હૈદરાબાદ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર થયા પછી 21 જૂન પહેલાં અને પછી આખાય વિશ્વના ઘણાં સ્થળોએ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવી. ભારતીય સંસ્કૃતિના પરંપરાગત યોગનું મહત્વ પણ સમજાયું.આ 21 જૂનના યોગ દિવસે રાષ્ટ્રીય બૌદ્ધિક દિવ્યાંગજન સંસ્થા, સિંકદરાબાદ ધ્વારા હૈદરાબાદના કાનહા શાંતિ વનમ ખાતે યોજાયેલ દિવ્યાંગજનો માટે ખાસ યોગા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં અમદાવાદની નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ડો.હરિકૃષ્ણ ડાહ્યાભાઈ સ્વામીનાં ચાર ડાઉન સિન્ડ્રોમ વિદ્યાર્થીઓ અને એમના શિક્ષકોએ ભાગ લીધો હતો.
હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે મેડીટેશન અને યોગામાં ભાગ લઈ આ વિદ્યાર્થીઓ એક વધુ પ્રોત્સાહન મળ્યું હતું.
આખા દેશમાંથી 5,000થી વધુ દિવ્યાંગજનો એ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
યોગ દિવસના આ વિશિષ્ટ કાર્યક્રમને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ-અમદાવાદ)
