Home Blog Page 126

વિશ્વ પર ઓઇલ સંકટનું જોખમ

નવી દિલ્હીઃ અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) વિસ્તારમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. શાંતિ વાટાઘાટોના પ્રયાસો વચ્ચે પણ ઈરાને જહાજોની અવરજવર મર્યાદિત કરી દીધી છે અને ભારતીય ધ્વજવાળાં જહાજો પર ગોળીબારની ઘટનાએ ચિંતા વધારી છે. ભારતીય નૌસેનાએ એડવાઇઝરી જાહેર કરીને જહાજોને સતર્ક રહેવા જણાવ્યું છે, જ્યારે આશરે 14 ભારતીય જહાજો પર્શિયન ગલ્ફમાં ફસાયેલા છે. આ તણાવની અસર વૈશ્વિક બજારો પર પણ જોવા મળી રહી છે, જ્યાં ઓઇલના ભાવમાં તેજી નોંધાઈ છે.

અમેરિકા-ઈરાન સંઘર્ષ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ‘સળગી’ રહ્યું છે. એક તરફ બંને દેશો વચ્ચે શાંતિ ચર્ચાની વાત ચાલી રહી છે, તો બીજી તરફ ઈરાન સતત સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં પોતાની દાદાગીરી બતાવી રહ્યું છે. ઈરાની શિપિંગ ડેટા મુજબ છેલ્લા 12 કલાકમાં હોર્મુઝમાંથી માત્ર ત્રણ જહાજો પસાર થઈ શક્યા છે. એ દરમિયાન પર્શિયન ગલ્ફમાંથી માત્ર એક ટેન્કર ‘નેરો’ બહાર નીકળ્યું છે, જ્યારે અન્ય બે જહાજોએ ગલ્ફમાં પ્રવેશ કર્યો છે.

ઈરાને ભારતીય જહાજોને બનાવ્યા નિશાન

આ પહેલાં ઈરાની નૌસેનાએ શનિવારે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહેલા ભારતીય ધ્વજવાળાં બે જહાજો પર ગોળીબાર કર્યો હતો, જેને કારણે જહાજોને પોતાનો માર્ગ બદલવો પડ્યો. આ ઘટનાએ તણાવ વધુ વધાર્યો અને ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરી સંપૂર્ણ રીતે બંધ કરવાની જાહેરાત કરી છે.

સરકારે જાહેર કરી એડવાઇઝરી

ભારતીય ધ્વજવાળાં તમામ જહાજોને નવી ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પર્શિયન ગલ્ફમાં જ રહી લારક ટાપુ નજીક ન જાય. માત્ર નૌસેનાની મંજૂરી મળ્યા પછી જ આગળ વધે. ભારતીય નૌસેના તમામ ભારતીય જહાજોની સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપી રહી છે.

ઓઇલના ભાવમાં વધારોહોર્મુઝમાં ચાલી રહેલા તણાવની અસર ઓઇલની વૈશ્વિક કિંમતો પર પણ પડી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ 7.9 ટકા વધીને 97.5 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચ્યા છે. જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમિડિયેટ (WTI) પણ લગભગ 8 ટકા વધીને 90 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયું છે.

 

પંચાંગ 21/04/2026

૨૧ એપ્રિલ ૨૦૨૬

ઇફ્કો દ્વારા દેશવ્યાપી નેનો ખાતર જાગરુકતા ઝુંબેશનો પ્રારંભ

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ખાતર સહકારી સંસ્થા IFFCO (ઇફકો)એ આજે દેશવ્યાપી “ઇફકો નેનો ખાતર જાગૃતિ મહા અભિયાન”નું ઔપચારિક પ્રારંભ કર્યો હતો. આ વ્યાપક રાષ્ટ્રીય અભિયાનનો હેતુ ખેડૂતોમાં નેનો ખાતરોના ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ નવી દિલ્હીમાં આ માટેના કાર્યક્રમનું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઇફકોના મેનેજિંગ ડિરેક્ટર  કે. જે. પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ અભિયાન માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તથા સહકાર મંત્રી અમિત શાહની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે અને “આત્મનિર્ભર ભારત” તથા “સહકારથી સમૃદ્ધિ” જેવા રાષ્ટ્રીય મિશનો સાથે સંકળાયલું છે. આ પહેલને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણજી તેમ જ આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી જે. પી. નડ્ડાનો પણ ટેકો મળ્યો છે.

