Home Blog Page 1200

ઇન્કમ ટેક્સમાં છૂટ પછી સેલરીમાં કેટલા રૂપિયાની બચત થશે?

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટ 2025માં આવકવેરાના સ્લેબમાં મહત્ત્વના ફેરફાર કર્યા છે. હવે રૂ. 12 લાખની વાર્ષિક કમાણી પર કોઈ ટેક્સ નહીં લાગે. નવી ટેક્સ સિસ્ટમ હેઠળ રૂ. 12 લાખ સુધીની આવક પર કોઈ ઇન્કમ નહીં લાગે. આવો ટેક્સપેયર્સને અલગ-અલગ સ્લેબમાં આવનારા વર્ગને ટેક્સ બચતની માહિતી આ પ્રકારે છે. 

કેટલી થશે ટેક્સ બચત
કમાણી
 બચત- રૂપિયામાં
નવ લાખ 40,000
10 લાખ  50,000
11 લાખ 65,000
12 લાખ  80,000
16 લાખ  50,000
18 લાખ 70,000
20 લાખ  90,000
25 લાખ 1.1 લાખ

સરકારના આ ફેરફારથી મધ્યમ વર્ગ અને પગારદાર કર્મચારીઓને કરરાહત મળવાની અપેક્ષા છે. બજેટ ભાષણમાં નાણાપ્રધાને કહ્યું હતું કે સરકારનો હેતુ કરવેરાને સરળ બનાવવાનો છે અને ટેક્સપેયર્સને પ્રોત્સાહિત કરવાનો છે. સરકારે મધ્યમ વર્ગ પર વિશેષ ધ્યાન આપતાં પર્સનલ ટેક્સને લઈ આ નિર્ણય કર્યો છે.

આમ હવે ટેક્સપેયર્સને રૂ. 12 લાખની આવક પર કી ટેક્સ નહીં લાગે. સેલરીવાળા ટેક્સપેયર્સ માટે રૂ. 12.75 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. રૂ. 12 લાખની સેલરીમાં રૂ. 75,000નું સ્ટેન્ડર્ડ ડિડક્શન સામેલ છે. નવા ટેક્સથી મિડલ ક્લાસ ટેક્સમાં ઘટાડો થશે. મધ્યમ વર્ગ પાસે વધુ નાણાં રહેશે, જેનાથી ઘરેલુ ખપત, બચત અને મૂડીરોકાણને પ્રોત્યાહન મળશે.બધા ટેક્સપેયર્સને લાભ પહોંચાડવા માટે ટેક્સ સ્લેબ અને દરોમાં ફેરફાર કર્યો હતો.

PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત, ગુજરાતના ખેડૂતોને મળશે લાભ!

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું 8 અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારની ત્રીજી ટર્મનું બીજું બજેટ રજૂ કર્યુ છે. જેમાં GYAN પર વધુ ફોક્સ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના લોકો માટે ટેક્સને લઈને પણ થોડી રાહત આપવામાં આવી છે. ત્યારે બજેટમાં નાણામંત્રી , PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર ફળો અને શાકભાજી સહિત આવશ્યક ખાદ્ય ચીજોની ઉપલબ્ધતા અને સુલભતા વધારવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરશે, જેથી તે સુનિશ્ચિત કરી શકાય કે બહેતર પોષણનો લાભ વસ્તીના વિશાળ વર્ગ સુધી પહોંચે.

PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરતા તેમણે જણાવ્યુ કે જે ઓછી ઉપજ અને સરેરાશ ધિરાણ પરિમાણોથી ઓછા 100 જિલ્લાઓને આવરી લેશે. આ યોજનાથી 1.7 કરોડ ખેડૂતોને લાભ થવાની અપેક્ષા છે, જેનાથી ગ્રામીણ ઉત્પાદકતામાં વધારો થશે. પોષણની જરૂરિયાતો વિશે લોકોમાં વધતી જતી જાગૃતિને ઓળખીને, નાણામંત્રીએ શાકભાજી અને ફળો પર કેન્દ્રિત એક વ્યાપક કાર્યક્રમની જાહેરાત કરી. વધુમાં તેમણે જણાવ્યું કે, નાણામંત્રી સીતારમણે કહ્યું કે સરકારનું આ પગલું સ્વસ્થ સમાજનો પાયો નાખશે. તેમણે કહ્યું કે લોકોની આવકમાં વધારો શાકભાજી, ફળો અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થોના વપરાશમાં વધારો કરવામાં ફાળો આપે છે. તેમણે કહ્યું, ‘સરકાર આ આવશ્યક ખાદ્ય પદાર્થોની ઉપલબ્ધતા અને સુલભતા વધારવા માટે એક વ્યાપક કાર્યક્રમ શરૂ કરશે જેથી કરીને સુનિશ્ચિત કરી શકાય કે સુધારેલા પોષણના લાભો વસ્તીના વિશાળ વર્ગ સુધી પહોંચે.’

