Home Blog Page 1257

નડિયાદમાં 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો પ્રારંભ

ખેડા જિલ્લાના નડિયાદના આંગણે સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે 23મી ઉષા નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ફોર ધ બ્લાઈન્ડનું આજે શનીવાર (14/12/24) પ્રારંભ થયો. જે આગામી ત્રણ દિવસ સુધી ચાલશે. જેમાં દેશના 19 રાજ્યોમાંથી 170થી વધુ દ્રષ્ટિહીન સ્પર્ધકો ભાગ લેવા નડિયાદ આવી પહોંચ્યા છે.

આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઈવેન્ટ્સ યોજાશે

દેશમાં દ્રષ્ટિહીન લોકો માટે સૌથી મોટી રમતગમતનુ આયોજન નડિયાદના આંગણે થયું છે. 23મી ઉષા રાષ્ટ્રીય એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનો આજે પ્રારંભ થયો છે. ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન (IBSA) દ્વારા વર્ષમાં બે વખત આયોજિત આ ચેમ્પિયનશિપ અહીંયા ત્રણ દિવસ ચાલવાની છે. જેમાં 19 રાજ્યોમાંથી 175 દ્રષ્ટિહીન સ્પર્ધકોએ લાભ લેશે, અધિકારીઓ અને મેનેજરોની 50 રહેશે. 111, 112 અને 113 એમ ત્રણ શ્રેણીઓમાં 53 (પુરુષો માટે 29, મહિલાઓ માટે 24) આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ઈવેન્ટ્સ યોજાવાની છે. 246 પુરસ્કારો દ્વારા દેશના ખેલાડીઓની રમત ભાવનાને સન્માનિત કરવામાં આવશે.

ત્રણ દિવસનું આયોજન

આ ચેમ્પિયનશિપનું આયોજન ભારતીય અંધ સ્પોર્ટ્સ એસોસિએશન અને ગુજરાત પેરા સ્પોર્ટ્સ એસોસિએશનના સહયોગથી 14થી 16 ડિસેમ્બર, 2024 દરમિયાન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મારિયા ડો, નડિયાદ ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે. ઉદ્દઘાટક પ્રસંગે અમૂલ ડેરીના ચેરમેન વિપુલ પટેલ ખાસ હાજર રહ્યા હતા. ખેલાડીઓ ક્ષેત્ર અને ટ્રેક ઇવેન્ટ્સ અને રિલે રેસ સહિતની સંખ્યાબંધ રમતોમાં ભાગ લેવાશે. આ સ્પર્ધાઓમાં નેત્રહીન ખેલાડીઓ (T-11 અને F-11) અને નબળા દ્રષ્ટિ ધરાવતા ખેલાડીઓ (T-12, T-13, અને F-12, F-13) માટે મહિલા અને પુરુષોની કેટેગરીનો સમાવેશ થાય છે.

19 રાજ્યોની સંસ્થાઓએ પસંદ કર્યા શ્રેષ્ઠ ખેલાડીઓ

આ ચેમ્પિયનશિપમાં 2024 સમર પેરાલિમ્પિકમાં મહિલાઓની 200 મીટર T-12માં બ્રોન્ઝ મેડલ જીતનાર પેરાલિમ્પિયન સિમરન શર્મા અને 2024 પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર અને જુડોમાં ભારતનો પહેલો પેરાલિમ્પિક મેડલ લાવનાર કપિલ પરમાર પણ હાજર રહ્યા હતા અને દ્રષ્ટિહીન રમતવીરોને પ્રોત્સાહન પુરુ પાડ્યું હતું. આ પ્રસંગે પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાતના પ્રમુખ કાંતિલાલ પરમાર, પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર, પેરાલિમ્પિક્સ કમિટિ ઓફ ઈન્ડિયાના સેક્રેટરી ચંદુલાલ ભાટી અને મિસ દીપાલીબેન રાઠી, પ્રમુખ, બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ઓફ ગુજરાત વગેરે પણ અહીં ઉપસ્થિત રહ્યા છે. આ ચેમ્પિયનશિપ માટે 19 રાજ્યોની સંસ્થાઓએ પસંદગી પ્રક્રિયા દ્વારા શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરાઈ છે.

