અમેરિકા: પ્રમુખ પદની ખુરશી સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ગુપ્તચર એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (FBI)નું નેતૃત્વ કરવા માટે ભારતીય મૂળના કાશ પટેલની પસંદગીને યોગ્ય ગણાવી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે, FBIનું નેતૃત્વ કરવા માટે કાશ પટેલ સૌથી યોગ્ય વ્યક્તિ છે. તેઓ દેશમાં ઝડપથી કાયદો-વ્યવસ્થા અને ન્યાયને સ્થાપિત કરશે.
The resignation of Christopher Wray is a great day for America as it will end the Weaponization of what has become known as the United States Department of Injustice. I just don’t know what happened to him. We will now restore the Rule of Law for all Americans. Under the…
— Donald J. Trump (@realDonaldTrump) December 12, 2024
બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે ક્રિસ્ટોફર રેના રાજીનામાને અમેરિકા માટે મહાન દિવસ ગણાવ્યો હતો. તેમણે રે વિશે પોતાના દિલની ભડાસ નીકાળી અને કહ્યું કે, તેમના નેતૃત્વમાં FBIએ મારા પર ગેરકાયદેસર રીતે દરોડા પાડ્યા હતા. આ પહેલા રાજીનામું આપતા રે એ કહ્યું હતું કે, હું FBIને વધુ રાજકીય વિવાદોમાં ફસાવવાથી બચાવવા માગું છું. તેમણે આશા વ્યક્ત કરી કે એજન્સી નિષ્પક્ષ અને રાજકારણથી ઉપર રહીને કામ કરશે.
FBI ડાયરેક્ટરના રાજીનામા પર યુ.એસ. એટર્ની જનરલ મેરિક ગારલેન્ડનું પણ નિવેદન સામે આવ્યું છે. તેમણે રેના નેતૃત્વની પ્રશંસા કરી હતી. ગારલેન્ડે FBIની સ્વતંત્રતા જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે, FBIનું સ્વતંત્રતાથી કામ કરવું ન્યાયિક પ્રક્રિયા અને અમેરિકન સ્વતંત્રતાના રક્ષણ માટે જરૂરી છે.







વિદેશ સચિવે કહ્યું, શેખ હસીના બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર ટિપ્પણી કરવા માટે તેમના ખાનગી સંદેશાવ્યવહાર ઉપકરણનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત સરકાર તેમને આ કામ કરવામાં કોઈ મદદ કરતી નથી. જો કે એવું લાગે છે કે તેઓ ભારતની ધરતી પરથી રાજકીય ગતિવિધીઓ કરી રહ્યા છે. જો કે ભારતની પરંપરા છે કે આપણે અન્ય કોઈ દેશમાં હસ્તક્ષેપ કરતા નથી.
વિદેશ સચિવની આ ટિપ્પણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે ભારતમાં રહેતા શેખ હસીનાના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં બાંગ્લાદેશની વચગાળાની સરકારની એક વીડિયો જાહેર કરીને ટીકા કરી રહી છે, જેના પર બાંગ્લાદેશે વાંધો ઉઠાવ્યો હતો.



સૌથી પહેલા જે.પી.સી. કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આ આ બિલ સંસદમાં લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ એક દેશ, એક ચૂંટણી સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.
સૂત્રો અનુસાર સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ બનાવવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જે.પી.સી. તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.