દેશના એ નાણાપ્રધાન જે ક્યારેય રજૂ ન કરી શક્યા બજેટ, જાણો કારણ

નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંપૂર્ણ બજેટ રજૂ કર્યુ. પરંતુ શું તમે ભારતના એવા નાણા મંત્રીઓ વિશે જાણો છો, જેઓ નાણામંત્રી તો રહ્યા પરંતુ બજેટ રજૂ કરી શક્યા નથી.

નાણાં મંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં આઠમું બજેટ રજૂ કર્યું હતું. નાણાપ્રધાને બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. આ ઉપરાંત નાણાપ્રધાને ખેડૂતો, યુવા, સિનિયર સિટિઝનો માટે અને મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાતો કરી છે.

કેસી નિયોગી બજેટ રજૂ ન કરી શક્યા

હવે વાત કરીએ બજેટ ઈતિહાસમાં સમાવિષ્ટ એવા બે નાણાપ્રધાનોની, જેઓ આ પદ ધરાવતા હોવા છતાં તેમના કાર્યકાળ દરમિયાન કોઈ બજેટ રજૂ કરી શક્યા નથી. જેમાં પહેલું નામ આવે છે પૂર્વ નાણામંત્રી ક્ષિતિશ ચંદ્ર નિયોગીનું, જેઓ નાણામંત્રી પદ પર તો રહ્યા પરંતુ દેશનું સામાન્ય બજેટ રજૂ કરી શક્યા ન હતા. હકીકતમાં એમણે વર્ષ 1948માં માત્ર 35 દિવસ માટે નાણામંત્રી પદ સંભાળ્યું હતું. તેમણે આર.કે. સન્મુખમ ચેટ્ટીની જગ્યાએ આ જવાબદારી સંભાળી હતી, પરંતુ 35 દિવસ પછી એમણે રાજીનામું આપ્યું હતું. આ સમયગાળા દરમિયાન એમને બજેટ રજૂ કરવાની તક મળી ન હતી.

નિયોગી સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા

કે.સી. નિયોગીએ ખૂબ જ ટૂંકા ગાળા માટે નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી અને તેઓ સ્વતંત્ર ભારતના બીજા નાણાં પ્રધાન હતા. નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ જોન મથાઈએ નાણા મંત્રાલયનું કામ સંભાળ્યું અને દેશના ત્રીજા નાણામંત્રી બન્યા. આ પછી મથાઈએ સંસદમાં તે નાણાકીય વર્ષનું બજેટ ભાષણ રજૂ કર્યું.

એચએન બહુગુણા પણ છે આ યાદી

બજેટ રજૂ ન કરી શકનારા નાણાપ્રધાનોની યાદીમાં આગળનું નામ હેમવતી નંદન બહુગુણા (એચ એન બહુગુણા)નું છે, જેમણે આ પદ સંભાળ્યું હતું પરંતુ એમને પણ સામાન્ય બજેટ રજૂ કરવાની તક મળી ન હતી. બહુગુણાની સ્થિતિ કેસી નિયોગી જેવી જ હતી, કારણ કે તેમનો કાર્યકાળ પણ માત્ર સાડા પાંચ મહિનાનો જ રહ્યો હતો. હેમવતી નંદન બહુગુણા વર્ષ 1979માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની સરકારમાં નાણામંત્રી બન્યા હતા, પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પણ બજેટ રજૂ થઈ શક્યું ન હતું.

મહાકુંભ:ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને 73 દેશોના રાજદ્વારીઓ સંગમમાં ડૂબકી લગાવશે

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં, ભારત સહિત વિશ્વના વિવિધ ભાગોમાંથી કરોડો ભક્તો સ્નાન કરવા માટે સંગમ પહોંચી રહ્યા છે. આ જ ક્રમમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર પણ શનિવારે મહાકુંભ મેળામાં આવશે. મળતી માહિતી મુજબ, ઉપરાષ્ટ્રપતિ ધનખર અને 73 દેશોના 116 રાજદ્વારીઓ મહાકુંભ મેળામાં સંગમમાં ડૂબકી લગાવવા પહોંચશે. આ સાથે, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ શનિવારે મેળામાં આવશે અને એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેશે.