ઈન્ડિયન બ્લાઈન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન, 1986માં રચાયેલ, એ ભારતની પેરાલિમ્પિક્સ કમિટી અને ઈન્ટરનેશનલ બ્લાઈન્ડ સ્પોર્ટ્સ ફેડરેશન સાથે જોડાયેલ રાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટ્સ ફેડરેશન છે, જે નેત્રહીન લોકો માટેની વિશ્વની સર્વોચ્ચ રમત સંસ્થા છે. 20 રાજ્ય સંસ્થાઓ અને 4 રમત-વિશિષ્ટ ફેડરેશન – ફૂટબોલ, ગોલબોલ, કબડ્ડી અને જુડો આ સંસ્થા સાથે જોડાયેલા છે. IBSA, વૈશ્વિક સંસ્થાના સંલગ્ન તરીકે, વિશ્વ ચેમ્પિયનશિપ્સ અને ગેમ્સ ફોર ધ બ્લાઈન્ડ જેવી આંતરરાષ્ટ્રીય ઈવેન્ટ્સમાં ભાગ લેવા માટે ભારતમાંથી અંધ ખેલાડીઓની પસંદગી કરવામા આવે છે અને તાલીમ આપાઈ છે.

હવે અમેરિકામાં પણ ટિકટોક પર પ્રતિબંધ લાગશે?

ન્યુ યોર્કઃ ભારતીય-અમેરિકી રાજા કૃષ્ણમૂર્તિ સહિત બે પ્રભાવશાળી અમેરિકી સાંસદોએ ગૂગલ અને એપલથી એપ સ્ટોરમાંથી વિડિયો શેરિંગ પ્લેટફોર્મ ટિકટોકને દૂર કરવા માટે તૈયાર રહેવા માટે કહ્યું છે. અમેરિકામાં આવતા મહિને ટિકટોક પર પ્રતિબંધ લાગવાની સંભાવના છે. અમેરિકામાં એપ્રિલમાં એક વિધેયકને કાનૂનમાં બદલી દેવામાં આવ્યો છે, જે અનુસાર ટિકટોકનો માલિકી હકવાળી ચીની કંપની બાઇટડાંસને 19 જાન્યુઆરી સુધી અલગ કરવો પડશે જેથી ટિકટોકને અમેરિકામાં એપને પ્રતિબંધનો સામનો કરવો પડશે.

USની ફેડરલ કોર્ટે શુક્રવારે એપની ‘ફ્રી સ્પીચ’ અપીલને ફગાવી દીધી હતી. સુનાવણી દરમિયાન ત્રણ ન્યાયાધીશોની બેન્ચે બાઈટડાન્સના આરોપને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોઈ પણ અમેરિકન કાયદો ‘ફ્રી સ્પીચ’ને કોઈ પણ રીતે અટકાવતો નથી.

શું છે મામલો?

અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ટિકટોક એપને પ્રતિબંધિત કરવા માટે કાયદો બનાવ્યો હતો. બિલ રજૂ કરતી વખતે, એપ્લિકેશનને રાષ્ટ્રીય સુરક્ષા અને વપરાશકર્તાની ગોપનીયતા માટે ખતરો ગણાવી હતી.

જોકે નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોકી શકે છે પ્રતિબંધ.  જો 19 જાન્યુઆરીએ ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવે છે, તો તેને રોકી શકાય છે. કારણ કે, 20 જાન્યુઆરીએ નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ લેશે અને માનવામાં આવે છે કે ટ્રમ્પ ટિકટોકના પ્રતિબંધનો વિરોધ કરી શકે છે. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન TikTokનો બચાવ કરવાની વાત કરી હતી. જોકે આવું કરવું કાયદાકીય રીતે શક્ય માનવામાં આવતું નથી.

