસ્તા શોધવાની પ્રેરણા આપવા ઉપર ફોકસ કરવામાં આવ્યો. આ કાર્યક્રમ દ્વારા ભવિષ્યમાં ભાષાના વિકાસ માટે એક નવો દ્રષ્ટિકોણ અને સંકલન મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.