કેન્દ્ર સરકારના ખાતર નિયંત્રણ આદેશ (FCO) હેઠળ નેનો NPK લિક્વિડ (8-8-10) અને નેનો NPK ગ્રેન્યુલર (20-10-10)ને ઔપચારિક રીતે મંજૂરી મળવી કૃષિ નવીનતાની દિશામાં ઐતિહાસિક પગલું ગણાવવામાં આવ્યું છે. ઇફકોએ જણાવ્યું કે કોઇમ્બતુર સ્થિત ઇફકો-નેનોવેન્શન ઇનોવેશન હબ તથા બ્રાઝિલમાં નેનો ખાતર ઉત્પાદન સંયુક્ત સાહસ જૂન 2026 સુધી કાર્યરત થવા તૈયાર છે.

આ પ્રસંગે સંબોધન કરતાં ઇફકોના અધ્યક્ષ દિલીપ સંઘાણીએ જણાવ્યું કે ભારત આજે પરંપરા અને ટેક્નોલોજીના ઐતિહાસિક સંગમ પર ઊભું છે અને આ સંગમ ભારતીય કૃષિને નવી દિશા આપી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે ભારતની સમૃદ્ધિ ગામડાં અને ખેડૂતોમાંથી વહેવી જોઈએ અને ખેડૂત સશક્ત બનશે ત્યારે જ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર થશે.ઇફકોએ અત્યાર સુધી નાનો યુરિયા પ્લસ લિક્વિડની 218 લાખથી વધુ બોટલો અને નાનો DAP લિક્વિડની 64.26 લાખથી વધુ બોટલોનું વેચાણ કર્યું છે. નાનો ઝિંક અને નાનો કોપર ઉત્પાદનોની પ્રથમ વર્ષમાં અનુક્રમે 57 લાખ અને બે લાખ બોટલોનું વેચાણ નોંધાયું છે.નાનો યુરિયા પ્લસની 208.26 લાખ બોટલો પરંપરાગત યુરિયાના 9.37 લાખ મેટ્રિક ટન બરાબર છે, જ્યારે નાનો DAPની 57.89 લાખ બોટલો DAPના 2.89 લાખ મેટ્રિક ટન સમકક્ષ છે. આથી દેશને લોજિસ્ટિક્સ, ઊર્જા અને આયાત ખર્ચમાં નોંધપાત્ર બચત થાય છે. ઇફકોના આ નેનો ઉત્પાદનો કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવા અને ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા બંને હેતુઓ સિદ્ધ કરે છે, જે ભારત સરકારની સંતુલિત અને જવાબદાર પાક પોષણની દ્રષ્ટિ સાથે સુસંગત છે.

US ડેલાવર સ્ટેટ સેનેટમાં સદગુરુનું પ્રવચન

ડેલાવરઃ સદગુરુને  ડેલાવરમાં આમંત્રિત કરાયા એ ખરેખર મહત્વની બાબત હતી. આ સામાન્ય પ્રવચન કે કોઈ પ્રોગ્રામ નહોતો. અમેરિકાના સરકારી વિધાનસભામાં એક આધ્યાત્મિક ગુરુને આમંત્રિત કરવા એ ખાસ ઘટના ગણી શકાય. આ માટે ડેલાવર સ્ટેટમાં  રાજકારણમાં સક્રિય પલાશ ગુપ્તાનો ફાળો ખૂબ મહત્વનો હતો. તેમના પ્રયાસો થકી અહી બધાને સદગુરુનાં પ્રવચનનો અને તેમને પ્રત્યક્ષ મળવાનો લહાવો મળ્યો.

સ્ટેટ સેનેટ દ્વારા સદગુરુને ખાસ માન આપવામાં આવ્યું હતું. ત્યાં તેમનું સંબોધન અને પછી ટૂંકું પ્રવચન હતું. આ પહેલાં અંગત આમંત્રિત મહેમાનો સાથે પલાશ ગુપ્તાએ સદગુરુ સાથે વાર્તાલાપ ગોઠવ્યો હતો. જેના મુદ્દા હતા આંતરિક ઉન્નતિ અને સુખ. સમાજ સુધારા માટે જાગૃતિ અને બાળકોના વિકાસ માટે મેડિટેશનનું મહત્વ. તેમના લેકચરમાં કોઈ એક ભગવાન ગુરુ કે ધર્મની વાત નહોતી. વ્યક્તિના પોતાની અંદરના આત્માની, વિકાસની અને આચાર-વિચારની વાત હતી..