 

તુર્કીના એરપોર્ટ પર 2 દિવસથી ફસાયેલા 400 ભારતીય મુસાફરો પરેશાન

તુર્કી: ઈસ્તાંબુલથી દિલ્હી અને મુંબઈ આવી રહેલાં 400 મુસાફરો 2 દિવસથી ઠંડીમાં તુર્કી એરપોર્ટ પર ફસાયેલા છે. આ લોકો બુધવારે રાત્રે ઈન્ડિગોની ફ્લાઈટ દ્વારા દિલ્હી (6E12) અને મુંબઈ (6E18) જવાના હતા. પરંતુ તેઓને શુક્રવાર સુધી કહેવામાં આવ્યું ન હતું કે તેઓ ક્યારે ભારત જશે. આમાંથી ઘણા મુસાફરો સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.ઇસ્તંબુલના ભારતના કોન્સ્યુલેટ જનરલે દિલ્હી અને મુંબઈ જતી ઈન્ડિગોની ફ્લાઈટ્સમાં વિલંબને કારણે ત્યાંના એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને મદદ કરવા માટે પગલું ભર્યું છે. એરલાઈન્સની 11 ડિસેમ્બરે દિલ્હી અને મુંબઈ બંનેની ફ્લાઈટ્સ લગભગ બે દિવસ મોડી પડી હતી. પછી 13 ડિસેમ્બરની ઇસ્તંબુલ-દિલ્હી પણ વિલંબિત થઈ, ત્યાં ફસાયેલા ફ્લાયર્સની સંખ્યામાં વધારો થયો.

આ પેસેન્જર્સનું કહેવું છે કે ઇન્ડિગો તરફથી ફૂડ વાઉચર અને રહેવાની સગવડ પણ આપવામાં આવી નથી. એક પેસેન્જરે જણાવ્યું હતું કે ફ્લાઇટ બે વાર એક કલાક મોડી પડી હતી, પછી રદ કરવામાં આવી હતી. અંતે 12 કલાક પછી ફરીથી શેડ્યૂલ કરવામાં આવી હતી. ઘણા મુસાફરો થાક અને તાવથી ખરાબ રીતે પીડાઈ રહ્યા છે, પરંતુ તેમને રહેવાની સગવડ કે ફૂડ વાઉચર પણ આપવામાં આવ્યા નથી. ઈન્ડિગોએ પણ હજુ સુધી સંપર્ક કર્યો નથી.ઈન્ડિગો દ્વારા શુક્રવારે રાત્રે જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ સમસ્યાઓના કારણે મુંબઈ અને દિલ્હીથી ઈસ્તાંબુલ જતી અને આવતી ફ્લાઈટ્સ મોડી પડી છે. મુસાફરોને જાણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે. જ્યાં શક્ય હોય ત્યાં તેમને ખોરાક અને આશ્રય આપવામાં આવ્યો છે. ગ્રાહકોને થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

અલ્લુ અર્જુન કેસમાં કંગનાનું નિવેદન,કહ્યું-‘લોકોની જિંદગી ઘણી કિંમતી છે’

મુંબઈ: અલ્લુ અર્જુન શનિવારે સવારે જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના ઘરે પરત ફર્યો છે. તેમણે વર્તમાન મામલે માફી પણ માંગી છે. એવામાં બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતનું નિવેદન પણ અલ્લુ અર્જુનને લઈને આવ્યું છે. અલ્લુ અર્જુન અને આ સમગ્ર મામલે કંગના રનૌતે શું કહ્યું? જાણો.

કંગના રનૌતે ફિલ્મ ‘પુષ્પા 2’ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મોત અને આ કેસમાં અલ્લુ અર્જુનની ધરપકડ વિશે વાત કરી હતી. એક મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં તે કહે છે,’આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. હું અલ્લુ અર્જુનને સપોર્ટ કરું છું. પરંતુ તેઓએ એક ઉદાહરણ પણ બેસાડવું જોઈએ.’