રાજદ્વારીઓ ધ્વજ ફરકાવશે અને સંગમમાં ડૂબકી લગાવશે

સરકાર દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, શનિવારે 73 દેશોના 116 રાજદ્વારીઓ મહાકુંભ મેળાની મુલાકાત લેશે. આ રાજદ્વારીઓનું અરૈલમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સરકારી નિવેદન અનુસાર, આ રાજદ્વારીઓ અરૈલમાં પોતપોતાના દેશોનો ધ્વજ ફરકાવશે અને સંગમમાં ડૂબકી લગાવશે. રાજદ્વારીઓ અક્ષયવટ, સરસ્વતી કૂપ અને આશ્રયસ્થાન હનુમાન મંદિરની પણ મુલાકાત લેશે.

સીએમ યોગી પણ પ્રયાગરાજ આવશે

અધિકારીઓએ શનિવારે મહાકુંભ નગરમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને મુખ્યમંત્રીના પ્રસ્તાવિત આગમનની પુષ્ટિ કરી છે. જોકે, અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિના કાર્યક્રમની વિગતો શેર કરી નથી. મળેલી માહિતી અનુસાર, યુપીના સીએમ યોગી આદિત્યનાથ શનિવારે સાંજે 4 વાગ્યે સતુઆ બાબાના શિબિરમાં પટ્ટાભિષેક સમારોહમાં હાજરી આપવાના છે.

આ દેશોના રાજદ્વારીઓ સામેલ થશે

આજે પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં અમેરિકા, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ, રશિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, જાપાન, ન્યુઝીલેન્ડ, જર્મની, નેપાળ અને કેનેડા સહિત ઘણા દેશોના રાજદ્વારીઓ હાજરી આપવાના છે. અગાઉ, 2019 ના કુંભમાં પણ 73 દેશોના રાજદ્વારીઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

વિકસિત ભારત 2047ના સંકલ્પને બજેટથી મળશે નવી ચેતના: CM

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું બજેટ રજૂ કર્યુ છે, જેમાં વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. આ બજેટને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બજેટ બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય બજેટ 2025-26ને આવકાર્યું છે. તેમને સોશિયલ મિડીયા X હેડલ પર પોસ્ટ કરી જાણાવ્યું કે “માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણજી દ્વારા રજૂ કરાયેલું બજેટ ‘વિકસિત ભારત @ 2047’ ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના આપતું બજેટ છે.”

વધુમાં તેમણે જણાવ્યું કે “GYAN- ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે – કૃષિ, MSME, રોકાણ અને નિકાસ.”

વધુમાં તેમણે લખ્યું કે “ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે હું માનનીય પ્રધાનમંત્રી અને માનનીય નાણામંત્રીને અભિનંદન આપું છું.”

ઉલ્લેખનીય છે કે, નાણાપ્રધાને બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપી છે. નાણાપ્રધાને મધ્યમ વર્ગ પર લક્ષ્મીજીની કૃપા વરસાવી છે. તેમણે બજેટમાં જાહેરાત કરી છે કે હવે રૂ. 12 લાખ સીધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે. આ સાથે તેમણે ટેક્સ સ્લેબમાં પણ સુધારા કર્યા છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટના પ્રારંભમાં ખેડૂતોની આવક વધારવા પર ભાર મૂકવા સાથે નેક મોટી યોજનાઓનું એલાન કર્યું હતું. જેમાં PM ધનધાન્ય યોજના વિસ્તરણ અને બિહારમાં ખેડૂતો  માટે મખાના બોર્ડની રચના કરવાની જાહેરાત કરી હતી.

ભારતનું પ્રથમ બજેટ ક્યારે રજૂ થયું? જાણો

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. સતત 8મી વખત નાણામંત્રી બજેટ રજૂ કરશે, જે પોતાનામાં એક રેકોર્ડ હશે. આ પહેલા મોરારજી દેસાઈ એવા નાણામંત્રી રહી ચૂક્યા છે જેમણે સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે. પણ શું તમે જાણો છો કે ભારતનું પહેલું બજેટ ક્યારે રજૂ થયું હતું?

બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ બજેટ પ્રથા

ભારતમાં બજેટ રજૂ કરવાની પ્રથા બ્રિટિશ શાસન દરમિયાન શરૂ થઈ હતી. પહેલું બજેટ આઝાદી પહેલા રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, આ બજેટ દિલ્હીમાં નહીં પરંતુ લંડનમાં રજૂ કરવામાં આવ્યું હતું. એ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સ્કોટિશ અર્થશાસ્ત્રી જેમ્સ વિલ્સન દ્વારા બ્રિટિશ ક્રાઉનને રજૂ કરવામાં આવ્યું હતું, જે તે સમયે ભારતના સચિવ તરીકે ઓળખાતા હતા.

બજેટ કેમ રજૂ કરવામાં આવ્યું?

૧૮૫૭ના બળવાને કારણે બ્રિટિશ શાસનને ઘણું નુકસાન થયું હતું. બ્રિટિશ સરકારે બળવાને નિર્દયતાથી દબાવી દીધો. આ સમગ્ર ઘટનાની વિશ્વભરમાં અને લંડનના હાઉસ ઓફ કોમન્સમાં પણ નિંદા કરવામાં આવી હતી. ૧૮૫૭ના બળવા પછી સરકારને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે ભારતમાં કર વ્યવસ્થા લાગુ કરવાની યોજના બનાવવામાં આવી હતી. વસૂલાત વધારવા માટે નવી કર પ્રણાલી લાગુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પહેલું કેન્દ્રીય બજેટ 7 એપ્રિલ, 1860 ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું.

આ બજેટમાં પ્રસ્તાવિત કર પ્રણાલી અંગે સમયાંતરે ઘણા સુધારા કરવામાં આવ્યા હતા. ૧૮૮૬માં એક અલગ આવકવેરા કાયદો પસાર કરવામાં આવ્યો. વિલ્સનના આ પ્રસ્તાવની હાઉસ ઓફ કોમન્સમાં પણ ટીકા થઈ હતી. સર ચાર્લ્સ ટ્રેવેલિયને ભારતના લોકો પર નવા કર લાદવાની અવ્યવહારુતા વિશે પોતાનો અભિપ્રાય આપ્યો. તેમણે કહ્યું કે “ભારતમાં હાલની કટોકટી વર્તમાન પેઢીની સ્મૃતિમાં રહેલી કોઈપણ ઘટના કરતાં સારા અને ખરાબ બંને પ્રકારના પરિણામોથી ભરપૂર છે. પૂર્વમાં આપણા સામ્રાજ્યનું ભવિષ્ય હવે અપનાવવામાં આવતા માર્ગ પર નિર્ભર રહેશે.” ઘણા સભ્યોએ આ બજેટ અને તેમાં આપવામાં આવેલી કર પ્રણાલીની જોગવાઈઓની ટીકા કરી હતી.

 

સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ

દેશની સ્વતંત્રતા પછી મજબૂત આર્થિક પાયાની જરૂર હતી. આઝાદી પછીનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ રજૂ કરવામાં આવ્યું હતું. એ ભારતના પ્રથમ નાણામંત્રી આર કે શણમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટ ભારતીય અર્થતંત્રને સુધારવાના ઉદ્દેશ્યથી તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી આઝાદી પછી દેશની આર્થિક સ્થિતિ સુધારવા માટે પગલાં લઈ શકાય. તે સમયે ભારતના ભાગલા દરમિયાન થયેલા મોટા રમખાણો વચ્ચે પ્રથમ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાનું નિધન

ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) નવીન ચાવલાનું શનિવારે નિધન થયું છે. તેઓ 79 વર્ષના હતા. ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર એસવાય કુરેશીએ તેમના નિધનની જાણ કરી છે. આ ઉપરાંત ચૂંટણી પંચના એક અધિકારીએ પણ નવીન ચાવલાના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ભૂતપૂર્વ સીઈસી એસવાય કુરેશીએ જણાવ્યું હતું કે તેઓ લગભગ 10 દિવસ પહેલા ચાવલાને મળ્યા હતા, તે સમયે ચાવલાએ તેમને કહ્યું હતું કે તેમને મગજની સર્જરી માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. આજે સવારે એપોલો હોસ્પિટલમાં તેમનું અવસાન થયું. તેમણે કહ્યું કે જ્યારે તેઓ છેલ્લે મળ્યા હતા ત્યારે તેઓ ખુશ હતા.