સદગુરુ સતત પ્રવાસ કરે છે. યુનિવર્સિટીઓ, વૈશ્વિક મંચો પર ભાષણ આપે છે.  ખૂબ વ્યસ્ત અને અતિ સક્રિય એવા હોવા છતાં તેમના ચહેરા ઉપર અદ્ભુત  શાંતિ અને બાળક જેવુ હાસ્ય કોઈને પણ મોહી લે એવા છે. આ કાર્યક્રમનો ભાગ બન્યાની ખુશી અને તક ખાસ હતા. બાકી ભારતમાં તેમણે સહેલાઈથી મળવું આટલું સહજ નથી હોતું એ પણ હકીકત છે.  એક ભારતીય યોગી, આધ્યાત્મિક ગુરુ અને વક્તા છે. ઇસા ફાઉન્ડેશન જે માનસિક, શારીરિક અને આધ્યાત્મિક વિકાસ માટે કાર્ય કરે છે.  તેમણે વિશ્વભરમાં યોગ અને આંતરિક વિકાસ માટે ઘણા કાર્યક્રમો શરૂ કર્યા છે.

સદગુરુ દ્વારા ઈનર એન્જિનિયરિંગ એક પ્રોગ્રામ છે જેમાં ધ્યાન, શ્વાસ અને યોગ દ્વારા આંતરિક સંતુલન ઓન લાઇન ફ્રી શીખવવામાં આવે છે. શંભવી મહામુદ્રા જેવી શક્તિશાળી ક્રિયાઓ મન સાથે શરીરની ઊર્જામાં વધારો કરે છે. દરેક વ્યક્તિએ માત્ર 10 મિનિટ કશું જ ના કરતાં શાંતિથી આંખ બંધ કરીને બેસવું એ પણ યોગનો ભાગ છે.  આમ કરવાથી કાર્યક્ષમતા અને ખુશી બંને વધે છે.

(રેખા પટેલ-ડેલાવર, અમેરિકા)

મુંબઈમાં બેઠાં બેઠાં મસ્કતમાં સર્જરી!

મુંબઈઃ વિશ્વ આરોગ્ય દિવસ (7 એપ્રિલ)ના દિવસે, મુંબઈની ‘કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલે’ અસામાન્ય કહેવાય એવી સિદ્ધિ હાંસલ કરી. હૉસ્પિટલના પ્રખ્યાત સર્જન ડૉ. ટી. બી. યુવરાજાએ મુંબઈમાં બેસીને ઓમાનની રાજધાની મસ્કતનાં 55 વર્ષી મહિલા દર્દીની કિડનીની જટિલ સર્જરી (રેડિકલ નેફ્રેક્ટમી) સફળતાપૂર્વક કરી.

આ કોઈ જાદુ નહીં, પણ વિજ્ઞાન અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય છે:

  • રોબોટિક સિસ્ટમ: આ ઑપરેશન માટે અત્યંત આધુનિક Medbot Toumai રોબોટિક સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો.
  • રિયલ-ટાઈમ કનેક્ટિવિટી: હાઈ-સ્પીડ ઈન્ટરનેટ અને મજબૂત નેટવર્કના કારણે ડૉક્ટર મુંબઈથી જે રીતે રોબોને કમાન્ડ આપતા હતા એ જ ક્ષણે મસ્કતમાં રોબો ઑપરેશન કરી રહ્યો હતો.
  • ચોકસાઈ: રોબોટિક સર્જરીમાં ભૂલની શક્યતા નહિવત્ રહે અને ઑપરેશન વધુ સચોટ રીતે થાય.

ત્રણ અદ્યતન રોબોટિક પ્લેટફોર્મથી સજ્જ આ હૉસ્પિટલ દેશની પ્રાઈવેટ હૉસ્પિટલોમાં મલ્ટી-ડિસિપ્લિનરી રોબોટિક સર્જરી માટે નંબર 1 સેન્ટર ગણાય છે.

ત્રણ રીતે આ સિદ્ધિ મહત્વની છે:

  1. સીમાડા ભૂંસાયા: ભારતની આ પ્રથમ ‘ક્રોસ-બોર્ડર’ (આંતરરાષ્ટ્રીય) રિમોટ સર્જરી છે. એટલે કે, હવે ભારતીય ડૉક્ટરો દેશમાં રહીને જ દુનિયાના કોઈપણ ખૂણે સારવાર આપી શકશે.
  2. મુસાફરીની જરૂર નહીં: ગંભીર બીમારીમાં દર્દીને બીજા દેશમાં લઈ જવાની તકલીફ અને ખર્ચ હવે ઘટશે. નિષ્ણાત ડૉક્ટર પોતે ટેકનોલોજી દ્વારા દર્દી સુધી પહોંચશે.
  3. ભારત વૈશ્વિક કેન્દ્ર બન્યું: અત્યાર સુધી વિદેશીઓ સારવાર માટે ભારતમાં આવતા હતા, પણ હવે ભારત પોતાની ‘મેડિકલ એક્સપર્ટાઈઝ’ દુનિયાના ખૂણે-ખૂણે ડિજિટલ માધ્યમથી મોકલી રહ્યું છે.