કંગના રનૌત આગળ કહે છે,’અલ્લુ અર્જુનને જામીન મળી ગયા છે, પરંતુ અમે હાઈપ્રોફાઈલ લોકો છીએ, તેનો અર્થ એ નથી કે અમારે કોઈ પરિણામ ભોગવવું ન જોઈએ. લોકોનું જીવન ખૂબ જ કિંમતી છે. ભીડવાળા થિયેટર હોય કે સિગારેટની જાહેરાતો, મને લાગે છે કે તેઓ (પુષ્પા 2 ટીમ) તે કાર્યક્રમમાં હાજર હતા, આવી સ્થિતિમાં દરેકને જવાબદાર ઠેરવવા જોઈએ.’

શું છે સમગ્ર મામલો?
અલ્લુ અર્જુન માટે શુક્રવાર મુશ્કેલીઓથી ભરેલો દિવસ હતો. તેલંગાણા પોલીસે ‘પુષ્પા 2’ ના સ્ક્રિનિંગ દરમિયાન નાસભાગમાં એક મહિલાના મૃત્યુના સંબંધમાં શુક્રવારે બપોરે અલ્લુ અર્જુનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. આ પછી પોલીસે તેને નીચલી કોર્ટમાં રજૂ કર્યો જ્યાં તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો. મોડી સાંજે તેને આ કેસમાં જામીન પણ મળી ગયા હતા. પરંતુ તેને શુક્રવારની રાત જેલમાં વિતાવવી પડી હતી. તે શનિવારે સવારે પોતાના ઘરે આવ્યો છે. ઘરે આવ્યા બાદ અલ્લુએ આ સમગ્ર મામલાની વાત કરી અને જે દુઃખદ ઘટના બની તેના માટે માફી પણ માંગી. અલ્લુ કહે છે કે તે પહેલા પણ ઘણી વખત તે થિયેટરમાં આવી ચુક્યો છે, પરંતુ આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટના પહેલા બની નથી.

ભારતના તમિલનાડુમાં શરૂ થઈ હતી આ રમત, હવે પહોંચી દુબઈ..

રિયલ કબડ્ડી લીગ (RKL)ની શરૂઆત દુબઈ સ્થિત અલ અલી સ્પોર્ટ્સ ક્લબમાં એક પ્રદર્શની મેચ સાથે થવા જઈ રહી છે. આ મેચ રવિવારે સાંજે 6 વાગ્યાથી રમાશે. આ ઈવેન્ટ માટે બે ડમી ટીમો તૈયાર કરવામાં આવી છે, જેના નામ ઈન્ડિયન વોરિયર્સ અને ગલ્ફ ગ્લેડીયેટર્સ છે. આ ઈવેન્ટનો ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય સ્તરે કબડ્ડીના પ્રતિભાશાળી ખેલાડીઓને વિશ્વભરમાં લોકપ્રિયતા અપાવવાનો છે. આ અભિયાનને દુબઈ સ્પોર્ટ્સ કાઉન્સિલનું સમર્થન છે. જો કે કબડ્ડી રમતના મૂળ ખૂબ ઊંડા છે, જે હવે દુબઈમાં પ્રવેશી ચૂકી છે.

અત્યાર સુધી કબડ્ડીની રમત ભારત, ઈરાન અને બાંગ્લાદેશ સહિત માત્ર થોડા જ દેશોમાં પોતાની છાપ છોડી શકી હતી. પરંતુ હવે બે ટીમો વચ્ચે રમાતી આ રમત આરબ દેશોમાં પણ ફેલાવા માટે તૈયાર છે. ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે દુબઈમાં કબડ્ડી મેચ રમાશે. નોંધનીય છે કે, અત્યાર સુધી ભારત RKLની ત્રણ સીઝનનું આયોજન કરતું હતું, પરંતુ તે પહેલીવાર દુબઈમાં એન્ટ્રી લેવા જઈ રહ્યું છે.

રિયલ કબડ્ડી લીગના સહ-સ્થાપક લવેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, “RKLનો ઉદ્દેશ્ય હંમેશા યુવા પ્રતિભાઓને તકો પૂરી પાડવાનો રહ્યો છે. અમે તેમને વૈશ્વિક સ્તરે ઓળખ બનાવવા માટે એક પ્લેટફોર્મ આપવા માંગીએ છીએ.” એમના સિવાય આરકેએલના સ્થાપક શુભમ ચૌધરીનું કહેવું છે કે આ પ્રદર્શન મેચ ગલ્ફ દેશોમાં કબડ્ડીની પાયો નાંખી રહી છે. એમને વિશ્વાસ છે કે આરબ લોકો આ રમતને ખૂબ પસંદ કરશે.