એસ.વાય. કુરેશીએ X પર લખ્યું, ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાનાં નિધન વિશે જાણીને દુઃખ થયું. તેમના આત્માને શાંતિ મળે. ભૂતપૂર્વ અમલદાર ચાવલા 2005 થી 2009 દરમિયાન ચૂંટણી કમિશનર અને ત્યારબાદ એપ્રિલ 2009 થી જુલાઈ 2010 સુધી મુખ્ય ચૂંટણી કમિશનર હતા.

તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર એન ગોપાલસ્વામીએ નવીન ચાવલા પર કામકાજમાં કથિત ભેદભાવનો આરોપ લગાવ્યો હતો અને રાષ્ટ્રપતિને તેમને ચૂંટણી કમિશનર પદ પરથી દૂર કરવાની ભલામણ કરી હતી. જે બાદ ઘણો વિવાદ જોવા મળ્યો હતો.

બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું થયું? અહીં જુઓ, યાદી…

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને બજેટમાં અનેક ઉત્પાદનો પરની બેઝિક ડ્યુટી ઘટાડવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. એનાથી અનેક ઉત્પાદનો હવે સસ્તાં થશે. આ બજેટમાં તેમણે મધ્યમ વર્ગ, ખેડૂતો અને ટેક્સપેયર્સ માટે મોટી ઘોષણાઓ કરી છે. આવો, બજેટમાં જાણીએ શું સસ્તું થયું અને શું મોંઘું થયું?

નાણાપ્રધાને અનેક ચીજવસ્તુઓની કસ્ટમ ડ્યુટીમાં કાપ મૂક્યો છે, જેનાથી કેટલીક ચીજવસ્તુઓની કિંમતો ઘટશે. ખાસ કરીને ઇલેક્ટ્રોનિક્સ, દવાઓ, ઇલેક્ટ્રિક કારથી જોડાયેલા માલસામાન હવે સસ્તી થશે.

આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તું થાય છે. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. આવો જાણીએ આ બજેટમાં કઇ વસ્તુઓ સસ્તી થઇ છે અને કઇ વસ્તુઓના મોંઘી બની છે.

શું થયું સસ્તું?

  • બજેટમાં કોબાલ્ટ ઉત્પદન, લિથિયમ-આયર્ન બેટરી સ્ક્રેપ અને 12 મહત્ત્વનાં ખનિજોની બેઝિક શૂલ્કમાં સંપૂર્ણ છૂટ આપવાનો પ્રસ્તાવ છે
  • કેન્સર અને દુર્લભ બીમારીઓની સારવારમાં કામ આવતચી 36 દવાઓ પરથી બેઝિક શૂલ્કમાં છૂટ આપવામાં આવી છે, એનાથી એની કિંમતો ઘટશે
  • મોબાઈલ ફોન
  • કેમેરા થશે સસ્તા
  • મોબાઈલ બેટરી
  • LED અને LCD ટીવી
  • 37 કેન્સર જેવી ગંભીર દવાઓ
  • EV કાર કપડાનો સામાન
  • મેડિકલ ઇક્વિપમેન્ટ્સ
  • 82 સામાન પરથી સેસ દૂર કરવામાં આવ્યો
  • લેધર જેકેટ, જૂતાં, બૂટ, પર્સ
  • હેન્ડલૂમ કપડાં
  • જહાજોના નિર્માણમાં કામ આવતા કાચા માલસામાન પર બેઝિક શૂલ્કમાં આગામી 10 વર્ષ છૂટ આપવામાં આવી છે.
  • ફ્રોઝન માછલીની પેસ્ટ પર બેઝિક શૂલ્ક 30 ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાઈ

શું મોંઘું થયું?

  • ઇન્ટરએક્ટિવ ફ્લેટ પેનલ ડિસ્પ્લે પર બેઝિક સીમા શૂલ્ક 10 ટકાથી વધારીને 20 ટકા કરવાનો પ્રસ્તાવ છે.
  • ફેબ્રિક
  • આ ઉપરાંત સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટીને છ ટકા સુધી ઘટાડવાનો પ્રસ્તાવ છે. જોકે બજેટમાં સોના-ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટીમાં કોઈ ફેરફાર નથી કરવામાં આવ્યો.