ડૉ. ટી. બી. યુવરાજા, ડાયરેક્ટર (રોબોટિક સર્જરી) કહે છેઃ “આ માત્ર સર્જરી નથી, પણ ભાવિ હેલ્થકૅરની ઝલક છે. હવે શ્રેષ્ઠ સારવાર માટે દર્દીએ એ જ શહેરમાં હોવું જરૂરી નથી. ભારત હવે વિશ્વને રિયલ-ટાઈમ મેડિકલ સર્વિસ આપનારો દેશ બની ગયો છે.”

તો કોકિલાબેન અંબાણી હૉસ્પિટલના સીઈઓ ડૉ. સંતોષ શેટ્ટી કહે છેઃ ” ટેકનોલોજીના કારણે અમારી હૉસ્પિટલ હવે ‘ગ્લોબલ કમાન્ડ સેન્ટર’ બની રહી છે. મસ્કતના કેન્સર દર્દી સુધી ભારતની ઉચ્ચ કક્ષાની સારવાર પહોંચાડવી અમારા માટે ગૌરવની વાત છે.”

ઉલ્લેખનીય છે કે આ સર્જરીમાં દર્દીની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું અને Central Drugs Standard Control Organization (CDSCO)ના બધા નિયમોનું પાલન કરવામાં આવ્યું.

આ સિદ્ધિ સાથે ભારતે સાબિત કરી દીધું છે કે મેડિકલ સાયન્સના ક્ષેત્રે હવે ડિસ્ટન્સ સારવારમાં બાધા રૂપ બની શકશે નહીં.

અમેરિકા ઇરાની જહાજ જપ્ત કરતાં ઈરાનનો વાતચીતથી ઇનકાર?

નવી દિલ્હીઃ હોર્મુઝ સ્ટ્રેટ પર ઇરાનના જહાજ પર અમેરિકી નેવીના હુમલા પછી હવે ઇરાને પણ પલટવાર કર્યો છે. અમેરિકી સેના દ્વારા જહાજ પરના હુમલાને ઇરાને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. મિડલ-ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાના પાકિસ્તાની સમકક્ષ ઇશાક ડાર સાથે ફોન પર વાત કરી. એ દરમિયાન તેમણે અમેરિકા પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે અમેરિકા પહેલેથી જ અનેક વખત વિશ્વાસ તોડી ચૂક્યું છે અને તાજેતરની ઘટનાઓ પણ એ જ બતાવે છે. અરાઘચીએ ખાસ કરીને જૂન અને માર્ચ 2025ની તે ઘટનાઓનો ઉલ્લેખ કર્યો, જ્યારે વાતચીત ચાલી રહી હોવા છતાં ઈરાન વિરુદ્ધ અમેરિકી સૈન્ય કાર્યવાહી થઈ હતી.

 

તેમણે કહ્યું હતું કે તાજેતરમાં પણ અમેરિકાએ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને ઈરાનનાં બંદરો, કિનારાઓ અને જહાજોને લઈને ધમકીઓ આપી છે. ઉપરાંત અમેરિકાની તરફથી સતત કડક અને ધમકીભર્યા નિવેદનો આપવામાં આવી રહ્યાં છે. તેમના જણાવ્યા મુજબ અમેરિકાની માગોઓ પણ સ્પષ્ટ નથી, વારંવાર બદલાય છે અને ઘણી વખત એકબીજાના વિરોધાભાસી હોય છે.

અમેરિકાની નિયત ઠીક નથી – ઈરાન

ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ તમામ બાબતોમાંથી સ્પષ્ટ થાય છે કે અમેરિકાની નિયત ઠીક નથી અને તે કૂટનીતિને ગંભીરતાથી લેતું નથી. તેમણે એ પણ સંકેત આપ્યો કે આવા વલણથી કોઈ પણ પ્રકારની વાતચીત અથવા સમજૂતીની શક્યતા નબળી પડે છે.

શહબાઝ શરીફ – મસૂદ પેઝેશ્કિયાનની વાતચીત

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે ફોન પર વાત કરી. પાકિસ્તાનના વડા પ્રધાનના કાર્યાલય મુજબ આ વાતચીત દરમિયાન ક્ષેત્રની વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા થઈ. ઇરાન-US વચ્ચે વાતચીતને એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે કારણ કે આ એવો સમય છે, જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની ચર્ચાની તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર વિસ્તારમાં તણાવ યથાવત્ છે.

પંચાંગ 20/04/2026

૨૦ એપ્રિલ ૨૦૨૬

From TV Serial ‘Saathiya’ to Bollywood: Mazel Vyas’s Journey