કબડ્ડીની શરૂઆત તમિલનાડુમાં થઈ હતી

સદીઓ પહેલા ભારતના તમિલનાડુમાં જલ્લીકટ્ટુ નામની રમત રમાતી હતી. એમાંથી પ્રેરણા લઈને કબડ્ડીની રમતની શોધ થઈ અને કહેવાય છે કે ગૌતમ બુદ્ધ પણ આ રમતના શોખીન હતા. કબડ્ડીનો ઈતિહાસ 4000 વર્ષ જૂનો હોવાનું કહેવાય છે. કહેવાય છે કે અર્જુને ભગવાન કૃષ્ણ પાસેથી કબડ્ડીની યુક્તિઓ પણ શીખી હતી. નિયમોની વાત કરીએ તો પરંપરાગત કબડ્ડી માટી પર રમાય છે, પરંતુ હવે એ મેટ પર રમાય છે. બે ટીમો વચ્ચે મેચ રમાય છે અને દરેક ટીમમાં 7 ખેલાડીઓ હોય છે. ખેલાડીએ વિરોધી ટીમના ખેલાડીને સ્પર્શ કરીને મેટની વચ્ચેની સફેદ રેખા પાર કરીને એની ટીમના કોર્ટમાં પરત ફરવું પડે છે.

ટામેટા પરાઠા

માનવામાં ન આવે એટલાં સહેલા તેમજ ઘરમાં ઉપલબ્ધ સામગ્રીથી બની જતા, કંઈક અલગ પણ સ્વાદિષ્ટ અને ઝટપટ બની જાય છે આ પરાઠા!

સામગ્રીઃ

  • ટામેટા 3-4
  • ઘઉંનો લોટ 1½ કપ
  • કાંદા 2 (optional)
  • અજમો ½ ટી.સ્પૂન
  • જીરૂ ½ ટી.સ્પૂન
  • ચાટ મસાલો ½ ટી.સ્પૂન
  • હળદર ¼ ટી.સ્પૂન
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • ધાણાજીરુ પાઉડર ½ ટી.સ્પૂન
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન
  • તેલ પરાઠા સાંતળવા માટે
  • લસણ કળી 3-4
  • લીલા મરચાં 2-3
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન

રીતઃ ઘઉંનો લોટ થોડો કઠણ બાંધીને 10 મિનિટ માટે ઢાંકીને રાખી મૂકો.

એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરૂ તતડે એટલે સમારેલી લસણનો વઘાર કરો. ત્યારબાદ તેમાં સમારેલાં કાંદા તેમજ લીલાં મરચાં 2 મિનિટ સાંતળો. હવે તેમાં લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરૂ ઉમેરી 2 મિનિટ સાંતળી લીધા બાદ સમારેલાં ટામેટાં ઉમેરીને સાંતળો. ટામેટાં નરમ થાય તેમાંથી તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં કસૂરી મેથી, અજમો, ચાટ મસાલો મેળવી દો. 1 મિનિટ બાદ ચણાનો લોટ મેળવીને 2-3 મિનિટ સાંતળીને આ મિશ્રણ ઠંડું થવા દો.

લોટને થોડું તેલ ચોપડીને કુણી લો. તેમાંથી એક મોટો લૂવો લઈ પુરી જેવડો વણીને ટામેટાંના મિશ્રણમાંથી 2 ચમચી જેટલું મિશ્રણ વચ્ચે મૂકીને પુરીને ચારેકોરથી કિનારી વાળીને પેક કરી લો. લોટનું અટામણ દઈ પરોઠું વણીને તવામાં તેલ અથવા ઘી લગાડીને શેકી લો.