 

અમિત શાહે નિર્મલા સીતારમણ અને PM મોદીને બજેટ માટે અભિનંદન આપ્યા

નવી દિલ્હી: કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શનિવારે સંસદમાં બજેટ રજૂ કર્યું. આ સમય દરમિયાન તેમણે વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરી. ઉપરાંત, આ બજેટમાં મધ્યમ વર્ગને મોટી રાહત આપવામાં આવી છે. 12 લાખ રૂપિયા સુધીનો ટેક્સ નાબૂદ કરવામાં આવ્યો છે. બજેટ રજૂ થયા પછી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા સાઇટ X પર નિર્મલા સીતારમણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બજેટ માટે અભિનંદન પાઠવ્યા છે. અમિત શાહે X પર લખ્યું, ‘બજેટ-2025 એ મોદી સરકારના દરેક ક્ષેત્રમાં વિકસિત અને શ્રેષ્ઠ ભારત બનાવવાના વિઝનની બ્લુપ્રિન્ટ છે.’

 દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?
મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, “પીએમ મોદીના નેતૃત્વમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે એક અદ્ભુત બજેટ રજૂ કર્યું છે. તેને સ્વપ્નનું બજેટ કહી શકાય, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે. તેમણે આવું બજેટ રજૂ કર્યું, તેથી હું તેમને અભિનંદન આપું છું. હું તેમને અભિનંદન આપું છું.”

“બજેટમાં આવકવેરા મુક્તિ સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને આવકવેરા મુક્તિ વધારીને 12 લાખ રૂપિયા કરવામાં આવી છે. આ જાહેરાત ભારતના અર્થતંત્રમાં એક સીમાચિહ્નરૂપ સાબિત થશે. આનાથી મોટા વર્ગના હાથમાં ખર્ચપાત્ર આવક આવશે. લોકો ખરીદી કરશે, માંગ વધશે અને MSMEને ફાયદો થશે, રોજગારીનું સર્જન થશે. તેથી, તેની મોટી અસર અર્થતંત્ર પર જોવા મળશે. કૃષિ ક્ષેત્રમાં ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. આજે ઘણી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. મારું માનવું છે કે આ એક નવીન બજેટ છે. આ એક એવું બજેટ છે જે 21મી સદીમાં એક નવો રસ્તો બતાવે છે.”

બજેટમાં મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહત, 75,000 નવી બેઠકો ઉમેરાશે

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું, જેમાં શિક્ષણ ક્ષેત્ર માટે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી. નાણામંત્રીએ પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે દેશમાં 10 હજાર મેડિકલ સીટો વધારવામાં આવશે. સરકારી શાળાઓમાં અટલ લેબ ખોલવામાં આવશે.

આગામી પાંચ વર્ષમાં 50 હજાર શાળાઓમાં ALTS લેબ ખોલવાની યોજના છે. બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે અનેક જાહેરાતો કરવામાં આવી છે. બજેટ પ્રમાણે IIT ની ક્ષમતા વધારવામાં આવશે અને 5 IIT માં વધારાના માળખાકીય સુવિધાઓ બનાવવામાં આવશે.

જ્યારે IIT પટનાનું વિસ્તરણ કરવામાં આવશે. ઉપરાંત તમામ સરકારી માધ્યમિક શાળાઓ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી સાથે જોડવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં IIT અને IISc માં ટેકનિકલ સંશોધન માટે 10,000 ફેલોશિપ આપવામાં આવશે. આગામી પાંચ વર્ષમાં 75,000 વધુ મેડિકલ સીટો ઉમેરવામાં આવશે. હાલમાં દેશની મેડિકલ કોલેજોમાં કુલ 1,12,112 MBBS બેઠકો છે. જેમાં પ્રવેશ માટે દર વર્ષે NEET UG પરીક્ષા લેવામાં આવે છે. ઉપરાંત આવતા વર્ષે મેડિકલ કોલેજો અને હોસ્પિટલોમાં 10,000 બેઠકો ઉમેરવામાં આવશે.

આ ઉપરાંત વૈશ્વિક કુશળતા ધરાવતા કૌશલ્ય વિકાસ માટે પાંચ રાષ્ટ્રીય કેન્દ્રો સ્થાપવામાં આવશે. યુવા મનમાં વૈજ્ઞાનિક વિચારસરણી વિકસાવવા માટે, આગામી પાંચ વર્ષમાં સરકારી શાળાઓમાં 50,000 અટલ ટિંકરિંગ લેબ્સ સ્થાપિત કરવામાં આવશે. બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી, આંત્રપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ ખોલવાની જાહેરાત પણ કરવામાં આવી છે.