અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ અને રશિયા પાસેથી તેલ ખરીદવા પર દંડની જાહેરાત કરીને વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું. અમેરિકાના રાષ્ટ્રપતિની જાહેરાત પછી ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે અમે રાષ્ટ્રીય હિત સાથે સમાધાન નહીં કરીએ. ટેરિફ અંગે અમેરિકાના આ નિર્ણય પછી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે રાજ્યસભામાં લોકસભામાં જવાબ આપ્યો.
My statement in the Rajya Sabha on India-US Bilateral Trade. https://t.co/pwuBKo9S6h
— Piyush Goyal (@PiyushGoyal) July 31, 2025
પીયૂષ ગોયલે કહ્યું કે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર અંગે વાતચીત ચાલી રહી છે. આપણી નિકાસ સતત વધી રહી છે. આપણે આપણા સ્થાનિક ઉદ્યોગોનું રક્ષણ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે આયાત પર 10-15 ટકા ટેરિફ અંગે વાત થઈ છે. આપણે દેશના હિત તરફ પગલાં લઈશું. વૈશ્વિક વિકાસમાં ભારતનું યોગદાન 16 ટકા છે. ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે. બંને પક્ષો વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ છે.