આ પરોઠું દહીં સાથે પીરસી શકાય છે. નાનાં બાળકોને ટોમેટો કેચ-અપ સાથે પીરસી શકાય છે.

OpenAI પર પ્રશ્ન ઉઠાવનાર સુચિર બાલાજીનું મોત

અમેરિકા: ચેટજીપીટી (ChatGPT)ને ડેવલપ કરનારા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કંપની OpenAIના 26 વર્ષીય પૂર્વ રિસર્ચર સુચિર બાલાજીનું મોત થયું છે. સાન ફ્રાન્સિસ્કોના તેમના ફ્લેટમાં તેઓ મૃત હાલતમાં મળી આવ્યા. સુચિર બાલાજીએ તાજેતરમાં OpenAIની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. સાન ફ્રાન્સિસ્કો પોલીસ અનુસાર આ ઘટના 26મી નવેમ્બરે બની હતી અને 14મી ડિસેમ્બરે સામે આવી છે.પ્રાથમિક માહિતી અનુસાર સુચિર બાલાજી છેલ્લાં કેટલાક દિવસોથી મિત્રો અને સહકર્મીઓના ફોન કોલનો જવાબ આપતો ન હતો. ઘરની બહાર પણ આવ્યો ન હતો. જ્યારે તેના મિત્રો અને સહકર્મીઓ ચિંતા વ્યક્ત કરીને તેના ફ્લેટ પર પહોંચ્યા તો દરવાજો અંદરથી બંધ હતો. ત્યારબાદ તેમણે સાન ફ્રાન્સિસ્કો પોલીસને જાણ કરી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને દરવાજો તોડી અંદર જઈને જોયું તો સુચિરનો મૃતદેહ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ પુરાવા મળ્યા નથી અને હાલમાં આ મામલો આપઘાતનો હોવાની આશંકા છે. પોલીસે આ મામલે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે.વર્ષ 2020માં સુચિરે બાલાજી OpenAIમાં જોડાયા અને લગભગ 4 વર્ષ સુધી કંપનીમાં કામ કર્યું. તે GPT-4 અને WebGPT જેવા પ્રોજેક્ટનો ભાગ હતા. જેણે કંપનીની શોધ ક્ષમતાઓને સુધારી. તેમણે AIના ક્ષેત્રમાં ઘણાં મહત્ત્વપૂર્ણ પાસાઓ પર કામ કર્યું. પરંતુ તેમનો સૌથી મોટો આક્ષેપ એ હતો કે OpenAI તેની પોતાની તકનીકો વિકસાવવા માટે અન્યની સામગ્રીનો દુરુપયોગ કરી રહી છે. OpenAI પર તેના જનરેટિવ AI પ્રોગ્રામ, ChatGPTને તાલીમ આપવા માટે યોગ્ય પરવાનગી વિના કોપીરાઈટ સામગ્રીનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો.

સાંજે 5:45 વાગ્યે PM મોદીનું લોકસભામાં સંબોધન

PM મોદી આજે સાંજે 5.45 વાગ્યાથી લોકસભામાં બંધારણ પરની ચર્ચાનો જવાબ આપશે. આ દરમિયાન તેઓ વિપક્ષી નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા પ્રશ્નો પર પોતાના વિચારો રજૂ કરશે. પીએમ મોદીના સંબોધન પહેલા લોકસભામાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગૃહમાં પોતાના વિચારો રજૂ કર્યા હતા. રાહુલે કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર પછાત, દલિત અને યુવાનોનો અનાદર કરી રહી છે. એક દિવસ પહેલા શુક્રવારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં બંધારણ પર ચર્ચા શરૂ કરી હતી. પ્રિયંકા ગાંધીએ વિપક્ષના આનો જવાબ આપ્યો. રાજનાથ સિંહે એક કલાકથી વધુ સમય સુધી ભાષણ આપ્યું હતું. આ પછી પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું. પ્રિયંકા ગાંધીનું સંસદમાં આ પ્રથમ ભાષણ હતું. પ્રિયંકા ગાંધીએ રાજનાથ સિંહના દરેક નિવેદનનો જવાબ આપ્યો.

આ લોકોએ બંધારણ પરની ચર્ચામાં ભાગ લીધો હતો

એનડીએના જગદંબિકા પાલ, અભિજીત ગંગોપાધ્યાય, જેડીયુના રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, એલજેપીના શાંભવી ચૌધરી અને અન્ય ઘણા સાંસદોએ તેમના વિચારો વ્યક્ત કર્યા. બીજી તરફ, પ્રિયંકા ઉપરાંત, વિપક્ષ તરફથી, એસપી તરફથી અખિલેશ યાદવ, ટીએમસીના મહુઆ મોઇત્રા, ડીએમકે ટીઆર બાલુ, શિવસેનાના ઉદ્ધવ જૂથના અરવિંદ સાવંત અને અન્ય સાંસદોએ તેમાં ભાગ લીધો હતો.

RCBના ટાર્ગેટ પ્લેયર્સની યાદી જાહેર, કેએલ રાહુલ બહાર!

IPL 2025 માટે તમામ ટીમોએ તૈયારી કરી લીધી છે. રિપોર્ટ્સનું માનીએ તો IPLની 18મી સિઝન 14 માર્ચથી 25 મે સુધી રમાશે. ગયા મહિને IPL 2025 માટે મેગા ઓક્શન યોજવામાં આવ્યું હતું, જેમાં તમામ ટીમોએ પોતાની પસંદગીના ખેલાડીઓને ખરીદવા માટે ઘણા પૈસા ખર્ચ્યા હતા. આરસીબીએ આ વખતે હરાજીમાં ઘણા મજબૂત ખેલાડીઓને પણ ખરીદ્યા છે. જો કે, ફ્રેન્ચાઇઝીના કેટલાક નિર્ણયોથી દરેકને આશ્ચર્ય થયું હતું.

હકીકતમાં, હરાજી પહેલા, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરસીબી કોઈપણ કિંમતે કેએલ રાહુલને ખરીદશે. એવું પણ કહેવાતું હતું કે RCB રાહુલને કેપ્ટન બનાવશે. જો કે હવે આ તમામ સમાચાર અને દાવા ખોટા હોવાનું બહાર આવ્યું છે. RCBની ટાર્ગેટ પ્લેયર્સની યાદી બહાર આવી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે.

કેએલ રાહુલનું નામ આ યાદીમાં નથી. શ્રેયસ અય્યર અને ઋષભ પંત જેવા મોટા ખેલાડીઓનું નામ પણ આ યાદીમાં નથી. એટલે કે આ બધા આરસીબીના રડાર પર ન હતા. હા, યુઝવેન્દ્ર ચહલ અને વેંકટેશ અય્યરના નામ ચોક્કસપણે RCBની ટાર્ગેટ લિસ્ટમાં છે. આ ઉપરાંત ટીમે ટિમ ડેવિડ અને લિયામ લિવિંગસ્ટોનને ખરીદવાની યોજના પણ બનાવી હતી જે સફળ પણ રહી હતી.

આ સિવાય ભુવનેશ્વર કુમારનો પણ આરસીબીની વિશ લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કારણથી ફ્રેન્ચાઈઝીએ મોટી રકમ ચૂકવીને ભુવીને ખરીદ્યો છે. ટી નટરાજન, ડેવિડ મિલર અને જોશ હેઝલવુડ જેવા ખેલાડીઓ પણ આરસીબીની ટાર્ગેટ લિસ્ટમાં હતા.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમ

જોશ હેઝલવુડ (રૂ. 12.50 કરોડ), ફિલ સોલ્ટ (રૂ. 11.50 કરોડ), જીતેશ શર્મા (રૂ. 11 કરોડ), લિયામ લિવિંગસ્ટોન (રૂ. 8.75 કરોડ), રસિક સલામ (રૂ. 6 કરોડ), સુયશ શર્મા (રૂ. 2.60 કરોડ), ભુવનેશ્વર કુમાર. (રૂ. 10.75 કરોડ), કૃણાલ પંડ્યા (રૂ. 5.75 કરોડ), ટિમ ડેવિડ (રૂ. 3 કરોડ), જેકબ બેથેલ (રૂ. 2.60 કરોડ), નુવાન તુશારા (રૂ. 1.60 કરોડ), રોમારીયો શેફર્ડ (રૂ. 1.50 કરોડ), સ્વપ્નિલ સિંઘ (રૂ. 50 લાખ), મનોજ ભાંડગે (રૂ. 30 લાખ), દેવદત્ત પડિકલ (રૂ. 2 કરોડ), લુંગી એનગીડી (રૂ. 1 કરોડ), મોહિત રાઠી. (રૂ. 30 લાખ), અભિનંદન સિંઘ (રૂ. 30 લાખ), સ્વસ્તિક ચિકારા (રૂ. 30 લાખ)

રિપીટ- વિરાટ કોહલી, યશ દયાલ, રજત પાટીદાર

પીએમ મોદીએ રાજ કપૂરને આપી શ્રદ્ધાંજલિ, જુઓ પોસ્ટ

મુંબઈ: હિન્દી સિનેમામાં શોમેન તરીકે પ્રખ્યાત એવા દિવંગત અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતા રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સત્તાવાર એક્સ હેન્ડલ દ્વારા આ પીઢ સિનેમા અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી અને તેમને હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અભિનેતા તરીકે વર્ણવ્યા. રાજ કપૂરની પ્રતિભાને યાદ કરીને નરેન્દ્ર મોદીએ તેમના ખૂબ વખાણ કર્યા છે. તેમણે એમ પણ કહ્યું કે રાજ કપૂરે ભારતીય સિનેમાને વિશ્વભરમાં એક વિશેષ ઓળખ અપાવવામાં મોટું યોગદાન આપ્યું છે.

મોદીએ રાજ કપૂરને એમ્બેસેડર કહ્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, ‘આજે, અમે એક સ્વપ્નદ્રષ્ટા ફિલ્મ નિર્માતા, અભિનેતા અને પ્રથમ શોમેન રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યા છીએ! તેમની પ્રતિભા પેઢી દર પેઢી વધતી રહેશે… તેમણે ભારતીય અને વૈશ્વિક સિનેમા પર અમીટ છાપ છોડી છે. તે પોતાના અનેક પ્રખ્યાત પાત્રોને કારણે દર્શકોના દિલમાં આજે પણ જીવંત છે. રાજ કપૂર માત્ર ફિલ્મમેકર જ નહોતા, તેમણે એમ્બેસેડરની ભૂમિકા પણ ભજવી હતી.’

પીએમ મોદીએ આગળ કહ્યું, ‘આજના ફિલ્મ નિર્માતાઓ તેમની પાસેથી અને તેમની ફિલ્મો પાસેથી ઘણું શીખી શકે છે જે આવનારી પેઢીઓ માટે યાદ રહેશે. હું ફરી એકવાર તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને સર્જનાત્મક વિશ્વમાં તેમના યોગદાનની પ્રશંસા કરું છું.’ પીએમ મોદીએ બીજી પોસ્ટમાં આગળ લખ્યું, ‘રાજ કપૂરની ફિલ્મોના આઇકોનિક પાત્રો અને યાદગાર ધૂનો વિશ્વભરના દર્શકોમાં હંમેશા પ્રખ્યાત રહેશે. તેમની ફિલ્મોનું દરેક સંગીત આજે પણ ખૂબ જ લોકપ્રિય છે.

કપૂર પરિવાર નરેન્દ્ર મોદીને મળ્યો હતો
ગયા સપ્તાહની શરૂઆતમાં, કરીના કપૂર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, કરિશ્મા કપૂર અને નીતુ કપૂર સહિત કપૂર પરિવાર માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નવી દિલ્હીમાં તેમના ઘરે મળ્યો હતો અને રાજ કપૂરની 100મી જન્મજયંતિની ઉજવણી માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમંત્રણ આપ્યું હતું. તમને જણાવી દઈએ કે આ ખાસ અવસર પર રાજ કપૂરની કેટલીક ખાસ ફિલ્મો પણ રિલીઝ થવાની છે.